Opinion Magazine
Number of visits: 9557095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—265

દીપક મહેતા|Opinion - Opinion|1 December 2024

મુંબઈના લાખો લોકોને આજે પણ અજવાળું આપતું જમશેદજીનું સપનું 

 જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહિ થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે – વરસના બારે મહિના, અને દહાડાના ચોવીસે કલાક. એ સપનું તે કિયું?

એક વખત બનિયું એવું કે જમશેદજી જબલપુર તરફ સહેલગાહ કરવા ગયા. ત્યાં નર્મદા નદીનો ભેડા ઘાટનો ધોધ એવને જોયો. અને જમશેદજીના મનમાં વીજલીનો ઝબકારો થિયો: ધોધના આય પાનીમાં કેટલી બધી તાકાત છે! એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક પાવર કાંઈ પેદા નહિ થઈ સકે? તાબડતોબ પહોંચ્યા સરકારી દફતરે અને જોઈતી જમીન વેચાતી આપવા અરજ કીધી. પન એ ધોધની આસપાસની જમીન હુતી કોઈ સ્વામીજીની માલિકીની. સરકાર કહે કે તેઓ વેચે તો તમે ખરીદી લો. પણ સામિજી તો કહે કે મારી આ જમીન કબ્બી બી મી કિસીકો ભી દુંગા નહિ. એ વખતે ‘દેશી’ લોકોના ધરમ-કરમની બાબતમાં બને ત્યાં સુધી અંગ્રેજ સરકાર માથું મારતી નહિ. એટલે એ વાત તો ત્યાં અટકી.

જમશેદજીને જે વારે આય વિચાર આવીયો તે વારે આખ્ખી દુનિયામાં કેથે બી હાઈડ્રોલિક પાવર પેદા થતો હૂતો નહિ. એ વખતે જો જમશેદજી તે જગાએ પાવર પ્લાન્ટ નાખી સકિયા હોતે તો એ આખ્ખી દુનિયામાં એવો પહેલવહેલો પ્લાન્ટ બનીયો હુતે. જમશેદજીએ આય વિચાર કીધો તે પછી છ વરસે દુનિયાનો પહેલવહેલો હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ ૧૮૮૨માં અમેરિકાના વિસકોનસીન સ્ટેટમાં ચાલુ થિયો.

ઇજનેર ડેવિડ ગોસલિંગ

થોરા વખત પછી જમશેદજીની નજર તે વખતના પોર્ટુગીઝ ગોવા અને બ્રિટિશ મુંબઈ વચ્ચે આવેલા દૂધસાગર ધોધ પર પરી. અહીં વીજલી પેદા કરવી અને એને તારનાં દોરડાં વરે મુંબઈ લઈ જઈ ત્યાંનાં નાનાં-મોટાં કારખાનાંને વેચવી એવું તેમની વેપારી બુદ્ધિને સૂઝ્યું. જમશેદજીએ ડેવિડ ગોસલિંગ નામના એક જાણકારને રોક્યો. એવને એક કરતાં વધુ વાર દૂધસાગરની સફર કરી. પણ પછી જનાવિયું કે આ જગોએ પાવર પ્લાન્ટ નાખી સકાય એવું નથી. પન મુંબઈથી દૂધસાગર પૂના રસ્તે જતાં આવતાં ગોસ્લીંગની નજર લોનાવાલા નજીકની એકુ જગા પર પરી. સહ્યાદ્રીના ઊંચા ઊંચા ડુંગરોની વચમાં પાવર પ્લાન્ટ નાખી સકાય એવું એવને જણાવ્યું. પણ એકુ મુશ્કેલી હુતી: અહીં પાની તો પુષ્કળ હુતું, પન એવો ધોધ હૂતો નહિ જેનાથી ટર્બાઈન ચલાવી સકાય. આય સમજીને જમશેદજી કહે: ‘આપરે અહી એક મોત્તું પોંડ કહેતાં તલાવ બાંધી પાની ભેગું કરીએ અને પછી મોટ્ટા મોટ્ટા પાઈપ વરે તેને નીચે છોરીએ તો તેનાથી ટર્બાઈન ચાલે કે નહિ? ગોસ્લીંગ કેહે કે ચાલવા તો જોઈએ, પન આજ વેર કોઈએ કેથ્થે બી આવું કામ કીધું નથી છે. જમશેદજીનો જવાબ: તો તો આપરે કરીએ જ જ.

જમશેદજીએ પહેલાં થોરા દોસ્તારોને વાત કરી. પછી બ્રિટિશ અને પોર્ટુગીઝ સરકારો સાથે વાટાઘાટ કરી. પણ બધ્ધેથી એક જ જવાબ: ‘આજ સુધીમાં કોઈએ આવું કીધું નથી એટલે …’ જમશેદજી પહોંચ્યા સીધા સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ હેમિલ્ટન પાસે. એવનની વાત સમજિયા પછી સેક્રેટરી ઓફ સ્ટેટે બોમ્બેના ગવર્નર લોર્ડ નોર્થકોટને પૂછિયું. ગવર્નરે કહ્યું કે જમશેદજીએ ધારિયું હોસે તો કોઈ બી કામ પાર પડશે. એટલે સેક્રેટરી ઓફ સ્ટેટે બી લીલી ઝંડી બતલાવી. પણ એ પછી થોરા જ દહાડામાં ખોદાયજીએ બી જમશેદજીને લીલી ઝંડી બતાવી એટલે એવન વીજલી વેગે ખોદાયજી પાસે પૂગી ગિયા.

મુંબઈના ગવર્નર સિડનહામ

જમશેદજી બેહસ્તનશીન થયા પછી થોરા દહારે બોમ્બેના ગવર્નર બનિયા લોર્ડ સિડનહામ. ગવર્નર બનિયા આગમચ તે ધંધે ઇજનેર હૂતો. એટલે જમશેદજીની દરખાસ્તમાં કેટલું બધું પાની છે તે તરત પામી ગયો. દોરાબજીને બી ચાનક ચરી તે વલવણ અને ખંડાલા ઉપરાંત બીજાં બે તલાવ બી બાંધવાનું નક્કી કીધું. પન આટલું મોટું કામ કંઈ એકલે હાથે થાય નહિ. એટલે બીજા દેશોમાંથી પૈસા ઊછીના લીધા.

૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે મુંબઈના તારદેવ વિસ્તારમાં પહેલવહેલી કોટન મિલ શુરૂ કીધી: ધ બોમ્બે સ્પિનીંગ એન્ડ વીવિંગ કંપની. ૧૮૮૬ સુધીમાં તો મુંબઈમાં પચાસ જેટલી કોટન મિલ્સ ધમધમતી થઈ ગઈ હુતી. પન એ બધી જ ચાલતી કોલસાથી. એ રીત એક તો પરે મોંઘી, અને ચારે બાજુ પોલ્યુશન ફેલાવે. દોરાબજીએ બધી મિલોના માલિકો સાથે વાત કીધી. કોલસાને બદલે વીજલી વાપરવાથી કેટલા અને કેવા કેવા ફાયદા થસે એ બતાવિયું. પન એવનની આ વાત ફક્ત બે જ શેઠના કાનમાંથી દિમાગ સુધી પહોચી – સર ડેવિડ સાસૂન અને સર શાપૂરજી ભરૂચા. બંનેએ કીધું કે અમારી મુંબઈની મિલો માટે બધ્ધી ઈલેક્ટ્રિસીટી અમે તમારી વેરથી લઈશું. એ જ અરસામાં લોર્ડ સિડનહામ શોલાપુર ગિયા હુતા. તેથ્થે એક મિટિંગમાં એવન બોલિયા કે તાતાની આય દરખાસ્ત દેશને માટે ઘન્ની જ ઉપયોગી છે એટલે દેસી લોકોએ બી એમાં પૈસા રોકવા જોઈએ. અને આપરે ગયે અઠવાડિયે જોયેલું એમ મુંબઈમાં લોકોએ વહેલી સવારથી લાઈન લગાડી, ને તાતા પાવર કંપનીના શેર ગરમાગરમ ભજિયાંની જેમ વેચાઈ ગિયા.

તાતા પાવર કંપનીનો પહેલો પ્લાન્ટ

૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખ. મુંબઈના ગવર્નર નામદાર સર જ્યોર્જ સીડનહામ અને લેડી સીડનહામ લોનાવાલા પૂગિયા. મુંબઈના મોટ્ટા મોટ્ટા અમલદારો, વેપારીઓ, કારખાનાવાલાઓ, કઈ કેટલાયે લોક તે વારે ત્યાં હાજર હુતા. એ બધ્ધાને મુંબઈથી લોનાવાલા પુગડવા માટે બોરી બંદર સ્ટેશનેથી લોનાવાલા સુધી જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેએ બે ખાસ ટ્રેન દોરાવી આવી હુતી. પહેલી ટ્રેન સવારે સાડા નવ વાગે અને બીજી સવા દસ વાગે બોરી બંદરથી રવાના થઈ હુતી. બીજી ટ્રેનમાં નામદાર ગવર્નર અને લેડીસાહેબા હુતાં. બંને ટ્રેનમાં ખાસ રેસ્તોરાં કાર જોડવામાં આવી હુતી અને તેમાંથી મહેમાનોને ચાય-કોફી-નાસ્તો પીરસાતાં હુતાં. અઢી કલાકની ટ્રાવેલ કરિયા પછી મહેમાનો લોનાવાલા પૂગીયા. જ્યાં ઉદ્ઘાટન થવાનું હુતું તે ડેમની જગોએ તેમને લઈ જવા માટે લોનાવાલા સ્ટેશને મોટરોની હાર ખડી હુતી. મહેમાનો લોનાવાલા પુગીયા પછી બપોરનું ભોનું તાજ મહેલ હોટેલે બનાવીને પીરસીયું હુતું. અને એ વેલાએ એ જ હોટેલનું બેન્ડ સંગીતના સુમધુર સૂરો રેલાવી રહ્યું હુતું.

લોનાવલામાં ઉદ્ઘાટન સમારંભ

ઉદ્ઘાટન કાર્યક્રમ માટે મોટ્ટો સુશોભિત શામિયાનો ઊભો કીધો હૂતો. લન્ચ પછી સમારંભ સુરુ થિયો. નામદાર અને લેડી ગવર્નરની સાથે મૈસોરના નામદાર મહારાજા અને લીમડીના નામદાર ઠાકોરસાહેબ બિરાજ્યા હુતા. ભાવનગરના નામદાર મહારાજાએ પોતાના દીવાન સર પ્રભાશંકર પટ્ટનીને મોકલિયા હુતા. બરોડાના મહારાજા નામદાર ગાયકવાડ બી આવવાના હુતા, પન છેલી ઘડીએ કૈક અડચણ આવિયાથી પધારી શક્યા નહિ અને તે માટે દલગીરીનો તાર મોકલીયો હૂતો. સૌથી પેલ્લાં દોરાબજીએ ભાસન કીધું હુતું. માઈક્રોફોન કે લાઉડ સ્પીકર તો હુતાં નહિ, છત્તાં એવનનો અવાજ છેક છેલ્લી રો સુધી સંભલાયો હૂતો.

એ વેળાએ સર દોરાબજી તાતા અને બીજા માનવંતા મહેમાનો જે-જે બોલિયા હુતા તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 નવેમ્બર 2024)

Loading

नफरती भाषणों, अल्पसंख्यकों के दानवीकरण का तेजी से बढ़ता ग्राफ

राम पुनियानी|Opinion - Opinion|1 December 2024

राम पुनियानी

आरएसएस-भाजपा और उनसे जुड़े संगठन हर मौके का उपयोग अल्पसंख्यकों के दानवीकरण के लिए करते आए हैं. यद्यपि नफरत फैलाने वाले भाषण देना अपराध है, और उसके लिए सजा का प्रावधान भी है मगर अधिकांश मामलों में दोषियों के खिलाफ कोई कार्यवाही नहीं होती. पिछले एक दशक से एक सांप्रदायिक पार्टी के सत्ता में होने के कारण नफरत-भरी बातें खूब कही जा रही हैं. इससे धार्मिक अल्पसंख्यकों के बारे में आम लोगों में नकारात्मकता का भाव जड़ पकड़ रहा है. व्हाट्सएप समूहों में जिस तरह की बातें होती हैं और आम मानसिकता जैसा बनती जा रही है, उससे ऐसा लगता है कि अल्पसंख्यकों से नफरत करना एकदम सामान्य बात है. इसकी जड़ में है नफरत फैलाने वाला तंत्र, जिसके चलते नकारात्मक सामाजिक धारणाएं विकसित होती हैं और बंधुत्व व सामाजिक सद्भाव की अवधारणाओं – जो भारतीय संविधान के तीन मूलभूत आधारों में से एक हैं – को धक्का पहुँचता है.

कई नए मसले उठाए जा रहे हैं. बल्कि अब बात सिर्फ मसले उठाने तक सीमित नहीं रह गई है. अब तो सीधे कार्यवाही का आव्हान किया जा रहा है. जो बातें कही जा रही हैं वे गलत धारणाओं पर आधारित हैं और सामाजिक विभाजन को और गहरा करती हैं. “हम दो, वो पांच, उनके पच्चीस” और “राहत शिविर बच्चे पैदा करने की फैक्ट्रियां हैं” जैसे नारों और वक्तव्यों में इस तरह की धारणाएं जोड़ दी गईं हैं जैसे मुग़ल बादशाह बाहरी थे, उन्होंने हिन्दुओं के साथ अन्याय किया था, मंदिर तोड़े  थे और तलवार की दम पर इस्लाम फैलाया था. अब यह भी कहा जा रहा है कि मुसलमानों को उनके कपड़ों से पहचाना जा सकता है, कि वे हमारी गौमाता के हत्यारे हैं और यह कि वे लव जिहाद के ज़रिये हमारी लड़कियों और महिलाओं को अपने जाल में फंसा रहे हैं. अब तो जिहाद की पूरी सीरीज बन गई है जिसमें लैंड जिहाद और वोट जिहाद शामिल हैं.

सन 2024 के लोकसभा चुनाव के लिए प्रचार के दौरान मोदी ने नफरत फैलाने वाले भाषण देने में कोई कसर बाकी नहीं छोड़ी. ह्यूमन राइट्स वाच के अनुसार, चुनाव के दौरान मोदी ने नफरत फैलाने वाले 110 भाषण दिए. रिपोर्ट कहती है, “मोदी ने अपने भाषणों में इस्लामोफोबिक (इस्लाम के प्रति डर पैदा करने वाली) बातें कहीं. इसका एक उद्देश्य अपने राजनैतिक विपक्ष पर हमला बोलना था, जिसके बारे में मोदी ने कहा कि वह मुसलमानों के अधिकारों को बढ़ावा देता है. और दूसरा उद्देश्य दुष्प्रचार के द्वारा बहुसंख्यक हिन्दू समुदाय में मुसलमानों के प्रति डर का भाव पैदा करना था.

मोदी के भाषणों का एक और नमूना भी उतना ही डरावना है. मुसलमानों को आरक्षण देने के प्रस्ताव को कांग्रेस द्वारा मुसलमानों का तुष्टीकरण बताते हुआ मोदी ने कहा: “यह भारत के इस्लामीकरण और उसके टुकड़े-टुकड़े करने के घृणित प्रयासों का हिस्सा है. जब यूपीए सरकार सत्ता में आई, तब भी उसने ऐसे ही प्रयास किये थे. चाहे जस्टिस वर्मा समिति की रिपोर्ट हो या सच्चर समिति की. ये सब पिछड़ा वर्गों, अनुसूचित जातियों और अनुसूचित जनजातियों के आरक्षण को लूटने के कांग्रेस के प्रयास थे.”

हाल में झारखण्ड और महाराष्ट्र में हुए विधानसभा चुनावों में नफरत फैलाने वाले भाषणों ने सभी सीमाएं पार कर लीं. भाजपा के हेमंत बिस्वा सरमा के प्रचार का प्रमुख मुद्दा था राज्य में कथित तौर पर मुस्लिम घुसपैठियों का प्रवेश. भाजपा द्वारा जारी एक निहायत ही घिनौने विज्ञापन में दिखाया गया था कि एक बड़ा मुस्लिम परिवार, एक हिन्दू घर पर हल्ला बोल पर उस पर कब्ज़ा जमा रहा है. हम सब जानते हैं कि झारखण्ड की कोई अंतर्राष्ट्रीय सीमा नहीं है. फिर आखिर वे मुसलमान कौन हैं जो हिन्दू घर पर कब्ज़ा कर रहे हैं? अलबत्ता एक नयी चीज़ जो इस बार हुई वह यह थी कि चुनाव आयोग ने उस विज्ञापन को हटाने का आदेश जारी किया. मगर यह वीडियो उसके स्त्रोत (जहाँ से उसे हटा दिया गया) के अतिरिक्त अन्य स्थानों पर तो हो ही सकता है. एक अन्य भड़काऊ प्रचार यह था कि मुसलमान, आदिवासी लड़कियों से शादी कर आदिवासियों की ज़मीनों पर काबिज हो रहे हैं. इस आरोप को साबित करने के लिए कोई आंकड़े उपलब्ध नहीं थे. मगर इससे क्या? लोगों को बांटने का उद्देश्य तो पूरा हो रहा था. नारा यह दिया गया कि मुस्लिम घुसपैठिये, आदिवासियों से उनकी रोटी, बेटी और माटी छीन रहे हैं. और यह वक्तव्य हमारे प्रधानमंत्री का था!

इन चुनावों का मुख्य नारा योगी आदित्यनाथ की भाजपा को भेंट थी.  नारा था “बटेंगे तो कटेंगे”. सन्देश यह था कि हिन्दुओं को एक रहना चाहिए. उनकी बात का समर्थन करने हुए भाजपा के पितृ संगठन आरएसएस के दत्तात्रेय होसबले ने कहा, “महत्वपूर्ण बात यह है कि अगर हिन्दू एक रहेंगे तो यह सबके लिए अच्छा होगा. हिन्दू एकता स्थापित करने की संघ ने शपथ ली है.”

आदित्यनाथ के ‘बटेंगे तो कटेंगे’ के नारे को थोडा संशोधित करते हुए प्रधानमंत्री मोदी ने “एक हैं तो सेफ हैं” का नारा दिया. उनके कहने का मतलब यह था कि हिन्दुओं को अगर अल्पसंख्यकों, जो उनके लिए खतरा हैं, से सुरक्षित रहना है तो उन्हें एक होना होगा.

महाराष्ट्र के मुख्यमंत्री ने लैंड जिहाद और वोट जिहाद की बात की, और अन्य नारों के अलावा, यह भी कहा कि भारत जोड़ो यात्रा में अर्बन नक्सल और अति-वामपंथी लोग शामिल हुए थे.

इस सबके नतीजे में हुए सांप्रदायिक ध्रुवीकरण का मतदान पर जो असर हुआ वह साफ़ दिख रहा है. सामाजिक सोच में बदलाव भी सब देख सकते हैं. व्हाट्सएप समूहों और हिन्दू घरों के ड्राइंगरूमों में इन दिनों होने वाली चर्चा भी इसकी गवाह है.

क्रिस्टोफ़ जैफ़रलॉट एक मेधावी अध्येता हैं, जिन्होंने हिन्दू राष्ट्रवाद के उत्थान का गंभीर और बारीक अध्ययन किया है. उन्होंने मार्च-अप्रैल 2024 में सीएसडीएस द्वारा किए गए अध्ययन को उदृत किया है. इस अध्ययन में हिन्दुओं से मुसलमानों के बारे में उनकी राय पूछी गई थी. अध्ययन से सामने आया कि अधिकांश हिन्दू मानते हैं कि मुसलमान उतने विश्वसनीय नहीं होते जितने कि अन्य लोग होते हैं, उनका तुष्टिकरण हो रहा है, आदि, आदि. इस अध्ययन से पता चलता है कि हमारा समाज, मुसलमानों के बारे में नकारात्मक सोच रखता है. अध्येता शायद हमें यह भी बता सकें कि पिछले कुछ दशकों में यह नकारात्मकता और गहरी, और गंभीर क्यों हुई है.

मजे की बात यह है कि मोदी का दावा है कि वे सांप्रदायिक भाषण नहीं देते. चुनाव प्रचार में उनकी मुस्लिम-विरोधी टिप्पणियों के बारे में पूछे जाने पर मोदी ने पत्रकारों से कहा, “जिस दिन मैं (राजनीति में) हिन्दू-मुस्लिम की बातें करने लगूंगा, उस दिन मैं सार्वजनिक जीवन के लिए अयोग्य हो जाऊँगा. मैं हिन्दू-मुस्लिम कभी नहीं करूंगा. यह मेरा संकल्प है.” कथनी और करनी में कितना अंतर हो सकता है!

हिन्दुओं में व्याप्त गलत धारणाओं के कारण ही देश की फिजा में जहर घुल रहा है. इससे मुसलमान अपने मोहल्लों में सिमट रहे हैं और “दूसरे दर्जे के नागरिक” बनने के करीब पहुँच रहे हैं.

इस विभाजन से कैसे निपटा जाए? हमें एक वैकल्पिक नैरेटिव को लोगों के बीच ले जाना होगा. हमें लोगों को हमारे स्वाधीनता संग्राम के मूल्यों और हमारी साझा और बहुवादी संस्कृति के बारे में बताना होगा. हमें उन्हें बताना होगा कि सभी धर्मों के लोगों ने कंधे से कन्धा मिलाकर आज़ादी की लड़ाई लड़ी थी और उसी लड़ाई के मूल्य हमारे संविधान का हिस्सा हैं.

बुधवार, 27 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 केनेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ભારત સાથે આઝાદ થયેલા મોટા ભાગના દેશોએ લોકશાહી ગુમાવી દીધી છે, પણ ભારત બચ્યું છે એનું કારણ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 December 2024

રમેશ ઓઝા

૧૯૯૭માં ભારતની આઝાદીનો સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ સમયે ઇન્દર કુમાર ગુજરાલની કેન્દ્રમાં સરકાર હતી અને પૂર્ણો સંગમાં લોકસભાના સ્પીકર હતા. મારી દૃષ્ટિએ આજ સુધી લોકસભાને મળેલા સારા સ્પીકરોમાંના એક. ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકાર સંખ્યાની દૃષ્ટિએ નબળી સરકાર હતી, પરંતુ ગુજરાલ પોતે બહુશ્રુત વિદ્વાન હતા. એ સમયે પુર્ણો સંગમાંએ નિર્ણય લીધો હતો કે આઝાદીની સુવર્ણ જયંતી નિમિત્તે લોકસભા અને રાજ્યસભાની ખાસ બેઠક બોલાવવામાં આવે અને તેમાં ભારતીય રાષ્ટ્રની અવધારણા, આઝાદીનાં આંદોલનમાંથી નીપજેલાં આદર્શો અને મૂલ્યો, ભારતનું બંધારણ તેમ જ બંધારણીય મૂલ્યો, લોકતાંત્રિક ભારતની પાંચ દાયકાની યાત્રા, યાત્રાનાં લેખાજોખાં, તેની સફળતા, નિષ્ફળતા તેમ જ પડકારો અને ભવિષ્યના ભારત વિષે નિખાલસ નિષ્પક્ષ તેમ જ વિગતે ચર્ચા કરવામાં આવે.

૨૬મી ઑગસ્ટ ૧૯૯૭થી લઈને પહેલી સપ્ટેમ્બર ૧૯૯૭ એમ પાંચ દિવસ માટે સંસદનું ખાસ અધિવેશન મળ્યું હતું. એમાં જે ચર્ચા થઈ હતી એ ચર્ચા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે અને દેશને પ્રેમ કરનારા દરેક જવાબદાર નાગરિકે તેને વાંચવાની તસદી લેવી જોઈએ. મેં તો પાંચે ય દિવસ ટી.વી. સામે બેસીને એ ચર્ચા સાંભળી હતી. એ ચર્ચા સાંભળીને હું ગદગદ થયો હતો. મને એવી પ્રતીતિ થઈ હતી કે આપણો દેશ ખરેખર મહાન છે. રાજકીય પક્ષો સત્તાનું ભૂંડું રાજકારણ કરે છે, પરંતુ અંદરથી એક લક્ષ્મણરેખાનું પાલન કરે છે. ભારત સાથે આઝાદ થયેલા મોટાભાગના દેશોએ લોકશાહી ગુમાવી દીધી છે, પણ ભારત બચ્યું છે એનું કારણ આ મર્યાદાનું પાલન છે. સપાટી નીચે એક રાષ્ટ્રીય એકમતિ અને સર્વસંમતિ નજરે પડી રહી છે.

એ સમયે ભારતીય જનતા પક્ષની લોકસભામાં ૧૬૧ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં ૨૦.૨૯ ટકા મત મળ્યા હતા. કાઁગ્રેસની ૧૪૦ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની ચૂંટણીમાં ૨૮.૮૦ ટકા મત મળ્યા હતા. ટૂંકમાં બી.જે.પી. સૌથી મોટો રાજકીય પક્ષ હતો. એ સમયે બી.જે.પી. માટે સંસદીય સંસ્કારો અને મૂલ્યોનું બીજારોપણ કરનારા અને તેનું સીંચન પોષણ કરનારા પહેલી પેઢીના શિર્સસ્થ નેતાઓ લોકસભામાં ઉપસ્થિત હતા. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર એમ ત્રણેય. તેમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતો ભારતીય લોકતંત્રનાં, ભારતનાં બંધારણનાં, એકબીજાને સમાવી લેતી સમાવેશકતા અને સહિષ્ણુતાના ઓવારણા લીધા હતા. મુરલી મનોહર જોશીએ ભારતીય જ્ઞાનપરંપરા કેટલી મહાન છે તેની વિસ્તારથી વાત કરી હતી. એમાં કોઈ શંકા નથી કે એ મનનીય પ્રવચન હતું. એ છ દિવસની ચર્ચામાં બી.જે.પી.ના કોઈ નેતાએ નહોતું કહ્યું કે ભારતનું બંધારણ બદલવું જોઈએ. એનું મૂળભૂત માળખું કોઈ પવિત્ર ગાય નથી કે હાથ ન લગાડી શકાય. ભારતીય રાષ્ટ્ર વિશેની જે પ્રચલિત અવધારણા છે એ અમને સ્વીકાર્ય નથી અને તે બદલવી જોઈએ અને બંધારણમાં તેને વાચા મળવી જોઈએ. તેમણે એમ પણ નહોતું કહ્યું કે બંધારણના આમુખમાં જે સેક્યુલર શબ્દ છે તેને હટાવવો જોઈએ. તેમનાં પંડનો જાણે કે જવાહરલાલ નેહરુએ કબજો લીધો હોય અને નેહરુ જે રીતે બોલે કે બોલાવડાવે એ રીતે તેઓ બોલતા હતા. હમણાં કહ્યું એમ ઈન્ટરનેટ પર તમે આ વાતની ખાતરી કરી શકો છો.

પણ ૧૯૭૦થી હું જોતો આવ્યો છું કે મભમ ભાષામાં તેઓ જે ૧૯૯૬માં સંસદમાં બોલ્યા હતા એ વિષે શંકા ઉઠાવતા હતા. હળવેથી બોલે, ગોળગોળ બોલે, ઇશારામાં બોલે અને રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પઞજન્ય’માં સમયે સમયે અસંમતિનાં ફુગ્ગા છોડે. ૧૯૭૦ પહેલાંનો ઇતિહાસ ખંખોળશો તો હજુ વધુ પ્રમાણ મળશે. ત્યારે તેઓ થોડા વધુ પ્રમાણિક હતા અને વધારે મુખર હતા.

શ્યામા પ્રસાદ મુખર્જી

આવું તેઓ શા માટે કરતા હશે? ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ભારતીય જનસંઘની સ્થાપના તો હજુ થઈ નહોતી, પરંતુ ‘હિંદુ મહાસભા’ નામનો હિન્દુત્વવાદી પક્ષ અસ્તિત્વમાં હતો. તેઓ બંધારણસભામાં પ્રવેશ માટે ચૂંટણી લડી શક્યા હોત અથવા રિયાસતોના માર્ગે પ્રવેશી શક્યા હોત. ગ્વાલિયર જેવી ઘણી અનુકૂળ રિયાસતો ઉપલબ્ધ હતી. બંધારણસભાએ જાહેરજનતા પાસેથી બંધારણનાં સ્વરૂપ વિષે અને તેમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે સૂચનો માગ્યાં હતાં અને ઘણા લોકોએ આપ્યાં પણ હતા તો એમાં તેમણે પોતાનાં સૂચનો આપવાં જોઇતા હતાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કે બીજા કોઈએ કોઈ સૂચન આપ્યું હોય એવો ઇતિહાસ નથી. હિંદુ મહાસભાના એક માત્ર નેતા ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા, પરંતુ તે કાઁગ્રેસની બેઠકમાંથી કાઁગ્રેસના સભ્ય તરીકે. જ્યારે બંધારણ ઘડાતું હતું એ અરસામાં (૧૯૪૫-૧૯૪૭) ડૉ મુખર્જી હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ હતા. તેઓ બંધારણ ઘડનારી એક સમિતિનાં અને એક પેટા-સમિતિના સભ્ય હતા. બન્ને સમિતિ મહત્ત્વની હતી. એક  સમિતિ મૂળભૂત માનવ અધિકારો અને લઘુમતી કોમના અધિકારો માટેની સલાહકાર સમિતિ હતી અને બીજી પેટા-સમિતિ લઘુમતી કોમના અધિકારો માટેની હતી. તમે બી. શીવા રાવ દ્વારા લિખિત ‘ધ ફ્રેમીંગ ઓફ ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન’ના છ ભાગ તપાસી જાઓ કોઈ જગ્યાએ ડૉ એસ.પી. મુખર્જીએ ભિન્ન સૂર કાઢો હોય કે લઘુમતી કોમને મળવા જોઈતા અધિકારોનો વિરોધ કર્યો હોય એવું જોવા નહીં મળે. કાં તો તેઓ સંમત હોવા જોઈએ અને કાં …. તમે કલ્પના કરી શકો છો. તેઓ એટલા ઋજુહ્રદયી હતા કે તેમના પર ઢોંગી હોવાનો આરોપ કરતાં પણ સંકોચ થાય છે. તેમણે પાછળથી ભારતીય જનસંઘ(અત્યારનો ભારતીય જનતા પક્ષ)ની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ હતા.

શા માટે? પ્રગટપણે પોતાની અસંમતિ દર્શાવવા માટે, પોતાનો ભિન્ન દૃષ્ટિકોણ રજૂ કરવા માટે અનેક અવસરો મળ્યા છે અને અનેક અવસરો સામેથી આપવામાં આવ્યા છે. પણ તેમણે ક્યારે ય કોઈ અવસરનો પોતાના મનની વાત સ્પષ્ટપણે કહેવા માટે ઉપયોગ કર્યો નથી. ઊલટું જયજયકાર કરવામાં સાથે જોડાય અને એટલો બુલંદ અવાજમાં જયજયકાર કરે કે ઉદારમતવાદીઓ પણ હબક ખાઈ જાય.

૨૬મી નવેમ્બરે નવા સંસદભવનમાં આવો એક જલસો યોજવામાં આવ્યો હતો અને એને નિમિત્તે થોડી વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024

Loading

...102030...428429430431...440450460...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved