એ હળાહળ અસત્ય બોલે છે,
સાંભળી લોક સહુએ ડોલે છે !
એ અભિનયનો બાદશાહ હો એમ,
ઝૂમી ઝૂમીને ઝૂઠ બોલે છે !
સત્ય જેવું પછી રહે ક્યાંથી ?
ત્રાજવે એને ખુદના તોલે છે !
અસ્ત સહુમાં થઈ રહ્યો સૂરજ,
આગ ઓલાઇ होले-होले છે !
હિમશિલા થઇ ગઇ બધી વસ્તી ,
ફક્ત એ એકલો જ શોલે છે !
માણસોની વિવશ ઉદાસીઓ ,
મારા મનને બહુ કરકોલે છે !
સૂની સૂની બજાર જોઉં છું,
ક્યાં ગરીબો વધારે મોલે છે !
ગીધ-સમળી ને બાજ જલસામાં;
હાથમાં આવે એને ઠોલે છે !
દાદ-ફરિયાદ જેવું કૈં જ નથી,
ફક્ત દાદાગીરી જ બોલે છે !
પંખીઓ ભસ્મીભૂત થઇ જાતા,
આંખ એની એ જ્યારે ખોલે છે !
ના ત્વચા જેવું કૈં રહ્યું તન પર,
રુંવે રુંવેથી રોજ છોલે છે !
મોંઘવારી નડે છે બહુ સહુને,
ક્યાં "પ્રણય", કોઇ કશું બોલે છે !
તા. ૨૬/૦૯/૨૦૨૧
□
![]()



જન્મ અને મૃત્યુ બંને જીવની ઇચ્છાને આધીન છે. એવી માન્યતાને અધ્યાત્મ અને હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે. મારી સમજણ પ્રમાણે મનની ઇચ્છાઓ સાથે જોડાયેલાં કર્મો થકી દિશા નક્કી થાય છે. શરીર છોડ્યા પછી પણ ઇચ્છાઓ સ્મૃતિમાં સચવાયેલી પડી હોય છે અને ભૂતપૂર્વ કર્મોના પરિણામરૂપ દિશા પણ જીવની સાથે જ હોય છે. આમ આપણી જ ઇચ્છાઓ અને તે પ્રમાણેનાં કર્મો જીવ સાથે જોડાયેલા રહે છે. શરીર ત્યાગથી જીવની દશા કે દિશા(ગતિ)માં ફેર પડે તેવું મારું માનવું નથી. શરીર ત્યાગ પછી પણ આત્માનો વિહાર આ ગતિ સાથે જ હોય છે. આત્મા એ શુદ્ધ પ્રેમભાવનું સ્વરૂપ હોય તો પણ ઇચ્છાઓના આવરણથી ઢંકાયેલો હોવાથી પ્રકાશતો નથી. શરીર ત્યાગથી કદાચ શરીરની વેદનાનો અંત આવે પણ સાથે પીડાતાં મન અને આત્મા શું આત્મહત્યાથી વધુ દુઃખી નહી થાય?