(રાગ અાશાવરી – તીન તાલ)
વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે … વૈષ્ણવ
હરિજન જોઈ હૈડું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં … વૈષ્ણવ
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો … વૈષ્ણવ
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વહાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો … વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, કાંહાં લખ્યું એમ કહેની … વૈષ્ણવ
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જાંહાં લગી, જગત ગુરુ, તું દાસ … વૈષ્ણવ
મન તણો ગુરુ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે … વૈષ્ણવ
('અાશ્રમ-ભજનાવલિ')
![]()


પણ વિસરાઈ જવા આવેલા આ પુસ્તકને થોડાં વર્ષો પહેલાં મુંબઈના હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉડેન્શન દ્વારા નવજીવન આપવામાં આવ્યું. અને તે પણ આજના જમાનાને અનુરૂપ એવી રીતે. આમ થાય તે માટે પ્રકલ્પના સંપાદક રજનીકુમાર પંડ્યાએ ઘણી જહેમત લીધી. પુસ્તકમાં કિલાભાઈનો અનુવાદ તો આખેઆખો છાપ્યો જ. પણ એ અનુવાદ પદ્યમાં, સંસ્કૃતના મંદાક્રાન્તા શ્લોકમાં છે. વળી ભાષા આજથી લગભગ સો વર્ષ પહેલાંની. એટલે આજના વાચકને સમજવા-માણવામાં કદાચ થોડી મુશ્કેલી પડે. તો એ ટાળવા માટે સંસ્કૃત સાહિત્યના ગાઢ અભ્યાસી ગૌતમ પટેલે લખેલું વિવરણ પણ સાથોસાથ છાપ્યું. પછી તેમાં પાને પાને ઉમેર્યાં વાસુદેવ સ્માર્તનાં બહુરંગી ચિત્રો. બીજા કેટલાક કલાકારોનાં ચિત્રો પણ ઉમેર્યાં. અને આ બધું જાડા આર્ટ પેપર પર સુંદર સુભગ મુદ્રણ દ્વારા રજૂ થયું. એટલે પુસ્તક માત્ર વાંચવા માટેનું ન બની રહ્યું, સાથોસાથ જોવા જેવું પણ બન્યું. પણ આ અનુવાદ આખો વાંચવો ન હોય અને છતાં માણવો હોય તો? આજના માણસને વાચક બનવા કરતાં શ્રોતા અને દૃષ્ટા બનવાનું વધુ ફાવે છે. એટલે વાચન અંગે બહુ ઉમળકો ન હોય તેવા ભાવકો માટે પણ અહીં સગવડ કરી છે. આપણા અગ્રણી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બધા શ્લોકોને સંગીતબદ્ધ કર્યા, અને જાણીતા ગાયક પ્રફુલ્લ દવેએ તેને પોતાનો કંઠ આપ્યો. પુસ્તકમાં સાથે મૂકાયેલી બે ઓડિયો સીડીમાં એ ગાન સંઘરાયું છે જે સાંભળતાં કાલિદાસ અને કિલાભાઈની પ્રતિભાની સાથોસાથ સંગીતકાર અને ગાયકની પ્રતિભાનો પણ પરિચય થાય છે.