Opinion Magazine
Number of visits: 9557732
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

जाति का प्रश्न: हिन्दू दक्षिणपंथियों का बदलता नैरेटिव

राम पुनियानी|Opinion - Opinion|6 September 2024

राम पुनियानी

पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.

जाति के मुद्दे ने हिन्दू दक्षिणपंथी राजनीति को मजबूती देने में महत्वपूर्ण भूमिका निभायी है. उच्च जातियां, निम्न जातियों का शोषण करती आईं हैं यह अहसास जोतीराव फुले और भीमराव आंबेडकर जैसे लोगों को था. इस मुद्दे से जनता का ध्यान हटाने के लिए उच्च जातियों के संगठनों ने भारत के अतीत का महिमामंडन करना शुरू कर दिया. हिन्दू राष्ट्र की अवधारणा और मनुस्मृति के मूल्य इन ताकतों के एजेंडा के मूल में थे. पिछले कुछ दशकों से आरएसएस ने इस नैरेटिव को बढ़ावा देना शुरू कर दिया है कि सभी जातियां बराबर हैं. संघ से जुड़े लेखकों ने विभिन्न जातियों पर कई किताबें लिखीं जिनमें यह कहा गया कि अतीत में सभी जातियों का दर्जा बराबर था.

आरएसएस नेताओं का यह दावा है कि अछूत जातियां विदेशी आक्रान्ताओं के अत्याचारों के कारण अस्तित्व में आईं और उसके पहले तक हिन्दू धर्म में उनका कोई स्थान नहीं था. संघ के कम से कम तीन नेताओं ने दलित, आदिवासी और कई अन्य समूहों के जन्म के लिए मध्यकाल में ‘मुस्लिम आक्रमण’ को ज़िम्मेदार बताया है. संघ के एक शीर्ष नेता भैयाजी जोशी के अनुसार, हिन्दू धर्मग्रंथों में कहीं भी शूद्रों को अछूत नहीं बताया गया है. मध्यकाल में ‘इस्लामिक अत्याचारों’ के कारण अछूत दलितों की एक नयी श्रेणी उभरी. जोशी के लिखा है: “हिन्दुओं के स्वाभिमान को तोड़ने के लिए अरबी विदेशी हमलावरों, मुस्लिम राजाओं और गौमांस भक्षण करने वालों ने चंद्रवंशी क्षत्रियों को गायों को काटने, उनकी खाल उतारने और उनके कंकाल को किसी सूनी जगह फेंकने जैसे घिनौने काम करने पर मजबूर किया. इस तरह विदेशी हमलावरों ने ‘चर्म-कर्म’ करने के लिए एक नयी जाति बनाई और यह काम स्वाभिमानी हिन्दू कैदियों को सज़ा के स्वरुप दिया जाता था.”

इस सारे दुष्प्रचार का उद्देश्य है जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है. जाति जनगणना की मांग के जोर पकड़ने की पृष्ठभूमि में आरएसएस के मुखपत्र पाञ्चजन्य ने 5 अगस्त (2024) के अपने अंक में हितेश सरकार का एक लेख प्रकाशित किया जिसका शीर्षक है “ऐ नेताजी: कौन जात हो”. लेख में यह दावा किया गया है कि विदेशी आक्रान्ता जाति की दीवारों को तोड़ नहीं सके और इसी कारण वे हिन्दुओं का धर्मपरिवर्तन नहीं करवा सके. जाति, हिन्दू समाज का एक मुख्य आधार है और उसी के कारण विदेशी हमलों के बाद भी देश सुरक्षित और मज़बूत बना रहा. इस लेख में बम्बई के पूर्व बिशप लुई जॉर्ज मिल्ने की पुस्तक “मिशन टू हिन्दूस: ए कॉन्ट्रिब्यूशन टू द स्टडी ऑफ़ मिशनरी मेथडस” से एक उद्धरण दिया गया है. उद्धरण यह है: “…तो फिर वह (जाति), सामाजिक ढांचे का आवश्यक हिस्सा है. मगर फिर भी, व्यावहारिक दृष्टिकोण से वह लाखों लोगों के लिए धर्म है…वह किसी व्यक्ति की प्रकृति और धर्म के बीच कड़ी का काम करती है.”

लेखक के अनुसार, मिशनरीज़ को जो चीज़ उस समय खल रही थी वही आज भारतीय राष्ट्रीय कांग्रेस को खल रही है क्योंकि कांग्रेस, ईस्ट इंडिया कंपनी और लार्ड ए.ओ. ह्यूम की उत्तराधिकारी है. इसमें यह भी कहा गया है कि चूँकि आक्रान्ता, जाति के किले को नहीं तोड़ सके इसलिए उन्होंने (मुसलमानों) ने इज्ज़तदार जातियों को हाथ से मैला साफ़ करने के काम में लगाया और यह भी कि उस काल से पहले हाथ से मैला साफ़ करने की प्रथा का कहीं वर्णन नहीं मिलता. लेख में कहा गया है कि मिशनरी समाज के पिछड़ेपन के लिए जाति प्रथा को दोषी मानती हैं और कांग्रेस को भी जाति एक काँटा नज़र आती है.

यह लेख झूठ का पुलिंदा है. पहली बात तो यह कि दूसरी शताब्दी ईस्वी में लिखी गयी ‘मनुस्मृति’ में जाति प्रथा की व्याख्या और उसकी जबरदस्त वकालत की गयी है. यह पुस्तक देश में विदेशी आक्रांताओं के आने के सैकड़ों साल पहले लिखी गयी थी. कई अन्य पवित्र हिन्दू ग्रंथों में भी कहा गया है कि निम्न जातियों के लोगों को उच्च जातियों से दूर रहना चाहिए. यही सोच अछूत प्रथा और हाथ से मैला साफ़ करने की प्रथा – दोनों की जननी है. पवित्रता और प्रदूषण से सम्बंधित सारे नियम और आचरण ओर पुनर्जन्म का सिद्धांत भी इसी सोच पर आधारित है. नारद संहिता और वाजसनेयी संहिता भी यही कहती हैं. नारद संहिता में अछूतों के लिए जो कर्तव्य निर्धारित किये गए हैं, मानव मल साफ़ करना उनमें से एक है. वाजसनेयी संहिता कहती है कि चांडाल गुलाम हैं जो मनुष्यों का मैला साफ़ करते हैं.  

डॉ आंबेडकर का मानना था कि जाति प्रथा को ब्राह्मणवाद ने समाज पर लादा है. आरएसएस के मुखपत्र में प्रकाशित लेख जहाँ जाति प्रथा की तारीफों के पुल बांधता है वहीं क्रन्तिकारी दलित चिन्तक और कार्यकर्ता उसे हिन्दू समाज की सबसे बड़ी बुराईयों में से एक मानते हैं. इसी कारण डॉ आंबेडकर ने जाति के विनाश की बात कही थी.

हिन्दू राष्ट्रवादी, आनुपातिक प्रतिनिधित्व और जाति जनगणना के पूरी तरह खिलाफ हैं. आनुपातिक प्रतिनिधित्व की शुरुआत गाँधीजी और डॉ आंबेडकर के बीच हस्ताक्षरित पूना पैक्ट से हुई थी और बाद में इसे संविधान का हिस्सा बनाया गया. इसके विरोध में अहमदाबाद में 1980 और फिर 1985 में दंगे हुए. सन 1990 में मंडल आयोग की सिफारिशें लागू करने के बाद, राममंदिर आन्दोलन अचानक अत्यंत आक्रामक हो गया.  

जहाँ तक कांग्रेस के ईस्ट इंडिया कंपनी और ह्यूम की विरासत की उत्तराधिकारी होने के आरोप का सवाल है, यह सफ़ेद झूठ है. इस तरह के झूठ केवल वे ही लोग फैला सकते हैं जो स्वाधीनता आन्दोलन से दूर रहे और आज भी भारत को एक बहुवादी और विविधताओं का सम्मान करने वाले देश के रूप में नहीं देखता चाहते. तिलक से लेकर गाँधी तक के नेतृत्व में कांग्रेस ब्रिटिश शासन के खिलाफ थी. ह्यूम इसी कांग्रेस का हिस्सा थे. ऐसा आरोप लगाया जाता है कि ह्यूम ने कांग्रेस की परिकल्पना एक सेफ्टी वाल्व के रूप में की थी. मगर गहराई से अध्ययन करने पर कांग्रेस के गठन की प्रक्रिया और उद्देश्य साफ़ हो जाते हैं. देश में उभरते हुए राष्ट्रवादी संगठनों जैसे मद्रास महाजन सभा (संस्थापक पनापक्कम आनंदचेरलू), बॉम्बे एसोसिएशन (संस्थापक जगन्नाथ शंकर शेठ) और पूना सार्वजनिक सभा (संस्थापक एम.जी. रानाडे) को स्वतंत्रता की अपनी मांग को उठाने के लिए एक राजनैतिक मंच की ज़रुरत थी. उन्होंने कांग्रेस के आव्हान को स्वीकार किया और उसे एक ऐसा राष्ट्रीय मंच बनाया जो नए उभरते भारत की आकाँक्षाओं को उठा सके. इसकी शुरूआती मांगो में शामिल था आईसीएस की परीक्षा के लिए भारत में केंद्र बनाना. कांग्रेस ने ज़मींदारों पर नियंत्रण लगाने की मांग भी उठाई ताकि उनकी अधीनता में काम कर रहे श्रमिक आजाद हो सकें और यह भी कहा कि देश के औद्योगीकरण के लिए अधिक सुविधाएँ मुहैय्या करवाई जानी चाहिए.

आगे चलकर इसी कांग्रेस ने ‘पूर्ण स्वराज्य’ और ‘अंग्रेजों भारत छोड़ो’ के नारे भी बुलंद किये. जिस कांग्रेस पर पाञ्चजन्य निशाना साध रहा है, उसी ने राष्ट्रीय आन्दोलन का नेतृत्व किया और साथ ही सामाजिक न्याय, जिसके आंबेडकर पुरजोर समर्थक थे, के मुद्दे को भी उठाया.

आंबेडकर, जो भारतीय संविधान के मूल्यों का प्रतिनिधित्व करते थे और आरएसएस, जो हिन्दू राष्ट्रवाद की वकालत करती थी, के बीच के अंतर को भुलाया नहीं जा सकता. आंबेडकर ने मनुस्मृति का दहन किया था जबकि आरएसएस इस पवित्र पुस्तक में प्रतिपादित जातिगत असमानता के मूल्यों का समर्थक है. आंबेडकर ने भारत के संविधान का मसविदा तैयार किया था और आरएसएस ने इसी संविधान का खुलकर विरोध किया था. और आज भी परोक्ष रूप से कर रहा है.

06 सितम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

સુરેશ જોષી – સ્મરણો 

સુમન શાહ|Opinion - Opinion|6 September 2024

સુરેશ જોષી

આજે ૬ સપ્ટેમ્બર, સુરેશ જોષીની પુણ્યતિથિ. મિત્રો માટે એમને વિશેનાં મારાં કેટલાંક બીજાં સ્મરણો પુન:પ્રકાશિત કરું છું :

એમના વિદ્યાર્થી તરીકે વર્ગ ઉપરાન્તનાં બે સ્થળો મને ખાસ યાદ છે : એક, ભોગીલાલ ગાંધીને ત્યાંની દર ગુરુવારની બેઠકો. એમાં સુરેશભાઈ રિલ્કે કે કાફ્કા વગેરેમાંથી કશુંક વાંચે ને પછી મિત્રો ચર્ચાએ ચડે. પ્રબોધ ચૉક્સીએ પશ્ચિમનું ઘણું વાંચ્યું હશે તે ટક્કર ઝીલતા એવું યાદ છે. ભૂદાન પ્રવૃત્તિ-કેન્દ્રી એમના ‘ક્ષિતિજ’-માં સુરેશભાઈ લખતા ને પછી એ ‘ક્ષિતિજ’ સાહિત્યનું અને વિશ્વસાહિત્યની વાતો કરતું સામયિક બની ગયું. ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં ‘ક્ષિતિજ’ એક પ્રકરણ માગી લે એટલું સમૃદ્ધ થયેલું – આપણે જાણીએ છીએ.

બીજું સ્થળ તે, સલાટવાળાનું – થીઓસૉફિકલ સોસાયટી. દર શુક્રવારે સુરેશભાઈ ત્યાં વાર્તાલાપ આપતા. આમ તો, અઠવાડિયા દરમ્યાન પોતે જે વાંચ્યું-વિચાર્યું હોય તેની વાતો, પણ ખૂબ પ્રેરણા મળતી. મને એવું યાદ છે કે કામૂના અવસાનથી વ્યથિત હતા ને કામૂ વિશે ખૂબ સરસ બોલેલા.

મને એમની ‘માનવીનાં મન’ કૉલમ બહુ ગમતી. મને ગમેલો મુદ્દો હું એમને પોસ્ટકાર્ડ લખીને પ્હૉંચાડતો. મારો ઍમ.એ.માં ફર્સ્ટ ક્લાસ આવેલો. મેં એમને જણાવેલું તો તરત મને પોસ્ટકાર્ડમાં અભિનન્દન લખેલાં પણ એમ પણ લખેલું – કે પીએચડીની ઉતાવળ ન કરતો. મેં ઘણાં વરસો લગી ઉતાવળ નહીં કરેલી. મને સાલ બરાબર યાદ નથી પણ હું ‘ઉદ્ધવસંદેશને લગતાં કાવ્યો’ પર પીએચડી કરવા નીકળેલો, પણ તરત જ પાછો નીકળી ગયેલો.

૧૯૭૨-૭૩ દરમ્યાન મને કોઈ ધન્ય ક્ષણે સૂઝી ગયેલું કે મારે સુરેશભાઈની સૃષ્ટિ વિશે જ પીએચડી કરવું જોઈએ. પણ વિચિત્રતા એવી કે એમને વિષય તરીકે સ્વીકારવા કોઈ માર્ગદર્શક ‘હા’ પાડે જ નહીં. નામ નથી આપતો પણ એ પ્રખર વિદ્વાને આશ્ચર્યથી કહેલું કે સુરેશ જોષી પર? એમને માટે રાહ જોવી જોઈએ. મેં કહેલું, સર, મારે રાહ નથી જોવી. તો હસીને ક્હૅ, ભલે ભલે …છેવટે, ગુજરાત વિદ્યાપીઠમાં મોહનભાઈ પટેલે હા પાડેલી. મને ચાર વર્ષ લાગેલાં. રોજ રાતે ૮થી ૨ મચી પડતો. રાધેશ્યામ શર્માએ એક ટૅબ્લેટ બતાવેલી જેથી ઉજાગરો ઉજાગરો ન લાગે ને મૉડી રાત લગી સ્વસ્થ રહી શકાય.

હમેશાં સાદાં કપડાંમાં હોય. એક વાર ગાંધીનગર ટાઉનહૉલમાં વ્યાખ્યાન હતું તે ઝભ્ભામાં હતા. ક્યારેક પાન ખાતા. કોઈ વાર હાથમાં નાનું ફૂલ હોય. એક વાર જયન્ત પારેખે એમને લાલ રંગનું ઝીણી કાળી ચૉકડીવાળું ખમીસ સાગ્રહ ભેટ કરીને પ્હૅરાવેલું. હસતા’તા. આમ બાળસહજ પણ ક્યારેક ગુસ્સામાં વાણી જોશમાં આવી ગઈ હોય. 

એક વાર કોઈએ ‘ઊહાપોહ’ પોસ્ટ કરવાનું માથે લીધેલું ને સમજ્યા વગર મોટી રકમની ટિકિટો ચૉડી આવેલો, સુરેશભાઈ ગુસ્સે થઈ ગયેલા. એ પછી એ જણ ફરક્યો જ નથી. પણ તમને કહું, જે વ્યક્તિ એમના સ્વભાવથી તો ઠીક પણ લખાણથી ભડકીને ભાગી ગઈ તો ગઈ સમજો, પણ પછી જો એ પાછી આવે તો નક્કી કે એ કદી પાછી જશે જ નહીં. એમના શબ્દની મોહિનીને જીરવવા માટે માણસ પાસે હિમ્મત અને સાચી લગન જોઈએ …

+++

થીસિસ પુસ્તક રૂપે તૈયાર થયો એટલે એની એક નકલને રેશમી વસ્ત્રમાં લપેટીને હું અને રશ્મીતા એમને અર્પણ કરવા વડોદરા ગયેલાં. મેં લખેલું : દુનિયાનું એક માત્ર પુસ્તક જે તમારે સાદ્યન્ત વાંચવું રહ્યું : મરક મરક હસતા’તા, પાનાં ફેરવતા’તા. કહે – આખું વાંચીશ, પણ ક્યારે તે નથી કહી શકતો. શીર્ષક તને સારું સૂઝ્યું છે. મેં કહેલું હા, રોલાં બાર્થનું પણ એક પુસ્તક એમ છે. 

જોગાનોજોગ તે દિવસે એક પરિસંવાદ યોજાયેલો. કદાચ સુરેશભાઈ પોતે હેડ થયા એ પછી એમણે જ યોજેલો. તે દિવસે હું એમની જ વાર્તા ‘એક મુલાકાત’ વિશે સંરચનાવાદની રીતે બોલેલો. મેં કહેલું – હસમુખ ત્રિવેદી શ્રીપતરાયની મુલાકાતે જાય છે પણ લેખકે મુલાકાતનો હેતુ નથી દર્શાવ્યો અને એમ પોતાની સર્જકતા માટે જગ્યા બનાવી છે. એ સભામાં કદાચ સાંડેસરાસાહેબ પણ હતા. કોઈ કોઈ મને ક્હૅ, તમને ખબર છે શ્રીપતરાય કોણ છે? અને એ ભાઈએ સાંડેસરા ભણી ઇશારો કરેલો. મને સુરેશભાઈ પૂછે, મુલાકાતનો હેતુ ખરેખર નથી? : મેં કહેલું : હા, તમારા એક સન્નિષ્ઠ વાચક તરીકે કહું છું, ભૂલ કબૂલવા તૈયાર છું … એ દિવસ આમ ધન્યતાનો દિવસ હતો.

+++

અમદાવાદમાં એમના વ્યાખ્યાનને અન્તે અધ્યક્ષે એમ કહેલું કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈ એ મ્હૅણું સાંભળીને બહુ દુખી થયેલા. મને કહે, અધ્યક્ષના બોલ પછી આપણાથી શું બોલાય …

પણ એ સંદર્ભમાં મેં એક વાર લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે, એનો મહિમા છે.

+++

હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ થયો તે વર્ષે મને એમ કે એમને બોલાવું જ. મને શી મતિ સૂઝી કે વાર્ષિકોત્સવમાં બોલાવ્યા. સારી એવી જાહેરાત કરેલી. સભામણ્ડપમાં લોક સમાય નહીં. મારી અકળામણનો પાર નહીં. મેં કહેલું – સૉરિ, મને આવી ખબર ન્હૉતી. તો ક્હૅ, ચિન્તા છોડ. અને એમણે એવું તો જાદુઈ સંભાષણ આપેલું કે લોક મન્ત્રમુગ્ધ થઈ ગયેલું. બધાં એમને એકચિત્તે સાંભળતાં’તાં. મને જે હાશ થયેલી, ન પૂછો વાત.

+++

હું અમદાવાદમાં ભાષાભવનમાં ૧૯૭૭માં જોડાયેલો. એક વાર મેં એમને વ્યાખ્યાન માટે બોલાવેલા. તે જ દિવસે સવારથી એકાએક જ રિક્ષાવાળાઓ હડતાળ પર ઊતરી ગયા. એમને રેલવે-સ્ટેશને રીસિવ કરવા હું બસમાં પ્હૉંચી ગયેલો. એ જ વાતે ચિત્ત ચોળાતું હતું કે સુરેશભાઈને બસમાં બેસવા શી રીતે કહી શકીશ. મને કહે : હડતાળ છે તો શું થઈ ગયું, બસો તો ચાલુ છે ને ! : મારે ‘હા’ કહેવી પડેલી. એક પણ સીટ ખાલી ન્હૉતી. સામેથી જ બોલેલા – હમણાં કો’ક ઊતરશે. ત્યાંલગી દાંડો પકડીને ઊભેલા. તમે કલ્પી શકો, મારા અપરાધભાવની માત્રા … તે સાંજે ઘરે જમવામાં સાથે ભાયાણીસાહેબને પણ નિમન્ત્રણ આપેલું. રશ્મીતાએ અડદપાક બનાવેલો તે પીરસેલો. ભાયાણીસાહેબ કહે : સુરેશ, સુમનને તો વ્યવસ્થા છે, આ ખાઈને આપણે ક્યાં જશું? : સુરેશભાઈ ભાયાણીની રસવૃત્તિને તીખી નજરે માપી રહેલા …

+++

એક વાર અમે બસમાં દાહોદ જતા’તા. સુરેશભાઈ બારી પાસે બેસેલા. નદી આવે, વૃક્ષો આવે, તે મને પૂછે, જાણે છે, એનું નામ. એકાદ વાર તો મેં ડરતાં ડરતાં કહેલું અને સાચો પડેલો. પણ પછી કહેલું : મને સુરેશભાઈ, પ્લીઝ ના પૂછશો, કશી ખબર નથી : તો કહે, એમ કેમ ચાલે …એક વાર પોરબંદર જવાનું હતું. વડોદરા-સ્ટેશને ટ્રેન આવી, ચિક્કાર ગીરદી હતી, ક્હૅ – ચાલ પાછા, નથી જવું : પણ કાર્યક્રમવાળા રાહ જોશે : તો કહે, એ લોકો મને જાણે છે : હું એમના આવા લાક્ષણિક સ્વભાવ વિશે ટીપ્પણી નથી કરતો, પણ તમે તારવી શકો છો.

+++

હું ‘શબ્દસૃષ્ટિ’-નો પહેલો માનાર્હ તન્ત્રી થયેલો. એ રાજી ન્હૉતા. મને કહે : એ સરકારી તન્ત્રમાં તું શું કરી શકવાનો? : મેં કહેલું : મને મળેલી જગ્યામાં કોઈ ન પ્રવેશે એવી મેં બાંહેધરી મેળવી લીધી છે; ને જે દિવસે દખલ થશે તે દિવસે ચાલુ ગાડીએ ભુસકો મારવાની મારી તૈયારી છે : એ પછી જ્યારે જ્યારે વડોદરા જઉં ત્યારે ત્યારે જરૂર પૂછે, પેલો ભુસકો ક્યારે મારે છે? : અને ઉમાશંકરે ત્યારે જગવેલા સ્વાયત્તતાના મુદ્દે સમર્થનમાં મેં જાહેરમાં લખેલું એનો અકાદમીને વાંધો પડેલો, ને મેં ભુસકો મારેલો ..

+++

આપણા સાહિત્યકારોએ ઉ.જો. સુ.જો. એવી છાવણીઓ કલ્પી લીધી પણ સરખું યુદ્ધ તો કદી કર્યું જ નહીં. ઉમાશંકર વડોદરા ગયા હોય ત્યારે હમેશાં એમને મળ્યા છે. એમના ઇન્ટર્વ્યૂ વખતે કહેલું – તમે માઈલો લગી જશો પણ સુરેશ સમો સાહિત્યકાર મળશે નહીં. સુરેશભાઈના અવસાન વખતે ઉમાશંકર મારે ત્યાં આવેલા, અમદાવાદના ઘરે. કહે, સુમન, ખરખરો કરવા તરત તો ક્યાં જવું …

+++

બધું ઘણું યાદ આવે છે. આવી જ એક સ્મૃતિસભા નીતિન મહેતાએ યોજેલી. મેં ત્યારે કહેલું કે જે લોકોને જ્યાં જ્યાં સુરેશભાઈ અગમ્ય લાગે છે ત્યાં ત્યાં ચૉકડા મારો ને શેષનું અનુધાવન કરો. આજે પણ એ જ કહેવાનું છે. બાકી પુનર્મૂલ્યાંકન તો એ કરી શકે જેને મૂલ્ય શું અંકાયું છે એની ભલા પ્રકારે પતીજ પડી હોય.

+++

માંદગી વધી ગયેલી. વડોદરાની હૉસ્પિટલમાં હતા. અમે બધાં વારાફરતી મળવા ગયેલાં. મને કહે, તું ક્યાં હતો, ડભોઈથી આવ્યો? મેં ડોકું હલાવી હા પાડેલી. બબડવા જેવું બોલેલા : મારી પ્રાણઘાતક વેદનાનું શુ થશે … નડિયાદમાં હરીશ મીનાશ્રુ, ભારતી દલાલ, હું, અમે સૌ અધ્ધરજીવ હતાં. સમાચાર મળતાં, ભાંગી પડેલાં. સ્મશાનમાં મારું રડવું રોક્યું રોકાતું ન્હૉતું, મને રસિકભાઈએ (શાહ) છાતીએ વળગાડીને સાંત્વન આપેલું.

+++

સુરેશભાઈ કલામર્મજ્ઞ તો હતા જ પણ એમના વ્યક્તિત્વની મને પાંચ ઓળખ મળી છે : ૧ : અતિ સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.

 (એમના સાહિત્યવિચાર વિશેનાં મારાં કેટલાંક મન્તવ્યો, કદાચ આવતીકાલે). 

= = =

(6 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રોફેસર સુરેશ જોષી વિશે થોડીક વાત

સુમન શાહ|Opinion - Opinion|6 September 2024

(મિત્રો Yagnesh Dave અને Raa Saawajraj Sinh -ની વિનન્તીના માનમાં…)

સુરેશ જોષી

મેં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એમ.એ. કર્યું છે, ૧૯૬૩-૬૪. સુરેશ જોષી મારા ગુરુ હતા. તેઓને બ્લૅકબૉર્ડ  પર લખવાની ટેવ ન્હૉતી, કેમ કે એવી જરૂર ન્હૉતી. પણ પહેલે દિવસે બ્લૅકબૉર્ડ પર, ૧ ૨ ૩ ૪ ૫ કરીને પુસ્તકોનાં નામો લખે, અમે ફટાફટ લખી લઈએ. એટલે પછી, પુસ્તકોની એ યાદી પર તેઓ મથાળું બાંધે – ‘નહીં વાંચવાનાં પુસ્તકોની યાદી’! અમે ખડખડાટ હસી પડીએ. બધા સાહેબો તો વાંચવાનાં પુસ્તકોની યાદી આપે, પણ સુરેશભાઈ ઊંધું કરતા. આ નાનકડું વર્તન પણ એમને deconstrucnist કહેવા પ્રેરે એવું છે. મને આ ક્ષણે કહેવું સૂઝે છે કે ગુજરાતી સાહિત્યની સમગ્ર પરમ્પરાને એમણે એ જ દૃષ્ટિદોરથી ઉથલાવી હતી, તપાસી હતી.

અમે થોડાક મિત્રો એમને ‘સુરેશભાઈ’ કહેતા. સુરેશભાઈ સાચા અર્થમાં પ્રોફેસર હતા. નિયત પુસ્તક ભણાવવાનું હોય તો થોડાંક જ વ્યાખ્યાનોમાં એવી ચાવીઓ આપી દેતા કે એની મદદથી તમે એ પુસ્તકના હાર્દને પામી શકો અને પુસ્તકના કર્તાની શક્તિને ઓળખી શકો. એ વિશે વાત કરવાનું કે લખવાનું તમને એકદમ આવડી જાય. 

એમના વ્યંગ ચૉંકાવી દે, પણ હમેશાં હાસ્યથી સમ્મિશ્રિત હોય. કહેતા, મુનશી એક જ નવલકથાના નવલકાર છે. આપણને થાય મુનશીએ તો કેટલી બધી નવલકથાઓ લખી છે ને સાહેબ આમ કેમ કહે છે. પછી સમજાવે કે એમની પાસે બીબું એક છે ને એને વાપર્યા કરે છે. આપણને સમજ પડે કે સાહિત્યમાં બીજાનાં અનુકરણો તો થતાં હોય છે, પણ આમ, સ્વાનુકરણો થાય, તે કેટલું નુક્સાનકારક છે. 

ટીખળ કરવાનો એમનો જાણે સ્વભાવ હતો. એક વિદ્યાર્થિની એક વાર વર્ગમાં થોડી મૉડી દાખલ થયેલી, તો કહે, આજે બસ દસ મિનિટ મૉડી પડી લાગે છે. એક વાર કોઈએ બગાસું ખાધેલું, તો કહે, હવે વર્ગમાં બ્રહ્માણ્ડ-દર્શનની પણ જોગવાઈ થઈ ગઈ છે. એમનો રૂમ મોટો નહીં, ને છોકરા-છોકરીઓ રૂબરૂ મળવા આતુર હોય, ભીડ થઈ જતી. સુરેશભાઈ તરત કહે, ઇમોશનલ તો મને સમજાય છે, પણ કોઈને મોશનલ ટ્રબલ હોય તો રોકાતા નહીં. વગેરે ઘણું. 

એક પ્રસંગ મને બહુ યાદ રહી ગયો છે. રૂમમાં બીજું કોઈ હતું નહીં. મને સુરેશભાઈ ઠીક ન દેખાયા. મેં પૂછ્યું તો કહે, રિલ્કે વિશે બોલવા જવાનું છે, અંગ્રેજીના પ્રોફેસરો આગળ, એમની ટી-કલ્બમાં, નરવસનેસ ફીલ કરું છું. મને નવાઈ થયેલી. મારાથી પુછાઈ ગયેલું – તમે નરવસ? એ કંઈ બોલ્યા નહીં, એટલે હું પણ ચૂપ થઈ ગયો. સમય થતાં, નીકળ્યા, હું પણ એમની સાથે ગયો. ગુરુએ તે દિવસે રિલ્કે વિશે એટલું સુન્દર વક્તવ્ય કર્યું કે સૌ ચકિત રહી ગયેલા. કશી ભભક વિનાનું સાદું અંગ્રેજી પણ વાતમાં ઘણું જ ઊંડાણ હતું. લાગે કે રિલ્કેની સૃષ્ટિને એમણે કેટલી આત્મસાત કરી છે. પ્રશ્નો પૂછવાને બદલે એ લોકોએ એમનો હર્ષપૂર્વક આભાર માનેલો. 

અમે પાછા ફરતા’તા, મેં રસ્તામાં જ કહ્યું – તમે કંઈ નરવસ ન લાગ્યા. તો કહે, પહેલાં નરવસ થવાય એને ગુણ સમજવાનો, તમે ઠરેલા ઠાવકા મશીન નથી, તમારી અંદર કશુંક તમને જરા ડરાવે એ જરૂરી છે, વક્તવ્ય વખતે એ ડર જ શક્તિ બની જાય ને તમે પ્રભાવક વાત કરી શકો. યન્ત્રવત્ સ્વસ્થતા વિરુદ્ધના આ ગુણની વાત સમજતાં મને વાર લાગેલી, પણ પછી સાવ જ ગળે ઊતરી ગયેલી. એટલે તો પછી, મને મારા દરેક વ્યાખ્યાન પૂર્વે આ નરવસ-ગુણ યાદ આવતો, અને નરવસ ન થયો હોઉં તો પણ થવા મથતો, ઍન્ડ સો ઑ ન…

(શિક્ષક-દિવસ)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...532533534535...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved