Opinion Magazine
Number of visits: 9573583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

किसान के लिए आज करो या मरो की नौबत है

कुमार प्रशांत|Opinion - Opinion|21 October 2020

भारत का किसान आज रास्ते पर है. पिछले दशकों में जो व्यवस्था चली उसने पूरे किसान वर्ग को हाशिए पर ला कर खड़ा कर दिया था. जिस देश में 65 प्रतिशत जनता किसानी द्वारा देश का पेट भर रही हो लेकिन देश की कमाई का उसे केवल 15-18 प्रतिशत ही मिलता हो उस देश में यह कोई आकस्मिक बात नहीं है. यह नीति वर्षों से चली आ रही है. कभी विकास के नाम पर, कभी उत्पादकता के नाम पर तो कभी बेहतर ज़िंदगी  के नाम पर यही नीति रही है कि किसान खेती करना छोड़े, उद्योगों के हाथ में जमीन और दूसरे संसाधन आयें और किसान मजदूर बने.

राज करने का अंग्रेज़ों का तरीक़ा ही भारतीय सरकारों ने अपनाया. लेकिन उसका एक फायदा यह है कि अंग्रेज सरकार से सफलता पूर्वक  लड़नेवाला एक आदमी हुआ और उसने बताया कि अन्याय के ख़िलाफ कमजोर से कमजोर आदमी भी कैसे सफलता से लड़ सकता है.

1918 में अहमदाबाद शहर के मिल मजदूर अपनी आय बढाने के लिए हडताल पर उतरे. मालिक और मजदूर के बीच की यह टकराहट या फिर सरकार और किसानों के बीच की चम्पारण की टकराहट किसी भी तरह आज की टकराहटों से भिन्न नहीं थी.

तब से आज में कुछ अगर भिन्न है  तो उससे निबट ने का गांधी का तरीका.  अपने  सत्याग्रहों में पहला काम गांधी करते थे सत्य की जांच करना. अहमदावाद के मिल कामगारों की मांग में सच्चाई पा कर ही गांधी उनके पक्ष में खड़े हुए. अगला कदम था जो सच है उस पर अडिग रहना. कुल 25 दिन चली अहमदावाद की लड़ाई के दौरान मिल मालिक कामगारों को लालच दे कर तोड़ रहे थे. ऐसे में गांधी जी ने अपने जीवन का पहला आमरण अनशन किया. तीन दिन चले इस उपवास का नतीजा यह हुआ कि मिल मालिक और मजदूर एक बन कर निकले. समाधान ऐसा निकला जिसकी कल्पना करना तब तक मुश्किल था. एक ऐसा समाधान जिसमें हर पक्ष विजयी महसूस करे.  मिल मालिकों ने मजदूरों की मांगें तब तक मान लीं जब तक निष्पक्ष कमीशन की जांच पूरी नहीं हो जाती. मजदूरों ने भी इस बात को माना कि यदि निष्पक्ष कमीशन कहे कि मज़दूरों को मिला मुआवज़ा ज़्यादा है तो वे  उतना पैसा लौटायेंगे जो कि ज्यादा माना जाएगा.

गांधी के सत्याग्रह के तरीक़े यह बताया कि हमारे हित आपस में टकराते हों यह जरूरी नहीं है. और अगर टकराते हों तब भी ऐसा समाधान निकालना समभाव है जिसमें सबका हित हो. जरूरत है तो सत्य के आग्रह की.

इसी प्रकाश में हम हमारे देश के किसानों की समस्या को देखें.

हमारे किसान की समस्या यह है कि उसे सही दाम नहीं मिलता. यदि उसे सही मुआवज़ा मिलने लगे तो अपनी समस्याओं के समाधान वे खुद ही खोज लेंगे. हमारा किसान अपने धर्म को भी समझता है कि वह किसी असीमित लूट का हिस्सा नहीं बन सकता, क्योंकि वह दुनिया के भूखे जीवों का पेट भरता है.

दूसरी तरफ सरकारें हैं. यदि हम यह मान भी लें कि सरकारें किसानो को मदद करना चाहती हैं, तो भी सच यह है कि पैसे छाप कर – दाम के रूप में, खरीद के रूप में या फिर सीधे पैसे किसान के अकाउंट में भेज देने के रूप में निकालने वाला समाधान टिक नहीं सकता और यह कोई सम्मान जनक उपाय भी नहीं. ऐसे में किसान हमेशा ही याचक और सरकार दाता कि भूमिका में रहेंगे.

और तीसरी तरफ उद्योग है जो किसान के उत्पाद को कम से कम भाव में कच्चे माल के रूप में ले कर अपनी रोजी -रोटी चलाना चाहता है.

भारत के पास सहूलियत यह है कि यदि लोगों को सम्मान जनक जीवन और रोजगार मिले तो उसे किसी बाहरी देश पर निर्भर रहने की जरूरत नहीं. देश की जनता ही भरपूर उत्पादन भी करे और उसका उपयोग भी.

किसान अपने-अपने राज्य की सहकारी संस्था (कोऑपरेटिव) बनायें तो पहल उनके हाथ में आ सकती है. सच्चाई से बनाए गए इस ढांचे में गरीब से गरीब किसान को फ़ायदा पहुंच सकता है. इससे सबसे ज़रूरी बात यह होगी कि किसान अपनी उपज का दाम खुद तय करेगा. सही या गलत, किसी न्यूनतम समर्थन मूल्य की जरूरत नहीं रह जाएगी. सरकार और उद्योग दोनों को किसान के तय किए हुए दामों पर खरीदना होगा. यदि उद्योग और जनता, किसान को उचित दाम दे दे तो किसानों को अपनी उपज सरकार को बेचने की मजबूरी नहीं रह जाएगी. सरकार को भी जरूरत से ज्यादा ख़रीदने की कोई मजबूरी नहीं रह जाती है.

अमूल ने गुजरात में कर दिखाया जब की उनका उत्पाद – दूध तो तुरंत खराब हो जानेवाला उत्पाद था. क्या किसान ऐसा कुछ कर सकते हैं? महाराष्ट्र में जरूर किसान सहकारी संस्थाओं से जुड़े हैं लेकिन यह संस्थाएं कर्ज देने के काम में भी हैं, जहां इतने सारे पैसे का मामला हो सच और ईमानदारी कोसों दूर रहती  है और राजनीति कुंडली मार के बैठती है. गांधी के रास्ते बने नए ढांचे को दलीय राजनीति में बंटने से भी बचाया जा सकता है.

सहकारी संस्था का काम यदि सिर्फ़ खरीद, बिक्री और फसल के दाम तक सीमित रखा भी जाय तो व्यवहारिक दिक़्क़त कहां हो सकती है यह भी सोचें. सबसे बड़ी समस्या तो एकता की है. अपने अस्तित्व के संकट की वजह से ही क्यों न हों किसान साथ आए हैं. लेकिन यदि आस पास के राज्य इस बदलाव में नहीं जुड़ते हैं तो एक राज्य के दाम और दूसरे राज्य के दाम में बहुत फर्क आ सकता है. उद्योग और ख़रीददार भी जहां सस्ता मिलेगा वहीं से लेगा. इसलिए भी यह ज़रूरी है कि किसानों की एकता बनी रहे. पंजाब, हरियाणा और राजस्थान के किसान यदि एक हो जाय, तो कई प्रकार की उपज के साथ यह प्रयोग सफलता से किया जा सकता है. गेहूं, धान, कपास, सरसों इत्यादि.

यदि उत्पादन बहुत ज़्यादा हो जाय तो निर्यात करना ज़रूरी हो जाएगा. ऐसे में दाम जब तक कम न हों निर्यात सम्भव नहीं. सामान्य परिस्थिति में कुल उपज का ज़्यादा से ज़्यादा २०-२५ प्रतिशत ही निर्यात होता है. घरेलू दाम और निर्यात के दाम का औसत ऐसा बने के किसान को घाटा न हो.

कभी ऐसा भी हो सकता है कि दुनिया के दाम इतने गिर जाय कि भारत में बाहर का उत्पाद आने लगे. ऐसे में यह सरकार की नैतिक ज़िम्मेवारी है कि वे बाहर से आने वाले सस्ते सामान पर कर लागू करे. जब कभी देश में फसल खराब हो जाय तो आयात की छूट भी दे. आयात और निर्यात करने के काम में भी किसी प्रकार की सरकारी दख़ल की जरूरत नहीं रहेगी क्योंकि यह काम सहकारी संस्थाएं खुद ही सम्भाल लेंगीं.

यह भी ज़रूरी भी नहीं कि उपज का दाम हर साल बढ़ाया ही जाय, यदि किसानी में होने वाले खर्च नियंत्रित किया जाय तो भी मुनाफा बढ़ सकता है, सही माइने में ज़मीन की उर्वरता बचाते हुए वैज्ञानिक खोज से उत्पादकता बढाई जाय तो भी दाम बढाने की जरूरत नहीं रह जाएगी. जमीन की उर्वरता और अवैज्ञानिक बाज़ारू तकनीक का सबसे बड़ा भुक्तभोगी पंजाब और हरियाणा का किसान रहा है. इस सबके बावजूद कभी यह तो सम्भव हो ही सकता है कि घाटा हो, तो उस साल किसान को सम्भाल लेने की क्षमता संस्था अपने में विकसित करे यह न्यायप्रद है.

गांधी सी सच बोलने की हिम्मत, सच्चाई पर अड़े रहने की ज़िद और किसी भी सूरत में एकता बनाए रखने के संकल्प से ही न्यायपूर्ण समाधान संभव है. एक ऐसा समाधान जिससे हर पक्ष विजयी महसूस करे. परिस्थिति फिर मांग कर रही है  – करो या मरो!! 

e.mail : k.prashantji@gmail.com

Loading

સંયુક્ત રાષ્ટ્ર સંઘ : પોણી સદીના વળાંકે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 October 2020

પોણી સદી વટાવી રહેલી વિશ્વ સંસ્થા ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ની હયાતી પર જ ખતરો ઊભો થયાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં મળેલી યુ.નો.ની જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોએ ‘યુનો’ની પ્રાસંગિકતા પર સવાલો ઉઠાવી, તેણે નવા પડકારોને અનુરૂપ પરિવર્તનો કરવા પડશે, તેમ જે જણાવ્યું તેને કારણે આ વિશ્વ સંસ્થાની કામગીરી ચર્ચામાં આવી છે.

બીજા વિશ્વ યુદ્ધની ભયંકર વિભીષિકાથી ત્રસ્ત વિશ્વમાં ૨૪મી ઓકટોબર ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રોની પહેલથી રચાયેલી આ વિશ્વ સંસ્થાનો, ‘શાશ્વત શાંતિ જ હવે સહુને ખપે છે અને એ સર્જવા વિશ્વના અમે સૌ પ્રજાજનો કટિબદ્ધ છીએ’, એવી ઘોષણા સાથે આરંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય કાનૂનને સગવડભર્યા બનાવવામાં સહયોગ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ ઉદ્દેશ છે. આરંભે માત્ર ૫૦ જ દેશો તેના સભ્યો હતા આજે ૧૯૩ દેશો સભ્ય છે. આ એક જ બાબત આ વિશ્વ સંસ્થાની જરૂરિયાત અને અનિવાર્યતા દર્શાવે છે.

યુ.નો.ની પંચોતેર વરસની કામગીરીનું સરવૈયુ માંડીએ તો ઘણી નિરાશા હાથ લાગે. પણ તેની મહત્ત્વની સિદ્ધિ એ છે કે દુનિયામાં નાના-મોટા યુદ્ધો, ગૃહ યુદ્ધો, હિંસા અને આતંક છતાં કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ થયું નથી. સતત યુદ્ધગ્રસ્ત રહેતા વિશ્વને ત્રીજા યુદ્ધના સકંજાથી મુક્ત રાખવું એ કામગીરી નાનીસૂની નથી. આણ્વિક યુદ્ધનો ખતરો દૂર કરી નિ:શસ્ત્રીકરણ સ્થાપવું એ યુ.નો.નું પ્રમુખ કર્તવ્ય છે, જેમાં એને ઝાઝી સફળતા મળી નથી. વધુને વધુ ભયંકર શસ્ત્રોનો ખડકલો વિશ્વમાં થતો રહ્યો છે. વિશ્વના સંરક્ષણ બજેટો વધી રહ્યા છે. શાંતિ, નિશસ્ત્રીકરણ, વિશ્વ બંધુત્વની ભાવના પ્રસરાવવામાં તે સફળ થયું નથી. તો મોટા ફલકના યુદ્ધો નિવારી પણ શકાયા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખટપટ અને કાવાદાવાનું ધામ બની ગયું છે અને સમૃદ્ધ રાષ્ટ્રોનો તેના પર અંકુશ છે તે આલોચના સ્વીકારીને પણ કહી શકાય કે શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય જેવી બિનરાજકીય પ્રવ્રુતિઓમાં તેણે મોટી સિદ્ધિઓ મેળવી છે. ૨૦૨૦નું શાંતિનું નોબેલ યુ.નો.ની જ સંસ્થા વર્લડ ફૂડ પ્રોગ્રામને મળ્યું છે. દુનિયાને ભૂખમરામુક્ત કરવાના યુ.નો.ના પ્રયત્નમાં તેને શાંતિના નોબેલની નવાજેશ થાય, તે તેના પંચોતેરમા વરસની ઉજવણીની મોટી વધામણી છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચે ભારે અસમાનતા પ્રવર્તે છે. થોડા દેશો બહુ સમૃદ્ધ છે તો ઘણા દેશો અતિ ગરીબ છે. ગરીબી, બેકારી, કુદરતી અને માનવસર્જિત આફતોના સતત ભોગ બનતા ગરીબ દેશો માટે યુ.નો.ની સભ્ય ફી ભરવી તો ઠીક અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ છે. ‘સહિતો’ અને ‘રહિતો’ કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર મિટાવવું અને દરેક સભ્ય દેશોને સમાન બનાવવા તે મોટો પડકાર છે.

પંચોતેર વરસ પૂર્વેની રચનાકાળની સ્થિતિ અને પડકારો પણ હવે બદલાયા છે. જો કે તેને અનુરૂપ ફેરફારો ‘યુ.નો.’ની કામગીરી અને નિર્ણય પ્રક્રિયામાં થતા નથી તેવી વાજબી ફરિયાદ ભારત સહિતના સભ્ય દેશોએ આ વરસના વાર્ષિક અધિવેશનમાં કરી છે. ‘યુ.નો.’માં સમૃદ્ધ રાષ્ટ્રોની જોહુકમી અને સત્તાઓ કઠે એવાં છે. સલામતી સમિતિમાં એવો નિયમ છે કે તેના પાંચ કાયમી સભ્યો, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનની,  સર્વસંમતિથી જ કોઈ નિર્ણય લઈ શકાય છે. કોઈ નિર્ણય અંગે પાંચમાંથી એક પણ દેશ સંમત ન હોય તે પોતાની અસંમતિ માટે વીટો કહેતાં નિષેધાધિકારનો ઉપયોગ કરી શકે છે. આ સત્તાને લીધે આ પાંચ કાયમી દેશો જ નિર્ણયો પર હાવી રહે છે. તેમની આડોડાઈને લીધે સલામતી અને વિશ્વશાંતિનું સ્વપ્ન સાકાર થઈ શકતું નથી. છેલ્લી પોણી સદીમાં સમૃદ્ધ દેશોની વ્યાખ્યા અને સ્થિતિ બદલાઈ છે. જ્યારે માત્ર ૫૦ જ દેશો સભ્ય હતા ત્યારે પણ વીટો સત્તા પાંચ દેશોને હોય અને આજે ૧૯૩ દેશો સભ્યો છે ત્યારે પણ પાંચ જ દેશો વીટો પાવર ધરાવતા હોય તે સ્થિતિ અકળાવનારી છે. ભારતની વરસોથી માંગ રહી છે કે સલામતી સમિતિનું કાયમી સભ્યપદ તેને મળે પણ હજુ તે માંગ સ્વીકારાતી નથી.

ભારત આરંભથી જ યુ.નો.માં જોડાયેલું છે. વર્સેલ્સ-કરાર પર હસ્તાક્ષર કરીને ભારતે યુ.નો.નું સ્થાપક સભ્યપદ મેળવ્યું હતું. ૧૯૪૫ની સાનફ્રાન્સિસ્કો સભામાં ઉપસ્થિત રહી, સ્થાપક સભ્યની હેસિયતથી તેણે યુ.નો.ના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને મજબૂત લોકતંત્ર ધરાવતો ભારત દેશ ક્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદની પ્રતીક્ષા કર્યા કરશે ? એવો સવાલ પ્રધાન મંત્રીએ આ વરસની જનરલ એસેમ્બલી સમક્ષ  ઉઠાવ્યો છે.

જનરલ એસેમ્બલીમાં અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો પણ જોવા મળ્યા કોરોના મહામારીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા પક્ષપાતી અને અકર્મણ્યતાની હોવાની પણ રાવ ઊઠી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના મહામારીને ફેલાતી રોકવામાં કે તેની સમયસર જાણ ન કરવામાં ચીનની બેદરકારીને અવગણી છે તેવી ફરિયાદ કરીને અમેરિકાએ ‘હુ’ના ફંડમાં કાપ મૂકવા સુધીના પગલાં લીધાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવે તમામ સભ્ય રાષ્ટ્રોને મહામારીના કાળમાં સ્વાર્થથી મુક્ત થવા, લોકરંજની અને રાષ્ટ્રવાદમાં મહામારીને ન ખેંચી જવાનું આહ્વાન કરતાં અનુરોધ કર્યો છે કે આગામી સો દિવસ તમામ સભ્ય દેશો આપસી મતભેદો, વિવાદો, ટકરાવો ભૂલીને કોરોના વાઈરસ અને તેને કારણે સર્જાયેલ સમસ્યાઓને ઉકેલવામાં ગાળે.

કોરોનાકાળના સંયુક્ત રાષ્ટ્ર સંઘના પંચોતેરમા વરસે વિશ્વ એક એવા વળાંકે આવીને ઊભું છે કે તેણે મહામારીને નાથવા વિશ્વસ્તરના સહિયારા અને સામટા પ્રયાસો કરવાની જરૂર છે. સરહદ અને સંસાધનોની માલિકીના વિવાદો  કરતાં માનવજાતના અસ્તિત્વને બચાવવાની આજે તાતી જરૂર છે. આપણી પાસે ‘યુ.નો.’ જેવી એક વિશ્વ સંસ્થા છે તેની આમન્યા અને આણ સ્વીકારીને મહામારીનો સહિયારો મુકાબલો કરીએ તે જ યુ.નો.ની પંચોતેરીની સાર્થક ઉજવણી ગણાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ટી.આર.પી. : ઇસ ફ્રૉડકે સભી લાભાર્થી હૈં

રવીશ કુમાર|Opinion - Opinion|20 October 2020

યે સિસ્ટમ હી ફ્રૉડ હૈ. ઔર ઈસ ફ્રૉડકે સભી લાભાર્થી રહે હૈ. રેટિંગ ફ્રોડ સિર્ફ એક તરીકે સે નહીં કિયા જાતા હૈ. યહ કામ સિર્ફ અકેલે ચૈનલ નહીં કરતા હૈ. બલ્કિ ઈસ ખેલમેં સત્તા ભી મદદ કરતી હૈ. મુંબઈ પુલીસકી કારવાઈસે મુઝે કુછ નયા જાનનેકો નહીં મિલા. યહ સારી બાતેં હમ કાનોસુની જાનતે હૈ. અર્ણબ ગોસ્વામીકા નામ આતે હી બાકી ગોદી મીડિયા ઐસે એકજૂટ હો ગયા, જૈસે ઉનકે યહાં પત્રકારિતા હોતી હો. અર્ણબકે ચૈનલ પર એફ.આઇ.આર. સે ઉછનલેવાલે ચૈનલ ભી કમ ગોદી મીડિયા ઔર ગંધ નહીં હૈ. આજકી તારીખમેં જ્યાદાતર ચૈનલ રિપબ્લિક હો ચુકે હૈ ઔર ભી રિપબ્લિક હોના ચાહતે હૈં. આપ જરા સા યાદ કરેં કિ ઉન ચૈનલો પર ક્યા દિખાયા જાતા રહા હૈ. તો સમજનેમેં દેર નહીં લગેગી. ઈન ગંધ ચૈનલોંકો એક મહાગંધ ચૈનલોને માત દે દી હૈ. ઈસ લિયે વે અર્ણબ પર ટૂટ પડે હૈ, જબ કિ હૈ સબ એક ગોદી મીડિયા. આપ ઈસ ખેલ મેં મજા લેને સે બચીએ.

ટી.આર.પી.કા ફ્રૉડ કઈ તરીકેસે હોતા હૈ. આપને જાના કિ જિન ઘરોંમેં ટી.આર.પી.કા મીટર લગા થા વહાં પૈસે દિએ જાતે થે, તાકિ વે કથિત રુપસે રિપબ્લિક ચૈનલ ચલતા હુઆ છોડ દેં — દેખેં યા ન દેખેં. યહાં પર મુંબઈ પુલીસ ઔર ‘બાર્ક’કો બતાના ચાહિએ કિ અર્ણબ કે ચૈનલકી રેટિંગ મુંબઈસે કિતની મિલતી હૈ? ક્યા એસા દૂસરે શહરોંમેં ભી હોતા થા? અકેલે મુંબઈકી રેટિંગકો માઇનસ કર દેનેસે ઉન શહરોંમેં ક્યા અર્ણબકી રેટિંગ કમ હુઆ કરતી થી? ટી.આર.પી.કી દુકાન ચલાનેવાલી સંસ્થા ‘બાર્ક’કો કુછ ઔર તથ્ય સામને રખને ચાહિયે.

ટી.આર.પી.કા એક ફ્રોડ યહ ભી હોતા હૈ કિ આપ મીટર કિન ઘરોં યા ઈલાકેમેં લગાતે હૈ. માન લેં આપ કિસી કટ્ટર સમર્થકકે ઘર મીટર લગા દેં. આપ ઉસે પૈસા દેં યા ન દેં, વો દેખેગા વહીં ચૈનલ જિન પર સાંપ્રદાયિક પ્રસારણ હોતા હૈ. આજકલ કિસી વ્યક્તિકી સામાજિક પ્રોફાઇલ જાનનેમેં દો મિનિટ લગતા હૈ. ક્યા યહ મીટર દલિત, આદિવાસી ઔર મુસ્લિમ ઘરોંમેં લગે હૈં? ક્યા યે સિર્ફ ભા.જ.પા. સમર્થકોંકે ઘર લગે હૈં? હમ કૈસે માન લેં કિ ટી.આર.પી.કા મીટર સિર્ફ એક સામાન્ય દર્શકકે ઘર મેં લગા હૈ સવાલ યે કીજિએ.

રેટિંગકા ફ્રોડ કેબલસે હોતા હૈ. માન લીજિએ મુંબઈકી ધારાવીમેં ૨૦૦ મીટર લગે હૈં. વહાંકા કેબલવાલા ‘પ્રાઇમ ટાઇમ’ નહીં દિખાએગા, તો શો કી રેટિંગ કમ હોગી. યૂ.પી.કે સબસે બડે કેબલવાલેસે કહા જાએગા કિ એન.ડી. ટી.વી. નૌ બજે બંધ કર દો. તો ચૈનલકી રેટિંગ ઝીરો હો જાએગી. ઈસ ખેલ મેં પ્રશાસન ભી શામિલ હોતા હૈ ઔર કેબલવાલે ભી. હર ઘરમેં મીટર નહીં હોતા હૈ. જિન ઘરોંમેં મીટર નહીં હોતા હૈ ઉન ઘરોંમેં દર્શક દિનભર એન.ડી. ટી.વી. ઈન્ડિયા દેખે તો ભી રેટિંગ નહીં આએગી. શાયદ પૂરે દેશમેં પચાસ હજાર સે ભી કમ મીટર હૈ. બાર્ક’ સે આપ સહી સંખ્યા પૂછ સકતે હૈ. યહ ભી એક ફ્રોડ હૈ.

રાતોંરાત ચૈનલકો કિસી દૂસરે નંબર પર શિફ્ટ કર દિયા જાતા હૈ. આપકો પતા નહીં ચલેગા કિ ચૈનલ કહાં ગયા. કભી વીડિયો, તો કભી આવાજ નહીં આએગી. મેરે કેસમેં ઈસ રાજનીતિક દબાવકા નામ તકનિકી ખરાબી હૈ. બિઝનેસકા લોચા હૈ ! સમઝેં. જબ આપ કેબલ ઓન કરેંગે તો તીસ સેકંડ તક રિપબ્લિક હી દિખેગા યા ઈસ તરહકા કોઈ ઔર ચૈનલ. હોટલોમેં ભી કિસી ચૈનલકો ફિક્સ કિયા જાતા હૈ.

ઈસ ખેલમેં કઈ ચૈનલ હોતે હૈ. ઈસ લિએ અર્ણબ પર સબ હમલા કર રહે હૈ, તાકિ ઉનકા ખેલ ચલતા રહે. નયા ખિલાડી ચલા જાએ. ટી.આર.પી. મીટરકા સિસ્ટમ આજ ખરાબ નહીં હુઆ. ઈસ મસલેકો હડબડમેં ન સમઝે. એસા ન હો કિ ટી.આર.પી. કરાનેવાલી સંસ્થા ’બાર્ક” અપની સાખ બઢા લે કિ ઉસીને ચોરી પકડી ઔર પુલિસને કારવાઈ કી. ઈસ સિસ્ટમ મેં બહુત કમિયાં હૈ. ઈસ ભ્રમમેં ન રહેં કિ મીડિયામેં સબ ટી.આર.પી. કે અનાવશ્યક બોઝકે કારણ હૌતા હૈ, કુછ આવશ્યક દબાવ કે કારણ ભી હોતા હૈ.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 09

Loading

...102030...2,1202,1212,1222,123...2,1302,1402,150...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved