Opinion Magazine
Number of visits: 9581216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Hamid Ansari, Jinnah’s Portrait and turmoil in AMU

Ram Puniyani|English Bazaar Patrika - OPED|13 May 2018

Recently (May 2018) Hamid Ansari, the ex-Vice President of India, was invited to Aligarh Muslim University to honor him with life membership of AMU Students Union (AMUSU). He had due security with him, still the Hindu Yuva Vahini-ABVP activists could reach near his place of stay. The pretext of the armed protesters was that Jinnah’s portrait has been put up to please Ansari and that they will not allow Jinnah’s portrait in AMU. The usual violence followed few arrests of Vahini volunteers, most of them let off. This has been followed by series of statements from Yogi Adityanath, who incidentally is also the founder of this Hindutva group, saying that portrait will not be allowed, Subramaniam Swami questioned as to who will teach a lesson to AMU! The students of AMU are on the protest against the violence unleashed by Vahini and ABVP.

Too many angles to the story! First of all how come the armed volunteers of Vahini and ABVP reach near the place where Hamdi Ansari was put up? One recalls that every occasion there has been an attempt to humiliate this distinguished scholar, diplomat who held the high office. His photo of not saluting the Republic day parade, hinting he is disrespecting, was made viral only to bring in the realization that he was following the rule book as only President takes the salute and no one else. When he was given farewell Modi hinted at his being a Muslim, being attached to issues related to Muslims in a very humiliating way. In this light he being targeted is just the continuation of what RSS combine has been doing to Ansari so far.

How come someone recalled that Jiannh’s portrait is there and on that pretext the armed volunteers sneaked into AMU campus? Has the portrait been put up yesterday? The portrait has been there from 1938, as AMU students Union conferred a rare honor on him by giving him life membership of AMUSU. The statement is that Jinnah divided the country, so how can be we celebrate, him was the slogan. The role played by Jinnah in the freedom movement is not a linear one and is not uniform. He began as a part of the movement and was part of it in the beginning. He has to his credit being the Chairman of Reception committee which welcomed Gandhi on his return from South Africa. He was the one who fought the case, in which Bal Gangadhar Tilak was given the death sentence and it is due to his legal brilliance that he could save the life of Tilak. He was also the lawyer for the young revolutionary, Sardar Bhagat Singh and to cap it all he entered Hindu Muslim unity pact with Tilak (Lucknow, 1916). India’s nightingale Sarojini Naidu called Jinnah as the ‘ambassador of Hindu Muslim unity’.

There is another side to the story also. He dissociated from national movement once Gandhi launched the non cooperation movement in 1920, in which for the first time average people of the country were involved. This movement laid the foundation of the biggest ever mass movement in the history of the World. Jinnah was a constitutionalist and he felt involving average people in the struggle against British is unwarranted. Similarly he opposed Gandhi’s role in Khilafat movement and gradually dissociated from active involvement and left for London to practice law. The second major flaw which transformed Jinnah, who was basically secular, was his associating with and leading of Muslim League. Muslim League was given the status of being the representative of Muslims by British. This is a basically motivated exercise by British as Muslim League began from the Nawabs and Landlords, with feudal values inherent in it down to the core. His role as a leader of Muslim League and his Lahore resolution of separate country for Muslims, Pakistan, is what made him a communal leader. To blame him alone for partition of the country is a distorted presentation of history of modern India. The process of partition was begun by the British who pursued the policy of ‘divide and rule’. This was supplemented by communalists from both Hindu and Muslim. Savarkar was the first one to articulate that there are two nations in the country, the Hindu and the Muslim. As per this understanding the country belongs to Hindus so Muslim nation will have to remain subordinate to Hindus. This is where Jinnah falls in the communal trap and the logic he puts forward is, if there are two nations in the country, so why not two countries? So why not Pakistan?

Jinnah that way has been the subject of various biographies and interpretations. His August 11 1947 speech in Pakistan Constituent Assembly , stated that people are free to follow their own religion, state will not interfere in that, elaborates his secular values. Advani quite late in his life after having launched biggest attack on secular values by demolishing Babri Mosque; realized that Jinnah was secular. He called Jinnah Secular and paid with his career as RSS combine has built on the understanding of ‘Hate Jinnah’, have presented Jinnah as a symbol of Indian Muslims, Jinnah as a symbol of India’s enemy Pakistan!

With this AMU episode Hindu nationalist politics is killing many birds with a single stone. First, to target Hamid Ansari, whom they can’t approve of as his credential is thoroughly secular. Second is to create yet another divisive issue in the form of portrait of Jinnah, to add on to other emotive issues manufactured so far. And thirdly to intimidate the AMU campus in line with what has been done in JNU, Hyderabad universities to name the few.

One can say the Ghost of Jinnah, who can be called as ‘Secular soul in Communal body’ will keep visiting us, and RSS combine through its efforts will keep propping up divisive issues one after the other!

Loading

શિક્ષણના સ્તરીકરણનું શું?

રોહિત શુક્લ|Opinion - Opinion|12 May 2018

પંડિત જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડા પ્રધાન હતા. તાજા તાજા જન્મેલા એક નવજાત દેશના ભાવિની જે સુરમ્ય કલ્પનાઓ તેમણે કરી હતી તે પૈકી આઈ.આઈ.ટી. (અને આઈ.આઈ.એસસી.) મહત્ત્વની હતી. આ સંસ્થાઓનું સ્તર નીચું ઉતાર્યા વગર, દેશભરમાંથી જે યુવાધન તૈયાર થાય છે તેનો વિશ્વભરમાં ડંકો વાગે છે. આ સંસ્થાઓમાંથી સર્વોત્તમ વિજ્ઞાનીઓ અને ટૅકનોલૉજી તથા એન્જિનિયરિંગના સ્નાતકો બહાર પડે છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો અત્યંત દોહ્યલો છે. જરા પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે અમેરિકાની હાર્વર્ડ અથવા એમ.આઈ.ટી. જેવામાં પ્રવેશ મેળવવો તે આના કરતાં સહેલું છે. ઈન્ફોસિસના સ્થાપક પૈકીના એક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે માર પુત્રને ભારતની આઈ.આઈ.ટી.માં પ્રવેશ નહીં મળે તેમ લાગતાં તેને અમેરિકામાં સારી યુનિવર્સિટીમાં ભણવા મૂક્યો હતો. અમેરિકાની સારી યુનિવર્સિટીમાં પ્રવેશ પણ ભારતની આઈ.આઈ.ટી.માં નહીં તે બાબત અનેક મુદ્દા ઉપર પ્રકાશ ફેંકે છે.

(૧) સૌ પ્રથમ તો વાત ખાનગી અને સરકારીની. ખાનગી સંસ્થાઓમાં જ બધું સરસ છે અને સરકારી તે બધું ખરાબ એવી એક દુર્ગંધ સ્થાપિત હિતોએ ફેલાવી રાખી છે. ખાનગી પ્રાથમિક શાળા, ખાનગી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા કે કૉલેજ સારાં પણ સરકારી અથવા અનુદાનિત ખોટાં એવી હવા જમાવી દેવામાં આવી છે. એવું જ યુનિવર્સિટીઓનું, ખાનગી યુનિવર્સિટીઓ સારી પણ અનુદાનિત ખોટી એવી હવા પણ દેશમાં વ્યાપક છે. આ વાતને એટલે સુધી આગળ ખેંચવામાં આવી છે કે દૂરદર્શન, બી.એસ.એન.એલ./ એમ.ટી.એન.એલ., સિવિલ હૉસ્પિટલ, એસ.ટી. બસો, એર ઇન્ડિયા, બધું જ નકામું પણ ખાનગી ટી.વી. ચેનલો, ખાનગી દવાખાનાં, ખાનગી બસો વગેરે જ સારાં ગણાય છે. આવા સૌ લૌકો માટે ઈસરો, આઈ.આઈ.ટી. કે આઈ.આઈ.એસસી. દ્વારા પ્રતીતિજનક પ્રત્યુત્તર સાંપડે છે. પરંતુ તે જોવા, સમજવા કે સંભાળવાની આ ખાનગીકરણના ભક્તોની કોઈ જ તૈયારી નથી.

(૨) આ બનાવની બીજી ફલશ્રુતિ એ છે કે ભારતનું વિશાળ બુદ્ધિધન સમગ્ર જગતમાં છવાઈ ગયું છે. આ બુદ્ધિધન જગતના ચોકમાં પોતાનાં આવડત અને હોંશિયારીના ‘લોહા માનતે હૈં!’

પરંતુ આ સંસ્થાઓમાં વર્ષે માંડ સાડા ત્રણ હજાર ‘સર્વોત્તમો’નો જ સમાવેશ થઈ શકે છે, આ સંખ્યા વધે તેવા પ્રયાસો કરવાની સૂઝબૂઝ આ બજારવાદી સરકારો ગુમાવી બેઠી છે.

(૩) આ બુદ્ધિધનના લગભગ પંચાણુ ટકા વિદેશમાં અને ખાસ તો અમેરિકામાં ઢસડાઈ જાય છે. નેહરુની કલ્પના અને ઇરાદો એ હતો કે આવા તેજસ્વી યુવાનો વડે આ દેશ ટેક્‌નિકલ ક્ષેત્રે મોટી હરણફાળ ભરશે. પકોડા તળીને રોજગારી મેળવવાનાં સપનાં પંડિત નેહરુનાં નહોતાં! પણ તે પછીની સરકારોએ આ બ્રેઈન ડ્રેઈન રોકવાના ખાસ પ્રયાસો જ કર્યા નહીં.

આ તેજસ્વી યુવા વર્ગને રોકી ન શકાયો તેે માટે દેશનું એકંદર બિસ્માર વાતાવરણ પણ ઓછું જવાબદાર નથી. ભારતીય સમાજમાં વિકાસલક્ષિતા અને આધુનિકતાને સ્થાને પછાતપણું અને પરંપરાવાદ વધુ વિસ્તરેલા છે. તેના થોડાક નમૂના જુઓઃ

• ગણપતિને હાથીનું મસ્તક બેસાડ્યું તે બતાવે છે કે અમારે ત્યાં ‘અગલે જમાનેમેં’ પ્લાસ્ટિક સર્જરીની જાણકારી હતી.

• શ્રીલંકાથી અયોધ્યા સુધીની પુષ્પક વિમાનમાં સફર થઈ તે દર્શાવે છે કે અમારી પાસે ‘અગલ જમાને મેં’ નોનસ્ટોપ ફ્લાઈટ કરી શકે તેવાં વિમાનો હતાં.

• મહાભારતમાં અર્જુનને કહેવાતી ગીતા સહિતના તમામ બનાવો સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવતો તે દર્શાવે છે કે ‘અગલ જમાને મેં’ ટેલિકાસ્ટ કરવાની અમારી આવડત હતી. (કુરૂક્ષેત્રમાં ઓબીવાન કયા સ્થળે ઊભી હશે?)

આ ઉપરાંત રોકેટ, અગ્નાસ્ર, અણુબોંબ વગેરે અમારી પાસે ‘અગલે જમાને મેં’ હતા. અમે આયુર્વેદ, જ્યોતિષ, મંત્રશક્તિ, તંત્ર વગેરેના ભારે જ્ઞાતા હતા!

આવા દાવા કરનારા દેશને પોતાના જ સમર્થ અને તેજસ્વી બુદ્ધિધનને સાચવવાની ફાવટ નથી. વળી, આ બધા મૌખિક દાવાની સાથે કોઈ પુરાતત્ત્વના આધારો પણ રજૂ કરવાની ત્રેવડ દેશ પાસે નથી. ખરેખર તો બન્યું છે એવું કે સમાજ એક અત્યંત પછાત પણ ખૂબ વાચાળ અને બિન-પાયાદાર વાતો હાંકનારાઓથી એવો ઘેરાઈ ગયો છે કે જે લોકો વિદેશમાં રહીને ભણીને દેશ સેવાની ભાવનાથી પ્રેરાઈને પાછા આવવા માંગે તેને પણ દેશ સાચવી શકતો નથી.

• ૧૯૬૬-૬૭માં ડી.એન.એ.ના શોધક હરગોવિંદ ખુરાના ભારત આવવા માંગતા હતા ત્યારે સરકારે તેમને રૂ. ૧૬૫/-ની નોકરી ઓફર કરેલી! તેમને નોબલ ઇનામ મળ્યું એટલે આપણે ‘અમારા ભારતીય’ કહેતા દોડ્યા પણ ત્યાં સુધીમાં તો ડૉ. ખુરાનાએ અમેરિકન નાગરિકત્વ સ્વીકારી લીધું હતું.

• રઘુરામ રાજનની સેવાઓ ચાલુ રખાઈ હોત તો નોટબંધી જેવી કરુણાંતિકા ભજવાઈ ન હોત!

• ભારત રત્ન અને નોબલ ઇનામ વિજેતા પ્રા. અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીમાં ચૅરમેનપદે પુનસ્થાપિત ન થવા દેવા માટેના સહેતુક અને સફળ પગલાં ભરાયાં. પ્રો. સેન આ સ્થાને છેલ્લાં નવ વર્ષથી હતા અને તેમને ૨૦૧૬માં દૂર કરવા માટેનાં પરોક્ષ પગલાં લેવાયાં!

એક તરફ પંડિત નેહરુના પ્રયાસોથી સ્થપાયેલી અને વિશ્વભરમાં ઉત્તરોત્તર માનવશક્તિ મોકલનાર સંસ્થાઓને આ દેશમાં હવે ખાનગીકરણના નામે અને કરકસર જેવા ઉદ્દેશોથી ઉત્તમને નિષ્પ્રાણ બનાવનારી ચેષ્ટાઓ આચરાઈ રહી છે.

બીજી એક બાબતઃ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તા. ૨૧-૪-૧૮નો રિતીકા ચોપરાનો અહેવાલ જણાવે છે કે દેશભરની વિવિધ એન્જિનિયરિંગ કૉલેજોમાંથી ૧.૩૬ લાખ જેટલી સીટોની બાદબાકી કરવા વાસ્તેની પેરવીઓ હાથ ધરાઈ રહી છે. હજુ ગયે મહિને જ ગુજરાતની શિક્ષણની ત્રણેક કૉલેજોમાં પૂરતો સ્ટાફ ન હોવાથી તેને બંધ કરવાની સૂચના અપાઈ હતી. હવે સમગ્ર દેશમાંથી અનેક પ્રકારના શિક્ષણ ઉપર આ આઘાત આવવામાં છે. આ આખી રચના અને વિગત સ્પષ્ટ કરતાં પહેલાં, સામ પિત્રોડાના વડપણ હેઠળના જૂથે અને તે જ અરસામાં યશપાલ કમિટિએ વ્યક્ત કરેલા વિચારોની ભાળ મેળવીએ. ખાસા ચિંતન અને દેશના યુવાધનના શિક્ષણની ખેવના પછી આ બંનેએ જણાવેલું કે દેશમાં ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (જી.આર.ઈ.), વધારીને લગભગ ત્રીસ ટકાએ પહોંચાડવો. આ માટે સામ પિત્રોડાના નોલેજ કમિશને દેશમાં પંદરસો નવી યુનિવર્સિટીઓ સ્થાપવાની ભલામણ કરેલી.

સમગ્ર દેશની માનસિકતા ઉચ્ચ શિક્ષણને વધુ વિસ્તૃત, સમાવેશક અને વધુ ને વધુ ગુણવત્તાસભર બનાવવાની હતી. તે પરિસ્થિતિમાંથી હવે સંખ્યાબંધ કૉલેજો બંધ થઈ રહી છે અને તેમાં ગુણવત્તા બહુ ઊંચી હતી તેવું પણ નથી. ખરેખર તો અસંખ્ય ખાનગી સંસ્થાઓને એન્જિનિયરિંગ સહિતની કૉલેજો ખોલવામાં પુષ્કળ નફો દેખાયો. તેમણે ઉચ્ચ શિક્ષણનો એક ધંધો શરૂ કર્યો. આ બધા સમયે સરકારને કશું જ કહેવા કે કરવાપણું લાગ્યું નહીં! આવાં બધાં ખાનગી પ્રતિષ્ઠાનો ધન એકત્ર કરતાં રહ્યાં, ન શિક્ષણની ગુણવત્તા સુધારી અને ન સરકારને જાગવાપણું લાગ્યું!

દેશમાં ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓના લગભગ ૭૦ ટકા વિવિધ પ્રકારના એન્જિનિયરિંગમાં ભણે છે. આ માટે માતા-પિતા પુષ્કળ ખર્ચા કરે છે અને ઉજાગરા વેઠે છે. આઈ.આઈ.ટી. જેવામાં પ્રવેશ માટે તો વિદ્યાર્થીઓ લગભગ ચૌદ-પંદર વર્ષથી એટલે કે આઠમા ધોરણથી શરૂઆત કરી દે છે. ટ્યુશન વર્ગો અને અન્ય સગવડોનો બજારુ ઢબે ઉપયોગ વ્યાપક છે. આઠમા ધોરણથી બારમા ધોરણ સુધીની સખત મહેનત પછી આઈ.આઈ.ટી.માં જવા માટે માંડ સાડા ત્રણ હજાર વિદ્યાર્થી સફળ થાય છે. તે પછીના ક્રમે આવનારી અન્ય હજાર-પંદરસો કૉલેજો પણ ઉત્તમ જ હોવાની. પણ સરકારને આ દિશામાં આગળ વધવાપણું લાગતું જ નથી. ૨૦૧૭-૧૮થી અગાઉનાં પાંચ વર્ષોથી અડધો અડધથી વધુ ખાલી રહેતી બેઠકો ધરાવતી સંસ્થાઓમાં એ.આઈ.સી.ટી.ઈ.એ બેઠક કાપ મૂક્યો છે પણ ગુણવત્તા સુધાર કરવા ધાર્યું નથી.

એકંદરે પરિસ્થિતિ એ છે કે એન્જિનિયિરંગ ભણેલા માટે હવે નોકરીઓ નથી. આથી આ ભણતર તરફ જવાનું બંધ થવા માંડ્યું છે. દેશમાં જ્યાં ડેમોગ્રાફિક ડિવિડંડની ચર્ચા ચાલતી હતી ત્યાં હવે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરનાં પડઘમ શરૂ થવામાં છે. વિચારોને ખુલ્લું મેદાન આપનારી જે.એન.યુ. કે ટીસ જેવી સંસ્થાઓને સરકાર ઇરાદાપૂર્વક આર્થિક ભીંસમાં લઈ રહી છે.

સર્વત્ર ફેલાઈ રહેલો આ યુવારોષ દેશને કઈ સ્થિતિએ લાવી મૂકશે?

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2018; પૃ. 02-04 

Loading

ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 May 2018

પ્રસ્તાવનાઃ

નવી આર્થિક નીતિની શરૂઆત ૧૯૯૧માં થઇ ત્યારથી જ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વાયરો ફૂંકાવાની શરૂઆત થઇ. મોટે ભાગે તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાય તેને જ મહત્ત્વની બાબત ગણી અને તે માટેના માર્ગો સરળ કરવામાં જ મોટે ભાગે ઇતિશ્રી સમજવામાં આવી. પરિણામે શિક્ષણ પાછળનું જાહેર ખર્ચ એટલે કે સરકારી ખર્ચ જેટલું વધવું જોઈએ તેટલું વધ્યું નહિ અને શિક્ષણ મોંઘું થતું જ ગયું. સરકારોએ આ પ્રકારનું જે વલણ અપનાવ્યું તેને લીધે શિક્ષણનો વેપાર શરૂ થયો અને તે સંપૂર્ણપણે બજારની વસ્તુ બની ગઈ. બજાર એટલે માંગ અને પુરવઠો અને તેમણે આધારે નક્કી થતા ભાવ. તેથી શિક્ષણની ગુણવત્તા સુધારી એવું તો નથી જ પણ બીજી તરફ સરકારની અવગણનાને લીધે સરકારી શિક્ષણ સંસ્થાઓનું અને સરકાર જેમને અનુદાન આપે છે તે શિક્ષણ સંસ્થાઓનું શિક્ષણનું સ્તર નીચું ગયું.

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એમ માને છે કે તેમની જવાબદારી તો માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરતી જ માર્યાદિત છે કારણ કે દેશનું બંધારણ તેને માટે તે જવાબદારી તેમના ઉપર ઢોળે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને પછી કલમ-૨૧એ હેઠળ શિક્ષણનો મૂળભૂત અધિકાર, એ બે દ્વારા જે જવાબદારી સરકારો ઉપર બંધારણે નાખી છે તે પણ તેઓ સારી રીતે અદા કરતી નથી એ એક હકીકત છે. તેવા સમયે તેઓ બંધારણનો ઢાલ તરીકે ઉપયોગ કરીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની જવાબદારીમાંથી છટકી જવા માંગે છે અને એ બધાં ક્ષેત્રો તેઓ બજાર પર અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને બજારની દયા પર છોડી દેવા માંગે છે.

કાર્યક્ષમતાનો ખ્યાલઃ

૧૯૯૧ પછી ખાનગીકરણનો જે વાયરો આવ્યો છે તેમાં જાહેર-ખાનગી ભાગીદારી (Public Private Partnership – PPP)ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અહીં સરકાર બરાબર કામ કરતી નથી, તેનામાં કાર્યક્ષમતા નથી, અને તેણે જે કામો ના કરવાં જોઈએ તે કામો તે કરે છે વગેરે જેવી દલીલો કરવામાં આવે છે અને ખાનગી કંપનીઓને હવાલે બધું કરી દેવું એવો ખ્યાલ તેમાંથી જન્મે છે. વાત સાચી છે કે સરકાર ઘણાં કામો કાર્યક્ષમતાથી કરતી નથી અને ખૂબ ઊંચા ખર્ચે કરે છે. પણ પ્રશ્ન એ છે કે એમાં લોકોની ભાગીદારી ઊભી કરવામાં આવે તો સરકારી કામો વધારે સારી રીતે ચાલી જ શકે. દા.ત. ગુજરાતમાં આશરે ૩૫,૦૦૦ પ્રાથમિક શાળાઓ છે અને તેમાં આશરે ૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. આટલા મોટા પાયા પર પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ કોઈ ખાનગી કંપની કરી શકે ખરી? અને જો કરે તો તેનો ઉદ્દેશ નફા સિવાય કશો હોઈ શકે ખરી? સરકાર બધું જ ખરાબ કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર જ છે એવી દલીલ સ્વીકારીએ તો પણ તેને સારી કરવા માટે જે પગલાં લેવાવાં જોઈએ તે લેવાને બદલે જે તે ક્ષેત્રને ખાનગી જ બનાવી દેવાની રીત અપનાવવામાં આવે છે. સાક્ષરતાનો દર જે આઝાદી સમયે માત્ર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ ટકા આવ્યો તે સરકાર જ લાવી એ આપણે ભૂલવું ના જોઈએ.

વળી, ખાનગીકરણનો અર્થ કંપનીકરણ જ કરવામાં આવે છે. ખાનગીકરણ તો ત્યારે પણ થયું કહેવાય કે જ્યારે શિક્ષણ સંસ્થાઓમાં લોકોની ભાગીદારી ઊભી કરવામાં આવે. શિક્ષણના અધિકારના કાયદામાં શાળા સંચાલન સમિતિ દ્વારા એવી જ ભાગીદારી ઊભી કરવાનું તાકવામાં આવ્યું છે. આ મોડેલ તમામ સ્તરે ના અપનાવી શકાય? જો એમ થાય તો સ્વાભાવિક રીતે જ પરિસ્થિતિ સુધારવાના સંજોગો ઊભા થાય. ઉચ્ચ શિક્ષણમાં ભારત સરકાર અત્યારે જે કરી રહી છે તે કેટલું ગંભીર છે તે સમજવાની જરૂર છે. માત્ર સાક્ષરતાથી જ માનવી વિકાસ કરે છે એવું નથી. તે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે જ તે સામાજિક, આર્થિક અને રાજકીય ઊર્ધ્વ ગતિશીલતા પ્રાપ્ત કરે છે. હવે જ્યારે ઉચ્ચ શિક્ષણ મોંઘું થઇ ગયું છે અને વધુ ને વધુ મોંઘું કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજનો માલેતુજાર વર્ગ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. લોન લઈને ભણી તો શકાય પણ વિદ્યાર્થી તેના યુવા જીવનનાં મહત્ત્વનાં વર્ષો લોન ભરપાઈ કરવાની ચિંતામાં જ વ્યતીત કરે એમ બને છે.

હેફાઃ

ઉચ્ચ શિક્ષણના બજારુકરણનું એક નવું પાસું હમણાં ઉજાગર થયું છે. ભારત સરકારે હેફા નામે એક કંપની શરૂ કરી છે. ઉચ્ચ શિક્ષણ નાણાં સંસ્થા (Higher Education Financing Agency – HEFA) – હેફા એ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય અને કેનરા બેંક વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં મૂડી અસ્કામતો ઊભી કરવાનો તેનો હેતુ છે. ૨૦૧૬-૧૭ના બજેટમાં ભારતના નાણાં પ્રધાને આ સંસ્થાની સ્થાપનાની જાહેરાત કરી હતી અને તેને માટે રૂ. ૧,૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. તેમના બજેટ પ્રવચનમાં નાણાં પ્રધાને એમ કહ્યું હતું કે આ સંસ્થા એક બિન-નફાજનક સંસ્થા તરીકે કામ કરશે અને તે બજારમાંથી નાણાં ભેગાં કરશે, દાન પ્રાપ્ત કરશે અને સી.એસ.આર.માંથી નાણાં મેળવશે અને દેશની ઉચ્ચ ગણાતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને નાણાં આપશે. આ સંસ્થા રૂ. ૨૦,૦૦૦ કરોડ ઊભા કરશે અને તે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વગર વ્યાજે લોન આપશે એમ અત્યારે કહેવામાં આવે છે.  તા-૧૨-૦૯-૨૦૧૬ના રોજ કેન્દ્રીય પ્રધાનમંડળે સંસ્થાની સ્થાપનાને મંજૂરી આપી હતી.

હેફા ખરેખર તો એક કંપની જ છે. તે કંપની ધારાની કલમ-૮ હેઠળ નોંધાયેલી કંપની છે. તા.૩૧-૦૫-૨૦૧૭ના રોજ તેની કંપની તરીકે નોંધણી કરવામાં આવી છે. કેનરા બેંક તેની ભાગીદાર કંપની છે. ભારત સરકારે તેમાં રૂ. ૨૫૦ કરોડની ઈક્વીટી મૂડી આપી છે અને કેનરા બેંકે રૂ. ૫૦ કરોડની ઈક્વીટી મૂડી આપી છે. રિઝર્વ બેંકે તેને તા. ૨૧-૧૧-૨૦૧૭ના રોજ એક બિન-બેન્કિંગ નાણાં કંપની તરીકે મંજૂરી આપી છે અથવા લાયસન્સ આપ્યું છે. તેના અધ્યક્ષ તરીકે ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ સચિવ હોય છે અને ઉપાધ્યક્ષ તરીકે કેનેરા બેંકની વ્યક્તિ હોય છે. તા. ૧૯-૧૧-૨૦૧૭ના રોજ બહર પડાયેલી વિગતો અનુસાર હેફાએ છ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રૂ. ૨૦૬૬.૭૩ કરોડના ૨૭ પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે.

નાણાં પ્રધાને તેમના ૨૦૧૮ના બજેટ પ્રવચનમાં એક નવી યોજનાની જાહેરાત કરી છે. એનું નામ છેઃ Revitalising Infrastructure and Systems in Education (RISE – રાઈઝ). આ રાઈઝ યોજના માટે માટેનાં નાણાં Higher Education Financing Agency (HEFA -હેફા)માંથી આવશે. દેશમાં જેટલી પણ બિન-બેન્કિંગ નાણાં કંપનીઓ (Non-Banking Finance Companies-NBFCs) છે તે બધીનો ઉદ્દેશ નફો કરવાનો જ હોય છે. એટલે આ સંસ્થાના નામમાં એજન્સી શબ્દ વાપરવામાં આવ્યો છે પણ હકીકતમાં તે કોઈ સંસ્થા નથી પણ નફાનો હેતુ ધરાવનારી એક કંપની છે.

આ કંપનીની સ્થાપનાની જાહેરાત નાણાં પ્રધાને ૨૦૧૭માં આપેલા બજેટ પ્રવચનમાં કરી હતી. તેનો હેતુ ઉચ્ચ શિક્ષણની ખાસ સરકારી સંસ્થાઓને ઓછા વ્યાજે ધિરાણ આપવાનો છે. આવી સંસ્થાઓ માટે અંગ્રેજીમાં “પ્રિમિયર” શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે તે આઈ.આઈ.ટી. જેવી સંસ્થાઓને તેમની ખાસ કરીને માળખાગત સવલતો ઊભી કરવા માટે ગ્રાન્ટ નહિ આપે પણ લોન આપશે. લોન વગર વ્યાજે આપવામાં આવશે એ વાત સાચી પણ શિક્ષણ સંસ્થાઓએ તો તેમણે જે નાણાં ખર્ચ્યાં હોય તે પરત આપવા માટે તે નાણાં વિદ્યાર્થીઓ પાસેથી જ લેવાં પડે. એટલે કે તેમણે વિવિધ અભ્યાસક્રમો માટેની ફીમાં વધારો કરવો જ પડે.

એનો અર્થ એ છે કે હેફા હવે રાઈઝ માટે નાણાં ધીરવાનો ધંધો શરૂ કરશે. હેફા રૂ. ૨૦,૦૦૦ કરોડ ભેગા કરશે અને ધંધો કરશે એવી અગાઉ જાહેરાત કરી હતી પણ, હવે નાણાં પ્રધાને તેમના પ્રવચનમાં તે એક લાખ કરોડ રૂ. ભેગા કરશે એમ જણાવ્યું છે. આમ, ઉચ્ચ શિક્ષણમાંથી સરકાર જાણે કે હાથ ખંખેરી નાખવા માંગે છે એમ આડકતરી રીતે કહી દેવાયું છે. ગયે વર્ષે હેફા માટે બજેટમાં રૂ. ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા અને હવે ૨૦૧૮-૧૯ માટે રૂ. ૨,૭૫૦ કરોડ ફાળવાયા છે. રકમ વધારવામાં આવી છે તેનો અર્થ એ પણ કરી શકાય એમ છે કે ઉચ્ચ શિક્ષણની બધી સંસ્થાઓને તે લાગુ પડશે, માત્ર “પ્રિમિયર” સંસ્થાઓને જ નહિ. આમ, ભારત સરકારે રેલવેની જેમ શિક્ષણમાં ધંધો શરૂ કર્યો છે એમ કહેવાય.

બેંકોનો ધંધો અને વિદ્યાર્થીનો મરોઃ

વિદ્યાર્થીઓ અને વાલીઓ પર હેફા નામની આ સંસ્થા આડકતરી રીતે અસહ્ય નાણાકીય બોજો ઊભો કરશે એમાં કોઈ શંકા નથી. તાજેતરનો એક અહેવાલ એમ કહે છે કે ગુજરાતમાં શિક્ષણ માટે જે લોન બેંકોએ વિદ્યાર્થીઓને આપી છે તેમાંથી ૧૭ ટકા લોન પરત આવી નથી. તે એમ દર્શાવે છે કે અભ્યાસ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ કામ મેળવી શકતાં નથી અને બેકાર છે, અથવા તો તેમણે જે કામ મળે છે તે એવું નથી કે જેમાંથી એટલી આવક થાય કે જેમાંથી લોન ભરી શકાય. જો બેંકો વિદ્યાર્થીઓ પર વધારે દબાણ લોન પરત આપવા માટે કરશે તો તેઓ ખેડૂતોની જેમ આપઘાત કરવા માટે પ્રેરાય એમ પણ બને. હજુ આવા દાખલા ઊભાં થયાનું દેખાતું નથી પણ તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.

બેંકો તો ધંધો કરે છે અને તેમનો ઉદ્દેશ પણ નફો કમાવાનો જ છે. આજકાલ ખાસ કરીને ઈજનેરી અને દાક્તરી શાખામાં જ્યાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલતી હોય ત્યાં બેંકો લોન માટે હાટડી ખોલીને બેઠી હોય છે. હેફા વ્યાજ વગરની લોન ઉચ્ચ શિક્ષણની સંસ્થાને આપે, એ લોન ભરપાઈ કરવા કોલેજો કે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી લે, એ ફી ભરવા માટે વિદ્યાર્થીઓ બેંકો પાસેથી લોન લે અને આમ બેન્કોનો ધંધો ચાલે. અને આને હવે વિકાસ કહેવામાં આવે છે. આવો વિકાસ વિદ્યાર્થીઓને સતત તનાવમાં જીવન જીવવા માટે મજબૂર બનાવે છે અને તેને આપઘાત કરવા માટે પણ પ્રેરી શકે છે. એમ લાગે છે કે વિદ્યાર્થીઓ લોન ભરપાઈ નથી કરી શકતા માટે આત્મહત્યા કરે છે એવા સમાચારોથી આપણાં અખબારોનાં પાનાં ભરાઈ જાય એવા દિવસો દૂર નથી રહ્યા.

એમ લાગે છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ તત્કાલ શોધવો પડશે. લોકશાહીમાં એક જ માર્ગ છે અને તે છે સરકારને મતદારો દ્વારા ફરજ પડે તે. બજારમાં જેનું કલ્યાણ ખરીદશક્તિના અભાવે નથી થતું તેનું કલ્યાણ સરકાર કરે તે લોકશાહી દેશમાં સ્વાભાવિક રીતે જ અપેક્ષિત છે. ભારતમાં બંધારણે એ જવાબદારી સરકાર પર નાખી પણ છે. બધાં જ રાજકીય પક્ષોને એ જવાબદારી નિભાવવા માટે ફરજ પાડવામાં આવે એ આજના સમયનો તકાજો છે. 

શ્રી એચ.કે. આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2018; પૃ. 05-07 

Loading

...102030...3,1033,1043,1053,106...3,1103,1203,130...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved