‘ગૃહિણી દિને’
મને સપનું આવ્યું કે સ્વાયત્ત નારીવાદી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ!
એક દાદીઅમ્મા, ગૃહિણી અને લેખિકાની ગુજરાતથી પહેલ થાય એવી આશા પૂરી થશે ?
— બકુલા ઘાસવાલા
હું ગૃહિણી :
વર્ષોથી કહેવાતું આવ્યું છે કે
गृहिणी गृहम्युचते।।
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની
કર્તવ્યયાત્રા પર
સપ્તપદીનાં વચનોની ભૂલભુલામણીમાં
કયાં ખોવાઈ જવાયું
તેનો અહેસાસ જ ન રહ્યો!
ગયાં વર્ષો, રહ્યાં વર્ષોની
એ દડમજલમાં
પત્ની, મા, ભાભી, કાકી, મામી, દાદી અને
બીજી પણ કંઈકેટલી ભૂમિકાની
વૈતરણી પાર જ કયાં થઈ?
કોઈકે કહ્યું કે
આજનો દિવસ: ત્રણ નવેમ્બર
House Wife Day છે!
ગૃહિણીનાં પ્રદાનની કદરદાનીનો દિન!
ગૃહિણી દિન કે ગૃહિણી દીન?
એ દીનતા મટે ક્યારે?
જીવનભર એણે ભરેલાં
હજારો પાણીનાં બેડાં
વણેલી લાખો રોટલીઓ
ને ઘડેલા અગણિત રોટલા!
દિવસમાં બે વાર વાળેલાં વાસીદાં ને
કરેલી બાળકો, ઘરડાંવરડાં ને માંદાની માવજત!
જેવાં
અઢળક કામની ગણના થાય
ઘરકામનું મળે જો વેતન!
સાથે
પતિ પરમેશ્વર અને દેવનાં દીધેલાં બની રહેજો ‘ગૃહસ્થ’!
![]()



જ્યારે આપણી લોકશાહી આ ચૂંટણીમાં બૅલૅટ પર નિર્ભર હતી, અમૅરિકાનો આત્મા દાવ પર હતો ને આખું વિશ્વ જોતું હતું, તમે અમૅરિકા માટે નવો દિવસ ઊગાડ્યો.
સાથીઓ, રાષ્ટ્રના લોકો બોલ્યા છે. એમણે અમને સ્પષ્ટ વિજચ, વિશ્વાસપ્રદ વિજય અપાવ્યો છે. આપણને, આપણને એટલે કે અમૅરિકાના લોકોને વિજય અપાવ્યો છે. રાષ્ટ્રના ઇતિહાસમાં રાષ્ટ્રપ્રમુખના પદ માટે પ્રથમ વખત સૌથી વધુ મતથી અમે જીત્યાં છીએ. ૭૪ મિલિયન.
દિવાળી પછી કોલેજો શરૂ કરવાનો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) આપ્યો છે. 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોલેજો શરૂ કરવાની વાત છે. આમ તો આ ફતવો છે. 50 ટકા વિદ્યાર્થીઓ એટલે કયા ને કેવા વિદ્યાર્થીઓ એ અંગે સ્પષ્ટતા નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાંની વાત એમાં છે તે નક્કી છે. એ હિસાબે એક બેંચ પર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર એટલું અભિપ્રેત છે. 6 ફૂટનું અંતર જાળવવા તો પાછલી બેંચને પણ ખાલી છોડવી પડે. આ ઉપરાંત સ્કેનિંગ, ટેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક વગેરેની તકેદારી પણ રાખવાની રહે. આ પાછું એક દિવસનું કામ નથી, રોજની સાવચેતી રાખવાની રહે જ છે. ક્લાસમાં તો નહીં જ, કોલેજ પરિસરમાં પણ વિદ્યાર્થીઓ ટોળે ન વળે એ પણ જોવાનું રહે. આદર્શ તરીકે આ સારું જણાય, પણ તે વ્યવહારુ કેટલું તે વિચારવાનું રહે. જાહેરમાં પણ કેટલું પળાય છે તે સૌ જાણે છે. રોગનું જોર નરમ પડે એવું હોય ત્યારે એક પણ પગલું એવું ન ભરાવું જોઈએ જે જોખમ વધારે.