જ્ઞાની હોય કે ઘડચા,
સાક્ષરો ઠર્યા ચમચા.
ધર્મના રખેવાળો,
દિશદિશે રચે દમચા.
ચાર ચાંદ ચડવાના,
ચોરે ચૌટે થઈ ચરચા.
સાધુ, બાવાને બખ્ખા,
લોક છો ભરે ખરચા.
કાબુ બહાર જીભલડી,
લાડુ દ્યો કે દ્યો કુલચા.
ગાડાં ઊંધાં વાળી લ્યે,
ગાળ દઈ, દઈ ગુલચા.
લોભિયા ત્યાં ધૂતારા,
છળ, કપટ અને પરચા.
બારસાખે શ્રદ્ધાની,
લીબું ગુમ ને ગુમ મરચા.
અષ્ટગંધ વિખરાયું,
અસ્તવ્યસ્ત થઈ અરચા.
***
14/9/2019
દમચાઃ ખેતરના ખૂણા ઉપર બાંધવામાં આવેલ મચાણ. તેના ઉપર બેસી ખેડૂત ખેતરનું રખોપું કરે છે.
કુલચાઃ એક જાતની રોટી
ગુલચાઃ ગાલ ઉપર પ્રેમપૂર્વક ધીમેથી મરાતી લપાટ
અષ્ટગંધઃ આઠ જાતની સુગંધી વસ્તુનું ચૂર્ણ.
અરચાઃ અર્ચન, પૂજન
e.mail : spancham@yahoo.com
![]()


ચૂંટણી-સન્મુખ ઝારખંડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નમોએ રાંચીથી રણટંકાર કર્યો છે કે ભલા ચમરબંધીની શેહમાં આવ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ વ્યક્તિ આ દેશમાં પોતાને કાયદાથી ઉપર માનતી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. દેખીતી રીતે જ, એમના ચિત્તમાં ચિદમ્બરમ્ પ્રકરણ હશે. બીજું પણ હશે. આક્રમક આશ્વસ્તતાથી એમણે ઉમેર્યું છે કે આ તો ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે.
ત્રણ દાયકા પહેલાં આસામમાં જ્યારે પરદેશીઓ સામે ચળવળ પૂરજોશમાં ચાલતી હતી, ત્યારે એ ચળવળનો મુખ્ય હેતુ એક હતો – આસામી પ્રજા ‘પર’દેશીઓની – ‘ઘૂસણખોરી’થી ત્રાસી ગઈ હતી. આસામી જનતાની અસ્વસ્થતા સ્વાર્થી કે ગેરવ્યાજબી નહોતી. એક તો પૂર્વ પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને બીજી બાજુ બંગાળના ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આસામમાં રહેવા માંડ્યા હતા – એમાંના કેટલાક નિર્વાસિત હતા, જ્યારે કેટલાક પૈસા કમાવા આવ્યા હતા – એમાંનાં ઘણા ભારતીય હતા, અને ઘણા બાંગ્લાદેશી કે બર્મીઝ પણ હોઈ શકે. પણ એને કારણે આસામી પ્રજાને ચિંતા થઈ હતી, કે પોતાના જ રાજ્યમાં પોતે લઘુમતી બની જાય. કોઈને ગતાગમ કે ખબર નહોતી કે કેટલા પરદેશીઓ આસામ આવ્યા હતા, અને એને જ કારણે સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે નાગરિકોની એક રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવી. પણ માણસોની ગણના કરવી એ એક વાત છે; પણ ગણ્યા અને ભાગલા પડ્યા પછી શું કરવું, એ બીજો જ પ્રશ્ન છે.