૧-૨-’૧૭ના ‘નિરીક્ષક’ના અંકમાં [તેમ જ 20 જાન્યુઆરી 2017ના “ઓપિનિયન” વેબસાઇટ પરે, https://opinionmagazine.co.uk/subcategory/31/ami-ek-jajabar] મિત્ર વિપુલ કલ્યાણીના સુંદર લેખમાં ગુજરાત સાહિત્ય પરિષદની એક નોંધ લેખે ભોગીલાલ ગાંધીને ‘સત્યાગ્રહોમાં એક અદના સૈનિક’ તરીકે ઓળખાવ્યા છે. વાસ્તવમાં એ ભૂલ વિપુલભાઈની નહીં, ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈ સંદર્ભ માંહે એ નોંધ કરનારની છે.
‘અદના’ એટલે મામૂલી અથવા રાંક. ભોગીલાલ ગાંધી તો શું પણ કોઈ પણ વ્યક્તિ માટે આપણાથી એ વિશેષણ ના વાપરી શકાય. નમ્રતા બતાવવા ખાતર આપણે આપણી જાતને માટે એ શબ્દપ્રયોગ કરી શકીએ એ એક વ્યાવહારિક ઔપચારિકતા છે, પણ બીજી વ્યક્તિ માટે તો હરગિજ નહીં. (સિવાય કે કોઈ ચોક્કસ હેતુપૂર્વકની આવશ્યકતા હોય.)
આપણે ત્યાં આ વિશેષણનો પ્રયોગ કેટલા ય જાણીતા લેખકો દ્વારા ‘દર્શક’થી માંડીને રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભાવો માટે થતો મેં જોયો છે. સંભવ છે કે એ લોકોના મનમાં અદના એટલે અદકા (અધિક) જેવો ભાવ હોય, જે સાચું નથી.
ભવિષ્યમાં આપણે સૌ આના પરત્વે સભાન રહીએ એટલા વાસ્તે જ આટલી નુક્તેચીની !
E-mail : rajnikumarp@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10
![]()


એમને સહુ બારાડીસાહેબ કહેતા. નામ પાછળ સાહેબનું બિરુદ હસમુખ બારાડીને એટલે નહોતું મળ્યું કે એ સત્તા-વર્ચસ્વ કે બીજાને લાભ આપે એવા પદ પર રહ્યા હતા, અથવા આ બધાના સહારે એમણે પોતાની એક એવી મંડળી ઊભી કરી હતી કે જે એમના માટે પુરસ્કારો પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરે, એમના નામનો કોઈક રસ્તો બનાવે અથવા ચાર રસ્તે એમની પ્રતિમા મૂકાવે. પરંતુ એમની ઊંડી સામાજિક નિસબત અને એમના હુંફાળા સ્વભાવને કારણે એમને રંગકર્મીઓ-માધ્યમધર્મીઓ અને પ્રગતિશીલોએ ‘સાહેબ’ના બિરુદથી નવાજ્યા હતા. આ પૂર્વે જયંતિ દલાલની પણ આ બિરુદથી નવાજેશ થયેલી. બહુ જૂજ લોકોને એ સમજાતું હશે કે પ્રજા પક્ષેથી મળતી આવી નવાજેશ મોટા મોટા સરકારી પુરસ્કારો, સન્માન અને હોદ્દાઓ કરતાં પણ કેટલી મૂલ્યવાન અને ચિરંજીવી હોય છે. આ નવાજેશનો નશો વ્યક્તિવિશેષ બનવામાં નથી હોતો પણ સાધારણ જનસમાજમાં પોતાની ભીતરના વ્યક્તિવિશેષને ઓગાળવામાં હોય છે. ચાર ફેબ્રુઆરીએ આ જગતમાંથી એગ્ઝિટ લેનાર બારાડીસાહેબ કાયમ માટે ગુજરાતી રંગભૂમિ પર પોતાની આરામ ખુરશી ઢાળીને નિરાંતે પાઈપ પીતા રહેશે. અનેક નવોદિત રંગકર્મીઓને ગેરેજ જેવી જગ્યામાં સામાજિક નિસબતવાળી રંગભૂમિ વિકસાવવાનો વિકલ્પ સૂચવતા રહેશે. એમનાથી નાની ઉંમરના મિત્ર તરીકે, એમના સહકાર્યકર તરીકે અને એમના વિદ્યાર્થી તરીકે આટલું કહ્યા પછી મારે રૂંધાયેલા સ્વરે એટલું ચોક્કસ કહેવું પડશે કે એક હરતું-ફરતું થિયેટર આપણને અલવિદા કરી ગયું. જ્યાં ખોંખારીને કમિટેડ થિયેટર, થર્ડ થિયેટર કે થિયેટર ઓફ ઓપ્રેસ્ડની ચર્ચા માંડી શકાય એવું સરનામુ તો રહ્યું છે, પણ એ સરનામે મળતો માણસ હવે આપણી વચ્ચે નથી રહ્યો.
વિદ્વાન પર્યાવરણાવિદ્દ મિશ્રનું ગત ૧૯ ડિસેમ્બર ચ૨૦૧૬ની સવારે ૬૮ વર્ષની વયે કેન્સરની માંદગીને કારણે નિધન થયું. ગોપાલકૃષ્ણ ગાંધીના શબ્દોમાં, ‘તેઓ નિર્દંભી બુદ્ધિજીવી હતા. અન્ય લોકો શું કરે છે, શું નથી કરતા તેના પર ધ્યાન આપ્યા વિના તેઓ પોતાના કામને જ પ્રાધાન્ય આપતા હતા.’