Opinion Magazine
Number of visits: 9697416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો દોસ્ત કિશોર રાવળ

ડૉ. રજની શાહ (આર.પી.)|Opinion - Literature|24 June 2013

સાલુ જિંદગી આખી કરિયાણાની દુકાનના ગંજી પહેરેલા વાણિયાના માલખા જેવી છે. માલખાના તારમાં કોચી કોચીને પત્તીઓ ભરી છે. એમાં ઠાંસીને ભર્યું છે બધું લેણદેણ, દ્વેષ, સોદાબાજી, ઠાકોરજીની ઊછરામણી, ગ્રાંડ ચીલ્ડૄનોના પૉસિબલ નામોની યાદી. આજે એ પત્તીઓ ફિરાવી ફેરવી વાંચવા જઇએ તો અક્ષરો ઉકલતા નથી, શાહી ફૂટી ગઈ છે, તેથી હશે કે પછી મારો મોતિયો ઉતરતો હશે. હૂ નોઝ.

પણ એક જમા / પુરાંતની પત્તીમાં આ નામ છે : કિશોર રાવળ. કોને ખબર કયી સાલ, કોના થ્રુ, અમે મળ્યાં હોઇશું.

કિશોર રાવળપણ એ માણસે એક ઈ-મેગેઝીન “કેસૂડાં” કાઢેલું. વન મેન શૉ ! એમાં ચિત્રો આવે, ક્વીક રસોઈની રેસીપી આવે અને ગુજરાતી  ટાઇપ કેમ કરવું એવું બધું આવે. મને તો મજા આવી ગઈ. પછી તો ફોન કોલ્સ થવા માંડ્યા. ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રોગ્રામોમાં કિશોર અને એની પત્ની કોકિલાને મળવાના વાયદા કરવા લાગ્યો. જો કે પ્રોગ્રામના સ્થળે મળીએ પછી ભાગ્યે જ વાતો થાય કારણ એમ કરવા જઇએ તો હું બટાકાવડા ને ચા ગુમાવી બેસું એવો ડર લાગે. એટલે મનમાં કોન્સોલેશન લઈ લઈએ કે હાય-હલો પછી લાંબી વાતો તો ટેલિફોન પર ક્યાં નથી થતી ?

એટલે ટેલિફોન પર વાતો થવા માંડી. વાતોના વિષય શું ? એન્ની સબજેક્ટ. આપણા પગના અંગૂઠાથી તે ભગવાનની ચોટલી સુધી. ઇંગ્લિશ કવિઓ, જર્મન ચિત્રકારો, પેરિસની કેથેરીન ડેનાહ્યુ કે હોમોસેક્સ્યુલ ઝ્યાં કોકટો, કે કેબરે ડાન્સરો, હેન્રી જેમ્સો, કૌભાંડી ઉમરાવો ને કામુક રાણીઓ, વિશ્વયુધ્ધો, હીટલર, સત્યજીત રે, ફૂલકાં બાંયવાળી હાઈ સોસાયટીની માયાવી લલનાઓ, કે નાઇન ઈલેવનના તાલીબાનો, એ બધા મેઘધનૂષી રંગોથી અમારી પિચકારીઓ ભરાતી.

એમાં એક બીજો મિત્ર ભળ્યો હિરેન માલાણી. અહા ! જલસો થઈ ગયો. પણ માલાણી અકાળે અવસાન પામ્યો. જલસા ઊંધા પડી ગયા. જો કે એના ગયા પછી કિશોર સાથેના મારા ફોન કોલ્સ વધી ગયા. એની તેજસ્વી પર્સનાલિટીનું મિસ્ટ મને હવે લાગવા માંડ્યું. હું ભીંજાયો. એના વૉઇસમેઇલના જવાબ આપવા હું અધીરો થવા માંડ્યો. “ગુર્જરી”માં એની છપાતી વાર્તાનું ચીપ્પાચીપ્પણ કરવા માંડ્યું. એટલે એ મને વિવેચક માનવા માંડ્યો એટલે ફૂલાઇ જઇને મેં એને કહ્યું,

‘કિશોર ! હું તો સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગ્યો !’

મારી એ મશ્કરીમાં એને કોઈ ગેબી સાઉન્ડ સંભળાયો હશે, તેથી એણે મને એક દિવસે એકદમ ફોન કર્યો,

‘આરપી ! મારા વાર્તા સંગ્રહ ‘અમે ભાનવગરના’ની પ્રસ્તાવના તમારે લખવાની છે.’

એમાં મારે તો હા જ કહેવાનું હતું. નો વિકલ્પ. પણ એમાં ચક્રમવિદ્યા એ હતી કે હજુ મારું પોતાનું તો એકેય પુસ્તક છપાયું નહતું ને હું સીધ્ધોસટ્ટ પ્રસ્તાવના લખવા બેસી જાઉં ? પણ પછી એક ફેસ સેવીંગ પ્રસંગ બન્યો ને એમાંથી હું એક્ઝીટ લઈ શક્યો. હાશ ! એ આડંબરમાંથી હું બચ્યો. જો કે એ બહુ ગીલ્ટી થઈ ગયેલો. અસ્તુ.                                                        

*

કિશોરની ભાષા ચિતારાની હતી. કાં ના હોય ? આખરે એ હતો કોણ ? રવિશંકર રાવળનો ભત્રીજો ! રગોમાં એ જ લોહી ! એ  ભાષાના ઉદાહરણ માટે  ‘દાદાની દાદાગીરી’ વાર્તાનો એક અંશ બતાવું.

આશરે સંવત ૧૯૨૦-૩૦ના દેશી રજવાડાની વાત છે. ભાવનગરમાં દિલ્હીથી વાઇસરોય આવે છે તે પ્રસંગ આલેખ્યો છે. કિશોર એક ભોમિયાની અદાથી આપણને એના ગામની ટૂર આપે છે. શેરીની હલચલ, મર્મર, ઘોંઘાટ, અમળાટ એ સઘળું જાણે આપણે યુ-ટ્યૂબમાં જોતા હોઇએ એવું લાગે. મોતીબાગમાં ડીસ્ટેંપરનો રંગ, દેરીની બગલની લીલ જે નાળિયેરના કાચલાથી ઘસાતી હોય. પૉસ્ટ અૉફિસ પર પીળી માટીના કૂચડા મરાય અને બેન્કને ગળિયેલ ચૂનાથી ધોળાય. ગામમાં જયાં ને ત્યાં રાજા અને વાઇસરોયના પોસ્ટરો ચોંટાડાય. આપણે જાણે કોઈ મ્યુિઝયમમાં ડચ પેઇન્ટીંગ જોતા હોઇએ એવું ભાસે.

આટલું ઓછું હોય તો એના ઉપર તમને નવટાંક હાસ્ય પણ બોનસમાં આપે. એ લખે છે :

‘સ્મશાનની દીવાલો પર પાપીઓ પણ ચિતા ઉપરથી ઊઠી પશ્ચાત્તાપ કરવા લાગે તેવાં યમરાજાના અને નરકની વાસ્તવિકતાના ભયંકર ચિત્રો વચ્ચે કોઇએ વાઇસરોયની છબી લગાડેલી!’ એકવાર તો મને પણ એ ચિત્રો જોવાનું મન થઈ ગયું, મારાં પાપ માટે રડી લઉં. હે રામ ! મને કોઈ એ દાન્તેનું નરક ચિતરીને બતાવો !

બ્રાવો ! બ્રાવો! આને આપણે શું કહીશું ? કટાક્ષ ? કે પ્રજાનું શુધ્ધ ભોળપણ? અહીં કિશોરે આપણને એક મસમોટું મોન્ટાજ દોરી આપ્યું જાણે આ મારો દોસ્ત ન્યુયૉર્કના ગ્રીનિચ વિલેજનો પીટર મેક્સ કે અૅન્ડી વૉરહોલના અવતાર તરીકે મને મળ્યો.

અડધી સદીની વાતો એણે જે રીતે રીકૉલ કરી છે તેને તો નેશનલ આર્કાઇવ્ઝમાં મુકવી જોઇએ. દા.ત. આ વર્ણન જૂઓ :  પિત્તળિયા પાવા, બ્યૂગલો અને ભૂંગળોને બ્રાસો લગાડી ચકમકતા કરવામાં આવ્યાં … કિટસન લાઇટોમાંના ઝળી ગયેલા રેશમી મેન્ટલો બદલાયાં.’

નવા જનરેશનને ક્યારેક પ્રશ્ન થશે, વોટ ઇઝ ધીસ કીટસન લાઇટ ને આ લાઇટો પાછી મેન્ટલ ?

બિચારા એ લોકો વીકીપીડિયા ઉઘાડશે ત્યારે સમજશે કે એ કિટસન મેન્ટલો શું હતાં. ઓત્તારીની, આ તો બત્તીની અંદર પેલી ઝળહળ ઝગારા મારે તેવી રેશમી જાળીની બચુકડી કોથળી !

એને વાર્તાકાર તરીકે મૂલવું. એ જ વાર્તામાં દાદાનો હજામ જશલો ગુજરી જાય છે. તેથી એની વહુ લખુ ‘પોસ પોસ આંસુએ રડી’ કારણ એને હસ્બંડની જોબ જોઇએ છે. એક તો કારમી ગરીબાઈ અને ઉપરથી બે નાના બાળકો. કાકલૂદી કરતી એ બાઈ પર દયા ખાતર દાદા એને પોતાની હજામત કરવાની નોકરી આપે છે. એક બાઈ માણસ પુરુષની દાઢી કરે? અનહોની કી હોની કરવાની વાત હતી. આ પ્રસંગની તો શૉર્ટ ફિલ્મ બને અને એને હું અૉસ્કાર માટે પણ મુકું એવો શેખચલ્લી વિચારે ય મને આવેલો. આ સ્ક્રીપ્ટનું વિઝ્યુઅલ જૂઓ :

‘સવારમાં આદેશ પ્રમાણે લખુ વહેલી આવી ગઈ. લાજ કાઢી. સામે સાડલો સંકોરી ઉભડક બેઠી.

દાદાની આંખો ન દેખાય એટલે છેડો ઊંચો કરી, જેમ એકલવ્યે ખાલી પક્ષીની આંખ ઉપર મીટ માંડી હતી તેમ દાઢી ઉપર કેન્દ્રિત થઈ, પાણી લગાડ્યું અને સાબુનો કૂચડો લગાડી ફીણ ફીણ કરી અસ્ત્રો ઉપાડ્યો.’

પછી કિશોર એક આબાદ વિંઝણો નાંખે છે, અન્ય વાર્તાકારોને એની ઈર્ષા આવે તેવો. એ લખે છે :

‘અસ્ત્રાની હારોહાર એની જીભ પણ ઉપડી. તે બાપુજી, આ વાઇસરોય તેની બાયડીને પણ હારે લાવે છે?’

આનું નામ સ્ટોરી ટેલીંગ. હજામ સાથે તો ટાઢા પ્હોરના તડાકા, ગોસિપ્સ અને ચૅટ્સજ હોય. એ આખું યુનિવર્સલ સત્ય એણે એક અસ્ત્રાના સ્ટ્રોકમાં બતાવી દીધું. લાજ કાઢેલી સ્ત્રીમાં પણ પેલા હજામના ધંધા સાથે ચીટકેલા વાતોના સાપોલિયા સળવળ્યા. અહાહા ! સુભાનલ્લા!

આવાં અટકચાળાં વાક્યોથી એ મારી અૉર નજીક આવ્યો. અમારી દોસ્તીમાં કહું તો હવે ક્રેઝી ગ્લૂ ચોંટી. એ વધારે ઊઘડ્યો. એટલે મેં પણ મારી ખોપરીના નસજાળાં ખોલી નાંખ્યાં. મેં એને વટલાવ્યો. પછી તો “ન્યુયૉર્ક ટાઇમ્સ”ના કોલમો લખનારા ડીક કેવટ કે ટૉમ ફ્રીડમેન કે એનો ફેવરીટ પી.જી.વુડહાઉસ કે ફોરેન ફિલ્મના બયાનો, સંવાદો કે એડલ્ટ ઓન્લી દ્રશ્યોના કલાકો સુધીના લાંબા ફોન કોલ્સ થયા. અમે બેઉ એકબીજાથી ‘ચાર્માઈ’ ગયા. (charm શબ્દને ગૉલીગૉલીને એનું ધર્માંતર કરી નાંખ્યું!) અહમ્ બ્રહ્માસ્મિ જેવી પવનચક્કી ફરવા માંડી.

*

એનાં મૃત્યુ પછી મને કોઈવાર એવો વિચાર આવે છે કે આ માણસ મોટી ઉંમરે મારી સાથે આટલી સહજતાથી ચિપકાયો કેવી રીતે ? સાંભરે રે ! અમે બન્ને રીટ્રોના એવા ઘરડા લેખકોની નકલ કરવા મંડ્યા, જેમ સિનેમાનો ચરિત્ર અભિનેતા નાના પલસીકર વાક્યો બોલે તેમ.

‘હશે ભઈલા આપણાં કોઈ પૂરવ જનમનાં ડીએનએના તાલમેલ. અન્ય તો શું હોઈ શકે?’ પછી એ પલસીકરના બોખા દાંતમાંથી વ્યંજનો ખરી પડે તેમ ખીખી કરીને એના ચાળા પાડીએ ‘આફટર ઓલ, વોટ ઈઝ લાઇફ’ 

પછી એકદમ ફોનકોલ કટ પણ કરવો પડે છે.

‘કિશોર !  કોઇ ડોરબેલ વગાડે છે. આ વિન્ડૉમાં દેખાય છે .. ફૅડેક્સવાળો છે. આઇ થીંક સાઇન કરવી પડશે. લેટ મી કોલ યુ બેક. બાય.’

હું સાઇન કરીને જલદી જલદી પેકેજ ચેક કરી લઉં છ,ું અને પાછો તરત,જ એને ફોન કરું છું.  તો એનો વૉઇસમેલ આવે છે.

યસ. એ ચાર પાંચ મિનિટોમાં એ અને કોકિલા બહાર નીકળી ગયાં. ગૉન.

ચિત્તમાં નાનો પલસીકર પાછો દેખાય છે. મારો એને જવાબ છે : લાઇફ ઈઝ ઊભી ખો. ફાયનલ. લૉક કિયા જાય.

અરેરે ! હજુ તો અમારે કેટકેટલા લેખકોના ડાયલોગોની નકલ કરવાની હતી. એ અમારાં અધૂરાં અભરખાંનું શું ?

અને આ મારું દુ:ખ રીયલ દુ:ખ છે એ પણ સમજાવું કોને ?

*

New York,   June 23, 2013

E-mail: rpshah37@hotmail.com      

Loading

ઘણાં વર્ષો પહેલાંની વાત

અલકા મજમુદાર|Opinion - Opinion|23 June 2013

… ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ સજ્જન પોતાના જુવાન દીકરા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ પિતા-પુત્ર તેમના વર્તનને કારણે અન્ય મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ટ્રેન સ્ટેશનેથી રવાના થવાની તૈયારીમાં જ હતી. યુવાન દીકરો બારીની પાસે બેઠો હતો અને બહુ ખુશ દેખાતો હતો. તેનો ઉલ્લાસ અને ઉત્સુકતા ચહેરા પર સ્પષ્ટ વર્તાતાં હતાં. બીજા મુસાફરો પોતપો…તાની સીટ ઉપર આરામથી બેઠા હતા. જેવી ટ્રેન ચાલી યુવાને હાથ બહાર કાઢ્યો અને હવાને હાથમાં મહેસૂસ કરવા લાગ્યો. એ ખુશ થઈ બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘પિતાજી, જુઓ કેટલી ઝડપથી બધાં ઝાડ પાછળની તરફ ભાગી રહ્યાં છે.’

પિતા પુત્રની ભાવનાઓને સમજી હસતાં હસતાં માથું હલાવી તેની વાતને સમર્થન આપી રહ્યા હતા. તેમની સામે બેઠેલું એક દંપતી પિતા-પુત્રની વાતચીત અને વર્તનને જોઈ રહ્યું હતું. તેમને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે, ૨૫ વર્ષનો યુવાન કેવું બાળક જેવું વર્તન કરી રહ્યો છે. અચાનક પેલો યુવાન ફરી બૂમો પાડવા લાગ્યો, ‘પિતાજી જુઓ, તળાવ, જાનવર અને વાદળો બધાં ટ્રેનથી દૂર ભાગી રહ્યાં છે.’ અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને પાણીનાં ટીપાં યુવકના હાથ ઉપર પડ્યાં. તેની ખુશીની કોઈ સીમા ન રહી. તે ફરીથી મોટેથી બોલવા લાગ્યો, ‘પિતાજી, જુઓ, વરસાદનાં ટીપાંએ મારા હાથનો સ્પર્શ કર્યો.’

હવે પેલા દંપતીથી સહન ન થયું. તેમણે વૃદ્ધને પૂછ્યું, તમારો યુવાન દીકરો સાવ નાના બાળક જેવું વર્તન કરે છે. તેને હોસ્પિટલમાં લઈ જઈને તેનો ઇલાજ કેમ નથી કરાવતા? વૃદ્ધે કહ્યું,‘ અમે હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મજાત અંધ હતો. આજે તેને નવી આંખો મળી છે.’ વૃદ્ધનો જવાબ સાંભળી દંપતીનું મસ્તક શરમથી ઝૂકી ગયું.

બોધ :

કોઈના વિશે બહુ જલદી અનુમાન લગાવવું ના જોઇએ. જાણ્યાં સમજ્યાં વગર કોઈ પ્રતિક્રિયા ના આપવી જોઇએ. કોઇપણ ટીકાટિપ્પણી કરતા પહેલાં આખી વાત સમજી લેવી જોઇએ.

https://www.facebook.com/alka.majmudar.5

Loading

”પડઘાતા હતાં ટહુકા જેનાં અહીં, આજ મોંઘેરા એ મહેમાન આવ્યા અમ આંગણે”

ધ્વનિ ભટ્ટ|Diaspora - Features|23 June 2013

દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013) નો અહેવાલ.

૫ મે ૨૦૧૩ એટલે આંતરરષ્ટ્રીય ગુજરાતી દિવસ. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા એની ઉજવણી ૫ મે ૨૦૧૩નાં રોજ ઇકનમ વિલેજ હૉલમાં રાખવામાં આવી. અતિથિ વિશેષ તરીકે અમેરિકાથી પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધી પધાર્યા હતાં. દીપ પ્રાગટ્યની વિધિથી કાર્યક્રમની શરૂઆત થઈ.

અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.

અનિલભાઈએ, બ-ખૂબીથી, ભોળાભાઈને વર્ણવ્યા. એમના ગુજરાતી સાહિત્યમાંના યોગદાનની ઝાંખી કરાવી. એમનાં અમુક લખાણો, નિબંધોને પણ ઉલ્લેખ્યાં. ભોળાભાઈના પ્રવાસ નિબંધની એ ખાસિયાત કે કર્તા એક જ કૃતિમાં, થોડાક જ શબ્દોમાં, વર્તમાનથી ઇતિહાસની સફર કરાવી દે તથા તેમના નિબંધોના વિષયો ચર્ચવાનું પણ ન ચુક્યા. ખરેખર, અનિલભાઈએ જે વિષયમાં મુઠ્ઠી ઊંચેરાની વાત હતી, એ વિષયને પણ મુઠ્ઠી ઊંચેરો કરી આપ્યો.

વાત જ્યાં ગુજરાતી સાહિત્યની થતી હોય, ત્યાં સુરેશ દલાલનો ઉલ્લેખ ન આવે, એ ભલા શક્ય છે ખરું ? આપણે સહુ સુરેશ દલાલને એક કવિ તરીકે જાણીએ, પણ ‘સુરેશ દલાલ – એક જલસાનો માણસ’ એમ તો પન્ના નાયક જ વર્ણવી શકે. પન્નાબહેન કહે છે કે એ અને સુરેશ દલાલ ગાઢ મિત્રો. સંબંધ આત્મિયતાનો એટલે એક-બીજાને ‘તું’ કહેવા સિવાયનાં બીજા કોઈ ભારેખમ વિષેષણો એ વાપરી શકતાં નહીં. સુરેશ દલાલ હાજર નથી એ હજુ ય પન્નાબહેન માની શકતાં નથી, સ્વીકારી શકતાં નથી, અને એટલે જ એમણે સુરેશ દલાલની બધી ય વાત વર્તમાનમાં જ કરી, જાણે એ હજી ય હયાત ન હોય ! એમની વાત કરતાં કરતાં પન્નાબહેન થોડાં ભાવુક થઈ ગયાં હતાં, એ એમનાં અવાજ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. પન્નાબહેને એમની અને સુરેશભાઈની મિત્રતાની ડાયરીનાં ઘણાં પાનાં ખોલ્યા હતાં. એ સ્વદેશ આવતાં, ત્યારે અને સુરેશભાઈ પરદેશ – અમેરિકા જતાં, ત્યારની પણ ઘણી વાતો કરી. પન્નાબહેનના શબ્દોમાં તેઓ ‘એક-બીજાનાં અવગણોને ઓળંગી જનારાં મિત્રો’ હતાં. સુરેશ દલાલ વિષે વધુ જણાવતાં તેઓ કહે છે કે ‘સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. સુરેશ દલાલ એટલે ગુજરાતીઓને ગુજરાતી પુસ્તકો વાંચતા કરનાર જાદુગર. પાંચ આંગળીઓએ પુણ્ય કર્યા હોય એને સુરેશ જેવા મિત્ર મળે.’ પન્નાબહેને પોતાના પુસ્તકોનાં પ્રકાશનોનું શ્રેય પણ સુરેશ દલાલને આપ્યું. એ કહે છે કે સુરેશ દલાલનું મૃત્યુ પણ એક લેખકને છાજે તેવું હતું. અંતમાં એમણે સુરેશ દલાલે પોતે જ પોતાનાં મૃત્યુ વિષે લખેલી કવિતાની રજૂઆત પણ કરી.

કાર્યક્રમમાં આગળ વધતા, ગુજરાતની અસ્મિતાની ઓળખ જેમણે અમેરિકામાં કરાવી એવા નટવરભાઈ ગાંધીએ વિપુલભાઈનાં કામને અને આટલાં વરસોથી “ઓપિનિયન” પત્રિકા ચલાવવા બદલ બિરદાવ્યા. નટવરભાઈએ ગુજરાતી સાહિત્યની સાથે સાથે અમેરિકી સાહિત્ય અને સાહિત્યકારોની પણ ઘણી રસપ્રદ વાતો કહી. એમણે ગાંધીજીની વિચારધારા અને ઈમરસનની વિચારધાર, રહેણી-કરણીની આબેહૂબ તુલના કરી. એમના ઉપર ગુજરાતી સાહિત્યની સાથે અમેરિકી સાહિત્ય અને વિભૂતિઓનો પણ પ્રભાવ નજરે પડ્યો.

આ કાર્યક્રમમાં કનૈયાલાલ મુનશી કે જેમની ૧૨૫મી જન્મતિથિનું આ વરસ છે, એમની ઝાલર નિરંજનાબહેન દેસાઈએ વગાડી. એ કહેતા હતાં કે કનૈયાલાલ મુનશી એક સફળ કારકિર્દી ધરાવતા લેખક, સફળ ધારાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક અને સાહિત્યકાર હતા. એમણે સાહિત્યના જુદા જુદા વિષયોમાં ખેડાણ કર્યું, એની ય વાત કરી. એમણે મુનશીનાં નાટકનાં પાત્રોને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રો સાથે સરખાવ્યાં તથા ધૂમકેતુ અને મેધાણી જેવા માંધાતા સાહિત્યકારોને પણ મુનશીનાં સર્જનોમાંથી પ્રેરણા મળતી તથા સ્વરાજની લડત તેમ જ, એ પછી પણ, મુનશીનો દેશ – સમાજ માટે શું ફાળો રહ્યો એ ટાંકવાનું પણ નિરંજનાબહેન ન ચુક્યાં.

ત્યારબાદ, કુસુમબહેન પોપટે એમનાં પુત્રનાં સ્મર્ણ અર્થે અકાદમીને ૧૦૦૦ પાઉન્ડનો ચેક દાનરૂપે અર્પણ કર્યો. જે ભદ્રાબહેન અને લાલજીભાઈએ સપ્રેમ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મધ્યાંતરે પડાવ નાખ્યો.

મધ્યાંતર બાદ, ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટનું વિધિવત્ વિમોચન – મંગલાચરણ ભદ્રાબહેન વડગામા, વિજ્યાબહેન ભંડેરી તથા લાલજીભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. એ માટે સમય અને શ્રમ ફાળવવા બદલ પંચમભાઈ શુક્લ તથા નીરજભાઈ શાહને તાળીઓથી વધાવવામાં આવ્યા. પંચમભાઈ અને નીરજભાઈએ વળી વેબસાઈટ વિષેની ટૂંકી માહિતી આપી હતી.

ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.

અને પછી, કવયિત્રી પન્નાબહેન પોતે જ એમનાં અમુક કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. અમુક કાવ્યો એમણે ક્યારે, કયા સંજોગોમાં અને કઈ પ્રેરણાથી લખ્યાં તથા એમની કાવ્યો લખવાની શરૂઆત અને એ માટે કઈ પ્રેરણા અને પરિબળ જવાબદાર હતાં એની રસપ્રદ વાતો કરી. હકીકતે, આ અવસર એમની ૮૦મી જન્મદિનની ઉજવણીનો અવસર બની રહ્યો.

પંચમભાઈએ નટવરભાઈ ગાંધીનો ટૂંકો પરિચય, કારકિર્દીનો પરિચય આપ્યો : ‘કામ નાણાંનું, અભિરુચિ કવિતાની’. એમનાં કાવ્યસંગ્રહો, એમની કવિતાઓ, એનું ઉંડાણ અને લાગણીઓ, કટાક્ષ અને એ કવિતાઓ -કાવ્યસંગ્રહોનાં જુદા વિષયો અને અમુક કાવ્યોનાં રસાસ્વાદ કરાવ્યા. ત્યાર બાદ નટવરભાઈએ ખૂબ જ ટૂંકમાં પણ સરસ વાત કરી. ગાંધીજી વિશે એમણે લખેલા અનેક સોનેટોમાંથી એક સોનેટની, સાબરમતી આશ્રમની તથા દાંડીકૂચના એક નાનકડા પ્રસંગની ચર્ચા કરી તથા પન્નાબહેન રચિત એક સોનેટ રજૂ કર્યું.

કાર્યક્રમનાં અંતિમ દોરમાં, વિજ્યાબહેન ભંડેરીએ મુખ્ય મહેમાનો પન્નાબહેન અને નટવરભાઈનો, કાર્યક્રમનું સંચાલન કર્તા વિપુલભાઈ કલ્યાણીનો, ગોઠવણી માટે ભદ્રાબહેન વડગામાનો, માઈક ઇ.ની સેવાઓ આપાનાર શાંતિભાઈ મારુનો, સર્વે વક્તાઓનો, તેમ જ નટુભાઈ કાપડિયાનો અલ્પાહાર માટે તથા કાર્ય સમિતિ અને હાજર રહેનાર તમામ સહિત્ય રસિકોનો આભાર માન્યો.

http://glauk.org/photo-gallery/gujarati-divas-2013/

Photos courtesy :  Sharad Raval

Loading

...102030...4,1234,1244,1254,126...4,1304,1404,150...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved