Opinion Magazine
Number of visits: 9457120
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેઇક ડિસ્ટ્રિક્ટ

આરાધના ભટ્ટ|Diaspora - Features|19 June 2024

ભાષા-સાહિત્યના ભાગ્યે જ કોઈ ભાવક હશે જે ૧૯મી સદીની શરૂઆતમાં લખાયેલી ‘ડેફોડિલ્સ’ કાવ્યની સુપ્રસિદ્ધ પંક્તિઓ : 

I wandered lonely as a cloud 

That floats on high o’er vales and hills, 

When all at once I saw a crowd, 

A host, of lovely daffodils; 

Beside the lake, beneath the trees, 

Fluttering and dancing in the breeze.

 અને 

The Child is father of the Man; 

And I could wish my days to be 

bound each to each by natural piety. 

વિલિયમ વર્ડ્ઝવર્થ

જેવી અર્થઘન પંક્તિથી અપરિચિત હશે. આ પંક્તિઓના સર્જક અને જે ભૂમિ આ અને આવાં સર્જનોની ગંગોત્રી છે એના પર પગ મૂકતાં કોઈને ચારધામ યાત્રા કરતાં જે રોમાંચ અને વિનમ્રતાની અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ થઈ. ૨,૦૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો લેઇક ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાતો વિસ્તાર એ ઇંગ્લૅન્ડનો સૌથી મોટો નૅશનલ પાર્ક છે અને અંગ્રેજી સાહિત્યમાં રોમૅન્ટિસિઝમનો પંથ કંડારનાર કવિઓનો પ્રેરણાસ્રોત અને સર્જનભૂમિ છે. આ પ્રદેશ એટલે પણ વિશિષ્ટ છે કે એના દ્વારા એક નહીં, પણ અનેક કવિઓ અને કલાકારો ક્યાં તો પ્રેરિત થયા અથવા ત્યાં સ્થાયી થઈને જીવન વિતાવ્યું. વળી, આ પ્રદેશે કલાઓની એક કહેવાતી ‘સ્કૂલ’ અથવા શૈલીને જન્મ આપ્યો જેનો ઉલ્લેખ આજે અંગ્રેજી કવિતાની કે ચિત્રકળાની ‘લેઇક સ્કૂલ’ તરીકે થાય છે.

વર્ડ્ઝવર્થ ઉપરાંત સેમ્યુઅલ ટેઇલર કોલરીજ, રોબર્ટ સાઉથી, જ્હૉન રસ્કિન, કિટ્સ, શેલી, વગેરે લેઇક સ્કૂલના કવિઓ તેમ જ પીટર રેબિટની બાળવાર્તાઓ થકી નામના મેળવનાર બીએટ્રિક્સ પોટર અને પોસ્ટમૅન પેટની બાળકોની પ્રિય શ્રેણીના કર્તા જ્હૉન કનક્લિફ ઉપરાંત અનેક વૉટર કલર અને તૈલચિત્રો દ્વારા આ પ્રદેશની કલાત્મક ઝાંખી કરાવનાર ચિત્રકળાની રોમૅન્ટિક સ્કૂલના સર્જકો પૈકી મોખરાના જે.ડબ્લ્યુ. ટર્નર વગેરેએ અહીંના વાતાવરણમાંથી પ્રેરણા મેળવી હતી. માત્ર ઓગણીસમી સદીના સર્જકો જ શું કામ, એકવીસમી સદીનાં લોકપ્રિય અમેરિકન ગાયિકા અને ગીતકાર ટેઇલર સ્વિફ્ટે પણ આ પ્રદેશના મબલખ સૌન્દર્યની પ્રશંસા કરતાં પોતે ત્યાં જ નિવૃત્ત થઈ ઠરીઠામ થાય એવું સ્વપ્નિલ ગીત લખીને ગાયું, જે ૨૦૨૧માં પ્રસિદ્ધ થયું છે.

અમે પહોંચ્યાં ત્યારે જૂન મહિનો સમાપ્તિને આરે હતો, વસંત સોળે કળાએ ખીલી હતી અને ત્યારે કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની ઉપરોક્ત પંક્તિઓ સાક્ષાત્ થતી લાગી. વસંત ઠરીઠામ થઈ હતી એટલે હવામાં હળવો ગરમાટો હતો. સૂર્યના સૌમ્ય તડકાની ક્ષણેક્ષણ માણવા ઉત્સુક સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ ટહેલતા હતા કે સરોવરોના કિનારે સૂર્યસ્નાન કરતા હતા. તો કોઈક વળી નાની હોડીઓ લઈને પાણી પર સહેલગાહની મજા માણી રહ્યા હતા. લીલું ઘાસ ચરતાં સફેદ ઘેટાંના સમૂહો જોતાં એક અદ્દ‌ભુત શાંતતા અનુભવાતી હોય છે. ઘાસ લીલું છે અને ધણ એને ચરે છે. વિશ્વના કર્તાએ કરેલી અસીમ કૃપાનું જાણે કે એ સુંદર પ્રતીક છે. અમે અમારો નિવાસ કેસિક નામના ગામમાં રાખી ત્યાંથી આખો વિસ્તાર ફરવાનું રાખ્યું હતું. ત્યાંનાં દસ જળાશયો ફરતાં હતાં ત્યારે ટેકરીઓ અને ડુંગરો પર ઘડીક વાદળ છવાઈ જતું અને પછી એ જ રીતે હળવેથી સરકી જતું. સાંજ થતાં તો વર્ષારાણીની છડી પોકારતી મેઘગર્જના શરૂ થતી અને ટેકરીઓ કાળાંભમ્મર વાદળોની ચાદર ઓઢી લેતી. આમ, ભમવામાં તડકો, છાંયો અને પછી વરસાદની ઝીણી ઝરમર – આ ત્રણે વેશમાં આ પ્રદેશ માણવાની તક મળી.

ગ્રાસમિયર નામના સરોવર નજીકના એ જ નામના ગામમાં આવેલી કવિ વર્ડ્ઝવર્થ અને એમના પરિવારની જર્જરિત કબરો, ત્યાં બાજુમાં જ આવેલું સેન્ટ ઓસ્વાલ્ડનું નાનકડું દેવળ, જ્યાં કવિ નિયમિત જતા, એમની સ્મૃતિમાં રચાયેલો ‘વર્ડ્ઝવર્થ ડેફોડિલ ગાર્ડન’, ‘ડવ કૉટેજ’ નામનું એમનું નિવાસસ્થાન – આ બધાં શબ્દપ્રેમીઓનાં યાત્રાધામની મુલાકાત વખતે કવિનાં કલ્પનો અને સાહજિક ઉદ્દગારો (વર્ડ્ઝવર્થે કાવ્ય વિશે કહેલું, “Poetry is a spontaneous overflow of powerful feelings, it has its origin from emotions recollected in tranquillity.” કાવ્ય એ પ્રબળ સંવેદનોની સહજ અભિવ્યક્તિ છે, એનું મૂળ એ સંવેદનોનું સ્થિરતાથી સ્મરણ કરવામાં રહેલું છે.)નું મનમાં વૃંદગાન થતું હતું. કવિએ એમની જન્મભૂમિની રમણીયતાનાં જે ગીતો ગાયાં છે એ તો સાહિત્યનાં પાને ઘણાએ વાંચ્યાં હશે પણ કવિએ ૧૮૧૦માં લેઇક વિસ્તારની પ્રવાસ-માર્ગદર્શિકા ‘અ ગાઇડ થ્રૂ ધ ડિસ્ટ્રિક્ટ ઑફ ધ લેઇક્સ’ પ્રગટ કરી એ બાબત થોડી ઓછી પ્રચલિત છે. એમની આ માર્ગદર્શિકા એ માત્ર સામાન્ય માહિતી આપતી માર્ગદર્શિકા નથી. એક કવિએ પોતાની અત્યંત પ્રિય જન્મભૂમિ માટે લખેલી આ માર્ગદર્શિકા એક ગદ્ય કાવ્ય છે, જેમાં જીવન, જીવનની નશ્વરતા, પ્રાકૃતિક સૌન્દર્યનું નિકટવર્તી નિરીક્ષણ અને પ્રેમ જેવાં કવિનાં સંવેદનો વ્યક્ત થાય છે.

બીએટ્રિક્સ પોટર

વર્ડ્ઝવર્થ ઉપરાંત આ પ્રદેશમાં જેમની દૂરંદેશીભરી સામાજિક અને પર્યવરણલક્ષી નિસ્બતથી, એમના મૃત્યુ બાદ પોણી સદી વીતી હોવા છતાં, જેમની અપાર્થિવ હાજરી આજે પણ અનુભવાય છે એ લેખિકા તે બીએટ્રિક્સ પોટર. એમની બાળવાર્તાઓએ એમને નામના આપી એની સાથે એમાંથી એમને ધન-સંપત્તિ પણ પ્રાપ્ત થઈ. લેઇક ડિસ્ટ્રિક્ટના સૌન્દર્યની અને ત્યાંની ઇકૉસિસ્ટમની જાળવણી અર્થે એમણે સતત અથાગ પ્રયત્નો કર્યા. કોઈની માલિકીની મોટી જમીન-જાગીર વેચાવા નીકળે તો પોતાની સંપત્તિમાંથી એ ખરીદી લેતાં. એમનો હેતુ પોતાની સંપત્તિ વધારવાનો નહીં, પરંતુ આ ક્ષેત્રના પર્યાવરણની જાળવણી થાય એવો હતો. પોતે જમીન ખરીદીને ત્યાંની વનરાજીની સંભાળ લઈ શકે એ હેતુથી એમણે ત્યાં અનેક જમીનો ખરીદી અને પોતાની સંપત્તિ પોતાની હયાતી પછી, યુનાઇટેડ કિંગડમમાં પર્યાવરણની અને ઐતિહાસિક તેમ જ સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતાં સ્થાળોની જાળવણી માટે સક્રિય, નૅશનલ ટ્રસ્ટને મળે એ માટે વ્યવસ્થા કરી. આજે જે લેઇક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક જળવાયો છે તેનું શ્રેય એમને આપવામાં આવે છે.

લેઇક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક એ ઇંગ્લૅન્ડના ઉત્તર-પશ્ચિમે આવેલો ૨,૩૬૨ ચોરસ કિલોમીટર પર વિસ્તરેલો પર્વતીય વિસ્તાર છે. એનો ખીણપ્રદેશ હિમયુગમાં નાનાં-મોટાં ગ્લૅસિયરથી રચાયો છે અને યુનેસ્કોએ ૨૦૧૭માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. આખા પ્રદેશમાં ૧૬ નાનાં-મોટાં સરોવરો છે. સૌથી મોટું વિન્ડરમિયર ૧૪.૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. ગ્રાસમિયર જ્યાં એ જ નામનું ગામ છે અને જ્યાં વર્ડ્ઝવર્થનો નિવાસ હતો એ તળાવ સૌથી નાનું પણ અત્યંત મનમોહક છે. મોટા ભાગનાં સરોવરોનાં નામમાં ‘મિયર’ અથવા ‘વૉટર’ આવે છે, જેનો અર્થ ‘જળાશય’ થાય છે. માત્ર એક સરોવરના નામમાં ‘લેઇક’ શબ્દ વપરાય છે. કેસિક, કોનિસ્ટન, રાયડલ, હૉક્સહેડ, લૅન્ગડેઇલ, ઍમ્બલસાઇડ, વગેરે નાનાં ગામડાં, જેને ‘હેમલેટ’ કહેવાય છે, તે હજુ પણ એની ‘ઓલ્ડ વર્લ્ડ ચાર્મ’ – એનાં પરંપરાગત જ્યૉર્જિયન, ઍડ્વર્ડિયન અને વિક્ટોરિયન સમયનાં મકાનો સહિતની જૂની મોહકતા જાળવીને બેઠાં છે. સ્લેટના પથ્થર, ગ્રેનાઇટ અને લાલ સૅન્ડસ્ટોનનાં બનેલાં ‘ક્લાસિકલ’ અને ‘ગોથિક’ શૈલીનાં મકાનોની જાળવણી માટે તંત્ર ખૂબ સજાગ છે અને એ માટે કડક કાયદાઓ પણ યુનાઇટેડ કિંગડમમાં અમલી છે. ગામમાંથી વહેતાં નાનાં ઝરણાં–નદી પર બનાવેલા પુલ, કોબલસ્ટોનજડિત ગલીઓ, સ્થાનિક હસ્તકલાના નમૂના અને સ્મૃતિચિહ્નો વેચતી નાની-નાની દુકાનો, હાટ બજાર, અને રેસ્ટોરાં … અહીં ન તો મોટી બ્રાન્ડના ચેઇન સ્ટોર છે, ન તો ગંજાવર મૉલ છે. આ ગામોનું સૌન્દર્ય માણતાં હોઈએ ત્યારે વિચાર આવે કે ‘પ્રગતિ’ કે ‘વિકાસ’ના નામે અહીં બહુમાળી હોટલો અને ઑબ્ઝર્વેશન ટાવરો રચાયાં હોત તો આ પ્રદેશ કેવો લાગતો હોત?

સાગર, નદી, ધસમસતાં ધોધ અને ઝરણાંના પ્રવાહોની આવેગપૂર્ણ રમણીયતાની સરખામણીએ ટેકરીઓ અને ડુંગરોની વચ્ચે આવેલાં સરોવરોની સ્થિર જળરાશિનું શાંત સૌન્દર્ય અદ્દભુત છે. બર્ડ-વૉચિંગના રસિકો પણ અહીં કલાકો વિતાવે છે. સાવ સ્વચ્છ પાણી એવું કે સરોવરને તળિયે સુધી નજર પહોંચે, તડકામાં ચળકતા આયના જેવી સરોવરોની સપાટી પર થતા તરંગો, એમાં અદાપૂર્વક તરતાં અનેક પ્રકારનાં બતક અને હંસ, વૃક્ષોની ડાળીએ ઝૂલતાં પંખીઓનો કલરવ – અહીં બધી જ ઇન્દ્રિયોની પરિતૃપ્તિ! હા, જમ્મુ-કાશ્મીરનું દાલ સરોવર કે માઉન્ટ આબુનું નખી તળાવ અને ભારતના વિન્ધ્ય-હિમાલય યાદ આવ્યા વિના ન રહે. એમના વૈભવી કદને યાદ કરીએ તો લેઇક ડિસ્ટ્રિક્ટનાં સરોવરોનું ગુચ્છ કદાચ નાનકડું લાગે. સાપેક્ષતા એ પણ જીવનનું એક સત્ય નથી શું?

વિશાળ જગવિસ્તારમાં પ્રવાસન સ્થળો તો અસંખ્ય છે, કેટલાંક સ્થળોની એક મુલાકાત આપણું કુતૂહલ સંતોષે, તો કેટલાંક સ્થળો એવાં હોય જેમની પહેલી મુલાકાત એ સ્થળનો રસ વધુ ને વધુ લૂંટવાની તરસ જગાડે. કેટલાંક સ્થળો આંખથી જોવાનાં હોય તો કેટલાંક એવાં હોય જેનું માત્ર સ્મરણ પણ અનુભૂતવિશ્વને સમૃદ્ધ કરે. લેઇક ડિસ્ટ્રિક્ટનું અનુપમ સૌન્દર્ય, કવિ ઉમાશંકરે ગાયું એમ, ભોમિયા વિના એ ડુંગરો અને જંગલની એ કુંજો ફરીફરીને ભમવાની ઉત્કંઠા ઊભી કરે, એવું છે.

0-0-0
e.mail : aradhanabhatt@yahoo.com.au
[પ્રગટ : “નવનીત – સમર્પણ”; જૂન 2024; પૃ. 76-80]

Loading

Father, Son and the Push towards Hindutva Agenda

Ram Puniyani|English Bazaar Patrika - OPED|19 June 2024

Ram Puniyani

In the middle of the General elections BJP President, J.P.Nadda stated that BJP is now more capable and does not need the support of RSS for election work. It is well known that so far in most elections most of the progeny of RSS and RSS itself backed up the election work for BJP. After the diminished performance of BJP in these elections now there is a major statement from RSS Chief (Sarsanghchalak) Dr. Mohan Bhagwat about the conduct of parties during elections. Though couched in general language it is directed mainly to Modi and BJP. In addition a top RSS functionary Indresh Kumar also stated that it is due to arrogance due to which BJP seat share has declined. RSS quickly disowned this statement and Indresh Kumar withdrew it and certified that only under Modi’s leadership India can progress. Many commentators have taken the statement of Dr. Bhagwat as a sign of rift between RSS and BJP.

What did he say? In the concluding speech to the RSS training camp, he stated that during elections dignity and values of our culture have not been maintained. The opposition has been treated as the enemy while the opposition should be treated as articulating the alternate viewpoint, and attempts should be made to arrive at consensus between the ruling and opposition parties. He lamented the continuing violence in Manipur. He also talked about the rising arrogance.

While couched in general terms all this is aimed at Modi-BJP. One recalls Modi’s use of Mangalsutra, Mujra, buffalo, INDIA alliance giving all the reservations to Muslims among other falsehoods in blunt and uncultured manner. Surely the decrease in seats of BJP might have only marginally been affected by it. The major reason for decline of BJP vote share and seats is due to the people’s problems oriented narrative put forward by INDIA alliance. It rightly raised the issues of rising prices, rising unemployment, regular paper leaks, and farmer’s issues and rising poverty. Its language was generally dignified unlike the crass phrases and blunt articulations done by Modi in particular. While INDIA presented a fairly united front at many places, for BJP-NDA Modi, who had declared himself as God, was the central figure around whose name the elections were fought by NDA.

So why has this step been undertaken by Bhagwat? If he was serious about these issues why did he not open his mouth so far? Why was he mute when Mahua Moitra and Rahul Gandhi were expelled from Parliament or when 146 MPs were suspended? Why was he quiet when Modi was using crass language during elections? Why has Bhagwat been mum on Manipur violence. Surely he has no interest in any of these issues raised in his speech. He knew if he opened his mouth on these issues BJP’s electoral fortunes would dip, and that is not acceptable to Bhagwat.

So why is he opening his mouth now? Modi’s methods during election campaigns have lowered the dignity of his and his party even among sections of the populace who are not diehard supporters of BJP. Its credibility has been hit and its parliamentary misdemeanor has further enhanced the dictatorial image of Modi. So Bhagwat wants to tone down those effects to protect RSS progeny BJP from damages in the future elections.

As such Bhagwat knows that Modi has fulfilled the Hindutva agenda in the best possible way. Article 370 has been abrogated, magnificent Ram Temple has been inaugurated and UCC is now implemented in one state while the central initiative on this is in the pipeline. It must have been a matter of joy for RSS that issues of Cow-beef and love jihad have come on the centre stage further intimidating the Muslim community. The ghettoisation of Muslim community is on the rise as exemplified by the case in Gujarat where a Muslim state employee allotted a quarter is opposed by the other residents on the pretext that this one Muslim family will be a threat to the housing complex as such.

How Muslims are made invisible all round is also seen by the fact that in schools the likes of Tripta Tyagi can ask all the class students to slap their Muslim classmate one by one. The stories of Muslims families not getting housing in the localities are infinite and shameful. With Modi in the lead the present Central Ministry does not have a single Muslim minister. BJP did not field a single candidate in the elections.

RSS has been the major beneficiary during the Modi rule. The number of its branches has proliferated to more than double. The pro RSS ideology academics have important places in colleges and Universities. The textbooks have been saffronised. For example now Babri mosque is not addressed as a mosque but a three dome structure. In the name of the Indian Knowledge System the faith based knowledge is being promoted and things like Darwin’s theory or Periodic Table are out from the text books.

So, why is there this storm in the teacup? As the BJP is far short from the majority, the allies like Niteesh and Naidu have to be taken along. Modi right from Gujarat Chief Minister days has worked in full majority with total and unquestioned say in the Government. In 2014 and 2019, the NDA was for namesake. Even the BJP was there for formalities sake. All decisions were taken by Modi himself, be it the Corona lockdown or demonetization, or promotion of Adani-Ambani, he had the first and last word. So can he take along Niteesh and Naidu? Niteesh has already got the caste census in his state while Naidu has four percent reservation of backward Muslims.

It is true that these allies operate more at pragmatic level rather than at the level of principles, still in future some differences are likely to crop up. So it is a gentle way of telling Modi to mend his dictatorial ways. It is also a slight hint for the search for a more accommodative person to lead the NDA.

As such RSS must be all smiles as its agenda has gone several notches up, slight ego clashes as seen in the behavior of Modi don’t matter in the long run to the fountainhead of Hindu nationalist ideology.

Loading

અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

હેમંતકુમાર શાહ|Opinion - Literature|17 June 2024

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર

માનનીય સાહિત્યકારશ્રીઓ,

નમસ્કાર.

હેમંતકુમાર શાહ

અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી, પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

તાજેતરમાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ભારતીય લેખિકા અને સાહિત્યકાર અરુંધતિ રોય પર UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી તે નિમિત્તે ગુજરાતી સાહિત્યકારોમાંથી કે લેખકોમાંથી કોઈ પ્રતિસાદ આવ્યો હોવાનું જાણમાં આવ્યું નથી. 

આપને દમનખોર અને રાક્ષસી એવા UAPA નામક કાયદા વિષે ઝાઝી કે કશી ખબર ન હોય એમાં આપનો વાંક ન હોય, પણ એટલી તો જાણકારી આપને હોય જ, અને ભારતના સુશિક્ષિત નાગરિક તરીકે હોવી પણ જોઈએ કે, નાગરિકોને જેમ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કેટલીક મર્યાદાઓ સાથે છે તેમ સરકારને પણ બંધારણ હેઠળ મર્યાદાઓ સાથે જ સત્તા પ્રાપ્ત થયેલી છે.

જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ નથી એવા અરુંધતિ રોયના મત કે વિધાનો સાથે આપ સંમત ન પણ હોવ, હું પણ નથી જ. પણ છતાં તેમના પર UAPA જેવા કાળા કાયદાનો ઉપયોગ કરવામાં આવે એ તો સત્તાનો નિરંકુશ ઉપયોગ જ કહેવાય.

જો સરકાર કોઈ સાહિત્યકાર સામે સત્તાનો બેફામ દંડ ઉગામે અને બાકીના સાહિત્યકારો મોંમાં જાતજાતના અને ભાતભાતના સરકારી કે બિન-સરકારી ઇનામો ઠસોઠસ ભરીને, કે પછી કોઈ પણ રીતે ખાનમાનપાન મળે એવી આશાએ, મૌન પાળે તો તે તેમણે સમાજની સૌથી મોટી કુસેવા કરી કહેવાય. 

ભારતના બંધારણમાં મર્યાદિત સરકારનો ખ્યાલ સ્વીકારાયો છે. એટલે કે સરકારો બેફામ બનીને નાગરિકોના અધિકારો ઝૂંટવી શકે નહિ તેની વ્યવસ્થા બંધારણમાં કરાઈ છે. સત્તાનો સ્વભાવ બેફામ અને બેલગામ બનવાનો છે ત્યારે તેની સામે જો જાગૃત ન રહીએ તો આપણે સૌ મનુષ્ય એવા નાગરિક તરીકે જીવી શકીએ નહિ, પણ મચ્છર જેવા તુચ્છ જંતુની જેમ શ્વાસ લેતા થઈ જઈએ અને જીવતેજીવ મરી જઈએ. 

જો સાહિત્ય અને તેના રચયિતાઓ કાયરતા ધારણ કરીને નીચ, નાલાયક, નફ્ફટ, નપાવટ, નિર્લજ્જ અને નરાધમ સત્તાનશીનો સામે અવાજ ન ઉઠાવે અને તેમની કદમપોશી કર્યા કરે તો આખો સમાજ નમાલો બની જાય, પછી ભલે ને સત્તામાં કોઈ પણ વિચારધારા ધરાવનાર નેતા કે કોઈ પણ પક્ષ હોય. 

ઉમાશંકર જોશીને યાદ કરો. ઇન્દિરા ગાંધીએ એમને રાજ્યસભાના નિયુક્ત સભ્ય બનાવેલા. પણ છતાં ઇન્દિરા ગાંધીની એકહથ્થુ જોહુકમી સામે તેઓ રસ્તા પર આવી ગયેલા. અટકાયત વેળાએ પોલિસવાનમાં એમને પોલિસ દ્વારા બાવડું પકડીને ચડાવતો ફોટો છાપામાં છપાયેલો એ પાંચેક દાયકા વીત્યા છતાં ય હજુ ય મારા માનસપટલ પર હેમખેમ તરોતાજો છે. 

સત્તા સામે ધનપતિઓ અને મૂડીપતિઓ ન બોલે તે તો સમજી શકાય. કારણ કે તેમનું ધ્યાન માત્ર નફા અને સંપત્તિના એકત્રીકરણ પર હોય છે. જે.આર.ડી. તાતા જેવા પણ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે કશું નહોતા બોલેલા અને એમની જ કાઁગ્રેસ સરકારે એમને ભારતરત્ન ખિતાબ પણ પછીથી આપેલો. 

આપને માટે તો શબ્દ જ સ્વામી છે. પરમાત્મા, જો એવું કશું હોય તો, જ આપને શબ્દની તાકાત સાથે પૃથ્વી પર મોકલે છે. આપે વળી કઈ સંપત્તિ ઘરભેગી કરવી છે? શા માટે આપ સૌ શબ્દની તાકાતની ધાર બુઠ્ઠી કરી રહ્યા છો એ સમજાતું નથી.

આશરે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્ર્યનું સત્યાનાશ કાઢી નંખાયું છે અને છતાં આપમાંના મોટા ભાગના મૌન રહ્યા છો. આપની રાજકીય, સામાજિક અને મૂળભૂત માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા સાવ જ મરણાસન્ન હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

કોરોનાકાળ દરમ્યાન પારુલ ખખ્ખર દ્વારા લખવામાં આવેલી કવિતાને કારણે એમને જે વેઠવું પડેલું એ અત્યારે યાદ આવે છે. અરુંધતિ રોય પણ આપમાંના જ એક છે. વંચિતો, પીડિતો, દલિતો, ગરીબો અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના લડવૈયાઓનો અવાજ આપ છેલ્લા અઢી દાયકામાં બન્યા નથી. હવે તો મગનું નામ મરી પાડો.

આજે અરુંધતિ છે, કાલે આપનો વારો નીકળી શકે છે. કે પછી વારો ન નીકળે એની જ ચિંતામાં રચ્યાપચ્યા છો? બરાબર યાદ રાખો, ડર અને લાલચમાંથી બહાર નીકળીએ તો જ વ્યક્તિની સ્વતંત્રતા ટકે. રાજકીય સત્તાના ગુલામ થઈને જીવવાનું પસંદ કરવાનું કે ન કરવાનું આપના હાથમાં છે. પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સત્તાને શરણે ગયેલું કે પછી એની સામે ચૂપ રહેલું સાહિત્ય કદી કશો શક્કરવાર વાળી શકે નહિ એમ મારી અલ્પમતિ મને કહે છે. સત્તાની ભાટાઈ અને ચાપલૂસી એ સાહિત્યકારનું લક્ષણ કેમેય કરીને હોઈ શકે નહિ. 

આપ કંઈ કથાકાર નથી, સર્જક છો. તેથી આપ સૌ તો બુદ્ધિજીવી છો. સાથે સાથે હવે બુદ્ધિનિષ્ઠ બનો અને આઝાદ દેશના નાગરિકોની સાચી આઝાદી માટે આપ આપની કલમનો અહિંસક તલવાર તરીકે ઉપયોગ કરો એવી સાહજિક અપેક્ષા છે. ચીન આઝાદ છે પણ ત્યાંના નાગરિકો આઝાદ નથી. શું આપણે ભારત = ચીન + ચૂંટણી બનવું છે? 

ખાસ્સું મોડું થઈ ચૂક્યું છે, હજુ વધુ મોડું થશે તો ઇતિહાસ આપને કદી માફ નહિ જ કરે એની મને ખાતરી છે. આપ આઝાદ દેશના માનવીની આઝાદીનો અવાજ બનો.

જો એમ કરશો તો વધુમાં વધુ શું થશે? આપને કોઈ યુનિવર્સિટીના કુલપતિ નહિ બનાવાય, કોલેજો અને યુનવર્સિટીઓના સેમિનારમાં નહિ બોલાવાય, સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં નહિ બોલાવાય કે કોઈ પારિતોષિક નહિ આપવામાં આવે, એમનાં સામયિકોમાં આપના લેખો નહિ છપાય, ક્યારેક તમને કોલેજ કે યુનિવર્સિટીમાં બઢતી નહિ મળે; વગેરે વગેરે. આટલું જો સહન કરી શકો તો કરો અને સરકારી રીતિનીતિઓ સામે અવાજ ઉઠાવો. આવું બધું ચાલે તો પણ આપના સાહિત્ય સર્જનને ક્યાં આંચ આવવાની છે? 

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ચર્ચા અને વાદવિવાદનો અવકાશ જ ખતમ કરી નાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠ પણ ખાડામાં ગઈ! કોલેજો અને યુનિવર્સિટીઓ સરકારનાં ખાતાં જેવી બની ગઈ છે. આપમાંના ઘણાબધા એમાં હાલ છો અથવા હતા. શું આપને એમાં critical thinking થાય એની જરૂર નથી લાગતી, કે જેનો ઉલ્લેખ ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં આઠ વખત કરવામાં આવ્યો છે? 

આપ વાણી સ્વાતંત્ર્ય એ તો રાજકારણ છે એમ કહીને છટકબારી ન શોધશો. સાહિત્ય અકાદમી એ સરકાર છે અને સાહિત્ય પરિષદમાં ચૂંટણી થાય એ પણ રાજકારણ જ કહેવાય. મૂળ મુદ્દો બંધારણમાં જે વાણી સ્વાતંત્ર્ય લખ્યું છે એના રક્ષણનો અને સરકારોને બેલગામ થતી, તાનાશાહી બનતી તથા નાગરિકોને ગુલામ બનાવતી અટકાવવાનો છે. 

આપની કલમ વેરીલી અને ઝેરીલી સત્તાને પડકાર ફેંકે અને ઝવેરચંદ મેઘાણીની જેમ શૂરવૈયાનો ડંકો વગાડે તેમ જ નર્મદનો ડાંડિયો બને, તેમ જ સર્જન અને સ્વતંત્રતા વચ્ચેના નાળસંબંધને જીવંત બનાવે એનો જ ઇંતજાર છે. છેલ્લા અઢી દાયકાના આપના મૌન છતાં ….

किसी नज़र को तेरा इंतजार आज भी है……

मेरी तलाश में शायद बहार आज भी है। 

(ભૂતપૂર્વ આચાર્ય, એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ.)
તા.૧૭-૦૬-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...533534535536...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved