Opinion Magazine
Number of visits: 9457184
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટૃ માનવામાં આવે છે તો શું ઇઝરાયેલ સફળ રાષ્ટૃ છે ? 

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2024

રમેશ ઓઝા

બીજા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ રીતે બે દેશોની રચના કે સ્થાપના કરવામાં આવી હતી. દેશની સ્થાપના કરવામાં આવી હોય એવી જગતના ઇતિહાસમાં આ પહેલી બે ઘટના હતી અને આગળ-પાછળની તરતની ઘટના હતી. એક દેશ હતો ઇઝરાયેલ અને બીજો પાકિસ્તાન. આમાંથી પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં આવે છે અને ઇઝરાયેલને સફળ રાષ્ટ્ર તરીકે.

એક બીજી સમાનતા પણ છે. આ બન્ને દેશોની સ્થાપના પ્રજાકીય આંદોલનના ભાગરૂપે સહજ અને સ્વાભાવિક એવી સેન્દ્રીય (ઓર્ગેનિક) નહોતી, પણ લોબિંગ દ્વારા નેતાઓની મુત્સદીજન્ય હતી. બીજા શબ્દમાં કહેવું હોય તો લોબિંગનું પરિણામ હતું. ઇઝરાયેલના સ્થાપક નેતાઓએ જગતભરમાં અનુકૂળ અભિપ્રાય પેદા કરવા માટે જગત આખામાં લોબિંગ કર્યું હતું. ગાંધીજીનો ઇઝરાયેલની સ્થાપના માટે ટેકો મેળવવા ગાંધીજીના પરમમિત્ર અને દક્ષિણ આફ્રિકાના તેમના સાથી હરમન કેલનબેકને તેમણે ખાસ ભારત મોકલ્યા હતા. ગાંધીજીએ જો કે ઇઝરાયેલની સ્થાપનાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના સ્થાપકો(સ્થાપકો પણ નહીં, એક માત્ર સ્થાપક મહમ્મદઅલી ઝીણા)ને ભારતની બહાર લોબિંગ કરવાની જરૂર નહોતી પડી. તેમને ખબર હતી કે અંગ્રેજો હિંદુઓને અને કાઁગ્રેસને કમજોર સ્થિતિમાં જોવા માગે છે એટલે હિંદુ અને કાઁગ્રેસને  કમજોર કરવામાં જે મદદ કરશે તેમને અંગ્રેજોનો ટેકો મળી રહેશે. બન્યું પણ એવું જ.

ઇઝરાયેલ અને પાકિસ્તાનની રચનામાં એક ત્રીજી સમાનતા પણ હતી. યહૂદીઓનો અલગ દેશ સ્થાપાય એમાં પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓને રસ હતો. સૌથી વધુ ઉત્સાહી એ લોકો હતા, યહૂદીઓ કરતાં પણ વધુ. જો ઇઝરાયેલની સ્થાપના થાય અને યહૂદીઓ ઇઝરાયેલ જતા રહે તો ટાઢે પાણીએ ખસ જાય. પ્રાચીન યુગથી યહૂદીઓને અને ખ્રિસ્તીઓને ક્યારે ય ભળ્યું નથી. યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે કોઈ મોટી દુ:શ્મની હતી જ નહીં. યુરોપ અને અમેરિકામાં વસતા યહૂદીઓના કેટલાક અપલક્ષણ પણ હતાં. અલગ રહે, બીજા લોકો સાથે હળેભળે નહીં, વેપારધંધામાં ખડૂસ વગેરે પ્રકારની અણગમો પેદા થાય એવી તેમની જીવનશૈલી હતી. એટલે જર્મનીમાં હિટલરે સતાવેલા બાપડા યહૂદીઓને તેમનું અલાયદું વતન આપી દેવું જોઈએ એવી માગણીને પશ્ચિમના દેશોનો ટેકો મળ્યો હતો. હકીકતમાં ઈરાદો યહૂદીઓને પોતાને ત્યાંથી રવાના કરવાનો હતો. તેમણે તકનો ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાનની વાત કરીએ તો પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓની જેમ ભારતમાં પણ કેટલાક હિંદુઓ એમ માનતા હતા અને ઈચ્છતા હતા કે જો પાકિસ્તાન બને તો આ મુસલમાન નામની બલાથી  મુક્તિ મળે. કેટલાક ખ્રિસ્તીઓ જેટલી નફરત યહૂદીઓ માટે ધરાવતા હતા એટલી નફરત કેટલાક હિંદુઓ મુસલમાનો માટે ધરાવતા હતા. લાલા ચમનલાલે ૨૦મી સદીના પહેલા દાયકામાં દેશના કોમી વિભાજનની વાત કરી હતી. મુસલમાનોને અલગ દેશ આપી દેવાથી હિંદુઓ લાભમાં રહેશે એવી તેમની દલીલ હતી. ૧૯૨૪માં બીજા હિંદુવાદી નેતા લાલા લાજપત રાયે તો લાંબો લેખ લખીને ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે અને તે થવું જોઈએ એમ કહ્યું હતું. ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ ૧૯૨૮માં ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે એમ એક પત્રમાં લખ્યું હતું. નજરકેદમાંથી મુક્ત થયા પછી ૧૯૩૭માં વી.ડી. સાવરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મળેલા હિંદુ મહાસભાના અધિવેશનમાં હિંદુ અને મુસલમાન એ બે અલગ રાષ્ટ્રીયતા છે અને તેમની વચ્ચે કશું જ સમાન નથી અને તે સાથે રહી શકે તેમ નથી એવો ઠરાવ કર્યો હતો. અને ભારતીય જનસંઘ(વર્તમાન બી.જે.પી.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી? તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું કે ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું કોમી વિભાજન થવું જોઈએ. મુસ્લિમ લીગ તો ભારતના કોમી વિભાજનની માગણી લઈને બહુ પાછળથી આવી હતી.

મહમ્મદઅલી ઝીણાને ખબર હતી કે હિંદુવાદી હિંદુઓ તેમની સામે વારાફરતી બેટિંગ અને બોલિંગ કરવાના છે, એટલે ભારતની બહાર લોબિંગ કરવાની તેમને જરૂર નહોતી પડી. કોમી વિભાજનની માગણી કરનારા હિન્દુત્વવાદી થનગનભૂષણો મોરચો સંભાળી લેશે. તેમને એ વાતની પણ જાણ હતી કે મહાત્મા ગાંધી ભારતનું વિભાજન થવા નહીં દે અને તેમની સામે હિંદુવાદીઓનું કાંઈ ચાલવાનું નથી. પ્રજા ગાંધીજીની સાથે છે. આ સ્થિતિમાં પાકિસ્તાન માટે હાર્ડ બાર્ગેનિંગ કરવામાં કોઈ નુકસાન નહીં થાય. છેવટે એવું સમાધાન થશે જેમાં તેમને અવિભાજિત ભારતના પહેલા વડા પ્રધાન બનવાનું માન મળી જાય. આયેશા જલાલ નામની વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકારના મતે ઝીણાના “કમનસીબે” ગાંધીજી દેશની એકતા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા અને હિંદુવાદી કાઁગ્રેસીઓએ પાકિસ્તાન ઝીણાના ગળામાં પહેરાવી દીધું. દેશની કુલ વસ્તીમાં ૨૫ ટકા મુસલમાનો હોય અને સાતથી આઠ રાજ્યો મુસ્લિમ બહુમતીવાળાં હોય તો તેમની વાત સાંભળવી પડે. આ તો ટાઢે પાણીએ ખસ ગઈ. મુસલમાનોની દાદાગીરી તો બાજુએ રહી, કોઈ વાતનો આગ્રહ પણ ન કરી શકે એ હદે તેઓ લઘુમતીમાં ફેરવાઈ ગયા.

તો વાતનો સાર એ કે ઇઝરાયેલની સ્થાપનામાં ખ્રિસ્તીઓને રસ હતો એમ પાકિસ્તાનની સ્થાપનામાં કેટલાક હિંદુઓને રસ હતો. બન્ને ન ગમતી કોમથી જાન છોડાવવા માગતા હતા. આ રીતે જગતના ઇતિહાસમાં પહેલી વાર જેમ કંપની સ્થાપવામાં આવે એમ બે દેશોની સ્થાપના કરવામાં આવી. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર માનવામાં આવે છે તો શું ઇઝરાયેલ સફળ રાષ્ટ્ર છે? આઠ દાયકા થવા આવ્યા, ચોવીસે કલાક ફાળમાં જીવવું એ સફળતા કહેવાય? ભૌતિક સફળતાની શી કિંમત જો ઇઝરાયેલના કેટલાક પ્રદેશોમાં જન્મેલું યહૂદી બાળક જુવાની સુધી જીવશે કે નહીં તેની જન્મ દેનાર માતાને ખાતરી ન હોય! બીજી દરેક રીતે સુખી યહૂદી માતાઓ સતત ફાળમાં જીવે છે. ૧૯૧૬ની સાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના વખતે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા આવેલા ભારતના ગવર્નર જનરલની સલામતીનો તાયફો જોઇને ગાંધીજીએ કહ્યું હતું કે આમ ડરીને જીવવા કરતાં વતન પાછા જતા રહો. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? અને પાછી ફાળ પણ સામેથી વહોરી લીધેલી! પેલેસ્તીનીઓને તેમનો હક નહીં આપવાની જીદના કારણે વહોરી લીધેલી ફાળ. મારા મતે ઇઝરાયેલ પણ નિષ્ફળ રાષ્ટ્ર છે, જેમાં પ્રજા ઉલ્હાસની જગ્યાએ ભય અનુભવે છે અને તે બંદૂકની ગોળીથી ટકી રહ્યું છે. હવે ઈરાને ઊંઘ હરામ કરી નાખી છે. સૌહાર્દ, ગુડવિલ, પરસ્પર વિશ્વાસ, સહકાર વિનાનું જીવન એ જીવન નથી. જો વર્ષોનાં વર્ષો સુધી ઊચક જીવે જીવવાનું આવે તો પ્રજા સાંસ્કૃતિક રીતે કરમાઈ જાય.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—244

દીપક મહેતા|Opinion - Opinion|20 April 2024

મુંબઈના કોટનો પહેલો દરવાજો એપોલો ગેટ 

ગ્રીકોરોમન દેવ એપોલો સાથે એને કશી લેવાદેવા નથી  

ગ્રીષ્મની રમણીય સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમ-આઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. મુંબઈ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસનાં ઝાડોની ઘટા સમસમાટ કરતી, દૂર બોલતા કોહલાઓની ભયંકર ચીસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર બે ઘોડેસ્વાર ઝપાટાબંધ કોટ તરફ જતા હતા.

છોકરાએ એક રાહદારી ગામડિયાને પૂછ્યું : દરવાજો કેટલો દૂર છે?

આ બે ખેતરવા; આ રસ્તેથી જાવ. કહી ગામડિયાએ રસ્તો દેખાડ્યો. 

ઘણું મોડું થઈ જશે. કોટના દરવાજા બંધ થઈ જશે તો ભોગ મળશે. 

પણ ત્યાં તો કોટનો દરવાજો આવ્યો. તેનાં બારણાં બંધ થવાની તૈયારીમાં હતાં. બન્ને સવારોએ મૂંગે મોએ દરવાજો વટાવ્યો. 

૧૯૧૬માં પ્રગટ થયેલી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ના પહેલા પ્રકરણની શરૂઆતના શબ્દોમાં અહીં થોડો ફેરફાર કર્યો છે એટલું જ. બાકી મધ્યકાલીન પાટણમાં જે સ્થિતિ હતી તે જ ૧૮૬૫ પહેલાં મુંબઈની, અને મુંબઈના કોટ કહેતાં ફોર્ટની પણ હતી. મુનશીનાં પાત્રોને તેમને રસ્તે જવા દઈને આપણે જઈએ મુંબઈના કોટ તરફ.

એપોલો ગેટ

કિલ્લો અને તેના દરવાજા એક બાજુથી લોકોનું રક્ષણ કરે તેમ બીજી બાજુથી તેમની હેરફેર પર કાપ પણ મૂકે. મુંબઈના કોટને ત્રણ દરવાજા હતા : એપોલો ગેટ, ચર્ચ ગેટ, અને બજાર ગેટ. રોજે રોજ સૂર્યાસ્ત થાય ત્યારે પહેલા બે દરવાજા બંધ થઈ જતા. એ બંધ થાય ત્યારે તોપ ફૂટતી. બજાર ગેટ સૂર્યાસ્ત પછી અડધા કલાકે બંધ થતો, અને ત્યારે ત્રીજી તોપ ફૂટતી. દરવાજા બંધ થયા પછી કોઈને કોટમાં દાખલ થવા દેતા નહિ. ના, અંગ્રેજોને પણ નહિ. કોટમાં રહેતા અંગ્રેજ અમલદાર પરેલના ગવર્નર હાઉસમાં ડિનર માટે ગયા હોય અને રાતે અગિયારેક વાગે પાછા ફરે, તો તેમને પણ દાખલ થવા દેતા નહિ, એવું સરકારી ચોપડે નોંધાયું છે. હા, તમને પહેલેથી ખબર હોય કે બહારથી પાછા આવતાં મોડું થવાનું છે તો આગલે દિવસે લશ્કરની ઓફિસમાંથી પાસ મેળવી શકો. પણ એકલા પાસથી ન ચાલે. સાથે પાસવર્ડ પણ આપે. બીજે દિવસે મોડા આવો ત્યારે પાસ અને પાસવર્ડ બંને બરાબર જણાય તો જ દાખલ થવા દે. આ પાસની સગવડ ફક્ત ગોરાઓ માટે જ હતી. 

પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ આપણે તો સવારના પહોરમાં નીકળી પડ્યા છીએ. તો પહેલાં ક્યાં જશું? જઈએ એપોલો ગેટ. એપોલો બંદરની પાસે આ દરવાજો આવેલો હતો એટલે તેને એ બંદરનું નામ આપ્યું. પણ આ નામને ગ્રીકોરોમન દેવતાના નામ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. બંદરને આ નામ તો આપ્યું પરદેશીઓએ. અસલ નામ પાલવા બંદર. 

ગેટ વે ઓફ ઇન્ડિયા – બંધાતો હતો ત્યારે 

આ લખનાર નાનપણમાં કુટુંબીજનો સાથે ઘણી વાર ત્યાં ફરવા જતો ત્યારે ઘરમાં બધા તેને પાલવા બંદર જ કહેતા. આપણે ત્યાં જેને પ્રમાણભૂત માનવામાં આવે છે તે સાર્થ ગુજરાતી જોડણીકોશ જોવાથી ‘પાલવા’નો અર્થ નહિ જડે. પણ ભગવદગોમંડળ કોશ ‘પાલ’ શબ્દના અનેક અર્થોમાંનો એક, વહાણવટાની પરિભાષામાં ‘સઢ’ એવો આપે છે. મરાઠીમાં પણ ‘પાલ’ એટલે શઢ અને પાલવ કે પાડવ એટલે શઢવાળું વહાણ. દેશ-વિદેશથી આવતાં આવાં શઢવાળાં વહાણ જ્યાં નાંગરતાં એ પાલવા બંદર. આ પાલવા બંદર ઘણું જૂનું – મુંબઈમાં અંગ્રેજો જ નહિ, પોર્ટુગીઝો પણ આવ્યા તે પહેલાંનું. એ નામ ન સમજાયું એટલે પરદેશીઓએ નામ પાડ્યું એપોલો બંદર. આજે જ્યાં નેવલ ડોકિયાર્ડનો લાયન ગેટ આવેલો છે તે જગ્યાની નજીકમાં આવેલો હતો આ એપોલો ગેટ. 

તાજ મહાલ હોટેલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા 

આ પાલવા બંદર સાથે બાળપણની કેટલી બધી સાંભરણો જોડાયેલી છે. એક જમાનામાં અમારે ઘરે બહારગામથી આવતા મહેમાનોનો સતત આવરોજાવરો. મહેમાનો સાથે પાલવા બંદર ફરવા જવાનું હોય તો તેની જાહેરાત ઘરમાં અગલા દિવસથી થઈ જાય. જવાને દિવસે મારાં માનું કામ વધી જાય. એ જમાનામાં બહારનું તો કશું જ ખવાય નહિ, એટલે સાથે લઈ જવાનો નાસ્તો બનાવે. મસાલા પૂરી કે મેથીનાં ઢેબરાં. હા, ગુજરાતમાં જેને ‘થેપલાં’ કહે તેને કાઠિયાવાડીઓ ‘ઢેબરાં’ કહે. એક લોકગીતમાં – જે ઘણાએ ઝવેરચંદ મેઘાણીને નામે ચડાવ્યું છે – પણ ઢેબરું શબ્દ આવે છે : ‘મારે ઘેર આવજે માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા.’ ‘ગરમને બદલે ઊનું શબ્દનો ઉપયોગ એ પણ કાઠિયાવાડી બોલીની ખાસિયત. પણ પાછા માના નાસ્તા પર જઈએ. પૌવાનો કોરો ચેવડો, મરાઠી સ્ટાઈલનો, એટલે ખાંડ નાખવાની નહિ. ગોળ પાપડી. મોડી બપોરે બધો નાસ્તો પિત્તળના ટિફિન બાસ્કેટમાં ભરાય. (એ વખતે સ્ટેનલેસ સ્ટીલનો પગપેસારો થયો નહોતો. અને થયા પછી ય તે ઘણાં વરસ સુધી મારાં મા તેના વિરોધી રહ્યા. કહેતાં, લોઢાના વાસણમાં તે કાંઈ રંધાય-જમાય? પિત્તળના કુંજામાં પીવાનું પાણી સાથે લેવાય. (એ વખતે કોઈએ પ્લાસ્ટિકનું તો નામ પણ નહોતું સાંભળ્યું. આજે ઘણી વાર વિચાર આવે છે : અડધી જિંદગી તો પ્લાસ્ટિક વગર હેમખેમ ગઈ. પણ પછી ચોર પગલે તે ક્યારે ઘરમાં ઘૂસી ગયું તેની ખબરે ન પડી. અને હવે તો માન ન માન, મૈં તેરા મહેમાન! કપડાની ઝોળીમાં (ફરી, ગુજરાતમાં જેને ‘થેલી કહે, તે કાઠિયાવાડમાં ‘ઝોળી’ કહેવાય.) ટિફિન બાસ્કેટ અને કુંજા સાથે બે પાંચ જૂનાં છાપાં મૂકાય.

આ બધો સરંજામ લઈને સાંજે પાંચેક વાગે અમારું ધાડું નીકળે. ચીરા બજારના સ્ટેન્ડ પરથી મ્યુઝિયમ જતી સાત નંબરની ટ્રામ પકડવાની. બે માળવાળી હોય તો કૂદતા કૂદતા ઉપરને માળે. એક માળની હોય તો બારીની સીટ માટે પડાપડી. આખા મુંબઈમાં ગમે ત્યાં જાવ, એક આનાની ટિકિટ. (એક આનો એટલે આજના છ પૈસા) ઉંમર બાર વરસ કરતાં ઓછી હોય તો ટિકિટ અડધો આનો, એટલે કે એક ઢબુ. ગિરગામથી ધોબી તળાવ, બોરી બંદર, ફાઉન્ટન થઈને ટ્રામ પહોંચે મ્યુઝિયમ. કેટલીક ત્યાં પૂરી થાય, કેટલીક આગળ કોલાબા સુધી જાય. પણ અમારે તો મ્યુઝિયમ ઊતરી જવાનું. ત્યાંથી ચાલતાં પાલવા બંદર. એ વખતે પણ ગેટ વે અને તાજ મહાલ હોટેલ તો ખરાં, પણ બીજાં મકાનો ઓછાં. શીંગ-ચણા અને સૂકી ભેળ વેચનારા ફેરિયા. ફોટા પાડી આપનારા ધંધાદારી ફોટોગ્રાફરો. ઘૂઘવતો દરિયો. એક નંબરની જેટી પર શઢવાળાં વહાણ ડોલતાં હોય. બે નંબરની જેટી પર સ્ટીમ લોન્ચ હાલકડોલક થતી હોય. ચાર આનામાં વહાણ પોણો કલાક-કલાક દરિયામાં ફેરવે. સ્ટીમ લોન્ચની ટિકિટ આઠ આના, પણ અડધા કલાકમાં તો પાછા કિનારે ઉતારી દે. 

અમે તો શઢવાળા વહાણમાં જ બેસીએ. પૂરતાં છડિયાં (પેસેન્જરો) આવી જાય એટલે માલમ લંગર ઉપાડવાનો હુકમ કરે. લંગર ઉપાડ્યા પછી બે-ત્રણ ખારવા ધક્કા મારી મારીને વહાણને થોડા ઊંડા પાણીમાં ધક્કેલે. પછી કૂદકો મારીને વહાણમાં ચડી જાય. ફરી માલમ હુકમ કરે એટલે ધીમે ધીમે શઢ ખોલે. એ વખતે પાલવા બંદર પરનાં બધાં વહાણ એક શઢવાળાં. પવન પડી ગયો હોય તો ચારેક ખારવા હલ્લેસાં મારવા મંડી પડે. અને મને ન્યૂ ઈરા સ્કૂલમાં પિનુભાઈ(પિનાકિન ત્રિવેદી)એ શીખવેલું તેમનું જ લખેલું ગીત યાદ આવે :

હલ્લેસાં માર, હલ્લેસાં માર, 

હલ્લેસાં માર માર હલ્લેસાં,

જવું દૂર દૂર દેશ, માર હલ્લેસાં. 

શઢમાં હવા ભરાય એમ વહાણનો વેગ વધતો જાય. હવે એક ખારવો દરેક જણ પાસે જઈને ટિકિટના ચાર કે બે આના ઉઘરાવે. બે-ચાર સહેલાણીઓ સાથે થોડી ચકમક ઝરે. 

ખારવો : આ છોકરાની ઉંમર બાર વરસ કરતાં વધુ છે. એટલે એના ચાર આના આપો. છોકરાનો બાપ જવાબ આપે તે પહેલાં તેની મા કૂદી પડે : ‘ભાઈ! વો તો હાડ કા બડા હૈ ને, એટલે ઐસા દિખતા હૈ. બાકી અભી તો દસ સાલ ભી પૂરા નથી કિયા.’ ખારવો બબડતો બબડતો બે આની લઈ લે. વહાણના ફડફડતા શઢની જેમ છોકરાની માના મોઢા પર વિજયનું સ્મિત ફડફડતું હોય. 

પાલવા બંદરે શઢવાળાં વહાણ

નાખુદા ઈશારો કરે એટલે શઢ પાડી નખાય. સુકાની એકાગ્ર બનીને વહાણને અર્ધ ગોળાકાર ફેરવીને ઊંધી દિશામાં વાળે. ફરી શઢ ફરફરે, હલ્લેસાં મરાય. એક નંબરની જેટી નજીક આવે એટલે કિનારા પરના ખલાસી દોરડાં ફેંકે. વહાણ પરના ખલાસી એને ખેંચી ખેંચીને વહાણને કિનારે લઈ જઈ નાંગરે. એક પછી એક છડિયાં ઊતરી જાય. ઊતર્યા પછી કોઈ છોકરો ફરી બેસવાની હઠ કરે તો તરત બાપ તેને ચૌદમું રતન દેખાડી દે. છોકરીને તો ગળથૂથીમાંથી જ શીખવ્યું હોય કે કશું મગાય જ નહિ, જે મળે તેમાં જ સંતોષ માની જીવવાનું એટલે એ બિચારી તો ક્યાંથી હઠ કરે?

અમે ઊતરીને ગેટ વેની નીચે પહોચીએ. સાથે લીધેલાં જૂનાં છાપાં જમીન પર પથરાય. એ જ ડાયનિંગ ટેબલ, અને એ જ અમારી ડાઈનિંગ ચેર. ટિફિનમાંથી કાઢેલો બધો નાસ્તો વચ્ચોવચ ગોઠવાય. આજુ બાજુ અમે બધાં. થોડી વારમાં તો બધો નાસ્તો સાફ! ખાતાં ખાતાં તાજ મહાલ હોટેલનું ભવ્ય મકાન જોઈએ ને વિચાર આવે કે આ હોટેલમાં અંદર જવાનું મળે તો કેવું સારું! 

બે-ત્રણ વરસે કોઈ VIP મહેમાન આવે ત્યારે તેમને એલિફન્ટાની આખા દિવસની સહેલગાહે લઈ જવાના. આ ‘એલિફન્ટા’ નામ તો આજે લખાઈ ગયું. એ વખતે તો એનું નામ ઘારાપૂરી. એ વખતે ત્યાં સ્ટીમરમાં જવું પડે. જલ લક્ષ્મી અને કાલા પાની નામની બે સ્ટીમર આંટાફેરા કરે. પાલવા બંદરના કાંઠાનાં પાણી છીછરાં એટલે એ કિનારે ન આવી શકે. દરિયામાં થોડે દૂર ઊભી હોય. સ્ટીમ લોન્ચ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જાય. બધાં ચડી જાય એટલે કેપ્ટન હોર્ન વગાડે. બે મોટાં ભુંગળાંમાંથી કાળો ધુમાડો ઊભરાય. અને સ્ટીમર ચાલવા લાગે. ઘારાપૂરીને કિનારે તો સ્ટીમ લોન્ચ પણ નહિ. નાની હોડીઓ મુસાફરોને સ્ટીમરમાંથી કાંઠે લઈ જાય. એ વખતે ત્યાં નહિ વીજળી, નહિ નળનું પાણી. રેસ્તોરાનું તો નામ નિશાન નહિ. ગુફાઓ સુધી જવાને રસ્તે માછીમાર બાઈઓ તાડ ગોળા, લીલી વરિયાળી, બોર, વગેરેની નાની નાની ઢગલીઓ કરી વેચતી હોય. એકાદ મોપલો લીલાં નાળિયેર લઈને બેઠો હોય. આજે ૬૦-૭૦ કે તેથી વધુ રૂપિયામાં મળતું નાળિયેર ત્યારે ચાર આનામાં મળે, પણ ઘણા સહેલાણીને તો તે મોંઘુ લાગે. એકાદો ફેરિયો રોજર્સ કે ડ્યુક, કે પાલનજીનાં ઠંડાં પીણાં વેચતો હોય. જો કે બરફ તો દુર્લભ, એટલે આ પીણાં માત્ર નામ પૂરતાં કોલ્ડ ડ્રિન્ક. મેટલનાં કેન, પ્લાસ્ટિકની બાટલીઓ, કે ટેટ્રા પેકનું તો નામ નિશાન નહોતું. કોલ્ડ ડ્રિંક પીધા પછી ખાલી બાટલી પાછી આપી દેવાની. પૈસા અને પર્યાવરણ, બંનેની બચત. હા, કેટલાક સહેલાણી અત્રતત્રસર્વત્ર, કાગળના ડૂચા, કે બીજો કચરો નાખતા જાય. ત્યારે તો કોઈએ એ શબ્દ સાંભળ્યો નહોતો, પણ આજની ભાષામાં ઘણોખરો કચરો ‘બાયોડિગ્રેડેબલ.’

વાચક મિત્રો આજે મનમાં ને મનમાં ‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મમાં કિશોર કુમારે ગાયેલું પેલું ગીત ગણગણતા હશે :

જાના થા જાપાન, પહુંચ ગયે ચીન.

પણ બાળપણની નહિ, બોમ્બેના ફોર્ટની વાતો હવે પછી, આઈ શપ્પ્થ. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 એપ્રિલ 2024)

Loading

क्या कांग्रेस घोषणापत्र मुस्लिम लीग की सोच को प्रतिबिंबित करता है?

Opinion - Opinion|19 April 2024

राम पुनियानी

गत 4 अप्रैल 2024 को भारतीय राष्ट्रीय कांग्रेस ने 2024 के आमचुनाव के लिए अपना घोषणापत्र जारी किया. पार्टी ने इसे ‘न्याय पत्र’ का नाम दिया है. इसमें जाति जनगणना, आरक्षण पर 50 प्रतिशत की ऊपरी सीमा हटाने, युवाओं के लिए रोज़गार, इंटर्नशिप की व्यवस्था, गरीबों के लिए आर्थिक मदद आदि का वायदा किया गया है. घोषणापत्र का फोकस महिलाओं, आदिवासियों, दलितों, ओबीसी, किसानों और युवाओं व विद्यार्थियों के लिए न्याय पर है. कांग्रेस के एक प्रवक्ता ने कहा कि घोषणापत्र यह वादा करता है कि भाजपा के पिछले 10 सालों के शासनकाल में समाज के विभिन्न तबकों के साथ हुए अन्याय को समाप्त किया जाएगा.

श्री नरेन्द्र मोदी ने इस घोषणापत्र की निंदा करते हुए कहा कि घोषणापत्र पर (स्वतंत्रता-पूर्व की) मुस्लिम लीग की विघटनकारी राजनीति की छाप है और यह वाम विचारधारा से प्रभावित है. यह सुनकर भारतीय राष्ट्रवादी विचारधारा के सर्जक और आरएसएस के द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर की याद आना स्वाभाविक है, जिन्होंने अपनी पुस्तक ‘बंच ऑफ़ थॉट्स’ में बताया है कि हिन्दू राष्ट्र के लिए तीन आतंरिक खतरे हैं – मुसलमान, ईसाई और कम्युनिस्ट. इनमें से दो की चर्चा भाजपा समय-समय पर विभिन्न स्तरों पर करती रही है और अब भी करती है.

साम्प्रदायिकता भाजपा का प्रमुख हथियार है. सन 1937 के राज्य विधानमंडल चुनावों के लिए मुस्लिम लीग के घोषणापत्र और चुनाव कार्यक्रम में मुस्लिम पहचान से जुड़ी मांगें थीं और उसमें समाज के कमज़ोर वर्गों की भलाई के लिए सकारात्मक क़दमों की कहीं चर्चा नहीं थी.

भाजपा के आरोपों के जवाब में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खडगे ने एकदम ठीक कहा कि भाजपा के पुरखे और मुस्लिम लीग एक दूसरे के सहयोगी थे. सच तो यह है कि धार्मिक राष्ट्रवादी समूहों –  मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस – में अनेक समानताएं हैं. औपनिवेशिक भारत में आ रहे परिवर्तनों की प्रतिक्रिया में ये तीनों संगठन समाज के अस्त होते हुए वर्गों ने गठित किए थे. ब्रिटिश भारत में औद्योगीकरण, आधुनिक शिक्षा के प्रसार व न्यायपालिका और नई प्रशासनिक व्यवस्था की स्थापना के साथ-साथ संचार के साधनों के विकास के कारण कई नए वर्ग उभरे – श्रमजीवी वर्ग, आधुनिक शिक्षा प्राप्त वर्ग और आधुनिक उद्योगपति. इससे पुराने शासक वर्ग के जमींदारों और राजाओं-नवाबों को खतरा महसूस होने लगा. उन्हें लगा कि उनका सामाजिक-राजनैतिक-आर्थिक वर्चस्व समाप्त हो जाएगा.

उभरते हुए वर्गों के नारायण मेघाजी लोखंडे, कामरेड सिंगारवेलु और कई अन्यों ने श्रमिकों को एकजुट किया. भारतीय राष्ट्रीय कांग्रेस और कई अन्य दल इन वर्गों की राजनैतिक अभिव्यक्ति के प्रतीक बन कर उभरे. स्वतंत्रता, समानता और बंधुत्व इन दलों के मूलभूत मूल्य थे. ज़मींदारों और राजाओं के अस्त होते वर्गों ने यूनाइटेड पेट्रियोटिक एसोसिएशन का गठन किया, जो अंग्रेजों के प्रति वफादार थी. ये वर्ग जातिगत और लैंगिक ऊंचनीच में पूर्ण आस्था रखते थे. समय के साथ यह संगठन बिखर गय और इसमें से 1906 में मुस्लिम लीग और 1915 में हिन्दू महासभा उभरे. सावरकर ने अपनी पुस्तक “एसेंशियल्स ऑफ़ हिंदुत्व” में यह प्रतिपादित किया कि भारत में दो राष्ट्र हैं – हिन्दू राष्ट्र और मुस्लिम राष्ट्र. इसी से प्रेरित हो कर 1925 में गठित आरएसएस ने हिन्दू राष्ट्र का एजेंडा अपनाया तो लन्दन में पढ़ने वाले कुछ मुस्लिम लीग समर्थकों ने ‘पकिस्तान’ शब्द गढ़ा.

इन दोनों धाराओं के पैरोकार क्रमशः हिन्दू राजाओं और मुस्लिम बादशाहों-नवाबों के शासनकाल को देश के इतिहास का सुनहरा और महान दौर मानते थे. स्वाधीनता आन्दोलन के दौरान दोनों ने अंग्रेजो का भरपूर समर्थन किया. उनकी रणनीति यह थी कि अंग्रेजों के साथ मिलकर वे अपने शत्रु (हिन्दुओं या मुसलमानों) से निपटना चाहते थे. हिन्दू राष्ट्रवाद के प्रमुख स्तंभ सावरकर ने अहमदाबाद में हिन्दू महासभा के 19वें अधिवेशन को संबोधित करते हुए कहा, “आज के भारत को एक और एकसार राष्ट्र नहीं माना जा सकता. उलटे यहाँ दो मुख्य राष्ट्र हैं – हिन्दू और मुसलमान.

द्विराष्ट्र सिद्धांत की आधार पर ही जिन्ना ने 1940 में लाहौर में आयोजित मुस्लिम लीग के अधिवेशन में अलग मुस्लिम राष्ट्र की मांग की.

आरएसएस के अनाधिकारिक मुखपत्र ‘आर्गेनाइजर’ ने लिखा,”….हिंदुस्तान में केवल हिन्दू ही राष्ट्र हैं और हमारा राष्ट्रीय ढांचा इसी मज़बूत नींव पर रखा जाना चाहिए….यह राष्ट्र हिन्दुओं, हिन्दू परम्पराओं, संस्कृति, विचारों और महत्वकांक्षाओं पर आधारित होना चाहिए.”

मुस्लिम लीग और हिन्दू महासभा ने बंगाल, सिंध और नार्थ-वेस्ट फ्रंटियर प्रोविंस में 1939 में संयुक्त सरकारें बनाईं. सिंध में जब मुस्लिम लीग ने विधानमंडल में पाकिस्तान के गठन के समर्थन में प्रस्ताव पारित किया तब हिन्दू महासभा के सदस्य चुप्पी साधे रहे. सुभाष चन्द्र बोस ने जर्मनी से प्रसारित अपने वक्तव्य में मुस्लिम लीग और हिन्दू महासभा दोनों से ब्रिटिश सरकार के खिलाफ आन्दोलन में शामिल होने की अपील की. ये दोनों और आरएसएस 1942 के भारत छोड़ो आन्दोलन से दूर रहे. सावरकर ने द्वितीय विश्वयुद्ध में जीत हासिल करने में इंग्लैंड की मदद करने का हर संभव प्रयास किया. उन्होंने कहा, “हर गाँव और हर शहर में हिन्दू महासभा की शाखाओं को सक्रिय रूप से हिन्दुओं को (अंग्रेज) थल, जल और वायु सेना और फौजी समान बनाने वाले कारखानों में भर्ती होने के लिए प्रेरित करना चाहिए.” जिस वक्त सुभाष बोस की आजाद हिन्द फ़ौज, ब्रिटिश सेना से लड़ रही थी, उस समय सावरकर ब्रिटिश सेना की मदद कर रहे थे.

यह साफ़ है कि हिन्दू महासभा और मुस्लिम लीग दोनों अंग्रेजों के हितों की पोषक थीं. सुभाष बोस इन दोनों संगठनों की सांप्रदायिक राजनीति के कड़े विरोधी थी और दोनों ने अंग्रेजों के खिलफ संघर्ष में भागीदारी करने की बोस की अपील पर कोई ध्यान नहीं दिया. जनसंघ के संस्थापक श्यामाप्रसाद मुख़र्जी, जो मुस्लिम लीग के साथ बंगाल की गठबंधन सरकार में मंत्री थे, ने वाइसराय को लिखा कि 1942 के आन्दोलन को नियंत्रित किया जाए और यह वायदा किया कि वे यह सुनिश्चित करेंगे कि बंगाल में इस आन्दोलन को कुचल दिया जाये. दिनांक 26 जुलाई, 1942 को लिखे अपने पत्र में उन्होंने लिखा, “अब मैं उस स्थिति के बारे में कुछ कहना चाहूँगा जो कांग्रेस द्वारा शुरू किये गए किसी भी व्यापक आन्दोलन के कारण प्रान्त में बन सकती है. जो भी सरकार वर्तमान में शासन कर रही है, उसे युद्ध के इस दौर में आमजनों को भड़काने के किसी भी ऐसे प्रयास, जिससे आतंरिक गड़बड़ियाँ फैल सकती हैं और असुरक्षा का वातावरण बन सकता है, का प्रतिरोध करना चाहिए.”

सुभाष बोस की तरह आंबेडकर भी मुस्लिम राष्ट्रवाद और हिन्दू राष्ट्रवाद की विचारधाराओं को एक खांचे में रखते थे. उन्होंने सन 1940 में प्रकाशित अपनी पुस्तक “पाकिस्तान ऑर पार्टीशन ऑफ़ इंडिया” में लिखा, “यह अजीब लग सकता है मगर मिस्टर सावरकर और मिस्टर जिन्ना एक राष्ट्र बनाम दो राष्ट्र के मुद्दे पर एक-दूसरे के विरोधी होने की बजाय, एक-दूसरे से पूरी तरह सहमत हैं. दोनों सहमत हैं – सहमत ही नहीं बल्कि जोर देकर कहते हैं- कि भारत में दो राष्ट्र हैं – एक मुस्लिम राष्ट्र और दूसरा हिन्दू राष्ट्र.”

कोई आश्चर्य नहीं कि दबे-कुचले लोगों के कल्याण की बातें भाजपा-आरएसएस को मंज़ूर नहीं हैं क्योंकि वे उसके हिन्दू राष्ट्र के एजेंडा के खिलाफ हैं. मुस्लिम राष्ट्र पाकिस्तान में वंचित वर्गों की क्या स्थिति है, यह हम सब के सामने है. आशा जगाने वाले कांग्रेस के घोषणापत्र की मोदी की आलोचना, उनके विचारधारात्मक पुरखों की सोच के अनुरूप है.

17/04/2024

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...591592593594...600610620...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved