થોડાં વર્ષો પહેલા ઊંઝા જોડેના સમર્થક રામજીભાઈએ ગુજરાતી નામોમાં પ્રવેશેલા અંગ્રેજી અક્ષરો સામે વાંધો ઉઠાવ્યો હતો. એમના આગ્રહમાં તથ્ય હતું. જ્યંતીભાઈ પી. પટેલ, રમેશ બી. શાહ, પોપટલાલ વી. મહેતા વગેરેથી આપણે પરિચિત છીએ. આમાં પિતાના નામનો ફોડ પડતો નથી. તેનો અર્થ પ્રભાશંકર, પ્રવીણભાઈ, પરિમલભાઈ વગેરેમાંથી શું થતો હશે એ સમજાતું નથી, એ જ રીતે બીમાં કયા નામનો નિદેશ રહેલો છે એ સમજાતું નથી. એ બળવંતભાઈ, બળદેવભાઈ કે ભાઈલાલભાઈ, ભોગીલાલ વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે.
રામજીભાઈએ એક પત્ર લખીને મને બી દ્વારા શું સમજવાનું છે એવો પ્રશ્ન કર્યો હતો અને આગ્રહ રાખ્યો હતો કે મારે પિતાનું નામ ગુજરાતીમાં જ લખવું જોઈએ. એ વખતે મેં એમને પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે મારું નામ મારી ઓળખ છે. મારે કેવી રીતે ઓળખાવું એ હું જ નક્કી કરી શકું. પણ, મને ત્યારથી એક પ્રશ્ન રહ્યા કરતો હતો કે આપણે ગુજરાતીમાં પિતાના નામનો નિર્દેશ અંગ્રેજીમાં કેમ કરીએ છીએ.
સમય જતાં મને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો. આપણી શિક્ષણ પ્રથામાં ખાસ કરીને, માધ્યમિક શિક્ષણની કક્ષાએ વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીમાં લખવામાં આવે છે. એને કારણે અંગ્રેજી આદ્યાક્ષરનો ઉપયોગ પિતાના નામનો નિર્દેશ કરવા માટે પ્રચલિત બન્યો છે. પ્રાથમિક શાળાઓમાં નામો ગુજરાતીમાં જ લખતા હોય છે. જો કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નામો અંગ્રેજીમાં જ લખાય છે. માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય એવા લોકો પોતાના નામમાં પિતાનો ઉલ્લેખ અંગ્રેજીમાં કરતા નથી. પણ માધ્યમિક શાળાઓમાં નામો અંગ્રેજીમાં લખાય છે એને કારણે જે લોકો માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણ મેળવે છે તેમનાં નામોનું અંગ્રેજીકરણ થઈ જાય છે. મારા નામના આદ્યાક્ષરો આર.બી. શાહ થશે. એ જ રીતે જે.પી. પટેલ થશે. આ પ્રથા પ્રચલિત થવાનું કારણ કદાચ આપણે કક્કાવારીના ક્રમથી ટેવાયેલાં નથી એ છે. અંગ્રેજી કક્કો આપણો પાકો હોય છે. એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીના મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં સુગમ થઈ પડે છે. આ કારણે આપણાં નામોના અંગ્રેજીકરણથી આપણે શિક્ષણ દરમિયાન ટેવાઈ જઈએ છીએ અને પછી એ જ રીતે આપણાં નામો લખવાની આદત આપણને પડી જાય છે. આમ ગુજરાતી નામોનું અંગ્રેજીકરણ એ શિક્ષણ પ્રથાએ પાડેલી પરંપરાનું પરિણામ છે. એ પ્રથા બદલવી હોય તો આપણાં નામો શાળાકક્ષાએ ગુજરાતીમાં જ લખવાની પ્રથા પાડવી રહે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04
![]()








આમ, ફરદુનાજીના પૌત્રે પણ ગુજરાતી પત્રકારત્વ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો. તેમણે જામે હાથમાં લીધું ત્યારે તેનો ફેલાવો માત્ર ૨૦૦ નકલનો થઇ ગયો હતો! થોડા જ વખતમાં પોતાની બાહોશીથી જહાંગીરજીએ તેને વધારીને ૧૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. ૧૯૦૨માં જહાંગીરજીના નાના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ પણ જામેમાં જોડાયા. પારસી સાહિત્યના લેખકોમાં આગળ પડતું સ્થાન મેળવનાર પીજામ વખત જતાં જામેના અધિપતિ બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ જામે સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ફરદુનાજીની ચોથી પેઢી. પીજામના એક ભાઈ શ્યાવક્ષ જામેના જોડિયા માલિક અને મેનેજર હતા.
આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.