છેવટે
આવીને વળગે છે
એ એવી: વિહવળ
કરી દે સામટા ગળગળા
છૂટા પડવાની વેળા
નૈન અગનગોળો
જેમ
ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં
લોપાઇ જાય
આકાશની વિશાળ છાતીમાં
ને
ઓઢી લે
એ પણ પછી
અંધારું – ઢાંક પિછોડો.
ટમટમે દરદ ઠેર ઠેર
તારા વગર
રાત થતી હશે?
જતી હશે?
… હાય!
છૂટા પડવાની ઘડી
ઘડીભર છૂટતી નથી
કાળજે ચોંટેલી
પણ કાળજું લુંટતી નથી
ક્યાંક નિર્જળ
કયાંક સજળ
કરતી રહે છે વિહવળ
રે, મીત વિનાના મેળા
છૂટા પડવાની વેળા.
https://avataran.blogspot.com/2021/08/blog-post.html
![]()


વાર્તા ગુજરાતીમાં લખાય એટલે ભાષા ગુજરાતી હોય એમાં શું ક્હૅવાનું? આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના શિષ્ટમાન્ય, તળપદા કે બોલી જેવાં ભાષારૂપોમાં, એ માધ્યમોમાં, સાહિત્ય સરજાતું હોય છે. લોકકથાઓ તો કેવાં યે રૂપોમાં હોય છે, પણ ભાષા તો ગુજરાતી જ હોય છે.
જે.સી. કુમારપ્પા તેમના વિચારોની સ્પષ્ટતા, નિર્ભયતા, પ્રામાણિકતા અને તીક્ષ્ણ વિવેચન શક્તિને કારણે એક જુદી જ કોટિની વ્યક્તિ ગણાયા.
D.V.I, (ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રી). આવા ગુણવાચક વિશેષણોથી કુમારપ્પાને ચીડ ચડી. એક દિવસ તેમનો આ પત્ર લઈને ગાંધીજીને સેવાગ્રામમાં મળ્યા અને પૂછ્યું, આવી ઉપાધિઓ આપવાનો અધિકાર તેમને કોણે આપ્યો? ગાંધીજીએ તરત રમૂજભર્યો જવાબ વાળ્યો, રાષ્ટ્રીય વિદ્યાપીઠ એવી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હોવાને નાતે કોઈને પણ ડોક્ટરેટની પદવી આપવાનો કે નવા પ્રકારની પદવી ઉપજાવી કાઢવાનો તેમને પૂરો અધિકાર છે. વધુ આનાકાની કર્યા વિના કુમારપ્પાને પોતાના માર્ગદર્શકે આપેલ આ ઉપાધિઓ સ્વીકારવી પડી.