Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત સરકારની સ્વાસ્થ્યનીતિ

રમેશ બી. શાહ|Opinion - Opinion|29 May 2021

ગુજરાતની સરકારના સ્વાસ્થ્યસેવાઓના પ્રધાન અને ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે ૩ માર્ચ, ૨૦૨૧માં દાવો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં દરદીઓને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. પણ ગુજરાતમાં સ્વાસ્થ્યસેવાઓના ઝડપી વધારાને કારણે એવી સ્થિતિ  આવી નથી. આ દાવો વધારે પડતો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા કોરોનામાં બીજા દોરમાં ગુજરાતમાં કોરોનાના દરદીઓને હૉસ્પિટલમાં પથારીઓ મળી ન હતી. જીવનરક્ષક ઔષધિ મળી ન હતી, ઑક્સિજન પૂરો પાડવાનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ઊભો થયો હતો. સમાજના અગ્રવર્ગો પણ આરોગ્યસેવાઓ મેળવી શક્યા ન હતા. સ્વાસ્થ્યસેવાઓનું માળખું એવું નથી કે એમાં સામાન્ય સુધારા કરવાથી તેને જરૂરિયાત પ્રમાણે સુધારી શકાય.

સરકારી હૉસ્પિટલોમાં પથારીઓની બાબતમાં ભારતનાં રાજ્યોમાં ગુજરાત બદતર સ્થિતિમાં છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં એક લાખની વસ્તીએ ૧૩૮ પથારીઓ છે, પણ ગુજરાતમાં એ સંખ્યા ૧૦૦ કરતાં ઓછી છે. ગુજરાત કરતાં સામાજિક અને આર્થિક રીતે પછાત  રાજ્યો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એ સંખ્યા અનુક્રમે ૧૨૩ અને ૧૩૦ છે.

ગુજરાતમાં આ ઊણપ ઓછી કરવાને બદલે સ્વાસ્થ્યસેવાઓ પાછળના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૨૧-૨૨ બજેટમાં  ફાળવવામાં રૂપિયા ૯૧૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા પણ ૨૦૨૧-૨૨ના વર્ષમાં સ્વાસ્થ્યસેવાઓ પાછળ ૮૫૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જે માથા દીઠ રૂપિયા ૧૫૦થી ઓછા થાય છે. એની સરખામણીમાં બિહાર જેવા પછાત રાજ્યમાં વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. ગુજરાતના સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ માટેના ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂપિયા ૧૧,૩૨૩ કરોડ આવ્યા હતા. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં તેની રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા ખર્ચવામાં આવ્યા હતાં. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્યસેવાઓ પાછળ રોજના માથા દીઠ રૂપિયા પાંચ કરતાં ઓછું ખર્ચ કરે છે. ગુજરાતમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં સ્વાસ્થ્યસેવા માટેનું ખર્ચ ૫.૩૪ ટકા હતું. તે ૨૦૨૧-૨૨માં ૪.૮ ટકા થયું. આદર્શ એવો રજૂ કરવામાં આવે છે કે અંદાજપત્રમાં ૮ ટકા જેટલું ખર્ચ સ્વાસ્થ્યસેવાઓ પાછળ કરવું જોઈએ.

ગુજરાતમાં ૧૯૯૧માં દેશમાં અપનાવવામાં આવેલી ઉદારીકરણની નીતિની સાથે સ્વાસ્થ્યસેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેને કારણે તે દેશનાં ‘બિમારુ’ રાજ્યોની હરોળમાં આવી ગયું છે, પણ ઉદારીકરણ માટેનું સૌથી અયોગ્ય ક્ષેત્ર સ્વાસ્થ્ય-સેવાઓ છે.

ઍલોપથી પર આધારિત આધુનિક તબીબીશાસ્ત્રે ચમત્કારો સર્જ્યા છે. પણ તે સાથે તે અત્યંત ખર્ચાળ થઈ ગયું છે. માત્ર તબીબીશાસ્ત્ર નહીં પણ એની સાથે સંકળાયેલો દવાઉદ્યોગ પણ અત્યંત મોંઘો થઈ ગયો છે. દવાઉદ્યોગમાં સંશોધન માટે ઘણું ખર્ચ કરવામાં આવે છે તે સાચું, પણ તેને આધાર બનાવીને ઘણાં વર્ષો સુધી ઉત્પાદનખર્ચની તુલનામાં ભારે કિંમત વસૂલ કરવામાં આવે છે. બીજી બાજુ ખાનગી હૉસ્પિટલો ફાઇવસ્ટાર હોટલ જેટલી સગવડો દરદીને આપે છે. પણ તેની કિંમત વસૂલ કરવામાં આવે છે. દરદીઓના હિતના નામે તબીબી શિક્ષણને બહુ લાંબું અને ખર્ચાળ કરવામાં આવ્યું છે. એના કારણે ડૉક્ટર થનાર મોટી આવકની અપેક્ષા રાખતો થઈ જાય છે. ટૂંકમાં, આધુનિક તબીબી સારવાર સાથે સંકળાયેલાં બધાં જ પરિબળો એને અત્યંત વૈભવી બનાવે છે.

આને કારણે અમેરિકા અને યુરોપ જેવા સમૃદ્ધ દેશોમાં પણ સામાન્ય કુટુંબને પરવડે એ કિંમતે આરોગ્યસેવાઓ પ્રાપ્ત થાય તે દિશામાં ગોઠવણો કરવામાં આવી છે. દા.ત. ઇંગ્લૅન્ડમાં સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય દ્વારા મફત પૂરી પાડવામાં આવે છે. યુરોપના કેટલાક અન્ય દેશોમાં પણ સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય પૂરી પાડે છે. અમેરિકા જેવા સંપૂર્ણપણે ખાનગી સાહસને વરેલા દેશમાં તબીબી સારવાર ખાનગી રાખવામાં આવી છે. પણ તબીબી વીમાપ્રથા દ્વારા તેને સામાન્ય કુટુંબને પરવડે એવો ઘાટ આપવામાં આવ્યો છે. આખરે તો વીમાની પ્રથામાં તબીબી સારવારનો બોજો દરદીઓ ઉપર પડે છે, આ મૉડલ સફળ થયું નથી. તબીબી સારવારનું ખર્ચ વધતાં તબીબી-સારવાર મોંઘી થાય છે અને તે સાથે મેડિક્લેમનાં પ્રીમિયમ વધતાં જાય છે. તેથી ઘણાં કુટુંબો મેડિક્લેમનો લાભ લઈ શકતાં નથી. પણ અમેરિકાએ એવી નીતિ સ્વીકારી છે કે જે લોકો તબીબી સારવાર પોતાનાં ખર્ચે લઈ શકે તેમ ના હોય તેમને રાજ્ય દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં, નાણાંના અભાવે કોઈ કુટુંબ સ્વાસ્થ્યસેવાથી વંચિત રહેતું નથી.

આ સંદર્ભમાં આપણે ગુજરાત જેવા દેશના સમૃદ્ધ રાજ્યની સ્વાસ્થ્યસેવા માટેની નીતિને તપાસવી જોઈએ. ગુજરાતમાં કૉર્પોરેટ હૉસ્પિટલોને ભારે ઉત્તેજન આપવામાં આવ્યું છે. આ હૉસ્પિટલો અત્યંત ખર્ચાળ છે. તેમાં સારવાર લેવાનું સામાન્ય માણસના ગજાબહારનું છે. કોરોનાના બીજા મોજામાં અસંખ્ય લોકોને આ ખાનગી હૉસ્પિટલો કેટલી વૈભવી છે, તેનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. કોરોનાના દરદીઓને લાખોનાં બીલ ચૂકવવાનાં થયાં હોય તેવા ઘણાં પ્રસંગો બન્યા છે. માણસ પોતાનો જીવ બચાવવા માટે પોતાના ગજાબહારનું દેવું પણ કરે. પણ રાજ્યે જોવું જોઈએ કે સામાન્ય માણસ પણ તબીબી સારવારથી વંચિત ના રહે.

નોંધ : બિમારુ રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ભારતીય અર્થશાસ્ત્રીઓની ચર્ચામાં આ એક સ્થાપિત શબ્દપ્રયોગ થયો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 02

Loading

સંવાદ

કવયિત્રી : તસલીમા નસરીન • લિપ્યંતર/ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|29 May 2021

“જા, છોકરી,”
એ બોલ્યા, “મન પર ના લઈશ”,
કહે, “નીચે ઊતર”,
કહે, “બોલવાનું બંધ કર”,
એ બોલ્યા, “મોં બંધ રાખ”,
કહે, “માથું નમાવ”,
કહે, “રડ્યા કર,
આંસુ વહેવા દે”,
કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?
તારે ખડા થવું જોઈએ
બિલકુલ ટટ્ટાર
પીઠ સીધી રાખી
માથું ઊંચું રાખી
તારે બોલવું જોઈએ
તારી મરજી વ્યક્ત કરવી જોઈએ
મોટા અવાજે
બૂમ પાડીને
એટલી જોરથી બૂમ પાડીને
કે એ લોકો આડ શોધે
એ લોકો કહેશે, “તું બેશરમ છે”,
એ શબ્દોને હસી કાઢજે
તો કહેશે, “તું ચરિત્રહીન છે”,
એ સાંભળીને ઓર જોરથી હસજે
તારું હાસ્ય સાંભળી એ ઘાંટો પાડશે,
“તું વેશ્યા છે”.
એ સાંભળી તારે કેડે હાથ દઈ
મક્કમ ઊભા રહી કહેજે,
“હા, હું વેશ્યા છું”.
એ લોકો સ્તબ્ધ થઈ જશે,
તાકી રહેશે અવિશ્વાસમાં
તારા મોઢે વધુ, ઘણું બધું
સાંભળવાની તાકમાં.
એમનામાંના પુરુષો લાલ થઈ પરસેવે રેબઝેબ થશે,
એમનામાંની સ્ત્રીઓ તારા જેવી વેશ્યા બનવા ઝંખશે.

~

“You go, girl”,
They said, “Take it easy”,
Said “Come down”,
Said, “Stop talking”,
Said, “Shut up”,
They said, “Sit down”,
Said, “Bow your head”,
Said, “Keep on crying,
Let the tears roll”,
What should you do in response?
You should stand up now
Stand right up
Hold your back straight
Hold your head high
You should speak
Speak your mind
Speak it loudly
Scream
You must scream so loud
That they must run for cover.
They will say, “You are shameless”,
When you hear that just laugh.
They will say, “You have a loose character”,
When you hear that,
Just laugh louder.
They will say, “You are rotten”,
So just laugh, laugh louder.
Hearing you laugh they will shout
“You are a whore”,
When they say that,
Just put your hands on your hips
Stand firm and say, “Yes,
Yes, I am a whore”.
They will be shocked,
They will stare in disbelief,
They will wait for you to say more, much more.
The men amongst them will turn red and sweat,
The women amongst them will dream to be a whore like you.

સ્રોત: KLF International Poetry Festival 2021 (https://www.youtube.com/user/DCBooksonline)

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૦૭ની રાષ્ટ્રીય કૃષિનીતિ ભલે ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત્‌ સ્ત્રી-પુરુષ સૌને ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલ્લિંગ શબ્દ ખેડૂતનો અર્થ, ‘ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી’ જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને ‘જે ખેતરનો માલિક કે પ્રબંધક છે’ તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે, તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય કૃષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ કૃષિકાયદા વિરુદ્ધના વર્તમાન કિસાન-આંદોલનમાં મહિલા-કિસાનો બરાબરની ભાગીદાર છે, પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ઇતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા, ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠાં કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમબળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતનાં ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીનાં કામો કરે છે. યુવાન જ નહીં, તમામ ઉમરની મહિલાઓ ખેતીનાં કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વૃદ્ધાઓ ખેતીનું કામ કરે છે. 

દેશમાં ખેડથી ખળા અને બીથી બજાર સુધીનાં ૭૫થી ૮૦ ટકા ખેતીનાં કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં. ખેતીકામની સહાયક કે કામદાર ગણાય છે. એટલું જ નહીં, આપણાં ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે એવાં નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાનાં કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે, પણ મહિલાઓનાં નીંદામણ-ગોડામણનાં કૃષિકામોમાં કોઈ યંત્રો શોધાયાં નથી એટલે તેની શારીરિક મહેનત યથાવત્‌ રહી છે.

વધુ શારીરિક શ્રમનાં ખેતીકામો પણ મહિલાઓને જ કરવાં પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરનાં ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગૃહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતાં કુટુંબોનું નેતૃત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નૅશનલ સેમ્પલ ઑર્ગેનાઇઝેશન’નો સર્વે જણાવે છે, તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઑક્સફામ ઇન્ડિયા’ના ‘સન ઓફ ધ સૉઇલ’ સર્વેનું છે. ટૂંકમાં, ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી, આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે.

નૅશનલ પૉલિસી ફોર ફાર્મર્સ – ૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઇન્કાર કરે છે. ધર્મ, જાતિ, પરંપરા, સંસ્કૃતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવાં કારણો મહિલાઓને જમીન-માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેક્ટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેક્ટર જમીન જ છે. ૩૦.૯૯ લાખ મહિલાઓ ૨ હેક્ટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેક્ટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા-કિસાનો સરેરાશ ૦.૬૮ હેક્ટર અને આદિવાસી મહિલા-કિસાનો સરેરાશ ૧.૨૩ હેક્ટર જમીનની માલિકી ધરાવે છે.  

ભારતમાં કૃષિસંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીનમાલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી કૃષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં ૧૧ ટકા (૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા (૧.૭૬ કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા (૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે. મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતીયોગ્ય નથી. જેમ કે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી ૧૦.૩૯ ટકા જ ખેતી યોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે, ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે. ૨૦૨૦નો સર્વે દેશનાં અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીનમાલિકી ઘટ્યાનું જણાવે છે.

મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે, તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઊભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા કૃષિજમીનનો વારસો પુરુષોને મળ્યો છે. જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે. તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી, તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે, તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.

જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન-શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા કૃષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતનાં કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણા ભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષરરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થઇ. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ-નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩,૪૬૭ દહાડિયા મહિલા-મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.

ખેડૂતોના સવાલોની ચર્ચામાં સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ કૃષિવૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથને રાજ્ય સભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઇવેટ મેમ્બરબિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઇટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ – પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઊભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાંની ખેતીની જવાબદારી મહિલાઓના શિરે આવી છે, તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીનમાલિકીનો વાજબી હક આપવો ઘટે.

હાલના ખેડૂત-આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ. ’રાષ્ટ્રીય મહિલા કિસાનદિન’ની ઉજવણી કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાન-આંદોલનનો નારો મહિલા-આંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન-આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 04-05

Loading

...102030...1,9101,9111,9121,913...1,9201,9301,940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved