આપણી વચ્ચે સમાંતર શું છે ?
દગ દિશા ને આ દિશાંતર શું છે?
માર્ગ સઘળા ઊમટ્યાં મારામાં,
પગરખાંનું આ સ્થળાંતર શું છે?
આપણે ટક ટક ટકોરા દેશું,
એ જ છે વિસ્મય અવાંતર શું છે?
મેં કહ્યું ને તેં વખોડ્યું એમાં,
મતથી ભારેખમ મતાંતર શું છે?
લ્યો બરફ થઈ ઓગળ્યું ‘નિર્મન’,
પાણીનું બીજું રૂપાંતર શું છે?
09.06.2021
—
e.mail : daveparesh1959@gmail.com
![]()


એક રચના યાદ આવી અને સાથે સ્મરણ થયું એ ગીતની ગાયિકા જાહ્નવી શ્રીમાંકરનું. ‘રે’શું અમે ય ગુમાનમાં …’ ગીત મીરાંની ખુમારીનું ગીત છે. રમેશ પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર સુરેશ જોશીએ.
બાળકીને મૂર્તિ આપી દો. સાધુએ મૂર્તિ આપી અને હર્ષોલ્લાસ સાથે મીરાં પગમાં ઘૂંઘરુ બાંધી નૃત્ય કરવા લાગી. ‘મીરાં પ્રેમ દીવાની’ની શરૂઆત અહીંથી થઈ હતી. મીરાંનો પ્રેમ નિર્વ્યાજ હતો. એમણે આખી જિંદગી કોઈ જ કર્મકાંડ, સાધના કર્યાં નહોતાં, માત્ર શ્રીકૃષ્ણને પ્રેમ કર્યો હતો. રાજકુંવરી હોવાથી ઘોડેસવારી, તલવારબાજી શીખ્યાં પણ એમનું ચિત્ત તો કૃષ્ણની મૂર્તિમાં જ ચોંટેલું હતું અને છેવટે લગ્ન પણ એમણે મનોમન એ મૂર્તિ સાથે જ કર્યાં હતાં.
અગાધ પ્રેમ, એમની ભક્તિ, કૃષ્ણપ્રેમની કોમળ ભાવના તથા કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેમનાં અલૌકિક પદો અને સંગીત રચનામાં દેખાય છે. સદ્ભાગ્યે મને ત્રણ-ચાર ઉત્તમ મીરાં ગીત ગાવાની તક મળી જેમાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલું ‘રે’શુ અમેય ગુમાનમાં …’ રાગ ચંદ્રકૌંસનો સ્પર્શ ધરાવતું આ ગીત મેં સુરેશ જોશીના એક આલબમમાં તો ગાયું જ છે, પરંતુ એ સિવાય અનેક પ્રોગ્રામમાં ગાયું છે. અભિનેત્રી-ગાયિકા માનસી પારેખની એક યુટ્યુબ ચેનલ પર એ અનપ્લગ્ડ પણ રજૂ કર્યું છે.’