Opinion Magazine
Number of visits: 9557422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેમને હત્યારા / બળાત્કારીઓ ‘સંસ્કારી’ લાગે છે અને પોતાના ‘બાપુ’ લાગે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2024

રમેશ સવાણી

કેટલાક હત્યારાને પોતાનો આદર્શ માને છે. નથૂરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી એટલે તેને દેશભક્ત માને છે. 2 ઓક્ટોબરના રોજ નથૂરામ ગોડસે સ્મૃતિ દિવસ ઉજવે છે. ગાંધીજીની હત્યા કરી નથૂરામે દેશને બચાવી લીધો, તેમ માને છે !

ગાંધીજીની હત્યા ગોડસેએ શા માટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા એટલે? મોટા ભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ 92 પેજનું નિવેદન આપેલ તેને સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ 216 પેજના પુસ્તકમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! 

ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ  કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. આ તેનો પ્રથમ પ્રયત્ન ન હતો. કટ્ટરપંથીઓ ઘણા સમય પહેલાંથી ગાંધીજીની હત્યા કરવાની યોજના કરી રહ્યા હતા. જેમાં નારાયણ આપ્ટે / વિષ્ણુ કરકરે / ગોપાલ ગોડસે / મદનલાલ પાહવા સહિત બીજા ઈસમો સામેલ હતા. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા. 

માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વિરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા અને ગાંધીજી વિભાજન માટે જવાબદાર? ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા વિભાજન માટે જવાબદાર હતા ! 

ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી / સરદાર / નેહરુ / સુભાષ બોઝ / આંબેડકર / સી. રાજગોપાલાચારી વિરુદ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રૂપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રૂપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે બઘાંને ગોડસે દુ:શ્મન માનતો હતો ! 

કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર / ભગતસિંહ / સુભાષ બોઝ / આંબેડકર / વિવેકાનંદનું ચાલાકીપૂર્વક અપહરણ કરી લીધું ! ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરૂ કર્યું. હિન્દુ મહાસભા / RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે ! માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તૂરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! 

હિન્દુ કટ્ટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો? આઝાદી માટે ભગતસિંહ / રામપ્રસાદ બિસ્મિલ / રાજેન્દ્રનાથ લાહિડી / રોશન સિંહ / અશફાક ઉલ્લા વગેરે ફાંસીએ ચડ્યા હતા. તેમાં કોઈ કટ્ટરપંથી હિન્દુ મહાસભા / RSSના સભ્યો ન હતા. તેમણે તો અંગ્રેજોને મદદ કરી હતી ! આઝાદી મળતાં જ તેઓ કોમી દંગાઓ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા હતા ! 

દેશની હાલની સ્થિતિ જોતાં કહી શકાય કે સાંપ્રદાયિક રાજનીતિ બીજા સમુદાયને નુકસાન ઓછું કરે છે, પોતાના સમુદાયને વધુ નુકસાન કરે છે ! આઝાદીમાં જેમનો ફાળો શૂન્ય હતો તે આઝાદી બાદ બેફામ બન્યા છે ! ગોડસેને દેશભક્ત માનનાર માનસિક વિકૃત હોય છે; તેમને હત્યારા / બળાત્કારીઓ ‘સંસ્કારી’ લાગે છે અને પોતાના ‘બાપુ’ લાગે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કયા ગાંધીને નમન કરું?

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2024

મહાત્મા ગાંધીની 154મી જયંતી પર વર્ધાના સેવાગ્રામમાં ગાંધી કુટિર સામે ઊભો હતો અને વિચારતો હતો કે ‘ક્યા ગાંધીને નમન કરું? એ ચશ્માંવાળા સંતને જે સરકારી જાહેરાતોમાં ખૂણામાંથી જૂએ છે? કે એ ચરખાવાળા દાર્શનિક જે લાઈબ્રેરી / સેમિનારમાં છૂપાયેલ છે? કે ચંપારણવાળા એ આંદોલનજીવીને જે દેશની ધૂળ ફાંકી રહ્યો છે? સડકો પર ભટકી રહ્યો છે?

આજે ગાંધી દરેક જગ્યાએ મોજૂદ છે, ભાષણમાં, પુસ્તકોમાં, મ્યુઝિયમમાં, ચાર રસ્તા પર, નોટ પર. ફાઈવ સ્ટાર હોટલમાં, UNમાં, G-20માં ! ગાંધીની આ સર્વવ્યાપકતા ઉત્સવનો નહીં પરંતુ ચિંતાનો વિષય હોવો જોઈએ. જો દેશમાં ગાંધીના હત્યારાના ખભે હાથ રાખનારા વિદેશીઓ સામે ગાંધીનું નામ જપે તો સમજવું કે કંઈક ગડબડ છે ! ગાંધીના સૌથી હોનહાર પરંતુ વાંકા શિષ્ય રામમનોહર લોહિયાએ ગાંધી હત્યાના થોડાં વરસ પછી ગાંધી વારસા પરના ખતરાને માપી લીધો હતો. 

લોહિયાએ ગાંધીવાદીઓને ત્રણ શ્રેણીમાં વહેંચ્યા હતા; પ્રથમ શ્રેણીમાં હતા સરકારી ગાંધીવાદી, જેમાં નેહરુ સહિત અધિકાંશ કાઁગ્રેસી નેતાઓ હતા. બીજી શ્રેણીમાં તેમણે મઠાધીશોને મૂક્યા હતાં, જેમાં કદાચ વિનોબા ભાવે સહિત સર્વોદયના કાર્યકરોને મૂક્યા હતા. લોહિયા માનતા હતા કે આ બન્ને શ્રેણીવાળા ગાંધીના સાચા વારસદાર ન હતા. 

જો ગાંધી વારસાને સાચા અર્થમાં કોઈ બચાવી શકે તો તે ત્રીજી શ્રેણીના કુજાત ગાંધીવાદી હતા, જેમાં લોહિયા પોતાને ગણતા હતા. આજના સંદર્ભે લોહિયાનું વર્ગીકરણ પ્રાસંગિક નથી રહ્યું. સરકાર બદલાઈ ગઈ. મઠ પડી ભાંગ્યાં અને ગાંધીવાદી નામની જાતિ જ બચી નથી ! પરંતુ લોહિયાનો સવાલ આજે પણ પ્રાસંગિક છે. ગાંધીના સાચા વારસદાર કોણ છે? આ સવાલ દરેક નવી પેઢીએ પૂછવો પડશે. નવી ઓળખ કરવી પડશે. 

ચશ્માંવાળા ગાંધી સંત છે, ભળાભોળા છે. પ્રવચન સારું આપે છે પણ વિચારમુક્ત છે. સફળ સંતોની જેમ સચ્ચાઈ / ભલાઈનો ઉપદેશ આપે છે અને પછી આંખો બંધ કરીને ધન્નાશેઠ ભક્તોને છૂટ્ટા મૂકી દે છે ! આ ગાંધી બાબા એવું પરબીડિયું છે જેમાં આપ મનમરજી મુજબ જે રાખવું હોય તે રાખી શકો છો. સ્વચ્છતા મિશન / NGO / કંપનીઓની જાહેરખબર માટે આ ગાંધી ઉપલબ્ધ છે. પોતાના હત્યારાથી ઘેરાયેલા કારણ વગર હસતા આ 154 વર્ષના વૃદ્ધને દરેક મહેલના ખૂણામાં સજાવી શકાય છે. બ્લેકનો ધંધો કરનારા પોતાની કમાણીને ‘ગાંધી’માં ગણે છે ! આ ગાંધીને જોઈને કોઈએ કહ્યું હશે કે ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી !’ આ ચશ્માંવાળા ગાંધી, મારા ગાંધી નથી. આ આપણા સમયના જ્યોતિપુંજ ન બની શકે. 

ચરખાવાળા ગાંધી દાર્શનિક છે, ગાંધીવાદના જનક છે. પાછલા 2-3 દસકાથી પુસ્તકો અને સેમિનારોની દુનિયામાં આ ગાંધી બહુ જોવા મળે છે. અને કેમ ન હોય? આ ગાંધી ‘હિન્દ સ્વરાજ’ના લેખક છે, પશ્ચિમી સભ્યતાના આલોચક છે. આધુનિકતાના વિકલ્પ છે. દુનિયાને વિકાસની વૈકલ્પિક દિશા દેખાડનાર દૂરબિન છે ગાંધી. આ ગાંધી સત્યના શોધક છે. ‘ઈશ્વર સત્ય છે’થી લઈને ‘સત્ય જ ઈશ્વર છે’ની યાત્રા કરી ચૂક્યા છે. આ ગાંધી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવે છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી અહિંસા ન જળવાય ! અહિંસા માટે હિંસાનો સક્રિય પ્રતિકાર કરવો જરૂરી છે. સભ્યતાનાં મૂળમાં છૂપાયેલી હિંસાને રોકવી અનિવાર્ય છે. 

આ ગાંધી નિ:સંદેહ આકર્ષક છે, આવશ્યક છે, પણ આજના સંદર્ભમાં આ બહુ અધૂરા છે. આજના પડકારોને જોતાં ગાંધીને માત્ર દાર્શનિક બનાવી દેવા ગાંધી સાથે અન્યાય છે. આપણી સાથે પણ. ગાંધીએ કહ્યું હતું કે મારો સંદેશ મારા લખાણોમાં નહીં મારા જીવનમાં છે. જ્યારે ગાંધીનાં સ્વપ્નના ભારત પર પ્રાયોજિત હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ગાંધીનાં પુસ્તકોનો માત્ર પોપટપાઠ કરવાનો પ્લાન છે ! આજના ગાંધી ચંપારણના આંદોલનજીવી હશે, સત્યાગ્રહના સિપાઈ હશે, સતત સંઘર્ષ અને નિર્માણમાં લીન કર્મયોગી જ આપણા સમયના ગાંધી હોઈ શકે. આ ગાંધી કોઈ વૈચારિક ખાંચામાં બંધાવા તૈયાર નથી. તે જીવનભર પ્રયોગ કરે છે અને દરેક પ્રયોગથી શિખવા તૈયાર છે. 

તે અંગ્રેજ રાજ સામે સંઘર્ષ કરે છે, અંગ્રેજો પ્રત્યે ધૃણા કર્યા વગર. તે છૂતાછૂત સામે યુદ્ધ છેડે છે, જાતિ દ્વેષ વધાર્યા વગર. તે અંતિમ વ્યક્તિ સાથે ઊભા રહે છે, તેને મજબૂત કરવા માટે આત્મનિર્ભરતાનું મોડેલ તૈયાર કરે છે. તે દરેક આગને ઓલવવા તેમાં કૂદવા તૈયાર રહે છે. આ ગાંધી રાજનેતા છે, કેમ કે તે જાણે છે કે રાજનીતિ આજનો યુગધર્મ છે. 154 વર્ષનો આ નવયુવાન પોતાના જન્મદિવસે સેવાગ્રામ કે રાજઘાટમાં દેખાતો નથી. તે મણિપુરમાં દરેક ખતરાનો સામનો કરતા ઘૂમી રહ્યો છે. બન્ને તરફથી ગાળો સાંભળી રહ્યો છે, દિલોને જોડી રહ્યો છે, સત્તાને ખરી-ખોટી સંભળાવી રહ્યો છે. તે નૂંહમાં જઈને અગનઝાળ અને બુલ્ડોઝર બન્નેના શિકારને મળી રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમોને સમજાવી રહ્યો છે. સરકારની નિષ્ક્રિયતા / નિષ્ફળતા પર આંગળી ઊઠાવી રહ્યો છે. તે લિંચિંગના દરેક શિકારનું દર્દ સહન કરી રહ્યો છે, રામનવમીની આડમાં હુલ્લડ કરનારાઓને સમજાવી રહ્યો છે, તે કાશ્મીરના જખમ પર મલમ લગાવી રહ્યો છે. પાછલા કેટલાંક સમયથી આ ગાંધીએ નવા મિત્રો બનાવી લીધા છે; ભગતસિંહ અને ભીમરાવ આંબેડકર. આ ગાંધીને જોઈને લોકો કહે છે : ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી !’ 

[સોજન્ય : યોગેન્દ્ર યાદવ, પ્રસિદ્ધ એક્ટિવિસ્ટ. 2 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુલાબી

સરયૂ પરીખ|Poetry|4 October 2024

મારી ભરત ભરેલી સાડી ફૂલ ગુલાબી,
એના રેશમ તારે યાદો મસ્ત ગુલાબી.
એની દરેક સળની સાથે આશા દોરી,
એને  ટાંકે  ટાંકે   મોહકતા  હીરકોરી.

રે  પગની પાયલ  પ્રીતમ સંગત ઘેલી,
હરખે   હાલી,  ભૂલી   સંગ    સહેલી.
એ  નજર લહર મન  લાગી’તી  સુનેરી,
હું સોળ કળાએ ખીલી હતી એ પહેરી.

ઉન્મત  પાલવ   ફરકે,  હવા   હઠીલી,
છાયલ  પહેરી   તે  દિન બની નવેલી.
સુરખી    સંતાયેલી    સ્મિત    પહેલી,
ના બોલું,  મ્હાલું   અંતરની   રંગરેલી.

 આજ, સોડ તાણીને આહ્લાદક સુંવાળી,
હું  સૌમ્ય સુકોમળ ખોળામાં હૂંફાળી!
દીપ  જલાવી,  આજ  મને  શણગારી,
એ  જ  ચીરમાં, ચિન્મય ચિર સમાણી. 

e.mail : saryuparikh@yahoo.com

Loading

...102030...496497498499...510520530...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved