હવે એનું નામ
મારી જિંદગીની કિતાબનાં પાનાંઓમાં નથી
હું જીવું છું
મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
આઝાદી?
એ કઈ બલાનું નામ છે?
મનને ગમતાં કપડાં પહેરવાનું?
કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બૂરી છે
જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
પહેર્યાં વગરનું પડ્યું છે સાવ ઉદાસ
પણ મારી નજર હવે એ તરફ નથી જતી
હું ભૂલી ગઈ છું એ ખુશીને
જે એ કપડાં પહેરતાં મારી આંખોમાં આવી જતી હતી
અને અરીસો હસી ઊઠતો હતો
આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
કંઇક તૂટી ગયું છે અંદરથી
અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
હું જેમ બદલું છું એમના કહેવાથી
ત્યારે એમની લાડલી બનતી જાઉં છું
પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉં છું
એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
આઝાદી શું અને જિંદગી એ વળી શું?
આજે મારા કોઈ વિચાર નથી
ન જિંદગી છે
ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
થોડો સમય છે મારી આઝાદીનો
એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
એનું નામ, એની યાદો
ક્યારેક આંખોમાં તરી આવે
અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
તમારી જેમ અને જીવું છું
પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઊઠું છું
તારું નામ
જો હવે મારી કોઈ કિતાબમાં નથી
કારણ કે,
આ જિંદગી પણ હવે મારી નથી
મારા મુખ પર સ્મિત છે,
આંખોમાં ખુશી
ઓગળી રહી છે મીણબત્તી માફક
એમની યાદોની સાથે આઝાદી
મારો હાથ હવામાં લહેરાય છે
તને, મને અને તારી યાદોને
“અલવિદા, એ જિંદગી!”
e.mail : navyadarsh67@gmail.com
![]()



પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ(૧૮૯૭-૧૯૭૧)ના લેખનની શરૂઆત શિખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. ૧૯૬૨ના સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત આ લેખકે ૫૫ નવલકથાઓ, ૨ નાટકો અને ૪ કાવ્યસંગ્રહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. “ખૂની બૈસાખી” દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાંન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકુમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્ય સંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક ૧૯૮૦માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત એવા નવદીપ સૂરી અનૂદિત “ખૂની બૈશાખી”નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.
અસ્પૃશ્ય દલિત કુંટુંબમાં જન્મેલા ઉધમ સિંહ (૧૮૯૯-૧૯૪૦) જલિયાંવાલા કાંડ વખતે ૧૯ વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચુકેલા ઉધમ સિંહે રતન દેવીને ધર્મનાં બહેન માન્યા હતાં. અનાથાલયમાં ઉછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાના આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું.