This is such a sad poem. I salute Deepak for writing this poem.
મને વૃક્ષો ખૂબ વહાલાં છે. હું પણ નવ-નવ આંસું વહાવું છું.
કોઈ ભગીરથ નહીં
આ જ વૃક્ષો હતાં
જેમણે એક પગે વરસો વરસ તપસ્યા કરી
આ ધરતી માટે
આપણા માટે
પાણીને માટે
જ્યાં એ નથી ત્યાં ધરતી ઉજ્જડ છે
જ્યારે અમારી અનંત ભૂખ
અંતિમ વૃક્ષને ગળી જશે
ધરતી થઈ જશે વાંઝણી
વાદળ એ દિવસે ગર્ભ પાડી દેશે
રેતીનું કફન ઓઢીને ધરતી
એ દિવસે ધડકશે છેલ્લી વાર
સૌરમંડળના ગ્રહ ઝૂકી જશે થોડા વધારે
બ્રહ્માંડની છાતી સંકોચાઈ જશે થોડી વધુ
અને ચંદ્રની સાથે બેસી આપણા પૂર્વજોના આત્મા
વહાવશે નવ નવ આંસુ.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()


‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તક જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડાએ પ્રસંગોપાત આપેલાં કેટલાક વ્યાખ્યાનોનો સંચય છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નામ નથી. એ એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચેની પણ આઠ અવસ્થાઓ છે. પોતાનામાં વસતા પશુત્વને બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહે છે અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે. 
