શૂન્ય છે
આ જગત આખું
શૂન્યમાંથી
છે ઉદ્ભવ્યું
શૂન્યમાં પરિણમશે કદી
શૂન્ય ઉમેરો જેટલા
રહેશે છેવટે શૂન્ય
તોયે
જીવન આખું વીતે
શૂન્ય પર શૂન્ય
ઉમેરવામાં, એક
એકડાની પાછળ
પણ અંતે
પાંચ તત્ત્વોનું
આ શરીર, મળી
જશે પાંચ તત્ત્વોમાં
તો શું
માનવી જીવન
પણ છે શૂન્ય?
શૂન્ય જીવનમાં
થવાય કેમ ધન્ય?
•••
પેઢી – ગઈ એક પોઢી
નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા
ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા
ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજે તો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા
ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ બોખા વડીલો
આજે તો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા
ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરીના જમણ
આજે તો વર્ષગાંઠની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા
આંખો જુનીને તમાશા નવા થયા
e.mail : meenalpandya@gmail.com
![]()



નેતાજી સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સાથે ઘણા મતભેદ હતા. મુખ્ય મતભેદ એમની કાર્યપદ્ધતિ અંગે હતો, દેશને સ્વતંત્ર કરવા બીજા દેશની મદદ મળે તો તે લેવી જાઈએ એમ સુભાષ બાબુ માનતા હતા. ગાંધીજી એમ માનતા હતા કે બીજા દેશની મદદથી જો સ્વતંત્રતા આવે તો એક દેશની ગુલામીને બદલે બીજા દેશની ગુલામી આવી શકે. હિંસા-અહિંસાના મુખ્ય મતભેદ ઉપરાંત આ બીજો મતભેદ હતો. ગાંધીજી અને સુભાષ બાબુ વચ્ચે બીજાયે મતભેદો હતા પણ તે છતાં ય તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કેમ કહ્યા હશે? કારણ તેઓ રાષ્ટ્રભક્ત હતા અને ગાંધીજીને તેમણે રાષ્ટ્રને ઘડતા જોયા જાણ્યા હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા.