Opinion Magazine
Number of visits: 9664753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મત મફતમાં ન મળે, પણ મફત આપો તો મળે પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 December 2024

રવીન્દ્ર પારેખ

રાજકારણીઓને થૂંકેલું ચાટવાની નવાઈ નથી હોતી. અગાઉ જે વાતો માટે સામેના પક્ષોની ટીકા કરી હોય એ જ વાતો પોતે કરવાની આવે તો જરા ય સંકોચ વગર શાસકો કરતાં હોય છે. એક સમયે આમ આદમી પાર્ટી સહિતના પક્ષો મફત આપવાની વાત કરતા હતા, તો વડા પ્રધાન તે પક્ષોની ‘રેવડી’ કહીને ઠેકડી ઉડાડતા હતા ને ભા.જ.પ. રેવડીમાં માનતો નથી એવો પ્રચાર કરતા હતા ને હવે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજની થાળી પીરસે છે તેનો વાંધો આવતો નથી. રાજકારણમાં તો એવું બધું જ હોય અથવા એવું હોય તેને જ રાજકારણ કહેવાતું હોય તો ભલે, પણ મહેનતુ પ્રજાને મફતનું ખવડાવીને હરામ હાડકાંની કરવામાં કયું ગૌરવ છે તે નથી સમજાતું. ખરેખર તો ગરીબોને રોજગારી અપાય ને તે સંદર્ભે આવી મદદ થાય તે અપેક્ષિત છે. રાજકીય પક્ષો જાણે છે કે મત મફતમાં મળતા નથી. બીજી તરફ પ્રજા પણ હવે ભોળી અને મૂરખ રહી નથી, તે પણ સામે શું મળે છે તે જુએ છે ને પછી મત ઢીલા કરે છે. 

કોરોના આવ્યો ત્યારે 2020માં વડા પ્રધાને ગરીબોને મફત અનાજ આપવાનું ઠરાવ્યું એ ખરેખર આવકાર્ય પગલું હતું. કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા આપવાનું શરૂ કર્યું, પણ કોરોના ગયો પછી પણ એ યોજના આજ સુધી ચાલુ રહી છે, ત્યારે તેના રાજકીય હેતુઓ સ્પષ્ટ થતા આવે છે. કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ મફત અથવા સબસિડીવાળું રેશન પૂરું પાડે છે, પણ જેમની પાસે કાર્ડ નથી એવા પરિવારોને એનો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના કાળ વખતે સ્થળાંતરિત ગરીબ પરિવારોને રેશન કાર્ડ આપવાની તાકીદ કરી છે, જેથી મફત અન્ન યોજનાનો લાભ તેને પણ મળી રહે. કોર્ટે એવો આદેશ પણ આપ્યો છે કે જેમની પાસે કાર્ડ નથી, પણ જે શ્રમિકો ઇ- શ્રમિક પોર્ટલ પર નોંધાયેલા છે તેમને પણ મફત રેશનનો લાભ મળે. 

સુપ્રીમ કોર્ટે એ નોંધ્યું છે કે રોજગારીની તકો ઊભી કર્યા વગર 81 કરોડ લોકોને સરકાર મફત અનાજનો લાભ આપી રહી છે તે ઠીક નથી, તે સાથે જ એવી ટકોર પણ કરી છે કે આટલા લોકોને યોજનાનો લાભ અપાઈ રહ્યો હોય તો તેનો મતલબ એ જ થાય કે કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે. છે ને કમાલ ! જેમના કરમાંથી મફત યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, તે જ એ યોજનાની બહાર છે. સુપ્રીમે સોંસરું પૂછ્યું છે કે આ મફતનું ક્યાં સુધી ચાલવાનું છે? એના કરતાં વધુ સારું એ નથી કે રોજગારીની વધુ તકો ઊભી થાય તે જોવાય? 

કેન્દ્રે કોર્ટને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા સબસિડીવાળું અનાજ અપાય છે. સુપ્રીમ સુધી વાત પહોંચવાનું કારણ છે એક એન.જી.ઓ.ની અરજી ! અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે એવી માંગણી કરી કે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતરિત કામદારોને પણ મફત અનાજનો લાભ મળે. સુપ્રીમની અગાઉની બેન્ચે 4 ઓક્ટોબરે એવો આદેશ આપ્યો હતો કે NFSA મુજબ જે રેશન કાર્ડ-અનાજ માટે લાયક છે અને જે સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઓળખ પામેલા છે, તેઓને 19 નવેમ્બર પહેલાં રેશન કાર્ડ આપવામાં આવે. એનો 26 નવેમ્બરે સરકારે એવો જવાબ દાખલ કર્યો કે તેની જવાબદારી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ની ફરજિયાત જોગવાઈ હેઠળ જ રેશન કાર્ડ પ્રદાન કરવાની છે, એટલે કાયદામાં આપેલી મર્યાદાની ઉપરવટ જઈને રેશન કાર્ડ ન આપવા સરકાર વિવશ છે. એની સામે અરજદારની દલીલ એવી હતી કે 2021માં વસ્તી ગણતરી થઈ હોત તો સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા પણ વધી હોત, પણ સરકાર અત્યારે જે ડેટાનો આધાર લે છે તે 2011ની વસ્તી ગણતરીનો છે. આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થવાની છે, ત્યારે જે ચુકાદો આવે તે ખરો. 

સુપ્રીમે મફતનું ક્યાં સુધી ચાલવાનું છે એવો સવાલ ભલે પૂછ્યો હોય, પણ કેન્દ્ર સરકાર કોર્ટનું સાંભળવાના મૂડમાં ન હોય તેમ, મફત અનાજની યોજના વધુ પાંચ વર્ષ ચાલુ રાખશે તેવી જાહેરાત કરી ચૂકી છે. 2023ના નવેમ્બરમાં છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ખુદ વડા પ્રધાને એવી જાહેરાત કરી હતી કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બીજાં પાંચ વર્ષ, 81 કરોડ લોકોને સરકાર મફત રેશન આપશે. આ જાહેરાત પાછળનો છૂપો હેતુ તો એ હતો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા ભા.જ.પ.ને મત આપે. એ જુદી વાત છે કે આટલી મફત યોજનાઓ છતાં કેન્દ્રમાં સ્પષ્ટ બહુમત મળ્યો નહીં ને થોડા ટેકાથી ટકી જવાનું આવ્યું. એમ લાગે છે કે ચૂંટણીઓ ચાલશે, ત્યાં સુધી મફતની યોજના પણ ચાલશે.

વડા પ્રધાનને તો 81 કરોડની જનતાના ‘આશીર્વાદ’ જ જોઈએ છે. આ આશીર્વાદને કારણે જ તેઓ ‘પવિત્ર’ નિર્ણયો લઈ શકે છે એવું તેમનું માનવું છે. નિર્ણયો પવિત્ર છે કે કેમ તે તો વડા પ્રધાન જાણે, પણ પ્રજાના પવિત્ર મત તો તેમને મળે જ છે એ સ્વીકારવું પડે. વડા પ્રધાન પ્રજાહિતને મામલે ખાસા ઉદાર છે. 5 કિલો અનાજથી તેમને સંતોષ નથી, એટલે ઘઉં, ચોખા ઉપરાંત અન્ય ખાદ્ય ચીજો પણ રેશનમાં મફત આપવાનું ઠરાવ્યું છે. નવાં વર્ષથી જ સરસવનું તેલ, બાજરી, મસાલા જેવી 10 વસ્તુઓ મફત અપાશે એવી જાહેરાત થઈ ચૂકી છે. આમ કરવા પાછળનો હેતુ પ્રજાનું પેટ ભરવાનો જ નહીં, પણ પોષક તત્ત્વો પણ મળી રહે એ જોવાનો પણ છે, તે સારી વાત છે. પૂરતી આવકને અભાવે ઘણી ચીજ વસ્તુઓ પ્રજા ખરીદી ન શકતી હોય ત્યારે તેને પોષક તત્ત્વો યુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે એ જોવાનો ઉપક્રમ ઉમદા જ ગણાય. અહીં ખૂટે છે તે સ્વમાન ! પ્રજા આ બધું મફતમાં મેળવે એના કરતાં મહેનત કરીને, કમાઈને જરૂરી ચીજ વસ્તુઓ મેળવે એ સ્થિતિ ઊભી થાય તે જરૂરી છે. 

વડા પ્રધાન કે ભા.જ.પ.ના નેતાઓ ભલે એ વાતે ગર્વ અનુભવે કે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ આપે છે, પણ એ સિદ્ધિ કરતાં શરમની વાત વધુ છે. જે દેશની 81 કરોડ જનતા એટલી પાંગળી હોય કે તે પોતે માનભેર ખરીદીને ખાઈ ન શકે તો તેનો ક્ષોભ સરકારને થવો જોઈએ. એ ખરું કે સરકાર પ્રજાની દશા જોઈને બેસી રહેવાને બદલે તેનું પેટ પાળવા થઈ શકે તે બધું જ કરે છે. સુપ્રીમ કોર્ટ કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે એવું ભલે સંભળાવે કે રોજગારી ઊભી કરવાનું કહે, પણ સરકાર આ યોજના બંધ કરે એ શક્ય નથી. મત હશે, ત્યાં સુધી મફત પણ હશે જ એમ માનવામાં નથી લાગતું કે અતિશયોક્તિ છે. સુપ્રીમની ટકોર વાજબી જ છે, પણ સરકાર અનુદાર રહે તો પણ ટીકાને પાત્ર બને એ પણ એટલું જ સાચું છે. ખૂટે છે તે એટલું જ કે મફત, મતનો ભાગ બને છે એટલું, મહેનતનો ભાગ નથી બનતું. એ થાય તો કરદાતાઓના નાણાંનો દુર્વ્યય થતો અટકે. કમ સે કમ કરદાતાઓ આટલી ઉપેક્ષાને પાત્ર તો નથી જ!

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ડિસેમ્બર 2024

Loading

तालिबान, महिलाओं की समानता और हिंदुत्व राष्ट्रवाद

राम पुनियानी|Opinion - Opinion|13 December 2024

राम पुनियानी

तवलीन सिंह एक जानी-मानी स्तंभ लेखक हैं. गत 8 दिसंबर 2024 को द इंडियन एक्सप्रेस में प्रकाशित उनके कॉलम में उन्होंने अफगानिस्तान में महिलाओं के चिकित्सा विज्ञान पढ़ने पर प्रतिबंध की चर्चा की है. यह प्रतिगामी कदम उठाने के लिए उन्होंने अफगानिस्तान की तालिबान सरकार की  बहुत तीखे शब्दों में आलोचना की है और यह ठीक भी है. इसी स्तंभ में उन्होंने यह भी लिखा है कि वामपंथी-उदारवादी तालिबान के प्रति सहानुभूति का रूख रखते हैं. यह कहना मुश्किल है कि उदारवादी-वामपंथियों के तालिबान और ईरान  (जहां के शासकों की भी महिलाओं के बारे में वैसी ही सोच है) के प्रति रूख के बारे में तवलीन सिंह की टिप्पणी कितनी सही है. तवलीन सिंह ने उन लोगों की भी आलोचना की है जो हिन्दू राष्ट्रवादियों की नीतियों औैर कार्यक्रमों की तुलना तालिबान से करते हैं.

हिन्दू राष्ट्रवादियों और तालिबान की नीतियां और कार्यक्रमों में परिमाण या स्तर का फर्क हो सकता है मगर दोनों में मूलभूत समानताएं हैं. तालिबान, खाड़ी के कई देशों और ईरान के महिलाओं के प्रति दृष्टिकोण एक-दूसरे से मिलते-जुलते हैं परंतु एकदम एक समान नहीं हैं. बल्कि किन्हीं भी दो देशों की नीतियां एकदम एक-सी नहीं हो सकतीं. परंतु सैद्धांतिक स्तर पर हम उनमें समानताएं ढूंढ सकते हैं. इन देशों में धार्मिक कट्टरता में बढ़ोत्तरी की शुरूआत 1980 के दशक में ईरान में अयातुल्लाह खौमेनी के सत्ता में आने के साथ हुई. खौमेनी ने ईरान का सामाजिक-राजनैतिक परिदृश्य पूरी तरह से बदल दिया.

धार्मिक कट्टरता से क्या आशय है? धार्मिक कट्टरता से आशय है चुनिंदा धार्मिक परंपराओं को राज्य की सत्ता का उपयोग कर समाज पर जबरदस्ती लादना. कई बार यह काम सरकार की बजाए वर्चस्वशाली राजनैतिक ताकतों द्वारा किया जाता है. जो परंपराएं लादी जाती हैं वे अक्सर प्रतिगामी, दकियानूसी और दमनकारी होती हैं. इस दमन का शिकार महिलाओं के साथ-साथ समाज के अन्य कमजोर वर्ग भी होते हैं. धार्मिक कट्टरता स्वयं को मजबूत करने के लिए हमेशा एक भीतरी या बाहरी दुश्मन की तलाश में रहती है. अधिकांश खाड़ी के देशों में निशाने पर महिलाएं हैं. कई देशों में “शैतान अमरीका”‘दुश्मन के रूप में प्रस्तुत किया जाता है. जो भी दुश्मन चुना जाता है, समाज और देश की सारी समस्याओं के लिए उसे ही दोषी ठहरा दिया जाता है. जर्मनी में जन्मे फासीवाद और धार्मिक कट्टरतावाद में यह एक समानता है. जर्मनी में देश की सारी समस्याओं के लिए यहूदियों को जिम्मेदार ठहरा दिया गया और उनके खिलाफ नफरत इस हद तक पैदा कर दी गई कि जर्मनी के लोग यहूदियों के कत्लेआम को भी नजरअंदाज करने लगे. और यह सब केवल सर्वोच्च नेता की सत्ता को मजबूती देने के लिए किया गया था.

फासीवाद और धार्मिक कट्टरतावाद में एक और समानता है- महिलाओं के प्रति उनका दृष्टिकोण. फासीवादी जर्मनी में कहा जाता था कि महिलाओं की भूमिका रसोईघर, चर्च और बच्चों तक सीमित है. दूसरे देशों में भी धार्मिक कट्टरतावाद, महिलाओं पर कुछ इसी तरह के प्रतिबंध लगाता है.

हिन्दू राष्ट्रवादियों के निशाने पर मुसलमान और कुछ समय से ईसाई भी हैं. हमने पिछले कुछ दशकों में साम्प्रदायिक हिंसा को भयावह ढंग से बढ़ते देखा है. साम्प्रदायिक हिंसा का परिमाण भी बढ़ा है और उसके तौर-तरीके अधिक व्यापक और खतरनाक बन गए हैं. पहले अयोध्या में एक मस्जिद को ढहाने का भयावह कृत्य किया गया. उसके बाद जमकर खून-खराबा हुआ और अब हर मस्जिद के नीचे मंदिर ढूंढा जा रहा है. इसके अलावा गाय और गौमांस के मुद्दे पर लिंचिंग हो रही है और गौरक्षकों की पूरी एक सेना खड़ी हो चुकी है. ‘’जिहाद’ शब्द का इस्तेमाल मुस्लिम अल्पसंख्यकों को निशाना बनाने के लिए किया जा रहा है. लव जिहाद से शुरू होकर कोरोना जिहाद, लैंड जिहाद, यूपीएससी जिहाद आदि की बातें की जा रही हैं.

यह सही है कि मुसलमानों को निशाना बनाने के अलावा भारत में धार्मिक कट्टरतावाद के अन्य लक्षण उतने स्पष्ट नहीं दिखलाई दे रहे हैं. मगर उनके अस्तित्व से इंकार नहीं किया जा सकता. जहां तक महिलाओं का प्रश्न है, सती प्रथा पर प्रतिबंध लगाया जा चुका है. देश में सती की आखिरी घटना 1980 के दशक का रूपकुंवर कांड था. लेकिन फिर भंवरी देवी मामले मे ऊंची जाति के बलात्कारी को अदालत ने यह कहते हुए बरी कर दिया कि भला कोई ऊंची जाति का व्यक्ति नीची जाति की महिला से बलात्कार कैसे कर सकता है. यह मानसिकता जाति प्रथा से उपजी है.

हिंदू राष्ट्रवादी नीतियों को बारीकी से देखने पर यह समझ में आता है कि वे मूलतः महिला विरोधी हैं. जैसे लव जिहाद की अवधारणा को लें. यह परिवार के पुरूष सदस्यों को ‘उनकी’‘महिलाओं  और लड़कियों पर नजर रखने का एक बहाना देता है. जो लोग लव जिहाद का विरोध करते हैं वे ही लड़कियों को जींस नहीं पहनने देना चाहते. हिंदू राष्ट्रवादियों के हिंसा के प्रति दृष्टिकोण की झलक हमें बिलकिस बानो मामले से मिलती है. इस मामले में बलात्कार और हत्या के दोषियों का जेल से रिहा होने पर स्वागत किया गया था. यह अच्छा है कि अदालत ने उन्हें वापिस जेल भेज दिया. गोवा की एक महिला प्रोफेसर, जिसने मंगलसूत्र की तुलना जंजीर से की थी, को गाली-गलौच का सामना करना पड़ा.’ मनुस्मृति’ को आदर्श बताया जाता है.

तवलीन सिंह हिंदू राष्ट्रवादियों के हमलों को हिंदू धार्मिकता बताती हैं. यह एकदम गलत है. उन्होंने स्वयं जय श्रीराम न कहने पर तीन मुसलमानों की चप्पलों से पिटाई का उदाहरण दिया है. क्या यह धार्मिकता है? ऐसी घटनाओं को ‘धार्मिकता’ बताना, धार्मिक कट्टरतावाद से उनके जुड़ाव को छिपाना है. मुस्लिम कट्टरतावाद को जिहादी इस्लाम कहना भी ठीक नहीं है. मुस्लिम कट्टरतावाद के कई स्वरूप हैं. मिस्त्र और कई अन्य देशों में उसे मुस्लिम ब्रदरहुड कहा जाता है. फिर ईरान की अयातुल्लाह सरकार तो है ही.

धार्मिकता तो उसे कहते हैं जिसका आचरण लाखों-करोड़ों हिंदुओं द्वारा अन्य धर्मों के लोगों के साथ रहते हुए सदियों से किया जा रहा है. इसीने भारत को बहुवादी और विविधवर्णी देश बनाया है. हिंदू राष्ट्रवाद की वर्तमान नीतियां सावरकर और गोलवलकर की विचारधारा पर आधारित हैं. ये दोनों उपनिवेशवाद के खिलाफ संघर्ष से उपजे भारतीय राष्ट्रवाद के कटु विरोधी थे. बीसवीं सदी के महानतम हिंदू महात्मा गांधी को बहुवादी भारत का पक्षधर होने की कीमत अपने सीने पर गोलियां खाकर चुकानी पड़ी.

तवलीन इस ‘धार्मिकता’ से नफरत करती हैं. मगर उन्हें यह समझना चाहिए कि जिहादी इस्लाम और इस्लामिक कट्टरतावाद भी इसी रास्ते से उभरा था. राजनीति को धर्म से जोड़ा जाता है और फिर धर्म के नाम पर राजनीति पूरे समाज को बर्बाद कर देती है. भारत में अभी यही हो रहा है. चाहे वह मस्जिदों पर दावा करना हो, मुसलमानों के घरों पर बुलडोजर चलाना हो, तृप्ता त्यागी द्वारा मुस्लिम विद्यार्थियों को पिटवाना हो या मांसाहारी भोजन स्कूल में लाने के लिए बच्चों को स्टोर में बंद करना हो या फिर मंगलौर में पब से बाहर आ रही लड़कियों की पिटाई लगाना हो – ये सब उसी का नतीजा हैं जिसे तवलीन सिंह ‘धार्मिकता’‘कहती हैं.

बुधवार, 11 दिसम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ઇચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 December 2024

ચંદુ મહેરિયા

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઇચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોનાં સૂચનો માંગ્યાં હતા. એટલે ઇચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઊઠી છે.

ગ્રીક વાક્યાંશ ‘યૂ થાનાટોસ’ પરથી યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઇચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઇચ્છામૃત્યુની અવારનવાર માંગ ઊઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઇચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.

મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઇચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃદ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતાં હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઇચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઇચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તર પ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી ઇચ્છામૃત્યુની યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે. મારું શરીર અને મારી મરજી કે મારી ઇચ્છા મહત્ત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઇચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.

ભારતમાં ઇચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઇચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.

સક્રિય ઇચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઇચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે, પરંતુ તેમના જીવવાના જરા ય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.

નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ, પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે. એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી. જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું? એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દૃષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.

માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઇચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે. ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવાં ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે. ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દૃષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઇચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઊભો થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જો કે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાંવહાલાં જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.

સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો, પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઇચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દૃષ્ટિકોણ અપનાવે તે ઇચ્છનીય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...459460461462...470480490...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved