Opinion Magazine
Number of visits: 9674737
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Reachout!

Vijay Bhatt|English Bazaar Patrika - Features|25 September 2021

I know … I know … I am not alone who felt like writing today. There are thousands of you who are writing, or want to write. We all run out of words when we hear that an eighty years old professor with national repute depressed, and helpless due to his illness. Also, he wrote that he feels he is a burden to the society; he finished his role, and has no meaningful reason to stay alive….! How come no one close to him noticed this coming? A professor, a scholar, who has taught, analyzed, and studied poetry of all the nine human emotions himself, became a victim of one! How come he lost the battle he taught others to win? 

I highly recommend Atul Gawande's book 'Being Mortal' in this context. It very well discussed the end-of-life care challenges. 

The biggest issue is the neglect of mental health of the aging population, especially those who suffer from terminal illness.

In the USA the system of hospice has partial success. It is about time India should adopt formal hospice treatment. 

As India is progressing and adopting western lifestyle, it is losing the older traditions of respecting and taking care of the aging loved ones.

It is not a fault of the younger generation. It is nobody's fault. Twenty first century's challenges, attractions, opportunities, greed, ambitions, and rat-race for success have misaligned personal priorities. The society which brags about its culture and traditions is failing at its core pride. The pride of family values!

USA Today magazine reported earlier this year that the number of married or unmarried adults living physically closer to their parents have increased in the last several years. One reason is that they realize the family support system is precious while raising small children or taking care of the disable and old parents.

India had such a support system which is gradually disappearing. Indian youth, it is not too late to wake up! Let us take care of your immediate family members' mental health and physical well being.

Career, money, and success are all transient. Friends and family with unconditional love are eternal! It takes a village!

Before it's too late let us be proactive, watchful, and identify mental health problems and Reach out!

e.mail : vijaybhatt01@gmail.com

Loading

સિનિયર સિટીઝન્સ ઓછું જીવે એને માટે તંત્રો બહુ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 September 2021

કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.

એમાં ક્યારેક પડતાં પર પાટું – જેવું પણ થાય છે. નાણાં મંત્રીએ છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સિનિયર્સ માટે બહુ લાગણી હોય તેમ ભાવુક રીતે જાહેર કર્યું હતું કે જે વૃદ્ધોની ઉંમર 75 વર્ષ થઈ ચૂકી છે તેમણે હવે પછી રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. એમણે તો એમની રીતે જ કહ્યું હશે, પણ સિનિયર્સ એવું સમજ્યા કે 75 ઉપરનાઓએ હવે ઇન્કમટેક્સ ભરવાનો નહીં થાય, પણ પછી એવો ખુલાસો આવ્યો કે રિટર્ન ફાઇલ કરવાનું નથી, એનો અર્થ એવો નથી કે ટેક્સ ભરવાનો નથી. સૂચવાયું તો એટલું જ હતું કે ટેક્સ લાગતો હશે તો તે કપાશે જરૂર, પણ તે સંબંધિત બેન્ક દ્વારા કપાશે. એટલે સરવાળે રાહત તો ટેક્સ કન્સલ્ટન્ટની ફી બચી એટલી જ થઈ ને ટેક્સ કાપવાની વ્યવસ્થા બદલ બેન્ક કોઈ ચાર્જ લેશે કે કેમ તે નથી ખબર. બને કે એ ચાર્જ ટેક્સ કન્સલ્ટન્ટની ફી કરતાં વધી પણ જાય. એ જે હોય તે, સિનિયર્સને છેતરાયાની લાગણી થઈ એ હકીકત છે. આવી રાહતથી ખરેખર સિનિયર્સને કેવી ને કેટલી રાહત થઈ ને ન થઈ હોય તો આવી ગમ્મત કરવાથી સરકારને કેટલી રાહત થઈ તે નાણાં મંત્રીએ જણાવવાનું રહે.

રેલવે તંત્રે પણ સિનિયર્સને છેતર્યા છે. તેમને રેલવે ભાડાંમાં ટિકિટ પર 40 ટકા રાહત અપાતી હતી કે યાત્રી માત્રને ભોજન કે અન્ય સગવડો અપાતી હતી તે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી. ખરેખર તો મહામારીમાં આનાથી વધારે રાહતોની જરૂર હતી તે બંધ થઈ ગઈ. આમાં પણ વૃદ્ધો દંડાયા. મોંઘવારીનો માર જેમ અન્યોને પડે છે એમ જ સિનિયર્સને પણ પડે જ છે, કદાચ વધારે પડે છે, એટલે એ મરવાને વાંકે જીવે તેમાં નવાઈ નથી. માંદગી કે હોસ્પિટલાઇઝેશન કે દવા વગેરેમાં સૌથી વધુ ખર્ચ સિનિયર્સને થાય છે, તે એટલે પણ કે ઉંમરને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઓછું જ બનતું હોય છે. એમાં જેમની પાસે નોકરી નથી કે જેમને પેન્શન પણ મળતું નથી કે જેમનો મેડિક્લેમ નથી એમનો નિભાવ કેમ થતો હશે તે પ્રશ્ન જ છે.

જેમને પેન્શન છે એમની સ્થિતિ પણ કૈં બહુ સારી નથી. સાધારણ રીતે બેન્કર્સ બહુ લાભ એ વાતે ખાટે છે કે તેમની જોબ વ્હાઇટ કોલર્ડ જોબ હોવા ઉપરાંત પેન્શનેબલ પણ છે. નિવૃત્તિ પછી કૈં નહિ તો પેન્શનમાં ચાલી રહેશે એટલો વિશ્વાસ તેમને હોય છે, પણ તેમની હાલત પણ સાધારણ છે. બેન્ક રિટાયરિઝની જ વાત કરીએ તો ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોના નિવૃત્ત કર્મચારીઓને બેન્ક દરેક મહિને પેન્શન ચૂકવે છે, પણ આ સિનિયર્સને પેન્શન 10 કે 11 મહિના જ મળતું હોય એવી સ્થિતિ વધારે છે.

કોરોના મહામારી તો વૈશ્વિક આફત છે ને એમાં અનેક જીવોની સાથે સિનિયર સિટીઝન્સ પણ હોમાયા છે. આમ પણ ઉંમરને કારણે સિનિયર્સ અનેક નાની મોટી માંદગીનો ભોગ બનતા જ હોય છે. એકાએક મોટી માંદગીનો ખર્ચ આવી પડે તો હોસ્પિટલ ને દવાના ખર્ચમાં જ વૃદ્ધો એવા વેતરાઈ જતાં હોય છે કે મરવા પહેલાં જ તેઓ મરી રહે છે. એ જ કારણે ઘણાં પેન્શનર્સ મેડિકલ ઈન્સ્યોરન્સ લે છે જેથી સારવારનો મોટો ખર્ચ માથે ન પડે. વીમા કંપનીઓ વીમો ઉતારીને પ્રીમિયમ તો ગજવે ઘાલી જ લે છે, પણ પછી ક્લેઇમ સેટલ કરવામાં ભારે અખાડા કરતી હોય છે. એમાં જ્યારે ગ્રૂપનો મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનો હોય છે ત્યારે કંપનીઓ નોકરીમાં હોય તેને કે નોકરીમાંથી નિવૃત્ત હોય તેને દર વર્ષે પ્રીમિયમ વધારી વધારીને લૂંટે જ છે ને તેનો એવો બોજ નિવૃત્તો પર પડે છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે અથવા તો સબસિડી પર આધાર રાખવો પડે છે.

પ્રમાણમાં બેન્કનો નિવૃત્ત ક્લાર્ક કે ઓફિસર પેન્શનને કારણે એકંદરે ઠીકઠાક રહેતો હોય છે, પણ તેણે પણ વર્ષમાં ઓછામાં ઓછાં એક કે બે પેન્શન મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને નામે જ કરી દેવાં પડે છે. ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોનાં નોકરીમાં હોય તેવા કે બેંકમાંથી નિવૃત્ત થયા હોય એવા અધિકારી કે વર્કમેન સ્ટાફના મેડિકલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઉતારાય છે. આ કંપની સરકારની કંપની છે. પ્રમાણમાં સરકારી કંપનીનું પ્રીમિયમ ઓછું હોય છે, પણ આ અને બીજી કંપનીઓ ધીમે ધીમે એટલો વધારો વર્ષોવર્ષ લાવે છે કે માંદગી પહેલાં પ્રીમિયમ ભરવામાં જ સિનિયર્સ અધમૂઆ થઈ જાય છે. માત્ર બેન્ક ઓફિસરનો જ દાખલો જોઈએ. 2015-16માં ચાર લાખના વીમા માટે પ્રીમિયમ 6,573 અને જી.એસ.ટી. 920 મળીને 7,493 રૂપિયા હતું. આ પ્રીમિયમ 20-21માં 32,264 (27,342+4,922 જી.એસ.ટી.) થઈ ગયું જે લગભગ 5 ગણું વધ્યું. હવે 2021-22 માટે મેડિકલ ઈન્સ્યોરન્સ લેવા જઈએ તો તે 43,249 (36,652+6,597 જીએસટી) રૂપિયા ભરવા પડે. જે ગયા વર્ષ કરતાં 34 ટકા વધારે છે. આ વધારો વર્કમેન સ્ટાફમાં 40 ટકા છે. 2015માં જે પ્રીમિયમ 6,573 હતું તેનાથી વધારે 6,597 તો ખાલી જી.એસ.ટી. જ આ વર્ષે લાગે છે. આ તો વીમા કંપનીને જીવાડવા ડોસાઓએ વીમો ઉતરાવવા જેવું છે. કંપની, સરકારની, પણ નિવૃત્તો પાસેથી 18 ટકા જી.એસ.ટી. લૂંટતા શરમાતી નથી. આ નિવૃત્તો ધંધો કરે છે કે વીમો ઉતરાવવો એ શું નફાકારક ધંધો છે કે 18 ટકા જી.એસ.ટી. લેવો જ પડે? થોડી પણ શરમ હોય તો વીમા કંપનીએ તાત્કાલિક અસરથી જી.એસ.ટી. નાબૂદ કરવો જોઈએ. આજે જ જાહેરાત થઈ છે કે 50.000 રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલાના વારસોને સરકાર આપશે. આ સારી જ વાત છે, જો આ એમને એમ આપી શકાય તો નિવૃત્તોનાં પ્રિમિયમમાંથી જી.એસ.ટી. બાદ ના થઈ શકે કે કોઈ પણ મદદ, સરકાર કોઈના મર્યા પછી જ કરે છે? ઓલ ઈન્ડિયા બેન્ક એસોશિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે નાણાં મંત્રી નિર્મલા સિતારામનને આ અંગે 21 સપ્ટેમ્બરે પત્ર પણ લખ્યો છે. જોઈએ, શું થાય છે તે –

34થી 40 ટકા પ્રીમિયમ વધારો એક જ વર્ષમાં કેમ થયો એનાં કારણોમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશન દ્વારા એમ જણાવાયું કે આ વર્ષે ક્લેઇમ રેશિયો 147 ટકા વધી ગયો. આમ થવા પાછળનું દેખીતું કારણ તો કોરોનાનો થયેલો વિસ્ફોટ જ છે. આ મહામારી વૈશ્વિક છે ને તેને કારણે 90 ટકા વધારો ક્લેઇમમાં થયો હોય એમ બને, પણ એ કોઈ કાવતરું નથી. આ ન ટાળી શકાય એવું અનિષ્ટ છે. બીજું, મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનું કારણ તો એ જ હોય ને કે આરોગ્યની સલામતી, એને લીધે જળવાઈ રહે. એ કોઈ શોખ ખાતર તો ના જ લે. બીજું, કે જેમણે વર્ષોથી કેવળ પ્રીમિયમ જ ભર્યું છે ને કદી રૂપિયાનો ક્લેઇમ નથી કર્યો એના કરોડો કરોડો રૂપિયા કંપનીએ ગજવે ઘાલ્યા છે એનું શું? વર્ષોથી ક્લેઇમ રેટ ઓછો રહ્યો ત્યારે નફો થયો એનો અવાજ ના કર્યો ને આ એક વર્ષ કોરોનાને કારણે ક્લેઇમ રેટ વધ્યો તો તે ગણી બતાવાય એ બરાબર નથી. સરકારની વીમા કંપની જરા પણ માણસાઈ વગર પ્રીમિયમ વધારે એનો તમામ એસોશિએશન દ્વારા વિરોધ થવો જોઈએ ને તેને પ્રીમિયમ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ.

આમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશનની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોશિએશનના જનરલ સેક્રેટરીએ 20 સપ્ટેમ્બરે સિનિયર એડ્વાઇઝરને લખેલ પત્રમાં આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું છે કે ઇંડિયન બેન્ક્સ એસોશિએશને કોઈ પણ ચર્ચા કર્યા વિના સીધો પ્રીમિયમમાં વધારો જાહેર કરી દીધો ! જનરલ સેક્રેટરીએ એનો વિરોધ કરીને પ્રીમિયમ ઘટાડવા અંગે તાકીદે મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

આ તો બેન્ક સંદર્ભે વાત થઈ. બીજું ઘણું એવું હશે જ્યાં જેનું પણ મળે, જે પણ મળે ને અધિકાર વગર મળે તે ગજવે ઘાલી લેવાય. કોઈનું પણ લૂંટી લેવું એ માનસિકતા કોરોના કરતાં વધારે ભયંકર છે. એમાં કોઈ બાકાત નથી. એમાં ઓછું કમાનાર, ઓછું ખાનાર માટે જગ્યા જ બચતી નથી. આ બધાંમાં સિનિયર્સ ક્યાં ઊભા રહે, ઊભા રહે તો કઈ રીતે ટકે એ સારી નાખતો પ્રશ્ન છે. એને માટે પ્રાર્થના જ કરવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 સપ્ટેમ્બર 2021

Loading

અહિંસા એ ચડિયાતું હથિયાર છે

આચાર્ય જીવતરામ ભ. કૃપાલાણી|Gandhiana|23 September 2021

“બે શબ્દો જેઓ પોતાને ઉદ્દામવાદીઓ કહેવડાવે છે તેમને ઉદ્દેશીને. કાઁગ્રેસના રાજકારણમાં એ શબ્દનો શો અર્થ થાય છે એની મને ખબર નથી. શબ્દોની જાળમાં ફસાવું કદી સારું નથી હોતું. જો એનો અર્થ એવો થતો હોય કે જેઓ અહિંસાની હિમાયત પૂરા દિલથી ન કરતા હોય તેઓ ઉદ્દામવાદી તો મારે કહેવું જોઈએ કે એ શબ્દનું એ ખોટું અર્થઘટન છે. અહિંસામાં માનનાર પણ હિંસામાં માનનારના જેવો જ ક્રાંતિકારી હોઈ શકે છે. આપણે શબ્દોની પાર જવું જોઈએ. હું અહિંસા ગાંધીજી પાસે શીખ્યો છું. એક વખતે હું હિંસામાં માનતો હતો અને આજે મારે કહેતાં અચકાવું ન જોઈએ કે હું 1906-1907ના ક્રાન્તિકારીઓના જૂથમાં ભળેલો હતો. પણ મેં ગાંધીજી પાસેથી અહિંસાનો સિદ્ધાન્ત સ્વીકાર્યો પછી મેં જે નિર્ભયતા, હિંમત અને બળનો અનુભવ કર્યો છે તેવો કદી કર્યો નહોતો. અને હું ફાંસીને માંચડે ચડતાં ખંચકાયો ન હોત; પણ મારે તમને કહેવું જોઈએ કે એ દિવસોમાં, હું જ્યાં પણ જતો − પછી તે ગાડીમાં હોય કે રસ્તા ઉપર હોય − મારી નજર પાછળ રહેતી − એ જોવા કે કોઈ પોલીસ કે છૂપી પોલીસ મારી પાછળ આવતો તો નથી ને ! હું કોઈ મિત્ર સાથે વાત કરતો ત્યારે મનમાં વિચારતો કે એ સાચે જ મિત્ર છે કે દુશ્મન. હું દરેક માણસ ઉપર વહેમ રાખતો અને એટલે તેનાથી ડરતો. પણ મેં અહિંસાનો સ્વીકાર કર્યો ત્યારથી મારી આગળ કે પાછળ કોણ જાય છે કે આવે છે તેની મેં પરવા કરી નથી. મેં અહિંસા સ્વીકારી ત્યારથી હું જેની સાથે વાત કરતો તે મિત્ર છે કે દુશ્મન, પોલીસ છે કે છૂપી પોલીસ, એની મેં કદી પરવા કરી નથી. જો હું બહાદુર હતો તો હવે નિર્ભય થયો છું. એને જોરે જ, નોઆખલીમાં શું બન્યું હતું અથવા મારું કે મારાં પત્નીનું ત્યાં શું થશે, એની પરવા કર્યા વગર, હું ત્યાં જઈ શક્યો હતો. જ્યારે હું ક્રાન્તિકારી ચળવળમાં હતો ત્યારે મને મારી પોતાની પણ બીક લાગતી, કે રખેને કોઈ અસાવધ ક્ષણે, પોલીસના જુલમને લીધે હું કોઈ ગુપ્ત વાત જાહેર કરી દઉં અને કોઈ મિત્રનું નામ દઈ દઉં. હવે જ્યારે હું અહિંસક છું ત્યારે પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારી શકે છે,  પણ તેથી તેમને મળશે શું ? મારે છુપાવવાનું કંઈ છે જ નહીં. હું સાચું કહી દઉં છું તો એમાં કોઈનો દ્રોહ કરતો નથી. આ મારી જાતનો ભય પણ અહિંસાને કારણે રહ્યો નથી. હિંસામાં બહાદુરી હશે પણ એવી બહાદુરી હંમેશાં અહિંસાની બહાદુરી કરતાં ઊણી ઊતરે છે. અહિંસા કદી કોઈ ઉપર વહેમ લાવતી નથી. અહિંસા કદી પાછળ જોતી નથી. અહિંસા માટે કોઈ પોલીસ છે જ નહીં. અહિંસા માટે દુનિયામાં કોઈ દુશ્મન છે જ નહીં. અહિંસક સૈનિક સીધો ટટ્ટાર ઊભો રહે છે, તેને મૃત્યુનો ભય નથી. હિંસક સૈનિકને પણ મૃત્યુનો ભય ન હોય એમ બને, પણ હિંસક સૈનિકની બહાદુરીમાં હંમેશાં ભયનો થોડો પાસ હોય જ છે.

“અહીં (આ સભામાં) લોકોએ વારંવાર હિંસાની વાત કરી છે, અને તેમને તાળીથી વધાવી લેવામાં આવ્યા છે. પણ હું કહેવાની રજા લઉં છું કે જો આ દેશ ઉન્નત અને સમૃદ્ધ થવાનો હશે તો તે કેવળ અહિંસા દ્વારા જ થઈ શકશે. એ સિવાય આપણે માટે બીજો માર્ગ જ નથી. આપણે એટલાં બધાં ભૌગોલિક, રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક જૂથોમાં વહેંચાઈ ગયેલા છીએ, કે આપણે જો વિદેશી શત્રુ સામે હિંસા વાપરીએ તો આપણે એકબીજાની વિરુદ્ધ પણ જરૂર હિંસા વાપરીશું. જેઓ તલવારથી જીવે છે તેઓ તલવારથી જ નાશ પામશે. આપણી આસપાસની દુનિયામાં જે બની રહ્યું છે, તે તમે જુઓ છો. આજે (દુનિયામાં) આપણે કાલ્પનિક ઝઘડાઓ પતાવવા માટે અણુબૉમ્બ દાખલ કર્યો છે, પણ દુનિયા પોતે આજ સુધી શું કરતી આવી છે એનું સરવૈયું ન કાઢે તો કશુંક આથી પણ ભયંકર બનશે. લોકો સારા કામ માટે હિંસા વાપરે એની હું નિંદા નથી કરતો. અહિંસા એ નવી વસ્તુ છે, પણ હું એ તમારી આગળ રજૂ કરવા માગું છું, કારણ, મેં હિંસા અને અહિંસા બંનેને અજમાવી જોઈ છે અને મારા અંગત અનુભવ ઉપરથી તમને કહી શકું છું કે મને માલૂમ પડ્યું છે કે અન્યાયના નિવારણ માટેનું અહિંસા એ ચડિયાતું હથિયાર છે. દુનિયાને પણ એક દિવસ એ ચડિયાતું હથિયાર માલૂમ પડશે.

“મારા ઘણા ઉદ્દામ મિત્રો ગાંધીયુગના નથી. હું ગાંધીયુગનો માણસ છું. 1920માં, જ્યારે ગાંધીજીએ હિંદના રાજકારણમાં સત્યાગ્રહને દાખલ કર્યો, ત્યારે હું જુવાન હતો. મેં જોયું કે કેવી રીતે અહિંસાથી જનતામાં પ્રાણ આવ્યો, તેઓ કેવા બહાદુર અને નિર્ભય બન્યા; પહેલાં જેઓ પેટે ચાલ્યા હતા તેઓએ કેવી હિંમતથી લાઠી અને ગોળીઓનો પણ સામનો કર્યો; આજે, કોમી રમખાણોને કારણે અને ક્ષિતિજ અંધકારમય છે માટે આપણે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અને ગૂંચવાડામાં આપણામાંના સારામાં સારા માણસો અહિંસામાં શ્રદ્ધા ગુમાવી બેસે છે. આપણે માનીએ છીએ કે અહિંસાથી કંઈ નહીં વળે. પણ મને એમ લાગે છે કે દીવો પ્રગટાવવામાં આવ્યો છે, અને તે આપણને માર્ગ બતાવશે. એ કદાચ આજે કે આવતી કાલે નહીં બને. પયગંબરો જીવીને મૃત્યુ પામે છે, પણ તેમના સિદ્ધાન્તને ઘણી વાર તેમના મૃત્યુ પછી ફળ આવે છે. બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે તેમને કેટલા શિષ્યો હતા ? મહંમદને કેટલા હતા ? જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે તેમને માત્ર બાર શિષ્યો હતા અને તે બારેયે તેમને નાકબૂલ કર્યા હતા, જેમ આજે આપણે ગાંધીજીને નાકબૂલ કરીએ છીએ. તેમ છતાં, ખ્રિસ્તી ધર્મ જીવે છે, ખ્રિસ્ત જીવે છે; તેમનો ધર્મગ્રંથ એ વિશ્વનો ધર્મગ્રંથ છે. તેમણે બુદ્ધની પેઠે જગત ઉપર જીત મેળવી છે. અમારા તરફ ન જોશો. અમે તો કદાચ તેમને ત્રણ વાર નહીં પણ ત્રીસ વાર નાકબૂલ કરીશું, પણ એ ગુરુ અને એમનો સિદ્ધાન્ત જીવશે. એ સિદ્ધાન્ત સનાતન સત્ય ઉપર મંડાયેલો છે. અહિંસા વગર જીવન અશક્ય છે. જો આપણે આપણા પ્રશ્નોને જૂઠથી અને કુટિલ રાજનીતિથી ઉકેલવા જઈશું તો, હું કહું છું કે, આપણા પ્રશ્નો ઊકલશે નહીં. દુનિયાના પ્રશ્નો નહીં ઊકલે.

“હવે હું એક શબ્દમાં સમાજવાદ અને ગાંધીવાદ વચ્ચેનો ભેદ કહેવાની રજા લઉં છું. એ ભેદ એ છે કે ગાંધીજી એમ માને છે કે આપણું ધ્યેય જેમ ઉન્નત હોય તેમ આપણાં સાધનો પણ શુદ્ધ હોવાં જોઈએ; ઉન્નત ધ્યેય હલકાં અને કુટિલ સાધનો વડે સિદ્ધ થઈ શકતાં નથી. ટૂંકમાં કહીએ તો, પશ્ચિમના સમાજવાદમાં અને અહિંસા અને સત્યના પાયા ઉપર રચાયેલા ગાંધીજીના સમાજવાદમાં આ ભેદ છે, આ સિદ્ધાન્ત સ્વીકારાયા વગર દુનિયા યુદ્ધ, ઝઘડા, ખૂનરેજીથી મુક્ત ન થઈ શકે. પછી એ સ્વીકાર આજે થાય કે સૈકા પછી થાય. જો એ સ્વીકાર સૈકા પછી થાય તો એ સૈકો માનવજાત માટે ભારે મુશ્કેલી અને કષ્ટભર્યો થઈ પડશે. એ શાંતિમય સૈકો નહીં હોય. તેથી, હું જેમ મારા ઉદ્દામ મિત્રોને હંમેશાં અપીલ કરતો આવ્યો છું તેમ આપને અપીલ કરું છું કે ગાંધીજીની ફિલસૂફીમાં શું રહેલું છે તે સમજવાનો પ્રયત્ન કરો. મારા પ્રમુખ તરીકેના ભાષણમાં મેં એનો થોડો ખ્યાલ આપ્યો છે. ગાંધીજી લોકશાહીની તરફેણ કરે છે; તેઓ આર્થિક અને સામાજિક સમાનતાની તરફેણ કરે છે; તેઓ આંતરરાષ્ટૃીય શાંતિની તરફેણ કરે છે. એવો કોઈ સમાજવાદી છે, જેને આ ત્રણ વસ્તુ ન જોઈતી હોય? હિંદુસ્તાનના સમાજવાદીઓ વ્યવહારમાં તો રાજ્યનું નિયંત્રણ જ બની જાય એવા સમાજના સંપૂર્ણ નિયંત્રણનો પ્રશ્ન વચમાં લાવી પોતાની ફિલસૂફીને અક્કડ, બિલકુલ લવચીકતા વગરની શા માટે બનાવી દે છે? મને ચોક્કસ લાગે છે કે કોઈક જાતની આર્થિક સ્વતંત્રતા એ વ્યક્તિત્વનું સારસત્ત્વ છે. જો તમે માણસનું આર્થિક સ્વાતંત્ર્ય લઈ લો તો એના વ્યક્તિત્વનો ઘણો મોટો ભાગ તમે લઈ લેશો અને વ્યક્તિના સ્વીકાર વિના તો લોકશાહી સંભવે જ નહીં.

“હું આશા રાખું છું અને પ્રાર્થું છું કે તમે આ સભાખંડમાંથી તમારી કલ્પના પ્રમાણે જે સાચું હોય તે જ કરવાનો નિશ્ચય કરીને જશો. તમે મારા વિચારો સ્વીકારો કે ફગાવી દો, એ ગૌણ બાબત છે. પણ તમે વિચાર કરો એમ હું ઇચ્છું છું. ગાંધીજી જે છવ્વીસ વર્ષમાં નથી કરી શક્યા તે હું વીસ મિનિટમાં કરવાની અપેક્ષા ન રાખી શકું. પણ મેં મારું હૃદય તમારી આગળ ઠાલવ્યું છે. કારણ કે તમે મને તમને સલાહ આપવાનું ભારે અને જવાબદારીભર્યું કામ સોંપ્યું છે. વંદે માતરમ્‌.”

મેં હિંસા અને અહિંસક અસહકાર અથવા સત્યાગ્રહ વચ્ચે જે ભેદ કરી બતાવ્યો તે ઘણાને ખૂબ ગમ્યો હતો. કારણ, હું અંગત અનુભવ અને માહિતીને આધારે બોલતો હતો. જવાહરલાલ એ ભાષણથી એટલા બધા હલબલી ગયા હતા કે, તે પૂરું થયું ત્યારે તેઓ પોતાની જગ્યાએથી ઊઠીને મંચ ઉપર આવ્યા અને મારી સાથે હસ્તધૂનન કરી મને ભાષણ માટે અભિનંદન આપ્યાં. સરોજિની તો હર્ષવિભોર થઈ ગયાં હતાં અને તેમણે પાછળથી મારા ભાષણની એક નકલ માઉન્ટબૅટનને અને તેમના બ્રિટિશ અધિકારી મિત્રોને બતાવી હતી.

પટ્ટાભિ સીતારામય્યાએ પોતાના પુસ્તક ‘હિસ્ટરી ઑફ ધ કાઁગ્રેસ’માં મારાં બે ભાષણોને પોતાની શૈલીમાં આ રીતે વર્ણવ્યાં હતાં :

“પ્રમુખ કૃપાલાનીએ પોતાનું ભાષણ તેમની હંમેશની અનાયાસ રીતે હિંદુસ્તાનીમાં આપ્યું અને કદાચ વધારે સ્વસ્થતાથી, કારણ, એમના બે દાયકાના રચનાત્મક પરિશ્રમના સ્થળ મેરઠમાં તેમને કાઁગ્રેસના પ્રમુખનું ગૌરવપ્રદ સ્થાન મળ્યું હતું. રાજેન્દ્રબાબુ મુંબઈના અધિવેશનના પ્રમુખ થયા ત્યારથી કોઈ કટ્ટર ગાંધીવાદીએ કાઁગ્રેસની ગાદી શોભાવી નહોતી અને આચાર્ય કૃપાલાનીએ એ ખોટ યોગ્ય રીતે પૂરી કરી એથી લોકોને આનંદ થયો હતો. તેમણે વિષયવિચારિણી સમિતિમાં તેમ જ પૂરા અધિવેશનમાં કાઁગ્રેસના કામકાજનું સંચાલન ભારે સામર્થ્ય અને સફળતાપૂર્વક કર્યું હતું. સુધારાઓ પાછા ખેંચાવવાની બાબતમાં તેમ જ ભાષણો ટૂંકાવવા સમજાવવાની બાબતમાં તેમણે ભારે કુનેહ અને વિવેક બતાવ્યાં હતાં, જેથી તેમના મિત્રોને અણધાર્યો આનંદ થયો હતો. અને શ્રોતાવર્ગે મુક્તમને તેની પ્રશંસા કરી હતી. અત્યારે હવે કહેવામાં વાંધો નથી કે શરૂઆતમાં આચાર્ય કૃપાલાની પ્રત્યે કાઁગ્રેસીના એક જૂથમાં તેમ જ નેતાઓમાં પણ ઝાઝો સદ્દભાવ કે કદર નહોતાં, પણ તેઓ એ બંને એટલા મોટા પ્રમાણમાં મેળવી શક્યા કે અધિવેશનને પાર ઉતારવા માટે તે પૂરતાં હતાં, એટલું જ નહીં, તેમની મુદ્દત પૂરી થાય ત્યાં સુધી તે ચાલે એમ છે. એમનું છેવટનું દોષ વગરના અંગ્રેજીમાં આપેલું ભાષણ વકતૃત્વનો અદ્દભુત નમૂનો હતો, જેમાં એમણે અહિંસાની અને તેને મળવી જોઈતી સફળતાના પ્રમાણમાં તેને મળેલી સફળતા(કે નિષ્ફળતા)ની આવેશપૂર્ણ ચર્ચા કરી હતી. તેમનાં મેઘગર્જના કરતાં, અનેક ઉપવાક્યોવાળાં લાંબાં લાંબાં વાક્યો, ઝપાટાભેર, વણથંભ્યાં વહ્યે જતાં હતાં અને તેમના શ્રોતાઓનાં હૃદયને ત્યાં સુધીમાં કદી હલમલ્યાં ન હોય એટલાં હલમલાવી મૂકતાં હતાં. એ સાંભળતાં પૂરા અડધા કલાક સુધી શ્રોતૃવર્ગ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ખરેખર અહિંસાનો પુનર્જન્મ થયો હતો અને તેમાં કાઁગ્રેસના પ્રમુખે ફરી એક વાર સહાય કરી હતી.”

(અનુવાદક : નગીનદાસ પારેખ)

[‘કાઁગ્રેસ પ્રમુખપદે’ નામક પ્રકરણ; “આચાર્ય કૃપાલાનીની આત્મકથા’; પૃ. 621-625]

Loading

...102030...1,7801,7811,7821,783...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved