Opinion Magazine
Number of visits: 9664641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—278

દીપક મહેતા|Opinion - Opinion|1 March 2025

હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક સ્ત્રીબોધ           

૧૮૫૭ના વરસની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે : યુનિવર્સીટી ઓફ બોમ્બેની સ્થાપના. પણ ત્રીજી ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી ઝીણી વિગતોમાં આપણને ઝાઝો રસ નથી. આપણને તો ગમે છે ‘ભવ્ય ભૂતકાળ’નાં ગુણગાન ગાવાનું. તો ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે મુંબઈથી શરૂ થયું ગુજરાતી માસિક ‘સ્ત્રીબોધ.’ 

પહેલો અંક, જાન્યુઆરી ૧૮૫૭

હા જી. અમને ખબર છે. ઘણા વાચકો મનમાં, અને કેટલાક તો મોટેથી પણ, બોલશે : ‘લ્યો! આ તો ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર! અને પાછું નામ તો જુઓ : ‘સ્ત્રીબોધ.’ હા, એ હતું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું ગુજરાતી માસિક. એ હતું સ્ત્રીઓ માટેનું આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું માસિક. (એક આડવાત : થોડા દિવસ પહેલાં એક મિત્રે પૂછેલું કે તમે મોટે ભાગે ‘ભારત’ને બદલે ‘હિન્દુસ્તાન’ કેમ લખો છો? જવાબ : કારણ રાજકીય ભૂગોળની દૃષ્ટિએ આજના ભારત કરતાં ૧૯૪૭ પહેલાંનું ‘હિન્દુસ્તાન’ ઘણું મોટું હતું. એ વખતે તેમાં આજના પાકિસ્તાન, બાંગલા દેશ, બ્રહ્મ દેશ, સિલોન, નેપાળ, ભૂતાન, વગેરે દેશોનો પણ સમાવેશ થતો હતો. અરે, વચમાં થોડા દાયકા તો એડન પણ મુંબઈ ઈલાકાનો એક ભાગ હતું. તો મહેરબાન કદરદાન વાચક બહેનો, મુંબઈથી ગુજરાતીમાં પ્રગટ થયેલું માસિક ‘સ્ત્રીબોધ’ તે આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક.

પારસી કન્યા શાળા, ૧૮૭૦

બીજાં અનેક ક્ષેત્રોની જેમ આ ‘ચોપાનિયું’ (એ વખતે સામયિક માટે વપરાતો શબ્દ) પ્રગટ કરવાની પહેલ પણ મુંબઈના પારસી બિરાદરોએ કરી હતી. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં તો મુખ્યત્ત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ ચાણાક પારસીઓની નજરમાં એ વાત તરત આવી ગઈ કે સુધારાની પ્રવૃત્તિમાં સ્ત્રીઓને પણ નહિ સમાવી લઈએ તો એ પ્રવૃત્તિ બહુ ઊંડાં મૂળ નાખી નહિ શકે. અને સ્ત્રીઓને સમાવવા માટેનું પહેલું પગથિયું તે છોકરીઓને ભણાવવી-ગણાવવી. એટલે મુંબઈ શહેરમાં – અને બીજે પણ – કન્યા કેળવણીમાં પહેલ પારસીઓએ કરી. પણ ભણ્યા પછી, કદાચ ઘર-સંસાર માંડ્યા પછી – છોકરીઓની કેળવણીને કાટ ન લાગે તે માટે શું કરવું? તેમને ગમે, તેમને ઉપયોગી થાય, તેમને માર્ગદર્શન મળી રહે એવું વાંચવાનું સતત આપતા રહેવું. તો એ માટે શરૂ કર્યું માસિક ‘સ્ત્રીબોધ.’

એ શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી, અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. જરા વિચાર કરો : એ વખતે દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ સાધારણ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. ગુજરાતી ભાષાનું પહેલ વહેલું સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં પ્રગટ થયેલું. તે પછી બીજાં બે-ત્રણ ‘ચોપાનિયાં’ પણ શરૂ થયેલાં. એવે વખતે ફક્ત સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો વિચાર પણ થાય તેમ નહોતું. પણ ખોટ જાય એ ભરપાઈ કેમ કરી કરવી? ડોસાભાઈ ફરામજી કામાજી આગળ આવ્યા. કહે : ‘ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વરસ સુધી હું દર વરસે ૧,૨૦૦ રૂપિયા આપીશ.’ હા જી. તમે કહેશો કે અરે રે! એમાં તે કઈ મોટી ધાડ મારી! પણ સાહેબ, એ વરસ હતું ૧૮૫૭નું, જ્યારે દેશમાં એક તોલો સોનાનો ભાવ હતો (આજના) રૂપિયા ૧૯. એટલે કે લગભગ ૬૩ તોલા સોનું ખરીદી શકાય એટલી રકમ દર વરસે થઈ.

અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. લખાણનાં વીસ પાનાં. ઉપરાંત ચિત્રોનાં પાનાં. બધાં ચિત્રો લંડનમાં છપાવતા. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકાય એ હેતુથી એક વરસનું લવાજમ રાખેલું એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન માગતા હો તો તમારે ખર્ચે આ અંક પાછો મોકલશો! જે લોકો નકલ પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે એક રૂપિયો મોકલી દેવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના)માં કહ્યું હતું કે આ ચોપાનિયું વાંચનારીઓને લાયકનું તથા દિલપસંદ કરવા સારુ તેમાં જ્ઞાનનો વધારો કરનારી તથા નિર્દોષ રમૂજ આપનારી બાબતો સાદી ભાષામાં અને કવિતોમાં લખવામાં આવશે અને તે બધું વધુ સારી રીતે સમજ પાડવા સારુ તેમની સાથે કેટલાંક અચ્છાં ચિત્રો દર વખત આ ચોપાનિયામાં દાખલ કરવામાં આવશે. અને તેને શોભીતું તથા સદ્દગુણો વધારનારું કરવાને મહેનતની કશી કસર કરવામાં આવશે નહિ. અંકમાં છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલાં ગરબા/ગરબી છાપ્યાં છે. દલપતરામે એક ગરબીમાં પારસીઓ માટે કહ્યું છે : ‘એ તો હેમ જડેલા હીરા છે.’ 

પહેલા વરસના છેલ્લા અંકમાં આખા વરસનો હિસાબ છાપ્યો છે. લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા અને વાર્ષિક દાનની રકમ ૧,૨૦૦ રૂપિયા. તેની સામે વાર્ષિક કુલ ખરચ ૨,૦૨૨ રૂપિયા, ૧૩ આના, એક પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ હતું.) પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી દાનની રકમ બંધ થઈ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબના ત્રણ દીકરાઓએ આ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસના માલિકોને ‘સ્ત્રીબોધ’ સોંપી દેવાનું (વેચી દેવાનું નહિ) નક્કી થયું. તંત્રીઓ બદલાતા રહ્યા. ચોપાનિયું ચાલતું રહ્યું. પણ રગશિયા ગાડાની જેમ. 

કેખુશરો કાબરાજી

એમાં નવું જોમ આવ્યું જ્યારે પ્રખ્યાત પત્રકાર, નાટ્યકાર, લેખક, સમાજ સુધારક, કેખુશરો કાબરાજી (૧૮૪૨-૧૯૦૪) ૧૮૬૩માં તેના તંત્રી બન્યા ત્યારથી. વચમાં થોડાં વરસ બાદ કરતાં જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શીરીન, પછી કાબરાજીનાં પુત્રવધૂ પૂતળીબાઈ, અને પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. કાબરાજીએ વાચન સામગ્રી અને ચિત્રોનું વૈવિધ્ય પુષ્કળ વધાર્યું. નવી નવી ‘બાબતો’ છાપી. આજે તો કોઈ સામયિક કે અખબારને ધારાવાહિક નવલકથા વગર ચાલતું નથી. આ રીતે ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કાબરાજીએ કરી. ૧૨૦ પ્રકરણની તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ સુધી ‘સ્ત્રીબોધ’માં છપાઈ. તેમની છેલ્લી ધારાવાહિક નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં છપાઈ. તેમનું જોઈને ધીમે ધીમે બીજાં સામયિકો અને અખબારોએ પણ ધારાવાહિક નવલકથા છાપવાનું શરૂ કર્યું.

બાથા હાઈસ્કૂલ, પાંચગણી

૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”   

પૂતળીબાઈએ તેમના જમાનાથી આગળનાં ગણાય એવાં બીજાં કામ પણ કર્યાં છે. તેની વાત આવતા શનિવારે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 માર્ચ 2025 

Loading

बन गया विश्वगुरू क्लब !

कुमार प्रशांत|Opinion - Opinion|1 March 2025

कुमार प्रशांत

अमरीकी राष्ट्रपति डोनल्ड ट्रंप ओर भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी के बीच कोई इस तरह आ खड़ा होगा, न हमने सोचा था, न इन दोनों ने. लेकिन फ्रांस के राष्ट्रपति इमैनुएल जं–मीशेल फ्रेडरिक मैक्रों ने ऐसा ही किया. इसलिए मैं चाहता हूं कि भारत की तरफ से उन्हें महावीर चक्र प्रदान किया जाना चाहिए. मैं नहीं कह रहा हूं “ भारत सरकार की तरफ़ से”, क्योंकि मैं जानता हूं कि भारत सरकार में ऐसी कूवत नहीं है. देश व सरकार में फर्क होता है; है. 

राष्ट्रपति बनते ही अंतरराष्ट्रीय राजनीति में जैसी बेसिर–पैर की आंधी बहा रहे हैं डोनल्ड ट्रंप, उसकी हवा जिस तरह मैक्रों ने निकाली है वैसी न किसी ने अब तक निकाली है, न ट्रंप ने कभी ऐसा सोचा ही होगा. उस दिन व्हाइट हाउस में, दोनों राष्ट्रपति साथ बैठ कर प्रेस को संबोधित कर रहे थे आौर ट्रंप बगैर हिचक के वह सब अनाप–शनाप कहे जा रहे थे जैसा उनके अलावा दूसरा कोई बोल नहीं सकता है. वेकह रहे थे कि यूक्रेन की जैसी सहायता अमरीका ने की है, वैसी यूरोप ने नहीं की. यूरोप ने तो इधर–उधर कुछ दिया भर ! वे अपनी सनक में आौर  कुछ बोलते कि उनकी बगल में बैठे मैक्रों ने उनके कंधे पर हाथ रख कर उन्हें रोका: ‘ आपके पास गलत जानकारी है. मैं सही जानकारी देता हूं. अमरीका ने यूक्रेन को जो भी सहायता दी है वह सब शर्तों से बंधी, सौदे व कर्जे के रूप में है. यूरोप ने पिछले दो वर्षों में  यूक्रेन की हर संभव मदद बेशर्त की है, और आज भी हम यूक्रेन के प्रति प्रतिबद्ध हैं !’ सारी दुनिया ने यह सुना, सारी दुनिया ने यह देखा. हतप्रभ ट्रंप बगलें झांकने लगे. 

ट्रंप ने जब कहा कि युद्ध के खर्च की भरपाई यूक्रेनको करनी होगी, तो मैक्रों ने फिर दखल दी और कहा: ‘ हमलावर तो रूस है. भरपाई उसे करनी होगी.’ यूक्रेन का क्या होगा, ट्रंप उसे कहां तकनिचोड़ेंगे, यह सब वक्त ही बताएगा लेकिन मैक्रों ने व्हाइट हाउस में, ट्रंप के बगल में बैठ कर उनकी पोल जिस तरह खोली, उसके लिए उन्हें महावीर चक्र मिलना ही चाहिए. 

अमरीका इन दिनों सब दूर छाया हुआ है. यही तो ट्रंप का वादा भी था. कोई जादूगर जैसे हैट से खरगोश निकाल देता है; और यह जानते हुए भी कि यह खरगोश हैट से नहीं, हैट के पीछे छिपे हाथ की सफ़ाई से निकला है, हम हैरान रह जाते हैं; ठीक वैसे ही ट्रंप के खरगोश लगातार बाहर आ रहे हैं और उनकी सच्चाई जानते हुए भी कभी हम, तो कभी वो हैरान रह जाते हैं. मुझे पता नहीं है कि ट्रंप साहब नेयह कला ‘अपने दोस्त’ से सीखी है या दोस्त ने उनसे लेकिन जुगलबंदी ऐसी गजब की है कि दोनों गुरूभाई मालूम देते हैं. विश्वगुरू ने विश्वदादा को सिखलाया है कि विश्वदादा ने विश्वगुरू को, यह पहेली हैजिसे वक्त ही सुलझाएगा.

ट्रंपसाहबनेअचानकयहशिगूफाउड़ायाकिउनसेपहलेजोवहांराष्ट्रपतिथे, उन बाइडन साहब ने कोशिश की थी कि भारत नरेंद्र मोदी को नहीं, किसी दूसरे को प्रधानमंत्री चुने. भारतीय राजनीति मेंविदेशी हाथ !! एकदम सनसनीखेज खबर एकदम शीर्ष से आई, तो भक्तों को उसे हाथोहाथ लेना ही था. ट्रंप साहब ने यह कहा ही नहीं, इसका ठोस प्रमाण भी दिया कि यूएसएड नामक संस्थान ने 21 मीलियन डॉलर की रकम भारत में झोंकी थी ताकि चुनाव में अधिकाधिक मतदाता मतदान केंद्रों तक लाए जा सकें. अमरीकी राज्य मियामी की एक सभा में बोलते हुए उन्होंने कहा : “ आख़िर हमें क्या पड़ीहै कि हम भारत में मतदाताआों की संख्या बढ़ाने के लिए 21 मीलियन डॉलर खर्च करें ? बाप रे, 21 मीलियन डॉलर !! मेरा अनुमान है कि वे कोई ऐसा झोल करने में लगे थे कि भारत में कोई दूसरा आदमी चुना जाए.” 

आप ध्यान दें कि विश्वगुरू व विश्वदादा जब भी ऐसी कोई युग परिवर्तनकारी घोषणा करते हैं तब मंच सार्वजनिक सभा का होता है, और मुद्रा उस अनाड़ी शिकारी की होती है जो यहां–वहां, इधर–उधर, दाएं–बाएं तीर चलाता जाता है कि कोई तो, कहीं तो निशाने पर लगेगा ! ट्रंप साहब के इस वक्तव्य में कितने तीर, कितनी दिशाआों में फेंके जरा इसका अंदाजा कीजिए : बात इस तरह कही गई कि ऐसालगा कि उनके प्रतिद्वंद्वी जो बाइडन साहब ने यूसएसएड नाम का कोई निजी संस्थान बना रखा था ( पीएम केयर फंड !) जिससे पैसे फेंक कर वे दुनिया की राजनीति को मुट्ठी में करना चाहते थे. तो पहलानिशाना यह कि जो बाइडन अपने देश को, अपने कानूनी प्रावधानों को धोखा देने वाले घटिया आदमी थे; दूसरा यह कि वे इन पैसों के बल पर दूसरे देशों के चुनावों में टांग अड़ाते थे; तीसरा यह कि वे भारतमें नरेंद्र मोदी की जगह कोई दूसरा आदमी आगे लाना चाहते थे – “ लेकिन देखो भाइयो, मैंने बाइडन का वह सारा खेल मटियामेट कर दिया ! नरेंद्र मोदी, समझ लो, मैंने, डोनल्ड ट्रंप ने तुमको ऐसे षड्यंत्र काजाल काट कर, फिर से गद्दी पर बिठाया है ! 

यहसफेदझूठहै. वह आदमी यह कह रहा है जिसे मालूम है कि यूएसएड संस्थान बाइडन के राष्ट्रपति बनने से बहुत पहले से बना व चल रहा वह संस्थान है जो दुनिया भर में, दुनिया भर के दान–धंधेकरता है. 1961 में राष्ट्रपति केनेडी ने फॉरेन असिस्टेंस एक्ट पारित किया था जिसमें से यूनाइटेड स्टेट्स एजेंसी फॉर इंटरनेशनल डेवलपमेंट ( यूएसएड) बना. ट्रंप को भी आौर हमें भी मालूम है कि अमरीकाकी सरकारें, आौर दुनिया की सरकारें ऐसे सारे धर्मादा कार्य अपने संकीर्ण राजनीतिक ध्येय हासिल करने के लिए करती हैं. उसमें ‘धर्म’ कम–से–कम, ‘मर्म’अधिक–से–अधिक होता है. ट्रंप साहब को ज़रूरबताया गया होगा कि 1954 में भारत के साथ अमरीका का पीएल 480 का समझौता हुआ था जिसे ‘फूड फॉर पीस’ कहा गया था. इस समझौते के तहत भूख की बंदूक में अनाज की गोली भरी गई थी. लंबे समय तक वह गोली खाते–खाते हम यह समझ सके थे कि कैसे अनाज के माध्यम से अमरीका ने हमारी स्वायत्तता पर हाथ डाला है. तब प्रधानमंत्री लालबहादुर शास्त्री ने ‘भूखे रहेंगे पर पीएल480 काअनाज नहीं खाएंगे’ जैसा राष्ट्र–संकल्प घोषित किया था. 

1950 में इसी अमरीका की पहल पर एक सांस्कृतिक मंच बना था जिसका नाम था कांग्रेस फॉर कल्चरल फ़्रीडम. यह मंच बना आौर देखते–देखते दुनिया के कोई 40 देशों में काम भी करने लगा. सांस्कृतिक स्वतंत्रता के संवाहक व संरक्षक का मुखौटा लगाए इस मंच से, उस दौर की, दुनिया की तमाम विशिष्ठ हस्तियां जुड़ गई थीं. हमारे जयप्रकाश नारायण इसकी भारतीय शाखा ने मानद अध्यक्ष थे. फिर पर्दाफाश हुआ कि यह साम्यवादी प्रभाव को काटने के लिए, अमरीकी गुप्तचर एजेंसी सीआईए के धन तंत्र से संचालित वह उपक्रम है जो अमरीकी हितों के संरक्षण के लिए काम करता है. यह पर्दाफाशहुआ तो जयप्रकाश समेत सारे नामी–गरामी लोगों ने इस संस्थान से इस्तीफा दे दिया. तो बात फिर खुली कि अमरीका अपने धनबल से अपना राजनीतिक हित छीनने–खरीदने का काम करता आया है. लेकिन यहां जिस 21 मीलियन डॉलर की बात ट्रंप ने की आौर भक्तों ने जिसे कांग्रेस से जोड़ दिया दरअसल वह रकम बांग्लादेश में चुनावी प्रक्रिया को लोकप्रिय बनाने के लिए भेजी गई थी. भारत का या कांग्रेसका उससे कोई नाता नहीं था. यह बात ट्रंप को भी पता थी लेकिन ऐसे जुमले भारत में ही नहीं, अमरीका में भी राजनीतिक काम करने के काम आते हैं. इसलिए ट्रंप ने झूठ की गोली दाग दी. भूख, बीमारी, अशांति, युद्ध, प्राकृतिक आपदा, विशेष अध्ययन व शोध जैसे शीर्षकों की आड़ में अधिकांशत: ऐसे अधार्मिक धार्मिक कार्य किए जाते हैं. इसलिए ट्रंप जो कह रहे हैं, वह उन जैसे दादा देशों की पोल खोलता है, शिकार देशों की नहीं. 

लेकिन यहां कमाल यह है कि यह बात वह आदमी कह रहा है जो खुद पिछले राष्ट्रपति चुनाव में अपना पलड़ा भारी करने के लिए नरेंद्र मोदी को मोहरा बना कर अमरी का ले गया था. अमरीका में बसे सुविधा परस्त व सांप्रदायिक भारतीयों को सम्मोहित कर, उनका वोट हासिल करने का यह शर्मनाक आयोजन था. मोदी भी वहां सहर्ष गए तथा भारतीय प्रधानमंत्री ने अमरीकी चुनाव में खुलेआम दखलंदाजीकी. इससे पहले किसी भारतीय प्रधानमंत्री ने ऐसा करने की कल्पना भी नहीं की थी. उस अमरीकी चुनाव में मोदी व ट्रंप दोनों हारे. इस हार से ही ट्रंप समझ गए मोदी–ढोल की पोल ! इसलिए इस बार उन्होंनेचुनाव में न मोदी को बुलाया, न शपथ ग्रहण में पूछा, न किसी तरह अमरीका पहुंचे मोदी का किसी अलग उत्साह से स्वागत ही किया. अंतरराष्ट्रीय राजनीति में सब कुछ ऐसा ही वक्ती होता है. 

अब ट्रंप रूस को साथ लेकर चीन को अमरीकी हितों के अनुकूल बनाने का समीकरण साधने में लगे हैं. आंतरिक मामलों के लिए उन्होंने बेलगाम मस्क को लगाम थमा दी है. अब भारत को भीअमरीका की अनदेखी न करते हुए, अपने नये समीकरण बनाने हैं जो ट्रंप–पक्षधरता की अपनी छवि के कारण भारत के लिए आसान नहीं होगा. मतलब, विश्वगुरू आौर विश्वदादा के आपसी रिश्ते में कोईविषम कोण बन सकता है. हम उस विषम कोण के लाचार शिकार बनेंगे.

(28.02.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

દલિત અસ્મિતાનો મિજાજ નારણ વોરા

સંગીતા પટેલ|Opinion - Opinion|1 March 2025

નારણ વોરા

1961ના ગુજરાત સ્થાપના દિને, અમદાવાદના સેંકડો શ્રમિકો, વાદળી ટોપી પહેરી વાદળી વાવટો પકડી, સવારથી જ ઉમટેલા વિધાનસભા ધેરવા. તત્કાલીન વિધાનસભા અમદાવાદની મધ્યે હાલની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી. ઘેરાવા પાછળ કારણ દલિતોએ છેડેલું જમીન આંદોલન હતું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(RPI)એ 1956માં શરૂ કરેલું જમીન આંદોલન 1966 સુધી તબક્કાવાર ચાલેલું. ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “રાજ્ય અને લધુમતીઓ”માં જમીનોના રાષ્ટ્રીયકરણનો મુદ્દો ઉઠાવેલો અને એમાંથી પ્રેરણા લઇને જમીન સત્યાગ્રહ શરૂ થયેલો. મેધાવી આંબેડકરવાદી આનંદ તેલતુંબડે તેમના પુસ્તક “Dalits …. Past, Present and Future”માં નોંધે છે કે, 1938માં ઔદ્યોગિક કામદારોની હડતાળ પછી, પહેલી વાર 1959માં સામ્યવાદનો લાલ અને આંબેડકરવાદનો વાદળી એમ બેઉ ઝંડા એક સાથે લહેરાતા જોવા મળેલા. મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાથી શરૂ થયેલું આ આંદોલન રાષ્ટ્રવ્યાપી બનેલું. મહારાષ્ટ્રની ઘણીબધી અસરો ઝીલતા ગુજરાતના દલિતોએ આ આંદોલનમાં જરા ય પાછી પાની કરી ન હતી. આ જુવાળ વચ્ચે નેપાળી જેવી ઝીણી આંખો, વાન ઉજળો અને કદકાઠીએ બિલકુલ પહેલનવાનની યાદ અપાવે તેવું એક વ્યક્તિત્વ હતું, નારણ વોરા. 

બાબસાહેબના ભગીરથ પ્રયત્નોથી અસ્પૃશ્યતાની નાગચુડમાંથી માંડમાંડ બહાર નીકળેલા દલિત સમાજ માટે આંબેડકર પારસમણિ જેવા હતા. એટલે જ તેમની વિચારધારાને વરેલા પક્ષ RPIમાં દલિતોએ પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો. એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  RPIના 6 કોર્પોરેટર ચુંટાઇ આવેલા. તેમાંના એક મોહનલાલ આંબેડકરવાદી તો અમારા ગામ દરિયાપુરના હતા. કામદારોએ આ વાતાવરણની ખરી અસર ઝીલેલી. કાપડ મિલના કામદારો ખાસ તો અમદાવાદના આંદોલનોની તાકાત હતા. નારણ વોરા આવા કામદારોનો બળૂકો અવાજ હતા. 1959થી 1966 સુધી ચાલેલા જમીન આંદોલનમાં આખા દેશમાંથી હજારો લોકોએ ગિરફ્તારી વહોરેલી. એની ચરમસીમા તો એ હતી કે સ્ત્રીઓએ ય તેમનાં બાળકો સાથે જેલની હવા ખાધેલી. નારણ વોરા ય આવા જેલવાસીઓમાંના એક હતા. 

નારણભાઈના મોટા ભાઈ ડાહ્યાભાઈ યુવાન વયે જ અમદાવાદ છોડીને દિલ્હીમાં ફીટર માસ્ટર તરીકે સ્થાયી થયેલા. ફીટર માસ્ટરના કૌશલ પર જ તેમણે એક દીકરીને દિલ્હીમાં ડોક્ટર બનાવી અને બીજી દીકરી હાલ અમદાવાદના જાહેર જીવનમાં વ્યસ્ત છે. ડાહ્યાભાઈ ઘણીવાર નાનાભાઈ નારણને દિલ્હી સ્થાયી થવાની સલાહ આપતા. પણ ગુજરાતમાં વાદળી ઝંડો પકડીને બેઠેલા નારણભાઈ એમની વાત સાંભળી ન સાંભળી કરી દેતા.  

1970 થતાં થતાં RPIના વળતાં પાણી થયાં. આવા શૂન્યાવકાશમાં અમરિકામાં વર્ગભેદ સામે સંઘર્ષ કરતા માર્કસવાદી લેનિનવાદી સંગઠન “બ્લેક પેંથરના” ઉદયનો પડઘો ભારતમાં સંભળાયો અને મહારાષ્ટ્રમાં “દલિત પેંથરની” સ્થાપના થઈ. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતના દલિતો ય આમાં સાથો સાથ જ રહ્યા અને ગુજરાતમાં “દલિત પેંથરના” મંડાણ થયા. વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, બકુલ વકીલ અને RPIથી વિખૂટા પડેલા બંધુઓ રમેશચંદ્ર પરમાર અને નારણ વોરાથી ગુજરાતમાં “દલિત પેંથર્સનું” અવતરણ થયું. દસકોઇ તાલુકાના જેતલપુર ગામે શકરા નામના યુવાનને ગામપંચાયતની કચેરીમાં જીવતો સળગાવી દેવાનો બનાવ દલિત પેંથર્સને એવો દઝાડી ગયેલો કે તેમણે રાતદિવસ એક કરી ગુજરાતનો સુષુપ્ત લાવા સક્રિય કરેલો. ગુજરાત ભરના લોકોને જેતલપુર ગામની ભાગોળે ભેગા કરીને પ્રચંડ દલિતશક્તિનું પ્રદર્શન કર્યું અને ગામના ઉજળિયાતોની ઊંઘ હરામ કરેલી. વાલજીભાઈ પટેલ લેખિત “જલતું જેતલપુર”માં આખી ઘટના બયાન છે.

વાલજીભાઈ પટેલ અને નારણ વોરા

ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે પેંથરોએ ધરાર યુદ્ધ છેડેલું. મિલ મજૂર કે કડિયાકામ કરતા કોન્ટ્રાક્ટરથી માંડી સરકારી કર્મચારીઓ, શિક્ષકો આ યુદ્ધના સેનાનીઓ હતા. પત્રિકા, સામયિક, જાહેરસભા, દેખાવો તેમના હથિયાર હતાં. નોકરી છોડી આંદોલન કરવું આ યોદ્ધાઓને પાલવે તેમ ન હતું. તેમ છતાં, નોકરીની પરવા કર્યા વગર પ્રસ્થાપિત વ્યવસ્થા સામે સરકારી કર્મચારીઓ ય ઝંપલાવેલું. શાહપુરના ગણપતભાઈ રાઠોડ પેંથર મિત્રોથી રાત્રે 12 વાગ્યે છૂટા પડી સાયકલ પર સવાર થઈ મિલની છેલ્લી પાળી ભરવા જતા એ મને યાદ છે. ગામડાઓમાં દલિત સ્ત્રીઓ પર થતા બળાત્કારની વાત ઘણી સલૂકાઇથી સ્ત્રી ગરિમા સચવાય તે રીતે કરતા નારણભાઈને મેં સાંભળ્યા છે. બુલંદ અવાજે વાત કરતા આ મેદાની વક્તાએ સામાન્ય માણસને ગળે ઉતરે તેવા શબ્દો શોધવા પડ્યા ન હતા. 

અમારા ઘરના એક ઓરડામાં દરરોજ ભરાતી મિટિંગ પૂરી કરી ઘરે જતી વખતે નારણભાઈ એક વાક્ય અચૂક બોલતા, “સંગીતા, અમારાં પગલાં સાફ કરી નાખજે હવે.” ઘરને સ્વચ્છ રાખવાની મારી ટેવ હતી. અમદુપુરા વિસ્તારની રાયચંદ મેઘરજની ચાલીનું તેમનું ઘર ય તેઓ પરિવારજનો પાસે સુઘડ રખાવતા. નોકરી પૂરી કરી મિલ છોડતાં પહેલા પગની એડી પત્થર સાથે ઘસી ચોખ્ખી કરવાનું તેઓ ચૂકતા નહિ. એકદમ સુઘડ દેખાતા એ મિલમજૂર દલિત પોતે સ્વચ્છતા ઝુંબેશનું પ્રતીક હતા. આખો દિવસ પહેરણ અને ચડ્ડી પહેરી મિલની થ્રાસલ ખાતાની નોકરી કરતા પણ, સાંજ પડ્યે ખાદીના ઇસ્ત્રીબંધ સફેદ કપડાં પહેરી પેંથર્સ સભાઓ ગજવતા નારણભાઈને આંદોલનની ચિંતા હૈયે હતી. 

1981ના અનામત વિરોધી આંદોલનથી દલિત સમાજ બહાવરો બની ગયેલો તે વખતે પણ નારણભાઈએ ગિરફ્તારી વહોરેલી. તેમના પરિવારમાં આજદિન સુધી કોઇએ  અનામતના ફળ ચાખ્યા નથી, પણ તેનો જરા ય રંજ રાખ્યા વગર દલિત આંદોલનના આ કડખેદેએ પાછું વાળી જોયું ન હતું. તેમના મિલમજૂર બનેવી પણ આ રમખાણમાં પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. એમની ખાંભીઓ હજી ડૂસકાં ભરે છે. 

એક સંસદસભ્યએ પપ્પાને ઘણીવાર કહેલું “વાલજીભાઈ, અમને નારણ વોરા આપી દો.” નારણભાઈ આવા પ્રલોભન સામે ડગે એવા ન હતા. એકવાર રાજ્ય કક્ષાના તત્કાલીન ગૃહ મંત્રી યોગેન્દ્ર મકવાણા તેમને મળવા મિલમાં ગયેલા મોટી ગાડી લઇને. મિલ માલિકને કૌતુક થયેલું આ નારણ વોરા કોણ છે જેને, મળવા આટલા મોટા માણસ આવ્યા છે? આવા દબદબાથી ચલિત થાય તેવા તેઓ નહતા. 

નારણભાઈ કબડ્ડીના ય પાકા ખેલાડી હતા. વાલ્મિકી સમાજનો કબડ્ડીનો એક ખેલાડી મૃત્યુ પામ્યો. આકાશવાણીએ તેના મૃત્યુની નોંધ લેતા સમાચારમાં જણાવેલું કે, “મૃતક ખેલાડી બીજો નારણ વોરા હતો.” આ સમાચાર વાયુ વેગે જરા જુદી રીતે ગયા. લોકોએ એવું અર્થઘટન કર્યું કે નારણ વોરા મૃત્યુ પામ્યા. અને પછી તો સવારથી લોકોની ફોજ એમના ઘર આંગણે ઊભરાતી ગઈ. પરિવાર આભું બની ગયેલું. નારણભાઈનો ફોન આવતા પપ્પા તરત પહોંચી ગયેલા. બંને પેંથરો માટે એ આખો દિવસ લોક મેળા જેવો રહ્યો. નારણભાઈએ તેમનો પોતાનો સાક્ષાત્કાર તો કરાવ્યો જ, સાથોસાથ જીવતા જીવ હિતેચ્છુઓની હમદર્દીનો લ્હાવો પણ લીધો . 

મહારાષ્ટ્રની મરાઠાવાડા યુનિવર્સિટીનું “ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી” નામાભિધાન તો છેક 1994માં થયું પણ તેના નામાન્તરનું આંદોલન શરૂ થયેલું 1974માં. મહારાષ્ટ્રમાં દલિત વિદ્યાર્થીઓ પર પેંથર્સની અસર મોટી હતી. તે વખતે દલિતોની પહેલી-બીજી પેઢી કોલેજ સુધી પહોંચેલી. કટોકટીની જાહેરાત, જયપ્રકાશ નારાયણનો સંપૂર્ણ ક્રાન્તિનો નારો, વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન, નક્સલવાદનો પ્રારંભ આવા તમામ પરિબળો વચ્ચે મરાઠાવાડા આંદોલન વેગે ચડેલું. સેંકડો સ્ત્રી પુરુષોનાં લોહી રેડાયાં. આ હવાની લહેર ગુજરાત આવી. ગુજરાત દલિત પેંથર્સે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી શરદ પવારનું પૂતળું બાળી દેખાવો કરવાનો કાર્યક્રમ ઘડેલો. પોલીસને તેની જાણ થતા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો. તે વખતે અમદાવાદના શાહપુર વિસ્તારમા રહેતા ડાહ્યાભાઈ શિકારી આબેહૂબ પૂતળા બનાવતા. પોલીસ તેમના ઘરે પણ ગોઠવાઇ ગઈ. ડાહ્યાભાઈએ ખાનગી રાહે પૂતળું બનાવી તો દીધું પણ, ત્યાંથી તેને ખસેડવાનું કામ ભગીરથ હતું. નારણભાઈની ચાલીના નાકે દૂધની દુકાન હતી. આ દુકાને દૂધની હેરફેર કરતી ટ્રક આ પેંથરોને હાથવગી હતી. દૂધના કેન ભરેલી આ ટ્રક શાહપુર લઇ ગયા અને પોલીસની આંખમાં ધૂળ નાખી પૂતળું ટ્રકમાં સંતાડીને જાહેર સ્થળે લઇ ગયા અને કાર્યક્રમને ધાર્યો અંજામ આપી સરકારને ચોંકાવી દીધી. 

સૌરાષ્ટ્ર વિસ્તારના હળવદ તાલુકાના રણમલપુરા ગામે ઉજળિયાતોએ દલિત મહિલા જેઠીબહેનની જીભ કાપી નાખેલી. ગુજરાતના અખબારોનું મીંઢું મૌન હતું. દલિત પેંથર્સે અખબારની ભૂમિકા ભજવવાની હતી. આ જ દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી ભીમાભાઈ રાઠોડ સરસપુર, અમદાવાદના આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. સરકારની સામે પડેલા પેંથરોની આવા કાર્યક્રમોમાં અવરજવર સરળ ન હતી.  ચોકીદારની મદદથી કાર્યક્રમના આગલા દિવસે નારણભાઈ હોલના મેકઅપ રૂમમાં જતા રહ્યા. રાત આખી મેકઅપ રૂમમાં જાગતા જ પસાર કરેલી. બીજા દિવસે ભીમાભાઈએ સ્ટેજ પર આવીને પ્રવચન શરૂ કર્યું, ત્યાં જ નારણભાઈએ સ્ટેજ પર જઇ તરાપ મારી ભીમાભાઈના હાથમાંથી માઇક છીનવી લીધું. હોલમાં હાજર દલિત યુવાનોએ સૂત્રોચ્ચાર કરી ભીમાભાઈ  પર જૂતાનો વરસાદ વરસાવેલો. આવી તો ઘણી તવારીખ મૂકતા ગયા નારણભાઈ. આંગળીના ટેરવે ચાલતા એ આંદોલન ન હતા. છાપા તો તેની નોંધ જ લેતા ન હતા. સમાજને ય તેના હિતની પ્રતીતિ કરાવવાની હતી. પ્રસ્થાપિત વ્યવસ્થાઓ સામે બાથ ભીડવાની હતી. આ બધું જરા ય સરળ ન હતું. કોઇપણ સંસાધનો વગર, માત્ર પ્રતિબદ્ધતાના જોરે સંઘર્ષ જ કરવાનો હતો.     

1981થી ગુજરાતના કાપડ ઉદ્યોગના માન્‌ચેસ્ટર કહેવાતા અમદાવાદની મિલો ટપોટપ બંધ પડવા માંડી. મિલમજૂરો બેકાર થવા માંડ્યા. તેમાં આ પેંથર યોદ્ધો ય પિસાયો. તેમની દીકરીઓ કરુણા અને ભારતીને પરણાવી દઇ ચૂલાચોકાની કહેવાતી સુરક્ષિત જિંદગીની વ્યવસ્થા કરી દીધી પણ, દીકરાઓ અર્ધ બેરોજગારીમાં મુકાઇ ગયેલા. આર્થિક કારમી પરિસ્થિતિ સામે ઝીંક ઝીલવી તેમના માટે અઘરી બની. 50 વર્ષની ઉંમરે હ્રદય રોગના પહેલા હુમલામાં જ ચિર નિંદ્રામાં પોઢી ગયા. તેમના પત્ની સેમીબહેનની જેમ જ તેમની પુત્રવધૂઓ પણ ભર યુવાનીમાં વિધવા થઇ. છેલ્લી અવસ્થામાં જોયેલા સેમીબહેનની ઉદાસ આંખો જિંદગી પૂરી કરવાની રાહ જોતી હતી. 

અમદુપુરા રોડ પર યોજાયેલી નારણભાઈની શોકસભામાં આખો રોડ દલિતો વંચિતોથી ઉભરાયેલો. આકાશવાણીમાં ફરજ બજાવતા ભરત ચૌહાણે નારણભાઈને શોકાંજલિ આપતા “નવ કરશો કોઇ શોક રસિકડાં” ગીત રજૂ કરાવેલું. જાહેર રોડ પર હકડેઠઠ ભરાયેલા લોકોના ઉદાસ વદને શાંતિથી એ ગીત સાંભળેલું. વાતાવરણ એટલું ગમગીન થઇ ગયેલું કે નર્મદે એ ગીત નારણભાઈ માટે જ લખ્યું હોય એવું લાગેલું. ચંદુ મહેરિયાએ “આપણા દુ:ખનું કેટલું જોર” શીર્ષક હેઠળ શ્રદ્ધાંજલિ આપેલી. ‘નયામાર્ગ’ સામયિકમાં એ છપાયેલી. એ વાતને આજે સાડત્રીસ વર્ષ થઇ ગયાં. તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે ત્યારે, મિલમજૂર નારણભાઈ દલિત આંદોલનકારીઓની એક મિસાલ છે.         

e.mail : rsolanki0@gmail.com

Loading

...102030...367368369370...380390400...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved