Opinion Magazine
Number of visits: 9584699
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છીછરાં પાણીનાં માછલાં

પ્રહ્લાદ જોશી|Samantar Gujarat - Samantar|13 January 2017

જે યુવાન વિદ્યાર્થી તરીકે ગણિત અને વિજ્ઞાનમાં સ્કોટલૅન્ડમાં શ્રેષ્ઠમાં ગણાયો હોય. ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર, રાજકારણ, અને ફિલોસોફી ભણ્યો હોય. ત્રીસ વર્ષની વયે લિબરલ ડેમોક્રેટ પક્ષનો પ્રવક્તા બન્યો હોય. શેડો સેક્રેટરી* ફોર વર્ક એન્ડ પેન્શન નિમાયો હોય. બ્રિટનને યુરોપમાં જોડવાનું અભિયાન કરતી રાષ્ટ્રવ્યાપી સંસ્થાનો પૂરા આઠ વર્ષ ડાયરેક્ટર ઓફ કોમ્યુિનકેશન રહી ચુક્યો હોય. તેત્રીસ વર્ષની વયે બ્રિટનની સંસદમાં સભ્ય તરીકે ચૂંટાયો હોય. અને રાણીમાની તિજોરીનો સેક્રેટરી** નિમાયો હોય. એટલું જ નહીં, લિબરલ ડેમોક્રેટ પક્ષના સંસદમાં ચૂંટાયેલા સભ્યોનો પ્રમુખ પણ હોય. અને હા. સમાજજીવનમાં એના યોગદાનની કદર રૂપે રાણીમા એને નાઇટહૂડ પણ આપે, એટલે એ યુવાન ત્યાર પછી કહેવાય ‘સર’ ડેનિયલ એલેકઝાન્ડર. સર ડેનિ.

તો એના મગજમાં કેટલી રાઈ હશે?

નાગરિકોને એ પોતાના કરતાં કેટલા નીચા માનતો હશે?

નાગરિકો કરતાં પોતાને કેટલો ઊંચો માનતો હશે?

ત્રણે પ્રશ્નોનો જવાબ છે ‘જરા ય નહીં'.

ડેનિના મગજમાં જરા ય રાઈ નથી કે પોતે કેટલો પહોંચેલો રાજકારણી છે. જસ્ટ ધ મેન નેક્સ્ટ ડોર.

સાબિતી આ બે ફોટોગ્રાફ્સ. હું સ્કોટલેન્ડવાસી હતો ત્યારે ઇન્વરનેસના એક રસ્તા પર સામો મળ્યો. એની દીકરીને સરકારી દવાખાને ડોક્ટરને દેખાડીને ઘર ભણી આવી રહ્યો હતો. હું ઓળખી ગયો એટલે “હેય ડેનિ!” કહી રસ્તામાં ઊભો રાખ્યો. “નાઇસ ટુ સી યુ” સિવાય બીજી તો કોઇ વાત કરવાનો મારો હેતુ ન હતો, પણ આ જ તો વિશેષતા એક બ્રિટિશ રાજકારણીમાં, કે ઊભા રહી એણે પ્રેમથી મને પૂછ્યું કે હું ક્યાંથી આવી રહ્યો છું અને ઇન્વરનેસમાં શું કરી રહ્યો છું (એ વિસ્તારમાં ટુરિસ્ટ સિવાય ભારતીયો ન જોવા મળે જ્યારે હું ટુરિસ્ટ જેવો જરા ય દેખાતો ન હતો). એણે જ એ કહ્યું અને સાથે આમંત્રણ આપ્યું કે હું એની ઓફિસે એક વાર આવું. એક હાઇલેન્ડસ્ નિવાસી ભારતીય સાથે વાત કરવી એને ગમશે.

‘ચોક્કસ, ચોક્કસ’ કહી મેં વિદાય લીધી. જતાં જતાં એનો એક ફોટો લઈ લેવાનું મન થયું. એટલે એણે ચાલતા થતી વખતે આવજો કહેવા હાથ ઊંચો કર્યો હતો, ત્યારે એક ફોટો ક્લિક કરી લીધો. થોડો જ આગળ ગયો હશે ને બીજો એક નાગરિક મળ્યો, એની પણ સાથે થોડી વાર વાત કરવા ઊભો રહ્યો હતો ત્યારે મેં બીજો ફોટો ક્લિક કરી લીધો.

આ વાતને હું અઢી પોણા ત્રણ વર્ષમાં ભૂલી પણ ગયો હતો અને કોઈને તે વાત કહી પણ નહતી. પણ આજે ખાસ યાદ આવી.

ત્રણ દિવસથી રોજ વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવની મુલાકાત લઉં છું. પહેલા દિવસે પ્રદર્શન જોવા ગયો હતો, બીજા અને ત્રીજા દિવસે સેમિનાર્સમાં ગયો હતો અને આવતી કાલે ફરીથી પ્રદર્શનમાં જાવું છે.

સેમિનાર્સમાં સરકારી અધિકારીઓની ભરમાર છે. સુધારાને ઘણા અવકાશ છે (સહુથી વધુ તો, સરકારી અધિકારીઓમાં ખૂટતી સ્માર્ટનેસ) છતાં આવડું મોટું આયોજન સફળતાથી કરવા માટે સરકારને અભિનંદન આપવાં જ પડે (ભલે વિદેશી નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ મોટાભાગનું આયોજન થયું હોય). પણ, એક વાત બહુ ખૂંચી.

આવા પ્રસંગો હોય છે જ નેટવર્કીંગ માટે. અજાણ્યા માણસને મળો, તમારો પરિચય આપો. શું કામ કરો છો એ કહો. પછી સામો માણસ શું કામ કરે છે તે પૂછો અને એના વ્યવસાયમાં તમે કોઈ પણ રીતે મદદ કરી શકો એ કહો (ભલે, એ કોઇની ઓળખાણ જ કરાવી આપવાની હોય). અને જો કોઇ રીતે તમારા વ્યવસાય અને એના વ્યવસાયમાં કોઈ મેળ બેસતો ન હોય તો ‘નાઇસ મિટીંગ યુ’ કહી છૂટા પડવાનું હોય. આ કોર્પોરેટ વિશ્વનો સીધો સાદો રિવાજ છે.

બ્રિટનમાં આ રીતે ચમરબંધીઓને અને અબજપતિઓને પણ મળેલો છું. એમના વ્યવસાયમાં આપણે કાંઈ કહેતાં કાંઈ પણ ન કરી શકીએ એમ હોય તો પણ એ લોકો આપણી સાથે પ્રેમથી વાત કરે છે અને છૂટા પડે છે. અને અમુક તો આપણે શું કરીએ છીએ એ યાદ પણ રાખીને એમને કોઈ મળે જેમને મળવાથી એનું કે આપણું ભલું થઈ શકવાનું હોય, તો આપણી સાથે ઓળખાણ કરાવવા લઈ પણ આવે છે. આવા પ્રસંગોમાં ન એ ઊંચા, કે ન આપણે નીચા.

અરે, આ જ ઉત્સવમાં આજે જ રોટરડેમ પોર્ટ ઓથોરિટીના અધિકારીએ પ્રેમથી સવા દોઢ મિનિટ સાથે ઊભીને વાત કરી છે. અમેરિકાની અલામો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પણ સારી રીતે વાત કરી. યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપક સદસ્ય અને આજીવન ટ્રસ્ટીએ પૂરી છ મિનિટ મારી સાથે વાત કરી. વોપાક જેવી જાયન્ટ કંપનીના આંતરરાષ્ટ્રીય સંબંધોના જનરલ મેનેજરે પૂરા સૌહાર્દ સાથે ગઈ કાલે મારી સાથે વાત કરી હતી અને આજે એમની કંપનીના સેમિનારમાં મને ઓળખી ગયા તો સ્ટેજ પરથી મારી સામે હાથ ઊંચો કરી ઇશારાથી અભિવાદન પણ કર્યું.

પણ ભારતીયો! એમની વાત ન્યારી.

વાત જાણે એમ થઈ કે ત્યાં વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ભાગ લેવા આવનારા નાગરિકો, વિદેશીઓ, સરકારી અધિકારીઓ, આમંત્રિતો, વક્તાઓ, પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા વ્યાપારગૃહોના પ્રતિનિધિઓ, આયોજકોના કર્મચારીઓ, સેવકો, બધાના ‘પરિચય બેજ’ લગભગ સરખા છે. સાવ છેડે આઠ મિલિમીટરની પટ્ટીમાં એ ભાઈ કે બહેન શું છે એ લખ્યું હોય. અને જો એ બેજ અવળો ફરી ગયો હોય તો ખબર ન પડે કે સામે વાળો કે વાળી અહીં શું લેવા (કે કાંદો કાઢવા) આવ્યાં છે.

સારાં કપડાં પહેરેલા એક ભાઈ સામેથી આવતા હતા, એટલે હું એમની સામે મલક્યો અને શેક હેન્ડ કરવા હાથ લંબાવ્યો. તો એ ભાઈ તો જાણે મેં કોઈ ભૂલ કરી નાંખી હોય એ રીતે મારી સામે એક ક્ષણ માટે જોયું અને બીજી ક્ષણે મને સાવ અવગણીને મારી સાવ પાસેથી જ નીકળી ગયા.

એ જાણે ઓછું હોય, એમ એમની સાથે થોડાં પાછળ ચાલી રહેલાં એક મહિલા મારી પાસેથી નીકળ્યાં ત્યારે મને સંભળાવતાં ગયાં, ‘એક્સક્યૂઝ મી, હી ઇઝ અ જોઇન્ટ સેક્રેટરી’.

મારા મોઢેથી નીકળી ગયું ‘સો વોટ!’; પણ સાંભળવા એ ઊભાં ન રહ્યાં. જાણે એમણે જે કહ્યું એ ચુપચાપ સાંભળી અને સમજી લેવાની મારી ફરજ હતી, પણ હું જે કહું એ એમને મન નગણ્ય હતું.

આવું જ બીજીવાર થયું જ્યારે એક યુવા મહિલા સાથે વાત કરવા ઊભો રહ્યો. મારો પરિચય આપ્યો પછી એમનો પૂછ્યો. એમણે એટલું જ કહ્યું ‘ચીફ સેક્રેટરી, ફલાણું ઢીંકણું ડિપાર્ટમેન્ટ’; અને એક પણ અક્ષર આગળ બોલ્યા વિના ચાલી નીકળ્યાં. પછી જે ખોટા હાસ્ય સાથે મારી સામે જોયું, એનો અર્થ મેં તો એવો કર્યો કે ‘તું કોણ મને તારી ઓળખાણ આપવા વાળો! ખબર નથી પડતી હું કોણ છું! ફલાણા ઢીંકણા ખાતાની ચીફ સેક્રેટરી! તું મારી સાથે વાત કરે! સમજે છે શું તારા મનમાં! તારી લાયકાત શું! વગેરે વગેરે …'

યાદ રાખો, સરકારી ઉચ્ચાધિકારીઓ, તમારી આ તુમાખીની ગુજરાત બહાર ફાટેલા જોડા જેટલી ય કિંમત નથી. પ્રજા ભોટ અને નિસ્તેજ છે એટલે તમારા જેવા લવિંગિયાઓ ટ્રાઈ નાઇટ્રો ટોલ્વીનના બોમ્બ હોવાની ટણી રાખી શકે છે. બાકી તમારામાં ખરેખર આવડત ને તેવડ હોત તો સરકારને પ્રજાના પૈસે ટિકિટ ખર્ચીને વિદેશી નિષ્ણાતોને હાથ જોડીને બોલાવવા ના પડત. દેશને કોરી ખાતી ઉધઈ છો તમે. તમારામાં ખરેખર હીર હોત ને, તો તમે તમારા આયોજેલા ઉત્સવમાં આવેલા મહેમાન સાથે પ્રેમથી વાત કરી હોત. તમને થોડી ખબર હતી કે હું ભારતમાં રહું છું કે વિદેશમાં! વિદેશવાસી હોત તો તમારી તો કદર જ લઈને ગયો હોત ને! પણ તમને ક્યાં શરમ જેવું કશું છે! ભારતીય હાઇકમિશનની લંડન ઓફિસમાં પણ તમારો વહીવટ નજરે જોયો છે. સાલું, ભારત આવવા માંગતા વિદેશી મિત્રને ભારતીય હાઇકમિશનનું સરનામું ય આપવામાં શરમ આવતી હતી. એ તો ત્યાંની પ્રજાએ સામૂહિક આંદોલન કરી વિઝાની પ્રક્રિયા આઉટસોર્સ કરાવી એટલે વહીવટ સુધર્યો. શરમાવ જરા. તમારી તો ત્યાં ય ઇજ્જત નથી.

અને મારી સામે તુચ્છકારથી જોયું એનાથી મને કોઈ જ ફેર નથી પડ્યો. મારા જીવનના ખરાબમાં ખરાબ દિવસે પણ તમારી સહુથી મોટી લાયકાત મારી બરાબર હશે, પણ વધારે તો નહીં જ. प्रासादशिखरस्थोऽपि काकः न गरुडायते (મહાલયના શિખર પર બેઠો હોય તો પણ કાગડો ગરુડ બનતો નથી) એ તમારા જેવાઓ માટે લખાયેલી કહેવત છે. અને હું જ્યાં બેઠો હોઇશ એ સિંહાસન જ છે કારણ કે “स्वयमेव मृगेन्द्रता”.

આ છીછરાં પાણીનાં માછલાંઓના કારણે આજે ડેની – સર ડેનિયલ એલેકઝાન્ડર યાદ આવ્યો અને ફરી એક વાર યાદ આવ્યું ધિસ ઇઝ વોટ મેક્સ બ્રિટન બ્રિટન અને ભારતવર્ષ ઇન્ડિયા.

અસ્તુ

* (શેડો સેક્રેટરી એટલે જે પક્ષ સત્તામાં ન હોય એ પણ મંત્રીમંડળના પ્રતિબિંબ જેવું એક મંત્રીમંડળ નીમે. અને સત્તાધારી પક્ષના મંત્રી જે કામ કરે તેના વિષે નિષ્ણાત મંતવ્ય આપે. સત્તાધારી પક્ષના મંત્રીઓને જાગતા રાખે અને જો એ પક્ષ સત્તામાં આવે તો જે તે ખાતાના શેડો સેક્રેટરી જ એ ખાતાના મંત્રી બને. ખાતાંઓની વહેંચણીની સાઠમારી ત્યાં ન જ થાય)

** (વિત્ત મંત્રાલયમાં વિત્તમંત્રી પછીનું સ્થાન)

સૌજન્ય : https://www.facebook.com/prahlad.joshi/posts/10210206839799399

Loading

Once Upon a Time in Bombay

Dipti Nagpaul D'souza, Dipti Nagpaul D'souza|Gandhiana|12 January 2017

Mahatma Gandhi with Sardar Patel and others at Birla House, Bombay

A year into the Non-Cooperation Movement, Mahatma Gandhi announced the Tilak Swaraj Fund. The Fund, a homage to Bal Gangadhar Tilak on his first death anniversary, aimed at collecting Rs 1 crore to aid India’s freedom struggle and resistance to the British rule. A massive amount at the time, the skeptical were proved wrong when the money came in by the set deadline of June 30. Of the collected amount, Rs 37.5 lakh was donated by Bombay, which led him to refer to the city as “Bombay the Beautiful”.

The use of the expression surprised Mumbai’s Mani Bhavan Gandhi Sanghralaya President Usha Thakkar when she came across the reference during one of her researches. “He believed that rural India was the heart of the nation and often called cities ‘India’s plague ports’. I was curious as to what led him to call Bombay beautiful,” she recounts. The search led her to discover a plethora of lesser-known stories about the role Mumbai (then Bombay) played in the Mahatma’s journey and India’s freedom struggle.

Sandhya Mehta (left) and Usha Thakkar;

These are now part of a book Thakkar, along with her colleague and researcher Sandhya Mehta, has penned on Gandhi’s relationship with Bombay. Titled Gandhi in Bombay, the book, published by Oxford University Press, released on January 9. “Around 1931, when Gandhi was in jail for the Salt Satyagraha, Bombay came to be the ‘keep of Gandhism’. This was acknowledged by many, including the Governor at the time. Yet, the city’s role in the freedom struggle is often not recognised enough. This book aims to remind people of it,” says Thakkar.

The book, say Thakkar and Mehta, is the culmination of a five-year research that took them to various archives, libraries and a Mumbai of yore. “The roles of Mani Bhavan, Birla House, Chowpatty and Gowalia Tank in the freedom struggle are well chronicled. However, there were numerous other, more important places that few people know of. Most of those don’t even exist today,” points out Mehta, citing the example of Seth Morarji Gokuldas Hall that stood near Gaiwadi in Kalbadevi and China Baug.

In the book, Kalbadevi and Girgaum feature repeatedly, point out the authors, for two reasons — they constituted the heart of Bombay at that time; and they were the traders’ hub. “Gandhi had two messages for people, of protesting against the British rule and of adopting ‘swadeshi’. These had to go hand in hand. The cloth traders were an important community to be tapped for that,” explains Thakkar.

Gandhi’s unconventional leadership held an appeal for everyone, including women. “It was uncommon for women to be part of such movements at that time. Many would be hauled and arrested, lathicharged, but they came in huge numbers,” says Mehta.

In a city that has a history of being partial towards the Left, Gandhi made an impression. However, Thakkar admits that despite attempts, he could not reach out much to the mill workers, who formed a large part of the city’s working class. “But there were followers. For instance, mill worker Babu Genu Said protested against the foreign cloth. In December 1930, he stood in front of a truck carrying the material, refusing to let it pass. The British officer in-charge crushed him under the wheels. This resulted in protests and strikes,” explains Thakkar, adding that a road in Kalbadevi is named after him.

Even the glamour world of films was not immune to Gandhi’s appeal. The Hollywood films playing at Rialto (then located at Lamington Road) and Capitol Cinema at Victoria Terminus would show a documentary short on Gandhi before the screenings. “The documentaries were advertised more than the Hollywood show,” says Mehta.

courtesy : "The Mumbai Mirror", 10.01.2017

In order to keep the narrative simple, Thakkar and Mehta divided the chapters according to the chronology of events. Thakkar says, “Bombay is where Gandhi landed upon his return from South Africa. It’s here he started his practise as a barrister and failed. He chose this city to launch the first nation-wide satyagraha in 1912 and also the Quit India Movement in1942. At the Town Hall, now Asiatic Library, part of his ashes were kept so people could pay their last respects. The city and the Mahatma have been inseparable.”

courtesy : http://indianexpress.com/article/lifestyle/books/book-on-gandhi-mahatma-gandhi-and-bombay-india-freedom-struggle-once-upon-a-time-in-bombay-4468487/

°°°°°

Loading

વિકલાંગ દયા નહીં, અધિકાર માગે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2017

વિકલાંગતાના પ્રકાર સાતથી વધારીને એકવીસ કરવામાં આવ્યા છે, પણ તેમના અસરકારક અમલનો પ્રશ્ન ઊભો છે

સંસદના હંગામેદાર શિયાળુ સત્રની મહત્ત્વની લબ્ધિ 2014નું વિકલાંગ અધિકાર બિલ પસાર થવું તે છે. આર.પી.ડી. કહેતાં ‘રાઇટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ’ બિલ 2014 પર હવે તો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને વિકલાંગોના અધિકારો સ્થાપિત કરતો કાયદો અમલી બન્યો છે.

1995ના દાંત-નહોર વગરના વિકલાંગ ધારાના સ્થાને આ જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગોના અધિકારોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. 1995ના કાયદામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. જ્યારે હાલના કાનૂનમાં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી છે. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક–સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી છે.

જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક, અવસર અને માનવીય ગરિમા મળે, તે તો આ કાયદાનો ઉદ્દેશ છે જ, પરંતુ જે વ્યક્તિ 40 ટકા વિકલાંગતા ધરાવતી હોય તેને શિક્ષણ અને રોજગારમાં 4 ટકા અનામત આપવાની જોગવાઈ છે. વિકલાંગો માટે જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનનિર્માણની જોગવાઈ છે. વિકલાંગો સાથે ભેદભાવ આચરનારને જેલથી દંડ સુધીની સજા, સમાજ સુરક્ષાની અનેક યોજનાઓના લાભની બાંહેધરી ઉપરાંત મહિલા અને બાળકો માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા કહેવાતા જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતો મોટો ઉપેક્ષિત માનવસમૂહ દેશમાં છે. તેની ઓળખ બદલાતી રહે છે, પણ સ્થિતિ ઝાઝી બદલાતી નથી. પહેલાં તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, તો વડાપ્રધાને તેમને દિવ્યાંગ કીધા. માધ્યમોએ દિવ્યાંગ નામ જાણીતું કર્યું, પણ નવા કાયદામાં આ ઓળખ નથી! જેવાં ગુજરાતી કે પ્રાદેશિક તેમ અંગ્રેજી ભાષામાં પણ તેમના નામ-ઓળખ બદલાતાં રહ્યાં છે. હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જ્ડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેિશયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે.

દેશમાં વિકલાંગો કે દિવ્યાંગોની કેવી હાલત છે અને સમાન તક અને અવસર તેમના માટે કેવા જોજનો દૂર છે તે 2010માં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં 60 ટકા વિકલાંગતા છતાં ઉત્તીર્ણ થયેલા ઇરા સિંઘલને નિમણૂક ન મળી ત્યારે ઉજાગર થયું હતું. કુલ ઉમેદવારોમાંથી 0.30 ટકા જ ઉત્તીર્ણ થાય છે તેવી સિવિલ સર્વિસ એક્ઝામ તે વરસે નવ વિકલાંગોએ પાસ કરી, પણ તેમની વિકલાંગતા તેમની નિમણૂકમાં આડે આવી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ અને તત્કાલીન વડાપ્રધાન સમક્ષ ધા નાખ્યા બાદ જ નવમાંથી સાતને નિમણૂક મળી હતી.

યાદ રહે કે અથાક મહેનત અને બુલંદ લગનથી ઇરા સિંઘલ 2014માં યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં. જો દેશની સર્વોચ્ચ નોકરીમાં વિકલાંગોની આ હાલત હોય તો સામાન્ય નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ હશે? હજુ પણ દેશના ઘણાં રાજ્યોના પંચાયત કાયદાઓમાં અમુક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો પંચાયતના સભ્ય ન થઈ શકે તેવી જોગવાઈ છે. આવું ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારમાં પણ છે. તેના પરથી વિકલાંગોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાય માટે લડવાનું બાકી છે તે સમજાય છે.

આરંભે વિકલાંગ ધારો પસાર થઈ શક્યો તેને સંસદના શિયાળુ સત્રની મોટી ઉપલબ્ધિ ગણાવી, તેમાં પણ અર્ધસત્ય છે. આઝાદીના લગભગ પાંચ દાયકા પછી દેશના નીતિનિર્ધારકોનું ધ્યાન વિકલાંગોની સ્થિતિ તરફ ગયું હતું અને છેક 1995માં વિકલાંગ ધારો આવ્યો. તેની નબળી જોગવાઈઓ અને અમલમાં અખાડાને લીધે જ હવે તેના સ્થાને નવો કાનૂન લાવવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના સંયુક્ત સંમેલને 13મી ડિસેમ્બર, 2006માં વિકલાંગોના અધિકારો માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

ભારતે 1લી ઓકટોબર, 2007માં તેનું અનુમોદન કર્યું હતું. હાલના વિકલાંગ અધિકાર ધારાનાં મૂળ અહીં રહેલાં છે. ભારત સરકારે 2010માં વર્તમાન આર.પી.ડી. વિધેયક તૈયાર કરવા માટે સુધા કૌલ સમિતિની રચના કરી હતી. સમિતિએ 2011માં તેનો અહેવાલ સરકારને આપ્યો. 7મી ફેબ્રુઆરી, 2014માં યુ.પી.એ.-2 સરકારે હાલનું બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાર્લામેન્ટરી સ્ટેિન્ડગ કમિટીને આ બિલ સોંપવામાં આવ્યું હતું. સમિતિની બેઠકો અને અનેક સુધારાઓ પછી તે લાંબા સમયથી સંસદની મંજૂરીની રાહ જોતું અટક્યું હતું. આખરે 2016ની 14મી ડિસેમ્બરે રાજ્યસભાએ અને 16મી ડિસેમ્બરે લોકસભાએ તે પસાર કર્યુ હતું. એ રીતે કાયદો ઘણા વિલંબથી આવ્યો છે.

દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થયેલો વિકલાંગ અધિકાર ધારો સર્વાંગસંપૂર્ણ તો નથી જ. 2011ની વસ્તી ગણતરી મુજબ 1995ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની વસ્તી દેશમાં 2.68 કરોડ (ગુજરાતમાં 10.92 લાખ) હતી. નવા કાયદામાં વિકલાંગતાના પ્રકારો ત્રણ ગણા વધારીને 21 કરવામાં આવ્યા છે તે સ્વાગતાર્હ છે, પરંતુ તેને કારણે વિકલાંગોની વસ્તીમાં જે વધારો થવાનો છે તે મુજબની જોગવાઈઓ આ કાયદામાં નથી. 1995ના ધારામાં વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારમાં 3 ટકા અનામતની જોગવાઈ હતી.

આરંભના બિલમાં 5 ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ સરકારે માત્ર એક ટકો જ અનામત વધારીને 4 ટકા કરી છે. વિકલાંગોની કેટેગરીમાં ત્રણ ગણો અને અનામતમાં માત્ર એક જ ટકાનો વધારો ન્યાયસંગત નથી. શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત પર્યાપ્ત નથી. ખુદ સરકારે તેના એક અહેવાલમાં કબૂલ્યું છેકે 2011ની વસ્તી ગણતરી મુજબના 2.68 કરોડ વિકલાંગોમાંથી તે 49.5 ટકાને જ શોધી શકી છે અને તબીબી પ્રમાણપત્ર આપી શકી છે. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટીસ’ના સર્વે અનુસાર 58 ટકા વિકલાંગ દલિત આદિવાસી બાળકો શાળાનું પગથિયું ચડ્યાં નથી. જાહેર સંસ્થાઓનાં મકાનો વિકલાંગોના ઉપયોગ માટે સરળ બને તેવી સુવિધાઓનો દેશમાં મોટો અભાવ છે. લાખો એ.ટી.એમ.ને વિકલાંગોના ઉપયોગલાયક બનાવવાનો પડકાર ઊભો જ છે.

જુલાઈ 2016માં આધુનિક ગણાતા જાપાનમાં એક ક્રૂર ઘટના બની હતી. પાટનગર ટોકિયો નજીકના એક વિકલાંગ ગૃહ પર 26 વર્ષીય યુવકેે હુમલો કરી, 19 વિકલાંગોને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા. આ યુવાન કોઈ હત્યારો નહોતો, પણ વિકલાંગોને મારી નાખવા જોઈએ તેવું માનનારો હતો. આ માટે તેણે જાપાનની સંસદને પણ પત્રો લખ્યા હતા. વિકલાંગોની હત્યા એ જેમ તેમની મુક્તિનો માર્ગ નથી, તેમ કોરી સહાનુભૂતિ કે દયા પણ માર્ગ નથી. વિકલાંગો પણ નાગરિક તરીકે સમતા, ન્યાય, અને ભાગીદારીના હકદાર છે. તે દિશાના નક્કર પ્રયાસો જરૂરી છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 12 જાન્યુઆરી 2017

Loading

...102030...3,4723,4733,4743,475...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved