આજની તારીખે
‘ચાલો,
જીવનમાંથી એક વર્ષ
ઓછું થયું !’
એવી વાત કરવી
એ
તદ્દન બોગસ વાત છે.
જિંદગી એ કંઈ
બજાર ને વેપારની
જમા-ઉધારની
રૂપિયાબાજી છે ?
જ્યાં જમા જ નથી
ત્યાં ઉધાર ની કેવી તે
વાત ?
એનો એવો પણ
અર્થ નથી જ
કે
ભૂતકાળને જનાવરની
જેમ વાગોળ્યા કરવો.
“અમે નાનાં હતાં ત્યારે આમ હતું ને તેમ ન હતું ..
અમારાં જમાનામાં તો એવું હતું ને તેવું ન હતું ..
અમે જ્યારે જવાન હતા ત્યારે તો …”
આવો ભૂતકાળનો બકવાસ
એટલે પતી ગયાની, ખુદ ખતમ થઈ ગયાની વાત,
જાણે
પોતાની જ શોકસભામાં
માઈક ખેંચી
પોતે જ લાંબું ભાષણ
ઠોકવા જેવી વાત !
ખરેખર તો
બારી ખોલીને,
બહાર જોઈને,
પોતાની જાતને
એકાદ સવાલ પૂછવો ના જોઈએ કે
ગયા વર્ષે તેં શું કર્યું ?
પોતે જ પોતાની જાતને,
ખુદને સવાલ પૂછવો
એ મને મુશ્કેલ, અઘરી વાત લાગે છે
પણ
જન્મદિનની કેક
કાપવાથી ય
વિશેષ
આનંદ
ખુદને સવાલ પૂછવાથી
કદાચ મળી શકે,
એવું ખરું કે નહીં ?
(08 ડિસેમ્બર 2018)
સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



અઢી હજાર વર્ષ પહેલા સોક્રેટિસ પર મુકાયેલા આરોપમાં પણ મુખ્ય મુદ્દો વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ હતો. ઇસુ પૂર્વે પંચમી છઠ્ઠી સદી પહેલાનું એથેન્સ એટલે વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પુરસ્કારનારો વિશ્વનો પહેલો સમાજ. એટલાં વર્ષો પહેલા ત્યાં લોકશાહીના પ્રયોગો થયા હતા. તેઓ માનતા કે કોઈપણ સમાજ ગમે તેટલા ઉમદા હેતુઓ માટે કામ કરતો હોય, પણ જ્યાં સુધી તેના સભ્યોને પોતાના વિચાર વ્યક્ત કરવાની છૂટ નથી આપતો ત્યાં સુધી અધૂરો છે. તો પછી આ જ સમાજે સોક્રેટિસને તેના વિચારો વ્યક્ત કરવા માટે ઝેર કેમ આપ્યું? થોડી વાત કરીએ આઈ.એફ. સ્ટોનના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ સોક્રેટિસ’ની.


