નગર
ડગર
રણથી લગીર ઉપરની ચાદર પથરાઈ ડગર પર
પાંદડાં પડે, આથડે
ગેડ પડે, ખૂણો વળે
ન ખલલ, બસ લય ફરે
વળે દૂર
દૂ…ર પછવાડે શું હશે? ભૂત?
ભૂખ
હાથમાં ફરતું અટકી-અટકી ખંજર
પાછળ-પાછળ ખોડંગાતો ભય.
લથબથ-લથબથ ઘાયલ લય
રેલો નીકળ્યો, વધ્યો, છબછબ- છબછબ ભય
ઊછળ્યાં છાંટા-છાંટી
નીકળ્યાં રેલા-રેલી
પડ્યાં, ઘૂસ્યાં અંદર : શેરી ચાલી ગલી વાંકીચૂકી.
બહાર
શેરી-ચાલી-ગલીનો સંસાર
સાગર ભુલાય માંડ
ભરતી ભીતર
તત્પર-તત્પર
શું તણાશે? આખેઆખું તંતર?
કે ચાલશે જંતરડાનું જંતર?
e.mail : umlomjs@gmail.com
![]()


દોરા-ધાગા-તાવીજ-માદળિયાં-તંત્ર-મંત્રની વાત જવા દો, આજે વાત કરવી છે ‘વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા’ની કૅટેગરીમાં મૂકી શકાય એવી કેટલીક બાબતોની. જેમ કે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એવું માને છે કે હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિન વડે કોરોનાનો મુકાબલો થઈ શકે છે. પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વિનાની આ દૃઢ અને જોશીલી માન્યતાના જોરે ટ્રમ્પે ભારત પર એટલું બધું દબાણ કર્યું કે ભારતે ઝૂકીને એક જ દિવસમાં હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડ્યો.
તેમને કેમ કહેવું કે દેશહિતના નામે ધરાર કોમવાદ અને જૂઠાણાં ફેલાવવાનો તમારો ધંધો બેરોકટોક જ નહીં, શીળી છાયામાં ચાલે છે, એ જ મોટું કાવતરું નથી? મુખ્ય મંત્રીના મંત્રીપુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજકીય દંગલમાં ઝંપલાવીને, કેન્દ્ર સરકારના પ્રચારકોને વધારે ઝેરી બનાવ્યા. સાયબર સેલના આસુરી સૈન્યની મદદથી સરકારી નિર્ણયોને લોકમતની વૈતરણી પાર કરાવવાનું સામાન્ય હોય, ત્યાં ‘ફિલ્મી પી.આર. એજન્સીના પ્રતાપે ઉદ્ધવ ઠાકરેનાં વખાણ થાય છે’—એવો આરોપ બેશરમીનો વધુ એક નમૂનો હતો.