Opinion Magazine
Number of visits: 9674452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરવાજા મોકળા અને ખાળે ડૂચા

અનિલ જોશી|Opinion - Opinion|21 November 2021

આજે સવારે એક મિત્રએ ફોન કરીને મને પૂછ્યું : કિસાન કાયદા રદ્દ થયા એ વિષે તમારો શું પ્રતિભાવ છે ? થોડીવાર અટકીને મેં કીધું : આપણા બાપદાદાઓ કહેવતો રૂપે પ્રતિભાવ આપી ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે : "વાર્યા ન વળે, પણ હાર્યા વળે”. એક કહેવત હિન્દીમાં પણ છે : "બુંદસે ગઈ વો હોજ સે નહીં આતી”.

આજે મારો ઈરાદો "ડ્રગ્સ" વિષે, આપ સહુ દોસ્તો સાથે, પચાસ ગ્રામ જેટલી વાતો કરવાનો છે. અમેરિકામાં ડ્રગના બંધાણીઓ માટે સરકાર રિહેબિટેશન સેન્ટરો ચલાવે છે. થોડાં વર્ષ પહેલાં મેં ફિલાડેલફિયામાં ચાલતા એક મોટા સેન્ટરમાં સૂચી વ્યાસ સાથે અર્ધો દિવસ વિતાવ્યો હતો. કવિતાઓ વાંચી હતી, સારી પ્રેરણાત્મક વાતો કરી હતી, એ સમયની અહીં તસ્વીર મૂકી છે. મારા શ્રોતાઓમાં ડ્રગ માફિયાઓ અને મોટા ક્રિમિનલો હતા. આ સેન્ટરનો એક માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ડ્રગ માફિયાઓ સાથે પ્રેમપૂર્વક સંવાદ થાય તો ક્રિમિનલો બદલી શકે છે. અહીં શહેર કે ગામનાં નામ બદલવાની મૂર્ખતા નથી, પણ માણસ બદલવાની પ્રક્રિયા છે. મુદ્દો અહીં મનુષ્ય ગૌરવનો છે. અર્ધો દિવસ હું ડ્રગ માફિયા સાથે રહ્યો. વિદાય લીધી ત્યારે સહુ ઈમોશનલ થઇ ગયા. આપણે ત્યાં પણ જેલોમાં જઈને ક્રિમિનલો સાથે સત્સંગ કરવા અનેક મિત્રો જાય છે તે સરાહનીય છે. આ તો એક આડ વાત થઇ. મુદ્દો એ છે મનુષ્ય શા માટે ડ્રગનો બંધાણી થઇ જાય છે? કઈ લાચારી છે?

વિખ્યાત સર્જક કવિ એડગર એલન પો ખૂબ નશેડી હતા. કવિએ પોતે જ પોતાના નશા વિષે લખ્યું છે : "મને તે ઉત્તેજકોનો બિલકુલ આનંદ નથી કે જેમાં હું ક્યારેક ખૂબ જ પાગલ થઈ જાઉં છું. તે આનંદની શોધમાં નથી કે મેં જીવન અને પ્રતિષ્ઠા અને કારણને જોખમમાં મૂક્યું છે. ત્રાસદાયક યાદોમાંથી, અસહ્ય એકલતાની લાગણી અને કેટલાક વિચિત્ર તોળાઈ રહેલા વિનાશના ભયથી છટકી જવાનો તે ભયાવહ પ્રયાસ રહ્યો છે."

અહીં તમે જુઓ કે વ્યસનની શરૂઆત એવી આશા સાથે થાય છે કે જે કંઈક 'બહાર' છે તે તરત જ અંદરની ખાલીતાને ભરી શકે છે. એકદરે અંદરથી માણસ સાવ ખાલી ખાલી છે. ખાલીપાના ડબ્બામાં તમારે શું ભરવું એ તમારી વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. કચરો પણ ભરી શકો છો અને ડ્રગના પેકેટ પણ ભરી શકો છો. આધુનિક સમાજ લોકોને હતાશ બનાવતી પરિસ્થિતિઓને દૂર કરવાને બદલે તેમને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ આપે છે. વાસ્તવમાં એન્ટીડિપ્રેસન્ટ્સ એ વ્યક્તિની આંતરિક સ્થિતિને એવી રીતે સંશોધિત કરવાનું એક માધ્યમ છે કે જેથી તે સામાજિક પરિસ્થિતિઓને સહન કરી શકે, જે અન્યથા તેને અસહ્ય લાગે.ન શો અનેક પ્રકારનો હોય છે એ પછી શિવરાત્રીમાં પીવાતી ભાંગ હોય કે ચલમમાં પીવાતો ગાંજો હોય કે બારમા પીવાતો શરાબ હોય. એ સિવાય અંધભક્તિનો નશો હોય છે, સત્તાનો નશો હોય છે, માલિકીનો નશો હોય છે. આજકાલ અમારા મુંબઈમાં ડ્રગ્સ વિષે બહુ સમાચારો પ્રગટ થાય છે. એક બાજુ હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાત અને બીજાં શહેરોમાંથી પકડાય છે એની કોઈ વાત કરતું નથી, અને બીજી બાજુ, પંદર વીસ ગ્રામ ડ્રગ વિષે આખા દેશમાં હો…હો… ગોકીરો થઇ રહ્યો છે. આનો જવાબ ગુજરાતી ભાષાની કહેવત આપે છે : "દરવાજા મોકળા અને ખાળે ડૂચા”.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 21 નવેમ્બર 2021

Loading

માબાપની છત્રછાયા

કમલેશ ઓઝા|Opinion - Opinion|21 November 2021

સંવેદનાની સફરમાં

મિ. સનત ઝવેરી, તમે નિત્યક્રમ પ્રમાણે પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવાને આવો છો. તે મુજબ આજે પણ સવારના ૭ વાગે નિત્યક્રમ જાળવી રાખ્યો છે. તમે એક ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી છો. પ્રહ્લાદનગર સામે જ આર્યવ્રત-૨-માં બંગલામાં તમારું બહોળું કુટુંબ રહે છે. સવારના ૭થી ૯ સુધી પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવા સાથે તમે અનેક મિત્રોને મળો છો. ૨૦ મિત્રો સાથે બેસી પ્રહ્લાદનગરની ગાર્ડનની લોનમાં બેસી ગોષ્ટિ કરો છો. તમે દરરોજ આ ગાર્ડનમાં ચાલવા આવો છો, તે મુજબ એક વૃદ્ધ કપલ પણ દરરોજ સાતના ટકોરે આજ ગાર્ડનમાં લાકડીના સહારે – ટેકે બન્ને પતિપત્ની ચાલતાં હોય છે. તમારી જેમ, રોજ ૭૦ વર્ષ આસપાસ પહોંચી ગયેલાં આ વદ્ધ કપલે પણ નિયમિત ચાલવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. અનેક લોકો સવારના આ ગાર્ડનમાં ચાલતા હોય છે, પણ સવારના ૯ વાગ્યા પછી ચાલવાવાળાં લગભગ બધાં જ ઘરે પાછા જતાં રહે છે.

મિ. સનત ઝવેરી, એક દિવસ તમે બધા મિત્રોએ રવિવારે આજ ગાર્ડનમાં એક પાર્ટ રાખેલી હોય છે, અને લગભગ ૨૦ મિત્રો બધા જ ગાર્ડનમાં સવારે ચાલવાવાળા લોકો સાથે બહુ ખુશ્નુમા વાતાવરણમાં પાર્ટી એન્જોય કરો છો. લગભગ ૧૨ વાગ્યા સુધી તમારી પાર્ટી ચાલે છે. સંગીતના જલસા સાથે, અનેક સારી વાનગીઓ ગાંઠિયા, જલેબી, ગોટા વગેરે સાથે તમારી પાર્ટી પૂરી થાય છે, અને તમે બધા જ મિત્રો એકબીજાને હસ્તધૂનન કરી પોતપોતાના ઘરે પોતપોતાના વાહનમાં ચાલ્યા જાવ છે. એ મુજબ તમે પણ પ્રહ્લાદનગર ગાર્ડનની સામે જ આવેલા આર્યવ્રત બંગલા તરફ પ્રયાણ કરો છો, પણ ત્યાં તમારી નજર પેલા વૃદ્ધ કપલ તરફ પડે છે. ગાર્ડનમાં લગભગ કોઇ નથી. માત્ર આ વૃદ્ધ કપલ એક છાયડે લોનમાં બેસી એકબીજાં સાથે વાત કરતાં હોય છે. આટલા મોડે સુધી આ કપલ બેઠું છે તેની નોંધ લો છો. પણ કેાઇ પણ જાતના પ્રતિભાવ વિના તમે તમારા બંગલા પર પહોંચી જાવ છો – તમારો ચાલવાનો નિત્યક્રમ અને આ વૃદ્ધ કપલનો પણ ચાલવાનો નિત્યક્રમ બન્ને યથાવત છે.

મિ. સનત ઝવેરી, દરરોજ આ કપલને લાકડીના ટેકે ચાલતા જૂઓ છો અને દરરોજ તેમની નિયત જગ્યા પર ઝાડને છાયડે પ્રેમથી વાતો કરતાં જૂઓ છો. લગભગ ૯ વાગે બધા જ ચાલવાવાળા ગાર્ડનમાંથી પોતપોતાના ઘરે જતાં રહે છે. મિ. સનત ઝવેરી, તમે જૂના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો. સમાજ સાથે નિસ્બત ધરાવતી વ્યક્તિ તરીકે તમે અન્ય લોકો કરતાં બીજા લોકોની વર્તણૂક તરફ વધારે ધ્યાન દેવા ટેવાયેલા છો. તે મુજબ એક દિવસ તમારી ઓફ સી.જી. રોડ પર આવેલી ફર્નિશ્ડ ઓફિસ પર જતાં પહેલા ફરીથી બાર વાગે ગાર્ડન પર જાવ છો, અને કુતૂહલવશ તમે પેલા વૃદ્ધ કપલને ગાર્ડનમાં બેઠેલાં ગોષ્ટિ કરતાં જૂઓ છો. ૧૨ વાગે લગભગ ગાર્ડનમાં આ કપલ સિવાય કોઇ તમને દેખાતું નથી એટલે તમે પેલા વૃદ્ધ કપલ પાસે જઇને આત્મીયતાથી નમ્રતાપૂર્વક વંદન કરી પૂછો છો કે દાદા આટલા મોડે સુધી આપ બન્ને કેમ બેઠાં છો ? આપ આપના ઘરે કેમ જતાં નથી ? આપ ક્યાં રહો છો ?

વૃદ્ધ દાદા એકાએક કોઇ વ્યક્તિ આ રીતે પોતાનામાં રસ લે છે તે જાણીને આશ્ચર્ય પામ્યા પણ ખૂબ જ સહજતાથી જવાબ આપે છે કે બેટા, તે અમારામાં અંગત રસ લીધો એ માટે તારા આભારી છીએ. પણ બેટા. અમારી ખૂબ જ અંગત વાત કરતા હું સંકોચ અનુભવું છું. પણ જ્યારે તું આટલો પ્રેમથી પૂછે છે તો હું જવાબ આપું … અને વૃદ્ધ દાદા વાત શરૂ કરતાં કહે છે કે જો બેટા, અમે આજ વિસ્તારમાં મકરબામાં રહીએ છીએ. અને દરરોજ સવારે ચાલવાના બહાને આ ગાર્ડનમાં આવીએ છીએ, અને બપોરે ૧ વાગ્યા પછી અમારા ઘરે જઇએ છીએ. પણ પાછા સાંજે ૬ વાગ્યે આ ગાર્ડનમાં આવી રાત્રે ૯ વાગ્યે ઘરે જઇએ છીએ. કારણ કે બેટા, અમે મારા નાના દીકરા સાથે રહીએ છીએ, જ્યાં માત્ર એક રૂમ અને ચાલી છે એક રૂમમાં રસોડું વગેરે છે. એટલે ઘરમાં નાનાં બાળકો તેમ જ દીકરાની વહુ, બધાં સાથે રહીએ એટલે અમે ઘરમાં સંકડાશ હોવાથી મોટા ભાગનો સમય આ ગાર્ડનમાં જ વિતાવીએ છીએ અને રાત્રે ચાલીમાં બન્ને જણા સૂઇ જઇએ છીએ.

મારો દીકરો વહુ બહુ સારાં છે, પણ દીકરાના ટૂંકા પગારમાં અમે બહુ વ્યવસ્થિત સારા મકાનમાં જઇ શકતાં નથી. એટલ વહુ દીકરાને સહકાર આપી, અમારી જિંદગી આ બગીચામાં જ આનંદથી પસાર કરીએ છીએ. મારે બે દીકરા છે. એક દીકરાને મેં ખૂબ જ મહેનત કરી મારી નોકરીના બચતના પૈસા ભેગા કરેલા તે વાપરીને ભણવા કેનેડા મોકલ્યો છે. જે ભણી ગણીને ખૂબ જ હોશિયાર અને પૈસાપાત્ર થયો છે. પણ બેટા, જ્યારથી ભણવા ગયો, ત્યારથી આજ સુધી આ મા-બાપને કોરું પોસ્ટકાર્ડ પણ નથી લખ્યું. તે તેની ખુશીથી જીવે છે અને અમે આ નાના દીકરા સાથે તેને સહકાર આપી પાછલી જિંદગી પણ આનંદથી જીવી રહ્યા છીએ. મારો નાનો દીકરો સવારના ૯થી રાત્રે ૧૧ સુધી નોકરી કરે છે. કાળુપુર પર એક હાર્ડવેરની દુકાનમાં ટૂંકા પગારમાં તેનું જીવનનું ગાડું ચલાવે છે. મારી પાસે કોઇ બચત નથી. મારી જિંદગીની મૂડી મોટા દીકરાને ભણાવવામાં વાપરી નાખી, હું નિવૃત્ત થઇ ગયો છું. ક્યાં ય નોકરી ના કરી શકું અને મારી બેંક બેલેન્સ ઝીરો છે. બેટા, પણ છતાં જિંદગી બોજ નહીં માનીને અમે બન્ને પતિ-પત્ની રાજીખુશીથી આ બગીચામાં જ મોટા ભાગનો દિવસ પસાર કરીએ છીએ.

મિ. સનત ઝવેરી, તમે દાદાની વાત સાંભળી ઘડીભર તો અસમંજસ સ્થિતિમાં મુકાઇ ગયા. મિ. સનત ઝવેરી, તમે પહેલેથી જ પરોપકારી જીવના માણસ છો. તમારો માહ્યલો જાગૃત થઇ ગયો અને તમે તરત જ દાદાને કહ્યું કે દાદા, તમે આજથી મારા દાદા જ છો. મારા બંગલામાં બે આઉટહાઉસ છે. એકમાં મારો ડ્રાઇવર રહે છે અને એક ખાલી છે. દાદા અને બા, તમે બન્ને મારા આઉટહાઉસનો ઉપયોગ કરી શકો છો. આજથી જ તમને હું મારા આઉટહાઉસમાં રહેવાની સગવડ કરી દઉં – બન્નેને માટે પલંગ લાવી દઉં, નાનો સોફો લાવી દઉં અને તમે કાલથી મારા આઉટહાઉસમાં રહેવા આવી જાવ. અને અત્યારે મારા ડ્રાઇવરને કહું છું કે તમને તમારા મકરબાના નિવાસસ્થાને મૂકી જાય. દાદા મારી પાસે ત્રણ મોટરકાર છે એક ગાડી તમારે માટે આપીશ. તમે મારા કુટુંબનામાંના એક મોભી વ્યક્તિ તરીકે રહો. મારાં પત્ની પણ મારી આ દરખાસ્તમાં હા જ પાડશે. અમારા કુટુંબના સભ્યો પહેલેથી જ એવા સંસ્કારમાં તે ઘડાયેલા છે કે અમે હંમેશાં અમારા સિવાય બીજા માટે પણ કંઇક કરી છૂટવાની ભાવના ધરાવીએ છીએ, દાદા. ચાલો, હું તમને મારા બંગલાનું આઉટ હાઉસ બતાડું, જ્યાં તમારે કાલથી રહેવાનું છે. – – મિ. સનત ઝવેરી, તમારી આ દરખાસ્તથી દાદા-દાદી ખુશ ખુશ થઇ ગયાં અને મનોમન વિચારતા થયા કે ભગવાને મને આજે ત્રીજો દીકરો આપ્યો. મિ. સનત ઝવેરી દાદાએ કુતૂહલવશ પૂછી લીધું કે બેટા, આવું તારા પરોપકારી જીવન પાછળનું રહસ્ય શું છે ? આજના જમાનામાં જ્યાં લોકો ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ છે અને સ્વકેન્દ્રીત સમાજ વ્યવસ્થામાં તને આ પરોપકારી સ્વભાવનો, તારા સિવાય બીજા માટે વિચારવાની પ્રેરણા કેવી રીતે મળી?

મિ. સનત ઝવેરી, પેલા દાદાએ તમને પ્રશ્ન કરી, તમારી આંતરિક સ્થિતિમાં ડોકિયું કરાવી તેમને આનંદવિભોર કરી દીધા. અને મિ. સનત ઝવેરી, તમે પેલા દાદાને બહુ જ નિખાલસતાથી મક્કમપણે જવાબ આપી કહ્યું કે દાદા હું મારા મોસાળ મારા દાદીમાં-નાની પાસે ઉછર્યો છું. અને મારા દાદીમા-નાનીએ મને શિખામણ આપી હતી કે બેટા, સનત જો જિંદગીમાં પૈસા તો બધા બહુ કમાય છે પણ એ પૈસા જ્યાં સુધી પરોપકાર માટે ન વપરાય ત્યાં સુધી એ પૈસા એ પૈસા નથી માત્ર હાથનો મેલ છે. એટલે જિંદગીમાં બેટા તારી પોતાની જાત સિવાય બીજા માટે પણ કંઇક વિચારવું યથાશક્તિ બીજા માટે મનથી હૃદયથી કંઇક કરવું અને એ બીજા લોકોના જીવનમાં ખુશી લાવવી એ જ સાચો ધર્મ છે. ધર્મ માત્ર મંદિરોમાં જઇને દર્શન કરવા પૂરતો સિમિત ન રાખવો, પણ બીજા માટે કંઇક કરી તેમના જીવનમાં ખુશીનો માહોલ પેદા કરી તેમને ઉત્તમ જીવન વ્યવસ્થા સાથે માનવીય મૂલ્યોવાળું જીવન પ્રસ્થાપિત કરવું.

દાદા મારા નાનીમાએ આપેલી આ શિખામણ મારા માટે કરોડો રૂપિયા કરતાં વધારે છે અને એ જ શિખામણ જીવનમાં મને મહુ જ કામમાં આવી છે. અને આજે હું એક બહું જ પ્રતિષ્ઠિત વેપારી તરીકે સ્થાન ધરાવું છું. તેમાં મારા દાદીમાના સંસ્કારનો ફાળો છે. દાદા, ચાલો મારા બંગલે તમને લઇ જઉં. આ વાત સાંભળી, શ્રી સનત ઝવેરી, પેલા દાદા બા બન્નેએ તમારા નાનીમા સુમિતાબહેનને સ્મૃતિ વંદન કર્યાં અને કહ્યું કે બેટા, બધા દીકરાઓને આવા નાની દાદીમા મળજો.

મિ. સનત ઝવેરી, પછી તમે દાદા-બાને બંગલે લઇ જાવ છો. કુટુંબના બધા જ સભ્યોની તેમની સાથે ઓળખાણ કરાવીને કહો છો કે દાદા બા આજથી આપણા કુટુંબના સભ્યો બને છે અને આવતી કાલથી દાદા બા આપણી આઉટહાઉસમાં રહેવા આવશે. તેમની બધી જ વ્યવસ્થા હું કરું છું. કુટુંબના બધા જ સ, મિ. સનત ઝવેરી, તમારી વાત સાથે સંમત થાય છે. અને તમારા ઘરમાં નવા બે બુઝર્ગ વડીલોનો સમાવેશ થશે, તે વાત સાથે આખું કુટુંબ જીવનના એક નવા પ્રયાણ તરફ પ્રવેશે છે. મિ. સનત ઝવેરી, તમારો આ પ્રસ્તાવ પેલા દાદા સહર્ષ સ્વીકારે છે, પણ ખૂબ જ નમ્રતાથી સહજભાવે કહે છે કે જો બેટા, તારો પ્રસ્તાવ હું માથે ચડાવું છું પણ મા-બાપની છત્રછાયા નીચે તૈયાર થતાં બાળકો-દીકરાઓ ખુશનસીબ હોય છે. વડીલોની હાજરી તેમના જીવનમાં નવો રંગ લાવે છે. એટલે બેટા, તારો પ્રસ્તાવ હું સ્વીકારું છું, પણ અમે મારા દીકરાનું ઘર છોડીને તેને એકલો મૂકીને તારા ઘરે હંમેશ માટે નહીં રહી શકીએ. તે દીકરાને મારે હું જીવતો છું ત્યાં સુધી હું તેને અનાથ નહીં થવા દઉં. પણ અમારા નિવાસસ્થાનમાં જગ્યા ઓછી હોવાથી અમે જે સમય ગાર્ડનમાં વિતાવતાં હતાં તે સમય અમે જરૂર તારા બંગલાના આઉટહાઉસમાં રહીશું. પણ બાકીનો સમય તો મારા દીકરા સાથે જ ગાળીશું.

મિ. સનત ઝવેરી, તમે આ વાત સાંભળી આશ્ચર્ય સાથે દાદાના આદર્શ પિતા તરીકેનો રોલ અનુભવ્યો. જિંદગીની નાવમાં તડકા છાયડામાં કુટુંબથી અલિપ્ત કદિ ન થવું. દીકરા વહુ સાથે સમરસતા કેળવવી અને છત્રછાયા નીચે તેમને જીવનના રાહમાં હંમેશાં સહકાર આપવો. તે શિખામણ ઉપદેશ સાથે તમે દાદાને વંદન કરો છો અને તમારા નાની-દાદીમાની શિખામણ જેવી જ આ સોનેરી મૂલ્યનિષ્ઠ શિખામણને માથે ચડાવો છો. અને દાદાને કહો છો કે હા. દાદા. તમારી વાત સાચી છે. તમારા દીકરાથી જુદા નહીં થાવ તમને અનુકૂળ પડે ત્યારે એટલો સમય જરૂર મારા આઉટહાઉસમાં રહો તમને અહીં બધી જ સગવડ મળશે, તેમ કહી મિ. સનત ઝવેરી, તમે તમારી કારમાં દાદાદાદીને દાદાના દીકરાના મકરબાના નિવાસસ્થાને મૂકી આવ્યા. અને એક ઉત્તમ માનવીય મૂલ્યને ઉજાગર કરી, દાદા-દાદીનાં જીવનમાં એક નવી તરાહ ઉમેરી તેમના જીવનને આનંદમય બનાવ્યું.

મિ. સનત ઝવેરી, તમને લાખ લાખ સલામ. તમારી દાદીમા નાનીની શિખામણ આપવા બદલ દિવંગત નાનીને પણ સલામ અને સલામ પેલા દાદાને કે જેમણે પોતાના દીકરાનું ઘર નહીં છોડીને વૃદ્ધત્વના સહારે તેમની છત્રછાયા ચાલુ રાખી ઉત્તમ માનવીય મૂલ્યોને ઉજાગર કર્યા.

જિંદગીની સફરમાં સંવેદના અનુભવવાની હોય છે.

e.mail : koza7024@gmail.com

Loading

घर वापस जाइए !

कुमार प्रशांत|Opinion - Opinion|20 November 2021

गुरु परब या प्रकाश पर्व पर केंद्र सरकार को इतना अंधरा क्यों दिखाई दिया कि उसने अपना रास्ता ही बदल लिया ? ऐसा क्या हुआ कि मुट्ठी भर गुंडे, आतंकवादी, खालिस्तानी, देशद्रोही किसानों के सामने, 2014 में देश को आजाद कराने वाली अजेय सरकार व दुनिया के सबसे बड़े राजनीतिक दल ने घुटने टेक दिए ? ऐसा क्या हुआ कि किसानों को इन स्वर्णिम कानूनों का असली स्वरूप समझाने की 11 दौर की खोखली बातचीत में सरकार जो सत्य खुद नहीं समझ पा रही थी, वह अचानक उसकी समझ में आ गया ? क्यों ऐसा हुआ कि साल पूरा होते-न-होते किसानों का आंदोलन बिखर जाएगा जैसी बात का प्रचार करने वाली सरकार का संकल्प, साल पूरा होने से पहले ही दम तोड़ गया ? और एक सवाल यह भी कि  इतिहास बदल देने वाली हर महत्वपूर्ण घोषणा आधी रात को करने वाली सरकार ने यह घोषणा सुबह में क्यों की ? कहीं ऐसा तो नहीं कि सरकार खुद ही देख व समझ रही है कि रात के अंधेरे में की उसकी सारी घोषणाएं रात के अंधेरे में ही बिला कर रह गई हैं ?

किसानों का यह पूरा मामला, 2014 से उठ रहे हर मामले की तरह ही, प्रधानमंत्री की सीधी देख-रेख में, उनकी रणनीति से चलाया व बढ़ाया जा रहा था. इसलिए कृषि कानूनों की वापसी की घोषणा करते हुए प्रधानमंत्री ने बड़ी चतुराई से, पतली गली से निकलने की कोशिश में यह कहा कि यह वक्त किसी को दोष देने का नहीं है बल्कि आंदोलनकारी किसान भाइयों के घर लौट जाने का है. दुष्यंत  कुमार के शब्द उधार लूं तो कहूंगा : चाकू की पसलियों से गुजारिश तो देखिए ! श्रीमान, यह कैसा तर्क है ? जब सरकार खुले आम माफी मांग रही हो तो इससे ज्यादा मौजूं वक्त दूसरा क्या हो सकता है कि देश देखे-समझे कि कृषि कानूनों के संदर्भ में दोष किसका है; क्षद्म कहां है; अहंकार का जहर कहां-कहां नसों में उतर रहा है और कौन है कि जो अप्रतिम कहलाते हुए भी लगातार मिट्टी का माधो साबित हो रहा है ? सवाल 3 कृषि कानूनों का ही नहीं है. कृषि कानून जिस श्रृंखला में आते हैं उसकी प्रारंभिक कड़ियां नोटबंदी, जीएसटी, भूमि अधिग्रहण कानून, श्रम कानून, नागरिकता कानून, बैंकिग प्रणाली का बंटाधार, कोरोना का लॉकडाउन, अमरीकी नागरिकों से ट्रंप की भोंडी पैरवी, कश्मीर का विभाजन, चीन से लगातार पिटती हमारी राजनयिक चालें, देश की तमाम संवैधानिक संस्थाओं के क्षुद्र राजनीतिकरण से भी जुड़ती हैं. ये सारे कानून, ऐसी सारी पहलें एक ही अक्ल से पैदा हुई थीं और एक ही प्रक्रिया से देश पर थोपी गई थीं. इसलिए इनकी समीक्षा करने का यह सही वक्त है जब समय ने अपना आईना सामने कर दिया है.

जिन कृषि कानूनों के बारे में धमकी देते हुए कहा जाता रहा कि किसान और कुछ भी मांग लें लेकिन इन कानूनों की वापसी का सपना भी न देखें, वे ही कानून रद्दी की टोकरी में डाल दिए जाएं तो कोई पूछे भी नहीं कि या इलाही ये मांजरा क्या है ? अगर चुप ही रहना था तो फिर प्रधानमंत्री ने कैसे कहा कि दिये के प्रकाश की तरह साफ था कि इन कानूनों से किसानों का भला होने वाला है लेकिन कुछ जड़बुद्धि किसानों को यह समझ में ही नहीं आया. तो दोष निकालने का काम तो आपने शुरू कर दिया न !  फिर यह तो पूछा ही जाएगा कि ‘इन कुछ किसानों’ के अलावा आपके सारे किसान कहां हैं अब ?  फिर आपने यह भी कहा कि हम एक कमिटी बनाएंगे जिसमें फलां-फलां तरह के लोग रहेंगे जो किसानों के सारे सवालों की समीक्षा करेंगे और अपनी सिफारिश देंगे. तो प्रकारांतर से आपने यह कबूल किया न कि आपकी पिछली प्रक्रिया दोषपूर्ण थी ! उसमें किसी स्तर पर भी विचार-विमर्श की बात की ही नहीं गई थी. न संसद में, न सलेक्ट कमिटी में, न सर्वदलीय बैठक में कहीं भी कृषि कानूनों पर विमर्श के लिए सरकार तैयार नहीं थी. कोरोना के लिए थाली बजाओ की तर्ज पर किसानों से कहा गया कि ताली बजाओ ! किसानों ने ताली नहीं बजाई बल्कि एक-दूसरे का हाथ थाम लिया.

लोकतांत्रिक विमर्श का कोई भी सार्वजनिक मंच अस्तित्व में न रहने दिया जाए तो क्या आप एकतरफा भाषणों व सिर्फ अपने मन की बात से लोकतंत्र का ढांचा टिकाए रख सकते हैं ? यही क्षद्म था जिसका आज पर्दाफाश हुआ है.  सरकार भी समझे और किसान भी और विपक्ष भी कि बुनियादी सवाल लोकतंत्र को एक व्यक्ति की अक्ल व अहंकार का बंदी बनाने का है – फिर वह पार्टी हो कि परिवार कि आंदोलन कि संगठन!

अंधभक्ति का सबसे बड़ा दोष यह है कि वह धंधा ही अंधों का है. अंधों का अंधकार घना ही नहीं होता है, अभेद्य भी होता है. ऐसा ही इस सरकार के साथ हो रहा है – अहंकार में फूली सरकार, चापलूसी में लगी  नौकरशाही और अंधभक्तों की जय जयकार ! इस तिकड़ी ने देखा ही नहीं कि 700 किसानों के बलिदान के बाद भी आंदोलन का दायरा बढ़ता जा रहा है, संकल्प मजबूत होता जा रहा है और वह कई ऐसे सवालों को समेटने भी लगा है जिसे सामाजिक जीवन के विमर्श से बाहर ही कर दिया गया था.

किसानों ने एमएसपी की आड़ में चलाए जा रहे बहुराष्ट्रीय कंपनियों के अन्न व्यापार को और उसके साथ खड़ी सरकार को पहचानना शुरू कर दिया. उसने अभिव्यक्ति की स्वतंत्रता के बंदियों का सवाल भी उठाया, जीप से किसानों को कुचलने की रणनीति बनाने वाले गृह राज्यमंत्री की औकात भी बताई. दिल्ली की सीमा पर किसानों को रोकने के लिए जिस तरह कीलें गाड़ी गईं, दीवारें खड़ी की गईं, सड़कें जाम की गईं, पुलिस से किसानों की पिटाई करवाई गई, वह सब किसी भी लोकतांत्रिक सरकार को शर्मसार करने के लिए काफी था. लेकिन शर्म तो छोड़िए, कभी एक मानवीय बोल भी प्रधानमंत्री के मुंह से नहीं फूटा. किसानों ने यह सारा कुछ जिस संयम व स्वाभिमान से झेला उस कारण इसका कुछ ऐसा स्वरूप बनता गया कि किसानों के नेतृत्व में चलने वाला एक जन आंदोलन उभरने लगा. यह बात किसानों की समझ में आने लगी कि तीनों कानूनों की वापसी, एमएसपी की गारंटी आदि आंदोलन की मांगें भले हैं लेकिन असली बात तो यह है कि कारपोरेटी अर्थ-व्यवस्था का शिकंजा जब तक टूटता नहीं है, किसानों के गले का फंदा खुलता नहीं है. सरकार ने इसे पहचाना होता और अंधभक्तों ने उसे यह देखने दिया होता तो सरकार अपना रुख बदल सकती थी. लेकिन भद्दी, स्तरहीन भाषा का इस्तेमाल संसद में और संसद के बाहर शीर्ष से नीचे तक के महानुभावों ने जिस तरह किया, उसने हमारा सार्वजनिक विमर्श रसातल में पहुंचा दिया.

प्रधानमंत्री को यह दांव  बहुत मंहगा पड़ सकता है क्योंकि उनकी इस घोषणा ने पूरे आंदोलन को चुनाव के मैदान में ला खड़ा किया है. अब फैसला यह नहीं होना है कि कौन-सी पार्टी जीतती है, फैसला यह होना है कि आंदोलन जीतता है कि हारता है. यह देश के किसानों की आन का सवाल बन गया है. चुनावी जीत का रसायन अब तक जिस तरह बनाया जाता रहा है, वह शायद इस बार काम न आए. 1977 में कांग्रेस के साथ ऐसा ही हुआ था, 2022 में भी ऐसा हो सकता है.  किसानों ने और विपक्ष ने यदि इस नजाकत को समझा और अपना खेल बदला तो लोकतंत्र को यह आंदोलन बहुत बड़ी देन दे जाएगा. प्रधानमंत्री ने किसानों से कहा है कि घर वापस जाइए. संभव है कि किसान प्रधानमंत्री से भी ऐसा ही कहें.

(19.11.2021)

My Blog : https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,7281,7291,7301,731...1,7401,7501,760...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved