Opinion Magazine
Number of visits: 9665356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડ્રગ્સ વિરોધી દિવસે જ ડ્રગ્સની રેલમછેલ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 June 2024

રવીન્દ્ર પારેખ

દ્વારકા દેવભૂમિ ગણાય છે, પણ તે હવે ડ્રગ્સભૂમિ તરીકે પણ ઓળખાય છે. 26 જૂન ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે ને એ દિવસે જ ક્યાંક ડ્ર્ગ્સથી ઉજવણું થતું હોય તો નવાઈ નહીં, કારણ કે એ જ દિવસે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના એક રહીશ પાસેથી ચરસના 42 કિલોના 21.06 કરોડની કિંમતનાં 40 પેકેટ્સ પોલીસે કબજે કર્યાં. આપણે આમ તો દેખાડો કરવામાં જ માનીએ છીએ. કશુંક  બીજાને માટે નહીં, પણ પોતાને માટે હોય, અંગત હોય, એવું તો ખાસ રહ્યું જ નથી. જે આવે છે તે જોતો નથી, પણ દેખાડે તો છે જ ! યોગ દિવસ આવે છે તો એ દિવસે યોગ, રોગની જેમ ફાટી નીકળે છે, એ હિસાબે ડ્રગ્સ વિરોધી દિવસ, ડ્રગ્સનું સેવન કરીને ઉજવવાનો હોય તેમ ડ્રગ્સ પકડાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાયાનો હરખ તો કરે છે, પણ દરિયા કિનારે ઊતરતાં ડ્રગ્સનો પ્રવાહ રોક્યો રોકાતો નથી ને લગભગ રોજ જુદા જુદા દરિયા કિનારાઓ પર ડ્રગ્સ ઊતરે છે ને કેટલુંક તો નધણિયાતું ય મળી આવે છે. પોલીસ તે પકડે તો છે, પણ ન પકડાયેલું રાજ્યની ગલીઓમાં ઘૂસ્યું છે ને ગુજરાતનું યુવાધન તેમાં સપડાઈ રહ્યું છે એની ચિંતા કરવા જેવી છે. ડ્રગ્સ ઉતારુઓને ગુજરાતનો દરિયા કિનારો માફક આવી ગયો છે ને છાશવારે કરોડોનું હજારો કિલો ડ્રગ્સ ઊતરી રહ્યું છે તે શરમજનક છે.

છેલ્લાં પાંચેક વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ ને 73,163 ડ્રગ્સ પિલ્સ ને ઇન્જેક્શન્સ પકડાયાં છે. છેલ્લા 6 મહિનામાં જ ચારેક હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ પોલીસને હાથ લાગ્યું છે. છેલ્લા બાર દિવસમાં જ જુદા જુદા દરિયા કાંઠેથી ડ્રગ્સના 242 પેકેટ્સ પોલીસને હાથ લાગ્યા છે, એ ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરી સૂચવે છે. આપણી મુશ્કેલી એ છે કે બધું ભરપૂર હોય છતાં કારણ વગરની કંજૂસાઈ કોઠે પડી ગઈ છે. શિક્ષકો નોકરી માટે રાહ જુએ છે, પણ કાયમી ભરતી કરતાં સરકારને ઠંડી ચડે છે ને બીજી તરફ હજારો સ્કૂલ એકાદ શિક્ષકથી ચલાવવાની નાનમ નથી લાગતી. એવી જ રીતે સરેરાશ એક લાખની વસ્તી સામે 127 પોલીસથી કામ કઢાય છે. આ સ્થિતિ હોય તો અસલામતી ન વધે તો બીજું થાય શું? ગુજરાતમાં દારૂબંધી હોય ને તે ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને એપી સેન્ટર બન્યું હોય ત્યારે પૂરતી સંખ્યામાં પોલીસો ન હોય તો ડ્રગ્સ ગલી મહોલ્લામાં જ પહોંચશે કે બીજું કૈં? સારું છે કે પોલીસ આટલું ડ્રગ્સ કબજે કરે છે, છતાં ડ્રગ્સને રવાડે યુવકો ચડ્યા છે તેની નોંધ લેવી ઘટે. આમ તો દારૂબંધી નામની રહી છે, એમ જ ભવિષ્યે ડ્રગ્સબંધી પણ નામની જ રહે તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દારૂ-ડ્રગ્સ સામે લડત તો આપે છે, પણ તે ય નામની જ હોય એવું એટલે લાગે છે, કારણ સરકારે દારૂ-ડ્રગ્સ સામે લડત આપતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. બીજી તરફ ગરીબી, બેકારી અને મોંઘવારીને કારણે બાળકો ને મહિલાઓ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયાં છે ને તેઓ એકાએક પોલીસનાં ધ્યાનમાં ન આવે એટલે ડ્રગ્સ માફિયાઓ પણ તેમનો ઉપયોગ વધારી રહ્યા છે.

લેટેસ્ટ આંકડાઓ તો મળતા નથી, પણ 2018ના એક રાષ્ટ્રીય સર્વે મુજબ ગુજરાતનાં 17.35 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. આ આંકડાઓ છેલ્લાં છ વર્ષમાં વધ્યા જ હશે. રાજ્યમાં  પોલીસ, એન.સી.બી., ડી.આર.આઈ. જેવી સંસ્થાઓ, પેટ્રોલિંગ, સર્વેલન્સ, સી.સી.ટી.વી. કેમેરાઓ જેવી ટેકનોલોજી છતાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે તે યુવા પેઢીનો કેવો વિનાશ કરશે તેની કલ્પના જ કરવાની રહે છે. સરકાર જે ગતિએ કામ કરે છે, તેનાથી આ વિનાશ રોકાય એમ લાગતું નથી, તેણે સઘન અને સજીવ રીતે સક્રિય થયા વગર છૂટકો નથી. સરકાર વાતો તો ઘણી કરે છે, પણ તે પરિણામો આપે એ અપેક્ષિત છે. ડ્રગ્સ વિરોધ દિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું તો છે કે ભારતને નશામુક્ત રાષ્ટ્ર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે ને એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જે પરિસ્થિતિ અત્યારની છે એ જોતાં આ શબ્દો ગમ્મત જેવા લાગે, કારણ, સરકાર તો આગળ વધી જ રહી છે, ભલે વધે, પણ થોડું પાછળ પણ જોઈ લે તો આવનારી પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ ભારત જોવા મળે.

સરકારને એ ખબર છે કે નશાખોરી વધી છે ને ગુજરાતમાં જ છેલ્લા દાયકામાં ડ્રગ્સને કારણે હજારથી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં 711 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું છે ને એમાં ય 66 તો મહિલાઓ છે. વળી ડ્રગ્સના ઓવરડોઝને કારણે 371 વ્યક્તિઓનાં મોત થયાં છે. ડ્રગ્સનાં સેવન બદલ ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાં 528 લોકોની ધરપકડ થઈ છે. આ બધું છતાં ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નોમાં ઓટ આવી નથી. એ ખરું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષથી વોન્ટેડ આરોપીને 59 લાખના 590 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. એટલે કામ થાય તો છે, પણ ગુનેગારો એક રસ્તો બંધ થાય તો બીજા નવા માર્ગો શોધી લે છે. એવું નથી કે ડ્રગ્સ દરિયાઈ માર્ગે જ ઘૂસાડવામાં આવે છે, તે હવાઈ માર્ગે પણ શહેરોમાં પહોંચે છે.

23 જૂને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં સ્નિફર ડોગની મદદથી તપાસ કરી, તો ફરી એક વખત ગાંજાનો જથ્થો હાથ લાગ્યો. પોલીસે 58 પાર્સલોમાંથી હાઇબ્રીડ અને 2 પાર્સલોમાંથી લિક્વિડ ગાંજો કબજે કર્યો છે. રમકડાં, ડાઇપર, કાર્ટૂન કેરેક્ટર, લંચ બોક્સ, સ્પીકર, સાડી, પુસ્તકો, ફોટોફ્રેમ … વગેરેમાં સંતાડીને ગાંજાની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. આ પાર્સલો અમેરિકા, યુ.કે. અને કેનેડાથી આવ્યાં છે. જો કે, ડિલિવરી પહેલાં જ પાર્સલો કબજે લેવાયાં હોવાથી તે કોણે મંગાવ્યાં તેની માહિતી મળી નથી, પણ ફોરેન ઓફિસમાંથી 3.48 કરોડનો ગાંજો ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો છે તે હકીકત છે. 31 મે, 2024 ને રોજ કરેલ આ જ પ્રકારના કેસમાં પોલીસને માહિતી મળી હતી કે પંદરથી સત્તર વર્ષનાં સગીરોએ પેડલરો થકી ગાંજો મંગાવ્યો હતો. એ 20 સગીરો સાથેની પૂછપરછમાં જ વધુ એક કન્સાઈન્મેન્ટ આવવાનું છે એ વાત પણ ખૂલી હતી અને એને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં 3.48 કરોડનો ગાંજો પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલો ગંભીરતાથી લીધો છે ને નશાને રવાડે ચડેલા દોઢસો તરુણોનું કાઉન્સેલિંગ કરી આ દૂષણથી દૂર રહેવા સમજાવ્યા છે, તો માલેતુજારોના આ નમૂનાઓમાંના કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા છે. એમનાં માબાપ આ વાત જાણતા હશે કે કેમ તે નથી ખબર, પણ આ વાતને હળવાશથી લઈ શકાય એમ નથી. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા એન્ટિ ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કરાવવાની વાત પણ છે. જો કે, આ તપાસે એ જાહેર કરી દીધું છે કે ગાંજાની લતમાં સગીરો સપડાયા છે અને સૌથી આઘાતજનક કોઈ વાત હોય તો એ છે. એ આઘાતજનક છે કે 10માં, 12માં ધોરણના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સ ઓર્ડર કરે છે. પોલીસે આ મામલે વાલીઓને પણ ચેતવણી આપી છે કે પોતાનાં બાળકો કોની સંગતમાં છે તેનું ધ્યાન રાખે. આ પ્રકારના ચાર કેસ પોલીસે કર્યા હોવા છતાં પાર્સલમાં આવી રહેલાં ડ્રગ્સ ઘટવાને બદલે વધી રહ્યા છે એ સૂચવે છે કે ડ્રગ્સ કેટલું ઊંડે ગુજરાતનાં લોહીમાં ઊતરી રહ્યું છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકારે જરા જેટલો પણ દેખાડો કર્યા વગર ડ્રગ્સને મામલે લોખંડી તાકાતથી કામ લેવાનું રહે છે, કારણ એમાં સગીરો સપડાઈ રહ્યા છે ને કોઈ ઇરાદાપૂર્વક ગુજરાતની યુવા પેઢીને ટાર્ગેટ કરી રહ્યું હોવાનું એટલે લાગે છે, કારણ તેમને સંડોવીને તરુણ પેઢીને ખતમ કરવાનું સહેલું છે. આમાંના મોટે ભાગના અમીરોનાં ફરજંદો છે ને તેમને માબાપ જોઈતા પૈસા આપીને છૂટી જાય છે. એમના સંતાનો એકલાં છે ને દિશાવિહીન છે. નિરાશ છે અને માબાપની હૂંફ વગર સોરાય છે. એમને કોઈ પણ રવાડે ચડાવવાનું સહેલું છે. એમને ધનની ખોટ નથી, મનની છે, એટલે થોડું પણ વ્હાલ તેમને કોઈ પણ રસ્તે વાળી શકે એમ છે. એ જો ખોટે રસ્તે વળશે તો તે પોતાનો તો કરશે જ અન્યોનો પણ ઓછામાં ઓછો, સર્વનાશ તો કરશે જ ! એ થવા દેવાનો છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જૂન 2024

Loading

यह चुप्पी टूटनी चाहिए

कुमार प्रशांत|Opinion - Opinion|27 June 2024

कुमार प्रशांत

जिसे जनता ने बहुमत नहीं दिया, उसने अपनी सरकार बना ली; जिसे देश ने स्वीकार नहीं किया वह देश को अंतरराष्ट्रीय स्वीकृति दिलाने के बहाने इटली घूम आया ताकि दुनिया को बता सके कि मैं वहीं हूं, जहां था. रात-दिन वही पिछला माहौल बनाने में सारी सरकारी मशीनरी झोंकी जा रही जो माहौल अब कहीं बचा नहीं है. देश ने जिस ‘गोदी मीडिया’ को गोद से उतार दिया है, वह अपने लिए ‘फेयर एंड लवली’ खोजता, नई जोड़-तोड़ में लग गया है. कितना शर्मनाक है यह देखना कि कल तक यानी 3 जून की रात तक हर संभव हथियार से स्वतंत्र मीडिया की हत्या करने में जो जुटे थे, प्रधानमंत्री की खैरख्वाही में लोटपोट हुए जा रहे थे, वे ही मीडिया-व्यापारी 4 जून की शाम से अभिव्यक्ति की स्वतंत्रता को लोकतंत्र की नींव बताते हुए पता नहीं किसे, क्यों संबोधित कर रहे हैं. अवसरवादिता आप गिरगिट से सीखेंगे कि गिरगिट आपसे, यह  समझना कठिन है.

जिन्हें याद होगा उन्हें याद होगा कि ऐसा ही लिजलिजा माहौल 1977 के आम चुनाव के बाद भी बना था. कायर व स्वार्थी लोग तब भी बहादुरी का तमगा धारण कर सबसे पहले सड़क पर उतरे थे. जिन्हें लोगों ने इस तरह खारिज कर दिया था जिस तरह देश के लोकतांत्रिक इतिहास में कभी, किसी को खारिज नहीं किया था फिर भी लगातार यह तिकड़म की जा रही थी कि इस अस्वीकृति को कैसे स्वीकृति का जामा पहनाया जाए. जो तब कांग्रेस ने और इंदिरा गांधी ने किया था, वही सब आज भारतीय जनता पार्टी व नरेंद्र मोदी कर रहे हैं. तब इमर्जेंसी घोषित की गई थी; आज अघोषित इमर्जेंसी से देश जूझ रहा है. इतिहास बताता है कि जो कायर थे, वे कायर ही रहेंगा.

ऐसे माहौल में आज देश में कोई जयप्रकाश नहीं हैं. वह नैतिक अंकुश नहीं है जो पक्ष-विपक्ष दोनों को उनकी मर्यादा बताए भी और उसे लागू करने के हालात पैदा भी करे. 1977 में इंदिरा गांधी को हटा कर जयप्रकाश ने जिस सरकार को दिल्ली सौंपी थी, उस सरकार को पहले दिन ही यह भी बता दिया था कि सिर्फ 1 साल का समय है आपके पास : “ इस 1 साल में मैं कुछ बोलूंगा नहीं, आप अपना काम करिए, लेकिन आप मेरी गहरी निगरानी में हैं, यह कभी भूलिएगा नहीं. एक साल बाद मैं आपका मूल्यांकन भी करूंगा और आगे का रास्ता भी बताऊंगा.”

जिन्हें पता था वे समझ रहे थे कि यही वह भूमिका थी जिसकी जमीन बनाने में, 30 जनवरी 1948 को गोली खाने से पहले तक गांधी लगे थे. इतिहास इस तरह भी खुद को दोहराता है. हिंदुत्ववादियों ने गांधी को वह करने का मौका नहीं दिया; जयप्रकाश किसी हद तक वह काम कर पाए.

1977 की पराजय के बाद जयप्रकाश बिना बुलाए इंदिरा गांधी के घर पहुंचे थे और उन्हें प्यार से समझाया था कि हार-जीत लोकतंत्र के खेल का हिस्सा है. लेकिन लोगों की सच्ची सेवा कर तुम अपना पुराना मुकाम फिर से हासिल कर सकती हो. वैसा ही हुआ. दूसरी तरफ जनता पार्टी के एक साल के कामकाज का, एक शब्द में जयप्रकाश का मूल्यांकन था : निराशाजनक ! उन्होंने जनता पार्टी के तब के अध्यक्ष चंद्रशेखर व तब के प्रधानमंत्री मोरारजी देसाई को एक खुला पत्र लिखा जिसका लब्बोलुआब यह था कि देश में उभरा आशा का ज्वार, आप सबके करतबों से निराशा के भाटे में बदलने लगा है. उन्होंने मोरारजी देसाई को यह भी लिखा था कि उन्हें प्रधानमंत्री की कुर्सी खाली कर देनी चाहिए ताकि कोई दूसरा उपयुक्त व्यक्ति सामने लाया जा सके. जयप्रकाश इससे आगे बात  नहीं ले जा सके. मौत की लक्ष्मण-रेखा कौन पार कर सका है !

1977 का अनुभव बताता है और आज 2024 का माहौल भी यही बता रहा है कि जो भी सरकार, जैसे भी बनी है, उस पर पहले दिन से ही नजर रखने तथा उसके बेजा इरादों पर अंकुश लगाने की जरूरत है. यह अंकुश सदन के भीतर भी लगे तथा सदन के बाहर भी तभी इस अंधी गली को पार करना संभव होगा.

दिल्ली के बला के असम्मानित लेफ्टिनेंट गवर्नर वी.के. सक्सेना की अनुमति से अरुंधति राय एवं कश्मीरी प्रो. डॉ. शेख शौकत हुसैन पर यूएपीए के तहत मुकदमा दर्ज किया गया है. इन दोनों पर आरोप है कि 2010 में इन दोनों ने कश्मीर से सवाल पर एक उत्तेजक भाषण दिया था. 2010 के उत्तेजक भाषण से यह सरकार आज तक इतनी उत्तेजित है तो यह जरूरी है कि उसे जितनी तरह से व जितनी ऊंची आवाज में संभव हो, यह बताया जाए कि यह अब चलेगा नहीं. उसे समझना ही होगा कि वक्त उसके हाथ से निकल गया है. लोकतंत्र का खेल लोकतंत्र की मर्यादा से ही खेला जाएगा.

मैं अपनी कहूं तो मैं अरुंधति राय के अंग्रेजी लेखन व उनकी भाषा का कायल हूं लेकिन उनकी बातों व स्थापनाओं से मुझे हमेशा ही परेशानी होती है. उनमें कच्चापन भी है, अधकचरापन भी और गैर-जिम्मेवारी भी. लेकिन अरुंधति को किसी मुकदमे में फंसाने का मैं सख्त विरोध करता हूं. उन्हें पूरा हक है कि वे अपनी राय बनाएं, उसे जाहिर करें तथा उसे देश में प्रचारित भी करें. ऐसा करते हुए उन पर भी यह संवैधानिक बंदिश है कि वे देश की एकता-अखंडता को कमजोर न करें. अगर सरकार को ऐसा लगता है कि अरुंधति ने यह मर्यादा तोड़ी है तो उसके पास भी अदालत का रास्ता खुला है. वह चोर दरवाजे से अरुंधति पर वार करे, यह किसी भी तरह स्वीकार्य नहीं होना चाहिए. पिछले 10 सालों में पनपाई गई यह राजनीतिक संस्कृति न सभ्य है, न लोकतांत्रिक.

हमें अदालत से बार-बार पूछना चाहिए कि वह संविधान का संरक्षण करने का काम कैसे कर रही है जबकि यूएपीए जैसा कानून संसद ने बना दिया और उसे अदालती समीक्षा के दायरे से बाहर भी कर दिया ? संविधान कहता है कि देश में संसद ही एकमात्र संवैधानिक संरचना है जिसे कानून बनाने का अधिकार है. वही संविधान, उतने ही स्पष्ट शब्दों में यह भी कहता है कि संसद द्वारा बनाए हर कानून की वैधता जांचने का अधिकार जिस एकमात्र संवैधानिक संरचना को है वह है न्यायपालिका. न संसद को अधिकार है कि वह न्यायपालिका का अधिकार छीने, न न्यायपालिका को अधिकार है कि वह संसद के अधिकार पर बंदिश लगाए. फिर न्यायालय देश को बताए कि यूएपीए जैसा कानून उसने कैसे संवैधानिक मान लिया है ? कितने ही आला लोग इस कानून के तहत सालों से जेलों में बंद हैं. उन्हें दोषमुक्त करना तो दूर, उन्हें अदालतें जमानत देने से भी इंकार कर रही हैं. जमानत अदालती कृपा नहीं है, हर नागरिक का अधिकार है बशर्ते कि जमानत के कारण किसी के जीवन पर या राष्ट्र की सुरक्षा पर खतरा न हो. अदालत हमें बताए कि विभिन्न विश्वासों के कारण जिन लोगों को जेलों में बंद रखा गया है उनमें से कौन है जो जेल से बाहर आने पर किसी की हत्या कर देगा या राष्ट्र के खिलाफ षड्यंत्र रचेगा ? या तो अदालत इस बारे में देश को विश्वास में ले या फिर संविधान के संरक्षण की जिम्मेवारी से अपना हाथ खींच ले. हम इस सफेद हाथी का बोझ क्यों ढोएं यदि यह न चल पाता है, न बोल पाता है ?

यूसुफ पठान क्रिकेट के बहुत आला खिलाड़ी नहीं रहे हैं. अब तो उनका वह खेल भी समाप्त हो चुका है. पता नहीं, ममता बनर्जी ने क्यों यूसुफ पठान को राजनीति में उतारा और यूसुफ पठान ने क्यों राजनीति में उतरना कबूल किया ! राजनीति का यह खेल न तो बहुत सम्मानजनक है, न बहुत अहम. लेकिन बहुत सारे लोग यह खेल खूब खेल रहे हैं तो ममता बनर्जी व यूसुफ पठान को भी यह खेलने का अधिकार तो है ही. तो यूसुफ पठान ने वह खेल खेला और चुनाव जीत कर अब वे सांसद भी बन गए हैं. वडोदरा में रहने वाले इस मुस्लिम-परिवार का, बंगाल से भाजपा को हरा कर संसद में पहुंचना संघ परिवार को रास नहीं आया. उनका छूंछा क्रोध फूटा यूसुफ पठान और वडोदरा के उनके घर पर. गुजरात संघ परिवार की घोषित प्रयोगशाला है. वहां से यूसुफ पठान जैसा विभीषण पैदा हो तो संघ-परिवारी उन्माद में आ गए और उनके घर पर पत्थरबाजी हुई, यूसुफ पठान को धमकाते हुए, उन्हें उनकी औकात बताई गई. यह तो उनका काम हुआ लेकिन इस मामले में राजनीतिक दलों तथा समाज के सभी तबकों में जैसी चुप्पी छाई रही है, वह शर्मनाक भी है और खतरनाक भी ! कोई यह बताना चाह रहा है कि चुनाव का नतीजा भले जैसा भी रहा हो, हमारी हैसियत में कोई फर्क नहीं आया है. मुसलमान आज भी हमारे निशाने पर हैं. तो यह चुपचाप पी जाने वाला मामला नहीं है. इंडिया गठबंधन को और भारतीय समाज को हर स्तर पर इसकी भर्त्सना करनी चाहिए तथा यूसुफ पठान किस राजनीतिक दल से जुड़े हैं, इसका ख्याल किए बगैर उनके साथ खड़ा होना चाहिए.

चुप्पी लोकतंत्र को कायर व गूंगा बनाती है. यह चुप्पी हर वक्त और हर मामले में टूटनी चाहिए; तोड़ी जानी चाहिए.

(27.06.2024) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

દસે વરસે નેતા પ્રતિપક્ષની વિધિવત પ્રતિષ્ઠા : કટોકટીના સ્મરણ સાથે ખાતું ખૂલી રહ્યું છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 June 2024

અઢારમી લોકસભાના આરંભે 

આપણે ઇચ્છીએ કે સત્તાપક્ષ અને વિપક્ષ પરસ્પર સ્પર્ધા અને શત્રુભાવ વચ્ચે વિવેક કેળવીને પોતપોતાનાં દેશપ્રેમ અને બંધારણનિષ્ઠાનો પૂરો અને ખરો હિસાબ આપે.

પ્રકાશ ન. શાહ

બેસતી અઢારમી લોકસભાએ છવ્વીસમી જૂનના સમગ્ર ઘટનાક્રમને કેવી રીતે ઘટાવશું, વારુ? નવનિર્વાચિત અધ્યક્ષ ઓમ બિરલાએ એમની બીજી પારીની શરૂઆતમાં જ ઘોષિત કટોકટીના પચાસમાં વર્ષ પ્રવેશનો મુદ્દો ઠીક આગળ કર્યો. કટોકટી ચોક્કસ જ એક જળથાળ ઘટના હતી, અને ભારત ભાગ્ય ભવન શી લોકસભામાં અધ્યક્ષીય સ્તરેથી એનો ઉલ્લેખ થાય એમાં અવશ્ય ઔચિત્ય છે. 

જો કે, આ તબક્કે એક વાત અસંદિગ્ધ શબ્દોમાં કહેવી જોઈએ કે કાઁગ્રેસને જનતાએ તે માટે નસિયત અને શિકસ્ત બંનેનો અનુભવ આપ્યો છે. તેમ છતાં, એક પક્ષ તરીકે પોતાની આ મહદચૂક માટે કાઁગ્રેસને પક્ષે આત્મનિરીક્ષણનો અભિગમ જેમ જરૂરી છે તેમ જનતા સરકારના હિસ્સેદાર તરીકે, સંયુક્ત મોરચા સરકારોના બહારી ટેકેદાર તરીકે, વાજપેયીના છ વરસ અને મોદીના દસ વરસના વડા લાભાર્થી તરીકે ભા.જ.પે. પણ જવાબ તો આપવો રહે જ છે કે કટોકટીરાજના લક્ષણો વિધિવત જાહેરાત વગર અનુભવાતાં હોય એવું કેમ લાગે છે. કાઁગ્રેસમુક્ત ભારતનો વ્યૂહ પાછો પડ્યો છે અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ને પણ ગતિરોધનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઊલટાનો આ પ્રશ્ન ઓર લાજિમ બને છે. 

1975માં તમે ક્યાં હતા એવો ઇતિહાસચાબખો જો અસ્થાને નથી તો સ્વરાજની લડતમાં અગ્રતાક્રમે તમે ક્યાં હતા એવો ઇતિહાસચાબખો પણ અસ્થાને નથી. ખરું જોતાં દેશજનતાઓ અને એના સઘળા રાજકીય વહેવારિયાઓએ બેઉ છેડાના આત્મનિરીક્ષણપૂર્વક આઝાદીની પહેલી લડાઈ અને આઝાદીની બીજી લડાઈ એવી પરિભાષાના ચોકઠાની બહાર નીકળી આઝાદીની ચાલુ લડાઈની રીતે વિચારવાપણું છે – તમે સત્તાપાટલીએ હો કે સામી પાટલીએ બંધારણની ભાવનાઓ સંદર્ભે આગળ જઈ રહ્યા છો કે પાછા પડી રહ્યા છો એ પ્રશ્ન મહત્ત્વનો છે. 

અહીં આગલા એક-બે દિવસમાં જે સામસામાં દૃષ્યો સરજાયાં એનો ઉલ્લેખ સમયસરનો લેખાશે. એક દૃશ્ય વિધિવત ગૃહપ્રવેશ પૂર્વે વડા પ્રધાન તરફથી રચનાત્મક વિરોધશીખ સાથે અને સહયોગ સાથે કટોકટીની યાદ આપતું હતું. બીજું દૃશ્ય રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નેતૃત્વમાં નવનિર્વાચિત વિપક્ષી સભ્યો બંધારણની પ્રત સાથે નજરે પડતા હતા. છેલ્લાં દસ વરસમાં જે ઘટનાક્રમ દેશજનતાએ નજરોનજર નિહાળ્યો એનો કંઈક પડઘો આ વેળાના ચૂંટણીપરિણામોમાં પ્રભાવકપણે પડ્યો છે. વિધિવત યંત્રણા વિના સ્થાપિત મીડિયા અને ચેનલ ચોવીસાને અંકુશિત કરાયાં પછી અને છતાં સોશિયલ મીડિયા ને યુટ્યુબ ક્રાંતિએ એમાં ખાસી ભૂમિકા ભજવી છે. આર્થિક-સામાજિક ન્યાય અને ખુલ્લાપણા માટેની આ જદ્દોજહદ સારુ બંધારણબક્ષી દિશામોકળાશે નિઃશંક મહત્ત્વની છે. 

અહીં સુધી જે ચર્ચા કરી એની પિછવાઈ પર લોકસભાના અધ્યક્ષની ચૂંટણીનો પ્રશ્ન જોઈએ ત્યારે શું સમજાય છે? વિપક્ષની માગ હતી કે અધ્યક્ષપદ માટે ચૂંટણી ટાળીને એકંદરમતી સાધવાની વાત બરાબર છે, પણ નાયબ અધ્યક્ષપદ વિપક્ષને જશે એવી ખાતરી આપો એ જરૂરી છે. ક્યાં રાજ્યોમાં આમ છે અને ક્યાં રાજ્યોમાં આમ નથી એવી આતશબાજી પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ એન.ડી.એ. સરકાર પોતાની ત્રીજી મુદ્દતમાં બંધારણની 93મી કલમને એક તક આપવાની રીતે પણ કેમ ન વિચારી શકી, એ એક સવાલ છે.

દસ વરસ પછી પહેલીવાર લોકસભામાં વિધિવત નેતા પ્રતિપક્ષ હશે. ઓછામાં ઓછા દસ ટકા સભ્યોની પ્રણાલિકાને અનુસરીને આ શક્ય બન્યું છે. જો કે, તે સિવાય પણ, ઓછા સભ્યો છતાં, આવી જોગવાઈ આડે કોઈ કાનૂની અવરોધ નથી. પણ મોદી ભા.જ.પ.ની કાર્યશૈલીમાં આ પ્રકારની સહભાગિતા સામાન્યપણે અગરાજ રહેતી આવી છે. ગમે તેમ પણ, હવે જે તે નિર્ણયમાં એકતરફી હંકારવા આડે કંઈક રોકનું અને જ્ઞાનતંતુઓના યુદ્ધ છતાં સહયોગનું વાતાવરણ બનશે એ ખયાલે સૌ દેશપ્રેમીઓ ચોક્કસ જ રાહત અનુભવશે. 

ઓમ બિરલાએ એમની બીજી પારીમાં બાવીસ બાવીસ બિલ સરેરાશ ચાલીસ મિનિટમાં પસાર થઈ જાય એવી વિક્રમી અનવસ્થા સામે એક નવું પ્રતિમાન કાયમ કરવાની રીતે વિચારવું રહેશે – અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવે સ્પર્ધા ને શત્રુભાવ વચ્ચે વિવેક કેળવવો રહેશે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 26 જૂન 2024

Loading

...102030...655656657658...670680690...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved