Opinion Magazine
Number of visits: 9574273
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વરિષ્ઠ સમાજશાસ્ત્રી એ.એમ. શાહની વિદાય

નિરીક્ષક ડેસ્ક|Opinion - Opinion|15 September 2020

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અગ્રણી સમાજશાસ્ત્રી અરવિન્દ મ. શાહનું સપ્ટેમ્બર ૭, ૨૦૨૦ના રોજ અવસાન થયું. સમાજશાસ્ત્રીય અભ્યાસમાં નવો ચીલો પાડનાર એમ.એન. શ્રીનિવાસ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પાછા આવ્યા, ત્યાર પછી એ.એમ. શાહ તેમના પહેલા વિદ્યાર્થી હતા.

શાહસાહેબ દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં સમાજશાસ્ત્રના અધ્યાપક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રીસર્ચના ‘નેશનલ ફૅલો’ હતા. એકાદ દાયકા જેટલા સમય માટે તેમણે સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હતી. ત્યાર પહેલાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તે સમાજશાસ્ત્ર શીખવતા હતા.

જાણીતા સમાજશાસ્ત્રી – ઘનશ્યામ શાહે તેમને અંજલિ આપતાં લખ્યું છે કે એમ.એસ. યુનિવર્સિટીમાં ૧૯૫૯-૬૦નાં વર્ષોમાં શાહસાહેબ તેમના અધ્યાપક હતા અને સમાજશાસ્ત્રના આરંભિક પાઠ તેમની પાસેથી શીખવા મળ્યા હતા. ઘનશ્યામભાઈએ નોંધ્યા પ્રમાણે, એ.એમ. શાહ લિખિત ‘ધ હાઉસહોલ્ડ ડાયમેન્શન ઑફ ફૅમિલી ઇન ઇન્ડિયા’ અને ‘ધ ફૅમિલી ઇન ઇન્ડિયાઃ ક્રિટીકલ એસેઝ’ — એ બંને ભારતીય સમાજશાસ્ત્રને લગતાં તેમનાં અત્યંત મહત્ત્વનાં પુસ્તકો છે.

અંગ્રેજીમાં લખતા શાહસાહેબના કેટલાક લેખોના ગુજરાતી અનુવાદ વિવિધ અભ્યાસ સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમના એવા અનુદિત લેખોનું પહેલું ગુજરાતી પુસ્તક ગયા વર્ષના અંત ભાગમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું. તેનું નામ હતુ, ‘આપણો સમાજઃ સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં’.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 12

Loading

જરાક ખમો!

હિમાંશી શેલત|Opinion - Opinion|15 September 2020

તિર્યકી

લખીમપુર-ખીરી. પૂછશો નહીં ક્યાં આવ્યું. આપણા દેશમાં જ, ઉત્તરપ્રદેશ નામના ઉત્તમ પ્રદેશમાં, જ્યાં કાયદો-વ્યવસ્થા શ્રેષ્ઠ. એમાં જ તો એક મંદિરના નિર્માણ પ્રસંગે કહેવાયું, કે નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. સાંભળેલું એ બધું ? નવું ભારત, સર્વોત્તમ ભારત.

બસ, આ દિવ્ય અને ભવ્ય સ્થળે ત્રણ વર્ષની એક બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી. પ્રજા અહીંની ધર્મનિષ્ઠ. બાળકીનું શબ જોઈ તરત ને તરત આંખો બંધ કરી રામનામસ્મરણમાં ડૂબી જાય એવી. નેતા અહીંના સમર્થ રક્ષક. સહુને વહેંચે પ્રાર્થના-પુસ્તિકા. ક્યાંક રજતતુલા, અને ક્યાંક સુવર્ણતુલામાં તોલાય મહાન નેતાઓ. સહુ ભગવત્‌ તુલ્ય. હવે ભગવાન તો ત્રાજવામાં બેસે નહીં, એટલે પ્રતિનિધિઓ રવાના કરે પ્રજામાં. પ્રજા સમજું અને ધાર્મિક, સત્યપરાયણ અને પવિત્ર, એટલે પ્રતિનિધિઓ માટે પંડનાં પાથરણાં કરે. આટલા અદ્‌ભુત વાતાવરણમાં કોણ પ્રચાર કરે છે કે હિંસક વૃત્તિઓ આપણા સમાજમાં વધતી જાય છે? એમને દેખાતું નથી, કે જ્યારથી મંદિરનિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે, ત્યારથી સર્વત્ર અગરબત્તીની સુવાસ ફેલાતી રહે છે ? કોઈએ અગરબત્તી ન પેટાવી હોય તોપણ આ સુવાસ ફેલાય તે ચમત્કાર વિના શક્ય છે ? અરે, એટલું તો ઠીક, તમે હવામાં જ બધું સાંભળી શકશો, ભજન, ભક્તિસ્તોત્ર, નામજપન અને જયજયકાર. તમારામાં આસ્થા જોઈએ, ભક્તિભાવનો પ્રભાવ જોઈએ, તમારો દેશ સર્વોત્તમ છે, એવી દૃઢ માન્યતા જોઈએ. આવો દેશપ્રેમ હોય ત્યારે જ તો વિકાસ શક્ય છે. એમાં બાળકીઓ જરૂરી નથી અલબત્ત, એક અહિંસક અને ધર્મભાવના માટે મરી ફીટનારા દેશ તરીકે એક પણ બાળકીની ક્રૂરહત્યા થાય એ અયોગ્ય જ ગણાય છતાં એમનું પૃથ્વી પર હોવું અનિવાર્ય નથી. એ ન હોય તો કંઈ ફરક?

– તો મુદ્દો હતો ધાર્મિક સદ્‌ભાવનો, જે ભવ્ય મંદિરની રચના બાદ આકાર પામ્યો જ છે, એમાં બેમત નથી. અને આમ જુઓ તો રાક્ષસો રામરાજ્યમાં ક્યાં નહોતા ? એ હોય ત્યારે જ તો અધર્મની ખબર પડે, દુરાચારની વ્યાખ્યા મળે, દુષ્કર્મ એટલે શું, એની સમજ પડે. એ ન હોય તો પ્રભુને સંહારની તક ક્યાંથી મળવાની ? ધર્મની સ્થાપના માટે અધર્મનું હોવું આવશ્યક છે, જો ધર્મ સ્થપાયેલો જ હોય, તો સંતો, સદ્‌ગુરુઓ અને ધાર્મિક આગેવાનો કરશે શું ?

દેશમાં બાળકીઓ અને કન્યાઓને ભયાનક અન્યાય થઈ રહ્યો છે, અને એમની હયાતી જોખમમાં છે એમ લાગે છે તમને ? બનતું હશે ક્યાંક-ક્યાંક. ઉત્તરપ્રદેશ કુખ્યાત છે આ બાબતે એમ કહો છો ? તે જ્યાં ધર્મરાજ્યની સંભાવના હોય ત્યાં જ પહેલાં દુરાચાર હોયને? એનાથી અકળાઈને જ તો સદ્‌તત્ત્વો અનિષ્ટ પર વિજય મેળવવા તત્પર થશે. આ જે બનતું આવ્યું છે, ત્રણ વર્ષની કે છ વર્ષની, કે બાર વર્ષની બાળકીઓ સાથે, એ હજી વધારે બનશે. ક્રૂરતા અને દુરાચાર જ્યારે પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે જ એનો સંહાર શક્ય બનશે. આ અંગત અર્થઘટન નથી. જુઓ પ્રાચીન ઇતિહાસ. કાયમ એ પ્રમાણે જ થયું છે.

– અને હજી તો શાપ આપવાનો અભ્યાસક્રમ કોઈ વિદ્યાપીઠમાં દાખલ થયો નથી. એ હજી પ્રારંભની અવસ્થામાં છે અને એના માર્ગદર્શકોની શોધ સમસ્ત દેશમાં ચાલે છે. જોજો, એ પણ મળી આવશે. શાપ દેવાનો શાસ્ત્રીય તાલીમવર્ગ ચાલુ થશે, પછી સર્વ બાળકીઓનાં માતાપિતાને એ દિશામાં દીક્ષિત કરવામાં આવશે. ખર્ચ રાજ્ય સરકાર માથે લેશે. આટલું તો નક્કી થયું જ છે. બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર તમામને એનાં સ્વજનો શાપ આપી શકશે, કાયદેસર. એમાં દોષિતોને વિકલાંગ બનાવી શકાશે. એમનું રાખમાં રૂપાંતર થઈ શકશે અને એમને પશુપક્ષીમાં પણ પલટી શકાશે. શક્યતાઓનો સઘન અભ્યાસ ચાલુ છે. પાઠ્યપુસ્તકો તૈયાર થઈ રહ્યાં છે. પછી જોજો, કેવું કલ્યાણરાજ્ય આવે છે, તે!

જરાક ખમો …

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 16

Loading

ઉત્કૃષ્ટ પીડા

કિરણ પીયૂષ શાહ "કાજલ"|Opinion - Opinion|15 September 2020

આહ!
એક ચિત્કાર સાથે …
એ નીચે બેસી પડી …
બે હાથોમાં માથું પકડી ..
આંખોમાં ઝળહળિયાં ..
હોઠ ભીડી ..
દર્દને સહેવાની કોશિશ વચ્ચે …
હ્રદય પર સહ્ય બોજ સહેતી
પ્રસ્વેદથી તરબતર …
એ દર્દ ને પીડાની પરાકાષ્ઠાએ
આસપાસ નજર ફેંકી
પણ ..
ત્યાં તો હતું ..
તમાશબીન ટોળું
માણસાઈના મૃત્યુની વાત કહેતું .. 
જુગુપ્સા આશ્ચ ર્ય.. કે સવાલો લઈ આવેલું ..
હમદર્દી ઈન્સાનિયત
 કે અનુકંપા દયા કરુણા ભૂલાવી
ભૂખ્યા વરુઓની લાલસા લઈ
જીભ લબલબાવતું …
નહોર કાઢી ફાડી ખાવા તૈયાર …

નિસહાય લાચાર એ કળસતી રહી ..
શ્વાસના સંબંધ સુધી …
આંખોમાં આજીજી 
મદદની અપેક્ષા એ 
મોઢે ફીણ વળ્યાં.

અને
દમ તોડ્યો …
એ તમાશબીન સામે …
કદાચ ઉત્કૃષ્ટ દર્દ પીડાને નામે
તાળીઓ મળી જાય ….

**

e.mail : kiranpiyushshah@gmail.com

Loading

...102030...2,1742,1752,1762,177...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved