Opinion Magazine
Number of visits: 9584705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યારેય ના ભુલાય એવું દૃશ્ય!

સાગર રબારી|Opinion - Opinion|3 February 2017

બગોદરાથી ફેદરાના રસ્તે, પહોળા થયેલા રસ્તાની ધારે નાનકડો ટુકડો જ કહેવાય એવું ખેતર. એમાં ઊભેલા ચાસિયા ઘઉં, ઓછા વરસાદને કારણે સાવ મરવાના વાંકે જીવતા છોડ પર ઉંબિયો (કણસલાં) માંડ માંડ જીવે એવા હાલ. બપોરના લગભગ ૨-૧૫ વાગ્યાના સુમારે બગોદરા વટી આંબળી મિટિંગ માટે જતાં જોયું તો એક આધેડ મહિલા હાથમાં ડૉલ અને ડબલાથી કંઈક છાંટે છે, પાછળ એક બાળક બીજા નાના ડબલામાં કંઈક લઈને આપવા આવતું દેખાયું. દૂરથી જોયું, ત્યારે લાગ્યું કે ચાસિયા ઘઉંમાં ખાતર કે દવા કેમ છાંટતાં હશે? પિયત વગર ખાતર કે દવા કેમ?

મહિલા ના તો દવા છાંટતી હતી, ના ખાતર, એ ડબલામાં ભરી લાવેલું પાણી છાંટતી હતી! ઢાળિયાથી, સ્પ્રિંકલરથી અને ડ્રીપથી થતી સિંચાઈ તો જોઈ, પરંતુ ડબલામાં પાણી લઈ, છાલકે છાલકે ખેતરમાં સિંચાઈ થાય તે કેવું ? ના, કોઈ નવી પદ્ધતિ નહીં, મજબૂરી હતી સાહેબ!

ભાલનો એ વિસ્તાર, ભૂગર્ભમાં સિંચાઈલાયક પાણી નહીં, નર્મદાનાં પાણી આવ્યાં નહીં, વરસાદ ઓછો, પાકનિષ્ફળતા ખમાય નહીં, ઘઉં સુકાય તો પરિવારનું તો આખું વરસ સુકાય. ધરતીની એટલી મહેર ખરી કે એ જમીનમાં છંટાયેલાં પાણીનો પણ ભેજ થોડો વધારે ટકે, એમાં ય જો રાતનો ઠાર ભળે, તો વળી એથી રૂડું શું? ઠાર પડશે ને ભેજ વધશે, ખાલી મરવાના વાંકે જીવતા ઘઉં જ નહીં, પરિવારનું આખું વરસ બચી જશે, એવી આશાએ સૂનાં ખેતરો વચ્ચે મા-બાળક કેટલી આશાએ પાણી છાંટતાં હતાં! એક નાનકડા ટુકડા-શા ખેતર પર જીવતા પરિવારની આ જિજીવિષા જ કહેવાયને? ટકી રહેવાની જિજીવિષા, આવતી કાલ ઊજળી થશે એવી આશા અને વિશ્વાસ જ તો કહેવાય.

ગાડી ચલાવતાં-ચલાવતાં આખા રસ્તે એ જ દૃશ્ય દેખાય. માનસિક ગડમથલ કે આ કોની નિષ્ફળતા? ખેડૂતોના હામીઓ હોવાનો દાવો કરતા નેતાઓની, સમાજની કે સરકારની? એક નાનકડા ટુકડા પર સ્વમાનભેર જીવવા જરૂરી એવી ખેતીની લઘુત્તમ જરૂરિયાત સમું પાણી આટલાં વરસે ય કેમ નથી પહોંચ્યું? આધેડવયની માતા અને નાનું બાળક ડોલ, ડોલ પાણીએ પોતાનું ખેતર સીંચે, પરિવારનું પેટ ભરવા જ તો! એવડા ટુકડામાંથી પરિવારનું જ માંડ પેટ ભરાય ત્યાં વેચીને નફો કમાવવાની તો કલ્પના ય એમને ક્યાંથી આવે?

એ નાનકડું બાળક જે માતાને ડબલે ડબલે ક્યાંક દૂરથી પાણી લાવી આપે છે, એનાં સપનાં શું હશે? આવું વેઠતું બાળક, મર્યાદિત ટુકડા ઉપર નભતાં પરિવારનું બાળક, એનાં સપનાં ય કેટલાં વિકસવાનાં? સૌની સામૂહિક નિષ્ફળતા છતાં ઉમાશંકર જોશીએ વર્ણવેલા ભૂખ્યાજનનો જઠરાગ્નિ જાગે ને દાવાનળ પ્રગટે, તો કોણ જવાબદાર? અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમતા આવાં કેટલાં પરિવારો ગુજરાતમાં હશે? એમને જી.ડી.પી., ગ્રોથ, એફ.ડી.આઈ., ડિમોનેટાઇઝેશન, કૅશલેસ ઇકોનૉમી, નૅગૅટિવ ઇન્કમટૅક્ષ સાથે સાત પેઢીયે ય, સ્નાનસૂતકનો ય કોઈ સંબંધ ખરો?

શનિવાર (તા. ૨૧-૧-૧૭)ની બપોરે જોયેલું દૃશ્ય ખસતું નથી, એકધારી સહિયારી છતાં ય ધરાર નિષ્ફળતાની અનુભૂતિ જતી નથી. વારેવારે સામે આવીને પૂછે છે કે મારે કેમ ડબલે ડબલે સિંચાઈ કરવી પડે ? મારા બાળકને રમવાની ઉંમરે આમ ખેતરે, છોડવે છોડવે પાણી કેમ છાંટવું પડે છે ? તમારે સ્પ્રિંક્લર ને ડ્રિપ જોઈએ ને અમારે માઇનોર-સબ માઇનોર, જે આપો એના ઢાળિયા ય નહીં? અમારે ડબલે ડબલે છોડ સિંચવાના? અમારી આટલી તે અવગણના શીદને? અને નાના ખેડૂત, નાના માણસ, પણ માણસ તો છીએને? તમારે પાણી બચાવવું છે. ભલે, પણ અમારે તો વરસ બચાવવું છે, જીવવું છે!

લાગે છે કે, છેવાડાના માણસ સાથેનો સંબંધ કપાઈ ગયો છે. હું ય એ જ સમૂહનો થઈને રહી ગયો, જેને રોટલા કરતાં રોટલાના ઘાટ ને ઘડતરની ચિંતા વધારે છે.

રોજરોજનાં આંદોલનો જોઈ કોઈને લાગે કે આમને પ્રસિદ્ધિ મેળવવાની ટેવ પડી ગઈ છે, સ્ટંટ કરે છે. શું કરવું? કાયર થઈને નિષ્ફળતા સ્વીકારી બેસી જવું કે તમામ અવરોધો વચ્ચે અંતિમ ક્ષણ સુધી લડી લેવું?

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 20

Loading

અમેરિકાના ભાગલા

હરનિશ જાની|Opinion - Opinion|3 February 2017

ખરેખર તો આ અમેરિકાના સમાચાર છે. પણ આજકાલ દશા એ છે કે અમેરિકા છીંક ખાય છે, અને દુનિયા આખી પોતાનું નાક લૂછે છે.

૨૦૧૭ના જાન્યુઆરીમાં  ત્રણ બનાવ બન્યા. ૧૯મી જાન્યુઆરીએ  ગુરુવારે પ્રેસિડન્ટ ઓબામાનો વ્હાઈટ હાઉસમાં છેલ્લો દિવસ હતો. બીજે દિવસે લાખો લોકોની હાજરીમાં, નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ થઈ અને તેને બીજે દિવસે, શનિવારે લાખો સ્ત્રીઓ ઊમટી પડી ટ્રમ્પ સાહેબનો વિરોધ કરવા. હું પૂછું છું કે આ બધી બહેનો વોટિંગને દિવસે ક્યાં હતી ? જો હિલેરીને વોટ આપ્યો હોત, તો આજે હિલેરીબહેન ગાદી પર હોત; અને ગોરી પ્રજા – પુરુષો − દેખાવો કરવા નીકળી પડી હોત.

હવે આ દેખાવો કરવામાં એકલી સ્ત્રીઓ નહોતી. તેમાં મુસ્લિમો, આફ્રિકન અમેરિકનો (કાળા અમેરિકનો) અને બીજા ઈમિગ્રંટસ્ પણ જોડાયાં હતાં. વાત એમ છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દરેક લઘુમતિના લોકોને ગભરાવ્યા છે. આ સ્ત્રીઓના વિરોધમાં પણ વજૂદ છે. જો ટ્રમ્પસાહેબ ભવિષ્યમાં સ્ત્રીઓના હકની સામે કોઈક પગલાં લેવા નીકળે, એના પહેલાં જ ટ્રમ્પસાહેબને વોરનિંગ આપી હોય તો સારું. ખાસ કરીને એબોર્સનના પ્રશ્નને લઈને આ પ્રદર્શનો થયા. અમેરિકન બહેનોને સહકાર આપવા લંડન, પેરીસ ને બર્લિનમાં પણ ત્યાંની સ્ત્રીઓએ  દેખાવો કર્યાં.

વરસો પહેલાં અમેરિકામાં સ્ત્રીઓનાં એબોર્સન ગેરકાયદેસર હતાં. ત્યારે બરાબર ૪૪ વરસ પહેલાં સેરાહ વેડિમ્ગ્ટન નામની ૨૬ વરસની લોયરે નોરમા મક્રોવી નામની સ્ત્રીનો કેસ લડીને સુપ્રિમ કોર્ટમાં એબોર્સનનો કેસ જીતી ગઈ, અને તે દિવસથી અમેરિકામાં એબોર્સન કાયદેસર બન્યાં. આ કેસ ‘રો વિ. વેડ”ના નામથી પ્રખ્યાત થયો.

હવે સુપ્રિમ કોર્ટમાં નવ જજ હોય છે. હાલ ડેમોક્રેટીક જજ બહુમતિમાં છે. જે એબોર્સનમાં માને છે. મતલબ કે તેઓ “પ્રો–ચોઈસ”માં માને છે. એટલે એબોર્સન કરાવવું કે નહીં તેનો નિર્ણય તે સ્ત્રી કરી શકે છે. જ્યારે ટ્રમ્પ સાહેબ એબોર્સનમાં માનતા નથી. તેમનો ક્રિશ્ચિયન ધર્મ એબોર્સનમાં માનતો નથી. એટલે તેમને સૌથી વધારે વોટ ક્રિશ્ચિયનોના મળ્યા છે. ટ્રરમ્પસાહેબ સુપ્રિમ કોર્ટમાં પોતાના વિચારોને ટેકો આપનારા જજ ને બેસાડવાની વાતો કરે છે. અને સુપ્રિમ કોર્ટની મદદથી તેને ગેરકાયદેસર બનાવવા માંગે છે. જે અમેરિકન સ્ત્રીઓને મંજૂર નથી. તેમનું કહેવું છે કે એબોર્સન કરાવવું કે ન કરાવવું એ નિર્ણય સ્ત્રીની ચોઈસ પર રહેવા દો.

બીજું કે ટ્રમ્પસાહેબ સ્ત્રીઓને હલકા–મવાલીઓ વાપરે તેવા શબ્દોથી નવાજે છે. એક જેન્ટલમેન જેવી ભાષા નથી વાપરતા.( હું જાણું છું કે આ વાતની સ્ત્રીઓને ઈલેક્સન પહેલાં ખબર હતી. તેમ છતાં હિલેરીબહેન હારી ગયાં.) બીજી બાજુ, ઓબામા પોતે લોયર હતા. પ્રોફેસર હતા. અને લેખક હતા. તેથી તેમની ભાષા પણ શિષ્ટ હતી. જ્યારે આ બિઝનેસમેન પોતાની વાત ખરી કરવા ગમે તેમ બોલે છે. ઈનાગ્યુરેશનમાં પણ મુઠ્ઠી ઉગામી ઉગામીને બોલતા હતા.

દેખાવોમાં મુસ્લિમો પણ હતા. હવે આ મુસ્લિમો ધર્મચુસ્ત પ્રજા છે. જ્યારે ટ્રમ્પસાહેબને જીતાડનાર મુખ્યત્વે ગોરા ક્રિશ્ચિયનો છે. તેઓ પણ રૂઢિચુસ્ત છે તેમને મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા કે માથે બંધાતાં હિજાબ ગમતાં નથી. એટલું જ નહીં પણ પોતાની નોકરીમાં મુસ્લિમોને દિવસમાં પાંચ વાર નમાઝનો સમય ફાળવવો ગોરા સુપરવાઈઝરને અઘરો લાગે છે. તે ઓછું હોય તેમ જગતના બધા આતંકના હુમલામાં મુસ્લિમોના હાથ છે, એમ ટ્રમ્પ અને તેમના ટેકેદાર ગોરાઓ માને છે. એટલે હવે ગામે ગામ રહેતા ગોરા પુરુષો મુસ્લિમોને રંજાડે છે.

મુસ્લિમો એટલે બ્રાઉન ચામડીવાળી પ્રજા. એટલે તેમાં ભારતીય કોમ પણ આવી જાય. એટલે આ દેખાવોમાં ભારતીયો અને મેક્સિકનો પણ જોડાયા હતા. ઓબામાએ બે વરસમાં ૧૦,૦૦૦  સીરિયન રિફ્યુજીને લેવાનું વચન આપ્યું હતું, તેને ગાદી પર બેઠા પછી ત્રીજે દિવસે ટૃમ્પસાહેબે ફતવો બહાર પાડયો કે મિડલ ઈસ્ટના, સીરિયા, ઈરાક, ઈરાન, સોમાલિયા, સુદાન વગેરે દેશોના  નિરાશ્રિતો – રિફ્યુજીને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં, પણ બીજા દેશોના નવા ઈમિગ્રંટસને પણ ખૂબ ચકાસણી પછી લેવામાં આવશે. ‘મેક અમેરિકા સેફ અગેઈન”.

આ બધી વાતોથી ને બધા ઈમિગ્રંટ્સ ગભરાઈને દેખાવો કરવામાં જોડાયા છે. હજુ તો રાજ્યાભિષેકને અઠવાડિયું થયું છે, અને જાહેર કરી દીધું કે ગેરકાયદેસર ઘુસી આવેલા ઈમિગ્રંટ્સને પકડી પકડીને કાઢી મુકાશે.

હવે આ વાત કયા અમેરિકનને ન ગમે? ગોરા કે કાળા બધા ટ્રમ્પસાહેબને  ટેકો  આપવા દોડ્યા છે. પરંતુ તેમને ભાન નથી કે ઈમિગ્રંટ્સ સિવાય આ દેશ એક દિવસ ન ટકે. (પણ આ વાત ગેરકાયદેસર ઈમિગ્રંટ્સનીછે.) વસ્તુ એમ છે કે રિપબ્લિકનો કહે છે કે આ ગેરકાયદેસર ઈમિગ્રંટ્સને રોકવા ડેમોક્રેટ્સે (ઓબામા–હિલેરીની પાર્ટી ) તેમણે ચૂંટણી પહેલાં અમેરિકા અને મેક્સિકો વચ્ચેની બોર્ડર પર દિવાલ બાંધવાની વાત કરી છે.

તો તે માટે પણ તેમણે પહેલા અઠવાડિયામાં તે વાત ચાલુ કરી દીધી છે. હવે જોવાનું એ છે કે દિવાલ ક્યારે બંધાશે. હકીકત એ છે કે ટ્રમ્પસાહેબ દિવાલ બાંધશે તો મેક્સિકનો સુરંગ બાંધશે. ઈમિગ્રંટ્સની આટલી બધી વાતો પછી નવાઈની વાત એ છે કે ભારતીય મા બાપને ત્યાં જન્મેલા નમ્રતા રંધવા – નિકી હેલી – જે સાઉથ કેરોલીનાનાં ગવર્નર હતાં તેને, એક સ્ત્રીને,  ટ્રમ્પ સાહેબે પોતાની કેબિનેટમાં લઈ અને યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યાં.

બીજી બાજુ પ્રેસિડન્ટ ઓબામાએ તેમના છેલ્લા દિવસે, ૩૩૫ કેદીઓને છોડી મુક્યા. આખો દિવસ કામ કરીને ડ્રગ્ઝ–હેરોઈન વેચવાવાળા અને ઉપયોગ કરવાવાળા પકડાયેલા ગુનેગારોના કેસ તેમણે પોતે તપાસીને પોતાની સત્તા વાપરી જે લોકો વરસોથી જેલમાં હતા. તેમની સજા પૂરી થઈ ગણીને જવા દીધા હતા.

હાલ, ટ્રમ્પસાહેબ દેશને કઈ દિશામાં લઈ જાય છે તે કોઈ કહી ન શકે. હા. તેમ છતાં ભારતને માટે તે એક મિત્ર સાબિત થઈ શકે. કારણ કે આપણા મોદીસાહેબ તેમને ગમે છે. અને મોદીસાહેબને ફોન કરે છે. અને મોદીજી  તેમને પોલિટીક્સનાં લેશન આપે છે.

કદાચ ટ્રમ્પસાહેબે મોદીજીની વાત શીખી લીધી છે. “મેક અમેરિકા – બાય અમેરિકન.” –

૧લી ફેબ્રુઆરી ૨૦૧૭

(“ગુજરાત મિત્ર”માં આવતી લેખકની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમ)             

E mail- harnishjani5@gmail.com

Loading

કાલેલકર સન્માન સ્વીકારતાં

કેતન રૂપેરા|Gandhiana|3 February 2017

યુવા સંપાદન સાથી કેતન વિશે શું કહીશું? લાગે છે, સંજય શ્રીપાદ ભાવેના શબ્દોમાં એમને ‘છપાયેલાં પાનાંની પાછળની પ્રતિભા’ (નિરીક્ષક ૧-૧-’૧૭) તરીકે ઓળખાવીએ તે ઠીક જ છે, અને આ છપાયેલાં પાનાંમાં ‘નિરીક્ષક’નો પણ સમાવેશ થાય છે તે અલબત્ત ઉમેરવાનું ન જ હોય. સ્વકલમે ચમકવું એ એક વાત છે, અને અન્ય સામગ્રીને પરિષ્કૃત-સંમાર્જિત રજૂ કરવી તે બીજી વાત છે. કેતન રૂપેરા લેખન અને સંપાદન બંને ક્ષેત્રે એક સરખી ગતિ કરી શકે છે એ અર્થમાં સવ્યસાચી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ના એમના વિશેષાંકોમાં તમને એની સાહેદી મળી રહેશે. કાકાસાહેબની એકસો પચીસી વિદ્યાપીઠ, નવજીવન, આશ્રમ, ગુજરાતી સાહિત્ય પરિષદ સૌ રૂડી પેરે ઊજવી શક્યાં હોત, પણ એ મહેણું ભાંગ્યું અક્ષરદેહના કાકાસાહેબની પ્રસ્તાવનાઓના વિશેષાંકે! આવા આ કેતનને, એમની સમજ મુજબનો પ્રથમ લેખ તેરચૌદ વરસ પર ‘નિરીક્ષક’માં પ્રકાશિત થતાં પોતાને લેખક થયાની લાગણી અનુભવાઈ હતી એવું એક સ્મરણ છે તે હૃદયપૂર્વક સંભારી, અહીં એમનું નવી દિલ્હી ખાતેનું કાલેલકર સન્માન વક્તવ્ય પ્રકાશિત કરતાં ‘નિરીક્ષક’ આનંદ અનુભવે છે. ઇચ્છીએ કે જેમ લેખન તેમ સંપાદન પણ સ્વતંત્ર શિસ્ત, હુન્નર અને કસબ છે એ એક વાત પણ આ નિમિત્તે અંકે થાય.

— "નિરીક્ષક" તંત્રી

સન્માન સ્વીકાર તસવીર, સ્થળ : ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

(વિગત : ડાબેથી કુસુમ શાહ (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), રમેશ શર્મા (ગાંધીમાર્ગી સમાજસેવક), પ્રેમપાલ (હિન્દી સાહિત્યકાર), સન્માન સ્વીકારતા કેતન રૂપેરા, મમતા કાલિયા (કવયિત્રી અને લેખિકા), અમરનાથ અમર (નિર્દેશક, દૂરદર્શન)

સાદગી, સહજતા ઔર સૌંદર્ય સે ભરે આજ કે સન્નિધિ સંગોષ્ઠિ સમ્માન સમારોહ કે મુખ્ય અતિથિ શ્રીમતિ મમતાજી (કવયિત્રી અને લેખિકા), વિશિષ્ટ અતિથિ ડૉ. અમરનાથજી (નિર્દેશક, દૂરદર્શન), સમારોહ કે અધ્યક્ષ પ્રેમપાલજી (હિન્દી સાહિત્યકાર), રમેશ શર્માજી (ગાંધીમાર્ગી સમાજસેવક), કુસુમબહેન (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), સભી મહાનુભાવ ઔર સબ કાકાપ્રેમી ઔર વિષ્ણુ પ્રભાકર પ્રેમી શ્રોતાગણ …

ગાંધીજી કે બાદ જિસકી લિખાઈ હંમેશાં સે પસંદ આયી હો ઔર બીસવીં શતાબ્દી મેં ન કેવલ દેશ કી અપિતુ વિશ્વ કી દો મહાન વિભૂતિ – મોહનદાસ કરમચંદ ગાંધી ઔર કવિવર રવીન્દ્રનાથ ટાગોર કે વ્યક્તિત્વ ઔર સાહિત્ય, દોનોં કે સુભગ સંયોજન કે સાથ અપની ભી એક સ્વતંત્ર પ્રતિભા પ્રાપ્ત હો ઐસે કાકાસાહેબ કાલેલકર કે સાથ અપના નામ જુડને સે બહોત હી હર્ષ ઔર આનંદ પ્રતીત કર રહા હું.

જબ યે સમ્માન કી ખબર મુઝે મિલી ઔર પહેલી બાર ઉસકા અભિનંદન પત્ર પઢા તબ ઇસ શરીર મેં સે એક લંબી હલકી ઝનઝનાહટ સી પ્રતીત હુઈ. ઔર ઇસે યોગાનુયોગ હી કહેંગે કી જિસ દિન હમને નવજીવન મેં સે કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક કી પીડીએફ પાઠકોં કો મેઇલ કી ઉસી દિન યે હર્ષ બરસાની વાલી મેઇલ ભી મુઝે મિલી. ઇસ કે લિયે ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ કા બહોત હી શુક્રગુઝાર હું.

ગુજરાત સે આયા હું તો ઇસ મૌકે પર કાકા ઔર ગુજરાત કે બારે મેં થોડા બહુત જાનને કી સબ કી જિજ્ઞાસા હોગી. તો ઉસે, મૈં અપને ખુદ કે અનુભવ સે હી બયાન કરું.

ગુજરાત મેં આજ ભી કોઈ ભી પુસ્તક મેલે મેં, જહાં નવજીવન કા બુક સ્ટોલ હોતા હૈ, વહાં ગાંધીજી કી આત્મકથા કે બાદ જિન પુસ્તકોં કી બિક્રી સબ સે જ્યાદા હોતી હૈ વો કાકા કી પુસ્તકેં હૈ. જ્ઞાનપીઠ પુરસ્કારપ્રાપ્ત કવિ ઉમાશંકર જોશી, જિસકા ગુજરાતી કવિ ઐસા પરિચય મેં નહીં દુંગા, ક્યું કી ઉન્હોંને હી કાકા કી વિશ્વભારતી કી સંકલ્પના કો અપને શબ્દો મેં યું રખા કી વો કૈસા ગુજરાતી, જો હો કેવલ ગુજરાતી. ઐસે ઉમાશંકર જોશીને અપને ‘સંસ્કૃિત’ સામયિક મેં કાકા કા ચરિત્ર લિખતે હુએ એક સમય કે ગુજરાત કે બારે મેં લિખા થા કી ગુજરાતની હવામાં એમની સંસ્કારમાધુરીનો સ્પર્શ હતો. – ગુજરાત કી હવા મેં કાકા કી સંસ્કારમાધુરી કા સ્પર્શ થા. ઔર આજ ભી જિન કા સાહિત્ય સે કોઈ નાતા ન હો ઐસી કિસી વ્યક્તિ કો તીન યા પાંચ સાહિત્યકાર કે નામ પૂછે જાયેં ઔર વે બતા પાયે, (હાં, આજ કે ગુજરાત મેં ઇતની શર્ત તો રખની હોગી) તો ઉસમેં અન્ય નામ ઇધર-ઉધર હો જાયે, યા આયે ના આયે લેકિન ‘કાકા કાલેલકર’ નામ જરૂર આયેગા.

પત્રકારિતા કે લિહાજ સે થોડી બાત કરેં તો વ્યક્તિગત રૂપ સે કઈ પત્રકાર અપને વિચાર-અભિવ્યક્તિ બડી હિમ્મત સે રખતે હૈ, વૃત્તાંત ઔર ગંભીર લેખ કે અલાવા વ્યંગ-કટાક્ષ કે માધ્યમ સે ભી અન્યાય, શોષણ યા ગૈરરીતિ કે વિરુદ્ધ મેં લિખતે હૈ લેકિન આખિર મેં ચિત્ર – હમ અપના કર્મ કરતે રહે, ફલ કી આશા મત રખેં, ઐસા ઉભર કર આતા હૈ. શાસનવ્યવસ્થા પર ઉસકી કોઈ જ્યાદા અસર નહીં પાઈ જાતી હૈ. ઉસ મેં જો કારણ હૈ વો કોઈ રાજ્ય યા સિર્ફ હમારે દેશ કે નહીં, શાયદ પૂરે વિશ્વ કે કારણ હૈ.

સન્માન સ્વીકારતા વક્તવ્ય આપતા કેતન રૂપેરા

વો કારણ બાજાર હૈ. જરૂરત કી બજાય લાલસા ઔર ઉપયોગ સે જ્યાદા વ્યય કી ઓર ખીંચે જા રહે ઈસ બાજાર સે હમેં તો બચના હી હોગા, સાથ સાથ નઈ પીઢી કો ભી ગાંધીજી કી ‘નઈ તાલીમ’ કી શિક્ષા કે રાસ્તે લે આના હોગા. કાકા, કૃપાલાની જૈસે આચાર્ય ને ઈસી શિક્ષા કો આગે બઢાતે હુએ કઈ રચનાત્મક કાર્યકર તૈયાર કિયે જો ગુજરાત ઔર દેશ કે ગાંવો મેં નીકલ પડે.

મૈં બહુત આનંદિત હું ઇસ બાત કે લિયે કી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને ઇસ પથ પર આગે બઢતે હુએ ગ્રામશિલ્પી યોજના તૈયાર કી હૈ. કરીબન દસ સાલોં સે ચલ રહી હૈ. જિસ મેં વિદ્યાપીઠ કે સ્નાતક, શહર ઔર બાજાર કા શિકાર ન બનતે હુએ દૂરદરાજ કે કોઈ એક ગાંવ મેં જાકર બસતે હૈ, ઉસ ગાંવ કે લોગો કે સાથ મિલઝુલકર રહેતે હૈ ઔર ગાંવ કે લોગો કી જરૂરત એવમ્ ગાંધીવિચાર કે આધાર પર ગ્રામસુધાર કા કામ કરતે હૈ. વિદ્યાપીઠ કઈ સાલોં સે અપને સ્નાતકોં કો ગ્રામસેવા કે લિયે મહાદેવ દેસાઈ પુરસ્કાર દેતી હૈ. પહલી જનવરી મહાદેવ દેસાઈ કી જન્મતિથિ હૈ. ઇસ અવસર પર યે પુરસ્કાર અભી તક કે સબ સે નૌજવાન ઔર મેરી હી આસપાસ કે ઉમ્ર કે સ્નાતક જલદીપ ઠાકર કો મિલ રહા હૈ.

તો બાત થી હમારી શાસનવ્યવસ્થા યાની સરકાર ઔર બાજાર કી. વો અપના કામ કરેંગે હી લેકિન, ઔર શાયદ ઉસી કે કારણ હી હમે યાની ગાંધી કે સ્વરાજ વિચાર સે જુડી હુઈ સંસ્થાઓં કો અપને કામ ‘તારી હાક સૂની કોઈ ના આવે’ તો ભી કરતે હી રહેના હૈ.

ક્યોં કી યદી હમ કુછ કરને કા ઠાન લેતે હૈ, કહીં ન કહીં સે, કોઈ ના કોઈ, ઉસ કામ કો આગે બઢાને મેં અપના જો કુછ હો શકે વો પ્રદાન કરતા હૈ, ઐસા હમારા સબકા અનુભવ હોગા. ઐસે હી મેરે ઇસ પુરસ્કાર સે સમ્માનિત હોને કે પીછે જો લોગ હૈ ઉનકો યાદ કરુંગા.

પહેલે મેરે માતા-પિતા, બી.એસસી. કરને કે બાદ એમ.એસસી. કે બદલે મુઝે એમ.જે.એમસી., યાની માસ્ટર ઓફ સાયન્સ કે બદલે માસ્ટર ઑફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂિનકેશન મેં જાને કે લિયે હાં કહી. હાં, થોડી મસક્કત કરની પડી ઔર વહીં સે પત્રકારિતા શુરુ હો ગઈ. લેકિન ઉસકે કારણ માત્ર શિક્ષક બનને કે બજાય, આજ પત્રકારિતા ઔર શિક્ષા, દોનોં સે જુડ પાયા ઉન કે લિયે આભાર કે કોઈ શબ્દ નહીં હૈ, સિર્ફ વંદન હૈ.

એક અચ્છી બાત યે ભી બની કી જિસ તરહ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ મેં પત્રકારિતા કા અભ્યાસ કિયા, ઉસી તરહ સ્નાતક કા અભ્યાસ ઐતિહાસિક ગુજરાત કૉલેજ સે હુઆ. જહાં ‘હિંદ છોડો’ આંદોલન કે દૌરાન રાષ્ટ્રધ્વજ લહેરાને પર ઇસ કૉલેજ કે છાત્ર વીર વિનોદ કિનારીવાલા ને અપની જાન ન્યોંચ્છાવર કી થી. ઉસી કૉલેજ મેં નિબંધ ઔર વક્તૃત્વ કે અધ્યક્ષ નીલાબહેન જોશી (વૈસે સંત જ્ઞાનેશ્વર ઔર સાને ગુરુજી પર ઉનકા ગહેરા અભ્યાસ હૈ ઔર ઉન પર લિખા ભી હૈ, લેકિન આજ વો ‘લગે રહો મુન્નાભાઈ’ કે સ્ક્રિપ્ટ રાઇટર અભિજાત જોશી કી માં સે ભી પહચાની જાતી હૈ) ઉનસે મેરી મુલાકાતેં ન બનતી રહેતી તો પત્રકારિતા મેં આને કા વિચાર ભી શાયદ મુઝે ન આતા. નીલાબહેન કો ભી મેરા વંદન.

હમ સબ જાનતે હૈ કિ ગાંધીજી કે જો પત્ર થે વો સમાચારપત્ર નહીં, વિચારપત્ર થે. ગુજરાત મેં ભી થોડે, લેકિન બડે મજબૂત વિચારપત્ર હૈ. પત્રકારિતા કે અભ્યાસ કે દૌરાન ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘દલિત અધિકાર’ જૈસે વિચારપત્રોં એવમ્ ‘ગ્રામગર્જના’ જૈસે ગ્રામીણ અખબાર ઔર ઉસકે તંત્રીઓ કે સત્સંગ કે કારણ, મૈં અપને વિચાર યહાં રખ પાને લાયક બના હું. ઉનકા ધન્યવાદ કરુંગા તો કહેંગે યે હી તો હમારી પત્રકારિતા હૈ.

કિસી ભી વ્યક્તિ કે ઊંચે ઉઠને મેં ઉનકે જીવન મેં શિક્ષક કી બડી ભૂમિકા હોતી હૈ. સ્કૂલ મેં તો ઐસે શિક્ષક મિલે હી લેકિન પત્રકારિતા મેં અશ્વિનકુમાર (જો કાકા કે બડે અભ્યાસી હૈ. કુછ સાલ પહેલે ઉનકા યહાં સન્નિધિ મેં વક્તવ્ય ભી રખા ગયા થા) ઔર પ્રત્યક્ષ રૂપ સે શિક્ષક ન હો કર ભી શિક્ષક કી ભૂમિકા અદા કી ઐસે અંગ્રેજી કે અધ્યાપક સંજય શ્રીપાદ ભાવે ઔર ‘હિંદ સ્વરાજ મંડલ’ સંસ્થા કે વાસુદેવ વોરા કા બહુત બડા પ્રદાન હૈ.

જિસ જિસ અખબાર મેં મૈંને પત્રકારિતા કી ઉસકે તંત્રી-સંપાદક કામ કરતે કરતે હી દોસ્ત ભી બન ગયે ઔર કઈ દોસ્ત ભી ઐસે રહે જિન્હોંને મેરી લિખાઈ મેં સંપાદક કી ભૂમિકા અદા કી, ઐસે પત્રકારમિત્રોને મુઝે અપને રૂપ મેં લિખને-ખિલને કી ભૂમિકા નહીં અદા કી હોતી તો શાયદ પત્રકારિતા છોડ ચુકા હોતા. ઈસ લિયે ઉન સબકા ધન્યવાદ કરના મેરે લિયે ગૌરવ કી બાત હૈ.

આજ જિસ પત્રિકા સે જુડને મેં હી અપને આપ કો સમ્માનિત માનતા હું ઐસા, ‘નવજીવન પ્રકાશન મંદિર’ કા, ખાસ કર કે નઈ પીઢી કો ગાંધીવિચાર સે જોડને કે લિયે શુરુ કિયા ગયા સંપર્કપત્ર ઔર ગાંધીવિચાર કા પ્રસારપત્ર ‘नवजीवनનો અક્ષરદેહ’ કે તંત્રી વિવેક દેસાઈ ઔર પરામર્શક કપિલ રાવલને મુજ પર હંમેશાં વિશ્વાસ રખા હૈ. ઉસી કે કારણ શાયદ હી કોઈ સંપાદક કો પ્રાપ્ત હો ઐસી સ્વતંત્રતા સે સામગ્રી કા ચયન કર પા રહા હું, ઉસ કે લિયે ઉનકા ભી શુક્રિયાદા કરના ચાહુંગા.

ઔર આખિર મેં, મેરી ધર્મપત્ની જિગીષા ઔર પ્યારી બિટીયા ઋજુલ, જિન્હોંને બહોત બાર અપને હિસ્સે કા સમય મુઝે લિખને-પઢને મેં વ્યતિત કરને દિયા. ઉનકે કારણ હી આ જ ઇસ સમારોહ કે અમૂલ્ય અવસર પર ઉનકો સાથ લેકર આપ કે સામને ઉપસ્થિત હું.

એક બાર ફિર, ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ ઔર ઉસસે જુડે સભી વ્યક્તિ કા ધન્યવાદ, જો પૂરે દેશ કે અલગ અલગ હિસ્સે ઔર ક્ષેત્ર મેં અપની અચ્છી નજર બનાયે રખે હૈં. કાકાસાહેબ કી તરહ હમ મેં સે શાયદ હી કિસી ને કભી અપને કામ કે બદલે પુરસ્કાર કી કામના કી હોગી! ઇસી લિયે, યહાં ઉપયુક્ત શબ્દ રખા ગયા હૈ વહ ઍવૉર્ડ યા પારિતોષિક નહીં બલ્કી ‘પ્રોત્સાહન એવમ્ ઉપલબ્ધિયોં કે લિયે સમ્માન’ સમારોહ હૈ.

ઐસે વિચારહેતુ કે સુંદર સમારોહ મેં સમ્માનિત કરને કે લિયે આપ સબ કા બહોત હી ધન્યવાદ.

સન્નિધિ, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

તા. ૩૧-૧૨-૨૦૧૬

તા.ક.

તા. ૧-૧-’૧૭ના ’નિરીક્ષક’માં ’કદર અને નિસબત’ હેઠળ સંજય શ્રીપાદ ભાવેનો સૂક્ષ્મ અવલોકનો સાથેનો સંઘેડાઉતાર લેખ વાંચ્યો. કંઈક અંશે રેખાચિત્ર પણ કહી શકાય એવી આ કાર્યનોંધ વાંચીને ઘણા વડીલો-મિત્રોએ ફોન પર – રૂબરૂ રાજીપો વ્યક્ત કર્યો તો કેટલાક મિત્રોની આંખોના ખૂણા ભીંજવવા જેવી ઘટના પણ બની. આ પ્રતિભાવક માટે પ્રત્યક્ષપણે મિત્ર અને પરોક્ષરૂપે શિક્ષક એવા ભાવેએ જે વિગતો આવરી છે, તેમાં પત્રકારત્વ અને સંપાદન ઉપરાંત પુસ્તકનાં મુદ્રણ અને પ્રકાશનનો પણ સમાવેશ થાય છે. તેનાં બીજ વવાયાં વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસ (૨૦૦૩-૦૫) દરમિયાન જિતેન્દ્ર દેસાઈનાં વર્ગો ભરતા. તેમની લાક્ષણિક શૈલીમાં દાખલા, બનાવો, સંસ્મરણો અને અનુભવોની વહેંચણી કરતા કરતા લીધેલા વર્ગોએ મૂળરૂપે તો ’મુદ્રક અને પ્રકાશક ગાંધીજી’નો જ પરિચય કરાવ્યો. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ લખાણને વાચક સુધી અસરકારકપણે પહોંચાડવા માટે ટેકારૂપ થવાનો છે, એ પ્રાથમિક અને પાયાની સમજણ વિકસી. ત્યારની સમજણ અને અત્યારની અભિવ્યક્તિ કહી શકાય એવી દૃષ્ટિ સ્વતંત્રપણે કામ કરતા કરતા પુસ્તકના લેઆઉટ-ડિઝાઇન, પ્રિન્ટિંગ અને પબ્લિકેશનના કાર્યમાં પરિણમી તેમાં ઘણા વડીલો-મિત્રોનો ફાળો છે. શાર્દૂલ પ્રેસના નીતિનભાઈ, નવજીવનના કપિલભાઈ અને રાજેશભાઈ, યુનિક ઑફસેટના મેહુલભાઈ, ડિઝાઇનર મિત્ર ધીરેન પંચાલ અને સચીન પટેલ તથા ગાંધીવિચાર અને સંશોધનમાં સૂઝ ધરાવતા મિત્રો કિરણ કાપુરે અને સોહમ પટેલ સાથેના વખતોવખતના સંવાદે આ મૂળ વિચારને વળગી રહેવામાં સહકાર અને માર્ગદર્શન પૂરાં પાડ્યા છે. આ નિમિત્તે તેમનું સ્મરણ કરવું રહે છે.

Email : ket.rupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 18-19

Loading

...102030...3,4573,4583,4593,460...3,4703,4803,490...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved