Opinion Magazine
Number of visits: 9967315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રવિવારે બપોરે

સલિલ ત્રિપાઠી|Poetry|23 March 2020

રવિવાર બપોરે
આ ધબબ ધબબ ધબૂકતો અવાજ –
ધોબીઘાટ પર અફળાતાં કપડાં,
કે નીચે વોલીબોલ રમતા ખ્રિસ્તી યુવકો?
આ કિકિયારી અને કકળાટ –
વીજળીના તાર પર બેઠેલી કાબર
કે રિવર્સ થતી ગાડીનો ઘોંઘાટ?
આ પિયાનોના સૂર –
પેલી ખ્રિસ્તી છોકરીની પ્રેક્ટિસ
કે પાંચેક પારસી માટે રેડિયો પર વાગતો કાર્યક્રમ?
સામેની બારીમાં
યશોમતીબેનનો પાંડુ પોતાના કાન સાફ કરે છે
અને
નીચે મરિયમ ટુવાલ ઉછાળે છે જે વિસ્તરીને
સ્ટૂલપર ચુપચાપ ડાહ્યોડમરો થઇ બેસી જાય છે
અને
રણછોડ સ્કૂટર ચલાવવા મરણિયા પ્રયત્નો કરે છે
કીક મારી મારી ને થાકી જાય છે
ચોકની સામેની બાજુ
પેલા મકાનની દીવાલના
પીળા રંગનું પોપડું ઉખડી રહ્યું છે
એક ધાબુ દેખાય છે,
શ્રીલંકાના નકશા જેવું
અશ્રુબિંદુ જેવું
જમરૂખ જેવું
એની નીચે એક આડી રેખા, ટેનિસની નેટ જેવી –
બાજુમાં દોરેલા ક્રિકેટના ત્રણ સ્ટમ્પ
બારીનો તૂટેલો કાચ
ગટર પાસે ચમકે છે એક કોકાકોલાનું ડબલું
ફેંક્યું જાણે બતાવવા
કે અમે કોકાકોલા પીધું છે
અમારા એવા કોન્ટેક્ટ છે, સાહેબ,
અમને તો આજકાલ કોકાકોલા બી મળે!
સરકારનો બેન હોય કે ન હોય!
આપણું તો બોસ, કાયદેસર!
મારી જમણા હાથની પહેલી આંગળી દુખે છે
ટચલી આંગળી પર છે નાનકડો કાપ
બેમાં અઢાર કમ એટલે કે અઢાર વત્તા સાઈઠ વત્તા સાઈઠ વત્તા ત્રીસ
એટલે કે એકસો અડસઠ મિનિટ – પછી જ મળશે ચા.
વાંચું છું હું દીવાલપર લખાયેલી ઈચ્છાઓ અને ચીતરાયેલાં સ્વપ્નો –
અમિત ઇઝ અ નટ. ઇન્દિરા ગાંધી ઝિંદાબાદ. રાજન+માધવી.
વણસંતોષાયેલી અભિલાષા, અધૂરી મનોકામના
દેખાય છે એક ચિત્ર દીવાલપર
નગ્ન છોકરીનું – ઝડપથી દોરેલું,
કોઈ આવીને ચિત્રકારને દોરતું જોઈ જાય તે પહેલાં,
પકડાઈ જવાય તે પહેલાં,
નગ્ન છોકરી ક્યારે ય જોઈ ન હોય
અને માત્ર કલ્પી હોય, તેવું છે એ ચિત્ર દોરી
ચિત્રકાર પલાયન –
એક સરદારજીનો ચહેરો,
પણ દાઢી એવી તો વિશાળ કે જાણે આયાતોલ્લાહને
વળગેલો મધપૂડો!
આસપાસ આડાઅવળા લીટા ને લપરડા
રડ્યું ત્યાં એક બાળક
આળસ મરડી ઊંઘ બગડયાના ગુસ્સાથી ભરેલી
માએ દીધો એક જબરજસ્ત તમાચો
બાળકે પાડી ચીસાચીસ
ધડાક દઈને માએ દરવાજો અફળાવ્યો
બાળક ગયું દોડી
ભેંકડો તાણ્યો
ઊડી ગઈ પેલી કાબર
હજુ ખોતરે છે પાંડુ એનો કાન
વોલીબોલની રમત ચાલી રહી છે હજુ
હીંચકેથી ઊઠી મેં કબાટમાંથી એક ચોપડી કાઢી
બધા અક્ષર એકસરખા લાગ્યા
મેં વાંચવા પ્રયત્ન કર્યો
પણ કશું સમજાણું નહીં
મારા પોપચા પર છે ખૂબ ભાર
મારી સમક્ષ હવે અંધકાર

November 1979

Loading

फांसी का जश्न

कुमार प्रशांत, कुमार प्रशांत|Opinion - Opinion|23 March 2020

वह हो गया जिसकी कोशिश पिछले 7 से ज्यादा सालों से की जा रही थी – निचली अदालत, उच्च न्यायालय, सर्वोच्च न्यायालय, राष्ट्रपति आदि-आदि की अत्यंत जटिल प्रक्रिया से गुजरती हुई निर्भया वह पा सकी जिसकी कातर मांग उसने तब बार-बार की थी जब वह इंच-दर-इंच मौत के करीब जा रही थी. 23 साल की कच्ची उम्र की उस लड़की का, 16 दिसंबर 2012 को जिस वहशियाना बर्बरता से, चलती बस में 6 युवकों ने बलात्कार किया और उसे मौत तक असह्य पीड़ा और अकथनीय अपमान के समुंदर में धकेल दिया, 13 दिनों की वह कहानी आजाद हिंदुस्तान के इतिहास के सबसे शर्मनाक पन्नों में दर्ज है. अब उन 6 अपराधियों में से 5 जीवित नहीं हैं – निर्भया भी नहीं !

अब हम हिसाब लगाएं कि किसने, क्या पाया; किसने क्या खोया ! निर्भया की मां-पिता ने अपनी बेटी खोई और ऐसा जख्म पाया जो इस फांसी के बाद भी उन्हें पीड़ा देता रहेगा. लेकिन उन्हें यह संतोष जरूर मिला कि उन्होंने अपनी बेटी के हत्यारों से वह बदला ले लिया जिसकी मांग उनकी बेटी ने की थी. दूसरी तरफ देखता हूं कि उन पांचों हत्यारों के परिवारजनों को कोई अपराध-बोध हुआ ? क्या वे समझ सके कि उनके बच्चों ने कैसा अमानवीय अपराध किया था ? क्या वे समझ सके कि ऐसे अपराध की जैसी सजा हमारा कानून देता है वैसी सजा उन्हें ठीक ही मिली ? शायद नहीं; शायद हां ! क्या कानून का पेशा करने वालों को इसका थोड़ा भी अहसास हुआ कि कानून के दांव-पेंच की अपनी जगह है लेकिन ऐसे मामलों में सामाजिक नैतिकता का तकाजा सबसे अहम होता है ?  कानून का पेशा करने वाले क्या यह समझ सके कि जिस तरह इन हत्यारों को बचाने की कोशिश की गई उससे यह पेशा कलंकित हुआ है ? संविधान में किसी की जान बचाने की जितनी व्यवस्थाएं की गई हैं उन सबको आजमाने का अधिकार अपराधी को भी है ही, और काले कोट वालों को भी. लेकिन कोट का काला रंग मन को भी कलुषित करने लगे, यह इस पेशे के लिए शर्मनाक है.       

आज मेरे हाथ के जिस अखबार में इस फांसी की खबर छपी है, मैं देख रहा हूं कि उसी अखबार में देश भर से कम-से-कम 10 बलात्कार की खबरें आई हैं. आज के अखबार में जो नहीं आ सकी हैं, उनकी बात तो कौन जानता है ! इन सभी खबरों में कोई-न-कोई निर्भया मरी है; या जीते जी मर रही है. 16 दिसंबर 2012 से आज तक का हिसाब लगाएं, तो कोई हिसाब ही नहीं है कि कहां, कितनी निर्भया मरी या मर रही है. क्या इस फांसी का उन सब पर कोई असर हुआ ? … होगा ? … किसी के पास कोई जवाब नहीं है. तो क्या इसलिए पहली निर्भया के हत्यारों को फांसी नहीं होनी चाहिए थी ? नहीं, मैं ऐसा नहीं कह रहा हूं. फांसी की सजा अपने आप में ही गलत है, अर्थहीन है और बांझ भी है, यह मानने वाले मेरे जैसे जितने भी लोग हैं उन सबको पता है कि हमारा देश जिस संविधान से चल रहा है उसमें फांसी की सजा है और हमारी अदालतें जिन मामलों को जांच-परख कर उस प्रावधान के भीतर पाती हैं और फांसी की सजा देती हैं, उनको फांसी होगी ही. इसलिए यह मुद्दा है ही नहीं कि फांसी होनी चाहिए या नहीं. यहां मुद्दा यह है कि क्या अपराधियों को फांसी देने का मतलब देश के विवेक को भी फांसी देना होना चाहिए ? क्या हम ऐसा एक समाज बनाना चाहते हैं कि जो लाशों को देख कर तृप्त होता है ?

इसलिए चिंता समाज के मन की है. निर्भया के साथ जो हुआ उसका जितना गुस्सा देश में उभरा था अगर वह गुस्सा संकल्प बन कर हमारे मन में उतर गया होता, हम मन से शर्मिंदा हुए होते तो अब तक महिलाओं की दुनिया बदल गई होती और पुरुषों की दुनिया संवर गई होती. लेकिन वह गुस्सा मोमबत्तियां जला कर काफूर हो गया. न हमारा संकल्प बना, न हमें शर्म आई. जो भी हत्यारे कानून की पकड़ में आए, उन पर मुकदमा चला. हमारा संविधान किसी भी नागरिक को अपने को निर्दोष साबित  करने के जितने भी अवसर देता है, वे सारे अवसर निर्भया के अपराधियों को भी मिले. लेकिन उनका अपराध उन्हें पता था, उसकी सजा हमें पता थी- खास कर वर्मा कमीशन की सिफारिशों को मान्य करने के बाद. इसलिए उनकी तरफ से उनके वकील ने जितनी भी कोशिशें कीं वह अपराधियों को निरपराध साबित करने की नहीं थीं, उनकी सजा टालने की चालाकी भर थी. हम यह शर्मनाक प्रसंग सात सालों से देखते आ रहे थे कि उनका एक-के-बाद-दूसरा क्षद्म टूटता जाता था, उनकी हर बेईमानी औंधे मुंह गिर रही थी और फिर भी यह निकम्मा मुकदमा खींचा जा रहा था. निर्भया के हत्यारों को भारतीय न्याय-व्यवस्था से जो न्याय मिलना था, वह तो मिल चुका था बस उनका वकील उन्हें बता रहा था कि वह कानून को धोखा देने में सफल होगा. वकालत के पेशे के लिए यह शर्मनाक था क्या यह दृश्य आपको उदास नहीं करता है ? कोई मर रहा है या मारा जा रहा है, यह प्रसंग आनंद का कैसे हो सकता है ? किसी की फांसी तिरंगा लहराने, भारत माता की जय के नारे लगाने, जयश्री राम की गूंज उठाने का अवसर कैसे बन सकता है ? 

निर्भया की मां की भावना मैं समझता हूं और उस दर्द का सम्मान भी करता हूं लेकिन उनसे भी कहना चाहता हूं कि इन अपराधियों की फांसी से आपको अपनी बेटी की अंतिम गुहार पूरी करने का संतोष मिला होगा, कहीं बदला लेने का भाव भी तुष्ट हुआ होगा लेकिन फांसी से निर्भया को न्याय कैसे मिल सकता है ? निर्भया के लिए न्याय तो तभी हासिल होगा जब हमारा समाज इतना सावधान बन जाए कि दूसरी कोई निर्भया न बने ! इस फांसी से ऐसा कोई संकल्प देश के मन में, युवाओं के दिल में बना हो या कि बन रहा हो, ऐसा मुझे नहीं लगता है. जब तक ऐसा न हो तब तक निर्भया को न्याय कैसे मिल सकता है ? जान के बदले जान या आंख के बदले आंख का मानस समाज के विनाश का मानस है, न्याय का नहीं.

यह समाज का पाशवीकरण है. जघन्य-से-जघन्य अपराधी का अंत भी हमें आल्हादित कैसे कर सकता है ? हम और हमारा समाज अक्षम है कि वह ऐसे अपराधी पैदा होने से रोक नहीं पाते हैं, और हमारा कानून अभी इनकी हत्या कर देने से आगे का कोई रास्ता खोज नहीं पाया है, इस भाव से हम इन हत्याओं को सह जाते हैं. लेकिन हम इनका जश्न मनाएं, बार-बार इसकी मांग करें कि यह हत्या जल्दी कर दी जाए और व्यवस्था के तमाम पुर्जे इसे न्याय हो जाने का नाम दें क्या यह मानवीय है, शोभनीय है ? क्या यह हमारे भीतर किसी संवेदना का संचार करती है ? क्या यह हमें हर दूसरे के प्रति उदार बनाती है ? अगर नहीं, तो यह उस मानवीय समाज की दिशा नहीं हो सकती है जिसके बिना न वह निर्भया सुरक्षित रही, न आगे की कोई निर्भया सुरक्षित रह सकेगी. 

हम इस सवाल का कभी सामान तो करें कि आखिर बलात्कार बुरा क्यों है ? यह बुरा इसलिए है कि यह बल के बल पर किया जाता है. इसमें स्नेह, संबंध और सहमति की कोई जगह ही नहीं है. जहां स्नेह, संबंध और सहमति की जगह नहीं है, उसका बेशर्त, पूर्ण सम्मान नहीं है वहीं बलात्कार है. इसलिए यह बलात्कार स्त्री के साथ भी होता है, पत्नी के साथ भी, नागरिक के साथ भी, विधर्मी के साथ भी, मजदूर के साथ भी. हम ठीक से समझें तो पाएंगे कि मॉब लिंचिंग भी बलात्कार ही है, और अभी-अभी दिल्ली में जो सांप्रदायिक दंगा हुआ वह भी घनघोर बलात्कार ही था. तो हम सभी तरह के बलात्कार से बचें, उनका निषेध करें और बलात्कारी के बलात्कार से भी बचें. यह काम हमने अपनी न्याय-व्यवस्था को सौंपा है, उसे ही यह करने दें – अपने तरीके से, अपनी गति से !

(23.03.2020)         

Loading

અંગ્રેજોના કારણે આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 March 2020

ભારતને જોવાના અને ભારત સાથે કામ પાડવાના અંગ્રેજો અને કુલ મળીને યુરોપિયનોના ચાર અભિગમ હતા એ અહીં કહેવામાં આવ્યું છે. એમાં એક વર્ગ પૌરાત્યવાદીઓનો પણ હતો. આમાં મુક્ત અભ્યાસીઓ હતા અને કેટલાક મિશનરીઓ પણ હતા. પાશ્ચાત્યવાદી અને સામ્રાજ્યવાદી મૅકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવે એની વકીલાત કરતા કહ્યું હતું કે જો ભારતના સમગ્ર પૌર્વાત્ય સાહિત્યને એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ મોટો પડે! પણ મૅકોલે તો કેટલાક પ્રકારના પૂર્વગ્રહો સાથે ભારતને જોનારો હતો. જે લોકો ભારતમાં રહીને ભારત સાથે કામ પાડતા હતા તેમાંના કેટલાકને અખાનું વચન ટાંકીને કહીએ તો ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો અનુભવ થયો હતો.

ભારતને અને ભારતની પરંપરાને સમજવા માગતા મિશનરીઓ બે પ્રકારનું વલણ ધરાવતા હતા. કેટલાક એટલા માટે આમાં પ્રવેશ્યા હતા કે હિંદુ ગ્રંથોનો હવાલો આપીને કહી શકાય કે જુઓ તમારી પરંપરા ખાલી અને ખોખલી છે. ખોખલાપણાના પ્રમાણો શોધવા માટે. આ સારુ તેઓ સંસ્કૃત શીખ્યા હતા. તેમણે જ્યારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક દર્શન, ન્યાય, વ્યાકરણ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, શ્રમણદર્શન, શાકુન્તલ જેવું સંસ્કૃત સાહિત્ય તેમ જ કાવ્યશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ અને સ્થાપત્યશાસ્ત્ર, સંગીત વગેરેનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી ગયા હતા. તેમનામાં જે લોકો જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા તેમણે હિંદુ ધર્મના ખોખલાપણાના પ્રમાણો શોધવાનું બાજુએ મૂકીને તેનો ઊંડો અભ્યાસ કરવા માંડ્યો હતો. આ ઉપરાંત મિશનરી નહોતા એવા સ્વતંત્ર વિદ્વાનો પણ ભારતમાં રસ લેતા થયા હતા. જે કેવળ ધર્મપ્રચારક હતા તેઓ હિંદુ ધર્મને નિંદવા માટે પુરાણોનો આશરો લેતા થઈ ગયા હતા. હિંદુ ધર્મને નિંદવા માટે હવે તેઓ માત્ર પુરાણોની ગાંડીઘેલી વાતોનો જ તેઓ આશરો લઈ શકે એમ હતા. 

એમ કહેવાય છે કે પોંડીચેરીના મિશનરીઓએ ફ્રેંચ ભાષામાં યજુર્વેદનો તેમને ફાવ્યો એવો કાચોપાકો અનુવાદ કર્યો હતો જે L’ezour Vedamના નામે પ્રકાશિત કર્યો હતો અને તે ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરના વાંચવામાં આવ્યો હતો. સન ૧૭૩૨માં સંસ્કૃતનો વ્યાકરણગ્રંથ લખવામાં આવ્યો હતો જે ૧૭૯૦માં રોમમાં છપાયો હતો. ૧૮૧૭માં એબે જે. એ. દુબોઇસ નામના અભ્યાસીએ ‘હિંદુ મેનર્સ, કસ્ટમ્સ એન્ડ સેરિમનીઝ’ નામનો ગ્રંથ લખ્યો હતો. ૧૭૬૦માં ઍન્ક્વેફિલ દુપરોન નામનો અભ્યાસી યુવક ભારત આવ્યો હતો જે સંસ્કૃત અને ફારસીની ૮૦ જેટલી હસ્તપ્રતો ફ્રાંસ લઈ ગયો હતો. એમાં એક હસ્તપ્રત દારા શિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં કરેલો અનુવાદ હતો. ઍન્ક્વેફિલ દુપરોને તેનો ‘Oupnekhat’ (ઉપનિષદ્) એવા શીર્ષક સાથે લેટિનમાં અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન ફિલસૂફ આર્થર શોપેનહાર અભિભૂત થઈ ગયો હતો જેની વાત આ શ્રેણીમાં કહેવાઈ ગઈ છે. 

જોહાન ફિક્ટે, પૉલ ડૂસાન જેવા વિદ્વાનોએ વેદાંતનો અનુવાદો દ્વારા જગતને પરિચય કરાવ્યો. ડૂસાને તો વેદાંતને જગતનું સૌથી મોટું સત્ય માન્યું હતું. ‘મનુસ્મૃતિ’નો અનુવાદ જ્યારે વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ નિત્શેના વાંચવામાં આવ્યો ત્યારે તેણે તેને બાઈબલ કરતાં પણ મહાન ગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો. તેના શબ્દોમાં : A work which is spiritual and superior beyond comparison, which even name in one breath with the Bible would be a sin against the holy ghost.”

અહીં વાંચકોને એક ચેતવણી આપવી જરૂરી છે. પશ્ચિમના વિદ્વાનોએ આપણા ગ્રંથોની સરહના કરી છે એનો અર્થ એવો નથી કે એ બધા ગ્રંથો ખામીરહિત સંપૂર્ણ છે. કોઈ એમ ન માને છે નિત્શેએ જેને બાઈબલ કરતાં ચડિયાતો ગ્રંથ માન્યો છે એટલે ‘મનુસ્મૃતિ’નું પ્રત્યેક વચન ગ્રાહ્ય છે અને દલિતો અને નારીવાદીઓ તેને નાહક નિંદી રહી છે. નિત્શે આમ પણ ચોકાવનારા વિધાનો કરવા માટે ખ્યાતિ ધરાવતો હતો. પ્રત્યેક ગ્રંથ તેના સ્થળ અને કાળ દ્વારા પ્રભાવિત હોય છે, પણ તેનું પ્રમાણ ઓછુંવધતું હોય છે. જેટલી સ્થળ-કાળ બાધકતા ઓછી એટલો એ ગ્રંથ મહાન. આ દૃષ્ટિએ મૂલવીએ તો ઉપનિષદોમાં સ્થળ-કાળ બાધકતા ઓછામાં ઓછી છે, કદાચ નહીંવત્ છે એટલે એ સર્વકાલીન ગ્રંથ મનાય છે, જ્યારે ‘મનુસ્મૃતિ’ સમાજિક નીતિનિયમોનો ધર્મગ્રંથ હોવાને કારણે તેમાં સ્થળ-કાળ બાધકતા સૌથી વધુ છે. વાચકે આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.  

બીજું પશ્ચિમની આંખે આપણે આપણી જાતને સરાહવાની કે નિંદવાની માનસિકતા છોડવી જોઈએ. આપણે આપણી આંખ વિકસાવવી જોઈએ, જે રીતે પશ્ચિમના વિદ્વાનોએ પોતાની આંખે ભારતીય વિચાર-વ્યાપારને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો પૂર્વગ્રહો સાથે પ્રાચ્યવિદ્યામાં પ્રવેશ કર્યો હતો અને દિવસના અંતે તેમાંના કેટલાક પ્રાચ્યવિદ્યાના સૌથી મોટા અભ્યાસી પ્રવક્તા બની બેઠા હતા. તેમના થકી આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો હતો, બાકી આપણે તો સંપ્રદાય સાહિત્યના અભ્યાસથી આગળ વધતા જ નહોતા. બીજાનું વાંચવું શું, અડવું એ પણ પાપ ગણાતું હતું. એનો અર્થ એવો નથી કે પશ્ચિમના કોઈ વિદ્વાન પૂર્વગ્રહદુષિત નહોતા. ઘણા હતા અને તેનાથી પણ આપણે બચવાનું છે.

આમ છતાં ય ભારતને સમજવામાં પશ્ચિમના વિદ્વાનોએ જેટલા પ્રમાણમાં પૂર્વગ્રહ છોડ્યા છે, જિજ્ઞાસા બતાવી છે, જહેમત ઊઠાવી છે, મુક્ત મને અભિપ્રાયો બદલ્યા છે, ભૂલ કબૂલ કરી છે એટલું આપણા વિદ્વાનોએ પશ્ચિમની બાબતમાં તો નથી કર્યું, આપણી પોતાની બાબતમાં પણ નથી કર્યું. દ્વૈતી ગુરુ પહેલા જ દિવસે શિષ્યને કહી દેશે કે અદ્વૈત તરફ નજર નહીં કરવાની. એનાથી શંકા પેદા થશે, શંકા અશ્રદ્ધા પેદા કરશે અને અશ્રદ્ધા પાતકનું કારણ છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે આપણો સારાસાર વિવેક વિકસાવવો જોઈએ. જ્ઞાનસાધનાની પાશ્ચાત્ય પરંપરામાંથી ઘણું અપનાવવા જેવું છે. માટે નિત્શે જેવા વિદ્વાનોના અભિપ્રાયોને માથે મૂકીને નાચવાની જરૂર નથી.

વાચકોને અહીં જ સંકેત આપી દઉં કે જ્યારે આપણે આગળ ભારતે પશ્ચિમને કઈ નજરે જોયું તેની ચર્ચા કરીશું ત્યારે આ પ્રશ્ન કેન્દ્રવર્તી બનવાનો છે. અત્યારે તો આપણે પશ્ચિમે ભારતને કઈ નજરે જોયું અને તેઓમાં કેવા અભિગમ પ્રવર્તતા હતા તેની વાત કરી રહ્યા છીએ. સામ્રાજ્યવાદીઓ, પશ્ચિમી સભ્યતાવાદીઓ, ખ્રિસ્તી ધર્મવાદીઓ અને ભારત માટે કુણું સહાનુભૂતિપૂર્વકનું વલણ ધરાવનારા પૌર્વાત્યવાદીઓ એમ ચાર વલણ ધરાવનારા લોકોએ ખૂબ ચર્ચા કરી હતી. તેઓ સત્તામાં હતા અને તેઓ સમર્થ હતા એટલે પહેલું ડગલું તેઓ માંડતા હતા અને ભારતીય પ્રજા ગુલામ હોવાને કારણે અને સામર્થ્યહીન હોવાને કારણે તેણે પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાનું હતું. ડગલું માંડનારાઓ તો ડગલાં માંડીને અને છેવટે પગ ખેંચીને જતા રહ્યા, પરંતુ પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાની સમસ્યા એવડી મોટી હતી કે તેનાથી આજે પણ ભારતીય માણસ મુક્ત થઈ શક્યું નથી એની વાત તો હવે પછી આવશે.

હવે મૂળ વિષય પર પાછા ફરીએ વારેન હેસ્ટિગ્સ કંપની સરકારનો ભલે સત્તાવારપણે નિયુક્ત નહીં થયેલો, પણ પહેલો ગવર્નર જનરલ હતો. તેને પોતાને પ્રાચ્યવિદ્યાઓમાં ખૂબ રસ પડ્યો હતો. તેના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે આપણે ભારતીય પ્રજા પર શાસન કરી રહ્યા છીએ અને સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે પહેલી જરૂરિયાત તો ન્યાયતંત્રની પડવાની છે. શિક્ષણની બાબતમાં રસ ન લઈએ તો ચાલે પણ ન્યાય તો કરવો જ પડે. એ ન ટાળી શકાય. એ સમયે બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં દાખલ થઈ શકે એમ નહોતી એટલે વારેન હેસ્ટિગ્સે હિંદુઓના ધર્મશાસ્ત્રોનો અનુવાદ પહેલાં ફારસીમાં અને એ પછી અંગ્રેજીમાં કરાવ્યો હતો. એવી જ રીતે મુસલમાનોના ગ્રંથોના પણ અનુવાદ કરાવ્યા હતા. આને કારણે પણ ભારતીય સમાજને સમજવા માટેની પશ્ચિમને નવી દૃષ્ટિ મળી હતી. અંગ્રેજ જજો, અંગ્રેજ વકીલો અને અદાલતમાં ખાસ બેસાડવામાં આવતા હિંદુ પંડિતો અને મુસ્લિમ મૌલવીઓ વચ્ચે ખાટીમીઠી ચર્ચા ચાલતી રહેતી. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં સંપૂર્ણપણે લાગુ નહોતી કરવામાં આવી.

સર ચાર્લ વિલ્કિન્સ અને સર વિલિયમ જોન્સે મળીને ૧૭૮૪ની સાલમાં કલકત્તામાં એશિયાટિક સોસાઈટીની સ્થાપના કરી હતી. પ્લીઝ સાલ નોંધી લો. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી હજુ તો રાજ પાપા પગલી ભરતું હતું ત્યારે વારેન હેસ્ટિગ્સની સહાયથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ ગઈ હતી. આને કહેવાય પામવાની જિજ્ઞાસા. જેનું શોષણ કરવામાં આવતું હતું, જેને ગુલામ બનાવવામાં આવતા હતા, જેના સ્થાનિક ઉદ્યોગો તોડી નાખવામાં આવતા હતા, જેનો કાચો માલ અને બજાર કબજે કરવામાં આવ્યાં હતાં, જ્યાં ભારતીય રાજવીઓ સામે યુદ્ધો કરવામાં આવતાં હતાં, જ્યાં હિંસા આચરવામાં આવતી હતી, જ્યાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી; એની વચ્ચે ભારતને પામવાનો એટલો જ ભગીરથ પ્રયત્ન કરવામાં આવતો હતો.

ચાર્લ્સ વિલ્કિન્સ સંસ્કૃત શીખવા ખાસ બનારસ ગયો હતો અને તેણે ભાષા શીખીને ભગવત્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેણે મહાભારતનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ પણ હાથમાં લીધું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહોતું. તેણે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું હતું અને છાપખાના માટે બંગાળી બીબાં તૈયાર કર્યાં હતા. વિલિયમ જોન્સે કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલનો ઈ. સ. ૧૭૮૯માં ‘Sacontala or The Fatal Ring’ એવા શીર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન કવિ જોહાન્ન ગોથે નાચી ઊઠ્યો હતો એમ કહેવાય છે. વિલિયમ જોન્સે ભારતીય ભાષાશાસ્ત્રનો અને ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એ પછી તો કોલ બ્રૂકથી લઈને મેક્સમૂલર સુધીના અનેક વિદ્વાનો પ્રાચ્યવિદ્યાના અભ્યાસમાં જોડાયા હતા.

અહીં રામધારી સિંહ દિનકરનાં પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના આધારે માત્ર આચમન કરાવવામાં આવ્યું છે. બાકી પાશ્ચાત્ય વિદ્વાનોની પૌર્વાત્ય સાધનાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા વીસ લેખ લખવા પડે એટલું વ્યાપક કામ તેમણે કર્યું છે. જે તે જ્ઞાનશાખામાં અને બહુવિધ જ્ઞાનશાખાઓ (ડિસીપ્લીનરી એન્ડ મલ્ટી-ડિસીપ્લીનરી) વિદ્વત-વ્યાપાર કેમ ખેડાય એ પશ્ચિમના વિદ્વાનોએ આપણને શીખવ્યું હતું. તેમની ભારતભક્તિ અને તેમની જ્ઞાનસાધના કેવી મોટી અને ગંભીર હતી એનો પરિચય કરાવવા એ યુગમાં બ્રિટનમાં ‘મેધાવી અંગ્રેજ એટલે બ્રાહ્મણ અંગ્રેજ’ એવી એક કહેવત વપરાતી થઈ હતી. 

આ વાંચીને જરૂર હરખાશો, પણ મિથ્યાભિમાન મમળાવશો નહીં; કારણ કે પશ્ચિમને કઈ નજરે નિહાળવું અને તેની સાથે કઈ રીતે કામ પાડવું એમાં આપણે ગોથા ખાવામાં કાંઈ બાકી રાખ્યું નથી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 માર્ચ 2020

Loading

...102030...2,6212,6222,6232,624...2,6302,6402,650...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved