(એક સાદીસીધી કવિતા)
કરમસદના કાશીરામકાકા કશે જતા નથી
એ ભલા ને ભલી એમની કેળ બાજરી
ખમતીધર ખોરડાના ધણીની ખેતીમાં
કણનું મણ થાય ને કાયા પરસેવે ન્હાય
હાથી મૂકો તો ય પાછો પડે એવી કેળ
તે લૂમો લેવા મુંબાઈનો મારવાડી અાવે …
ટૃેક્ટરનો જમાનો અાવ્યો તે એ ય લાવ્યા
પણ હળબળદ ને ગાડું : વાડામાં તૈયાર હોય
યંત્રોનું એવું તે ખરે તાકડે બગડી બતાવે
ને વીજળી તો વારે વારે પિયર જાય, એટલે
પંપ બાપડા પાંગળા, છતે ડિઝલે અોશિયાળા …
કાશીરામકાકા કહે છે કે –
‘ઋતુઅો રાજાની ય રાહ નથી જોતી
ને ધરતીમાતા બીજ નથી ખોતી
બાકી જિન્દગી અને ધોતી ઘસાય … જર્જર થાય …
અા જુવોને પંડનાં છોકરાં પરદેશ ગયાં તે
જમીન થોડી પડતર રખાય છે, હેં !
માલિકે અાપણી વેઠવા વાસ્તે વરણી કરી તે
અાપણે જાતને સાવરણી કરી −
લીલાલ્હેર તે અા સ્તો વળી … !’
કાશીરામકાકાનો સંદીપ
સીમાને પરણીને સીડની ગયો
વિનોદ વિધિને પરણીને વેનકુંઅર જઈ વસ્યો
ને બીના બોરસદના બિપિનને પરણીને
બાલ્ટીમૉરમાં, − હા બાબરી બાધા માટે બધાં
બે વર્ષે અાવે, પણ −
બાજરીનું ખેતર તો બાધરને જ સાચવવાનું … !
કાશીરામકાકા તો કશે જતા નથી, પણ −
સરદાર પટેલના વતનવાસીઅો
શિકાગોમાં ઘણા … કે ત્યાં ચરોતરની
ન્યાત મળી, અારતી અને પ્રસાદ પછી
નક્કી થયું કે વતનની સેવા કરીએ !
કાશીરામકાકાને તેડીએ ને સન્માન કરીએ …
કાકા મને કહે કે − ‘મનુ ભૈ ચાલો ત્યારે
તમે ય પેન્સિલવેનિયામાં
પરેશનાં પોતરાંને રમાડતાં અાવજો … ’
મોટા હૉલમાં મેળાવડો થયો
એકે ય થાંભલા વિના અાભલા જેવી છત …
કાશીરામકાકાને અાઈપેડ અાપ્યું ને
ઘઉંની સાથે ચીલ પાણી પીવે તેમ
મનુભૈને અાઈફોન અર્પણ કરીને
ન્યાત તો રાજી રાજી …
અરે, કાશીરામકાકાને કહો : ‘બે શબ્દો બોલે … ’
કાકાને થયું − ભલે ત્યારે ! બોલ્યા :
‘વહાલાં વતનવાસીઅો … ભગવાન ભલું કરજો !
અાપણી ભૂમિ તે અાપણી ભૂમિ ! મોતી પાકે મોતી !
મેં નાપાડના નરસીને બોલાવીને નર્સરી સોંપી, તે −
બે પાંદડે થયો ! ને એનો નીતિન
નર્સરીમાં રોપા ગણતાં ગણતાં
દાક્તરી કૉલેજમાં ગયો … બુદ્ધિ બુશના બાપની થોડી છે ?!
પણ મૂળ વાત તો ભીતર ભોંયની છે, ભાઈઅો !
માલીપાનો ખાલીપો બઉ ખખડે હાં કે !
પ્રાર્થનાઅો કરીએ કે કૂતરાં પાળી બચીઅો ભરીએ −
− બધું જ ફાંફાં અને ફોતરાં છે − !
ભીતરની ભોમકા ફળવતી જળવતી બને તો ભયો ભયો
અમેરિકાએ અાટલું શીખવાનું છે …
બાકી તો પરિશ્રમ જ પારસમણિ છે …
બહેનો અને બંધુઅો ! સુખી થજો ને સુખી કરજો … ’
દેશીઅો કાશીરામકાકાને કેટલું સમજ્યા
એની તો ખબર નથી પડી
પણ સીઅાઈઅાઈએ એ ટૂંકા પ્રવચન વિશે
લાંબો અભ્યાસ કરવા કમર કસી છે, ને −
કાશીરામકાકા કરમસદ અાવી ગયા છે.
(16.06.2013, ક્લીવલૅન્ડ, અોહાયો, યુ.એસ.એ.)
[સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2013]
![]()


આજે ભલે આખી વાત બદલાઈ ગઈ હોય અને વિદેશ જનારામાં શહેરી લોકો વધુ હોય, પરંતુ વિદેશ જવાનું પ્રથમ સાહસ કરનારા લોકો દરિયાકાંઠે વસનારા હતા. તેઓ કાયમ દરિયા ખેડતા હોય એટલે દરિયાથી પરિચિત હોય અને સાહસ કરી અન્ય દેશમાં પહોંચી જતા. કોઈપણ પ્રકારના સંઘર્ષ માટે તેઓ તૈયાર હોય. પોતે બહુ મોટા જ્ઞાતિ-સમાજ, ઉચ્ચ જ્ઞાતિ-સમાજમાં ગયા ન હોય એટલે અમુક પ્રકારની વર્તણૂક પણ તેઓ વેઠી શકે અને આગળ જતાં પોતાની દિશા તરફ આગળ વધે.
It is a fact that Patel and Nehru were cut from different cloth and they had huge differences. The two were slated to meet Gandhi to sort things out but then Nathuram Godse did not let that happen. After Gandhi's killing, not only did the two resolve their differences to a large extent but spoke in unison on many issues. The mammoth collection of Patel's letters of five years would be a huge disappointment to Modi when he reads what the first home minister had to say about Hindu Mahasabha, RSS and Shyama Prasad Mookerjee, a BJP icon. Patel's views on socialist Jayaprakash Narayan whom Modi talked of so fondly the other day in Patna would definitely not please Modi. And if key NDA ally Akali Dal gets to know that Patel called Master Tara Singh, the tallest Sikh leader, "not normal" there could be problems. It would also help Modi to dust off Hindu Mahasabha history and read what its ex-president NB Khare, once a leading light of the Congress in the Central Province, whose ouster was blamed on Patel, had to say about the iron man.