ટેરવાંઓ મ્યૂટ છે ને લાગણી મ્યૂટન્ટ છે,
પ્રશ્નની પીડા જવાબો પાર ને પર્યંત છે.
સાંભળું તો ક્યાંથી મર્મર રક્તની હું સાભળું?
ઉર મહીં વાગ્યા કરે શું? કોઈ ઘેરા ઘંટ છે?
છે જરૂર લક્ષ્મણને મૃતસંજીવનની તે છતાં,
રામની સામે ચીરી છાતી ઊભા હનુમંત છે.
પથ્થરો ઊચકીને સૌના હાથમાં આંટણ પડ્યા છે,
વાંદરાઓ ઝાડ પર પાછા જવા ઉત્કંઠ છે.
અગ્નિને ખોળે નથી કેવળ સીતાનું શીલ, અહીં –
રાજ્યની ને ધર્મની અંત્યેષ્ટિયે નિર્બન્ધ છે.
2 / 5 / 2021
* કોરોનાકાળમાં બંગાળ ઈલેક્શનના પરિણામ પછી.
* પ્રથમ પંક્તિના વિચારબીજનું સૌજન્ય: ખેવના દેસાઈ
![]()


ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગજાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર, ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ (securty), બદનક્ષી (defamation), સત્તા સામે વિદ્રોહ (sedition) અને ન્યાયતંત્રનો અનાદાર (contempt of court) જેવા કાયદાઓનો હથિયાર તરકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે. મોતની ધમકીઓ અપાય છે. એમના પર હુમલા થાય છે. અને ક્યારેક રહેંસી નંખાય છે. 2017માં ચાર અને 2018માં પાંચ પત્રકારોની હત્યા થઈ આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ (downgraded) ઉતારાયું, અને આંશિક રીતે સ્વતંત્ર(partly free)નું લેબલ ચોંટાડાયું.
આમાં એમ છે કે પહેલાં આપણે બહુ ખોંખારા ખાધા અને પછી ખાંસી ખાઇ ખાઇને એવા બેવડ વળ્યા કે આંખમાંથી નીકળતાં પાણી પણ સુકાઇ ગયાં. આખી દુનિયાએ નોંધ લીધી કે આપણી શું વલે થઇ છે, કેટલી બદતર હાલતમાંથી આપણે પસાર થઇ રહ્યા છે. એકે એક ગ્લોબલ મીડિયાના પહેલા પાને અને પ્રાઇમ ટાઇમમાં આપણા દેશમાં બળતી ચિતાઓ દેખાડાઇ. આખી દુનિયા સામે આપણે દ્રષ્ટાંત બેસાડવાની વાતો કરતા હતા, પણ આપણે ત્યાં જે રીતે મોતનું તાંડવ અને હાલાકીનાં દ્રશ્યો સર્જાયાં તે પછી આપણી છાતીનાં પાટિયાં બેસી ગયાં છે. આક્રંદ સિવાય કશું જ અત્યારે કોઇને કાને નથી પડી રહ્યું.