કેટકેટલા વેશ ? • રમણ વાઘેલા
કેટકેટલા વેશ ?
નહીં શરમ લવલેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
જળની વચ્ચે ઝાલર બાજે, મંદિર વચ્ચે માણસ !
થળની વચ્ચે કંકર વાગે, તિમિર વચ્ચે કાનસ !
પડ્યો પનારે દેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
દિવસ ઊગે તો રાત કહે તું, રાત પડે તો દિવસ,
સુણીના હો એવી વાત કહે તું, જૂઠની કેટલી ચીવટ ?
નિત્ય નગુણ વેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
વિગત વિનાની ભાત ચીતરી, જન્નતને તું મા’ત કરે,
એક ઈશના દેશની વચ્ચે, રામ રહીમને સાદ કરે.
કયો સમજવો વેશ ?
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
૬૫૨/૨, સેક્ટર ૮, ગાંધીનગર – ૩૮૨ ૦૦૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 17
![]()


બૌદ્ધિકોની વ્યાખ્યા એક જ લીટીમાં આપવાની હોય તો મોટા ભાગના લોકો કહી શકે, ‘બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે, બૌદ્ધિકોનું સંશોધન કરતા લોકો.’ આનો સીધો અર્થ એ થાય કે તેમને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાબતોનું જ્ઞાન હોઈ શકે, પણ સ્થાનિક સ્તરની સમસ્યાઓનો તેમને ભાગ્યે જ અંદાજ હોય. પણ સોમવાર, તા. ૧૯ જાન્યુઆરીના રોજ અવસાન પામેલા રજની કોઠારીએ સમાજવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાન ક્ષેત્રે અનેક આગવાં સંશોધનો તેમ જ અભ્યાસ દ્વારા આ અને આવી અનેક ગેરસમજણોને ખોટી પાડીને દેશવિદેશમાં તેમ જ સ્થાનિક સ્તરે પથદર્શક કામ કર્યું. તેને લઈને વીસમી સદીના અનોખા સમાજવિજ્ઞાની તરીકે તેમની ઓળખ બની.
શબ્દકોશકાર, બાળસાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક રતિલાલ સાંકળચંદ નાયકનું ૨૮ જાન્યુઆરીના બુધવારે અમદાવાદના તેમના નિવાસસ્થાને બાણું વર્ષની વયે અવસાન થયું. કડીના વતની રતિલાલે ત્યાંની સર્વવિદ્યાલય શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ૧૯૬૫ સુધી પાંચ વર્ષ અને ભવન્સ કૉલેજમાં સત્તર વર્ષ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કર્યું.