ભાઈઓ અને બહેનો, ચાલો આપણને એકસૂત્રે બાંધી રાખતા આ તહેવારને આજે ઉજવીએ.
જો મારી પાસે જાદુઈ લાકડી હોય અને હિન્દુધર્મના ઘણા તહેવારોમાંના એકને બહોળા પ્રમાણમાં ઉજવવામાં આવે તેવું કઇંક કરી શકું, તો અચ્છાઈનો બુરાઈ કે અંધાકરનો પ્રકાશ પર વિજય સૂચવતો અને મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવાતો દિવાળીનો તહેવાર હું પસંદ ન કરું. કે કદાચ શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ જન્માષ્ટમી અથવા નવ દિવસ રાસ-ગરબાની રમઝટ દ્વારા માતૃશક્તિનો મહિમા કરવાનો નવરાત્રિનો તહેવાર પણ ન સૂચવું. આ તહેવારો ઘણા પ્રચલિત છે અને તેના જેવા તહેવારો પશ્ચિમી પરંપરામાં પણ ઉજવાય છે.
ના, મારી પસંદગી ઘર આંગણે સાદાઈથી ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનને વધાવતી વિધિ રક્ષા બંધનના તહેવારને પસંદ કરું. આ તહેવાર દુનિયા આખીમાં લાખો લોકો ઉજવશે. તમે સહુ તેમાં જોડાઓ તેવું ઈચ્છું છું. તમને કહું, શા માટે.
સદીઓથી ચાલતા આવેલા રિવાજ મુજબ, બહેન પોતાના ભાઈના કાંડા પર પસલીનો દોરો બાંધે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે. બદલામાં ભાઈ પણ બહેનને પસલીનો દોરો બાંધે અને યથાશક્તિ રોકડ ભેટ આપે. મારી ભૂલ હોય તો ક્ષમા ચાહું છું, પરંતુ મારી જાણમાં બીજી કોઈ સભ્યતામાં ભાઈ-બહેન વચ્ચેના પ્રેમને આ રીતે વ્યક્ત કરતો કોઈ તહેવાર નથી જોવા મળતો.
મને આજે આ નાના લાગતા તહેવાર વિષે ઉલ્લેખ કરવાનું મન શાથી થયું? કદાચ મારા પુત્રને આજે તેની કાકાની નવજાત પુત્રીને હાથે રક્ષા બાંધવાનો અવસર મળ્યો છે, એટલે હોય કે હું જ્યારે દુનિયાભરમાં ચોપાસ મચી રહેલ ખળભળાટ અને વિભાજક બળો સક્રિય થતાં જોઉં છું, તેથી વિચાર આવ્યો કે કદાચ આ રક્ષાબંધન જેવા તહેવારનું હાર્દ ક્યાંક આપણને આ ઘાવ રૂઝવવામાં મદદરૂપ થાય!
હું સગી બહેન વિના મોટો થયો, અને કાકા-મામા-માસી અને ફોઈની દીકરીઓ હજારો માઈલ દૂર વસે, એટલે તેમને પ્રત્યક્ષ રક્ષા બાંધવાના પ્રસંગો ઓછા મળ્યા. પણ જ્યારે પણ મેં તેમને રક્ષા અને પત્ર (જો મને યાદ આવે તો) મોકલું અને તેમનો પ્રેમસભર પત્ર અને રાખડી મળે ત્યારે મને હંમેશ તેનું મહત્ત્વ સમજાય કે જે આપણે બધાએ ફરીને સંભારવા જેવું છે : કે દરેક સ્ત્રી અને પુરુષ આપણા ભાઈ અને બહેન છે, આપણા આદરને પાત્ર છે, નહીં કે તેમના વિષે કામના સેવવાની કોઈ વસ્તુ કે તેથી ય વધુ ખરાબ તેમની સાથે દુર્વ્યવહાર કરવા જેવું પાત્ર છે. અમને અમારી સ્ત્રી મિત્રોને હાથે પણ રાખડી બાંધવાનું શીખવવામા આવેલું, જેથી એ અમારી બહેનો સમાન બની ગઈ, નહીં કે કામવાસના પોષવા ઈનામ જીતવાની ચીજ.
જો આપણે ભાઈ-બહેન વચ્ચેના આવા નિર્મળ પ્રેમને અવારનવાર ઉજાગર કરીએ તો શું પરસ્પર માટેની નફરત, જાતીય શોષણ અને વિભાજન ઓછાં થશે? કહેવું મુશ્કેલ છે. પરંતુ મને તો મારી સ્ત્રી મિત્રો અને સહકાર્યકરોને બહેનની દ્રષ્ટિએ જોવાનું અને પુરુષ સાથીદારોને ભાઈઓ તરીકે, નહીં કે હરીફ તરીકે જોવાનું મૂલ્ય મારા ઉછેર દરમ્યાન અને સમગ્ર જીવનમાં ઘણું છે.
હું એમ વિચાર્યા વિના નથી રહી શકતો કે માનસિક તણાવ કે જે આપણને એક બીજાંથી વિખૂટાં પાડી દે છે તેના કરતાં માનવતાનું બંધન કે જે આપણને એક બીજા સાથે સાંકળી રાખે છે તે વધુ મજબૂત છે. અથવા એમ ખરેખર થવું જોઈએ.
તો આજના દિવસે ડેસ્કને સામે છેડે બેઠેલ તમારી સાથે કામ કરનાર ભાઈ કે બહેન પ્રત્યે હાથ લંબાવીને તમારા ભાઈ કે બહેન કહીને કાં ન બોલાવો ? પડોશીના ઘરનું બારણું ખખડાવીને પૂછો એ લોકો કેમ છે. જેની સાથે ઘણા સમયથી વાત નથી કરી તે મિત્રને ફોન કરીને ખબર અંતર પૂછો. આખર આપણે કોઈના ને કોઈના ભાઈ કે બહેન છીએ જ.
![]()


ભારત સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદથી લઇને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર જેવા ગ્રંથોની ભવ્ય વિરાસત ધરાવતાં આપણા આ દેશની સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. વિશેષ કરીને નાટકના સંદર્ભે જોઈએ તો કાલિદાસ, ભાસ, અશ્વઘોષથી ચાલી આવતી શૃંખલામાં ભારતેન્દુ હરિચંન્દ્ર રવીન્દ્રનાથ, બેલ્લારી રાઘવ, ભીષ્મ સાહની, સી.વી. રામનપિલ્લાઈ જેવા મહાન સર્જકોએ નાટ્યસાહિત્યને સીમા ચિહ્નનરૂપ પ્રદાન કર્યુ. આ શૃંખલામાં આધુનિક ભારતના કેટલાક નાટ્યકારોને પણ મૂકવા પડે એવું જેમનું તેજસ્વી પ્રદાન રહ્યુ છે, એવા બાદલ સરકાર, વિજય તેન્ડુલકર, હબીબ તન્વીર, મોહન રાકેશ અને ગિરીશ રઘુનાથ કર્નાડ છે. તો વળી જાવેદ સિદ્દીકી, એચ. નારાયણરાવ જયમોહન, ગુરુ ઠાકુર અને અભિજીત જોષીનું પ્રદાન પણ નોંધપાત્ર છે.


નાટ્યકાર ગિરીશ કર્નાડનું ૧૯૬૪માં પ્રગટ થયેલું બીજું નાટક ‘તુઘલક’ ૧૪મી સદીના દિલ્હીના સુલતાન મુહમ્મદ-બીન-તુઘલકના ખ્યાત કથાનક પર આધારિત છે. નાયિકાવિહીન ‘તુઘલક’ non-romantic નાટક છે. વિવાદાસ્પદ ઐતિહાસિક નાટકના કેન્દ્રમાં એક બાદશાહનું સનકીપણું છે, પરંતુ સામાન્ય લોકો જે આવી ઉપરછલ્લી વાત જાણે છે તે સર્જકને અભિપ્રેત નથી. કર્નાડ બાદશાહના મનનાં ઊંડાણોને તાગવાની કોશિશ આ નાટકમાં કરે છે. એના આંતરિક વ્યકિતત્વની પરતોને લેખક ખોલતા જાય છે. સુલતાન તુઘલક પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ કેમ લઈ જાય છે? કેમ કે સુલતાન કોમી એખલાસ, સૌહાર્દ ઇચ્છે છે. દોલતાબાદમાં હિન્દુ વસતી વધુ હતી, તેમનો પ્રેમ જીતવો એનું જીવન લક્ષ્ય હતું. બન્ને પ્રજા વચ્ચે સમન્વય થાય તો જ પ્રગતિ શક્ય બને. સોનાને બદલે અન્ય ધાતુ કે ચામડાના સિકકા ચલણમાં મૂકવા પાછળ પણ તેની આર્થિક દૃષ્ટિ કેન્દ્રમાં હતી. લેખક નાટકમાં તુઘલકના સનકીપણાને એના ઘાતકીપણાને આલેખી એના વ્યકિતત્વની અસદ્ બાજુને પણ ઉજાગર કરે છે. છળકપટમાં માહિર તુઘલક, પિતા, ભાઈ અને અપર માની હત્યાઓ કરાવી શકે છે. પોતાના જેવા દેખાતા એક ઇમામની હત્યા પણ તેણે કરાવી. આમ છતાં તુઘલક દેશનો વિકાસ ઇચ્છતો અને એ માટે હિન્દુ-મુસ્લિમ સમન્વય અને શાંતિને એ પ્રાથમિકતા આપે છે .. નાટ્યકારે ઐતિહાસિક પાત્રના મીથને સાંપ્રત ભારતના રાજકારણ સાથે જોડીને જોતાં નવું અર્થઘટન પ્રાપ્ત થાય છે. સમયે સમયે બદલાતી રાજકીય પરિસ્થિતિમાં એનાં અર્થઘટનોની પ્રસ્તુતતા સર્જકની કાબેલિયત સિધ્ધ કરે છે. ૬૦ના દશકનો નહેરુનો આદર્શવાદનો ભ્રમ ભાંગનાર સમાજવાદ કે પછી નાટકના બે પાત્રો(સુરક્ષા ગાર્ડ)ની વાતચીત(સંવાદ)માં એક ગાર્ડના “આ કિલ્લો મજબૂત છે”ના જવાબમાં બીજો ગાર્ડ – ‘This fort will crumble due to its inner weakness’ને ૮૦ના દશકના દર્શકોને ઇન્દિરા ગાંધીની હત્યા સાથે જોડે છે. દરેક સમયના દર્શકોએ ‘તુઘલક’નું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. પ્રશ્ન એ છે કે દર્શકો ’તુઘલક’ને મોદી સાથે કઈ રીતે સાંકળે છે.