Opinion Magazine
Number of visits: 9664486
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

अब जंग का एक ही मतलब है –  विनाश ! 

कुमार प्रशांत|Opinion - Opinion|23 June 2025

कुमार प्रशांत

हमारे तथाकथित अख़बार एक ग़ज़ब की बात बता रहे हैं कि हमारे प्रधानमंत्री ने अमरीकी राष्ट्रपति ट्रंप से फ़ोन पर बात की और उनसे कहा कि आप जो कह रहे हैं, कहते आ रहे हैं वह झूठ है:  मैंने भारत-पाकिस्तान युद्ध के बारे में न कभी आपसे बात की, न कभी आपसे युद्धबंदी की बात की और न कभी आपसे मध्यस्थता का अनुरोध किया. बता रहे हैं कि मोदीजी ने उस दिन बहुत कड़क रवैया अपनाया और आगे कहा कि मैं आगे भी कभी ऐसा कोई अनुरोध आपसे करने वाला नहीं हूं. हमारे देश में इस बारे में सर्वसम्मति है कि हम किसी तीसरे की मध्यस्थता कभी स्वीकार नहीं करेंगे. भक्त कह रहे हैं कि इधर मोदी ने यह कहा और उधर सारी दुनिया में सन्नाटा छा गया.

किसी को याद आया कि नहीं पता नहीं कि इन्हीं ट्रंप साहब को दोबारा राष्ट्रपति बनवाने के लिए इन्हीं मोदी साहब ने कभी अमरीका जा कर चुनाव प्रचार किया था. लेकिन तब दोनों हार गए थे. यह हार ट्रंप को इतनी नागवार गुजरी कि इस बार जब वे जीते तो उन्होंने मोदीजी को अपनी ताजपोशी के कार्यक्रम में नहीं बुलाया. समारोह में मोदीजी को न बुला कर ट्रंप ने उन्हें व उनकी भक्त-मंडली को उनकी औकात बता दी. यह बात मोदीजी को बहुत नागवार गुजरी. वे इस अभियान में जुट गए कि ट्रंप महोदय, आपको मुझे बुलाना तो पड़ेगा ही. सारी तिकड़म के बाद उन्हें ट्रंप ने उन्हें बुला लिया. मोदीजी तुरंत ही पहुंचे और वहां पहुंच कर उन्होंने ट्रंप साहब के उन तमाम गुणों को सार्वजनिक रूप से याद किया जिनका पता न अमरीका को था, न ट्रंप को. वे ट्रंप साहब की बहादुरी की याद करते हुए बहुत विह्वल भी होते रहे. लेकिन तभी ट्रंप ने उन्हें सामने बिठा कर बताया कि भारत जिस तरह अब तक अमरीका को लूटता आया है, वह आगे संभव नहीं होगा. मैं ‘टैरिफ’ के हथियार से आपको आपकी औकात बता दूंगा.

अब आप बताइए कि ऐसा रिश्ता क्या कहलाता है ? यह न तो मित्रता का रिश्ता है, न सम्मान का, न बराबरी का. यह वह रिश्ता है जिसमें ‘ इस्तेमाल कर लो, फिर फेंक दो’ का चलन चलता है. ट्रंप और मोदी, दोनों इसके उस्ताद हैं. आज ट्रंप का पलड़ा भारी है.मोदी अपनी बारी का इंतज़ार कर रहे हैं.

मोदी की राजनीतिक शैली में बात कुछ ऐसी बना दी गई है कि देश के बारे में, फौज के बारे में, युद्ध के बारे में, देश की सुरक्षा के बारे में कुछ भी न बोलो, न पूछो, न सोचो ! और पांचवें हैं नरेंद्र मोदी, जिनके बारे में कुछ भी पूछना हिंदुत्व वालों को नागवार गुजरता है. आप सोचिए, कि पहलगांव के बाद तमाम विपक्ष ने कह दिया कि हम सरकार के साथ हैं ! यह घबराई हुई, जड़विहीन, राजनीतिक दृष्टि से कायर विपक्ष की सोच है. संकट का आसमान रचना और फिर उस आसमान में अपने शिकार करना सरकारों का पुराना हथकंड्डा है. इसलिए स्थिति चाहे कैसी भी हो, हम ताश के सारे 52 पत्ते सरकार के हाथ में कैसे दे सकते हैं ? विपक्ष की एक ही भूमिका होनी चाहिए, घोषित की जानी चाहिए कि हम हर हाल में देश के साथ खड़े रहेंगे. हमारी इस भूमिका से सरकार को जितनी मदद, जितना समर्थन मिलता है, उससे हमें एतराज़ भी नहीं है लेकिन सरकार की आंखों हम देखें, सरकार के कानों हम सुनें तथा सरकार के पांवों हम चलें, यह कैसे हो सकता है ? यह तो बौनों का बला का संकट है और इससे घिरा हमारा विपक्ष बौने-से-बौना हुआ जा रहा है.

3 दिन के युद्ध के बाद, युद्ध से पहले और बाद की किसी भी स्थिति की गंभीर चर्चा व समीक्षा की हर संभावना को खत्म करते हुए प्रधानमंत्री ने संसदीय विपक्ष की आवाजों को चुन-चुन कर विदेश-यात्रा पर भेज दिया. कहा : विश्व मंच पर भारत सरकार का पक्ष अच्छी तरह रखने का राष्ट्रीय कर्तव्य निभाने की चुनौती है, सो आप सब तैयार हो जाएं. आख़िर पाकिस्तान को जवाब देना है न ! सीमा पर हमारे जवान अंतिम बलिदान दे रहे हैं, तो क्या हम विदेश जा कर अपनी आवाज़ भी नहीं दे सकते ? कहने की देर थी कि सभी तैयार हो गए. किसी ने नहीं कहा कि हमें अपनी पार्टी की सहमति लेनी पड़ेगी ! जब राष्ट्रीय कर्तव्य निभाना हो, तो पार्टी की क्या बात है. पार्टी से राष्ट्र बड़ा होता है कि नहीं ! सब अटैची  के साथ एयरपोर्ट पर थे. कांग्रेस पार्टी ने अपने प्रतिनिधियों के नाम भेजे तो थे लेकिन सरकार को तो कोई और ही खेल खेलना था. उसने वे सारे नाम रद्दी में फेंक दिए और प्रतिनिधि मंडल में कांग्रेस के ‘अपने प्रतिनिधि’ नियुक्त कर दिए. अब कांग्रेस के सामने दो ही रास्ते थे : इस संसदीय पिकनिक पर न जाने का ‘व्हिप’ जारी करे व इसका उल्लंघन करने वालों को पार्टी से बाहर करे या फिर चुप्पी साध ले. कांग्रेस ने दूसरा विकल्प चुना, तो तृणमूल कांग्रेस ने पहला विकल्प चुना. इस तरह सभी अपने-अपने हिस्से का विदेश घूम आए. जहां जिसे जैसा मौका मिला, उसने वहां वैसा सरकार का पक्ष रखा. लौटने पर सबने पाया कि वे तो विदेश से लौट आए हैं लेकिन उनकी आवाज कहीं विदेश में ही रह गई है. आज हमारे संसदीय विपक्ष के पास न चेहरा है, न आवाज़ ! सूरतविहीन, गूंगे विपक्ष से सरकार को क्या खतरा हो सकता है ?

जो सरकार व राष्ट्र का फर्क नहीं समझते; जो सत्ता प्रतिष्ठानों के इर्द-गिर्द इसलिए ही घूमते-मंडराते रहते हैं कि कब, कहां, कैसे मौका मिले कि हम भीतरखाने दाखिल हो सकें; जो विपक्ष की भूमिका चुनते नहीं हैं बल्कि उसे सजा काटने की तरह देखते हैं और पहले मौके पर उधर भाग खड़े होते हैं वे कहीं भी आदर-मान नहीं पाते हैं – न विपक्ष में, न सत्तापक्ष में. वे होते हैं किसी कुर्सी की शक्ल में, बस ! हमारा अधिकांश विपक्ष इसी शर्मनाक त्रासदी से गुज़र रहा है. हमारा मतदाता इसलिए ही उसे किसी विकल्प की तरह न देख पा रहा है, न स्वीकार कर पा रहा है.

कोई आश्चर्य नहीं कि देश में आज एक ही विपक्ष बचा है और उसका नाम है राहुल गांधी ! लेकिन आप देखिए कि यह एक आदमी का विपक्ष भी हर कदम पर ठिठकता, भटकता और असमंजस में पड़ा दिखाई देता है, तो इसलिए कि वह हर तरफ़ से अकालग्रस्त है – अकाल संख्या का नहीं, प्रतिभा, प्रतिबद्धता का अकाल है ! किसी भी नेता के लिए निर्णायक भूमिका निभाने या उसकी जिम्मेवारी लेने के लिए कुछ आला सहकर्मियों की ज़रूरत होती है. ऐसे सहकर्मी बने-बनाए नहीं मिलते हैं. बनाने पड़ते हैं. राहुल के पास वे नहीं हैं, क्योंकि अब तक का अनुभव बताता है कि उन्हें ग़लत सहकर्मियों को चुनने में महारत हासिल है. नरेंद्र मोदी के पास भी ऐसे सहकर्मी नहीं हैं. लेकिन नेताओं की एक प्रजाति ऐसी होती है जो दोयम दर्जे के चापलूसों से घिरे रहने में ही सुख व सुरक्षा पाती है. नरेंद्र मोदी उसी प्रजाति के हैं. उनके पास अभी सत्ता की छाया भी है.

जब विपक्ष के ऐसे हालत हों और सत्तापक्ष के भीतर सत्ता-सुख व अहंकार के अलावा कुछ हो ही नहीं, तो यह सवाल कौन पूछे कि अंगुलियों पर गिने जाने जैसे आतंकवादी हमारी सीमा में घुस आए और उन्होंने हमारे 26 मासूम नागरिकों की हत्या कर दी, इतने से सारा देश कैसे खतरे में आ गया ? किसी चौराहे पर वाहनों की टक्कर हो जाए और 26 लोग मारे जाएं, तो क्या देश खतरे में आ जाता है ? आप समझ रहे हैं न कि मैं वाहनों की टक्कर व आतंकवादियों द्वारा की गई हत्या को एक पलड़े पर नहीं रख रहा हूं, मैं देश पर खतरा कब आता है, इसे पहचानने की बात कर रहा हूं. पहलगांव में घुस आए उन आतंकवादियों व उन मासूम नागरिकों की हत्या से देश खतरे में नहीं आया था बल्कि वह खतरे में इसलिए आया कि आप कश्मीर की सीमा की सुरक्षा में विफल रहे थे. केंद्र सरकार की सीधी निगरानी में जो कश्मीर है, चोर उसकी दीवार में सेंध लगा लेता है तो यहां खतरा आतंकवादी नहीं है, आपका निकम्मापन है.  खतरा यहां है कि आप उस आतंकी कार्रवाई का जवाब देने के लिए ऐसा रास्ता अख़्तियार करते हैं जो काइंया अंतरराष्ट्रीय शक्तियों को अपना खेल खेलने के लिए उकसाता है; खतरा यहां है कि आप देश में ऐसा माहौल बनाते हैं मानो यह जंग भारत-पाकिस्तान के बीच नहीं, हिंदू-मुसलमान के बीच हो रही है; खतरा यहां है कि आपको फौज की आला अधिकारी सोफिया कुरैशी अंतत: मुसलमान ही दिखाई देती है और आप उसे दुश्मन की बहन बताते हैं; खतरा यहां है कि इसी संकट की आड़ ले कर आप कश्मीर में वैसे कितने ही घर गिरा देते हैं जिन्हें आपने आतंकवादियों का घर करार दिया है; खतरा यहां है कि बुलडोज़र से किसी का घर गिरा देने की योगी-मार्का प्रशासन की जिस शर्मनाक शैली पर सुप्रीम कोर्ट ने गंभीर टिप्पणी की है और योगी-सरकार को कठघरे में खड़ा किया है, आप भी वही कर रहे हैं. यह अदालत की अवमानना तो है ही, संविधान से बाहर जाने की निंदनीय कार्रवाई है. खतरा यहां है कि आप फौज का क्षुद्र राजनीतिक इस्तेमाल करते आ रहे हैं जो आग से खेलने जैसी मूर्खता है.

लेकिन यह सच भी अजब-सी शै है. यह कहीं-न-कहीं से अपना सर उठा ही लेता है. भारत सरकार ने जो कह रही है,  उसे हम न मानें तो ट्रंप साहब ने जो कह रहे हैं उसे हम कैसे मान लें ? ट्रंप साहब की असलियत यह है, और सारी दुनिया उसे जानती है कि सच, ईमानदारी, नैतिकता आदि से वे ज्यादा निस्बत नहीं रखते. इसलिए उनके हर कहे व किए को हम उनकी औकात से ही तौलते हैं. लेकिन हमारे वायु सेना प्रमुख एयरमार्शल ए.पी. सिंह और बाद में सैन्य सेवा प्रमुख जेनरल अनिल चौधरी की बात ऐसी नहीं है कि हम उसे नजरंदाज करें. ये वे फौजी अधिकारी हैं जिनका यह सरकार अब तक राजनीतिक इस्तेमाल करती आई है. अब वे कह रहे हैं कि 3 दिनों का यह युद्ध दोनों तरफ़ को बेहद नुक़सान पहुंचा गया है. पाकिस्तान का नुक़सान ज्यादा हुआ है लेकिन उसने हमारा जितना नुक़सान किया है, वह स्थिति को ख़तरनाक बनाता है. पाकिस्तान ने हमारे विमान भी गिराए और सैनिक अड्डों को भी नुक़सान पहुंचाया. यह युद्ध रुकना ही चाहिए था, क्योंकि इस युद्ध से हासिल कुछ नहीं हो सकता था. परिस्थिति का यह आकलन व अंतरराष्ट्रीय शक्तियों का दवाब हमें युद्धविराम तक ले आया. यह मुख़्तसर में वह है जो इन दो आला फौजी अधिकारियों ने कहा है.

हमें यह सच्चाई समझनी चाहिए कि हथियार के व्यापारियों से खरीद-खरीद कर जो जखीरा हम भी और पाकिस्तान भी जमा करता रहता है, वह हर देश को करीब-करीब एक ही धरातल पर ला खड़ा करता है. इसलिए आज की दुनिया में कोई लड़ाई अंतिम तौर पर किसी को जीत नहीं दिलाती है. जीत नहीं, विनाश ही आज के युद्ध का सच है. आप रूस-यूक्रेन का दो बरस से ज्यादा लंबा युद्ध देखिए. कौन जीत रहा है ? दोनों बर्बाद हो रहे हैं. अमरीका व यूरोप की फौजी मदद से लड़ रहा यूक्रेन और हथियारों का अकूत जखीरा रखने वाला पुतिन- दोनों का दम फूल रहा है. दोनों का देश बर्बाद हो रहा है. फौजी भी मारे जा रहे हैं, नागरिक भी; शहर-गांव-कस्बे सब मलबों में बदल रहे हैं. ऐसे में आप जीत-हार की बात क्या पूछेंगे ! पूछने वाला सवाल यही है कि बताइए, कितना विनाश हो चुका है, और कितना विनाश कर के आप रुकेंगे ? इसराइल ने ईरान पर हमला कर किया क्या ? या फिर ट्रंप ने वहां अपनी नाक घुसेड़ कर क्या किया ? आप सोचिए, अगर ईरान ने अमरीका पर हमला बोला तो क्या होगा ? जीत या हार होगी ? नहीं, ऐसा कुछ नहीं होगा. विश्वयुद्ध भी नहीं होगा, वैश्विक विनाश होगा – शायद वैसा, जैसा दुनिया ने अब तक देखा नहीं है. हिंसा में से वीरता तो पहले ही निकली चुकी है, अब युद्ध में से जीत-हार भी निकल गई है. बची है विशुद्ध हैवानियत- क्रूरता, अश्लीलता और अपरिमित विनाश !

कोई राहुल गांधी यदि पूछता है कि हमें बताइए कि 3 दिनों के इस युद्ध में हमारा कितना नुक़सान हुआ, कितने विमान गिरे, कितने जवान मरे तो यह देशभक्ति की कमी या अपनी सेना की क्षमता पर भरोसे की कमी जैसी बात नहीं है. यही सवाल है जो पाकिस्तान में भी पूछा जाना चाहिए, इसराइल में भी, यूक्रेन और गजा व ईरान में भी. आज किसी भी कारण जो जंग का रास्ता चुनते हैं या जबरन किसी को जंग में खींच लाते हैं उन सबके संदर्भ में यही सबसे अहम सवाल है जो आंखों में आंखें डाल कर पूछा जाना चाहिए. लेकिन कौन पूछे ? जिस विपक्ष की ज़ुबान खो गई है वह पूछे भी तो कैसे ?

(23.06.2025)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Gandhiana|23 June 2025

ગાંધીજીને જાહેર નાણાં અંગે અને તેના ઉપયોગ બાબત બહુ ચિંતા રહેતી.

એક વાર, બાપુ આચાર્ય કૃપાલાણી તથા આચાર્ય ભણશાળી સાથે પૂણેની પાર્વતી ટેકરી પર આવેલાં વિખ્યાત મંદિરની મુલાકાતે ગયા હતા. મંદિરેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ કૃપાલાણીજીને ઘોડાગાડી કરી લેવા અને તેનું ભાડું નક્કી કરવાનું જણાવ્યું. આ દરમિયાન એક કોલેજ યુવતી બાપુ પાસે આવી. અને હસ્તાક્ષર આપવા એ બાપુને વીનવતી હતી. હસ્તાક્ષર સામે પોતાનાં રચનાત્મક કામ સારુ કોઈક પ્રકારનો ફાળો આપવાનો ગાંધીજીને આગ્રહ રહેતો. ગાંધીજીએ અહીં પણ કોઈક ફાળાની માગ મૂકી. કોલેજ યુવતીએ દસ રૂપિયાનો ફાળો આપ્યો અને મહાત્માજીએ પોતાના હસ્તાક્ષર આપી એ યુવતીને રાજી કરી. ગાંધીજીએ એ દસ રૂપિયા આચાર્ય કૃપાલાણીના હાથમાં મૂક્યા અને તેમાંથી ઘોડાગાડીનું ભાડું ચૂકવવા એમને સૂચના કરી.

ઘોડાગાડી એમને લઈને યજમાનને ત્યાં પહોંચી. ત્રણે ય નીચે ઊતર્યા. નીચે ઊતરતાની સાથે જ ગાંધીજીએ આચાર્ય જીવતરામ કૃપાલાણીને આ ઘોડાગાડીનું કેટલું ભાડું ચૂકવ્યું, એમ પૂછ્યું. પાંચ રૂપિયા થયા એમ કૃપાલાણીજીએ જણાવ્યું. તરત જ ગાંધીજીએ પાંચ રૂપિયા પાછા આપવાનું કહ્યું. કેમ કે એમણે તો મૂળે દસ રૂપિયા આપ્યા હતા.

જીવતરામ ભ. કૃપાલાની

હવે કૃપાલાણી અસહાયપણે ભણશાળીજી સામે જોવા લાગ્યા, ભળશાળીજીએ બાપુને ફોડ પાડી, સમજાવતા કહ્યું કે એ ઘોડાગાડીવાળો પાંચ રૂપિયા પાછા આપ્યા વિના જ દસ રૂપિયાની નોટ લઈને જ નાઠો હતો.

એ સાંજે ત્રણે ય આ યજમાનને ત્યાં જમવાના હતા. યજમાનના ઘરમાં દાખલ થતાની સાથે ગાંધીજીએ યજમાનપત્નીને કહ્યું, ‘અમારા ત્રણમાંથી માત્ર બે જ જણ જમવાના છે.’ બાપુએ ઉમેર્યું: ‘એક યુવાન કન્યાએ જાહેર કામ માટે આપેલા દસ રૂપિયાના ફાળામાંથી કૃપલાણીએ પાંચ રૂપિયા ખોયા છે એથી કૃપાલાણીને આજે રાતે વાળુ કરવા દેવામાં આવશે નહીં.’

મધુ દંડવતે

નવી દિલ્હી ખાતે, 1996માં, જયપ્રકાશ નારાયણ સ્મૃતિ વ્યાખ્યાન આપતી વેળાએ પ્રાધ્યાપક મધુ દંડવતે આ પ્રસંગને ટાંકીને કહેતા હતા તેમ આજના જાહેર જીવનની સરખામણીએ આ તદ્દન વિરોધાભાસી વલણ છે. આજે તો કરોડોની ગંભીર ઉચાપત લાંચરૂશ્વત પેટે થયા કરે છે. જાહેર જીવનમાંની સ્વચ્છતાની તથા નાણાં અંગે પ્રામાણિકતાની અસર આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધીના વરિષ્ઠ સાથીઓ પર ઊંડી હતી. જ્યારે આજે આનાં વરવાં રૂપો અને સ્વરૂપો આપણે ભાળીએ છીએ … આપણે આપણી સીમા આંકી લઈએ અને આપણા જીવનને કેન્દ્રમાં મૂકીએ તો આપણે કેટલા રૂડા પુરવાર થઈએ ? ગાંધીને નામે ચાલતી સંસ્થાઓ, ગાંધીનાં કામ કરતી વ્યક્તિઓની જ વાત જોઈએ તો આ સ્તરે કોઠો ઠારે એવી હાલત જ નથી. તો પછી બીજી સંસ્થાઓની, આગેવાન વ્યક્તિઓની કેવી હાલત, ભલા, હશે? જરાક પોરો લઈને મટકું મરાય એટલો વખત પણ વિચારીએ.

પાંચા પટેલનો દાખલો જગમશહૂર છે. ગાંધીયુગનો સુવર્ણ સમય એટલે મીઠા સત્યાગ્રહ. દાંડી યાત્રાનો જુવાળ ચોમેર હતો. દક્ષિણ ગુજરાતના કંઠાર વિસ્તારના દાંડી નજીક કરાડી નામે ગામ. કરાડીમાં પાંચાકાકા કરીને એક ગાંધી ભક્ત. સાચા અર્થમાં ગાંધીભક્ત. પૂરી સમજણવાળા ગાંધીભક્ત. એમણે નાકરની લડતમાં પણ ભાગ લીધેલો. એમણે દાંડીના મીઠા સત્યાગ્રહમાં ય ભાગ લીધેલો, બ્રિટિશ સરકારે એથી તો એમનું ઘર હડપ કરી લીધું. એમની વાડી જપ્ત કરી અને બીજી મિલકત પણ સરકારને ચોપડે ફરજિયાત મેળવ્યાની નોંધ બોલે. પોલીસે પાંચાકાકાને હાથે બેડીઓ નાંખી. એમને થાણે લઈ જતા જતા એક પોલીસ અધિકારી બોલ્યા :

પાંચા પટેલ

‘તમારી પાસે એક પણ તસુ જેટલી જમીન ન રહી જાય એ અમે જોવાના છીએ. તમારું ઘર પણ અમે જપ્ત કરી લીધું છે.’

પાંચાકાકા જેનું નામ. એમણે પોલીસને કહ્યું: ‘તમે ખાતરી રાખજો, હિંદ આઝાદ ન થાય ત્યાં લગી મારી જમીન હું પાછી માગવાનો જ નથી.’

સને 1937માં મુંબઈ ઈલાકામાં કૉંગ્રેસ સરકાર આવી. બાળ ગંગાધર ખેર મુખ્ય પ્રધાન બન્યા. એમણે બાપુના આ આદર્શ સૈનિકને સંદેશો મોકલ્યો :

‘બ્રિટિશ રાજ વખતે તમારાં જપ્ત થયેલાં ઘર અને જમીન અમે તમને પાછાં સુપ્રત કરવા ઈચ્છીએ છીએ.’

પાંચાકાકા બોલ્યા : ‘ના. આ કંઈ ગાંધીજીનાં સપનાની આઝાદી નથી. હિંદ સંપૂર્ણ આઝાદી મેળવે ત્યાં લગી આ મિલકત પાછી ન લેવાનાં મેં પણ લીધાં છે. દેશને સંપૂર્ણ આઝાદી ન મળે ત્યાં સુધી હું મારી મિલકત પાછી લેવાનો નથી. એ તમારી પાસે રાખી મેલો.’

15 ઑગસ્ટ 1947ના દેશ આઝાદ થયો. ગાંધીભક્ત પાંચા પટેલને ફરી વાર સંદેશો ગયો : ‘હવે તો આપણો દેશ આઝાદ થયો છે અને તમે તમારી મિલકત હાવાં પાછી લઈ લો.’

પાંચાકાકાએ બાપુનો સંપર્ક કર્યો. પૂછ્યું : ‘બાપુ, તમારા સપનાની આઝાદી આવી છે કે?’

ગાંધીજીએ કહ્યું : ‘કમભાગ્યે, મારો જવાબ ના છે.”

અને પછી પાંચાકાકાએ સરકારે જણાવી દીધું : ‘હું મારી મિલકત પાછી લઈ શકું તેમ નથી.’

આ સાંભળીને કોઈક ચતુર જણ બોલ્યું : ‘ અરે ! પાંચાકાકા પોતાની મિલકત પાછી મેળવવાની ના પડે છે ? પરંતુ એમની જ્યારે આંખ મિંચાશે ત્યારે તેમની પત્ની અને તેમના સંતાનો તો આ મિલકત મેળવશે જ ને !’

આ પ્રકારની વાત થયા કરતી હતી. એ અંગે પાંચાકાકાએ જે જવાબ આપ્યો છે, એ સાંભળવા જેવો છે. આ જવાબ નિતાંત ગાંધી સમજણનો દ્યોતક છે :

‘મને એવો અંદેશો હતો. તેથી મારે ક્યારે ય શરમ અનુભવવી ન પડે તે સારુ હું પરણ્યો જ નથી અને આમ મારે કોઈ સંતાન પણ નથી.’

ગાંધીજીએ દરેક સ્તરે આવા માણસોની લંઘાર તૈયાર કરી હતી. ઘરઘરમાં આવા દીવાઓએ ઓજસ પાથર્યા હતા. એમનાં તપે આપણે સૌ ઊજળા રહ્યા છીએ. પણ આજે આપણી વચ્ચે જુદું ચિત્ર કેમ છે ? કારણ ચોખ્ખું છે : આપણે ગાંધીને ગોખલે પૂરીએ છીએ, એને દેવ બનાવીએ છીએ, ફરી ફરીને એ જ પુષ્પમાળાઓથી એની સમાધિ, એની છબિ અને એની મૂર્તિ લાદી દઈએ છીએ. લગીરે ય સમજ્યા વિણ એમનો જયઘોષ કરીએ છીએ. ‘સત્યેશ્વરની જય’ પોકારનારાઓ આપણે કયું સત્ય જોઈએ છીએ ? કયો ઈશ્વર ભાળીએ છીએ? કોનો જય ઈચ્છીએ છીએ?

ઘડીભર આપણી જાતને જ પૂછીએ : સામાજિક ન્યાય માટે આપણે શું કર્યું? સામાજિક ન્યાયની આપણી વ્યાખ્યા શી ? ગાંધીને નામે કામ કરતી સંસ્થાઓમાં ય સામાજિક ન્યાય જાળવીએ છીએ ? બહેનોને સરખાપણું આપીએ છીએ? સાંઠગાંઠ કરીને ખુદ સારુ જ સાટાદોઢા તો નથી કરતાં ને? પઈએ પઈનો અણિશુદ્ધ વહેવાર જાળવીએ છીએ ? આપણી સંસ્થાઓ જાહેર જનતાની અમાનત છે, એનો વહીવટ પ્રજાના સાચા ટ્રસ્ટીઓ બનીને ચલાવીએ છીએ કે ? વહીવટી માળખા સારુ વરસે દહાડે જાહેર લેખાંજોખાં કર્યા છે ? અણિશુદ્ધ ચારિત્ર્ય કેળવ્યું છે? કાર્યકરોને ચકાસ્યા છે? ગાંધીનામને સત્તા, શેખી અને ફદિયા સારુ ધૂળમાં રગદોડતા તો નથી ને ? પોતાની પ્રસિદ્ધિ, પોતાની વાહ વાહ સારુ જ સંસ્થાની પાંખ કાપી નથી મેલી ને ? સત્યની બાંગ પોકારીને સત્તાની શેખી તો નથી કરીને? છેવાડાના આદમીને ન્યાય મળે એવા કેટલાં કાર્યો કર્યા છે ? પોતાના સ્વાર્થ સાટુ ગાંધીનામ અને કામમાં સંસ્થાના મૂળ હિતની ય છડેચોક હરાજી કરવામાં ય શરમ અનુભવીએ છીએ કે? ગાંધીનામ અને કામમાં સમભાવ અને સમદૃષ્ટિ પાયામાં જ છે. આપણે સમભાવ અને સમદૃષ્ટિ કેળવી છે ? – આ બધા સવાલોના જવાબ મેળવવા, ક્યારેક, આકરા થઈ પડે છે. પરંતુ, ક્યારેક તો મહેનત કરવી જ પડશે. 

સને બેતાળીસનાં ભારત છોડો આંદોલન વેળાએ મૌલાના અબુલ કલામ આઝાદ અહમદનગર કિલ્લામાં બંદીવાન હતા. એ જેલમાં હતા એ ગાળા દરમિયાન બેગમ આઝાદનું અવસાન થયું. મૌલાનાસાહેબના મિત્રોએ પૂરતા સન્માન સાથે બેગમસાહેબાની સ્મૃતિ જાળવવા ભંડોળ એકત્ર કરવાનું વિચાર્યું.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

દરમિયાન, 1945માં મૌલાના આઝાદને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યા. એમને આ ફાળાની જાણ થઈ. 17 સપ્ટેમ્બરે એમણે એક જાહેર નિવેદન કરીને મિત્રોને અને સાથીદારોને આ ફાળો તત્કાળ રોકવા અનુરોધ કર્યો. એમણે કહ્યું, સમાજના મુઠ્ઠી ઊંચેરા આગેવાનો માટે જ આવો ફાળો એકઠો કરવાનો હોય. એમના પત્ની સામાન્ય ધરખ્ખુ મહિલા જ હતાં અને એમણે જાહેર જીવનમાં કોઈ મોટો ફાળો આપ્યો નથી, એમ ઉમેરતા એમણે કહ્યું. પરિણામે જે કંઈ ફાળો એકઠો થયો હતો એ તત્કાળ એમણે ‘કમલા નેહરુ સ્મારક હોસ્પિટલ’ ભંડોળમાં જમે કરાવી દીધો.

સુધરાઈ, સરકાર અને અહીં તહીં નાની મોટી સંસ્થાઓ પાસે પણ માન અકરામ માટે ફાંફાં ફાંફાં મારતા, ગાંધીની જપમાળા ધસતા, હારતોરા ને ભાષણ સારુ વલખા મારતા અનેક આગેવાનોને આપણે આપણા સમાજમાં ભાળીએ છીએ. આ લાજી મરવા જેવું વરવું ચિત્ર નથી શું? ગાંધીનું ઓજસ સત્યમાંથી ટપકતું હતું. આજે સત્યેશ્વરની બાંગ પૂકારનાઓને ‘સત્’, ‘સત્ય’ કરતાં કદાચ ‘સત્તા’માં જ સવિશેષ શ્રદ્ધા હોય !

સને 1940ના એ દિવસો. વ્યક્તિગત સત્યાગ્રહનું આંદોલન હિંદભરમાં પથરાયેલું. મુંબઈના સિક્કાનગર વિસ્તારની વાત છે. એ વિસ્તારમાં રહેતાં એક સાદાં, સીધાં, સરળ બાનુની આ વાત છે. લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આઝાદીની તરફદારી કરતું ભાષણ ઠપકારીને આ બહેને વ્યક્તિગત સત્યાગ્રહ માંડ્યો. પોલીસે એમને તરત અટકમાં લીધાં. સામાન્યપણે સત્યાગ્રહીને અટકમાં લેવામાં આવે ત્યારે તેમને અદાલતમાંની હાજરી પછી કેદખાને લઈ જતા પહેલાં પોતાને ઘેર લઈ જવામાં આવે. જેથી એ પોતાને અત્યંત જરૂરી ચીજવસ્તુઓ સાથે લઈ શકે. આ દાખલામાં એમ કરવાનું પોલીસે ના પાડી. બાઈએ સમયસૂચકતા વાપરી. હાથમાંની બંગડી, કાનમાંના એરિંગ, ગળાનો અછોડો એણે સત્વરે ઊતારી લીધાં. એક રૂમાલમાં વીંટીને એણે ચોતરફ જોઈ લીધું. ટોળામાં એક ખાદીધારી ભાઈ હતા. એની સામે એ ગાંસડી આ બહેને ફેંકી અને કહ્યું,

‘આમાં મારું સરનામું છે, ત્યાં જઈને આપી આવજો અને પરિસ્થિતિ સમજાવજો.’

ભારે હેબતાઈ ગયેલા પેલા ખાદીધારી ભાઈએ લાગલા પૂછ્યું, ‘બહેન, તમે મને ઓળખતાં નથી. તમને ખાતરી છે કે હું આપી આવીશ ? આ દાગીનો લઈને હું ભાગી નહીં જઉં તેની તમને કોઈ શંકા નથી ?’

બહેનનો જવાબ જોવા જેવો છે : ‘ભાઈ, તમારા શરીરે ગાંધીની ખાદી છે; એથી વિશ્વાસ સાથે મેં તમને આ દાગીનો સુપ્રત કર્યો છે. તમે એ લઈને ભાગી જશો નહીં જ એનો મને પૂરો ભરોસો છે.’

ગાંધીએ અદના સૈનિકોમાં ય ખાદીની સમજણ ઊતારી હતી. રામને નામ પથ્થરો તર્યા કે નહીં એની કોઈ પાક્કી જાણ આપણને નથી. ફક્ત રામાયણમાં વાંચ્યું છે કે પછી પારાયણીએ એ ઘટના લડાવી લડાવીને કહી છે. અહીં તો આ માત્ર ગઈ કાલની જ વાત છે. સાચી ઘટના છે. બાપુનાં નામે આવા કેટલાં ય સોળ આનાના પાણીદાર સિક્કાઓ વિસ્તારે વિસ્તારે, મહોલ્લે મહોલ્લે, ઘરે ઘરે એ કાળે પેદા થતા હતા. આજે ? બાપુનાં તમામ રચનાત્મક કામોમાં ખૂંપેલા આપણે આમ વરતી શકીએ કે ? આપણી અહીંની જ વાત સમજીએ અને અંતરથી જાતને ઢંઢોળી તપાસીએ. કંઈ કેટલાં ય સાથીમિત્રોને જોઈએ છીએ; અંગત સ્વાર્થે વિશ્વાસઘાત કરનારા, ખંજર હલાવતા, ઠેર ઠેર જોઈએ છીએ. ક્યારે આપણી જાતને સંકોરીને ગાંધીનામની સાચી જપમાળા કરીશું ? ક્યારે એના સાચાં કામો આદરીશું?

“હરિજનબંધુ”ના 18-11-1936ના અંકમાં મહાત્મા ગાંધીએ લખ્યું હતું :

‘કોઈ લોકસેવક જ્યાં લગી કોઈ તંત્રના એક અંગ તરીકે કુશળતાથી કામ કરતો હોય ત્યાં લગી તેના ચારિત્ર્ય વિષે પૂરેપૂરું દુર્લક્ષ કરવાની વૃત્તિ આધુનિક જાહેર જીવનમાં છે. એમ કહેવામાં આવે છે કે દરેક માણસનું ચારિત્ર્ય કેવું છે એ એને પોતાને જોવા સંભાળવાનું છે. આવો વિચાર કરતા લોકોને મેં ઘણી વાર જોયા છે, પણ મને એ કદી ગમ્યો નથી. તો હું સ્વીકારી તો ક્યાંથી જ શકું? જે સંસ્થાઓએ માણસના ચારિત્ર્ય વિષે ઉપેક્ષા રાખી છે તેના પર મહાન આફતો આવી પડેલી મેં જાણી છે.’

આપણે દરેક આપણી જાતને આ એરણ પર મૂકી જોઈશું ? કેટલી કેરેટનું સોનું નીવડીશું? 

[“ઓપિનિયન” અંક જાન્યુઆરી 1999માંથી ટૂંકાવીને.]
22-23 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 341-342

Loading

લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 June 2025

રાજ ગોસ્વામી

વિમાનમાં પ્રવાસ કરનારા લોકોને ખ્યાલ હશે કે દરેક ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલાં, કેબિન ક્રૂ પ્રવાસીઓઓને સુરક્ષા સંબંધી સૂચનાઓ આપે છે, જેથી તેમનો જીવ હેઠે બેસે કે વિમાનની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને જોખમ નહીંવત છે. 

આજથી અઢી વર્ષ પહેલાં, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક ડોકયુમેન્ટરી ‘ડાઉનફોલ : ધ કેસ અગેઇન્સ્ટ બોઇંગ’માં, આ એવિયેશન કંપનીના કર્મચારીઓએ બોઇંગના કારભારને લઈને ચિંતા તેમ જ ચેતવણીના સૂર પ્રગટ કર્યાં હતાં. કંપનીના વહીવટીતંત્રએ તેની ઉપેક્ષા કરી હતી, અને હવે અમદાવાદમાં તેનું એક ડ્રીમલાઈનર-787 તૂટી પડતાં, બોઇંગ ફરીથી શંકાઓ અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

આ ડોકયુમેન્ટરી 2022માં રિલીઝ થઇ હતી અને તેનું નિર્દેશન જાણીતી ડોકયુમેન્ટરી નિર્દેશક રોરી કેનેડીએ કર્યું હતું. આ ડોકયુમેન્ટરી  એવિએશનની દુનિયાની બેતાજ બાદશાહ બોઇંગના ઇતિહાસની એ ઘટનાઓને રજૂ કરે છે, જેમાં તેનાં બે 737 મેક્સ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં હતાં. 

બોઈંગે તેની 737 શ્રેણી હેઠળ, 2011થી 2016 વચ્ચે સાંકડા આકારનાં 737 મેક્સ વિમાન બનાવ્યાં હતાં. તેનું પહેલું વિમાન મલેશિયાની એર લાઈન કંપનીને વેચવામાં આવ્યું હતું. બે વર્ષ પછી, આ શ્રેણીનાં બે વિમાન તૂટી પડ્યાં. જેમાં કુલ 346 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે પછી, આખી દુનિયામાં 737 મેક્સ વિમાનના પૂરા કાફલાને રોકી દેવામાં આવ્યો હતો, જે 2020 પછી ફરી સક્રિય થયો હતો.

પહેલી દુર્ઘટના ઇન્ડોનેશિયામાં બની હતી. ત્યાં ડોમેસ્ટિક રૂટ પર ચાલતી લાયન એર ફ્લાઈટ 610, 29 ઓક્ટોબર 2018ના રોજ, 181 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો સાથે ટેઈક ઓફ કર્યાની 13મી મિનિટે જાવા સમુદ્રમાં તૂટી પડી હતી. 

બીજી દુર્ઘટના બીજા જ વર્ષે ઇથોપિયામાં ઘટી. ત્યાં 10 માર્ચ 2019ના રોજ, ઇથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ 302 ટેઈક ઓફ કર્યાંની છઠ્ઠી મિનિટે તૂટી પડી હતી. તેમાં 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો માર્યા ગયા હતા.

આ બે દુર્ધટનાઓનાં પગલે, બોઇંગ કંપનીની પ્રતિષ્ઠાને અને કમાણીને ઘણું નુકશાન થયું હતું, અને નફો રળવાની લાહ્યમાં તે વિમાનની સુરક્ષા વ્યવસ્થા સાથે બાંધછોડ કરી રહી છે તેવા આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેનું કારણ એરબસ કંપની સાથે તેની સ્પર્ધા છે. એરબસ પાછલાં અમુક વર્ષોથી બોઇંગનાં સો વર્ષના એકચક્રી શાસનને પડકારી રહી છે.

ડોકયુમેન્ટરીમાં આ બધાં પાસાં સાંકળી લેવામાં આવ્યાં હતાં. તેનો મુખ્ય સૂર એવો હતો કે બોઇંગ તેના મુસાફરોની સલામતી કરતાં નાણાંકીય નફાની વધુ ચિંતા કરતું હતું. ડોકયુમેન્ટરીની નિર્દેશક રોરી કેનેડી કહે છે;

“એવા ઘણા દાયકાઓ હતા જ્યારે બોઇંગે ઉત્કૃષ્ટતા, સલામતી અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અસાધારણ કામ કર્યું હતું. આ ત્રણ ગુણોને નફાની ચાવી તરીકે જોવામાં આવતા હતા. કંપનીની સફળતાઓ તેનાં કારણે જ હતી. પણ પછી તેમાં એવા લોકોનો કારભાર આવ્યો જે વોલ સ્ટ્રીટના નફા-નુકશાન પર ધ્યાન આપવા લાગ્યા હતા. બિઝનેસના ખેલમાં સંતુલન હોવું જરૂરી છે, તેથી તમારે એવા પ્રતિનિધિઓને ચૂંટવા પડે કે જેઓ તેમનાં ખિસ્સાં ભરવાને બદલે જાહેર હિતોનું ધ્યાન  રાખે.”

અમદાવાદની ઘટના નિશ્ચિતપણે આ સો વર્ષ જૂની કંપની માટે એક મરણતોલ ફટકા સમાન છે. તમે છેલ્લે જે વિમાનમાં પ્રવાસ કર્યો હશે, તે કાં તો અમેરિકા સ્થિત બોઇંગનું વિમાન હશે અથવા યુરોપની એરબસ કંપનીનું હશે. કોમર્સિયલ વિમાનો બનાવામાં આ જ બે તોતિંગ કંપનીઓનું વર્ચસ્વ છે. બોઇંગની સ્થાપના 1916માં થઇ હતી, જ્યારે એરબસની સ્થાપના 1970માં થઇ હતી. દુનિયાભરના આકાશમાં ઉડતાં નેવું ટકા વિમાનો આ બે કંપનીઓનાં હોય છે. 

એમાંથી બોઇંગ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જાણે કે તે હવે વૃદ્ધ થઇ ગઈ છે. જેમ એક વ્યક્તિની ઉંમર થાય અને તેની શારીરિક-માનસિક ગુણવત્તામાં ઘટાડો થાય, એવું જ બોઇંગ સાથે બની રહ્યું છે. નફો રળવાની તેની વધતી લાલચમાં તેની સાખ, પ્રતિષ્ઠા, પદ અને પૈસા બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે. 

તેના સ્થાપક વિલિયમ બોઈંગે પૈસા માટે નહીં, પરંતુ આમ લોકો વિમાનમાં ઉડી શકે તેવી ક્રાંતિ કરવા માટે સપનું જોયું હતું. તેણે એક એવી એન્જિનીયરિગ કંપની બનાવી હતી જેણે એવિયેશનની દુનિયા બદલી નાખી હતી. હજારો વિમાનો, અનેક મોડેલો અને દુર્ઘટના રહિત ઉડાનમાં સૌથી સુરક્ષિત રેકોર્ડ બોઇંગનો હતો. 20મી સદીમાં તેનો આ રૂઆબ કોઈ છીનવી શક્યું નહોતું. જે કંઈ થયું તે એરબસના આવ્યા પછી અને બોઇંગમાં કારભારીઓ બદલાયા તે પછી થયું.

વિલિયમ બોઈંગ, મિશિગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં એક મજદૂર પરિવારમાં પેદા થયા હતા. તેમના પિતા જંગલમાં લાકડાંનો વેપાર કરતા હતા. વિલિયમ બોઈંગ પોતે પણ એન્જિનિયરીંગ ભણવા માંગતા હતા પણ અધવચ્ચે તે છોડીને 1903માં લાકડાંના ઘંધામાં જોડાઈ ગયા હતા. તે વખતે, અમેરિકામાં ધમધોકાર બાંધકામ ચાલતું હતું અને એટલે વિલિયમનો ધંધો પૂરજોશમાં ચાલ્યો હતો અને તેમણે અન્ય ધંધાઓમાં પણ પૈસા રોક્યા હતા.

તેઓ ગ્રીનવૂડ ટિમ્બર કંપનીના અધ્યક્ષ હતા ત્યારે એક બોટ ડિઝાઈન માટે સીએટલ ગયા હતા. ત્યાં એક વેપારી મેળો ભરાયો હતો અને ત્યાં તેમણે પહેલીવાર ઉડતું મશીન જોયું હતું. તેમને તે જોઇને બહુ વિસ્મય થયું હતું. 1910માં, લોસ એન્જલસમાં એક ઉડતાં મશીનોનો મેળો થયો હતો અને ત્યાં વિલિયમે દરેક પાયલોટને પ્લેનમાં બેસવા દેવા અરજી કરી હતી. 

કોઈએ તેમને ન ગણકાર્યા. એ પછી વિલિયમે નક્કી કર્યું કે તે જાતે જ તેને ઉડાડતાં શીખશે એટલું ન નહીં, તે પ્લેનનું પણ નિર્માણ કરશે. તેમણે તેમના એક મિત્ર અને અમેરિકન નૌસેનાના કમાન્ડરને કહ્યું હતું, “આપણે આપણી જાતે જ બહેતર પ્લેન બનાવીશું અને ઝડપથી બનાવીશું.” અને એ રીતે તેમણે સીએટલ નજીક નદીમાં તેમની બોટ ફેક્ટરીમાં જ પ્લેનનું નિર્માણ શરૂ કર્યું હતું. એવિએશનની બેતાજ બાદશાહ બોઇંગની એ શરૂઆત હતી. 

1929માં એક ઇન્ટરવ્યૂમાં વિલિયમ બોઈંગે કહ્યું હતું, “આજે લોકો રોજ વધુને વધુ પ્લેનમાં ફરે છે- અને હું તો ત્યાં સુધી કહીશ કે એક દિવસે લોકો ટ્રેનની જેમ વિમાનમાં ફરતા હશે.” આજે બોઇંગ દર વર્ષે 300 વિમાનોનું નિર્માણ કરે છે અને દુનિયાભરમાં તેનાં 10,000થી વધુ વિમાનો આકાશમાં ઊડે છે. પરંતુ અમદાવાદની દુર્ઘટનાએ તેના તપતા સૂરજને ગ્રહણ લગાડ્યું છે. પાંચ વર્ષમાં ત્રણ મોટી દુર્ઘટનાઓમાંથી કંપની પાઠ ભણે છે કે નહીં તે તો ભવિષ્યમાં ખબર પડશે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...236237238239...250260270...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved