Opinion Magazine
Number of visits: 9457249
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

प्रबीर, आपका स्वागत है ! 

कुमार प्रशांत|Opinion - Opinion|17 May 2024

कुमार प्रशांत

जब भारतीय लोकतंत्र अपने नये सारथी चुनने की कगार पर पहुंच रहा है, तब लगता है कि लोकतंत्र का तीसरा स्तंभ- न्यायापालिका – आने वालों के लिए एक-एक कर हिदायतें जारी कर रहा है. मेरे जैसा कोई कहेगा कि “बड़ी देर कर दी मेहरबां आते-आते” या यह भी कि लोकतांत्रिक स्वतंत्रता की कीमत सतत जागरूकता से ही अदा की जा सकती है. जो जागरूक नहीं है वह आजाद भी नहीं रह सकता है. हमारी न्यायपालिका को इसका अब भी अहसास हो तो हम स्वस्थ लोकतंत्र की दिशा में चल सकते हैं. हमारी न्यायपालिका ही एकमात्र संवैधानिक व्यवस्था है जो व्यक्ति व संस्थानों को लोकतांत्रिक अनुशासन में बांध कर रखने का संवैधानिक अधिकार रखती है. इसलिए ही तो संविधान में इसे सत्ता की होड़ से अलग रखा गया है. यह अलग बात है कि इसके भीतर से भी गुलाम मानसिकता वाले पैदा होते हैं और पहले मौके पे सत्ता की तरफ दौड़ लगा लेते हैं. सत्ता चरित्रत: स्वतंत्रता विरोधी होती है. वह कायर व यथास्थितिवादी भी होती है.

मैं इतना सब लिख पा रहा हूं क्योंकि सर्वोच्च न्यायालय की जस्टिस बी.आर.गवई-संदीप मेहता की बेंच ने ‘न्यूजक्लिक’ के संस्थापक प्रबीर पुरकायस्थ की कोई 300 दिन पहले यूएपीए में की गई गिरप्तारी को ‘अवैध’ घोषित कर दिया है अौर वे जेल से बाहर आ गए हैं. हम प्रबीर से क्या कह सकते हैं सिवा इसके कि आइए, प्रबीर, आपका स्वागत है ! हमें अफसोस है कि हम उस भारत में आपका स्वागत  नहीं कर पा रहे हैं जो आपके जेल जाने वाले दिन से बेहतर भारत है. लेकिन क्या कीजिएगा, जो भी है, जैसा भी है हमारा-आपका भारत है जिसे हमें लगातार ज्यादा लोकतांत्रिक व न्यायपूर्ण बनाते जाना है.

हम प्रबीर से इतना ही कहेंगे लेकिन हमें न्यायपालिका से बहुत कुछ कहना है. हम उससे कहना चाहते हैं कि श्रीमान, हम हर तरफ से लोकतांत्रिक परंपरा व संवैधानिक व्यवस्था से दूर होते जा रहे हैं. जो भी सरकार में पहुंच जाता है वह समझता है कि वह यहां पहुंच कर हर मर्यादा व बंधन से ऊपर हो गया है जबकि हमारे संविधान ने राष्ट्रपति से ले कर नागरिक तक सबकी मर्यादा लिख कर सामने धर दी है. उसने उन बंधनों का भी स्पष्ट उल्लेख कर रखा है जिसका पालन सबको करना चाहिए. राष्ट्रपति वह नहीं है जो प्रधानमंत्री की कृपा के नीचे दबा हुआ, सहमति में गर्दन झुकाए पड़ा है. वह किस समुदाय का है, स्त्री है कि पुरुष संविधान इसका विचार नहीं करता है. वह कहता है कि राष्ट्रपति वह है जो विधायिका-कार्यपालिका-न्यायपालिका पर आखिरी अंकुश है. वह संविधान का आखिरी संरक्षक है. डॉ. राजेंद्र प्रसाद हमारे पहले राष्ट्रपति ही नहीं थे, संविधान की इस परिकल्पना पर खरे उतरने का रास्ता बनाने व बताने वाले भी थे. उनका काम सबसे कठिन था क्योंकि सामने जो सरकार थी वह वर्षों लंबे आजादी के संघर्ष में उनके साथ काम करने वाले बला के समृद्ध जनों की सरकार थी. इतना ही नहीं, राजेंद्र बाबू के सामने यह नजीर भी नहीं थी कि एक राष्ट्रपति को अपनी संवैधानिक भूमिका कैसे निभानी चाहिए. उन्होंने जो किया वही नजीर बन गई.

हम राजेंद्र बाबू के निजी व्यवहार व मान्यताअों से असहमत हो सकते हैं लेकिन इसमें शायद ही किसी की असहमति हो कि नवजात लोकतंत्र व रक्तस्नान से गुजरी आजादी के प्रथम राष्ट्रपति के रूप में उन्होंने पर्याप्त संयम व दृढ़ता से काम किया. ऐसा हम अब तक के राष्ट्रपतियों में से इक्का-दुक्का के लिए ही कह सकते हैं. ऐसा ही हाल लोकसभा के अध्यक्ष की भूमिका का है. उसका पहला व अंतिम दायित्व सांसदों की प्रतिष्ठा व संरक्षण है. वह पार्टी का होता तो है लेकिन संविधान उससे पार्टी से ऊपर उठ कर काम करने की मांग करता है. मुझे यदि संविधान में कोई संशोधन करना हो तो उसमें एक संशोधन यह होगा कि लोकसभा का अध्यक्ष सार्वजनिक जीवन की कोई हस्ती होगा न कि बहुमत से जीती पार्टी का कोई ऐरा-गैरा ! आज लोकसभा व राज्यसभा का अध्यक्ष सबसे व्यक्तित्वहीन व्यक्ति को बनाते हैं जिसकी रीढ़ की हड्डी जन्मजात ही गायब हो. आज वह विपक्ष के सांसदों को बोलने का मौका व समय नहीं देता है; वह उनका माइक बंद करवा देता है, वह इस बात का गर्व करता है कि उसने कितने सांसदों को निलंबित किया; कितनों की सदस्यता छीन ली. कहीं किसी सांसद की गिरफ्तारी होती है तो आज लोकसभा में जूं तक नहीं रेंगती. किसी सांसद की गिरफ्तारी इसलिए बहुत बड़ी बात नहीं है कि उसे कोई विशेषाधिकार प्राप्त है बल्कि इसलिए है कि वह अपनी जनता का नुमाइंदा है. उसकी गिरफ्तारी, निलंबन, सदस्यता से वंचित करना उसके मतदाताअों का अपमान है. कोई लोकतंत्र यह कैसे सह सकता है ? सांसद की चूक भी तो भी वह संसद में विमर्श में सामने आनी चाहिए. लोकसभा का अध्यक्ष यदि अपने सदस्यों का संरक्षण भी नहीं कर सकता है तो वह उस कुर्सी का अधिकारी हो ही नहीं सकता है.

ऐसा ही न्यायपालिका के साथ भी है. मैं बराबर लिखता रहा हूं कि न्यायपालिका को संविधान ने इसी भूमिका में गढ़ा है कि वह विधायिका-कार्यपालिका-मीडिया के संदर्भ में सतत विपक्ष की भूमिका में रहे – विरोध के लिए नहीं, संविधान से बाहर जाने की हर कोशिश को अप्रभावी बनाने व संविधान के दायरे मे खींच लाने के लिए. उसे 24 घंटे सतर्क रहना चाहिए कि देश में कहीं भी, किसी की भी गिरफ्तारी विधायिका-कार्यपािलका द्वारा उसे दी गई सीधी चुनौती है. गिरफ्तारी किसी भी नागरिक से उसका बुनियादी संवैधानिक अधिकार छीनती है. इसलिए प्रबीर हों कि उमर खालिद कि दूसरे कई, हर गिरफ्तारी से न्यायपालिका को चौकन्ना हो जाना चाहिए कि उसके संवैधानिक अस्तित्व को चुनौती दी गई है. उसे बगैर किसी का इंतजार किए हर गिरफ्तारी की जांच करनी चाहिए अौर अपने नतीजे पर पहुंचना चाहिए तथा देश को तुरंत बताना चाहिए.

कोई व्यक्ति, पत्रकार हो कि व्यापारी कि राजनीतिक या सामाजिक कार्यकर्ता, वह जितने दिन जेल में होता है उतने दिन उसके लिए संविधान व न्यायपालिका का अस्तित्व संशय में होता है. प्रबीर की गिरफ्तारी अवैध थी यह बात सर्वोच्च न्यायालय 300 दिनों के बाद बता रहा है तो यह कहना गलत तो नहीं होगा कि 300 दिनों तक प्रबीर के लिए संविधान स्थगित था तथा न्यायपालिका अस्तित्वहीन ? कौन सी न्यायपालिका, संविधान की किस धारा से निरपराध प्रबीर के 300 दिन लौटा सकती है ? इसलिए तो वह पुरानी कहावत हमेशा नई होती रहती है कि न्याय में देरी न्याय को धता बताना है. इसलिए न्यायपालिका को दूसरा सब कुछ छोड़ कर हर गिरफ्तारी का तुरंत संज्ञान लेना चाहिए.

हम देख रहे हैं कि 7 दशकों के संसदीय लोकतंत्र में सरकारें कानून को मनमाने खेल का खिलौना बना रही हैं. प्रबीर पर आरोप है कि उन्होंने चीन से पैसा लिया है. लिया है कि नहीं, यह तो प्रबीर ही बताएंगे लेकिन मैं पूछना यह चाहता हूं कि क्या सरकारी खजाने में, पीएम रिलीफ फंड में, दूसरे संस्थानों में चीनी पैसा नहीं है ? चीन से तो हमारा खुला व्यापार-संबंध है. तो चीनी पैसा अपराध कैसे हो गया ? अौर चीनी क्यों, कोई भी मुद्रा अपराध कैसे हो सकती है यदि वह कानूनी रास्तों से देश में पहुंच रही है ? ऐसा तो नहीं हुआ होगा कि प्रबीर चीन गए होंगे अौर टेंपो में भर-भर कर चीनी पैसा भारत ले आए होंगे ? अगर ‘न्यूजक्लिक’ के पास कोई चीनी डोनेशन कानूनसम्मत रास्तों से आया है, अौर विधिसम्मत तरीकों से ‘न्यूजक्लिक’ ने उसका इस्तेमाल किया है तो प्रबीर यूएपीए के अपराधी कैसे हो गये ? क्या अपराध की कसौटी यह है कि अपराधी सत्ताधारी का चापलूस है या नहीं ? अगर ऐसा है तो यह न्यायपालिका के मुंह पर तमाचा है. विधायिका व कार्यपालिका जब अपनी संवैधानिक अौकात भूल जाती है, अौर मीडिया चूहे से ज्यादा अपनी हैसियत नहीं मानती है तब नागरिक अनाथ हो जाता है. तानाशाही या फासिज्म ऐसी ही परिस्थिति बनाती है अौर ऐसी ही परिस्थिति में फूलती-फलती है. हमारा संविधान इस बारे में पर्याप्त सजग है. उसने न्यायपालिका को शक्ति दे रखी है कि वह तानाशाही या फासिज्म को फलने-फूलने से रोक सके. लेकिन शक्ति काफी नहीं होती है; शक्ति का अहसास व उसके इस्तेमाल की प्रेरणा जरूरी होती है. हनुमान को भी उनकी शक्ति का अहसास कराना पड़ा था न !

इसलिए गवई-मेहता बेंच ने न्यायपालिका की उस भूमिका को फिर से उजगर किया है जिसका सिरा पकड़ कर संजीव खन्ना-दीपांकर दत्ता खंडपीठ ने केजरीवाल को अंतरिम जमानत दी. गवई-मेहता बेंच को प्रबीर की अवैध गिरफ्तारी के दायरे में उमर खालिद व अन्य सबको भी समेट लेना चाहिए था. ये अलग-अलग मामले नहीं हैं, विधायिका-कार्यपालिका द्वारा न्यायपालिका को दी जा रही चुनौती है. भारत सरकार के गृहमंत्रालय व दिल्ली पुलिस को तत्क्षण सर्वोच्च न्यायालय के कठघरे में खड़ा करना चाहिए अौर सारी गिरफ्तारियों का संवैधानिक अौचित्य जांचना चाहिए.

4 जून को जो भी, जैसे भी सत्ता की तरफ बढ़े वह जान ले कि अब न्यायपालिका उसे संविधान व कानून से खेलने का कोई भी मौका नहीं देगी तो हम कहेंगे कि भाई प्रबीर, हम आपके 300 दिन तो लौटा नहीं सकते लेकिन दूसरे प्रबीरों के 300 दिन पर आंच नहीं आने देंगे. आखिर तो हमारा लोकतंत्र प्रौढ़ हो रहा है ! 

(16.05.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

લાપતા લેડીઝ : સ્ત્રી સ્વાતંત્ર્યનો ગામડેથી પ્રારંભ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2024

રવીન્દ્ર પારેખ

‘લાપતા લેડીઝ’ જોઈ. ગમવી જોઈએ તેથી વધુ ગમી. હમણાં જે થોડી સારી ફિલ્મો જોવાનું બન્યું, તેમાં આમિર ખાન પ્રોડક્શન્સની ‘લાપતા લેડીઝ’નો સહેલાઈથી સમાવેશ થઈ શકે.

જાન્યુઆરી, 2001ના અંતમાં દીપકનાં લગ્ન ફૂલકુમારી સાથે થાય છે. માનતા પૂરી કરવા દીપક અને ફૂલ રોકાઈ જાય છે ને તેના ઘરવાળા ગામ તરફ નીકળી આવે છે. માથે ઘૂમટો તાણેલી ફૂલને ઠોકર વાગે છે, તો સંબંધી સ્ત્રી બહુ સૂચક રીતે કહે છે – એક વાર માથે ઘૂંઘટ લીધો, પછી આગળ નહીં, નીચે જોઈને ચાલવાનું. ફૂલ, દીપક સાથે પ્લેટફોર્મ નથી એવાં સ્ટેશનેથી ટ્રેનમાં પ્રવેશે છે. ડબ્બામાં લાલ ઘૂંઘટમાં ત્રણ દુલ્હન છે. એક મહિલા દીપકને પૂછે છે – દહેજમાં કૈં લીધું ખરું? મારાવાળાને તો દોઢ લાખ મળ્યા. દીપક કૈં બોલતો નથી, તો પેલી બીજાના કાનમાં બબડે છે – છોકરામાં કોઈ ખામી હશે. રાત્રે ‘મૂર્તિ’ સ્ટેશને દીપક ચમકીને જાગે છે ને ફૂલને જગાડીને પ્લેટફોર્મ પર ઊતરે છે. અહીંથી છેલ્લી બસ પકડવાની છે. નવોઢા જરા અચકાય છે, પણ પછી દીપકની સાથે થઈ જાય છે. ગામનું ઘર દીકરા-વહુનાં સ્વાગતમાં લાગે છે. વહુને ચાંદલો કરવા સાસુ ઘૂંઘટ ઉઠાવવાનું કહે છે. વહુ તેમ કરે છે ને સાસુના હાથમાંથી થાળી નીચે પડે છે. દીકરો બીજા કોઇની પત્નીને ઊંચકી લાવ્યો છે. બધા વહુને ટોકે છે – તને પણ ખબર ન પડી? તે કહે છે – ઘૂંઘટમાંથી તો નીચે દેખાય, બૂટ દેખાય. ઘરની ડોશી કહે છે – બૂટ પરથી ઓળખતે ! વહુ કહે છે – પતિ નવો, બૂટ નવા, કેવી રીતે ઓળખતે? નવોઢાને નામ પુછાય છે, તો તેનું સાચું નામ જયા ન કહેતાં, પુષ્પા રાની કહે છે.

આ તરફ ફૂલ પતીલા સ્ટેશને ઊતરે છે, તો પતિ જડતો નથી. જયાનો પતિ પ્રદીપ શોધે છે તો તે મળતી નથી, પણ તેને સંતોષ છે કે જયા મળે કે ન મળે, દહેજ ને ફટફટિયું તો મળી ગયું છે. સાસુને ચિંતા વહુની નહીં, તેટલી તેને 15 તોલા સોનું ચડાવેલું તેની છે. દીપકને બે કામ આવી પડે છે. ફૂલને શોધવાનું ને પુષ્પા રાનીને તેને ઠેકાણે પહોંચાડવાનું. વાત પોલીસમાં પહોંચે છે. હાથ પર જયા નામનું ટેટૂ છે, તે પોલીસને ખબર પડશે તો તેના પતિ પાસે પહોંચાડશે એ બીકે તે જયાનું શ્રેયા કરે છે ને પોલીસ ઇન્સ્પેકટર શ્યામ મનોહરને નામ પુષ્પા જ કહે છે. કહેવાતાં સાસરામાં પણ તેની હિલચાલ ભેદી છે. તેણે પ્રદીપને પરણવું જ ન હતું, કારણ તે 800 વિદ્યાર્થીઓમાં પહેલી આવી હતી, તેણે ખેતી વિદ્યામાં નિપુણ થવું હતું, પણ મા માનતી નથી ને મરવાની ધમકી આપીને પ્રદીપને પરણાવી દે છે. પ્રદીપની પહેલી પત્ની સંતાન ન થવાથી સળગી ગઈ હતી કે સળગાવી દેવાઈ હતી, તે ખબર નથી. તે પ્રદીપને ઇચ્છતી નથી, પણ મન મારીને પરણે છે ને પ્રદીપને બદલે દીપકને પનારે પડે છે. દીપક, ફૂલની શોધમાં ને યાદમાં કરમાઈ રહ્યો છે. ઘરમાં દીપકની ભાભી છે. તેનો પતિ શહેરમાં નોકરી કરે છે. ભાભી પતિનું નામ દેતી નથી. ભાભીને જયા કહે છે કે શ્રવણકુમાર જેવું સરસ નામ છે તો ‘એજી, ઓજી’ શું કરવાનું? દીપકનો દાદો ત્રીસ વર્ષ કલકત્તામાં ‘જાગતે રહો’ ની ટહેલ નાખવામાં એવો ખર્ચાયો છે કે નિવૃત્ત થયા પછી પણ સૂરજમુખી ગામના ઘરમાં સૂચક રીતે બોલતો રહે છે, ’જાગતે રહો !’ ભાભી જોડે વાત કરનારું કોઈ નથી, તેને જયાનો સાથ મળતાં સારું લાગે છે. તેની સાસુ પણ, આ ઘરમાં બધાંની પસંદગીની વસ્તુઓ રાંધવામાં જ એટલી ખપી છે કે પોતાની પસંદગી શી હતી એ જ યાદ નથી આવતું. જયા સમજાવે છે કે ઘરમાં સાસુ, વહુ, જેઠાણી હોય છે, પણ મુશ્કેલી એ છે કે તેમની વચ્ચે મૈત્રી નથી હોતી. ભાભીને ચિત્રો દોરતાં આવડે છે, પણ તેની તેને જ પરવા નથી. જયા સમજાવે છે-આ કળા છે. ભાભી કહે છે – એ તો એમને એમ આવડી જાય. જયાનો જવાબ છે – એમને એમ આવડતી હોત તો બધાંને આવડતેને ! ભાભી પાસે ફૂલનો ચહેરો ચિતરાવી, એનું પોસ્ટર જયા બધે મોકલે છે, પરિણામે વાત ફૂલ સુધી પહોંચે છે ને એ દીપકને મળવા ટ્રેઈનમાં નીકળી પડે છે …

એ નીકળી પડે છે એ પહેલાં પતીલા સ્ટેશન પર જ ઘરડી મંજુ સાથે રેલવે સ્ટોલ પર કામે લાગે છે. ફૂલ તેને પૂછે છે કે તેનું કોઈ નથી? મંજુ કહે છે – પતિ, સંતાન બધું હતું, પણ તેની જ કમાણી ખાઈને શરાબી પતિ મારતો હતો ને કહેતો હતો કે જે પ્રેમ કરે તે મારે પણ ! એક વાર મંજુ પણ પ્રેમ કરી લે છે, મારીને. ત્યારથી તે એકલી છે. ફૂલ કલાકંદ બનાવે છે ને બધાંને તે બહુ પસંદ પડે છે, તે મંજુને ચાખવાનું કહે છે, તો કહે છે – જિંદગીમાં એવું કૈં થયું નથી કે મોં મીઠું કરવું પડે. મીઠાઇ વેચવાથી આવક વધતાં મંજુ તેને 100 રૂપિયા આપે છે. એ તેની પહેલી કમાણી છે ને તે ઉમંગથી છેડે બાંધે છે. તે લગ્નનાં કપડાં નથી બદલતી કે પ્લેટફોર્મની બહાર પણ નથી જતી, એ ભરોસે કે પતિ શોધતો અહીં જ આવશે. મંજુ, ફૂલને એને પિયર જવાનું કહી ચૂકી છે, પણ તેને શીખવાયું છે કે સારા ઘરની વહુ પતિ સાથે જ પિયર જાય. ‘સારા ઘરની’ જાણીને મંજુ સંભળાવે છે – જે સલમાન ખાનને ઘરે તેનો નોકર કદી જવાનો નથી, તેનું સરનામું તેને યાદ છે, પણ જે ઘરે ફૂલ આખી જિંદગી કાઢવાની છે, એ સાસરાનું ઠેકાણું તેને યાદ નથી. આ બધું બહુ સૂચક છે. વહુ નીચું જોઈને ચાલે એટલે ઘૂમટો તાણવાનો – એમ કરીને ઓળખ ઢાંકવાની, પતિનું નામ ન દેવાય, ક્યાં પરણાવાય છે એની પૂરી માહિતી ન અપાય, પત્ની સળગી ગઈ હોય, એવા બીજવરને દીકરી પરણાવવાનો વાંધો ન હોય, આગળ ભણવું હોય તે હોંશિયાર દીકરીને ભણવા ન દેવાય – આ બધું જ તો થાય છે સારા ઘરની છોકરીઓ જોડે અને વિચિત્ર તો એ છે કે આવું બધું સ્ત્રી જ સ્ત્રીને શીખવે છે …

વાત એટલી વધે છે કે ચોરીના મામલામાં જયાની ધરપકડ થાય છે, પણ તેણે આગળ ભણવા આ બધું કર્યું છે તેના પુરાવા મળતા તે નિર્દોષ છૂટે છે, ત્યાં તેનો પતિ ભાળ મળતાં તેને લેવા પોલીસ સ્ટેશને આવે છે. જયાએ તેની સાથે જવું નથી ને તે સગીર હોવાથી ઇન્સ્પેકટર પણ તેને પતિ સાથે જવા ફરજ પાડી શકતો નથી. એની મદદથી જ જયા તેનું સપનું પૂરું કરવા દહેરાદૂન જવા નીકળે છે. ઇન્સ્પેકટર તેનાં ઉજ્જવળ ભવિષ્ય સંદર્ભે હવાલદાર દુબેને કહે છે કે આ છોકરી ઘણે દૂર જશે. દુબે કહે છે, હા, સાહેબ ! દહેરાદૂન 800 કિલોમીટર તો હશે. ઇન્સ્પેકટર શ્યામ બહુ સૂચક રીતે હસે છે. ..

સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સશક્તિકરણ સૂત્રો, પ્રવચનો ને એન.જી.ઓ.ઝ પૂરતું સીમિત નથી. ગામડામાં તો એ હવા ખાસ પહોંચી જ નથી. કોઈ સૂત્રો, પ્રવચનો વગર સ્ત્રીને ગામડામાં સહજ મોકળાશ કેવી રીતે ઊભી થઈ શકે એની વાત જરા પણ મુખર થયા વગર ‘લાપતા લેડીઝ’ કરે છે. મૂળ વાર્તા વિપ્લવ ગોસ્વામીની, તેના સ્ક્રીનપ્લે ને સંવાદો લખ્યા છે સ્નેહા દેસાઇએ. સંવાદો કેટલા સોંસરા ને સૂચક છે તે અગાઉ આપેલાં ઉદાહરણો પરથી પણ પરખાશે. એ સાથે જ ભાષા-બોલીની એટલી કાળજી લેવાઈ છે કે તે જે તે દેશ-પ્રદેશનું સબળ પ્રતિનિધિત્વ કરી શકે. આખી ફિલ્મને દિગ્દર્શક કિરણ રાવે જે રીતે સમજ અને સંયમથી સ્વસ્થ ગતિ આપી છે તેને માટે અઢળક અભિનંદનો આપવાં ઘટે. એકે એક પાસા પર દિગ્દર્શકની છાપ ફિલ્મમાં અનુભવાય છે. જે રીતે કિરણે કલાકારો પાસેથી કામ લીધું છે તે કાબિલે તારીફ છે. બધા કલાકારોને મોડર્ન લૂકમાં પણ જોયા. એમને ફિલ્મોમાં જોયા તો એવું લાગ્યું કે એ જ એમનું જીવન છે ને ફિલ્મની બહાર જીવે છે એ એમનો અભિનય છે. ફિલ્મમાં બતાવાયેલું ગામડું, તેનાં રેલવે સ્ટેશનો, તેનો ટી સ્ટોલ, તેનાં ખેતરો, તેનાં અંધારિયાં ઘરો, ઘરનાં રીત-રિવાજો, તેની ધૂળિયા સડકો … એટલાં જીવંત છે કે પ્રેક્ષકોને ખરેખર ગામડામાં હોવાની અનુભૂતિ થાય છે.

રવિ કિસન બહુ જ મંજાયેલો અભિનેતા છે તે તેણે ઇન્સ્પેકટર શ્યામ મનોહરની ભૂમિકા કરીને ફરી એકવાર સાબિત કરી દીધું છે. તે એટલો ઘડાયેલો ઇન્સ્પેકટર પ્રસ્તુત કરે છે કે પાનનાં ડૂચા સાથે કેમ બોલવું, ચોકીમાં કોની સાથે કેમ વર્તવું તે, તે બરાબર જાણે છે. આવા જમાનાના ખાધેલ ઇન્સ્પેકટરને છેલ્લે, પ્રદીપના પંજામાંથી પોતાને છોડાવી મુક્ત કરવા બદલ જયા પોતાનાં ઘરેણાં ખુશીથી આપી દે છે તો એ પરત આપતાં કહે છે કે ખૂબ ભણજે, ત્યારે એ ચરિત્રને એક નોખું પરિમાણ પ્રાપ્ત થાય છે. પુષ્પા રાની / જયા તરીકે પ્રતિભા રત્ના ભાવ વૈવિધ્યમાં મોખરે રહે છે. તે ભેદી રીતે વર્તે છે ત્યારે કે બીજાનાં હિતમાં તે ભૂંડી બનતી હોય ત્યારે કે નવોઢા તરીકે પહેલીવાર ઘૂંઘટ ઉઠાવી ચહેરો પ્રગટ કરે છે ત્યારે કે પોલીસ ચોકીમાં શિક્ષિત હોવા છતાં ઘૂંઘટમાં જ ફોટો પડાવવાનો આગ્રહ રાખે કે અભણ વ્યક્તિ તરીકે અંગૂઠો મારે ત્યારે તે સતત સાચી લાગે છે. દીપક તરીકે સ્પર્શ શ્રીવાસ્તવ નવા અભિનેતા તરીકે એકદમ સાહજિક અભિનય કરે છે. ભૂલથી બીજાની પત્ની લઈ આવ્યો છે ને પોતાની પત્ની ભૂલી આવ્યો છે એનો આઘાત તેણે બરાબર પ્રગટ કર્યો છે, એ સાથે જ ફૂલની ચિંતામાં ને વિરહમાં તેની ઉદાસી સ્પર્શી જાય છે. ફૂલને તે ‘આઈ લવ યૂ’ કહે છે, તે વખતના તેના હાવભાવ નોંધનીય છે. ફૂલ તરીકે નિતાંશી ગોયેલે ભૂમિકામાં જીવ રેડી દીધો છે. તે એટલી માસૂમ, નિર્દોષ અને તાજગીપૂર્ણ છે કે ગામડામાં આવી ‘બાલિકા બધૂ’ હોવાનું આશ્ચર્ય થાય. છાયા કદમે પીઢ અને પીડિત, પણ બહારથી સ્વસ્થ દેખાતી મંજુને તંતોતંત પ્રગટ કરી છે.

ફોટોગ્રાફી વિકાસ નૌલખાની છે. તે એટલી અસરકારક છે કે નાનામાં નાનું દૃશ્ય પણ સ્પર્શ્યા વગર ન રહે. રામ સંપથનું ગ્રામ સંસ્કૃતિને ઉજાગર કરતું ભાવવાહી સંગીત ફિલ્મનું જમા પાસું છે. ગીતો સ્વાનંદ કિરકિરે, પ્રશાંત પાંડે અને દિવ્યનિધિ શર્માના છે. ગીતો કથાને રોકતાં આવતાં નથી, તે કથાની સાથે વહે છે. ‘સોના મહાપાત્રનું ‘બેડા પાર’ કે સુખવિન્દર સિંઘનું ‘અરે બહુત જ્યાદા શેડી હૈ, બહુત સયાની લેડી હૈ …’ માર્મિક અને રમતિયાળ રીતે ગવાય છે, તો અરિજિત સિંહનું ‘ઓ સજની રે, કૈસે કટે દિન રાત ..’ વિરહી ભાવોને પ્રગટ કરતું ગીત કરુણ મધુર રીતે ગવાયું છે. શ્રેયા ઘોષાલે ’ધીમે ધીમે ચલે પુરવૈયા ..’ હૃદયસ્પર્શી રીતે ગાયું છે.

ટૂંકમાં, સાવ નવા વિષય પર, નવાં વાતાવરણમાં, નવા કલાકારો સાથેની આ નવીનક્કોર ફિલ્મ છે, પણ તે શિખાઉ નથી, તે બોજ વધારનારી નથી, પણ એકદમ ઘડાયેલી ને તાજગીપૂર્ણ ફિલ્મ છે. તે વિચારે છે  ને વિચારતા પણ કરે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2024

Loading

આ વખતની સામાન્ય ચૂંટણીમાં આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2024

રમેશ ઓઝા

એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને ૨૦૧૯માં જોવા મળી હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને કાઁગ્રેસ વિરુદ્ધ જુવાળ હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધી અને કાઁગ્રેસ તરફી જુવાળ હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને બી.જે.પી. તરફી જુવાળ હતો. અત્યારે આમાંનું કશું નથી. નરેન્દ્ર મોદી તરફી જુવાળ નથી તો એવો કોઈ પ્રચંડ જુવાળ તેમની વિરુદ્ધમાં પણ નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે લોકોને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી નામનો ઐશ્વર્યવાન પુરુષ ગુજરતનું કલ્યાણ કરીને હવે દેશનું કલ્યાણ કરવા આવ્યો છે. તેમની પાસે ઉત્સાહ છે, ધગશ છે, ઉર્જા છે, કલ્પના છે, અનુભવ છે અને ઈમાનદારી છે. આવી એક ઈમેજ વિકસાવવામાં આવી હતી અને તેણે જુવાળ પેદા કર્યો હતો. ૨૦૧૯માં બાલાકોટ અને પુલવામાંને કારણે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન લોકોના મનમાં પેદા થયો હતો અને મતદાતાઓને એમ લાગ્યું હતું કે કોઈ કૃતસંકલ્પ અને શક્તિશાળી નેતૃત્વની દેશને જરૂર છે. નરેન્દ્ર મોદીની ચાલમાં, બોડી લેન્ગવેજમાં, ભાષામાં ખુમારી નજરે પડતી હતી.

આ વખતની ચૂંટણીમાં આમાનું કશું જ નથી. રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ વાત કરે છે ત્યારે લોકોને ચીનની યાદ આવે છે. ૨૦૨૦ની સાલથી ચીન ભારતમાં લડાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારતની સેંકડો ચોરસ કિલોમીટર ભૂમિ પર કબજો જમાવીને બેઠું છે અને નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં ચીનનો ચ નથી ઉચાર્યો. ઊલટું ૨૦૨૦ના જૂન મહિનામાં તો દેશની પ્રજાને જૂઠો સધિયારો આપ્યો હતો કે દેશમાં કોઈ પ્રવેશ્યું નથી કે ભારતની કોઈ ભૂમિ પર કોઈએ કબજો કર્યો નથી. ચીને માત્ર ભારતની ભૂમી પર કબજો નથી કર્યો, એ ભૂમિ પર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. ચીને નકશા બદલી નાખ્યા છે અને અરુણાચલનાં પ્રદેશો અને કસબાઓનાં નામ પણ બદલી નાખ્યાં છે. શા માટે ભારત આ પ્રશ્ને ઊહાપોહ નથી કરતું? શા માટે વિશ્વમત ભારતની તરફેણમાં બને અને ચીન ઉપર દબાણ પેદા થાય એ માટે પ્રયત્ન નથી કરતું? કારણ કે સાહેબને એમાં ભૂંડા લાગવાની શરમ આવે છે. દેશની ભૂમિ ભલે કોઈ આંચકી જાય અને ભલે છોડાવી ન શકીએ, પણ બોલવાનું નહીં. બોલીએ તો નમાલા દેખાઈએ. તમાચો ખાઈ લેવાનો પણ સિસકારી નહીં કરવાની કે ગાલ પર હાથ નહીં ફેરવવાનો. ગમે તેમ પણ પ્રજાને નમાલાપણું દેખાઈ ગયું છે. હજુ હમણાં જ દેશના વિદેશ પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે ચીન વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત છે, એટલે તેની સામે લડવું શક્ય નથી. વિદેશ પ્રધાને સત્તાવારપણે ચીનને જણાવી દીધું છે કે અમે તમારી સામે કશું કરી શકીએ એમ નથી. હવે તમે જ કહો, ચીન આનો લાભ લેશે કે નહીં?

૨૦૧૪નો વિકાસ તો બિચારો આગળ જવાની જગ્યાએ અવળી દિશામાં પાછો જઈ રહ્યો છે. સ્માર્ટ સિટીઝ, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, દરેક હાથને કામ વગેરેને તો જ્યાં હવે વડા પ્રધાન જ ભૂલી ગયા છે ત્યાં બીજાની ક્યાં વાત કરીએ! વિકાસની કોઈ યાદ પણ કરાવે છે તો લોકોને મોંઘવારી અને બેકારીની યાદ આવે છે. અને જો વિકાસની યાદ આવે પણ છે તો એ ભાઈબંધ ઉદ્યોગપતિઓના વિકાસની યાદ અને સામે ઇલેક્ટોરલ બોન્ડ્સની યાદ આવે છે. એક હાથ સે લિયા એક હાથ સે દિયા. આમાં ભ્રષ્ટાચાર વિષે પણ કશું બોલવાપણું રહ્યું નથી.

તો ૨૦૧૪ અને ૨૦૨૪થી ઊલટું આ વખતની ચૂંટણી જુવાળ વિનાની, કોઈ વ્યક્તિ કે પક્ષની તરફેણમાં સ્ટ્રોંગ નેરેટિવ વિનાની સામાન્ય ચૂંટણી છે જેમાં વડા પ્રધાન દેખીતી રીતે બચાવાત્મક ભૂમિકાએ છે. વડા પ્રધાનની દશા જુઓ! ૨૦૧૪ને અને ૨૦૧૯ને તેઓ યાદ પણ કરતા નથી /કરાવતા નથી અને જો કોઈ યાદ કરાવે તો ચહેરાના રંગ બદલાઈ જાય છે. વિકાસ, બહાદુરી, નિસ્વાર્થતા અને પ્રામાણિકતા પરની કલઈ ઉખડી ગઈ છે.

આ વખતની ચૂંટણીનું બીજું લક્ષણ એ છે કે ચૂંટણી લોકોએ હાથમાં લઈ લીધી છે. વિરોધ પક્ષો કરતાં પણ લોકો વધારે સક્રિય છે. વડા પ્રધાન જે ભુલાવા માંગે છે એને લોકો ધરાર યાદ કરાવી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં શાસકોએ સોશ્યલ મીડિયાનો પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો હતો અને અત્યારે લોકો તેનો શાસકો સામે ઉપયોગ કરી રહ્યા છે. આને કારણે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ ઓછો નડે છે અને શાસક પક્ષની સંસાધનોની રેલમછેલ ઓછો પ્રભાવ પાડે છે. આવું આ પહેલાં કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોને લોકોની જરૂર છે એના કરતાં લોકોને વિરોધ પક્ષોની વધારે જરૂર છે.

પણ આવું કેમ બન્યું? ખોટી ગણતરી અને ગણતરી પરના વધારે પડતા ભરોસાને કારણે. ગણતરી એવી હતી કે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષના નેતાઓને અધમુઆ કરી નાખવાના. તેમની સરકાર આંચકી લેવાની, તેમની અંદર વિભાજન કરવાનું, નેતાઓને જેલમાં નાખવાના. જે જેલ જવાથી બચવા માંગતા હોય તેને ભા.જ.પ.માં લઈ લેવાના, પૈસાના સ્રોત સૂકવી નાખવાના, ઈ.ડી. અને બીજી એજન્સીઓને પાછળ દોડાવવાની, વગેરે વગેરે. જંગલી કૂતરા જેમ શિકાર કરે એમ શિકારને દોડાવી દોડાવીને અધમુઓ કરી નાખવાનો. ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં વિરોધ પક્ષોને ખતમ કરી નાખવાના અને પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન અને દેશને અર્પણ કરવાનું. ચારસો સીટ તો આમ ચપટી વગાડતા મળી રહેશે. સામે મેદાનમાં વિરોધ પક્ષ નામની કોઈ ચીજ હશે નહીં અને હશે તો માંદલા હશે અને આપણા પક્ષે મેદાનમાં હશે સ્વયં ભગવાન રામ અને રામને ભારતમાં લાવનાર દેવતા સમાન નરેન્દ્ર મોદી. અને પછી લોકસભાની ચૂંટણી.

આ ગણતરી પર એટલો બધો ભરોસો હતો કે ધીરેધીરે માનમર્યાદા અને સભ્યતાનો લોપ થતો ગયો. નીચમાં નીચ માણસને ભા.જ.પ.માં લઈ લો એમાં શરમાવાની જરૂર નથી. ભા.જ.પ.માં પ્રવેશેલા માણસ સામેના ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દો, ટીકા કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. ટીકાકારો તો ભસ્યા કરે. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ અને મકાન છીનવી લો. પહેલવાન છોકરીઓ સાથે બદતમી કરનારા માણસનો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે એ અમારો આદમી છે એટેલ થાય એ કરી લો. મણિપુરની અમાનવીયતા વિષે હરફ નહીં ઉચારું, થાય એ કરી લો. આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે એ માટે રસ્તામાં ખિલા પાથરો. આવી તો દેશભરમાં અનેક ઘટનાઓ બની રહી હતી. ગોદી મીડિયા તો ગોદમાં હતા એટલે ઊહાપોહ થતો નહોતો.

પ્રજા આ બધું ચૂપચાપ જોતી હતી અને મનોમન શાસકોની નિયત અને સંસ્કાર વિષે અભિપ્રાય બનાવતી હતી. એમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન થયું અને વડા પ્રધાને છાતી ફુલાવીને કહ્યું; ઇસ બાર ચારસો પાર. અને વળી લોકસભામાં કહ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો.

આમ કહ્યું અને લોકોના મનમાં સાવધાનીની ઘંટડી વાગવા માંડી. જો ૩૦૩માં આ દિવસો જોવા મળી રહ્યા છે તો ૪૦૦ પછી શું થશે? બંધારણ બદલાશે, અનમતની જોગવાઈ જશે, ખેડૂતો લડીને ૨૦૨૧માં તો ફાવ્યા પણ ૪૦૦ પછી ખેડૂતો નહીં ફાવે અને જમીન ગુમાવશે. યુવાઓ નોકરી માગવાના નામે ઊહાપોહ કરશે તો જેલમાં જવાનો વખત આવશે બીજી બાજુ અદાણી-અંબાણીને ધરવવામાં આવશે. સ્ત્રીઓને પહેલવાન છોકરીઓ અને મણિપુરની સ્ત્રીનાં ચહેરા નજરે પડવા લાગ્યા. દેશપ્રેમના નામે, રાષ્ટ્રવાદના નામે, હિંદુ મુસ્લિમના નામે આ બધું થતું રહેશે. પ્રજાના મનમાં જે ઘંટડી વાગવા માંડી એ હવે ઘંટનાદમાં ફેરવાઈ રહ્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2024

Loading

...102030...566567568569...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved