Opinion Magazine
Number of visits: 9773375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Gods on Earth: Shankaracharya says no to worship of Sai Baba

Ram Puniyani|English Bazaar Patrika - Features|22 July 2014

The phenomenon of God is probably the most complex one in the World. For believers there is a range of belief system about the supernatural powers. For agnostics it is ‘I don’t know’ and for atheists there is no supernatural power. The systems of thought relevant to the topic range from Animists (nature worshippers), polytheists (multiple gods/goddesses), tri-theists (Brahma-Vishnu-Mahesh or Father, Son and the Holy spirit), Monotheists (single Universal God) to Atheists. In the concept of God we have ‘god as a physical being’ to formless the God. Adivasis are animists, worshipping the nature and spirits of their ancestors. In different religions the concept is very different, including the fact that some religions do not have the concept of God like Buddhism and Jainism. Polytheism prevailed in Greek society, with different Gods and Goddesses endowed with special virtues. Ancient Aryans also had polytheism, with multitude of Gods and Goddesses looking after different virtues and aspects of the life on Earth. We have a Goddess each for wealth (Laxmi) knowledge (Sarswati) and Power (Durga) We also have a God each for lightening (Indra) air (Marut) sex (Kamdevta) liquor (Som devta) amongst the plethora of the divine powers. Hindu mythology is a rainbow exposition of the diversity and complexity of the lives of Gods and Goddesses.

There is no fixed timeline of the phenomenon of God. Diverse concepts begin in different time periods.  From animism, the most ancient concept to polytheism-monotheism and atheism come up over a period of time but not in a sequential fashion. Simultaneously, there come up the traditions of Charvak, Buddhism and Jainism which either do not talk about God or deny the existence of God. While today the prophet based religions like Christianity and Islam have a definitive concept, the Hindu religion has plethora of divine powers, Hinduism also has assimilated the diverse concepts, which merrily co-exist. That’s how in my childhood while reciting Hanuman Chalisa and reading Ramayan, (Lord Ram) I could reverentially go through the text of Mahabharata, with many Gods playing their different interesting roles. My family-community, worshipped Banyan tree on one hand and on the other had parallel worship of bullocks, of snakes and what have you. I vividly remember taking the wooden bullocks to neighbors and getting some sweets or small change as a reward. Every Saturday, mendicants with a vessel filled with oil used to come and my grandfather used to slip some coins in to the vessel, while at the same time performing the puja of Lord Ram.

Last three decades in particular while on one hand one saw the plethora of Godmen like Mahesh Yogi, Rajneesh, J.Krishnamurthy, Asaram Bapu, Satya Sai baba (Bhagwan) coming to the fore, the popularity of Sai Baba of Shirdi and Mata Vaishno Devi has gone up exponentially. Bhagwan Satya Sai, who died few years ago, had vast following and he was regarded as the reincarnation of Shirdi Sai baba. At the same time Shirdi Sai pilgrimage became very popular and his temples came up in most cities. Sai Baba of Shirdi has a beautiful syncretic background. While he was born in a Muslim family he came up more in Sufi tradition and intermingled with equal affection amongst Hindus as well as Muslims. His major focus was bringing Hindus and Muslims together. One major landmark in his life will give the essence of his efforts. In 1896 he instituted the annual Sufi ‘urs' festival with the explicit purpose of bringing these two communities together. In 1912 he combined this Urs with Hindu Ram navami festival. This effort of his strengthened his Sufi initiative of co-operation, symbiosis and tolerance. During the festival Hindus would worship in the mosque along with Muslims, each community following their own rituals. The Baba would put the sandalwood paste on the forehead of Mlahspati, the priest of local Khandoba temple, who in turn would reciprocate the gesture. Baba was deeply steeped in humanism, the core of all religions, and so initially Muslims as well as Hindus started respecting him.

By and by more and more of Hindus started worshipping him and today he is more of a Hindu deity than a Muslim one. In Hinduism as such there is a scope for new Gods and Goddesses also (e.g. Santoshi Ma, Satyanarayan). Apart from Sai Baba; Swami Parmhans is another one who has been raised to the level of divinity, and his more famous disciple Swami Vivekananda, also started a mission in his name.

The controversy around worshipping of Sai Baba was raised by Shankaracharya Swami Swaroopanand (June 2014) who described Shirdi Sai baba as a Muslim ascetic, and proclaimed that he cannot be worshipped like a Hindu deity. He also said that his campaign is to protect the Hindu religion and that he will continue irrespective. Sadhvi Uma bharti currently Union Minister of Water Resources, who was one of the prominent figures in Ram Temple agitation, leading to demolition of Babri masjid and deepening the communal divides, is also worshipper of Sai baba. In a letter to Swami Swaroopanand she explained the rationale behind her statement where she had said that looking upon someone as a god was people's personal choice.

While Sai Baba has been accepted as God by large sections of Hindus, it is probably for the first time that someone, Shankaracharya, has objected to this popular trend. As such Hinduism is a collation of multiple traditions. The clerical Brahminical tradition to which Shankracharya belongs is rigid and orthodox, while the other traditions of Nath, Tantra, Siddhanta and Bhakti are more flexible and adapt to the situation very easily. The Hindu practices have evolved continuously. On one hand the clerical ones emphasize on the status quo, the non Brahminical traditions have flexibility and fluidity. It will require a deeper study to understand as to why the worship of Jai Mata Di, Sai Baba, Santoshi Maa has become more popular during last few decades, surely it is part of broader inclusive Hindu practice as well. One needs to realize that the religious practices of different religions are not uniform. Even in the Universal, Prophet based religions; there are sects, Catholic-Protestants, Shia-Sunni, Hinayan-Mahayan, Digambar-Shetambar, to name the few. The orthodox versions of religions have been used as the base of politics within every religion. South Asia is today in the grip of rising religiosity on the one hand and growing assertion of politics in the name of religion on the other. The more conservative orthodox versions are picked up for political abuse, Wahabi version from Islam, Brahminical version from Hinduism, and similar conservative version from Buddhism in Myanmar-Sri Lanka-Thailand in particular.

People should be left to their own wisdom and choice in matters of the faith. Imposing, asserting a particular version from the interpretation of the texts does complicate the matters and creates strife, the way the controversy raised by Shankaracharya is doing.  

While on the topic of God, recently a book has come out, “Why Atheism will replace religion: The triumph of earthly pleasures over pie in the sky” written by Nigel Barber. This book predicts that religions, believers, will become a minority Vis a Vis the practice of secularism in the decade of 2040s. This book relates the rise/fall of the religion with economic power and makes an observation that atheists are much more in number in developed countries. This book is based on the study of 137 nations conducted by the author who concludes that in the countries; more developed the welfare system; higher is the number of atheists. The book’s crunch line is, in countries where distribution of income is even, lesser is the number of religious people. The author is a prominent psychologist. He makes a prediction that people will feel lesser need of supernatural beliefs when the tangible world is providing them for their real needs. Also in a survey conducted in America 20% people identified themselves as Atheists.

While we wait for the realisability of such prediction, we should respect the people’s choices about their faith, this is a message loud and clear given by the followers of Sai baba in response to what Shankaracharya said.

—

Issues in Secular Politics, III July 2014

Loading

એક ઉર્ધ્વમુખી શૂન્ય

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|22 July 2014

ખુશાલ  જ્યારે એના થાનકે આવ્યો ત્યારે રાતના અઢી વાગ્યા હતા. 

ફૂટપાથ ઉપરની મરકયુરી લાઈટના થાંભલા નીચે  એની જગા ઉપર નિરાંતે સુતેલા ભૂરિયાને એણે ખદેડી કાઢ્યો,  પોતાનો ફરિયાદી અણગમો વ્યક્ત કરતો હોય તેમ 'ભોં ભોં …' કરતો અપમાનિત થયેલ ભૂરિયો જરાક દૂર જઈ ઊભો રહ્યો. ખુશાલે તે જગ્યા સાફ કરી. પછી ગજોધર ભૈયાની રેંકડીની નીચે રાખેલી ગોદડી કાઢીને ફૂટપાથ ઉપર પાથરી,  સામેના નળેથી પાણી લઈ હાથ મોં ધોઈ, જરીક ફ્રેશ થઈ, ગોદડી પર બેસી પછી એણે પેલું પડીકું ખોલ્યું.

'આ જા બીડુ, તુ ભી આ જા ' કહી બુચકારો કરી ભૂરિયાને ય ખુશાલે ડીનર કરવા તેડયો. 

'જાયલા, એ દેખ  …. આજ ભી વહી જ સુક્કા વડા પાઉં મિલેલા હૈ હમ દોનું કો યાર … 'કહી એણે અપમાન ભૂલીને એની નજીક આવેલા ભૂરિયાને એક વડા પાઉં આપ્યું.  

મોડું ખૂબ જ થયું હતું એટલે પાણી પીને કોક્ડું વળીને પછી ખુશાલ સુઈ જ ગયો. એના નસકોરાં બોલવા માંડ્યા  એટલે તરત જ કપમાંનું બચેલું પાણી ચાટીને હળવેકથી સરકીને ભૂરિયાએ પણ ખુશાલની બાજુમાં લંબાવી જ દીધું .

દિવસના ગજોધરભૈયાની ચાયની રેંકડી પર ખુશાલ કામ કરતો અને રાતે થોડા કલાક ફૂલમતીબાઈના કોઠે ચોકીદારી.   ગજોધરભૈયાની રેંકડી એનું ઘર હતું અને રાતે ફૂટપાથ એની પથારી બનતી. ગોદડી સમેતનો એનો પરચૂરણ સામાન એ જ  રેંકડી નીચે રહેતો. એના બપોરના રોટલા ગજોધરને ત્યાંથી ઘડાઈને આવતા અને ફૂલમતીની દયા ઉપર જે એક પડીકું એને મળતું તે રાતે રેંકડી પર આવીને એ ખાતો. બંને જગાએથી મળતી રોજની 50 – 50 રૂપિયાની મૂડી કાપકૂપ વગર સીધેસીધી ‘ગજોધર બેંક’માં જમે થતી. 

'વરસાદ આવે એ પહેલાં ઓણ સાલ જો છાપરું નઈ થાય તો એ ખોરડું નઈ રહે, તેથી સગડ કરીને વે'લો આવી જ જા, દીકરા.' માએ છેલ્લો સંદેશો પૂનમિયા સાથે મુંબઈ કમાવવા ગયેલા દીકરા ખુશાલને મોકલ્યો.

વરસાદ આડે થોડા જ દિવસો હતા એ જોતાં ખુશાલનું વતન જવાનું ય ગજોધરભૈયાએ તાત્કાલિક ગોઠવી જ દીધું. ફૂલમતી મેડમે 15 દિવસની એને રજા આપી. ગજોધર પાસે જમે કરેલી 15,000 રૂપિયાની મૂડી લઈને બીજે જ દિવસે ગામ જવા મનસૂબો પાકો કરી દીધો. 

બીજે દિવસે ખુશાલ જયારે વતન જવા દિલ્હીની ગાડીમાં બેઠો ત્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. કાળઝાળ ગરમીથી ત્રાહિત લોકોને જાણે મુક્તિ આપતો હોય તેમ મંદ મંદ ઠંડો પવન વહેતો હતો. મસ્તીમાં ઝાડવાઓ ડોલતાં હતાં. રીમઝીમ રીમઝીમ … ધીમો છાંટીરૂપે વરસાદ પણ શરૂ થયો. પંખીઓનો કલરવ એમના સંતાન પાસે માળે જલદી પહોંચી જવાની ઉમેદની જાણે જાહેરાત જ કરતો હતો. 

સુકકી ધરતી હવે વરસાદના દાણેદાર છાંટાથી રીતસર પલળવા જ માંડી. ચારેકોર નૈસર્ગિક સંગીત અને સંસારી કોલાહલની જુગલબંધી વ્યવસ્થિત ઘોંઘાટ જમાવતી જતી હતી.

મુંબઈ પાછળ છૂટી ગયું. ગોકળગાયની ગતિએ ટ્રેઈન પાટે સરતી હતી. ધીમી ગતિની પેસેન્જર ટ્રેઈન એટલે એ તો દરેક સ્ટેશને ઊભી રહે અને વળી ક્યારેક ફાસ્ટ ટ્રેઈનને જલદી જવા દેવા કોઈ સ્ટેશને વધારે ય રોકાણ કરી નાખે. પૂરા 24 કલાકની મુસાફરી હતી.

'હું ગામ પહોંચીને છાપરું સમું ન કરાવી દઉં ત્યાં સુધી ખમી જજે બાપલા.' ખુશાલ બબડ્યો.

ખટક ખટક કરતી ગાડીમાં છેવટે એની આંખ લાગી જ ગઈ.

 *                           *                        *

નિયત સમય કરતાં 12 કલાક મોડી પહોંચેલી પેસેન્જર ટ્રેઈન ખીચોખીચ ભરેલા દિલ્હીના એક નંબરના પ્લેટફોર્મમાં ત્રીજે દિવસે  મળસ્કે દાખલ  થઈ.  અચાનક વધી ગયેલા કોલાહલે ખુશાલની આંખ ખૂલી ત્યારે  બહાર ધોધમાર વરસાદ પડતો હતો.

ભીડમાંથી રસ્તો કાઢતો એ સ્ટેશનની બહાર આવ્યો, બહાર પાણીમાંથી રસ્તો કાઢી જતી એક રિક્સા પાણીની છાલક ઉડાડતી આજુબાજુ ઊભેલાને પલાળતી ગઈ.  ખુશાલ પણ પલળી જ ગયો. સમસ્ત ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડતા વરસાદે ત્રાહિમામ્ પોકરાવી દીધી હતી. ચોગરદમ પાણી હતું. મુસાફરો વરસાદથી બચવા સ્ટેશનના છાપરા તળેથી હઠતા ન હતા, ભીડ ઓછી થતી જ ન હતી અને સામાન્ય જનજીવન થંભાવી દેતો તોફાની વરસાદ પણ જાણે જીદે જ ચડ્યો હતો. ચારેકોર એકસરખા કાળા ડીબાંગ વાદળોની વચ્ચે વચ્ચે વીજળીના તેજ લીસોટા પછી થતા આકાશી ગડગડાટ ભલભલાને ભય પમાડી જતા હતા અને તેથી ગભરાઈને ડરી જતાં બાળકોની ચિચિયારીઓ અને રડવાના અવાજથી વાતાવરણ વધુ ડરામણું લાગતું હતું.  અમુક નીચાણવાળા સ્થળોએ રેલવે લાઈન ઉપર પાણી ફરી વળ્યા હોવાને કારણે અમુક ટ્રેઈન કેન્સલ કરવાનાં સૂચનો રેલવે સત્તાવાળાઓ અવારનવાર માઈક ઉપર આપતા હતા. ચોગરદમ કોલાહલ મચ્યો હતો.

નેવનાં પાણી ઝીલી એણે એનો ચહેરો અને આખો ધોઈ કોગળો કરીને પહેરેલા પહેરણથી પછી મોં લુછ્યું.  એની બાજુમાંના એક ચાયના સ્્ટોલમાં ઉકળતી ચાયની નીચેનો કર્કશી સ્ટવ ટોચના ધંધાની ચાડી કરતો તોફાની ગતિએ ધમધમતો હતો.

'એક વડા પાઉં દેના, સા'બ' કહેતાકને ખુશાલે સ્ટોલવાળાને દસ રૂપિયાની નોટ ધરી. 

'મેરે ભાઈ, અબ ભાવ જ્યાદા હો ગયેલા હૈ, બીસ દો બીસ …' સ્ટોલ ઉપરના ગલ્લા અધિકારીએ ચિક્કાર ઘરાકીની વચ્ચે તોછડાઈથી જ કહ્યું. એ સાભળીને ભૂખ્યા ખુશાલે લાચારીમાં આનાકાની વગર બીજી દસની નોટ પેલાને પકડાવી અને પડીકું લીધું.

'એ બારીશને સબ ચીજ કે ભાવ ભી ડબલ કર દિયે  …' ખુશાલની બાજુમાં ઊભેલો એક ભાઈ બોલ્યો.

'વડા પાઉં કે ભી ડબલ  …?' ખુશાલે આશ્ચર્ય કર્યું.

'ઔર નહીં તો ક્યા? કૌન પૂછનેવાલા હૈ ઇન કો' પેલાએ ધીમેથી કહ્યું.

વરસાદનું પાણી વડાપાઉંના ભાવમાં ય ઘુસી જ ગયું હતું.

'છાપરાના સમારકામની મૂડીમાં પણ ભાગ પડાવે છે, ખાઉધરા.' અપ્રગટ અણગમો કાઢતો એ પછી સુક્કા વાસી વડા પાઉં ખાવા ઊભડક બેઠો.

વરસાદ ગાંડોતુર એકધારો વરસતો હતો. 'અહીં આટલો વરસાદ છે તો શું રામવાડામાં ય આટલો બધો વરસાદ હશે?' વડા પાઉં ખાતા ખાતા એને પોતાનું વતન અને એની મા યાદ આવ્યાં. પછી તરત જ થયું  કે, 'ના, ના, ત્યાં તો હજી વરસાદને પંદર દિવસની વાર છે. આટલો જલદી નઈ જ આવે, પણ …. જેમ  એ અહીં જલદી શરૂ થયો તેમ ત્યાં પણ કદાચ જલદી શરૂ થયો હોય તો? જો એવું જ હોય તો મારી માની પરિસ્થિતિ શું હશે? એ શું કરતી હશે આવા વરસાદમાં? .. અને જો છાપરું ય સમું ન રહ્યું હોય તો … તો આવા મૂશળધાર વરસાદમાં બિચારી મા શું કરતી હશે? ત્યાં એનું કોણ ધ્યાન રાખતું હશે?' એથી આગળ તો ખુશાલ વિચારી જ ન શક્યો. હાથમાંનું પાઉં એણે ફેંકી દીધું, સાથેની કેરિયર બેગનું પૂંજીપડીકું પહેરણ નીચે પાટલૂનમાં કસકસાવીને ખોસી દીધું અને પછી લાગલો જ સામે આવેલા ડેપો તરફ દોડ્યો, વરસાદની પરવા કર્યા વગર, દોડતો. પલળતો. તે જ ક્ષણે એક જબરો તેજ્લીસોટો થયો અને વાદળોમાં પ્રચંડ ગડગડાટ થયો અને તે સાથે જ ગભરાઈ ઊઠેલાં બાળકોની ચિચિયારી ભેગો કોલાહલ પણ વધી જ ગયો, જબરું વૃષ્ટિતાંડવ ચાલતું હતું.

માથે આભ જ ફાટ્યું હતું. સાંબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. ડેપો સુધી જતાંમાં તો ખુશાલ પાણીથી આખેઆખો લથબથ થઈ જ ગયો. ડેપોમાં ય માણસોનું કીડિયારું ઊભરાતું હતું. ડેપોમાંના માઈક ઉપર બસ અંગેની સૂચનાઓની સાથે સાથે ખીસાકાતરુઓથી સાવચેત રહેવાની સૂચનાઓ પણ સતત અપાયા જ કરતી હતી. જબરો કોલાહલ મચ્યો હતો. હર કોઈએ જલદી ઘરે પહોંચી જવું હતું. પૂછપરછ બારી આગળ પણ જબરી ભીડ હતી. ખુશાલ પણ એ ભીડમાં જોડાયો. 

'અબે એ … સુનાઈ નહીં દિયા ક્યા, અબી જ માઈક પે બોલા કી કોઈ બી બસ ચીખોલી સે આગે નહીં જા સકતી .. બાદલ ફટા હૈ બાદલ, મેરે બાપ. ભેજા ગરમ કરતા હૈ ખાલીપીલી.' અંદર બેઠેલો કારકૂન ચિડાયો. 

બધાનું જ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બધાએ જ પોતપોતાના ઘરે પહોચવું હતું, ચોગરદમ કોલાહલ હતો. મૂશળધાર અને અશ્વવેગે દોડી રહેલો પેલો તબડક તબડક વરસાદ, વચ્ચે સંભળાતા વાદળોના ગડગડાટ, અને તે સાંભળીને રોક્કળ કરતાં બાળકોના અવાજ, ડેપોમાં માઈક પર અપાતી સૂચનાઓ, 'પૂછપરછ'ની બારીમાંથી ગુસ્સામાં રાડ રૂપે અને અપમાનજનક રીતે જનતાને મળતી સેવા, ખખડધજ એવી બસોમાં ચડવા ધસારો કરતા લોકો, અને તે ક્રિયામાં થતી ધક્કામુક્કી અને બોલાચાલી તેમ જ આ બધાની વચ્ચે બાજુના સ્ટોલમાં ભોં ભોં કરીને ચા ઉકાળતો પેલો ગેસનો ચૂલો …. એ બધું ઓછું હોય તેમ ધૂમ વકરાની વચ્ચે તુમાખીભર્યા અવાજે ગલ્લે બેસી શોષણ  કરતો પેલો જનતા શોષક.

ખુશાલે આજુબાજુ નજર કરી. પેટ ઉપર દબાવેલી પૂંજીપોટલી બચાવતો એ બહાર જવાના ભાગ તરફ આગળ વધ્યો. ડેપોના છેલ્લા પગથિયા સુધી લોકો વરસાદમાં અડધા પલળતા ઊભા હતા. ત્યાં જ બાજુમાંથી સ્પીડમાં પસાર થતી એક રિક્સા છેલ્લે પગથિયે ઊભેલા બધાને વધુ પલાળી ગઈ. પલળેલાંઓમાંથી કેટલાકે ગનમાંથી જેમ ગોળી છૂટે તેમ રિક્સાચાલકને અભદ્ર ભાષા સંભળાવી જ દીધી. પરિણામમાં લોકસંવાદનો કેવળ કોલાહલ વધ્યો. નિર્લેપ રિક્સાચાલક તો દૂર નીકળી ગયો હતો.  ખુશાલે વરસાદની વાછંટ અને ઉપરના નેવથી બચવા માટે માથે એક કેરીઅર બેગ લપેટી.

'શું ચીખોલીથી આગળ કોઈ જ બસ નથી જતી? વાદળ ફાટ્યું છે? કેદારઘાટ અને રામવાડા તો ત્યાંથી પણ 20 કિલોમિટર દૂર … તો શું ત્યાં પણ આટલો બધો વરસાદ હશે? .. અહીં આભ નથી ફાટ્યું તો ય હાલ આટલા બધા બેહાલ છે તો પછી ત્યાં આભ ફાટ્યું છે એમ કહ્યું તો ત્યાંના તો હાલ શું જ હશે? ઓ ભગવાન, મારી માને હેમખેમ રાખજે.' ખુશાલના મનમાં વિચારોનું ઘોડાપૂર આવ્યું હતું .

'જે જનેતાના ઘરનાં પગથિયાં ઊતરીને હું મુંબઈ પૈસા કમાવવા ગયો એ જનેતાની ગોદમાં જ શાંતિ મળે, બીજે ક્યાં ય નહીં, મારી માને હેમખેમ રાખજે કેદાર બાપા, એ ઘર રૂપી મંદિરનાં પગથિયાં ફરીથી મને ચડાવજે' એટલું કહેતા તો ખુશાલની આંખોમાં પાણીની જબરી રેલ જ આવી …  

'ચીખોલી, ચીખોલી ….'ની બૂમ સાંભળી કે લાગલો જ ખુશાલ પણ ચીખોલીની બસમાં ચડવા ટોળામાં જોડાયો. ચીખોલી જવા માટે આજની આ છેલ્લી બસ હતી. એ જો ખુશાલ ચૂકી જાય તો આવતીકાલ સુધી બીજું કોઈ સાધન ન હતું અને વરસાદી વાતાવરણ કાલે કેવું હોય શી ખબર? બસ જાય કે ન પણ જાય. એટલે આ બસ કોઈ પણ હિસાબે એણે પકડવી જ પડે એમ હતું.

'મૌસમ ઔર રાસ્તા ખરાબ હોને કી સમ્ભાવના કે કારન યે બસ ચીખોલી તક પહોચેગી ભી યા નહિ યા કિતને બજે પહોચેગી વો હમ બતા નહિ સકતે, લેકિન હમ જાને કા પ્રયાસ કરેંગે' કંડકટરે જાહેરાત કરી અને પેસેન્જરી કોલાહલ શરૂ થયો. ધક્કામુક્કી કરીને આખરે ખુશાલ બસમાં ચડી જ ગયો.

દિલ્હીની ઉત્તર તરફ જેમ જેમ મારગ કાઢતી બસ આગળ વધતી ગઈ તેમ તેમ વરસાદનું રૌદ્ર રૂપ અને એણે કરેલી ચોગરદમ પાયમાલીના સંકેતો ઠેર ઠેર સ્પષ્ટ રૂપે મળવા જ માંડ્યા, જ્યાં જુઓ ત્યાં બધેબધ બસ પાણી જ પાણી. ચારેબાજુ જળબંબાકાર હતું. નદીઓ રમણે ચડી હતી. નાળાંઓ ભયજનક રીતે ઊભરાતાં હતાં. કાચા પુલો સતત વરસાદથી અને વેગીલા જળપ્રવાહથી તૂટ્યા હતા. રસ્તાઓ ઉપરથી  કેટલાયે વાહનો લપસી પડ્યાં હતાં. વાહનોની કતાર લાગી હતી. …. વરસાદે સર્જેલી અતિ વિકટ પરિસ્થિતિમાંથી મારગ કાઢતી એ બસ આખરે એક ધીમા ઝટકા સાથે તે દિવસે મોડી સાંજે ચીખોલી અટકી. ખુશાલ ખૂબ જ થાક્યો હતો.

બસમાંથી એ ઊતર્યો. અંધારું થવા આવ્યું હતું. મુસાફરો વિખેરાયા. સામેની લાઈનબંધ બંગ્લીઓ હેઠળ બે ચાર કૂતરા વરસતા વરસાદથી બચતા ઊભા હતા. બાજુમાં એક ઝાડ ધરાશાયી થયું હતું. એક વીજળી થઈ અને પછી થયેલા ભયંકર ગડગડાટે તો ખુશાલ પણ ડરી જ ગયો, વરસાદ જોરદાર થયો. ઠેર ઠેર પાણી જ પાણી હતું. એક જોરદાર કડાકો થયો અને તેની સાથે સામેના જ એક મકાનની અગાશી સાથેનો ભાગ ભોય ભેગો થઈ ગયો. અંદર ચીસાચીસ થઈ. થોડા લોકો ત્યાં દોડ્યા. ખુશાલનું મન આ બધું જોઈ વધુ ભયભીત થતું હતું. 'રામવાડામાં મારી મા શું કરતી હશે? પ્રભુ એને હેમખેમ રાખજો.' માની ચિંતા માટેના વધુ ને વધુ કારણો એને મળતા જતા હતા. રામવાડા સુધી જવા કોઈ સાધન જ ન હતું, રસ્તાઓ જ બંધ થઈ ગયા હતા, પુલો તૂટ્યા હતા.

પછી બે દિવસનો ભૂખ્યો તરસ્યો, ઉજાગરાવાળો અને અશક્ત ખુશાલ અતિવૃષ્ટિમાં જાતની પણ પરવા કર્યા વગર ચાલવા જ  માંડ્યો, રામવાડા તરફ …..

એના પેટમાં ખાડો હતો અને ભૂખ પણ કકડીને લાગી હતી.

થોડે જ દૂર એક ઝૂપડી દેખાઈ. ત્યાં પહોચીને બહારથી જ ખુશાલે પૂછ્યું, 'કૈંક ખાવાનું મળશે?' 

'અંદર આવો, ભાઈ …' કહી ગણપતે ઊભા થઈ ખુશાલને અંદર તેડી લીધો.

ગણપતની પત્ની તેજુએ સાદડી પાથરી અને અભરાઈ ઉપરથી ગ્લુકોઝ બિસ્કીટનું એક પડીકું લઈ આવીને મહેમાનને આપ્યું.

કોઈનું પણ મફતમાં કશું જ ન લેવાય એમ માનનારો ખુશાલ પહેરણ તળેથી પૈસા કાઢવા જેવો હાથ પહેરણ નીચે લઈ ગયો કે તરત જ અનુભવ્યું કે ……… પૂંજીપોટલી ત્યાં હતી જ નહીં …. !

બસમાં બેઠો, ટિકીટ કપાવી ત્યાં સુધી તો એ પોટલી એની પાસે હતી, મુસાફરી દરમ્યાન જ થાકને કારણે અવારનવાર આંખોમાં ઝોકાં આવ્યાં એટલે તે ગાળામાં જ કોઈ સાથી મુસાફરે જ કદાચ ખુશાલનો ભાર હળવો કરી દીધો હતો.

'ઓ પ્રભુ …' કહેતાં એ માથે હાથ દઈ નીચે સાદડી ઉપર બેસી જ પડ્યો. એને તમ્મર આવી ગયા. અત્યાર સુધીની તમામ બચત, ઘરનું છાપરું સમું કરાવવાની એની ઈચ્છા કોઈએ ધૂળધાણી કરી દીધી. ગણપતને સઘળી હકીકત ખુશાલે જણાવી.

બહાર લગાતાર પાણી વરસતું જ જતું હતું. જોરદાર વીજળીના કડાકા અને  ગગનભેદી વાદળોના ગડગડાટ થતા હતા.

ગણપતે ખુશાલને પાણી પાયું અને બિસ્કીટ ખવરાવી. એની બધી જ વાત સાંભળી અને  સ્વીકારી. પછી એણે કહ્યું, 'આમ હિમત ન હારો, ભાઈ, અહીંથી  2 કિલોમિટર ઉપર આગળ જતાં જ એક રાહત છાવણી આવે છે ત્યાં તમને સેવાભાવી સંસ્થા દ્વારા આવકાર, હૂંફ અને અન્ય માહિતી પણ મળશે. હું તમને બતાવું' કહી, એણે બહાર હળ ઉપર ટાંગેલી બે પ્લાસ્ટીકની મોટી કોથળીઓ કાઢી. એક પોતે ઓઢી અને એક ખુશાલને આપતાં કહ્યું, 'આ ઓઢી લો અને ચાલો'.

કુદરતી પ્રકોપની વાતો કરતાં કરતાં રાહત છાવણી તરફ બંનેએ ચાલવા માંડ્યું. પર્યાવરણનો અર્થ અને એનો વર્તમાન કુદરતી પ્રકોપ જેવી ઘટનાઓ સાથેનો સંબંધ ખુશાલને પહેલી જ વાર ગણપતની વાતોમાં થોડો થોડો સમજાવા માંડ્યો.

એક ગરીબ બીજા ગરીબનો હમદર્દ બન્યો. ધરતીપુત્ર ગણપતની વાતો હૃદયનાં ઊંડાણમાંથી આવતી હોવાનું ખુશાલ અનુભવી રહ્યો હતો.

માથે આભ જ ફાટ્યું હતું. સાંબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. અનરાધાર વરસાદ પડતો હતો ભેખડો ધસી પડવાના ધીબાકા કાળજાં કંપાવી જતાં હતાં. ચોગરદમ અંધારું હતું. અતિવૃષ્ટિના કારણે ઘણીનદીનાળાઓ કિનારા તોડીને તોફાની હદે ધસમસતા હતાં. કિનારાના બંધનો તોડીને નદીઓએ માનવવસાહતમાં ઘુસપેઠ કરી હતી. જાણે માનવવંશનું નિકંદન જ કાઢવા માગતી હોય એમ બધું જ ખેદાનમેદાન કરતી ચાલી. કલકલ વહેનારી નદીઓએ નવા નવા જ ફાંટાઓ, નવા માર્ગો બનાવીને ત્રાહિમામ્ સર્જ્યો હતો. અકલ્પ્ય એવો વિદ્વંશ કરતી નિર્દયી જ બની  હતી. ઉપર આકાશેથી આવતા જળપ્રવાહે ડુંગરો પણ તોડ્યા અને એની તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવા  કેટલાં ય ગામોનું નામોનિશાન જ ન રહ્યું. પૃથ્વીના પેટાળમાં જ સમાઈ ગયા. પહાડની ભેખડો પડી જતા તળેટીમાંના ગામોની સમગ્ર વસાહત ઘર, મકાન, લોકો રસ્તાઓ … વાહનો સહિત બધું જ ખેદાનમેદાન થઈ જ ગયું …..

સમયની નજાકત સમજી રામવાડા ગામ સંપૂર્ણ ધોવાઈ ગયાની વાત ખુશાલને ગણપતે તે વેળા તો ન જ કરી.

આ બાજુ ખુશાલની ચિંતા ખૂબ જ વધી હતી, જીવનભરની બચત એણે ગુમાવી હતી, અને વિશેષ તો એની માની આવી અતિવૃષ્ટિમાં શું સ્થિતિ હશે એ વાતથી જ એ ખૂબ ચિંતિત હતો.

પહેરેલાં કપડાં ઉપરાંત વરસાદથી બચવા પ્લાસ્ટીકની એક કોથળી અને ગ્લુકોઝ બિસ્કીટનું અડધું પડીકું  – ખુશાલની પૂંજીમાં બચ્યા હતા.

ગણપતે ખુશાલને રાહત છાવણીમાં શરણાર્થી તરીકે ચોપડે ચડાવવામાં મદદ કરી !!!

રાહત છાવણીમાં દુ:ખી જીવો એકબીજા સાથે આ કુદરતી પ્રકોપની વાતો કરતા હતા …….

ઉત્તરાખંડની ભૂમિ ઉપર 16મી જૂનના દિવસે થયેલા મહાવિનાશકારી પ્રકોપની ઘટનાના દ્રશ્યો અને એ સંબંધી અનેકવિધ યાતનાઓના વૃતાંત અકલ્પ્ય હતા. પ્રકોપની ભયંકરતાનો ખ્યાલ કમકમાટી ઉપજાવી જતો હતો. આ મહાવિનાશકારી પ્રકોપમાં સંડોવાયેલા લોકોની અને એમના સ્વજનોની મનોદશા અને કલ્પાંત તો ખૂબ હૃદયદ્રાવક હતાં.

આક્રંદ કરતા પરિજનો, પ્રાણ બચાવવા માટે ત્રણ ચાર દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને 20-30 કિલોમિટરની લાંબી મજલ કાપતા કેટલાયે યાત્રાળુઓ કે જેમાં પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, તેમ જ અપંગોની આપવીતી હોય કે પછી ભીનાં કપડાં નીચોવીને તરસ છીપાવતા લોકોની વાત હોય, હરકોઈનું દિલ ધ્રુજાવી જ દેતા હતા.

હેલીકોપ્ટરમાંથી ફેંકાયેલી રોટલી જેવી ભોજનસામગ્રી લેવા દોડી જતા લોકો કે બંને પગ ગુમાવી બેઠેલી હોસ્પિટલને બિછાને સૂતેલી માબાપ વિહોણી નાની બાલિકાની કરૂણ કથની કરતાં પણ વધુ હૃદયદ્રાવક અને દર્દનાક વાત તો એ લાગે કે જ્યારે કોઈકે કોઈ મરેલ વ્યક્તિના શબ ઉપરથી વસ્ત્ર કાઢીને તેનું દોરડું બનાવવું પડ્યું હોય અને …. કેવળ પોતાનો જીવ બચાવવા ન છૂટકે એમ કરવું પડેલ હોવાનું દુ:ખ એના બોર બોર જેવા ઊના ઊના પશ્ચ।તાપી આંસુમાં છતું થતું જોવા મળે … ત્યારે તો મૃત્યુનો ડર કેવો હશે એની થોડી કલ્પના આ વ્યક્તિની નિર્દોષ કબૂલાતમાં ડોકાયા વિના જરાયે રહે જ નહીં અને એટલે જ કુદરત ઉપર પણ શાબ્દિક પ્રહાર થઈ જ જાય છે કે 'ઠોકર મારી કારમી તેં તો ….. ક્રૂર બનીને.'

બીજી બાજુએ ફસાયેલાઓને સુરક્ષિત સ્થળે ખસેડતા વાયુસેનાના જવાનો તેમ જ કોઈ પણ જાતની અપેક્ષા વગર ભોજન, કપડાં, તેમ જ જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત રોકડ આર્થિક સહાય આપવા દ્વારા રાહતના કાર્યો કરતાં  વિવિધ સંપ્રદાયના લોકોની પણ પ્રશંસા થતી હતી.

તેથી વિરુદ્ધ માનવતાના કાર્યોની વચ્ચે કલંક સમાન એવા રાહતકાર્યને જ મુદ્દે જાહેરમાં મુક્કામુક્કી કરતા રાજકીય નેતાઓ, શબો ઉપરથી દાગીનાઓની ચોરી કરતા લુંટારુઓ, સાધુઓના ભગવા વસ્ત્રોમાંથી બહાર કઢાયેલ સંતાડેલી નોટોના ઢગલા, જુવાન સ્ત્રીઓને રંજાડનાર શેતાનો, 10 રૂપિયાની પાણીની બોટલ 200 રૂપિયામાં અને 4 રૂપિયાનું ગ્લુકો બિસ્કીટનું પેકેટ 100 રૂપિયામાં વેચતા મોતના સોદાગરો વિષે પણ વાતો સંભળાતી હતી. આ બધું ઓછું હોય તેમ …..

પર્વતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લાવવાનો કાયદેસર સવેતન પરવાનો સરકાર પાસેથી મેળવવા છતાં પૈસાલોલુપ ખાનગી વિમાન કંપનીઓનો એક એક જીવ બચાવવા એકથી દોઢ લાખ રૂપિયાની વસૂલી કરતો લાલચુ અને લોભી ધંધો પણ લોકોથી અજાણ્યો ન જ હતો  !!!!!

તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવાં કેટલાં ય ગામોનું નામોનિશાન જ ન રહ્યું …

ખુશાલ આ બધું જેમ જેમ જાણતો ગયો તેમ તેમ એને સઘળી પરિસ્થિતિ સમજાતી ગઈ …..

'રામવાડા જ નથી રહ્યું તો મારી મા પણ …..' 

એ વિચાર આવતાં જ એણે  જોરથી ચીસ પાડી, 'નહીં ઇં ઇં ઇં ઇં ઇં …………….'    

ચીસ સાંભળીને સહુ દોડી જ આવ્યા ….

*                    *                     *

ચીખોલીથી આગળના તમામ રસ્તાઓ ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા. …. રામવાડા તો આખેઆખું વસ્તી સમેત નેસ્તનાબૂદ થયું હતું.

વખત જતા ખુશાલે માના મૃત્યુને સ્વીકાર્યું.

ગણપતની સરળ ગામઠી તત્ત્વજ્ઞાની વાતોએ ખુશાલના મનમાં જબરી ઊથલપાથલ મચાવી, “કર્ણવ ઋષિના આશ્રમમાં ખીલેલી એક ચંપાકલીને જોતવેંત જ  'પુત્રજન્મ સમ આનંદ' ની અનુભૂતિ કરનાર હરખઘેલી શકુંતલાનો વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ પહેલાં દરેકે સમજવો પડશે. કૃષિ સંસ્કૃિતનો જીર્ણોધ્ધાર જ આવા કુદરતી પ્રકોપ અટકાવી શકે, ગામડાંઓના શહેરીકરણ પ્રત્યેની આંધળી બે-લગામ દોડ ઉપર રોક, ખેડાઉ ફળદ્રુપ જમીન ઉપર  કોન્ક્રીટના જંગલો બનાવવા ઉપર રોક લગાવવા ઉપરાંત કૃષિ ઉત્પાદકોનું થતું શોષણ જ્યાં સુધી ન અટકે ત્યાં સુધી આથી પણ વધુ વિનાશકારી કુદરતી પ્રકોપ માનવસમાજે સહેવા તૈયાર રહેવું જ પડશે. ગામડાંઓ અને ખેતરોને ફરી સજીવન કરવા પડશે અને અમુક ગ્રામ્ય/કૃષિ સંસ્કૃિત શહેરમાં ય લાવવી પડશે, નહીં તો મહાવિનાશ હવે દૂર નથી જ.”

અંતે ગણપતે એના ખભે હાથ મૂકીને કહ્યું, 'જિલ્લા પંચાયતના દફતરે તારા નામે જમીન અને ઝૂંપડી છે જ. દાખલો કઢાવીને જે મળે તે જમીનમાં ખેતી કર. તારી જનેતા તો ગઈ પરંતુ ધરતીમા પ્રત્યેનું ઋણ અદા કરવાનું ન ભૂલતો, ભાઈ. શહેરનો શિક્ષિત સમાજ ધરતીને ખેડૂતો જેટલી સમજદારીથી તો નહીં જ સમજી શકે, તેઓ તો બસ કોન્ક્રીટના જંગલો જ ઊભા કરશે ……… પછી તો તારી મરજી …'

ગણપતની આ વાતોને ઉપાડીને પછી ફૂટપાથી ખુશાલે ધરતીપુત્ર બનવા સંકલ્પ કર્યો.

ખુશાલની બધી જ લાગણીઓ 'મા' શબ્દમાં જ સ્થિર થઈ ગઈ. ….

… અને સ્વપ્નદ્રષ્ટા ખુશાલે પોતાની બધી નિરાશાનું વિસર્જન કરી દીધું, પર્યાવરણ સંબંધી જાગૃતિ અભિયાન એ જ એનું વિચારબિંદુ હતું ….

વિસર્જન પછીનું સર્જન કરવા કટિબદ્ધ હતું  – એક ઉર્ધ્વમુખી શૂન્ય.

e.mail : gunvantvaidya@outlook.com

Loading

વેદ પ્રતાપ વૈદિકની હાફિઝ સાથેની મુલાકાત દાવો કરવામાં આવે છે એટલી નિર્દોષ નથી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|21 July 2014

વેદ પ્રતાપ વૈદિકે ભારત પાછા ફરીને હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લગતું જે નિવેદન પ્રસારિત કર્યું એ બેધારું હતું એટલે તો સંસદે બે દિવસ વેદ પ્રતાપ વૈદિકના કારનામા પાછળ બગાડ્યા હતા. આવડો મોટો હોબાળો મચવાનું કારણ એ નહોતું કે તેઓ ગદ્દગદ થઈ ગયા હતા, પણ ખરું કારણ એ હતું કે તેમણે તેમના કારનામામાં બૅકડોર ડિપ્લોમસીનો સંકેત આપ્યો હતો. આવડું મોટું સાહસ એવી જ વ્યક્તિ કરે જે નાદાન હોય અથવા જેણે સરકારની સંમતિ મેળવી હોય



વેદ પ્રતાપ વૈદિક ઘાટ-ઘાટનાં પાણી પી ચૂકેલા હિન્દી પત્રકાર છે. કેટલાક માણસો એવા હોય છે જેમનાં મૂળિયાં સમુદ્રી વનસ્પતિની માફક પાણી ઉપર ચારે બાજુ ફેલાયેલાં હોય છે, પણ જમીની વનસ્પતિની માફક ઊંડાં ઊતરેલાં નથી હોતાં. સમુદ્રનાં મોજાંની સાથે તેમની જગ્યા બદલાતી રહે છે. વેદ પ્રતાપ વૈદિક આવા એક પત્રકાર છે. તેઓ એક જમાનામાં સર્વોદયવાળાઓ સાથે ફરતા જોવા મળતા હતા. પઠાણકોટમાં સમન્વય આશ્રમમાં રહીને તેઓ સત્યમભાઈ નામના એક અંતેવાસી પાસેથી અફઘાનિસ્તાનનો અભ્યાસ કરતા હતા. એ પછીનાં વર્ષોમાં તેઓ કૉન્ગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા હતા અને અત્યારે તેઓ બાબા રામદેવ, સંઘ પરિવાર અને BJPની આજુબાજુ ફરતા જોવા મળે છે. દક્ષિણ એશિયા એ તેમનો રસનો વિષય છે. સત્યમભાઈ પાસેથી અફઘાનિસ્તાનના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યા પછી તેમણે બીજા ભારતના પાડોશી દેશોના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યો હતો. દક્ષિણ એશિયા વિશેની તેમની જાણકારી સરાહના કરવી પડે એટલી વ્યાપક છે, પરંતુ એને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં રાખવા જેટલી આવડત તેઓ નથી ધરાવતા એટલે તેમની ગણના ભારતીય ઉપખંડને સમજનારા સમાજશાસ્ત્રીઓમાં નથી થતી.



વેદ પ્રતાપ વૈદિક સમુદ્રી વનસ્પતિ જેવા ઉફરા વિદ્વાન જ નથી, મહત્ત્વાકાંક્ષી માણસ પણ છે. આજકાલ તેઓ દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે અને બાબા રામદેવની બહુ નજીકના માણસ ગણાય છે. વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેંકડો સંસ્થાઓમાંની એક છે, જેને બાબા રામદેવ આર્થિક મદદ કરતા હોવાનું કહેવાય છે. વિવેકાનંદ ફાઉન્ડેશન હિન્દુત્વવાદીઓની થિન્ક ટૅન્ક છે જેમાં હજી હમણાં સુધી અજિત ડોવલ ડિરેક્ટર હતા. અજિત ડોવલની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ કરી છે. વર્તમાન સરકાર સંઘ પરિવારની છે. વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન એક થિન્ક ટૅન્ક તરીકે સરકાર પર વગ ધરાવે છે અને એમાં વળી ફાઉન્ડેશનના ફાઉન્ડર ડિરેક્ટર અજિત ડોવલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે એટલે વેદ પ્રતાપ વૈદિક મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવી મજા લઈ રહ્યા છે. 



આ વૈદિકસાહેબ તાજેતરમાં પાકિસ્તાન જઈને લશ્કર-એ-તય્યબાના આમિર હાફિઝ મહમ્મદ સઈદને મળી આવ્યા અને ગદ્દગદ થઈને પાછા આવ્યા. પત્રકાર આતંકવાદીને મળે એમાં કાંઈ ખોટું નથી. જગતમાં અનેક પત્રકારો આતંકવાદીઓ અને ગુનેગારોને જીવના જોખમે તેમના અડ્ડાઓમાં મળવા ગયા છે અને તેમણે દિલધડક સ્ટોરીઓ આપી છે. હજી દાયકા પહેલાં ડેનિશ પત્રકાર ડેનિયલ પર્લ પાકિસ્તાનમાં શેખ મુબારક અલી ગિલાની નામના આતંકવાદીની મુલાકાત લેવા ગયો ત્યારે તેને યહૂદી હોવા બદલ મારી નાખવામાં આવ્યો હતો. સિખ આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાંવાલેની મુલાકાત અનેક દેશી-વિદેશી પત્રકારોએ લીધી હતી. પત્રકારો પત્રકાર તરીકે ગુનેગારો કે આતંકવાદીઓને મળે છે અને સ્ટોરી લઈને પાછા આવે છે. કોઈ પત્રકાર આતંકવાદીની મહેમાનનવાજીથી ગદ્દગદ થઈ ગયો હોય અને તેને મહાન માનવતાવાદી તરીકે ચીતર્યો હોય એવું ક્યારે ય જોવા મળ્યું નથી. જો કોઈ પત્રકાર મહેમાનનવાજીથી ગદ્દગદ થઈ જાય તો એવા પત્રકારને અપરિપક્વ સમજવો. દરેક માણસની પરિપક્વતા અલગ-અલગ હોય છે.



તો પછી વૈદિકની ગદ્દગદ થનારી અપરિપક્વતા રાષ્ટ્રીય ચિંતા અને ચર્ચાનો વિષય શા માટે બની ગઈ છે? આનું એક કારણ છે. વેદ પ્રતાપ વૈદિકે ભારત પાછા ફરીને હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લગતું જે નિવેદન પ્રસારિત કર્યું એ બેધારું હતું. માટે તો સંસદે બે દિવસ વેદ પ્રતાપ વૈદિકના કારનામા પાછળ બગાડ્યા હતા. આવડો મોટો હોબાળો મચવાનું કારણ એ નહોતું કે તેઓ ગદ્દગદ થઈ ગયા હતા, પણ ખરું કારણ એ હતું કે તેમણે તેમના કારનામામાં બૅકડોર ડિપ્લોમસીનો સંકેત આપ્યો હતો. આવડું મોટું સાહસ એવી જ વ્યક્તિ કરે જે નાદાન હોય અથવા જેણે સરકારની સંમતિ મેળવી હોય. વેદ પ્રતાપ વૈદિકની બાબતમાં બન્ને સંભાવના છે. તેમની અત્યાર સુધીની સફર અને ઉત્સાહમાં મિશન કરતાં નાદાની વધારે જોવા મળી છે. બીજી બાજુ વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન સાથેનો તેમનો ઘરોબો બૅકડોર ડિપ્લોમસી હોવા બદલ શંકા પેદા કરે છે. શંકાનાં વાદળો દૂર કરવા વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંસદમાં સત્તાવાર નિવેદન કરીને ખુલાસો કરવો પડ્યો હતો કે વેદ પ્રતાપ વૈદિક વ્યક્તિગત હેસિયતથી પાકિસ્તાન ગયા હતા અને હાફિઝ સઈદને મળ્યા હતા. સરકારને તેમની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ વૈદિકનો પાસર્પોટ જપ્ત કરી લેવાની માગણી કરી હતી. રાજીવ પ્રતાપ રૂડીએ વૈદિકની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવાની માગણી કરી હતી. BJPના બીજા કેટલાક નેતાઓએ વૈદિકને કૉન્ગ્રેસના માણસ ગણાવ્યા હતા. કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને સંઘના માણસ ગણાવ્યા હતા. ઉપર કહ્યું એમ સમુદ્રી વનસ્પતિની માફક તેમનાં મૂળિયાં ચારે તરફ ફેલાયેલાં છે એટલે કોઈ પણ બાજુ તેમને ધકેલી શકાય છે અને સંબંધ જોડી શકાય છે. 



ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધોનો સેતુ બાંધવા અનેક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સિવાય નાગરિક સમાજ પણ એમાં સક્રિય છે, ત્યાં સુધી કે બન્ને દેશના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ બે દેશ વચ્ચેના સંબંધો રાબેતાના થાય એ માટે પ્રયત્નશીલ છે. લશ્કરી અધિકારીઓ કહે છે કે બે દેશ વચ્ચેની તંગદિલીની સૌથી મોટી કિંમત લશ્કરી જવાનોએ ચૂકવવી પડતી હોય છે એટલે શાંતિમાં તેમનો સ્વાર્થ છે. ખરું પૂછો તો બે દેશ વચ્ચેના સંબંધો સુધારવા માટે સરકાર તરફથી જેટલા પ્રયત્નો થઈ રહ્યા છે એના કરતાં વધુ પ્રયત્નો ખાનગી ધોરણે થઈ રહ્યા છે. એ ઉપરાંત વિદેશી સરકારો અને ત્યાંના નાગરિક સમાજો પણ આમાં સક્રિય છે. આવા ખાનગી પ્રયત્નોના ભાગરૂપે પાકિસ્તાનમાં રીજનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાએ ટ્રૅક ટૂ કૉન્ફરન્સ યોજી હતી. એ કૉન્ફરન્સમાં ભાગ લેવા કૉન્ગ્રેસના નેતા સલમાન ખુરશીદ અને મણિશંકર ઐયર, BJPના ફૉરેન અફેર સેલના વડા અને ભૂતપૂર્વ રાજદૂત એન. એન. જહા તથા અટલ બિહારી વાજપેયીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી ગયા હતા. પત્રકારોમાં ‘હિન્દુ’ના ભૂતપૂર્વ તંત્રી સિદ્ધાર્થ વરદરાજન હતા. વેદ પ્રતાપ વૈદિકને પત્રકાર તરીકે નિમંત્રણ હતું કે પછી વિવેકાનંદ ફાઉન્ડેશન વતી ત્યાં ગયા હતા એની વિગત બહાર આવી નથી.



સિદ્ધાર્થ વરદરાજને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા લેખમાં કહ્યું છે કે કૉન્ફરન્સમાં વૈદિક પોતાને સંઘ અને સરકારની નજીકની વ્યક્તિ તરીકે ઓળખાવતા હતા. તેમના આવા દાવાને કારણે કૉન્ફરન્સમાં હાજર રહેલા લોકો તેમને વધુ મહત્ત્વ આપતા હતા અને તેમની પાસેથી નવી સરકારના પાકિસ્તાન માટેના વલણને સમજવા માગતા હતા. કૉન્ફરન્સ પૂરી થયા પછી બીજા ભારતીય પ્રતિનિધિઓ ભારત પાછા ફર્યા હતા, પરંતુ વૈદિક ત્રણ અઠવાડિયાંના વીઝા મેળવીને પાકિસ્તાન રોકાઈ ગયા હતા. પાકિસ્તાનમાં તેઓ અનેક લોકોને મળ્યા હતા જેમાં હાફિઝ સઈદ સાથેની મુલાકાત આશ્ચર્યજનક હતી.



આશ્ચર્યજનક એટલા માટે કે પાકિસ્તાન સરકારની મંજૂરી વિના અને ભારત સરકારની જાણ વિના હાફિઝ સઈદ સાથે મુલાકાત શક્ય નથી. હાફિઝ સઈદ પાકિસ્તાનના લશ્કર તેમ જ લશ્કર-એ-તૈયબાનું સર્જન છે. તે એનો કૃપાર્થી પણ છે અને પાકિસ્તાન માટે માથાનો દુખાવો પણ છે. એ ઉપરાંત અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો છે, જે વૉન્ટેડ છે અને તેના માથા સામે ઇનામ છે. હાફિઝ સઈદ ભારતની સંસદ પર કરાયેલા હુમલાનો મુખ્ય આરોપી છે. ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો એમાં મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ હતો. કસબ અને બીજા આતંકવાદીઓ હાફિઝ સઈદ પાસેથી મોબાઇલફોન પર આદેશ મેળવતા હતા એવો ભારત સરકાર દાવો કરે છે. હકીકતમાં ઓસામા બિન લાદેનના મોત પછી હાફિઝ સઈદ પાકિસ્તાનનો સૌથી મોટો અને ખતરનાક આતંકવાદી છે. તે કોઈ પાકિસ્તાની ઉર્દૂ શાયર કે યુનિવર્સિટીનો પ્રોફેસર નથી કે તેને ગમે ત્યારે મળી શકાય. હાફિઝ સઈદ પાકિસ્તાન સરકારની મંજૂરી વિના કોઈ ભારતીયને મળે એ શક્ય જ નથી. ભારત સરકાર પણ હાફિઝની પ્રવૃત્તિ પર નજર રાખતી જ હોવી જોઈએ. સંસદમાં હોબાળો મચવાનું આ પણ એક કારણ છે. હાફિઝે પણ વૈદિકને મળવાની સંમતિ કઈ ગણતરીએ આપી એ પણ એક પ્રશ્ન છે. ટૂંકમાં કહીએ તો, વૈદિકની હાફિઝ-મુલાકાત એક પત્રકાર તરીકેની રાબેતાની મુલાકાત નથી એ વાત નક્કી છે. એની પાછળ જરૂર કોઈ પૂર્વઆયોજન હોવું જોઈએ. 



બીજી નોંધવા જેવી વાત એ છે કે મુલાકાતની વિગતો વૈદિકે જાહેર કરી છે. હાફિઝ એ વિશે કાંઈ બોલ્યો નથી. વૈદિકની નિવેદનમાંની ભાષા એવી હતી જાણે તેઓ ભારત સરકારના દૂત તરીકે હાફિઝને મળવા ગયા હતા અને તેમણે નરેન્દ્ર મોદીની બાબતે હાફિઝના મનમાં જે શંકાઓ અને ભય હતાં એ દૂર કર્યા હતાં. હાફિઝ તેમને બહાર કાર સુધી છોડવા ગયો હતો અને તેણે પોતે કારનો દરવાજો ખોલીને વેદ પ્રતાપ વૈદિકને વિદાય આપી હતી. વૈદિકના નિવેદનની ભાષા જોતાં એમાં નરેન્દ્ર મોદી સરકારના દૂત હોવાનો સંકેત પણ મળે છે અને જાણે કે કોઈ મીર માર્યો હોય એવા અપરિપક્વ દોઢડાહ્યા પત્રકાર હોવાનો સંકેત પણ મળે છે. જો પહેલી વાત સાચી હોય અને હવે સરકાર વાતને વાળતી હોય તો એ સરકારની મૂર્ખાઈ જ કહેવી પડે. વેદ પ્રતાપ વૈદિક બૅકડોર ડિપ્લોમસીની કોઈ લાયકાત ધરાવતા નથી. જો બીજી વાત સાચી હોય તો પણ ભારત સરકારે ચેતવા જેવું છે. આવા અપરિપક્વ માણસો ભારત સરકાર વતી બોલવાની હિંમત કરી શકે અને એ પણ વિદેશની ધરતી પર એમાં ચેતવણી છે. સરકારે આવા માણસોને બને ત્યાં સુધી દૂર રાખવા જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaat-20072014-2

Loading

...102030...4,0044,0054,0064,007...4,0104,0204,030...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved