'અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં'
કવયિત્રી: પન્ના નાયક
સ્વરકાર: ગાયક: અમર ભટ્ટ
આલબમ: વિદેશિની
આ ગીત ક્યારે લખાયું એવા મારા પ્રશ્નના જવાબમાં પન્નાબહેને કહ્યું કે 1985ના અરસામાં – એમણે, કવિ સુરેશ દલાલે અને નટવર ગાંધીએ વૉશિંગ્ટનમાં, લિંકન સેન્ટર પાસે, પોટૉમેક નદીના કિનારે, ઘાસ પર બેસી, વાસંતી વૈભવ માણતાં માણતાં કાવ્યો લખેલાં. એ વખતે પન્નાબહેને આ ગીત લખ્યું હતું.
અમેરિકામાં સખત ઠંડી પછી વસંત – સ્પ્રિંગ – ખૂબ માણવા લાયક હોય છે – પાનખરની જેમ જ. એમાં ય વોશિંગ્ટનમાં જાપાનની જેમ ચૅરી બ્લોસમ જોવા મળે.
નદીમાં ન્હાતાં વૃક્ષો હોય, ધરતી પર જ જળતત્ત્વ મળે ને વાદળ જ્યાં છે તે આકાશની છાયા મળે. અરૂપ એવો વાસંતી પવન અનુભવાય અને આવા વાતાવરણમાં અંદરના અગ્નિનું શું? આમ જ મને આ પાંચે તત્ત્વો આ ગીતમાં સહજ આવેલાં દેખાયાં.
સુંદરમ્નું એક ગીત હું શાળામાં શીખેલો –
'અમને રાખ સદા તવ ચરણે'
અહીં પ્રથમ શબ્દ 'અમને' હોવાથી ને લય એ ગીતને મળતો હોવાથી પ્રથમ પંક્તિનો ઢાળ એ જ લીધો છે. બીજા અંતરામાં બસંતબહાર રાગના સ્વરો તો તમે નોંધશો જ.
— અમર ભટ્ટ
![]()


શાસકો દેશવ્યાપી લૉક ડાઉનના એકંદરે સફળ અમલીકરણ બદલ યોગ્ય રીતે ખુશી અનુભવી રહ્યા છે. પણ લૉક ડાઉનની સાથે, બદકિસ્મત સ્થળાંતરિત મહેનતકશોની થયેલી દુર્દશાએ, લાંબા સમયથી ધ્યાન બહાર રહેલી એક મહત્ત્વની સમસ્યાને ઉજાગર કરી છે. શ્રમિકોની હાલતે સવાલોની હારમાળા સર્જી છે.