Opinion Magazine
Number of visits: 9685656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી એક વાર પંજામાં લે પછી છોડે નહીં : ભીખુ પારેખ

આશિષ મહેતા|Gandhiana|13 January 2019

બેરોન ભીખુભાઈ પારેખે એંસી તો ક્યારના વટાવી લીધાં, પણ હજુ સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે અભ્યાસ-સંશોધનમાં રત છે. આશરે દોઢ વર્ષ પહેલાં દિલ્હીમાં ગાંધી-શોધ અને ગાંધી-સમજ વિશે તેમની સાથે વાતચીત કરી હતી, તે અંગ્રેજીમાં તો પ્રકાશિત થઈ ગઈ, પણ ગુજરાતી વાચકો સમક્ષ રજૂ કરવાની બાકી હતી. Governance Nowમાં પ્રકાશિત એ મુલાકાતના અંશો થોડા ભાષાફેર અને સ્પષ્ટતા પૂરતા સંપાદન સાથે અહીં …

પ્રશ્ન : અમલસાડમાં જન્મથી લઈને લંડનમાં અભ્યાસ-સંશોધન સુધીની તમારી જીવનયાત્રા વિશે જણાવશો? અને એમાં ગાંધી કેવી રીતે આવ્યા?

ઉત્તર : એક રીતે ગાંધીની ડિસ્કવરી તો બાળપણથી જ. મારું જન્મસ્થળ અમલસાડ દાંડી અને ધારાસણાની નજીક છે. મારો જન્મ ૧૯૩૫માં [દાંડીકૂચનાં પાંચ જ વર્ષ પછી] એટલે ઘરમાં ગાંધી વિશે અવારનવાર વાત થાય, એક રાજકીય અને નૈતિક વ્યક્તિ તરીકે એમની પ્રેઝન્સ ખરી. પણ ગાંધી પર ઇન્ટેલેક્‌ચ્યુઅલ કામ કરવાની ઇચ્છા નહોતી. જ્યારે પીએચ.ડી. કરતો હતો, ત્યારે મારો થીસિસ ‘સમાનતા’ પર હતો. એમાં ગાંધી ના આવે.

૧૯૮૧માં ભારત આવ્યો, મ.સ. યુનિવર્સિટીમાં (વાઇસ-ચાન્સેલર તરીકે) જોડાયો અને મારી હોદ્દાની મુદત પૂરી થઈ ૧૯૮૪માં, ત્યારે થયું કે નવું કંઈક કરવાની જરૂર છે. એ વખતે મારું માર્ક્સ પરનું પુસ્તક બહાર આવ્યું હતું.

મને ત્યારે લાગ્યું કે ભારતને લગતા વિષય પર અભ્યાસ કરું અને ગાંધી પર કામ શરૂ કર્યું. ગાંધીનું એવું છે કે એક વાર પંજામાં લે પછી છોડે નહીં. મને એમ કે એકાદ વર્ષમાં કામ પતી જશે, પણ અભ્યાસ લંબાતો ગયો. અંતે ત્રણ પુસ્તકો લખાયાંઃ ગાંધીઝ પોલિટિકલ ફિલોસૉફી (૧૯૮૯), કૉલોનિયાલિઝમ, ટ્રેડિશન ઍન્ડ રિફોર્મ : એન એનાલિસિસ ઑફ ગાંધીઝ પોલિટિકલ ડિસ્કોર્સ (૧૯૮૯) અને ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન (૧૯૯૭-૨૦૦૧). આ ત્રીજું, નાનું પરિચય-પુસ્તક ઘણું લોકપ્રિય રહ્યું છે.

પ્રશ્ન : ગાંધીનાં બે પાસાં છે : રાજકીય અને આધ્યાત્મિક. આમ તો બંને જોડાયેલાં જ છે, પણ દરેક સ્કૉલર બેમાંથી એકને આગળ ધરીને ચાલે છે. આ વિશે તમારું શું મંતવ્ય છે ?

ઉત્તર : બંને પાસાં સંકળાયેલાં જ છે, બે રીતે : ગાંધીના વિચારમાં આધ્યાત્મિકતા પરના જે વિચારો છે, તે તેમની રાજકીય વિચારધારા સમજાવે છે અને તેના પાયામાં રહેલા છે. એ જ રીતે જીવનમાં પણ, આધ્યાત્મિકતામાંથી રાજકીય મૂલ્યો જન્મે છે. બંને પાસાં મહત્ત્વનાં છે, માત્ર એક ના ચાલે.

પ્રશ્ન : ગાંધીના વ્યક્તિત્વના વિકાસમાં વિવિધ ધાર્મિક/આધ્યાત્મિક પરંપરાઓ, દૃષ્ટાઓ, પુસ્તકો વગેરેનો ફાળો રહ્યો છે. તેમના રાજકીય વિચારોના મૂળ કે સ્રોત ક્યાં છે?

ઉત્તર : દેખીતી રીતે જ, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો. આધ્યાત્મિક પક્ષે ચાવી રૂપ સ્રોત ગીતા અને ક્રિશ્ચિયાનિટીમાં છે. ગાંધી કહે છે કે સાચી અહિંસા હું શીખ્યો હોઉં તો ટૉલ્સ્ટૉય પાસેથી. હિન્દુધર્મમાં અહિંસા પૅસિવ, નિષ્ક્રિય છે, તેનું સક્રિય પાસું પ્રેમ છે. રસ્કિનનું પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’ ગાંધી માટે મહત્ત્વનું છે. થોરોના નિબંધ ‘સિવિલ ડિસ્‌ઓબેડિયન્સ’માંથી ગાંધી સવિનય કાનૂનભંગનો પાઠ શીખ્યા. સરકાર જે કાંઈ પણ કરે તે માટે આપણે જવાબદાર છીએ. ત્યાંથી મને ટૉલ્સ્ટૉયમાંથી ગાંધીએ ‘રાજ્ય(સ્ટેટ)નું વિવેચન વિકસાવ્યું કે રાજ્ય કોઈ અમૂર્ત વસ્તુ (એબ્સ્ટ્રેક્ટ ઍન્ટિટી) નથી, તે લોકોનું જ બનેલું છે. રાજ્યનું હિત એટલે લોકોનું જ હિત, બીજું કાંઈ ન હોઈ શકે. રાજ્ય (એટલે કે સરકાર) જે કાંઈ કરે તે પ્રજા વતી અને પ્રજાના હિતમાં હોય. ગીતામાંથી ગાંધી નિષ્કામ કર્મ શીખ્યા. ખ્રિસ્તી ધર્મમાંથી ટૉલ્સ્ટૉૅય મારફતે તેમણે મિશનરી સ્પિરિટ કેળવ્યો અને સહન કરવાનું મહત્ત્વ શીખ્યા. સફરિંગ દ્વારા સામેનાના દિલને સ્પર્શી શકો છો.’

પ્રશ્ન : એકવીસમી સદીના આજના દોરમાં, અસહિષ્ણુતાના વાતાવરણમાં ગાંધીનું મહત્ત્વ સ્પષ્ટ જ છે. પણ એ મૂલ્યોને અમલમાં કેવી રીતે મૂકવાં? ગાંધીએ જેમ એમના સમયમાં નવીન રાજકીય પદ્ધતિઓ વિકસાવી તેમ દેશકાળ મુજબ આજે શું થઈ શકે ?

ઉત્તર : ગાંધીની અમુક વસ્તુઓ એમના ગયા પછી ગઈ તે સારું થયું. દાખલા તરીકે, બ્રહ્મચર્ય, ફૅમિલી-પ્લાનિંગનો વિરોધ, દારૂબંધી. આવા કેટલાક વિચારો પ્રજાને મંજૂર નહોતા, બીજાં જે મૂલ્યો સાચાં અને સનાતન હતાં, તેમાંનાં ત્રણચાર કાયમ રહેશે. સત્ય, અહિંસા, ટ્રસ્ટીશિપ – પ્રોપર્ટી મારી નથી, હું એનો ટ્રસ્ટી છું. એ બહુ મહત્ત્વની વૅલ્યુ છે. તેમાંથી તેમણે સત્યાગ્રહ ઊભો કર્યો. જ્યારે કેટલાક મતભેદો આવીને ઊભા રહે છે, અન્યાય સામે લડવું છે તો કેવી રીતે લડવું? લડત ન્યાયી હોવી જોઈએ. તાર્કિક ચર્ચા પૂરતી નથી. હિંસા સ્વીકાર્ય નથી. તો કરવું શું? સત્યાગ્રહ, દુઃખની વાત એ છે કે આઝાદ હિન્દમાં સત્યાગ્રહની પ્રણાલી હવામાં ઊડી ગઈ લાગે છે. એ જમાનામાં ઑર્ગેનાઇઝ્‌ડ, રિલેન્ટલેસ મૂવમેન્ટ હતી, તે ધીરેધીરે નથી રહી. એ સત્યાગ્રહ અનુકૂળ છે આજે પણ, આઉટ-ઑફ-ડેટ નથી. સોશિયલ મીડિયા વગેરે ધ્યાનમાં લઈને સત્યાગ્રહનાં નવાં રૂપ લેવાઈ શકે.

ગાંધી પછી વિનોબા આવ્યા, પણ સ્કિલફુલ નહીં. એટલે ભૂદાન – ચળવળ ત્રણચાર વર્ષમાં ખતમ થઈ ગઈ. વિનોબાને પોતાને આઝાદ – દેશમાં સત્યાગ્રહના સ્થાન વિશે શંકા હતી. ‘આપણી સરકાર સામે?’ જે.પી.એ કહ્યું કે હા, આપણી સરકાર સામે પણ સત્યાગ્રહ થઈ શકે. આ બે વિચારો ઊભા થયા. વિનોબાના વિચારમાંથી કાંઈ ઊપજ્યું નહીં, જ્યારે જે.પી.ના કેસમાં ૭૪-૭૫માં છાત્ર મૂવમેન્ટથી સત્યાગ્રહ શરૂ થયો, પણ એમના હાથમાંથી ચાલ્યો ગયો. ચળવળે ઑર્ગેનાઇઝ્‌ડ મિલિટન્સીનું રૂપ લીધું.

સત્યાગ્રહમાં આવશ્યક વસ્તુ છે પ્રેમ. તમે સામેના પક્ષને ધિક્કારતા નથી. ‘તમે આટલા સારા માણસ છો, છતાં તમે આટલું જોઈ શકતા નથી? તમારા પ્રેમી પર મૂકતા હો એવું દબાણ કરવાનું છે. સત્યાગ્રહની અસર ત્યારે મળે, જ્યારે જનતાનું દબાણ થાય. હિટલર સત્તા પર આવ્યો એ પછી ગાંધીનો સત્યાગ્રહ ના ચાલત. હિટલરનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો, ત્યારે સત્યાગ્રહ જરૂર કામ કરત. કયા સમયે એનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રજાને જાગૃત કરીને, તે અગત્યનું છે. મેધા પાટકર સારું કામ કરે છે, પણ સત્યાગ્રહ છાશવારે ના હોય. ઘેટ ઇઝ નોટ ધ વે. ભૂખહડતાલ એ સત્યાગ્રહ નથી, એમાં સામેવાળા પર માત્ર દબાણ લાવવામાં આવ્યું. તે ઉપવાસ પણ નથી, ઉપવાસ તો જાતને પરિશુદ્ધ કરવા માટે હોય.’

પ્રશ્ન : ગાંધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે તમે બહુ સાંસ્કૃતિક સમાજ (મલ્ટીકલ્ચરલ સોસાયટી) વિષય પરના અભ્યાસ માટે પણ પંકાયેલા છો. આજે ટ્રમ્પ-બ્રેક્સિટના સમયમાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે. તેની પ્રાથમિક સમજ આપશે?

ઉત્તર : મલ્ટિકલ્ચરીઝમનો પ્રશ્ન છે કે જુદી જુદી પશ્ચાદ્દભૂમિકા ધરાવતા લોકો કેવી રીતે સાથે રહી શકે ? કેવી રીતે એકોમોડેટ કરી શકે? કયા નૈતિક નિયમો એવા છે કે જે સૌને સાંકળી શકે? આવા સમાજમાં બાઇન્ડિંગ ફોર્સ શું છે? ૨૦૦૦માં મેં ‘ફ્યુચર ઑફ મલ્ટિ-એથ્નિક બ્રિટન ‘શીર્ષક હેઠળ રિપોર્ટ રજૂ કર્યો, ત્યારે ઘણા લોકો અકળાયેલા-કન્ઝર્વેટિવ પ્રેસમાં મને ‘મોસ્ટ ડેન્જરસ સબવર્ઝિવ એકેડેમિક ઇન બ્રિટન’ ગણાવવામાં આવેલો. સરકારે એ રિપોર્ટ અંતે સ્વીકારેલો. અત્યારની ઘટનાઓમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? હિસ્ટરી ડઝન્ટ રિપીટ. કદાચ રિપીટ કરે, તો નવા સ્વરૂપે કરે શિફ્ટિંઝ બાઉન્ડરીઝ ઓફ ટૉલેરન્સ આવતી જાય છે.

પ્રશ્ન : ‘ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન નાના કદમાં પણ ઉત્તમ પરિચય પુસ્તક છે. કોઈ શિખાઉ વાચક ત્યાંથી આગળ વધવા માગે, તો તમે કયાં પુસ્તકોની ભલામણ કરશો.’

ઉત્તર : પહેલાં તો પ્રાઇમરી, એટલે કે ગાંધીનાં પોતાનાં લખાણો – એનો તો વિકલ્પ જ નથી. એ સિવાય થોડાં પુસ્તકોમાં ફૈઝલ દેવજીનું ‘ઇમ્પોસિબલ ઇન્ડિયન’, રાઘવન ઐયરનું ‘મોરલ ઍન્ડ પોલિટિકલ થોટ ઑફ મહાત્મા ગાંધી’, રોનાલ્ડ ટર્ચેકનું ‘ગાંધી : સ્ટ્રગલિંગ ફોર ઑટોનોમી.’ હિસ્ટોરિકલ ઍન્ગલ માટે જ્યુડિશ બ્રાઉનનાં બે વૉલ્યુમ (‘ગાંધીઝ રાઇટ ટુ પાવર, ગાંધી ઍન્ડ સિવિલ ડિસઓબેડિયન્સ’) અને જીવનકથા માટે રામચંદ્ર ગુહા (ગાંધી બિફોર ઇન્ડિયા, ગાંધી : ધ યર્સ ઘેટ ઍન્જ્‌ડ ધ વર્લ્ડ).

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 01 – 02 તેમ જ 14

Loading

સ્ટેચ્યૂની પેલે પાર શું છે?

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

"એક વ્યક્તિનો નાયક બીજાનો ખલનાયક હોઈ શકે છે". મૂર્તિપૂજક રાજનીતિની તાસિર વર્ણવતી આ ટેગ લાઇન છે, જેના અંતર્ગત તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નિર્ણયના નામે વિવિધ રાજકીય સ્ટેચ્યૂઓને તોડવાના કે દૂર કરવાના પુરાવા મળે છે. યુનિવર્સિટીના કેટલાક શિક્ષણવિદો, પ્રોફેસરોના કહેવાથી ઘાનામાં મો.ક. ગાંધીની પ્રતિમાને દૂર કરવાનો નિર્ણય આ યાદીમાં વધુ એક ઉમેરો છે. યુનિવર્સિટીના મકાનમાંથી બંને દેશોની સરકારો અનુસાર, આ પ્રતિમા ૨૦૧૬માં ભારતથી આફ્રિકાની પ્રથમ ટ્રાઇ-નૅશન પ્રેસિડેન્સિયલ ટૂરની ઉજવણીનું પ્રતીક છે, જ્યારે કેટલાક સામાન્ય ઘાનાવાસીઓ માટે ગાંધીનું રાજકીય વ્યક્તિત્વ અન્ય ‘જાતિવાદી’ સામ્રાજ્યવાદી કરતાં અલગ નથી. હકીકતમાં, ભારતના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાતને ત્યાં ઊજવવા માટે ૨૦૧૫માં મલાવીમાં બીજી પ્રતિમાનું બાંધકામ અટકાવવા સાથે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રતિમાઓ છેલ્લા થોડા સમયથી સંસ્થાનવાદ વિરોધી, જાતિવાદ વિરોધી અને પ્રચલિત માન્યતાઓનું ખંડન કરવા(આઇકોનોક્લાઝમ)નો ભાગ બની ગઈ છે. પરંતુ, આ બધા કેસોમાં વિચિત્ર બાબત એ છે કે જે સરકારોએ આ પ્રતિમાઓને દ્વિપક્ષીય સંબંધોનાં પગલાં રૂપે જણાવી હતી, તેથી તેની જાહેર નિંદા થતી નહોતી. પણ હવે જો સરકારોનું વલણ ગાંધી વિરુદ્ધ જાતિવાદના આરોપને માન્ય કરતું હોય, તો પછી રાજકીય પ્રતિમાનું ઔચિત્ય શું છે?

જ્યારે ગાંધીનું સંતચરિત્ર(અને તેથી તેમની મૂર્તિ તરીકે પ્રતિમા)ને ભારત અને આફ્રિકા એમ બંને માટે સૉફ્ટ-પાવર પોલિટિક્સને માફક આવતા અનુકૂળ વ્યૂહરચના તરીકે માન્યતા આપવામાં આવે છે, ત્યારે તે સરકારોને ‘નૅશન સ્ટેટ’ની અભિવ્યક્તિનું કાર્ડ રમવાની પણ જગ્યા કરી આપે છે. ઉદાહરણ તરીકે, ઘાના સ્ટેટ માટે, ‘જાતિવાદ’ને તત્કાળ ‘સંસ્થાનવાદ’ તરફ દોરી જવામાં આવે છે, જે ‘નૃવંશવાદ’(અકાન સામ્રાજ્યો દ્વારા અન્ય વંશોની ગુલામી)ના અસુવિધાજનક સ્થાનિક ઇતિહાસને છૂટા પાડે છે, વર્તમાન સમયના અકાન/બિનઅકાન ‘જાતિ’ઓમાં મતોનું ધ્રુવીકરણ અને છેવટે રાજકીય કલંક અને તકની કથિત પ્રાદેશિક એકાગ્રતામાં પરિણમે છે. જો કે, વંશીય પ્રદેશથી દેશના વધુ કૉસ્મોપોલિટન કે આર્થિક રીતે અનુકૂળ વિસ્તારો(મોટે ભાગે દક્ષિણમાં)માં ભારે સ્થળાંતર, વંશીય જોડાણને અંકે કરવાની પરંપરાગત રાજકીય વ્યૂહરચનાઓને અપનાવે છે. ઉપરાંત, એ પણ દલીલ થઈ કે આજે ખાસ કરીને મોટા ભાગે ૨૫-૩૦ વર્ષની વયના સરેરાશ ઘાનાવાસી આ સ્થાનિક વારસાથી પ્રભાવિત છે કે તેનાથી ઓળખાય છે. આ પાસાંઓએ દેશના ચૂંટણીલક્ષી લોકશાહીમાં વંશીય/સાંસ્કૃતિક પરિબળની નિર્ણાયકતાને નબળી બનાવી છે, પરંતુ તેને સમાપ્ત કરી શક્યાં નથી.

તેથી જ તો, બે પ્રભાવશાળી રાજકીય પક્ષો, નૅશનલ ડેમોક્રેટિક કૉંગ્રેસ (એન.ડી.સી.) અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી (એન.પી.પી.)ની રાજકીય વિચારધારા વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજકીય વારસા અને વિચારધારાઓમાં તેમની વચ્ચે સ્વયંસિદ્ધ તફાવત હોવા છતાં, બંને પક્ષો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની નિયો-ઉદારવાદી ભલામણોને અનુસરતા હોવાના કારણે, વિકાસશીલતાના માપદંડમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વૃદ્ધિ-લક્ષિત સંસ્કરણમાં વધતી કાયદેસરતાને ધ્યાનમાં રાખીને અને આ વિકાસને આગળ વધારવા માટે ખાનગી કે વિદેશી રોકાણો માટે અનુકૂળતા ઊભી કરવાની હોડમાં છે. ઝાંખા ભેદ સાથે, ઘાનામાં રાજકારણ મુદ્દા આધારિત બનવાને બદલે સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત અને જૂથો માટે તાત્કાલિક સહયોગ સામગ્રીનાં વચનો સાથે વ્યક્તિત્વ આધારિત બની ગયું છે. આ પરિસ્થિતિમાં ‘યુવા’ મતદારોની ચૂંટણીમાં મત માટે નેતાની પસંદગી મોટા ભાગે તેમની ચિંતાઓ(સામાજિક-આર્થિક)ને પ્રતિબિંબિત કરે ‘સ્કર્ટ અને બ્લાઉઝ’ (એક જ બેઠકમાં બે વિરોધી પક્ષોના રાષ્ટ્રપતિ અને સંસદીય ઉમેદવારોની પસંદગી)ના મતદાન તરફ દોરી જાય, તેવી ધારણાના રાજકારણી કે સરકારની બની રહી છે.

આવી અનિશ્ચિતતા ચૂંટણીની સફળતાઓમાં રાજકીય અસ્તિત્વની ભૂમિકાને ઘટાડે છે. સાથેસાથે, તે પેટ્રોન-ક્લાયન્ટ સંબંધો માટેના દરવાજા ખોલી આપે છે. શહેરી વિસ્તારોમાં શહેરી ગૌરવમાં સરકારની કાયદેસરતા તેની ક્ષમતા (અથવા તેની છાપ) સાથે અર્થતંત્રને ‘વૃદ્ધિ’ પુનઃસ્થાપિત કરવા માટે ‘મેનેજ’ કરે છે, ખાસ કરીને જી.ડી.પી.ને વેગ આપવાના હાલના તબક્કામાં ફુગાવાના પરત-ફરવાના, પાવર-શૉર્ટેજના અને ઑઇલ ક્ષેત્રની આવક અંગે આશાવાદમાં. ગ્રામીણ વિસ્તારોમાં, પરિવર્તનશીલ રાજકારણની અપીલને વિકાસ માટે ઐતિહાસિક ક્ષેત્રીય પૂર્વગ્રહ દ્વારા અંકે કરવામાં આવે છે. ફરીથી, બંને પક્ષો ઓછા વેતનવાળા કામદારો કે જેઓ પાર્ટીના નેતાઓ માટે મોટા ભાગનાં આયોજનો, અભિયાનો અને સૂત્રોચ્ચારો કરે છે, તેવી પોતાના પગલે ચાલતી ફોજ પર ભારે મદાર રાખે છે. તેમના મતો અને મત અપાવવામાં કરેલી સહાયના મદદના બદલામાં આ પાછળ ચાલતી ફોજ રોજગારની અપેક્ષા રાખે છે.

પરંતુ, પેટ્રન-ગ્રાહકવાદ મર્યાદિત સામગ્રી સંસાધનો ધરાવતી રાજકીય પદ્ધતિમાં પળમાં બદલાતું એવું ભારે અસ્થિર સમીકરણ છે. સરકારના ખર્ચનું અડધાથી વધુ બજેટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સહાય પર આધારિત છે અને સરકારી આવકમાંથી રાજ્યના ખર્ચનો લગભગ ચોથો-પાંચમો ભાગ સરકારી કર્મચારીના પગાર ચૂકવવામાં જાય છે, કોઈપણ સરકાર કઈ રીતે રોજગારીસર્જન કરશે? ઘાના એ એકમાત્ર આફ્રિકન દેશ નથી, જે આવા અવરોધોનો સામનો કરે છે. બીજા ઘણા દેશોમાં, નિયો-ઉદારવાદ/વૈશ્વિકીકરણની આડમાં રાષ્ટ્રિય પ્રતિબદ્ધતાના નામે લોકશાહી સાથે બાંધછોડ થાય છે. સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં દેશના આ પ્રકારનાં છળમાં ઘાના હજી પણ આફ્રિકામાં મજબૂત લોકશાહી ધરાવતા દેશની પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ એશિયન, ભારતીય ડાયસ્પોરિક રાજકારણમાં સરકાર નિષ્ફળતાની જવાબદારીને બાયપાસ કરવા, મૌન સંજ્ઞાઓ દ્વારા ‘સ્ટ્રેટિફાઇડ’ રંગવાદની લાગણીઓનો દુરુપયોગ કરવાથી આ લોકશાહીની સસ્ટેનેબિલિટી બહુ વાચાળ બનતી નથી. તેના દ્વારા સર્જાતી ઘરેલું સંસ્થાકીય નબળાઈઓ, અસક્ષમતાઓ આગળ જતાં જો દેશ પાસે આર્થિક સંકલનના અર્થમાં પુનઃસ્થાપિત કરવા માટેના સાધનનો અભાવ હોય, તો આખરે દેશને તેમની લૉકશાહી સાથે બાંધછોડ કરાવવાની ફરજ પાડે છે.

[સંપાદકીય, 22-12-2018]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 06

Loading

ભા.જ.પ.ના આત્મવિશ્વાસમાં ઓટ

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ભા.જ.પ.ને સ્પષ્ટ નકાર સાથે લાંબા સમયથી કેન્દ્ર સરકારે અપનાવેલી પ્રજાવિરોધી નીતિઓ સામે વધતી જતી અસંતોષની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. જો કે, ભા.જ.પ.ના સ્પિન-ડૉક્ટરો અને અપોલૉજિસ્ટો એવી દલીલ કરવાની કોશિશ કરે છે કે રાજ્ય સ્તરનાં પરિબળોને લીધે પ્રજાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે, રાષ્ટ્રીય રાજકારણ માટે તેની અસરો સ્પષ્ટ છે. આ પરિબળોમાં ખેડૂતોનો અસંતોષ, બેરોજગારી અને આજીવિકા ઘટવા-ગુમાવવાની સમસ્યાઓનાં મૂળ કેન્દ્ર એવી સરકારની નીતિઓ જેવી કે નોટબંધી, જી.એસ.ટી. અને કૃષિની સંપૂર્ણ ઉપેક્ષા વગેરેમાં પડ્યાં છે. આ રાજ્યોમાં ભા.જ.પ. સરકારોનાં સતત કુશાસન હોવાનો ઇન્કાર પણ નથી કરી શકાતો. જો કે તેમ છતાં કેન્દ્રની આ નીતિઓએ તે તીવ્રતામાં વધારો કર્યો છે. આ અશાંતિ અને જનતાને રાહત આપવાની તેમની અસમર્થતાને ધ્યાનમાં રાખીને, ભા.જ.પ. અને સંઘપરિવારે ચૂંટણીપ્રચારમાં નફરત અને ધ્રુવીકરણના તેમના સ્ટૉક એજન્ડાને આગળ ધપાવ્યો હતો. યોગી આદિત્યનાથ દ્વારા થયેલા બિકૃષ્ટ કક્ષાનાં ભારે પ્રચારમાં અને વિભાજનકારી ભાષણો પણ આ પરિણામનું એક મહત્ત્વપૂર્ણ કારણ હતું, જોકે, તે એકલહેતુથી મત આપનારા લોકોના મનને કળવામાં નિષ્ફળ ગયા. આદિત્યનાથની રેલીઓ યોજાઈ, તે મોટા ભાગના મતવિસ્તારમાં બી.જે.પી.નું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. રાજસ્થાનના અલવર પ્રદેશમાં, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ગૌરક્ષક ગુંડાઓની ટોળીઓને ઢીલ મળી હતી, ત્યાં ભા.જ.પ.ને ભૂંડી રીતે હાર મળી છે. તેલંગણામાં પણ, જ્યાં આદિત્યનાથે કટ્ટર કોમવાદની તર્જ પર અભિયાન ચલાવ્યું હતું, તે બેઠકોમાં ઘણો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદીએ કરેલાં તોફાની ભાષણો પણ મતદારને તરફેણમાં લાવી શક્યાં નહીં, અને તે વધતા જતા અસંતોષના સંકેત છે.

અંધારપછેડો નાખવાની તેમની લાક્ષણિક યુક્તિમાં સંઘપરિવાર અને ભા.જ.પે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નજીકની સ્પર્ધા આપીને આ નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મતદાનના સંદર્ભમાં, મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં અગાઉની ચૂંટણીની જેમ નજીકની સ્પર્ધા હતી અને અગાઉની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભા.જ.પ. વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખતા ભા.જ.પ.ને ઘણું નુકસાન થયું છે. ભા.જ.પ.ના ઍન્ટિ-ઇન્કમબન્સી સહિતની આવી તમામ સ્પષ્ટતા પછી પણ હકીકત એ છે કે કૉંગ્રેસે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બંનેમાં ભા.જ.પ. સરકારનાં ૧૫ વર્ષનાં શાસનને ઉખાડી નાખ્યું છે, અને રાજસ્થાનમાં ભારે અંતર કાપ્યું છે. કૉંગ્રેસે ૨૦૧૪ની લોકસભામાં રાજસ્થાનમાં ૬૫ બેઠકોમાંથી ૬૨ બેઠકો પર જીત મેળવનાર ભા.જ.પ. માટે એક મોટો પડકાર ઊભો કર્યો છે. ભા.જ.પે. શહેરી વિસ્તારોમાં પણ નુકસાન સહેવું પડ્યું છે. હકીકતમાં ગ્રામીણ કરતાં શહેરી મતવિસ્તારોમાં થયેલું ધોવાણ વધુ નોંધપાત્ર છે. તે બેરોજગારીને લઈને નિરાશા અને નાના વ્યવસાયો પર જી.એસ.ટી.ની વિપરીત અસરનો સ્પષ્ટ સંકેત છે. એવું માનવામાં આવે છે કે શહેરી ભારતમાં મોદી અને ભા.જ.પ.ને ઘણું સમર્થન છે, પરંતુ આ ચૂંટણીઓએ આ ધારણાને પણ હલાવી દીધી છે.

જો કે, અસંતોષ અને દુદર્શાની મર્યાદાને ધ્યાનમાં લેતાં કૉંગ્રેસે વધુ માર્જિન સાથે વિજય મેળવવો જોઈતો હતો. છત્તીસગઢમાં કૉંગ્રેસે માત્ર બે-તૃતીયાંશથી નજીકની બહુમતીથી જીતીને ભા.જ.પ.ને હાર આપી છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતાના બનાવટી ખુલાસાઓ અને રાજસ્થાનમાં મોદીના આખરી સમયના આક્રમણે કૉંગ્રેસને ખાળી છે. કૉંગ્રેસ પાર્ટીની અધૂકડી સફળતા તેની સંગઠનાત્મક નબળાઈઓને અને લોકોના જીવન અને આજીવિકાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતાને આભારી છે. કૉંગ્રેસ છત્તીસગઢની સફળતામાંથી પાઠો શીખી શકે છે, જ્યાં તેનું કેમ્પેઈન લોકોની તકલીફો પર સતત ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં, ડાબેરી સંસ્થાઓ અને લોકોની મૂવમેન્ટ હેઠળના ખેડૂતોના વિરોધમાં કૉંગ્રેસને ફાયદો થયો છે કારણ કે તે ત્યાં દ્વિપક્ષી સ્પર્ધામાં કૉંગ્રેસને ડિફોલ્ટ-પસંદગી તરીકે જોવામાં આવે છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભા.જ.પ.ના મતહિસ્સા અને સામાજિક આધારને પુનઃપ્રાપ્ત કરવાના અવકાશને છોડીને કૉંગ્રેસને ફક્ત ડિફોલ્ટ – પસંદગી તરીકે જોવી યોગ્ય નથી. તે લોકોના જીવનની સ્થિતિ સુધારવા અને સામાજિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટેની વૈકલ્પિક નીતિના વચન તરીકે જોવાવી જોઈએ. ગ્રામીણ તકલીફોને ધ્યાન પર લેવાની સાથે તેને કહેવાતા ગૌરક્ષકો અને સંઘપરિવારની ઠગપ્રવૃત્તિઓને ખાળવાના મત તરીકે જોવું જોઈએ. સંઘપરિવાર અને બી.જે.પી. દ્વારા વિભાજિત સાંપ્રદાયિક ઝુંબેશ ચૂંટણીમાં વેગ પકડે છે, તે ધ્યાનમાં લેવાનું વધુ મહત્ત્વપૂર્ણ છે. લોકસભા – ચૂંટણીઓ સુધીના ટૂંકા ગાળામાં, ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ સરકારની સ્થાપના આ પરિણામો દ્વારા પ્રાપ્ત થતી ગતિને જાળવી રાખવા માટે આ પ્રકારની નીતિઓની રૂપરેખા પ્રદાન કરશે, તેવી અપેક્ષા છે. આ મતદાન પરિણામોના મુખ્ય સંદેશાને સતત વળગી રહેવામાં આવે, તો વિરોધપક્ષની તરફેણમાં આ પરિવર્તન ટકાવી શકાય છે, જેમાં ‘લોકો’ ફરી રાજનીતિના મંચના કેન્દ્રમાં પાછા આવે છે. જાહેર સંવાદનું કેન્દ્ર નેતાની નીતિઓ પર હોવું જોઈએ અને નેતાના વ્યક્તિત્વ પર નહીં. આવનારી લોકસભા – ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના સહસંબંધમાં નિર્ણાયક બદલાવ માટે આવાં પરિવર્તન આવશ્યક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 07

Loading

...102030...2,9142,9152,9162,917...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved