અટકી ગયો દેહ
હવા બહાર તો હતી
પણ હવે શ્વાસ બનતી …
રક્ત બનેલું એટલું જ રહ્યું
નવું બનતું અટકી ગયું
આંસુ
હૈયેથી આંખ સુધી આવતાં
વચ્ચે જ થંભી ગયું હતું
એમાં ખારાશ ભળતાં ભળતાં રહી ગઈ હતી
જળ ગળામાં જ અટકી પડ્યું હતું
અન્ન રહી ગયું હતું ઉદરમાં
એનું રક્ત બનવા લાગ્યું હતું
પણ પછી ન અન્ન કહેવાય કે ન રક્ત એવું કૈંક …
પછી હું પોતે ફરી વળ્યો મારામાં
ખૂણે ખૂણો જોઈ વળ્યો
આંસુ
આંખ તરફ ઊંચે ચડતું હતું
એમાં ખારાશ ભળતી હતી
પણ ક્યાંથી તે …
બહુ કોશિશ કરી પણ
હર્ષ બનાવનારું બિંદુ ક્યાંયથીય હાથ ના લાગ્યું
અન્ન
રક્ત બનતું હતું
પણ ક્યાંથી અન્ન રહેતું ન હતું
ને ક્યાંથી રક્ત બનતું હતું એ …
જીવંત રાખનારું કૈક તો હતું
પણ એ શું હતું?
રક્ત?
તે તો મૃતમાં પણ હતું
હવા?
તે પણ મૃતની બહાર તો હતી જ !
પ્રશ્ન એ હતો કે
એને શ્વાસ કોણ બનાવતું હતું તે …
000
e.mail : ravindra21111946@gmail.com
‘એતદ્દ -231‘માં પ્રગટ કાવ્ય; જુલાઈ – સપ્ટેમ્બર 2021; પૃ. 18
![]()


પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય – ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય – થિયરેટિકલ ક્રિટિસિઝમ.
હિન્દુત્વવાદીઓ બસ આટલું જ ઇચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના!