બે લાગણીના શબ્દો રૂપી રક્તદાનથી,
ગઝલો છે તંદુરસ્ત, તમારા જ માનથી.
મારા ઘરે તમારી શમાની હો રોશની,
એવું કરો આ કામ તમારા મકાનથી.
હોદ્દા, ધનીક, ડિગ્રીઓ લજવાય છે અહીં
ઈન્સાન ઓળખાય છે વર્તનના જ્ઞાનથી.
મુજને હજાર શંકા જગાવે છે મંચ પર,
દુશ્મન મને નિમંત્રી શકે માનપાનથી?
ધરતી ઉપર બગાડ કરો પણ વિચારજો,
ઉતરી શકે છે એની સજા આસમાનથી.
જાગી રહ્યા છે કેમ આ રસ્તા હજી સુધી,
માંગી રહ્યા છે, લોક અહીં કંઈ દુકાનથી.
મુકામ પોસ્ટ રાજપારડી, તાલુકા ઝઘડિયા, જિલ્લો ભરૂચ, ગુજરાત, ભારત
e.mail : siddiq948212@gmail.com
![]()



કૅમ્પસમાં એક કરતાં વધુ જગ્યાએ કરવામાં આવેલા હુમલામાં આઇશી ઉપરાંત બે અધ્યાપકો, બે ચોકીદારો અને ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓ ઘવાયા હતા. હુમલાખોરો કામ તમામ કરીને આરામથી ટહેલતા, હાથમાં ડંડા-સળિયા-પાઇપો સાથે પોલીસની દેખરેખ હેઠળ કૅમ્પસમાંથી બહાર નીકળી ગયા હતા. કૅમ્પસની બહાર એકઠા થયેલા અધ્યાપકો, અત્યારના તેમ જ પૂર્વ વિદ્યાર્થીઓ, નિસ્બત ધરાવતા નાગરિકો અને કર્મશીલ યોગેન્દ્ર યાદવને પણ ગુંડા ડરાવી-ધમકાવી રહ્યા હતા, પત્રકારોને અટકાવી રહ્યા હતા, છતાં પોલીસ ચૂપ હતી. આ બધાંની ઝાંખી આપતાં દૃશ્યો આખા દેશે જોયાં છે. ચૅનલો અને વૉટસઍપમાં સંખ્યાબંધ શકમંદોનાં ચિત્રો અને નામ વાયરલ થયાં છે. હિન્દુ રક્ષા દળ નામના એક સંગઠને ગુંડાગર્દી માટેની જવાબદારી પણ સ્વીકારી છે. આઇશીએ યુનિવર્સિટીમાં હિંસાચાર અને તેના પરના હુમલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એ.બી.એ.વી.પી.)ને જાહેરમાં જવાબદાર ગણી છે. સામે પક્ષે આટલા એ.બી.વી.પી.એ ડાબેરી છાત્ર સંગઠન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન (જે.એન.યુ.એસ.યુ.) પર આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
મને સૌપ્રથમ તો એ કહેવા દો કે સર્જકમાત્ર સ્વતંત્ર છે અને પ્રતિબદ્ધ પણ છે, અને પક્ષધર પણ છે જ! કારણ કે એ અન્ય જીવનવ્યાપારો કરવા ઉપરાંત ‘સર્જન’ કરે છે …. શબ્દના માધ્યમથી અને અન્ય માધ્યમો દ્વારા પણ કંઈક સર્જે છે, બનાવે છે, નિર્માણ કરી શકે છે અને એટલે જ તો આપણે એને કંઈક ‘લોકોત્તર’, ‘મુઠ્ઠી ઊંચેરો’, ‘આર્ષદૃષ્ટા’, ‘સ્વપ્નદૃષ્ટા’ વગેરે કહીને નવાજીએ છીએ. સમયે સમયે, કહો કે પ્રત્યેક સમયે … યુગસંદર્ભે એની પાસેથી આપણને શું મળે છે, તે માટે મીટ માંડીને બેસીએ છીએ. યાદ છે, આજથી બરોબ્બર નવ્વાણું (૯૯) વર્ષ પહેલાં, આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં અધ્યક્ષ આચાર્ય આનંદશંકર ધ્રુવે સર્જકની વ્યાખ્યા બાંધતાં, સર્જક પાસે પોતાના સમયબોધની અપરંપાર અપેક્ષા વ્યક્ત કરતાં શું કહ્યું હતું ? …