કોણ કોને ફાવશે, કોને ખબર ?
કોણ કોને તાવશે, કોને ખબર ?
કોણ કોને તાગશે, કોને ખબર ?
કોણ કોને ત્યાગશે, કોને ખબર ?
કોણ ક્યાંથી જાગશે, કોને ખબર ?
કોણ ક્યાંથી ધાડશે, કોને ખબર ?
કોણ કોને દાગશે, કોને ખબર ?
કોણ કોને ઝારશે, કોને ખબર ?
કોણ કોને તાડશે, કોને ખબર ?
કોણ કોને વ્હારશે, કોને ખબર ?
કોણ કોને ઢાલશે, કોને ખબર ?
કોણ કોને સાલશે, કોને ખબર ?
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 06
![]()


સૌપ્રથમ તો આપણે જે લોકો મૃત્યુ પામ્યા છે અને જેમનાં મૃત્યુને આપણે માન્યતા નથી આપતા, તેમની માફી માગીએ. આ માફી માત્ર મારા એકલાની નથી. મે મહિનામાં મેં એક લેખ લખેલો. તે દિવસોમાં સંસદભવન કામ નહોતું કરતું, તો આપણી ફરિયાદો ક્યાં લઈ જવી, કોણ હતું, જેને આપણે કહી શકીએ? મારા ભા.જ.પા.ના મિત્રો અને અન્ય સહકર્મીઓએ મારી સાથે વાત કરી, મને અભિનંદન આપ્યા. મેં તે સ્વીકાર્યા અને કહ્યું કે એ આ ભવનની જવાબદારી છે કે તેમની માફી માગે, જેમનાં શરીરો ગંગામાં તરતાં હતાં.