Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 May 2025

હેમન્તકુમાર શાહ

પાકિસ્તાન સાથેનું યુદ્ધ અત્યારે ટળ્યું તે તો સારું જ થયું. તમામ રાજનેતાઓએ યુદ્ધ કાયમ ટાળવું જ જોઈએ. કોને લીધે એ ટળ્યું અને કેવી રીતે એ ટળ્યું એ બધા તદ્દન જુદા મુદ્દા છે. પરંતુ શાંતિ ફરી ઊભી થઈ એ અગત્યનું છે. 

પણ અત્યારે એમ કહેવામાં આવે છે કે POK લઈને ભારતમાં ભેળવી દેવાની આ તક હતી અને તે નરેન્દ્ર મોદીએ ગુમાવી દીધી છે. 

૧૯૭૧માં યુદ્ધ થયું અને બાંગ્લાદેશ બન્યો તે પછીના વિશ્લેષણમાં અનેક વાર એમ કહેવામાં આવતું રહ્યું હતું કે સિંધ, POK અને બાંગ્લાદેશ પણ ભારતમાં ભેળવી દેવાની તક ઇન્દિરા ગાંધીએ ત્યારે ગુમાવી દીધી હતી. 

જો કે, એક સ્વતંત્ર દેશ એવા સિક્કિમને ઇન્દિરા ગાંધીએ જ ૧૯૭૫માં ભારતમાં ભેળવી દીધો હતો.

ભા.જ.પ.ના પૂર્વાશ્રમ જનસંઘના એક નેતા હતા કે.આર. મલકાણી. તેમણે મોરારજી દેસાઈ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે એમ કહેલું કે નેપાળ તો ભારતનો જ ભાગ હતો અને તે ભારતનો ભાગ બનવો જોઈએ. RSS તો જેને અખંડ ભારત કહે છે તેમાં પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે. એવું ભારત બનાવવાના અભરખા છે એને.

બીજી તરફ, તેના પ્રચારક એવા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે તા.૦૪-૦૭-૨૦૨૦ અને તા.૦૨-૦૮-૨૦૨૪ના રોજ બે જુદા જુદા પ્રસંગોએ એમ કહેલું કે હવે વિસ્તારવાદનો જમાનો રહ્યો નથી. મોદી અને RSS આ બાબતમાં સામસામે છેડે છે ને? 

જ્યારે દેશોની સરહદોનો વિસ્તાર વધારવાનો પ્રયાસ થાય છે ત્યારે મોટે ભાગે યુદ્ધો થાય છે અને માણસો મરે છે એ એક હકીકત છે. 

રાજનેતાઓના પોતાના દેશના નકશા મોટા કરવાના આ અભરખામાં તેઓ તો નથી મરતા પણ લોકો મરે છે. 

દા.ત. અત્યારે હવે રશિયાના પુતિન યુક્રેન સાથે શાંતિ સમજૂતી કરે તો પચાસેક વર્ષ પછી રશિયન લેખકો એમ પણ કહે કે આખું યુક્રેન રશિયામાં ભેળવી દેવાની તક પુતિને ગુમાવી દીધી હતી.

અમેરિકાના ટ્રમ્પ કેનેડા અને ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવી દેવાની વાતો કરે જ છે. 

સવાલ એ છે કે, શાંતિથી, લોહી રેડ્યા વિના, જીવવું છે કે નહીં? દેશોના નકશા તો કાયમ બદલાતા જ રહ્યા છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. 

જો શાંતિથી જીવવું હોય તો રાજનેતાઓના આ વિસ્તારવાદને ટેકો આપવાનું લોકોએ બંધ કરવું જોઈએ. યુદ્ધના નાણાકીય ખર્ચ અને માનવ ખર્ચનું લોકોને સામાન્ય રીતે ભાન હોતું નથી. નેતાઓ લોકોને રાષ્ટ્રભક્તિને નામે યુદ્ધને માટે ઉશ્કેરે છે. લોકોએ એ ચાલમાં ફસાવું જોઈએ નહીં. નકશાને નહિ, માણસને પ્રેમ કરવાની કલા વિકસાવવાની જરૂર છે. એને માટે હિંસા ત્યજીને અહિંસાનો રસ્તે ચાલવાની રીત અપનાવવી પડે. 

ભારતની જેટલી સરહદ અત્યારે છે તેટલી પણ સચવાઈ રહે એટલે ભયો ભયો. કારણ કે આવી સરહદ ૧૯૫૦માં પહેલી જ વાર બની છે. બધા અભરખા ત્યજો અને શાંતિથી જીવો અને દુનિયામાં બીજાને જીવવા પણ દો. 

તા.૧૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

3 दिन का युद्ध  – न 3 के, न 13 के ! 

कुमार प्रशांत|Opinion - Opinion|15 May 2025

कुमार प्रशांत

वह कहावत है न : हाथ के तोते उड़ जाना, वह ऐसे ही वक्त के लिए बनी है. उन सभी जंगबाजों के हाथ के तोते उड़ गए हैं जो पिछले 3 दिनों से प्रधानमंत्री को ललकार रहे थे कि बस, अब रुकना नहीं है, इस्लामाबाद व लाहौर जेब में ले कर ही लौटना है- “ बस, देखिएगा मोदीजी, अब पीओके जैसा कोई क्षेत्र नक्शे पर बचना नहीं चाहिए.” लेकिन ऐसे सारे शोर धरे रह गए और 3 दिनों में पाकिस्तान के साथ हमारा अब तक का सबसे छोटा युद्ध समाप्त हो गया.

कोई भी युद्ध समाप्त हो और शांति किसी भी रास्ते लौटे तो मेरे जैसा आदमी उसका हर हाल में स्वागत ही करेगा. शांति शर्त नहीं, जीवन है. लेकिन नहीं, यहां मुझे यह भी कह देना चाहिए कि ऑपरेशन सिंदूर ( इस नाम से मुझे वितृष्णा होती है लेकिन यही नाम चलाया गया है !) जिस रास्ते विराम तक आया है, उससे मुझे आशंका हो रही है कि यह शांति किसी बाज के चंगुल में दबी हुई है. होंगे अमरीका के वर्तमान राष्ट्रपति डोनल्ड ट्रंप किसी के परम मित्र लेकिन शांति के लिए उनकी मध्यस्थता युद्ध से कम खतरनाक नहीं है. यदि प्रधानमंत्री का यह कहना सच है कि यह शांति अमरीका की मध्यस्थता से नहीं, भयाक्रांत पाकिस्तान व विजयश्री को वरण करने वाले हिंदुस्तान की समझदारी से आई है, तो ट्रंप महाशय के इस काइयांपन को कठोरता से बरजना नहीं चाहिए क्या कि उन्होंने सबसे पहले, किसी से भी पहले ट्विट कर मध्यस्थता का दावा भी कर दिया, समझदारी दिखाने के लिए दोनों ‘बच्चों’ की पीठ भी थपथपा दी, दोनों को साथ बिठा कर ‘सॉरी’ कहने के लिए ‘तटस्थ स्थान’ भी बता दिया और इस विवाद से बाहर आने में मार्गदर्शक बनने की पेशकश भी कर दी ? इतना ही नहीं, यह भी कह दिया कि मेरे कहने से ‘आत्मसमर्पण’ नहीं करोगे तो मैं धंधा-पानी बंद कर दूंगा. यह सब किसी के हवाले से नहीं, सीधे ट्रंप महाशय के श्रीमुख से हमने भी सुना, मोदीजी ने भी सुना और सारी दुनिया ने सुना. उनके इस काइंयापने को बरजना तो दूर, न भारत ने, न पाकिस्तान ने मित्र ट्रंप से ऐसा कुछ भी कहा; बल्कि पाकिस्तान ने तो उनका सार्वजनिक तौर पर आभार भी माना. अंतरराष्ट्रीय राजनीति के इस दौर में अमरीका व ट्रंप का यह रवैया अत्यंत खतरनाक है. इसकी गहरी और गहन छानबीन होनी चाहिए. लेकिन अभी हम ख़ुद को तो देखें, फिर ट्रंप महाशय की बात करते हैं.

पहलगांव में पाकिस्तान ने जो अमानवीय कारनामा किया, उसके बाद किसी भी सरकार के लिए चुप बैठना संभव नहीं था. आजादी के बाद से अब तक पाकिस्तान से हमारी जितनी भी जंग हुई है, उसके पीछे कहानी यही रही है कि पाकिस्तान ने हमारे सामने दूसरा कोई रास्ता छोड़ा ही नहीं ! लेकिन एक फर्क भी है जिसे भी समझना जरूरी है. कारगिल और पहलगांव, दोनों के साथ एक बात समान है कि इन दोनों युद्ध के पीछे सरकार की अक्षम्य विफलता को छिपाने और ख़ुद को महिमामंडित करने की कोशिश हुई है. आप हिसाब लगाएं तो इन दोनों मौकों पर देश की कमान भारतीय जनता पार्टी के हाथ में थी. कारगिल में पाकिस्तान भीतर घुस आया, पहाड़ियों में उसने अपनी मजबूत जगह बना ली, हथियार, गोला-बारूद जमा कर लिया और अटलबिहारी वाजपेयी की सरकार सोती रही. बाद में सैंकड़ों जवानों के रक्त से अपनी यह नंग छुपाई गई. ऐसा ही पहलगांव में हुआ. हमारी गुप्तचर एजेंसी और हमारी सुरक्षा-व्यवस्था कहां सो रही थी कि पाकिस्तान से आतंकवादी निकले और पहलगांव के उस इलाके में पहुंच गए जहां सैंकड़ों सैलानी जमा थे ? जिस कश्मीर का चप्पा-चप्पा आपकी मुट्ठी में है और जहां कोई कश्मीरी पलक भी झपकाता है, तो आपको पता चल जाता है, ऐसा दावा गृहमंत्री करते नहीं अघाते हैं, वहां ऐसी असावधानी ? और शर्मनाक यह कि उसके बारे में कोई सफ़ाई आज तक नहीं दी गई, कोई माफी नहीं मांगी गई. सिर्फ एक ही आवाज सुनाई देती है कि ‘ट्रेड’और ‘टॉक’ एक साथ नहीं चल सकते; कि ख़ून और पानी एक साथ नहीं बह सकते ! यह किसी तुक्काड़ की कविताई न हो तो मैं पूछना चाहता हूं कि ‘सरकार’ व ‘बेकार’ एक साथ चल सकते हैं क्या ? इतिहास बताता है कि मात्र संसदीय बहुमत के बल पर देश नहीं चलता है. पूछना हो तो इंदिरा गांधी और राजीव गांधी दोनों से पूछिए, और पूछिए अटलबिहारी वाजपेयी से. फिर आप इस गफ़लत में क्यों जी रहे हैं कि संसदीय बहुमत है, तो आप देश को मनमाना हांक लेंगे ?

कोई बताए कि 3 दिनों के इस युद्ध से हासिल क्या हुआ ? खोखली राजनीतिक शेखी  व चुनावी फसल काटने की तैयारी आदि की बातें तो अहले-सियासत जाने, हम तो देख रहे हैं कि 3 दिनों की इस ड्रोनबाजी से हमारे हाथ कुछ भी नहीं आया. न हम पाकिस्तान को इतना कमजोर कर सके कि वह आगे कोई दूसरा पहलगांव करने की हिम्मत न करे, न हम अंतरराष्ट्रीय शक्तियों को अपने पीछे इस तरह खड़ा कर सके कि कोई पाकिस्तान, कि कोई चीन उसकी तपिश महसूस कर सके. सीखना ही हो तो यूक्रेन से सीखें हम कि जिसके पीछे सारा यूरोप खड़ा ही नहीं है, उसकी सक्रिय मदद भी कर रहा है. वहां भी सबसे कमजोर कड़ी ‘मित्र ट्रंप’ ही हैं. दौड़-दौड़ कर विदेश जाने वाला, जबरन गले पड़ने वाला हमारा कूटनीतिक बौनापन ऐसा रहा है कि आज हमें व पाकिस्तान दोनों को एक ही पलड़े में रख कर, ट्रंप ने अपनी झोली में डाल लिया है. अमरीका भी जानता है कि पाकिस्तान के पीछे चीन खड़ा है, और वह यह भी जानता है कि आज पुतिन का रूस, चीन के ख़िलाफ़ दूर तक नहीं जा सकता है. अंतरराष्ट्रीय बिरादरी में हमारे इस तरह अलग-थलग पड़ जाने से देश बड़ी अटपटी हालत में आ गया है.

3 दिनों की इस ड्रोनबाजी ने हमें एकदम बेपर्दा कर दिया है. हमें यह सच्चाई पहली बार समझ में आई है कि हथियारों का जितना भी जखीरा हम जमा कर लें, उसका हम मनमाना इस्तेमाल नहीं कर सकते. इसलिए युद्ध में किसी को निर्णायक रूप से परास्त कर देना आज आसान नहीं है. हमारी फौज बली है, यह दावा हम करते रहें लेकिन यह सच्चाई भी समझते रहें कि कोई भी फौज उतनी ही बली होती है जितना बली होता है उसके पीछे खड़ा समाज ! हमने अपने समाज का क्या हाल बना रखा है ?

हमारा समाज कैसे ऐसी भीड़ में बदल दिया गया है कि जिसके पास युद्धोन्माद की मूढ़ नारेबाजी के अलावा कहने को कुछ बचा ही नहीं है ! हमारा मीडिया इन 3 दिनों में अपने पन्नों व पर्दों पर जैसा ‘फेक’ युद्ध लड़ने में जुटा हुआ था, उससे तो वीडियो गेम खेलने वाला कोई बच्चा भी शर्मा जाए ! पहलगांव में असावधानी की हर सीमा पार करने वाली सरकार, देश के भीतर खबरों के बारे में इतनी सावधान थी कि सबको वही कहना व लिखना था जो सरकार कहे. इस सरकार ने ऐसा माहौल बना रखा है कि जैसे आज राष्ट्रीय सुरक्षा को सबसे बड़ा खतरा स्वतंत्र सोच व समाचार से है. हमारा तथाकथित ‘विशेषज्ञ बौद्धिक’ कितना विपन्न है, यह भी इन 3 दिनों में पता चला. यूट्यूब जैसे माध्यम, जो देश के विमर्श को एक दूसरा आयाम दे रहे थे, उन सबको चुन-चुन कर बंद कर दिया गया. एक माहौल ऐसा बनाया गया कि जब राष्ट्रीय सुरक्षा खतरे में पड़ी हो तब आप लोकतांत्रिक अधिकारों की बात कैसे कर सकते हैं ? आपके ऐसे रवैये से दो बातें पता चलीं : पाकिस्तान जैसा खोखला हो चुका देश भी मात्र 3 दिनों में हम जैसे सर्वसाधनसंपन्न देश की सुरक्षा को खतरे में डाल सकता है; और यह भी कि लोकतांत्रिक अधिकारों से देश मजबूत नहीं बल्कि कमजोर होता है. अगर सर्वोच्च न्यायपालिका को अपने नमक का कर्ज उतारना हो तो उसे इस अवधारणा का स्वत: संज्ञान लेना चाहिए.

सारे चैनल कह रहे थे, सारे अखबार भयानक उबाऊ एकरसता से लिख रहे थे, प्रधानमंत्री भी बोल रहे थे और उसकी प्रतिध्वनि सारे मंत्रियों के भीतर से भी उठ रही थी कि हमने जवाब दे दिया – 26 निरपराध भारतीयों की हत्या का जवाब हमने दे दिया ! कैसे जवाब दिया ? 26 लाशों के बदले 100 लाशें गिरा कर ? यह किसी शांतिवादी या गांधी या बुद्ध वाले का तर्क नहीं है, सामान्य समझ की बात है कि बदला भले लिया हमने लेकिन जवाब तो कुछ भी नहीं बना. दोनों सरकारें नहीं बता रही हैं कि फौजी व नागरिक मिला कर कुल कितने लोग मारे गए ? लेकिन आपकी ही दी खबरें, आपके  ही दिखाए मंजर बताते हैं कि हमारी अचूक गोलाबारी तथा पाकिस्तान की जवाबी कार्रवाई में कई जानें गई हैं, काफी बर्बादी हुई है. सत्ता व संपन्नता के शिखर पर बैठे लोग एक ही बात बार-बार दोहराते हैं कि हमारे जांबाज जवानों ने… हमारी फौज की वीरता ने … वे हैं तो हम रात में चैन की नींद सो पाते हैं आदि-आदि. लेकिन जांबाज जवानों से अपनी जगह बदले की तैयारी कितनों की है, कोई बताता नहीं है. ट्विटर-फ़ेसबुक आदि ने बहादुरी की टके भर क़ीमत नहीं रहने दी है. जो यहां हो रहा है, वही पाकिस्तान में भी हो रहा है. पराजित आदमी की तरह ही पराजित मुल्क भी ज्यादा प्रगल्भ होता है, तो पाकिस्तान की यह मनोभूमिका हम समझते हैं. लेकिन अपनी मनोभूमिका पाकिस्तान जैसी क्यों होती जा रही है ? तो कहना होगा कि दोनों ने अपना-अपना जवाब दे दिया है, और खाली हो गए हैं. युद्ध के दरवाजे भी फ़िलहाल बंद हो गए हैं तो बात खत्म हो गई. अब कोई कहे कि किसने किसको जवाब दे दिया ? अपनी परंपरा व पौराणिकता की शेखी बघारने वालों को याद रखना चाहिए कि महाभारत के युद्ध के अंत में आ कर धर्मराज युधिष्ठिर का रथ भी धरा से आ लगा था और वे भी अपनी खाली हथेली देख कर यही पूछ रहे थे कि हाथ क्या आया ?

मौत जिंदगी का जवाब नहीं है, वह तो जिंदगी का अंत है. जिंदगी है तो सवाल हैं; और सवाल हैं तो उनका जवाब भी होगा जिन्हें हमें खोजना है. अाज हम नहीं खोज सके, तो कोई बात नहीं. खोजते रहेंगे तो जवाब मिलेगा. हमारे बस में इतना ही है कि हम खोजने में ईमानदार हों. बुद्ध अनगिनत सालों पहले यही तो कह गए : तुम जैसा सोचते हो, वैसे ही बन जाते हो. इसलिए युद्ध भी लड़ें तो मानवीयता भूल कर नहीं, ज्वर भी चढ़े तो युद्धोन्माद का नहीं, क्योंकि हमें किसी भी सूरत में न अमानवीय बनना है, न बनाना है. हमें वैसा देश नहीं बनाना है, हमें वैसा नागरिक नहीं बनना है जो नेवी के लेफ्टिनेंट विनय नरवाल की पत्नी हिमांशी के चरित्र पर इसलिए कीचड़ उछालता है कि उसने पहलगांव में आतंकवादियों द्वारा अपने पति की हत्या के बाद भी देश को देशी आतंकवादियों के हाथ सौंपने से मना कर दिया; मध्यप्रदेश के भाजपा मंत्री विजय शाह ने कर्नल सोफिया कुरैशी के बारे में जो अपमानजनक बातें कहीं वह ज़ुबान की फिसलन भर नहीं, उस खास मानसिकता का परिचायक है जिसके प्रधान व्याख्याता कपड़ों से अपने नागरिकों की पहचान की बात करते हैं; यही लोग हैं जो हमारे आला विदेश सचिव विक्रम मिसरी पर इसलिए लांक्षन लगाते हैं कि उन्होंने युद्धविराम की खबर देते हुए शालीनता नहीं छोड़ी. उन्माद का राक्षस हमेशा इसी तरह भूखा होता है – “उसे पानी नहीं भाता / सियासत ख़ून पीती है.”

(14 जून 2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિ શા માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|14 May 2025

રમેશ સવાણી

22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો, 28 લોકો ભોગ બન્યા. 6-7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયું અને 10 મે 2025ના રોજ સીઝફાયરની જાહેરાત થઈ. ઓપરેશન સિંદૂર’ના 4 દિવસ દરમિયાન ભારતના ગોદી મીડિયાએ સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિની ભરમાર કરી દીધી ! 

સંરક્ષણ મંત્રાલયે 1 મે 2025ના રોજ મીડિયાને ખોટા અને ભ્રામક સમાચારોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કારણ કે આવા કવરેજથી દુ:શ્મનને ફાયદો થઈ શકે છે અને સુરક્ષા કર્મચારીઓ માટે ખતરો ઊભો થઈ શકે છે. ભારતીય સેનાના પ્રવક્તા તરીકે કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું હતું કે “પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કોઈ નિર્દોષ નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી.” પરંતુ આ સૌથી સંવેદનશીલ સમયે પણ, ભારતીય મીડિયા સરકારી સૂચનાઓનો ભંગ કર્યો. ગોદી મીડિયા ઘણી બધી અફવાઓ, ખોટી માહિતી અને ખોટા અને ભ્રામક સમાચાર પ્રસારિત કરતું રહ્યું. યુદ્ધનો ઉન્માદ ભડકાવવા માટે, તેમના એન્કર ટી.વી. પર વાંદરાઓની જેમ કૂદકા મારતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા. તણાવ દરમિયાન, એક તરફ ભારતીય સેના તેના રક્ષણાત્મક પાસાઓ આગળ ધપાવી રહી હતી, જ્યારે બીજી તરફ એક ભારતીય ચેનલ દાવો કરી રહી હતી કે ‘પાંચ પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ જ્યારે બીજી ચેનલ કહી રહી હતી કે ‘25 પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ એક એન્કરે કૂદીને કહ્યું કે ‘પાકિસ્તાનના પાંચ શહેરો નકશામાંથી ભૂંસાઈ ગયા છે !’ કેટલાક કહી રહ્યા હતા કે ‘પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ કબજે કરવામાં આવી છે !’ તો કેટલાક કહી રહ્યા છે કે ‘કરાચી કબજે કરવામાં આવ્યું છે !’ યુક્રેન-રશિયા યુદ્ધના વીડિયો ભારત-પાકિસ્તાનના વીડિયો તરીકે ચલાવવામાં આવ્યા ! કોઈએ શાહબાઝ શરીફને બંકરમાં છુપાયેલા જોયા ! જ્યારે કોઈ કહી રહ્યું હતું કે તેમને ભાગતા જોવામાં આવ્યા છે. કોઈ ચેનલે લાહોર, ઈસ્લામાબાદ અને સિયાલકોટ પર INS વિક્રાંત દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા અને કરાચી બંદરના વિનાશના સમાચાર પ્રસારિત કર્યા. પછી કોઈએ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે – ‘ભારતીય સેનાએ વહેલી સવારે પાકિસ્તાનનાં 6 શહેરો પર હુમલો કર્યો !’ કેટલી અતિશયોક્તિ ! આશ્ચર્યજનક વાત એ છે કે આ બધી ‘માહિતી’ ફક્ત ગોદી મીડિયા પાસે હતી, ભારતીય સેના કે સરકાર પાસે નહીં !

ગોદી મીડિયાની હરકતોના કારણે દુનિયા સમક્ષ ભારતની મજાક ઉડી. સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિ લોકોની ધારણાઓને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે અને સંભવિત રીતે મીડિયાના હેતુને, પત્રકારત્વનાં મૂલ્યોને વિકૃત કરી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે સમાચાર માધ્યમો, ઘણીવાર સ્પર્ધા અથવા ધ્યાન આકર્ષિત કરવાની ઇચ્છાથી પ્રેરિત, સચોટ અને સંતુલિત રિપોર્ટિંગના બદલે સનસનાટી ફેલાવે; ભાવનાત્મક લાગણીઓને ઉશ્કેરે. મીડિયાએ તટસ્થ અને પક્ષપાતથી મુક્ત સમાચાર કવરેજ પૂરું પાડવું જોઈએ, જેનાથી લોકો પોતાનો અભિપ્રાય બાંધી શકે. લોકશાહીમાં, નિર્ણય લેવાની પ્રક્રિયા પર જાહેર અભિપ્રાયનો મજબૂત પ્રભાવ હોય છે. મીડિયાનું કામ સાચી માહિતી આપવાનું છે. અફવાઓનું ખંડન કરવાનું છે. ‘સૂત્રો’નો હવાલો આપીને જૂઠાણાં ફેલાવી શકાય નહીં.

ગોદી મીડિયાનાં કારણે લોકોમાં રોષ હતો. કેટલાંક જાગૃત લોકોએ સુરક્ષા બાબતે પ્રશ્નો ઊઠાવ્યા તો તેમની સામે ગુનાઓ દાખલ થયા. કેટલાંક ‘X’ એકાઉન્ટ બંધ થયાં. સ્વતંત્ર ચેનલો બ્લોક થઈ. સરકારની આલોચના માટે ગુજરાતમાં જ 14 લોકો સામે FIR દાખલ થઈ. એક તરફ, નાગરિક કંઈ કહે તો તેમની સામે FIR અને બીજી તરફ ગોદી મીડિયાને જૂઠાણાં ફેલાવવાની બિલકુલ છૂટ !

ગોદી મીડિયા દ્વારા દર્શાવવામાં આવેલી બેજવાબદારીની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આ ભારતીય મીડિયાને બેજવાબદાર પ્રસારણ માટે દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણી વખત ઠપકો સહન કરવો પડ્યો છે. ઘણી વખત આવા અનિયંત્રિત અને ઉશ્કેરણીજનક મીડિયા ચેનલોને માફી માંગવી પડી છે, ઘણી વખત આવા પાયાવિહોણા અને ખોટા સમાચારોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. હદ તો એ છે કે આવી કુખ્યાત ટી.વી. ચેનલોના રિપોર્ટરોને તેમના જૂઠાણા ફેલાવવાને કારણે ઘણી વખત લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. તેમને પોતે પણ તેમની પોતાની ચેનલ પર લાઈવ કાર્યક્રમોમાં આમંત્રિત મહેમાનો તરફથી ઘણું અપમાન સહન કરવું પડ્યું છે. ઘણા પ્રામાણિક પત્રકારોએ આવી ચેનલો છોડી દીધી છે અને પોતાની યુટ્યુબ ચેનલો ચલાવી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતા અને વાસ્તવિક પત્રકારત્વનો પુરાવો આપે છે. અને આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આવી બધી ‘ગોદી ચેનલો’ની ટી.આર.પી. ઘણી ઘટી ગઈ છે. પરંતુ આટલા બધા અપમાનનો સામનો કરવા છતાં, આવી ચેનલો અને તેમના પત્રકારોમાં કોઈ ફેરફાર થવાની વાત તો દૂર, તેમનાં ધોરણો વધુ નીચે જઈ રહ્યાં છે.

દેશની એકતાને પ્રોત્સાહન આપવાને બદલે મીડિયા હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવી રહ્યું છે; તેનું ઉદાહરણ જમ્મુ અને કાશ્મીરના એક સમાચારના પ્રસારણમાં પણ જોવા મળ્યું. અહીં પૂંછમાં, 46 વર્ષીય કારી મોહમ્મદ ઇકબાલ, સ્થાનિક મદરેસા ઝિયા-ઉલ-ઉલૂમના શિક્ષક અને એક આદરણીય સ્થાનિક ધાર્મિક વ્યક્તિ, પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા. તેઓ આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી વ્યક્તિ હતા. પોલીસે પોતે તેમના વ્યક્તિત્વની પ્રશંસા કરી છે. પરંતુ આ ગોદી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું કે “ઇકબાલ એક આતંકવાદી હતો ! અને તેને ભારતીય સેનાએ મારી નાખ્યો !” જરા વિચારો, આવા ખોટા, પાયાવિહોણા અને ભ્રામક સમાચાર ફેલાવીને મીડિયા શું સંદેશ આપવા માંગે છે? આ સમાચાર કાશ્મીરના લોકો પર શું અસર કરી શકે છે? 

સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ / અતિશયોક્તિના પરિણામો ધાતક છે : (1) વાસ્તવિકતાને વિકૃત કરે છે. ઓછી મહત્ત્વની ઘટનાને અયોગ્ય મહત્ત્વ આપવામાં આવે છે. (2) અતાર્કિક ભયની ધારણાઓ બને છે. સનસનાટીભર્યા સમાચાર ભય અને ચિંતાનું વાતાવરણ બનાવે છે, જેના કારણે લોકો વાસ્તવિક જોખમોનો ખોટો અંદાજ લગાવી શકે છે. (3) વિશ્વાસમાં ઘટાડો થાય છે. જ્યારે લોકોને લાગે છે કે સમાચાર માધ્યમો ચોકસાઈ અને નિષ્પક્ષતા કરતાં નાટક અને સનસનાટીને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે તે મીડિયા પરનો વિશ્વાસ ગુમાવે છે. (4) નિષ્પક્ષતાનું ધોવાણ થાય છે. પત્રકારત્વનો ઉદ્દેશ્ય તથ્યોનું સંતુલિત અને નિષ્પક્ષ પ્રસ્તુતિ છે, જેનાથી દર્શકો / વાચકો પોતાના તારણો કાઢી શકે છે. નાટ્યત્વ અને અતિશયોક્તિ સમાચારમાં વ્યક્તિગત મંતવ્યો અથવા પૂર્વગ્રહો દાખલ કરીને આ ઉદેશ્યને નબળો  પાડે છે. 

આવા સંવેદનશીલ વાતાવરણમાં પણ, ગોદી ‘મીડિયા’ જૂઠાણા અને અફવાઓ ફેલાવીને ઉન્માદને વેગ આપે છે તેનું કારણ શું છે? 

  1. સ્પર્ધા. આર્થિક ઉદ્દેશ. સંવેદનાત્મકતા, અતિશયોક્તિ દ્વારા ધ્યાન આકર્ષિત કરવાનો ઇરાદાપૂર્વકનો હેતું. તે માટે પૂર્વગ્રહો, પસંદગીયુક્ત તથ્યો અથવા પક્ષપાતી ફ્રેમિંગનો ઉપયોગ કર્યો. 
  2. Dramatization / exaggeration – નાટ્યત્વ / અતિશયોક્તિ દ્વારા વડા પ્રધાનને ઐતિહાસિક નોન-બાયોલોજિકલ બનાવવાની ભાટાઈ. 
  3. સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...286287288289...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved