Opinion Magazine
Number of visits: 9663125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—317 

દીપક મહેતા|Opinion - Opinion|30 November 2025

ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહિ હોત, 

મુંબઈનું આ મકાન તો, બંધાયું નહિ હોત!        

ચોક્કસ તારીખ નથી મળતી, તો શું થયું? પણ મુંબઈમાં વસતા અંગ્રેજોની સમિતિએ ૧૮૨૧માં ટાઉન હોલનું મકાન બાંધવાનું કામ તો શરૂ કરી દીધું. અને લગભગ દોઢેક વરસ કામ ધમધોકાર ચાલ્યું. પણ પછી? પછી સમિતિ હાંફી ગઈ. કારણ? કારણ ભેગાં થયેલાં બધાં ફદિયાં ખતમ! અને ફરીથી ફંડફાળો ઉઘરાવવાની એ સમિતિની ત્રેવડ નહોતી, કે તૈયારી નહોતી. એટલે બાલાશંકર કંથારિયાની બહુ જાણીતી ગઝલનો શેર યાદ કર્યો:

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે 

સમિતિએ સરકાર માબાપને અરજ ગુજારી કે આ ટાઉન હોલ બાંધવાના કામને સરકારના નામનાં પુષ્પ માનીને અમે આપની પ્યારી ગ્રીવામાં પ્રીતે પહેરાવી દઈએ છીએ. સમિતિએ તો હાથ ઊંચા કરી દીધા. ટાઉન હોલ બાંધવાનું કામ અટકાવી દીધું. પણ મુંબઈ સરકારને માથે પેલા લંડનવાળા બેઠા હતા. ૧૮૨૪ના નવેમ્બરની પહેલી તારીખે મુંબઈએ લંડનનાં બારણાં ખખડાવ્યાં. ટાઉન હોલનું ભવ્ય મકાન બંધાય તેમાં મુંબઈને ઘણો લાભ હતો. એક ભવ્ય મકાન બાંધવાની શરૂઆત પણ એ માટેની સમિતિએ કરી દીધી. દોઢેક વરસ તો કામ સારી રીતે ચાલ્યું. પણ હવે સમિતિ પાસે એકઠા થયેલા બધા પૈસા વપરાઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મકાનના બાંધકામ પાછળ લગભગ બે લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. અને હજી લગભગ અદધોઅદધ કામ બાકી છે. પણ એ માટે જરૂરી પૈસા એકઠા કરવાનું સમિતિનું ગજું નથી. એટલે તેમણે આ ટાઉન હોલનું મકાન મુંબઈ સરકારને સોંપી દેવાની દરખાસ્ત રજૂ કરી છે. મકાનના બાંધકામ માટે જે સામગ્રી ખરીદાઈ છે, અને મુંબઈ આવી ચૂકી છે તે બધી પણ તેઓ સરકારને સોંપી દેશે. આ મકાન બંધાઈ રહ્યા પછી સરકાર તેનો ઉપયોગ પોતાને યોગ્ય લાગે તે રીતે કરી શકશે. 

ક્યારેક આવી હાલત પણ થઇ હતી ટાઉન હોલનાં મકાનની

આ દરખાસ્ત મળ્યા પછી અમે એક સમિતિની નિમણૂક કરી હતી. મૂળ યોજનામાંથી મકાનનો ઘણો ભાગ પડતો મૂકીએ તો પણ મકાન પૂરું કરતાં સરકારે બીજા ૧,૬૦,૦૦૦ રૂપિયા ખરચવા પડે તેવો અંદાજ છે. મકાન બંધાયા પછી જો તેના ભાગો જુદી જુદી સરકારી ઓફિસોને ભાડે આપીએ તો વરસે દહાડે ૧૫,૭૮૦ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. એટલે કે સરકાર જે ૧,૬૦,૦૦૦ રૂપિયા ખર્ચે તે રકમ સાડા ચૌદ વરસમાં સરકારને પાછી મળી જાય. પણ જો મૂળ યોજના પ્રમાણે મકાન બાંધીએ તો બીજા ૨,૫૦,૦૦૦ રૂપિયા જેટલો ખરચ થાય. આ રકમ પાછી મળતાં સવા બત્રીસ વરસ લાગે. જો કે મુંબઈ સરકારે અલગથી અંદાજ કઢાવ્યો તો તે પ્રમાણે મૂળ યોજના પ્રમાણેનું મકાન બાંધતાં બીજા ૨,૮૫,૨૨૭ રૂપિયાનું ખરચ થાય તેમ છે. વળી જો લાંબા સમય સુધી મકાનનું બાંધકામ અટકી જશે તો પછીથી તે ફરી શરૂ કરતી વખતે વધારે ખરચ કરવો પડશે. 

આ મકાન જો મૂળ યોજના પ્રમાણે બાંધી શકાય તો તે માત્ર મુંબઈ શહેર કે મુંબઈ ઈલાકાનું જ નહિ, હિન્દુસ્તાનના બ્રિટિશ સામ્રાજ્યનું એક મોંઘુ આભૂષણ બની રહેશે એમ જાણકારોનું કહેવું છે. મૂળ યોજના પ્રમાણે પણ પચાસ વરસને અંતે જમીનના લીઝની મુદ્દત પૂરી થતાં તો આ મકાન સરકારની માલિકીનું બનવાનું જ હતું. તો અત્યારે થોડો ખરચ કરીને સરકાર તેનું બાંધકામ પૂરું કરે તો તે મકાન અત્યારથી જ સરકારની માલિકીનું બની જશે. આ અંગે આપનો નિર્ણય વહેલી તકે અમને જણાવવા વિનંતી. 

પણ તરત હા કે ના પાડે તો એ શેઠ શાના? મુંબઈ અને લંડન વચ્ચે લખાપટ્ટી ચાલી. સવાલો પૂછાયા, જવાબો અપાયા. છેવટે ૧૮૨૬ના જાન્યુઆરીની ૨૫મી તારીખે લખાયેલા રુક્કામાં કંપની સરકારના બડેખાંઓએ મુંબઈ સરકારની દરખાસ્તને મંજૂરી આપી. અલબત્ત, શરતો સાથે. મકાન બાંધવામાં બને તેટલી કરકસર કરવી. મકાન બંધાઈ રહે પછી હાલમાં ભાડાની જગ્યામાં કામ કરતી હોય તેવી સરકારી ઓફિસોને ત્યાં ખસેડવી જેથી ભાડાની રકમ બચે. અથવા એડમિરાલ્ટી હાઉસમાં અત્યારે સુપ્રીમ કોર્ટ ભાડાની જગ્યામાં કામ કરે છે તેને ત્યાંથી આ નવા મકાનમાં ખસેડવી. જેથી ભાડાની રકમની બચત થાય. પછી વળી મુંબઈના સાહેબોને બીજો એક તુક્કો આવ્યો. તેમણે લંડનના હાકેમોને લખ્યું કે સુપ્રીમ કોર્ટ ખસેડવાની દરખાસ્ત અંગે અમને હજી સુધી તે કોર્ટ તરફથી કશો જવાબ મળ્યો નથી. એટલે અમે બીજો વિકલ્પ એ વિચાર્યો છે કે ગવર્નર્સ હાઉસને પરળથી ખસેડીને આ નવા મકાનમાં લાવી શકાય. લંડનથી ફરી નનૈયો. હારી-થાકીને મુંબઈ સરકારે લખ્યું કે અમને લાગે છે કે સૌથી સારો રસ્તો એ છે કે એક વાર મકાન પૂરેપૂરું તૈયાર થઈ જાય પછી નક્કી કરવું કે એ કોને માટે અથવા શાને માટે વાપરવું. પછી વળી એક વિચિત્ર દરખાસ્ત પણ રજૂ થઈ. ટાઉન હોલનું મકાન બાંધવા પાછળ જે ખરચ થયો છે તે વહેલી તકે પાછો મેળવવો હોય તો એ મકાનનો ભોંયતળિયાનો અને ભંડકિયાનો ભાગ અફીણ અને કોટનના વેપારીઓને ગોદામ તરીકે ભાડે આપવો!  

૧૫ ઓગસ્ટ ૧૮૩૩. ટાઉન હોલના મકાનના બાંધકામ પર દેખરેખ રાખતા લેફ્ટનન્ટ કર્નલ ડિકીન્સને મુંબઈ સરકારને લખી જણાવ્યું કે ટાઉન હોલના મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે. માત્ર મકાનમાં બે જગ્યાએ આરસની તકતી મૂકવાની બાકી છે. અલબત્ત, એ મૂકવા માટેના દીવાલમાંના ખાંચા પણ તૈયાર છે. મુંબઈના અને લંડનના સાહેબોને શીરાના કોળિયાની જેમ ગળે ઊતરી જાય એવી એક-બે વાત પણ એ પત્રમાં હતી. એક : આ મકાન બાંધવા પાછળ ખરચવા માટે સરકારે જે રકમ મંજૂર કરી હતી તેમાંથી રૂપિયા ૧૨,૯૬૭ની બચત અમે કરી છે. વળી બાંધકામમાં ઈમારતની મજબૂતીને આંચ ન આવે એવી રીતે અમે કેટલીક જગ્યાએ કરકસર કરીને ૨૨,૧૮૫ રૂપિયા અને ત્રણ આના જેટલી રકમ બચાવી છે. ટાઉન હોલનું આ મકાન બાંધવા પાછળ કુ ૬,૫૬,૬૬૯ રૂપિયાનો ખરચ થયો. તેમાંથી ૧,૭૩,૨૦૦ રૂપિયા સરકારે બાંધકામ પોતાના હાથમાં લીધું તે પહેલાં ખરાચાયા હતા. આ ઈમારત માટે કાસ્ટ આયર્નના ૧૬ થાંભલા વિદેશથી મગાવવામાં આવ્યા તેના કુલ ૧૩,૫૩૯ રૂપિયા થયેલા જે ખરચ સરકારને માથે આવ્યો નથી. એટલે કે આ ટાઉન હોલ બાંધવા પાછળ સરકારના ફક્ત ૪,૬૯,૯૩૦ રૂપિયા જ વપરાયા છે. જવાબમાં મુંબઈ સરકારે લેફ્ટનન્ટ કર્નલ ડિકીન્સનો આભાર માન્યો અને તકતી પર લખવાનું લખાણ પણ મોકલી આપ્યું. એ લખાણ સાથેની તકતી પછીથી ટાઉન હોલના મકાનમાં જોવા મળે છે.

એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈનો લોગો

હવે થોડી વાત જે સોસાયટી આ મકાનનો મોટો ભાગ વાપરે છે તેને વિષે. ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખે લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની સ્થાપના સર મેકિનટોશે કરેલી તે આપણે અગાઉ જોયું હતું. પછી જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ પુસ્તકો, હસ્તપ્રતો, નકશા, વગેરેનો તેનો ખજાનો વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો. હવે જઈએ લંડન. ત્યાંની સેન્ટ જેમ્સ સ્ટ્રીટ પર આવેલું એક કાચું-પાકું મકાન. એનું છાપરું ઘાસનું. ૧૮૨૩ના માર્ચની ૧૫મી તારીખે એ મકાનમાં હેન્રી થોમસ કોલબ્રૂકના પ્રમુખપદે એક સભા મળી. તેમાં નક્કી થયું એક સોસાયટીની સ્થાપના કરવાનું. એ સોસાયટીનું નામ રાખ્યું ‘એશિયાટિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ’. એ પછી ૧૮૩૦માં લિટરરી સોસાયટી ઓફ બોમ્બે લંડનની રોયલ એશિયાટિક સોસાયટીની બ્રાંચ બની અને ‘બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ તરીકે ઓળખાઈ. આઝાદી પછી ૧૯૫૪માં મુંબઈની સંસ્થા લંડનની સંસ્થાથી છૂટી પડી અને ‘એશિયાટિક સોસાયટી ઓફ બોમ્બે’ બની. ૨૦૦૨૨માં ફરી એક વાર તેનું નામ બદલાયું. નવું, હાલનું નામ, ‘એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ’. એક વાત ધ્યાનમાં આવી? માતૃસંસ્થા અને તેની શાખા વચ્ચેનો સંબંધ એક રીતે મા-દીકરી જેવો કહેવાય. અને સાધારણ રીતે દીકરી કરતાં મા ઉંમરમાં મોટી હોય. પણ આ કિસ્સામાં મા — એશિયાટિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ — કરતાં દીકરી — ‘બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ મોટી ઉંમરની હતી. દીકરીનો જન્મ ૧૮૦૪માં, માનો જન્મ ૧૮૨૩માં. 

ટાઉન હોલનાં પગથિયાં પર રાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

અઢારમી સદીમાં પ્રચલિત બનેલી નિઓક્લાસિકલ શૈલીમાં બંધાયેલું ટાઉન હોલનું મકાન ૧૦૦ ફૂટ ઊંચું અને ૨૦૦ ફૂટ પહોળું છે. મુંબઈનાં સૌથી વધુ જાણીતાં એવાં ત્રીસ પગથિયાં ચડીને મકાનમાં દાખલ થવાય છે. મકાનની જમણી બાજુએ અલબત્ત, સ્પાઈરલ પગથિયા છે અને હવે તો લિફ્ટ પણ મૂકવામાં આવી છે. પ્રવેશદ્વાર આગળ તોતિંગ કદના આઠ થાંભલા છે. અહીં આવેલા ‘દરબાર હોલ’માં સોસાયટી તરફથી અવારનવાર પ્રવચનો, પરિસંવાદ, વગેરે યોજાય છે. એ હોલમાં તેમ જ મકાનમાં બીજે સ્થળે પણ આ સોસાયટીના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર અંગ્રેજ તેમ જ હિન્દી મહાનુભાવોનાં પૂતળાં કે તૈલચિત્રો મૂકેલાં છે. પણ હા, વીસ હજાર પાઉન્ડને ખર્ચે તૈયાર થયેલાં કોર્નવોલિસ, મિસ્ટર પિટ, અને વેલેસ્લીનાં પૂતળાં ટાઉન હોલમાં ક્યાં ય જોવા મળશે નહિ, કારણ એ ક્યારે ય ત્યાં મૂકાયાં જ નહોતાં! શરૂઆતમાં અલબત્ત, ટાઉન હોલમાં મૂકાયેલાં બધાં પૂતળાં અને તૈલચિત્રો અંગ્રેજોનાં જ હતાં. પણ પછી વખત જતાં ‘દેશી’ વિદ્વાનોને પણ અહીં સ્થાન મળ્યું. તેમાં ડો. ભાઉ દાજી લાડ, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કાશીનાથ તેલંગ, ડો. સર જીવણજી મોદી, ડો. રામકૃષ્ણ ભાંડારકર, વગેરેનો સમાવેશ થાય છે. મકાનની જમણી બાજુએ આવેલ સ્પાઈરલ સ્ટેરકેસ પાસેની જગ્યામાં જગન્નાથ શંકરશેઠનું સફેદ આરસનું ભવ્ય પૂતળું પણ મૂકેલું છે. 

જગન્નાથ શંકરશેઠનું આરસનું પૂતળું

આ ટાઉન હોલ પારાયણની શરૂઆત આપણે ગયે શનિવારે કવિ દલપતરામના એક પદ્યની શરૂઆતની પંક્તિઓથી કરી હતી. આજે જ્યારે મુંબઈની એક આગવી ઈમારત પાસેથી પસાર  થઈએ, અને તેમાં ય સાંજ પછી મોડી રાત સુધી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને ટાઉન હોલનાં પગથિયાં પર બેસીને પરીક્ષાની તૈયારી કરતા જોઈએ ત્યારે દલપતરામના પેલા પદ્યની બાકીની પંક્તિઓ યાદ આવે:

હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠી વાર,

ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત

આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત. 

આપણા આ મુંબઈ શહેરના અનંત લાભોમાંથી બીજા કોઈ લાભની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 નવેમ્બર 2025 

Loading

મહિલા કબડ્ડીમાં પણ વર્લ્ડ કપ

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|29 November 2025

ભારતની મહિલા ખેલાડીઓની કબડ્ડી ટીમે મંગળવાર, 25 નવેમ્બરે વિશ્વકપ જીત્યો. આપણી ખેલાડીઓએ ચાઇનીઝ તાઇપેની ટીમને ઢાકા ખાતે 35-28 સ્કોરથી હરાવીને સળંગ બીજી વખત વિજેતા બની. આપણી ટીમે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ અગિયાર દેશોની ટીમોને હરાવી.આ પહેલાં 2012માં બિહારના પટણામાં આપણી મહિલાઓએ ઇરાનને હરાવી ટ્રૉફી હાંસલ કરી હતી. રાજકીય પક્ષના નેતાઓ તેમ જ અનેક પૂર્વ ખેલાડીઓએ ટીમને અભિનંદન આપ્યા છે. 

જે દેશના સમાજનો મોટો હિસ્સો હજુ અત્યંત પુરુષપ્રધાન છે, જે દેશમાં મહિલાઓ પર દર દસેક મિનિટે અત્યાચાર થાય છે, જે દેશમાં અનેક સમુદાયો હજુ ધર્મ-સંસ્કૃતિને નામે મહિલાઓને નિયંત્રણ-દમનનો ભોગ બનાવે છે – એ દેશની મહિલાઓ એક જ મહિનામાં ત્રીજી વખત, રિપિટ, ત્રીજી વખત વિશ્વ વિજેત્રી બને તે વંદનીય સિદ્ધિ છે. 

અત્યંત ખેદની વાત છે કે મહિલા કબડ્ડી-વિજયના સમાચાર આપણા તમામ પ્રકારના માધ્યમોમાં નહીંવત આવ્યા છે. તેનાં કારણોમાં આપણા સમાજ તેમ જ માધ્યમોનો સંપત્તિ અને ગ્લૅમરને કેન્દ્રમાં રાખતો અભિગમ હોવાનું ધારી શકાય છે. વળી,આપણા દેશના એક મોટા હિસ્સાનો દંભ અને તેનું મિથ્યાભિમાન પણ અહીં છતું થાય છે. છાશવારે આપણા દેશની જીવનરીતિ, પરંપરા અને સંસ્કૃતિની દુહાઈ દેવામાં આવે છે. પણ દેશજ રમતોની, તેમાં ય કિશોર-યુવાવર્ગને શબ્દશ: આ દેશની ધરતીમાં રગદોળીને તેનું ઘડતર કરનારી, શ્રમિક વર્ગોએ જીવંત રાખેલી, કોઈ સાધન-સામગ્રી વિના સહુ કોઈને પોષાય તેવી તે કબડ્ડીની રમતની આપણે ગુનાઈત ઉપેક્ષા કરી છે. પ્રસ્તુત કિસ્સામાં આ બેવડી ઉપેક્ષા છે – મહિલાઓની અને કબડ્ડીની. 

આપણી મહિલા ટીમની ખેલાડીઓ વિશે જૂજ માહિતી મેળવી શકાઈ છે. નામ આ મુજબ છે : રિતુ નેગી (કૅપ્ટન), પુષ્પા રાણા (વાઇસ-કૅપ્ટન), સંજુ દેવી, સોનાલી શિંગાટે, ભાવના દેવી, ચંપા ઠાકુર, સાક્ષી શર્મા, મીની નરવાલ, ધનલક્ષ્મી પૂજારી, રિતુ મેથારવાલ, રિતુ શેરોન. 

દરેક ખેલાડીના વતન અને તેની નિપુણતા વિશે આ લિન્કમાં વાંચી શકાશે.  

https://thebetterindia.com/web-stories/sports/india-womens-kabaddi-world-cup-2025-player-profiles-10810649

તદુપરાંત મહિલા કબડ્ડી ખેલાડીઓના સંઘર્ષ વિશે બી.બી.સી અંગ્રેજીએ કરેલી એક સ્ટોરીની અને બી.બી.સી. ગુજરાતીની એક વીડિયો સ્ટોરીની લિન્ક્સ અહીં મૂકી છે.

https://mail.google.com/mail/u/0/#inbox/KtbxLzGLlQvMXVmpvPlnzRkprTMQZjGQDV

https://share.google/9Y0hWUG0Wpc17p1Xj 

28 નવેમ્બર 2025 

°

India women’s team secured their second successive Women’s Kabaddi World Cup title in Dhaka, beating Chinese Taipei 35–28 in the final on Monday, November 24. India maintained excellent form throughout the tournament, winning all their group matches to reach the semi-finals, where they faced Iran.

They continued their sensational form in the knockouts as well and defeated Iran 33–21 to secure a place in the final. On the other hand, Chinese Taipei had also enjoyed an unbeaten group stage and advanced to the final after overcoming hosts Bangladesh 25–18 in their semi-final clash. However, it was India who held their nerve in the summit clash and secured their second consecutive World Cup title.

Following their historic win, Prime Minister Narendra Modi also congratulated the team and said that the victory will inspire future generations to take up the sport.

Former India captain and Puneri Paltan Head Coach in the Pro Kabaddi League, Ajay Thakur also congratulated the team and hailed the progress of women’s kabaddi in the world.

“It is a very proud moment for India as the women’s team retained the World Cup trophy in Dhaka. Their dominant run to the final and then the trophy shows how much women’s kabaddi has progressed in the last few years. It is also a testament to the global appeal of the sport, with Bangladesh hosting the World Cup, and I hope that this momentum continues in the years to come,” Thakur was quoted as saying by Pro Kabaddi.com.

A total of 11 countries participated in the tournament, highlighting the rapid global growth of women’s kabaddi.

SPORTS STAR

 This year’s tournament was only the second edition of the Women’s World Cup. The previous event was held in Patna in 2012, where India defeated Iran in the final.

TELEGRAPH

This year’s tournament was only the second edition of the Women’s World Cup. The previous event was held in Patna in 2012, where India defeated Iran in the final. Unbeaten India were in sublime form throughout the tournament, beating Iran 33–21 to enter the summit clash. Chinese Taipei, on the other hand, defeated hosts Bangladesh 25–18 in the semifinals.

Home Minister Amit Shah also congratulated the victorious team.

“Moment of immense pride as our women’s kabaddi team scripts history. Congratulations to the entire team for lifting the Women’s #KabaddiWorldCup2025. Your stupendous victory reiterates why India’s sporting talent is second to none. All my best wishes for your future endeavors,” Shah wrote on X.

BJP president JP Nadda hailed “India’s daughters” for making the nation proud once again, adding that the victory will inspire countless young girls to follow their dreams with confidence.

Congress leader Rahul Gandhi praised the team, applauding their triumph and celebrating the milestone achievement. Karnataka Deputy Chief Minister DK Shivakumar and Leader of Opposition Mallikarjun Kharge also congratulated the Indian women’s kabaddi team on their World Cup victory.

Shivakumar praised the team for playing with “heart, hunger, and a quiet confidence that never wavered,” calling it a moment the whole country will remember. Kharge lauded their “grit, skill, and ingenuity,” noting that the team’s triumph will inspire countless youngsters to dream bigger and chase greatness.

The team earned accolades from leaders across the political spectrum, including Naveen Patnaik, YS Jagan Mohan Reddy, MK Stalin, and N. Chandrababu Naidu.

Former India captain Ajay Thakur said: “Their dominant run to the final and then the trophy shows how much women’s kabaddi has progressed in the last few years. It is also a testament to the global appeal of the sport, with Bangladesh hosting the World Cup, and I hope that this momentum continues in the years to come.”

In the league stage, India displayed their dominance with wins over Thailand, Bangladesh, Germany, and Uganda.

It was India’s second major title of the year, following their triumph at the Asian Championships in March.

Former India international Manpreet Singh added: “Their belief and teamwork were outstanding. As a former India player, I understand just how hard it is to reach this level. Big congratulations to the players and staff.”

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

પડદા પાછળનું ગુજરાત: પુસ્તક

હિદાયાત પરમાર|Opinion - Opinion|29 November 2025

લેખક : આર.બી. શ્રીકુમાર (ગુજરાત કેડરના સેવાનિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી)

પ્રસ્તાવના : પ્રકાશ ન. શાહ

પ્રકાશન : ફારોસ મીડિયા & પબ્લિશિંગ પ્રાઈવેટ લિમિટેડ, ૨૦૦૯ (ગુજરાતીમાં)

આ પુસ્તક ૨૦૦૨માં ગુજરાતમાં બનેલી કોમી હિંસાની ઘટનાઓનું આંતરિક અને વ્યવસ્થાગત વિશ્લેષણ છે, જે ગોધરા રેલવે સ્ટેશન પરની દુર્ઘટના (એસ-સિક્સ કોચમાં આગ લગાડવાની ઘટના) પછી રાજ્યના અનેક વિસ્તારોમાં ભડકી ઉઠેલા રમખાણો પર કેન્દ્રિત છે. આ ઘટનાઓને ગુજરાત અને ભારતના ઇતિહાસમાં કલંક તરીકે ગણાવતા લેખક આર.બી. શ્રીકુમાર, જે તે સમયે ઇન્ટેલિજન્સ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક તરીકે ફરજ પર હતા (૯ એપ્રિલથી ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૨), તેમના અનુભવો અને આધાર પુરાવાને આધારે આ પુસ્તક લખ્યું છે.

પુસ્તકમાં લેખકે પોતાની અંતરાત્માના બોજને હળવો કરવા માટે ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે. તેમણે રાજ્ય સરકારને નજીકથી જોવાની તક મળી હતી, પરંતુ તેમણે સરકારને સાથ ન આપીને અને પંચો સમક્ષ સાચા બયાન આપીને સરકારના વિરોધનો ભોગ બન્યા. પુસ્તકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે :

– ઘટનાઓનું ક્રમબદ્ધ વર્ણન : ગોધરાની ઘટના પછી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં થયેલી હિંસા, મુસ્લિમ સમુદાય પરના હુમલા, મંદિરો-મસ્જિદોનું વિનાશ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા.

– પોલીસ અને વહીવટી અસફળતા : ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં અગાઉથી આગાહી હોવા છતાં સરકારની બેદરકારી, પોલીસને હસ્તક્ષેપથી રોકવું અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળતા. લેખકે તેમના વિભાગના દસ્તાવેજો અને આંતરિક મેમો આધારે આનું પુરાવા સાથે વર્ણન કર્યું છે.

– રાજકીય જવાબદારી : તત્કાલીન મુખ્ય મંત્રી, મંત્રીઓ અને વહીવટી અધિકારીઓની ભૂમિકા, જેમણે હિંસાને રાજકીય લાભ માટે વાપરી હોવાનું આક્ષેપ. લેખકે સરકારની નીતિઓ અને તેની અસરો પર પ્રકાશ પાડ્યો છે.

– સામાજિક અને માનવાધિકારી પરિણામો : હિંસામાં મૃત્યુ પામેલા લોકો (ખાસ કરીને લઘુમતી સમુદાય), વિસ્થાપન, આર્થિક નુકસાન અને રાજ્યની પ્રતિષ્ઠા પરના કલંક. પુસ્તકમાં આ ઘટનાઓને ભારતીય લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પરના પડકાર તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે.

આ પુસ્તક એક પ્રકારનું ‘ઇન્સાઈડર’ અને ‘વિસલબ્લોઅર’ દસ્તાવેજીકરણ છે, જે ૨૦૦૨ની ઘટનાઓના ‘પડદા પાછળ’ના રહસ્યો ખોલે છે. તેમાં લેખકના વ્યક્તિગત પ્રયાસો, કોર્ટમાં આપેલા શપથપત્રો અને તેમની વ્યાવસાયિક જીવનની મુશ્કેલીઓનું જીવંત વર્ણન છે. આ પુસ્તકે ગુજરાતના રાજકીય-સામાજિક વાતાવરણને સમજવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જો કે તે વિવાદાસ્પદ પણ ગણાય છે કારણ કે તેમાં સરકારી વર્ગો પર કડક ટીકા છે.

સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...59606162...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved