Opinion Magazine
Number of visits: 9745930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

एक हादसा और अनेक सवाल

कुमार प्रशांत|Opinion - Opinion|18 December 2021

आखिर वह खबर आ ही गई जिसकी आशंका से देश का मन भारी हुआ जा रहा था. 8 दिसंबर से 15 दिसंबर तक, लगातार 8 दिनों तक मौत से मशक्कत करने के बाद ग्रुप कैप्टन वरुण सिंह ने विदाई मांग ली. यही होना था. 80 फीसदी जले इंसान के बचने की संभावना 20 फीसदी भर होती है. जांबाज वरुण इतने दिन संघर्ष जारी रख सके क्योंकि वे फौजी प्रशिक्षण से गुजरे जवान थे, उम्र उनके साथ थी. लेकिन मौत भी तो विधाता की फौज में प्रशिक्षित हुई होगी न ! वरुण की मौत के साथ भारतीय वायुसेना के हैलिकॉप्टर हादसे का अंतिम जीवित व्यक्ति भी नहीं रहा. अब हमारे व वरुणजी के परिवार के लिए शून्य, असीम आकाश ही बचा है.

जब सारा देश 2021 को विदा देने की तैयारी में है, हमें शोक से भरी बहुत सारी स्मृतियों को विदाई देनी पड़ रही है. 700 से ज्यादा प्रतिबद्ध किसानों के बलिदान को हम न भी गिनें, क्योंकि उनकी मृत्यु एक दिन, एक तारीख को नहीं हुई थी बल्कि वे तिल-तिल कर मारे गए थे तो भी नगालैंड के 14 निरीह लोगों की हत्या से हम कैसे मुंह फिरा सकते हैं ? इन 14 नागरिकों की मौत न कोरोना में हुई थी, न किसी हैलिकॉप्टर हादसे में. हमारे ये सारे नागरिक कानून के हाथों, गैर-कानूनी तरीके से मारे गए.

8 दिसंबर के हैलिकॉप्टर हादसे से इतना शोक छाया और इतना शोक रचा गया कि इस हादसे की समीक्षा हो ही नहीं सकी. जिस फौजी जांच की बात कही गई है, उसमें तकनीकी पहलू आएंगे और किसी फाइल में बंद कर दिए जाएंगे. लेकिन जिस दुर्भाग्यपूर्ण हादसे में भारतीय सेना के 13 बहादुरों का खात्मा हुआ जिनमें भारतीय सेना प्रमुख जेनरल विपिन रावत भी एक थे, क्या उसकी खुली समीक्षा होनी नहीं चाहिए ? जो घटित हुआ वह तो हो गया, अब यह समीक्षा ही हमारे बस में बची है. इसलिए शोक से निकल कर हमें कई सवाल पूछने चाहिए, कई जवाब मांगने चाहिए.

सारा देश इस दुर्घटना से विचलित हुआ है. इतने सारे वरिष्ठ सैन्य अधिकारी जब एक साथ मारे जाते हैं तो ऐसा लगता है जैसे अचानक ही आसमान खाली हो गया. इससे देश की सुरक्षा में सेंध लगती है. वैसे तो हर जान कीमती होती है लेकिन ऐसी विशेषज्ञता के धनी, अनुभवसंपन्न फौजी अधिकारियों का इस तरह जाना ऐसा अहसास जगाता है जैसे किसी ने चौक-चौराहे पर लूट लिया हो. उनके परिवारों का निजी दुख राष्ट्रीय दुख में बदल जाता है. डॉक्टरों, इंजीनियरों, वैज्ञानिकों आदि को तैयार करने में ही नहीं बल्कि राष्ट्रीय सुरक्षा से जुड़े ऐसे सैनिक, पुलिस के जवान व विशेषज्ञ फौजी अधिकारियों को तैयार करने में भी राष्ट्र को बहुत निवेश करना पड़ता है. जब वे उस मुकाम पर पहुंचते हैं कि राष्ट्र भरोसे से उनकी तरफ देख सके तभी किसी चूक से हम उन्हें खो देते हैं, तो निजी नुकसान, राष्ट्रीय नुकसान में बदल जाता है. शोक की लहर का अपना मतलब होता ही है लेकिन विवेकसम्मत सवालों के जवाब से आगे की दिशा खुलती है.

आज और अभी ही यह सवाल पूछना जरूरी हो जाता है कि एक साथ, एक ही जहाज से इतने सारे उच्चाधिकारियों का सफर करना कैसे संभव हुआ ? सामान्य निर्देश है कि दो से अधिक उच्चाधिकारी एक ही विमान से सफर नहीं करेंगे. फिर जनरल विपिन रावत के साथ इतने सारे फौजियों को सफर करने की इजाजत कैसे मिली और किसने दी ?  क्या जनरल रावत ने खुद दी ऐसे निर्देश की अवहेलना करने का निर्देश दिया था ? कहीं से, किसी ने तो इस हैलिकॉप्टर उड़ान की योजना बनाई होगी, किसी ने तो इसे जांचा होगा और सफर की इजाजत दी होगी. वह कौन है ? वह पूरा दस्तावेज कहां है जिसमें यह पूरी प्रक्रिया दर्ज है ? यह पता तो चले कि अपने अनुशासन और आदेश के पालन के लिए जानी जाने वाली फौज में यह सब कैसे चलता है ? और कौन है जो यह सब चलने से रोक देता है ? क्या जेनरल रावत जैसे किसी उच्चाधिकारी को ऐसा अधिकार है वह सुरक्षा के सामान्य निर्देशों की अवहेलना का आदेश दे सके और सारी फौजी व्यवस्था चूं तक न कर सके ?

भारतीय वायु सेना का हैलिकॉप्टर एमआई-17वी5 एक सुरक्षित व विश्वसनीय मशीन मानी जाती है. यह रूसी हैलिकॉप्टर हमारी सेना की शक्ति का प्रतीक भी माना जाता है. लेकिन यह पहली बार नहीं है कि यह मशीन खतरों में पड़ी है और इसने हमें खतरे में डाला है. इसलिए नहीं कि यह मशीन खराब है या कमजोर है बल्कि इसलिए कि यह मशीन ही तो है. मशीनों के साथ मानवीय सावधानी व कुशलता का मेल हो तभी वह अपनी सर्वोत्तम क्षमता से काम करती है. तब क्या यह सवाल नहीं उठता है कि इस उड़ने वाली मशीन पर कितना बोझ डालना इसे अत्यंत बोझिल बनाना नहीं है, यह बात सार्वजनिक की जाए  ? क्या यह सावधानी जरूरी नहीं है कि मशीन पर उसकी क्षमता से कुछ कम ही बोझ डाला जाए खास कर तब जब वह एक साथ अपने इतने बेशकीमती फौजी उच्चाधिकारियों को ले कर उड़ने वाली हो ? यदि इसका ध्यान नहीं रखा गया तो यह गैर-जिम्मेदारी का अक्षम्य नमूना है.

यह भी माना जाता है कि फौजी उच्चाधिकारियों के ऐसे सफर में, जो युद्ध के लिए नहीं है, संरक्षक टुकड़ी भी साथ होती है. क्या ऐसी कोई व्यवस्था इस सफर के साथ थी ? होती तो दुर्घटना के बाद जले अधिकारियों को बचाने, पानी पिलाने तथा इलाज तक ले जाने की व्यवस्था तुरंत बन ही सकती थी. यह न पूछे कोई कि उससे क्या होता; यह बताए कि सावधानियां पूरी रखी गई थीं, इससे देश का भरोसा बनता है या नहीं ? वैसे देखें तो यह कोई फौजी अभियान नहीं था जिस पर जेनरल रावत जा रहे थे. यह सामान्य फौजी समारोह था. फिर इतने सारे उच्चाधिकारी वहां क्यों जा रहे थे ? मैं नहीं समझता हूं कि यह फौजी पिकनिक का सरकारी आयोजन होगा. तो क्या राजनेता का काफिला कितना बड़ा है, इससे उनकी राजनीतिक औकात नापने का पैमाना ही फौज में भी लागू होने लगा है ? हमारी फौज का जिस तरह का राजनीतिकरण पिछले दिनों में हुआ है, जनरल रावत जिस तरह के राजनीतिक बयान देते रहे हैं, उससे किसी स्वस्थ्य लोकतंत्र की  खुशबू तो नहीं आती है. इसलिए यह हादसा हमें कई प्रकार से सावधान करता है. तमिलनाड का कुन्नूर लैंडिंग के लिए कभी भी आसान नहीं माना जाता है. यदि यह कोई नाजुक फौजी अभियान नहीं था तो कुन्नूर को टालने की कोशिश क्यों नहीं की गई ? फिर मधुलिका रावतजी को साथ क्यों लिया गया ? इस विषय में फौजी गाइडलाइन क्या कहती है ?

अफसोस व पश्चाताप से भरे राष्ट्र के मन में सवाल-ही-सवाल हैं. इन्हें प्रायोजित शोक की चादर से ढकने की कोशिश आत्मघाती होगी.

(17.12.2021)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ચલ મન મુંબઈ નગરી—124

દીપક મહેતા|Opinion - Opinion|18 December 2021

ગ્રામોફોન આવ્યું ઘરે ઘરે સંગીત લાવ્યું

કોણ જાણે કેમ બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં

રેકર્ડની ત્રણ ન્યાત તો પિનની ચાર જાત 

એક છોટા સા મંદિર બનાયેંગે,
અપની દેવી કો ઉસમેં બિઠાયેંગે.

એક જમાનામાં કુંવારા જુવાનોમાં આ ગીત ખાસ્સું પોપ્યુલર થયેલું. મોટેથી ગાવાની હિંમત તો ન ચાલે, એટલે કોઈ રૂપાળી પોટ્ટીને જોઈને મનમાં ગણગણી લે. પણ કહી શકશો, આ ગીત કઈ ફિલ્મનું છે? ૧૯૩૮માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું ‘ગ્રામોફોન સિંગર.’ સુંદરદાસ, તેની પત્ની મોહિની, અને તિલોત્તમા વચ્ચેના પ્રણય ત્રિકોણની વાત. એ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં એ જમાનાના અગ્રણી એક્ટર-ગાયક સુરેન્દ્ર, પ્રભા અને બિબોએ. પણ તમે કહેશો : આમાં ગ્રામોફોન વચમાં કેવી રીતે આવ્યું? સુંદરદાસ અને મોહિનીનો સુખી સંસાર. પણ સુંદરદાસ અને તિલોત્તમા બંને જાણીતાં ગ્રામોફોન સિંગર. તિલોત્તમા પહેલાં સુંદરદાસના અવાજના અને પછી ખુદ સુંદરદાસના પ્રેમમાં પડે છે. અને પછી … પણ આપણે કાંઈ ફિલ્મની વાત નથી કરવી. વાત કરવી છે ગ્રામોફોનની.

આમ તો, છેક ૧૮૯૮થી પરદેશી ગ્રામોફોન મશીન મુંબઈમાં અને કલકત્તામાં વેચાતાં થયાં હતાં. એ હતાં ભૂંગળાવાળાં, અને હાથથી હેન્ડલ ફેરવીને ચલાવવાનાં. વગાડવા માટેની રેકર્ડ પણ બ્રિટન-અમેરિકાથી આવે, બધી પશ્ચિમી સંગીતની. અને આ બધું એટલું તો મોંઘુ દાટ કે મોટા શ્રીમંતોને જ પોસાય. પણ પછી ભૂંગળા ગયાં, સાઉન્ડ બોક્સ આવ્યાં, સ્પ્રિંગની ચાવી આવી. અને સૌથી વધુ મહત્ત્વનું તે તો આપણાં ‘દેશી’ ગાયક-ગાયિકાનાં ગીતોનું રેકોર્ડિંગ કલકત્તામાં શરૂ થયું. ગ્રામોફોન અને રેકર્ડ આવ્યાં ત્યારે હજી ‘સારા ઘરની’ સ્ત્રીઓ જાહેરમાં ગાતી-નાચતી નહિ, નાટકમાં પણ ભાગ ન લેવાય! હજી ફિલ્મો તો આવી નહોતી. એટલે રેકોર્ડિંગ કંપનીએ ‘નોચ ગર્લ્સ’નો આશરો લીધો. મિસ દુલારી, મલકાજાન, અંગુરબાલા, ઇન્દુબાલા, કમલાબાઈ, ગોહરજાન એ જમાનાની જાણીતી ગાયિકાઓ બની અને એમનો અવાજ અનેક ઘરોમાં સંભળાતો થયો. શરૂઆત હિન્દી-ઉર્દૂ ગઝલ અને દાદરા, ઠુમરી, વગેરેથી થઈ. પછી આવ્યું ભક્તિ સંગીત, લોક સંગીત, નાટ્ય સંગીત, અને છેલ્લે ફિલ્મ સંગીત. અને પાછું આ બધું દેશની જુદી જુદી ભાષાઓમાં. ગુજરાતીની વાત કરીએ તો આવ્યું બાળસંગીત, આવ્યા ગરબા-રાસ, આવ્યાં લગ્ન ગીતો.

સાઉન્ડ બોક્સવાળું ગ્રામોફોન

ગીતોનું રેકોર્ડિંગ દેશમાં થતું, પણ તે પછી રેકર્ડ ‘પ્રેસ’ કરવા માટે તો એ રેકોર્ડિંગ પરદેશ જ મોકલવાં પડતાં. મોટા ભાગની રેકર્ડ જર્મનીમાં પ્રેસ થતી અને ત્યાંથી આપણા દેશમાં આયાત થતી. શરૂઆતની રેકર્ડોમાં ગાયક કે ગાયિકા છેલ્લે અંગ્રેજીમાં પોતાનું નામ બોલે છે તે આ કારણે. જર્મન ટેકનિશિયનોને આપણી ભાષાઓ તો આવડે નહિ. એટલે અંગ્રેજીમાં બોલાયેલું નામ રેકર્ડ બનાવામાં અને પછી તેને ઓળખવામાં મદદ કરે. ધીમે ધીમે ગ્રામોફોન અને રેકર્ડે મુંબઈના મધ્યમ વર્ગનાં ઘરોમાં પ્રવેશ કર્યો. જે ઘરમાં ગ્રામોફોન હોય એ ઘરનો અડોશપડોશમાં છાકો પડી જતો. વીસમી સદીનાં પહેલાં પચાસેક વરસ મુંબઈનાં ઘરોમાં ગ્રામોફોનનું સ્થાન રહ્યું.

આ લખનારને આજે ય તે બરાબર યાદ છે એ કાળું, નાનું, સાઉન્ડ બોક્સવાળું એચ.એમ.વી. કંપનીનું ગ્રામોફોન. (કોણ જાણે કેમ એ વખતે બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં.) દિવાળીના ચાર દિવસ સવારના પહોરમાં ગ્રામોફોન વગાડવાનું એટલે વગાડવાનું જ. ધનતેરસ અને કાળી ચૌદસે સવારે છથી સાડા છ. દિવાળીને દિવસે સાડા પાંચથી છ. અને બેસતે વરસે પાંચથી સાડા પાંચ. દિવાળી અને બેસતે વરસે સૌથી પહેલાં બિસ્મિલ્લા ખાંની શરણાઈની રેકર્ડ વગાડવાની. તે પહેલાંના બે દિવસ વાગે ક્લેરિનેટ પર વગાડેલા રાગ સગરાઈ કાનડાની રેકર્ડ. આ ક્લેરિનેટ તે આપણી શરણાઈને મળતું આવતું પશ્ચિમી વાદ્ય. એ વખતે કેટલાક કલાકારો તેના પર આપણું રાગ સંગીત વગાડતા. પછી બીજાં હિન્દી-ગુજરાતી-બંગાળી ગીતો વગાડવાનાં. આમ, દિવાળીના ચાર દિવસ ઘરમાં સવારની શરૂઆત થાય સંગીતથી. અને એ શરૂઆત કરવાનું ઉત્તરદાયીત્ત્વ સોપાયેલું આ નાચીઝને. એટલે સવારના પહોરમાં મીઠાઈ ખાધા વગર મોઢું ગળ્યું ગળ્યું.

ચાર રંગ, ચાર જાતની પિન

ગ્રામોફોનનો રૂઆબ ગજબનો. પહેલાં હળવે હાથે કાળું ઢાકણું ખોલવાનું. પછી સફેદ કપડાના ચોખ્ખા કટકાથી ટર્ન ટેબલ સાફ કરવાનું. તેના પર લીલા રંગનું મખમલ જેવું કપડું જડેલું હોય. પહેલાં જૂની પિન કાઢીને એક ખાલી ડાબલીમાં મૂકી દેવાની, જેથી ભૂલમાં પણ કોઈને વાગી ન જાય. પછી બીજી દાબડીમાંથી નવી પિન કાઢવાની. દાબડી પાછી ચાર રંગની આવે. કાળા રંગની દાબડીની પિનનો સૌથી મોટો અવાજ. લાલ રંગના ઢાંકણાવાળી દાબડીની પિનથી મોટો અવાજ આવે. લીલા ઢાંકણાવાળી ડાબલીની પિનથી એકદમ ‘સોફ્ટ’ અવાજ આવે. પીળા રંગની દાબડી એ બંને વચ્ચેની, મધ્યમ, માફકસરનો અવાજ. સાઉન્ડ બોક્સમાં અવાજ નાનો મોટો કરવાની સગવડ એ વખતે નહિ. એટલે એ માટે આ ચાર જાતની પિન પર આધાર. હવે જાડા કાગળની ‘સ્લીવ’માંથી હળવે હાથે કાળી, ચકમકતી રેકર્ડને સંભાળીને કાઢવાની. એ વખતે હજી ‘વિન્યાલ’ની રેકર્ડ આવેલી નહિ. એટલે તડ પડતાં કે તૂટતાં વાર ન લાગે. અરે, ઉઝરડો પડ્યો હોય તો ય પિન આગળ વધે જ નહિ. એકની એક પંક્તિ વાગ્યા કરે. ઘણાં ગલઢેરાંને એકની એક વાત ફરી ફરી કરવાની ટેવ હોય છે. ત્યારે કહેવાતું કે ‘એમની તો પિન અટકી ગઈ છે.’ રેકર્ડને ટર્ન ટેબલ પર મૂકવાની. હવે કામ કરવાનું ચાવી ચડાવવાનું. હળવે હાથે હેન્ડલ ઘુમાવો એમ સ્પ્રિંગ વાઈન્ડ થતી જાય. એક વાર વાઈન્ડ કરો પછી રેકર્ડની બંને બાજુ વગાડી શકો. સ્ટોપર ખોલીને ગ્રામોફોન ચલાવવાનું. ટર્ન ટેબલ સાથે રેકર્ડ ઘૂમવા લાગે એટલે સાઉન્ડ બોક્સનું હેન્ડલ ઉપાડીને પિનને રેકર્ડની બહારની ધાર પર મૂકવાની. અને આખા ઘરમાં જ્યુથિકા રોયનો અવાજ ગુંજી રહે : ‘ઘૂંઘટ કા પટ ખોલ, તોહે પિયા મિલેંગે.’

ગ્રામોફોન રેકર્ડ

એ વખતે ગ્રામોફોન રેકર્ડમાં સમાજવાદનો જમાનો હતો. નાની-મોટીનો ભેદ નહોતો. બધી રેકર્ડ ૧૦ ઇંચ અને ૭૮ RPM(રાઉન્ડ પર મિનિટ)ની. સાડા ત્રણ મિનિટ વાગે. પણ પછી રેકર્ડની દુનિયામાં નાની-મોટીના ભેદ ઊભા થયા. બાર ઈંચની લોંગ પ્લેયિંગ (LP) રેકર્ડ ૩૩ RPMની. અને સૌથી નાની ૭ ઈંચની, ૪૫ RPMની. પણ આ નાની-મોટી રેકર્ડ એક જ મશીન પર વગાડવાનું શક્ય બન્યું તે તો ચાવીવાળાંને બદલે ઇલેક્ટ્રિકથી ચાલતાં ગ્રામોફોન આવ્યાં તે પછી. તેમાં પછી તો નાનાં લાઉડ સ્પીકર પણ મૂકાયાં. ગ્રામોફોનને રેડિયો સાથે જોડીને બન્યું રેડિયોગ્રામ. રેકોર્ડિંગ કરવાનું અને રેકર્ડ પ્રેસ કરવાનું વધુ ને વધુ સહેલું અને સસ્તું બનતું ગયું. એક જમાનામાં આઝાદ મેદાન કે ક્રોસ મેદાનમાં દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર દરમ્યાન ‘ફન-ફેર’ કે મેળા ભરાતા. તેમાં નાનાં રેકોર્ડિંગ બૂથ પણ હોય. પાંચ રૂપિયા (એ વખતે એ નાની રકમ નહોતી) આપીને તમે બૂથમાં જાવ. ગમે તે ગાવ કે બોલો. પછી પાંચ-દસ મિનિટ રાહ જોવાની. જાડા પૂંઠા પર લગાડેલા લાખવાળી તમારી નાનકડી રેકર્ડ તૈયાર. ત્યાં તો સાંભળી જ શકો, ઘરે જઈને પણ ગ્રામોફોન પર સાંભળી શકો.

દાયકાઓ સુધી આપણા દેશમાં ગ્રામોફોન રેકર્ડની દુનિયામાં એચ.એમ.વી., કોલમ્બિયા, અને એન્જલ, એ ત્રણ કંપનીએ અડ્ડો જમાવેલો. પણ પછી ‘દેશી’ઓ પણ આગળ આવ્યા. કલકત્તામાં ‘હિન્દુસ્તાન રેકર્ડ’ શરૂ થઈ, તો મુંબઈમાં નેશનલ રેકોર્ડિંગ કંપની. ૧૯૩૫ના જૂન મહિનાની ૨૭મી તારીખે તેની સ્થાપના થઈ. તેનું સરનામું હતું ૧૧૦ મેડોઝ સ્ટ્રીટ, આજનું નામ નગીનદાસ માસ્તર રોડ, કોટ, મુંબઈ ૧. (એ જમાનામાં દેશમાં પિન કોડ નહોતા.) આ લખનારના અંગત સંગ્રહમાં તેનું ઓક્ટોબર ૧૯૩૮નું ‘દિવાળી રિલીઝ’નું કેટલોગ છે. તેના પૂંઠા પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો ફોટો છાપ્યો છે. કેમ? એ દિવાળીએ કંપની તેમની બે નવી રેકર્ડ બજારમાં મૂકવાની હતી. ટીએમ ૮૩૪૪ નંબરની રેકર્ડની બંને બાજુ પર મેઘાણીનું અત્યંત જાણીતું, દેશદાઝથી ઊભરાતું કાવ્ય ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ તેમના જ અવાજમાં રજૂ થયું હતું. બીજી રેકર્ડ ટીએમ ૮૩૨૭ પર મેઘાણીએ ગાયેલાં બે હાલરડાં હતાં ‘તારે આવડી લાલપ ક્યાંથી,’ અને ‘તમે મારા દેવાના દીધેલ છો.’ આ ઉપરાંત રંગભૂમિનાં જાણીતાં કલાકાર અમીરબાઈ કર્ણાટકીનાં નાટ્યગીતો, સુમતિબહેન દરુ અને પાર્ટીના ગરબા, કમલેશ એન્ડ પાર્ટીનું કોમેડી નાટક ‘ગોર જજમાન’ વગેરે નવી રેકર્ડો પણ એ દિવાળીએ કંપનીએ બજારમાં મૂકી હતી. એ વખતની જાહેર ખબરની ભાષાનો એક નમૂનો જુઓ. સુમતિ દરૂ અને તેમની રેકર્ડનો પરિચય આપ્યા પછી અંતે લખ્યું છે : “જ્યારે અમારા ડિલર્સ પાસે આ રેકર્ડ સાંભળવા જાવ ત્યારે વધુ નહિ તો દોઢ રૂપિયો તો આપના ખિસ્સ્સામાં રાખાશો જ, નહિ તો કોઈ સ્નેહી પાસેથી ઉછીનો લઈને પણ આ રેકર્ડ તમારે ખરીદવી જ પડશે. – એ જ આ રેકર્ડનો જાદુ છે.”

એમ્પલિફાયર અને મોટાં લાઉડ સ્પીકર આવ્યાં તે પછી ગ્રામોફોન ઘરની બહાર નીકળ્યું. સાર્વજનિક સમારંભો કે કાર્યક્રમોમાં રેકર્ડો વગાડવાનું સામાન્ય બન્યું. સત્યનારાયણની પૂજા છે? વગાડો ભક્તિગીતો. ગણેશોત્સવ છે? મંડપમાં વગાડો :

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकामना पूर्ति
जय देव जय देव

નવરાત્રીના નવ દિવસ રાતે સંભળાય :

જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ …

અરે! બેટરીથી ચાલતાં ગ્રામોફોન, એમ્પલિફાયર, સ્પીકરની મદદથી વરઘોડામાં પણ રેકર્ડો વગાડતા! પેટ્રોમેક્સના દીવા માથે ઉપાડીને ચાલતી ‘બાઈઓ’ અને જૂની પુરાણી જીપમાં ગોઠવેલ લાઉડસ્પીકરમાંથી વાગતાં ગીતો એ તો મોભાની નિશાની ગણાતી. પણ જે ઊગે છે તે આથમે છે, જે ચડે છે તે પડે છે. ગ્રામોફોન અને તેની રેકર્ડે ઘણાં વરસ જાહોજલાલી ભોગવી. પણ પછી ગ્રામોફોન ઓશિયાળું બનીને ખૂણો પાળતું થયું. ઘરમાં આવ્યો માથાભારે રેડિયો. પણ એની વાત હવે પછી ક્યારેક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2021 

Loading

હૃદ્‌ગત હસમુખ શાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 December 2021

ત્રીજી ડિસેમ્બરે એ ગયા વળતી સવારે કોઈ છાપાએ હસમુખભાઈને પૂર્વનોકરશાહ (એક્સ-બ્યુરોકેટ) તરીકે તો કોઈ છાપાએ એમને આઈ.પી.સી.એલ. કહેતાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના પૂર્વઅધ્યક્ષ તરીકે ઓળખાવ્યા : હસમુખ શાહ જે તે પાયરીએ નહોતા એવું તો નહીં કહી શકીએ. માત્ર, એમને સફળ નોકરશાહો કે જાહેર સાહસના એવા જ યશસ્વી વહીવટકારોથી મૂલ્યાત્મકપણે જુદા તારવી આપતી બાબત એમની સંસ્કારપર્યેષણામાં હતી જે સમાજવિદ્યાઆએમાં – ખાસી કરીને ઇતિહાસમાં તો બીજી બાજુ પર્યાવરણવિજ્ઞાન જેવા એક કાળે મુકાબલે નવા લેખાયેલાં ક્ષેત્રોમાં સાધિકાર પ્રવેશી (અને પ્રવર્તી પણ) શકતી.

હું મને સદ્‌ભાગી સમજું છું કે દર્શક સાથેના સ્નેહસંબંધ અને કિંચિત્‌ કર્મબાંધવીને કારણે હસમુખ શાહ, બી.કે. પારેખ, અનિલ શાહ પ્રકારના રૂડા સંપર્કમાં મુકાવાનું બન્યું. (હસમુખભાઈના સંપર્કમાં તો ભારતીબહેન અને રમેશભાઈને કારણે એક વધુ તાંતણો પણ ખરો.)

હમણાં મેં સંસ્કારપર્યેષણાની જિકર કરી. આ સહૃદયતા એમને એક વહીવટકાર તરીકે કેવી રીતે ફળી એનું સરસ દૃષ્ટાંત એમણે આઈ.પી.સી.એલ.ની કામગીરી માટે ૨,૦૦૦ એકર જેટલી જમીન જે ધોરણે સંપાદન કરી એમાં જોવા મળે છે. વિપુલભાઈ (લંડન) અને હીરજીભાઈ (નાઈરોબી) એમણે દર્શકના વિદેશવાસી ચાહકો પાસેથી નિધિ એકત્ર કરી જે વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો એનું પ્રથમ વ્યાખ્યાન અમદાવાદમાં ઑક્ટોબર ૨૦૧૬માં ભીખુ પારેખે આપ્યું હતું. અમારા સૌની ઉત્કટ ઇચ્છા હતી કે ઓપિનિયન પ્રેરિત ને લોકભારતી સંચાલિત આ વ્યાખ્યાનમાળાના પહેલા મણકા સાથે અધ્યક્ષ તરીકે હસમુખ શાહ સંકળાય. આમ પણ દર્શક ઇતિહાસ નિધિ તો એમનું જ સર્જન હતું. સ્વાસ્થ્યવશ એ પહોંચી શક્યા નહીં. એમની પ્રસંગનોંધ જરૂર મળી હતી. પછી એકવાર કંઈક વાત નીકળતાં મેં કહ્યું કે વ્યાખ્યાનની સવારે જ સાહિત્યનું નોબેલ બૉબ ડિલનને મળેલું એટલે વિપુલભાઈના સૂચનથી અમે ડિલનની જ રચના સાથે આરંભ કરેલો. નર્મદ જેને કડખેદ કહે તે ડિલનના ઉલ્લેખે હસમુખભાઈ જરી ઉત્તેજિત થઈ ઊઠ્યા – કહે કે તમે વુડી ગથરી (Woody Guthrie)નું ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સાંભળ્યું છે? ડિલને ગથરીનો પ્રભાવ સ્વીકાર્યો છે એ જાણતા હશો. પછી એમણે જમીનસંપાદનની કથા ઉકેલી. જી.આઈ.ડી.સી.એ જે જમીનનો ભાવ એકરે પંદર હજાર રૂપિયાનો મૂક્યો હતો તે આઈ.પી.સી.એલે. છપ્પન હજારના ભાવે લીધી, કેમ કે ખેડૂત કે બીજા જમીનમાલિકોને ન્યાય મળવો જોઈએ. એમણે ‘બિઝનેસ સ્ટૅન્ડર્ડ’માં આ વિશે લેખ કર્યો હતો એની ઝેરોક્સ મોકલી આપી ત્યારે ખયાલ આવ્યો કે પોતાની પૂર્વે થયેલ જમીનસંપાદનના અસરગ્રસ્તો છતે વળતરે રસ્તા પર પણ હોઈ શકે છે એનુંયે કંઈક કરવું જોઈએ. એમના પુનર્વસન માટે આઈ.પી.સી.એલે. કરેલા પ્રયાસની તપસીલ એક સહૃદય વહીવટકારનું ચિત્ર ઉપસાવે છે. (યુ.કે.ની એક નોંધપાત્ર સંસ્થાએ આઈ.પી.સી.એલ.ની વિશ્વસ્તરે શ્રેષ્ઠરૂપે આંકણી કરેલી તે સાંભરે છે.)

‘દીઠું મેં’ અને ‘નિરુધેશે’માંથી પસાર થઈએ ત્યારે પણ સંસ્કારિતામંડિત વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થતો રહે છે. રાજકીય ગલિયારીઓમાંના પ્રત્યક્ષ દર્શનનીયે ઝલક મળી રહે છે. જવાહરલાલ ગયા અને કુલદીપ નાયરે જે રીતે મોરારજીભાઈને બદલે શાસ્ત્રીજીનું નામ આગળ આણ્યું એ તો બિલકુલ અંતરંગ માહિતી છે. પરિચય કે સીધી વગ વગર વિદ્યાર્થીને ભણવામાં નિરપેક્ષ સહાયરૂપ થતા મોરારજી દેસાઈનું ચિત્ર પણ હૃદ્ય છે. મોરારજી અને ચરણસિંહ ગયા છે, ઈન્દિરાજી પાછાં વડા પ્રધાન થયાં છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી એક અંતરાલ પછી દિલ્હી આવ્યા છે. એમનો ને હસમુખ શાહનો સંબંધ જાણતાં ઈંદિરાજી કહે છે કે તમે મારી સાથે દફતરમાં છો એથી સંકોચ ન કરશો અને એમને જરૂર મળવા જશો. આ પ્રસંગ ઇંદિરાજીને જુદી રીતે ઓળખાવનારો છે.

તાજેતરનાં વર્ષોમાં એમનું બહાર નીકળવાનું ઘટતું ગયું. એકવાર, ઇતિહાસ નિધિની બેઠક માટે વડોદરા જવાનું મારે પક્ષે શક્ય ન બન્યું એટલે રૂબરૂ મળવાની તક ન રહી. પ્રસંગોપાત ફોનથી વાત થઈ એ સિલકમાં ! પરિષદ પ્રમુખ પદે હું ચુંટાઈ આવ્યો ત્યારે એમણે અભિનંદનના ફોન સાથે કોઈક યોજના પરિષદ સંદર્ભે વિચારતા હોવાનો સંકેત આપ્યો હતો. વડોદરા મળીશું એમ વિચારેલું, પણ કોરાનાકાળમાં એ માટે અવકાશ જ ન મળ્યો.

પ્રસંગે ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સંભારી શકે અને ટાઈનામેન સ્ક્‌વેરમાંયે પ્રત્યક્ષદર્શી હોઈ શકે એવી શખ્સિયત અલબત્ત દેવદુર્લભ!

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 03

Loading

...102030...1,7291,7301,7311,732...1,7401,7501,760...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved