Opinion Magazine
Number of visits: 9674353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

दिया जलाओ !

कुमार प्रशांत|Opinion - Opinion|5 February 2022

1943 का साल था और कुंदनलाल सहगल ने अपनी फिल्म ‘तानसेन’ में अपने मन-प्राणों का पूरा बल लगा कर गाया था : दिया जलाओ … जगमग जगमग दिया जलाओ ! अंधकार को तोलती और प्रकाश का आह्वान करती ऐसी हूक, ऐसी वेदना और ऐसी ललकार थी उनकी आवाज में कि हम विवश हो जाते थे कि मन के किसी कोने में, कहीं तो कोई दीप जले !! कला यही करती है. लेकिन राजनीति इसका उल्टा करती है.  नया साल आया नहीं कि राजनीति ने जलता दिया बुझा दिया.

अमर जवान ज्योति पिछले 70 से अधिक सालों तक उस इंडिया गेट पर जलती रही थी जिसे अब सेंट्रल विस्टा जैसा बेढब नाम दे कर धूल, धुआं और धंधे की गर्द में इस तरह ढक दिया गया है कि देश की राजधानी की उस पहचान का दम ही टूट गया है. वह पूरा परिसर आज शोक व सन्नाटे में डूबा है. कोई नई रचना पुराने इतिहास को इस तरह नेस्तनाबूद कर सकती है, इसकी कल्पना भी इस हादसे से पहले करना मुमकिन नहीं था. लेकिन उनके लिए यह मुमकिन है जो देश के इतिहास से नहीं, अपने इतिहास से निस्बत रखते हैं.

जो अमर जवान ज्योति रातोरात बुझा दी गई, वह तैयार भी रातोरात ही हुई थी- 1971 में भारत-पाक युद्ध की जीत के बाद ! लेकिन इसका इतिहास इससे भी पहले की कहानी बताता है. अंग्रेजों ने अपने सबसे बड़े व कमाऊ उपनिवेश की अपनी राजधानी को सत्ता व संपत्ति का भव्यतम प्रतीक बना कर खड़ा करने की सोची तो वास्तुकार एडविन लुटियंस को अपनी भव्यतम उड़ान को साकार करने का मौका मिला. उसने वह सब बनाया जो वह बनाना चाहता था. औपनिवेशिक शोषण में धन की कमी तो थी नहीं. हमारी सरकारी दिल्ली आज भी उनके स्थापत्य कला के तले दबी हुई है. 1914 से चलकर पहला विश्वयुद्ध 1919 में समाप्त हुआ तो अंग्रेज हुकूमत को अहसास हुआ कि साम्राज्य की नींव मजबूत रखने के लिए यह जरूरी है कि प्रजा यह देखे कि साहब बहादुर उसका कितना ख्याल रखते हैं. इस तरह महायुद्ध में मारे गए देशी फौजियों का एक युद्ध स्मारक बनाने का ख्याल आया और लुटियंस साहब ने1919 से शुरू कर 1931 में वह स्मारक तैयार किया जिसे हम इंडिया गेट कहते हैं- एक ऐसा गेट कि जिसकी एक तरफ खड़े हो कर आप अपने सामने अंग्रेजी हुकूमत का दंभ-दर्प और वैभव एक साथ देख सकते हैं. गुलामों को यह याद दिलाना कि गुलामी भी कितनी भव्य व सुनहरी हो सकती है, इसका मकसद था.

यह इतिहास इंडिया गेट पर ठहरा, पथराया ही रहता लेकिन इंदिरा गांधी ने 1973 में बड़ी खूबसूरती व तत्परता से इसे मिटा दिया और स्वतंत्र भारत के इतिहास में समाहित कर लिया. इंडिया गेट अमर जवान ज्योति में बदल गया. यह जिस तरह बना व खिला उसमें यह युद्ध स्मारक नहीं, बलिदान स्मारक बन गया. अंग्रेजों ने इसकी ऊपरी दीवार पर महायुद्ध में मारे गए कोई 3 हजार भारतीय फौजियों के नाम खुदवाए थे जो बताते हैं कि धर्म-जाति-भाषा-का भेद किए बिना सबने बलिदान दिया था. अमर जवान ज्योति ने इसे भूत-वर्तमान व भविष्य तीनों को जोड़ दिया. कल्पना यह रही कि पहले के भी और भविष्य के भी युद्धों में बलिदान होने वालों का यह प्रतीक स्मारक होगा जिसकी ज्योति सदा जलती रहेगी. वहां का पूरा वातावरण युद्धोन्माद नहीं, वीरता के लिए श्रद्धा जगाता था. उल्टी राइफल पर टंगा फौजी टोप, सामने जलती अमर जवान ज्योति और चौबीस घंटे पहरे पर खड़ा मौन, पाषाणवत् फौजी जवान – सब मिलकर सारे बलिदानों का ऐसा मुखर व शालीन प्रतीक बनाते थे कि उसके चारो ओर उत्सव मनाता भारत भी उसकी गरिमा संभाल कर चलता था. एक झटके में यह सारा कुछ मेट दिया गया. अमर जवान की ज्योति ही बुझा दी गई.

सवाल कई हैं जिनका जवाब कई स्तरों पर ढूंढा जाना चाहिए. युद्ध स्मारकों से पश्चिमी दुनिया पटी है, क्योंकि उनका सारा संसार बना ही युद्धों से है. उनके यहां युद्ध धार्मिक वीरता के भी, प्रतिद्वंद्वी के विनाश के भी, हथियारों का धंधा कर कमाई करने की भी युक्ति रहे हैं. दोनों विश्वयुद्धों में की गई अपनी अकूत कमाई के बल पर ही अमरीका ऐश्वर्य के शिखर पर विराजता रहा है. भय दिखा कर और भय बढ़ा कर आमने-सामने की स्थिति पैदा करना और फिर दोनों पक्षों को हथियार बेंचना पश्चिम की हर महाशक्ति का सम्माननीय धंधा रहा है. आज पश्चिम में छाई मंदी के पीछे एक कारण यह भी है कि पिछले दिनों में युद्ध तो कई हुए हैं, होते रहे हैं लेकिन महायुद्ध नहीं हो सके हैं. महायुद्ध नहीं तो महा कमाई नहीं. इसलिए उनके यहां युद्ध स्मारकों का एक मतलब युद्धों को जीवित रखना भी है.

हमारे यहां भी युद्ध हुए हैं लेकिन वे कमाई के साधन नहीं रहे हैं. हमारी वृत्ति कभी साम्राज्यवादी या औपनिवेशिक नहीं रही. हमारे युद्धों का उद्देश्य भी कुछ बड़ा और कुछ श्रेष्ठ रहा है – महाभारत भी न्याय के लिए हुआ तो अनेक युद्ध आती औपनिवेशिक गुलामी को रोकने के लिए हुए. इसलिए भारतीय परंपरा में युद्ध स्मारकों की नहीं, बलिदान या शहादत के प्रतीक स्मारकों की स्वाभाविक जगह बनती है. और यह भी कि प्रतीक परिपूर्णता दर्शाते हैं, संख्या नहीं. साम्राज्य के सारे प्रतीकों को आत्मसात करती हुई अमर जवान ज्योति उन सबका परिपूर्ण प्रतिनिधित्व करती थी जो सार्वभौम, स्वतंत्र देश का गौरव संजोते हैं तथा एक उद्दात मन तैयार करते हैं. बाहर जलती ज्योति जब भीतर उजाला करती हो तभी उसकी सार्थकता है. अमर जवान ज्योति एक ऐसा ही प्रतीक बन कर भारतीय मन में अवस्थित हो चुका था. जरूरत नहीं थी उसे बुझाने की. जरूरत थी ही तो नवनिर्मित युद्ध स्मारक में एक ज्योति और जलाई जा सकती थी. अंधकार जितना घना और अभेद्य होता है, समाज को उतने ही उजाले की जरूरत होती है. यह किसने कहा कि एक बुझा कर ही दूसरा जलाया जा सकता है ? लेकिन जब प्रतीकों, महापुरुषों और  इतिहासों को हड़पने की पागल दौड़ चल रही हो और कोई, किसी की शह पा कर कह रहा हो कि आजादी 1947 में नहीं, 2014 में मिली, तब तो दीप बुझेंगे ही, हर इतिहास हमसे ही शुरू होता है, यह निर्धारित किया ही जाएगा. यह अंधकार बाहरी ज्योति जलाने से दूर नहीं होगा.

क्या किसी को याद है कि राजधानी में ही एक ज्योति और भी जल रही है ? बापू की समाधि राजघाट पर जलती ज्योति क्या यह कह बुझाई जाएगी कि स्वतंत्रता के शहीदों का एक नया स्मारक हम बना रहे हैं जहां सबके नाम से एक ही ज्योति जलाई जाएगी ? तो बापू की हत्या तो स्वतंत्रता के बाद हुई थी. तो उस ज्योति का क्या करेंगे आप ? अब देखिए, अब छत्तीसगढ़ में अमर जवान ज्योति बनाई गई. अागे हो सकता है कि राज्यों में वैकल्पिक ज्योति जलाई जाए. जब आम सहमति बनाने की आप कोई कोशिश नहीं करते हैं तो आम प्रतिक्रिया ऐसी ही होती है. ऐसी ज्योतियां और अंधकार फैलाएंगी.

(05.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com  

Loading

ચલ મન મુંબઈ નગરી—131

દીપક મહેતા|Opinion - Opinion|5 February 2022

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

‘આપણ હ્યાંના પાહિલાત કા?’ આજે પણ દૂરદર્શનની સહ્યાદ્રી ચેનલ પર આવી જાહેરાતો જોવા મળે છે. ખોવાયેલી વ્યક્તિનો ફોટો અને તેને વિશેની થોડી માહિતી પણ સાથે હોય. આજે વાત કરવી છે – ના, ખોવાયેલી, ગુમશુદા વ્યક્તિઓની નહિ, પણ કેટલાક વિસરાયેલા વ્યવસાયોની.

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

આજથી ૭૫-૮૦ વરસ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગની સવાર મોટે ભાગે પડતી દાતણ સાથે. હા, બાળકો માટે ઘણાં ઘરોમાં ટૂથપેસ્ટ આવી ગઈ હતી, પણ ટૂથબ્રશ નહિ. થોડી ટૂથપેસ્ટ એક આંગળીના ટેરવા પર લઈને તેને દાંત પર ઘસવાની. પણ મોટેરાં તો વાપરે દાતણ. શાક લેવા જાય ત્યારે ગૃહિણી સાથોસાથ દાતણ પણ લેતી આવે. આ દાતણ વેચનારી બાઈઓ મોટે ભાગે વાઘરી કોમની. બપોર પડ્યે દાતણનો મોટો ભારો માથે મૂકીને બજારમાં આવે. જૂની ચાદર કે સાડી પાથરી તેના પર ભારો મૂકીને ખોલે. જાડી-પાતળી, નાની-મોટી સોટીઓ અલગ કરી દરેકનો ભાવ ઠરાવે. લેવા આવનાર ઘરાક રોજના ઓળખીતા હોય તો ય ભાવ અને ‘ક્વોલિટી’ અંગે પહેલાં થોડી રકઝક થાય. ઘણાંખરાં બૈરાં ઉભડક બેસીને મોતી વીણતાં હોય તેમ દાતણ પસંદ કરે. પછી દાતણવાળી ધારદાર સૂડીથી દાતણના એકસરખી લંબાઈના ટુકડા કરી તેને કાચા દોરાથી બાંધી આપે. આખો સોદો બે-ચાર આનાનો હોય, પણ જાણે લાખ્ખો રૂપિયાનો હોય તેવી રીતે બંને પક્ષે પાર પડે.

દાતણ નહિ તો દંતમંજન

ઘરનાં જેટલાં જણ દાતણ વાપરતાં હોય તેટલા દાતણના કટકા કરીને રાત્રે સૂતાં પહેલાં વહુઆરુ તાંબાના કળશામાં પાણીમાં પલાળી દે. સવારે પહેલું કામ દાતણ કરવાનું. વહુઆરુએ તો સૌથી પહેલાં જ જાગવાનું હોય. ઘરનાં ગલઢેરાં માટે દાતણનો એક છેડો દસ્તાથી કે ચટણી વાટવાના પથ્થરથી ટીપીને નરમ કરીને મૂકે. એક પછી એક જેમ ઘરનાં માણસ ઊઠતાં જાય તેમ પહેલું કામ દાતણ કરવાનું, કોગળા કરવાનું. કોગળાનો બને એટલો મોટો અવાજ કરવાનો. દાંત સફાઈ થઈ જાય એટલે દાતણની બે ફાડ કરવાની અને એકનો ઉપયોગ ઓળિયા કે જીભિયા તરીકે કરવાનો. જો કે, આ દાતણનો રિવાજ મોટે ભાગે ગુજરાતી ઘરોમાં જ જોવા મળતો. આ લખનાર જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં રહ્યો ત્યારે ત્યાં દાતણવાળી ભાગ્યે જ જોવા મળતી. મરાઠી ઘરોનો રિવાજ દંતમંજન વાપરવાનો. એ દંતમંજન ત્રણ રંગનાં : લાલ, કાળો, સફેદ, કાચની બાટલીમાં. દાતણને લગતું એક જોડકણું કાચું-પાકું યાદ છે :

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું,
લચકીલું કોઇ અંગ નથી, હું દાતણ છું.
આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.  

* * *

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ.

આપણા મોટા ગજાના કવિ વિનોદ જોશીની આ પંક્તિમાં જે પીંજારો બેઠો છે, તે મુંબઈમાંથી તો લગભગ ઊઠી ગયો છે. એક જમાનામાં મોટા ભાગનાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ત્રણ-ચાર વરસે પીંજારો બેસાડતા. ઘણાખરા મુસ્લિમ બિરાદરીના. પણ એ વાત કોઈને ખટકે નહિ. જેનાં કામ તે જે કરે. એ વખતે ગાદલાં, ઓશિકાં, રજાઈ, બધું કાપૂસ કહેતાં કોટનનું. વપરાઈ વપરાઈને દબાઈ જાય અને થોડી વાસ પણ આવે. એટલે નક્કી થાય ગાદલાં ‘ભરાવવાનું.’ ઘણી વાર કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી હોય તો વધારે ગાદલાં જોઈએ. ત્યારે પહેલાં તો બજારમાંથી ખાસ ગાદલાં માટેના જાડા કપડાનો તાકો લાવવામાં આવે. લાલ, કાળો, બ્રાઉન, ડાર્ક બ્લૂ એવા રંગની ડિઝાઈનવાળું મોટા પનાનું કાપડ. પીંજારો દર બે-ચાર વરસે આવતો હોવાથી ઓળખીતો. એ કાપડ લઈને દરજી પાસે ખોળ સિવડાવી લે. ખોળ ચારે બાજુથી સીવેલી હોય, ફક્ત એક જગ્યાએ મોઢું ખુલ્લું રાખ્યું હોય. પછી આવે પીંજવાનો દિવસ. મોટે ભાગે પુરુષ વર્ગ કામે જાય પછી આવવાનું કહ્યું હોય. બધાં જૂનાં ગાદલાં, ઓશિકાં, રજાઈ, વગેરેનો ઢગલો થાય. એ વખતે કોરોનાની તો કોઈએ કલ્પના પણ કરી નહોતી. પણ અ પીંજારો કામ શરૂ કરતાં પહેલાં નાક-મોઢા પર કપડાનો કટકો સજ્જડ બાંધી લે. જેથી રૂની રજકણ નાક-મોઢામાં જાય નહિ. પછી કાપૂસ પીંજવાનું શરૂ થાય. ઢેં ઢફ, ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ. બરફના ચોસલા જેવું બની ગયેલું રૂ ‘સ્નો બોલ’ જેવું બનતું જાય. એક વાર પીંજાઈ જાય પછી બીજી વાર પીંજે. હવે તો એ બની જાય બાળકૃષ્ણના હાથમાંના માખણના પીંડ જેવું. એક પછી એક ખોળમાં રૂ ભરાતું જાય. પૂરું ભરાઈ રહે એટલે ખોળનું ખુલ્લું મોઢું મજબૂત જાડા દોરાથી સીવીને બંધ. પછી એ નવા ભરાયેલા ગાદલાને પોલી લાકડીથી ઠમઠોરવામાં આવે. એટલે આખું ગાદલું પોચું પોચું પણ સમથળ. છોકરાઓને એના પર કૂદવાની મજા આવે, પણ વડીલો રોકે. ત્યારે પીંજારો કહે : ‘છો કૂદતા, મારું કામ મજબૂત કેટલું છે એની ખબર પડશે.’ દાંડી તૂટેલા કાચના કપમાં કડક મિઠ્ઠી ચા મળે તો રાજીપાના ટેભા મોઢા પર ખાસ્સા દેખાઈ આવે. છેક ૧૭મી સદીનું તાંજોર શૈલીનું પીંજારાનું ચિત્ર આજે જોવા મળે છે, એટલે આ ધંધો એટલો જૂનો તો ખરો.

૧૭મી સદીનું તાંજોર શૈલીનું પિંજારાનું ચિત્ર

પણ પછી રૂનાં ગાદલાં ગયાં અને ફોમનાં આવ્યાં. ગાદલાં, ઓશિકાં, રજાઈ બધું રેડીમેડ મળે. જાતજાતની ભાતનું કાપડ. ન વધુ પોચું થાય, ન વધુ કડક. આઠ-દસ વરસ તો આરામથી વપરાય. હવે પીંજારાની માથાકૂટ કોણ કરે? અને હવે એવો ટાઈમ પણ કોને છે? ત્રણ-ચાર જણનું નાનું કુટુંબ. ગૃહિણી પણ કાં નોકરી કરતી હોય, કાં કિટી પાર્ટીઓમાં જતી હોય. છતાં શોધવા જાવ તો હજી ક્યાંક પીંજારો મળી જાય ખરો. એ આવે નાનકડું ઇલેક્ટ્રિકથી ચાલતું પોર્ટેબલ કાર્ડીંગ મશીન લઈને. ઘરઘરાટી બોલાવીને આખા દિવસનું કામ એકાદ કલાકમાં કરી આપે. હવે પેલો ઢેં ઢફ ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ એવો અવાજ તો ભૂતકાળ જ બની ગયો.

* * *

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી:
ભલા રે ભાઈ, પોલકે તું ભપકો ભરજી.

હા, એ જમાનામાં કાં લગનગાળા પહેલાં, કાં દિવાળી પહેલાં પાંચ-સાત દિવસ માટે દરજી ઘરે બેસાડતા. એ વખતે આઠ-દસ જણનાં મોટાં કુટુંબ. રેડિમેડનું ચલણ ઓછું. એટલે બધાંનાં કપડાં સીવવાનાં હોય. પહેલાં તો કાપડ માર્કેટમાંથી કાપડના તાકા લવાય. સાથે ધોતી જોટા ને સાડલાની થપ્પી પણ ખરી. ભાયડાઓ, બૈરાંઓ અને બાળકોની જરૂરિયાતો પ્રમાણે. પછી સારો દિવસ જોઈને દરજી પગથી ચલાવવાનો સંચો લાવીને ઘરે મૂકે. ઘણાં ઘરોમાં એ મશીનને નાનકડો, બે પૈસાવાળો હાર ચડાવાય. ઘરની દરેક વ્યક્તિ માટે શું અને કેટલું શિવવાનું છે તેની યાદી દરજીને અપાય. કાપડના તાકા અપાય.

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

દર વરસે આવતો હોય એટલે માપ લેવાની જરૂર ન દરજીને જણાય, ન કપડાં સિવડાવનારને. છતાં ક્યારેક છોકરા કે પુરુષનું માપ લેવું પડે. પણ મા-બહેનોનું માપ તો લેવાય જ નહિ. ઘરમાં નવી વહુઆરુ આવી હોય તો ય તે હરતી-ફરતી હોય ત્યારે ત્રાંસી નજરે જોઈને દરજી માપનો અંદાજ બાંધી લે. બૈરાંઓનાં કપડાંમાં ખાસ્સો આંતરસીવો રાખે જ. જેથી ‘ટ્રાયલ’ પછી કશું નાનું-મોટું કરવું પડે તેમ હોય તો કરી શકાય. હજી કપડાંની ડિઝાઈન બુક તો આવી નહોતી. એટલે દબાતે અવાજે નવી વહુઆરુ કહે : ‘અણમોલ ઘડી’માં સુરૈયા પહેરે છે ને, એવું પોલકું સીવજો.’ પછી જ્યારે જ્યારે પહેરે ત્યારે ત્યારે પોતાને સુરૈયા માનીને પોરસાય. છોકરાં-છોકરીએ ફક્ત સ્કૂલમાં જ યુનિફોર્મ પહેરવાનો એવું નહિ. બીજાં કપડાં પણ એક જ તાકામાંથી છોકરા-છોકરી માટે સીવડાવ્યાં હોય એટલે ઘરમાં ય યુનિફોર્મ પહેર્યો હોય એવું લાગે. પછી તો કુટુંબો નાનાં ને નાનાં થતાં ગયાં. રેડીમેડ કપડાંનું પૂર આવ્યું. વ્યક્તિગત ચોઈસને મહત્ત્વ અપાતું ગયું. અને ઘરનો દરજી ધીમે ધીમે બહારનો બની ગયો.

* * *

દરજીની જેમ દર વરસે મસાલા કૂટવાવાળી બાઈઓ પણ આવતી. આજ જેટલી નહિ, તો ય બે-ચાર કંપનીના તૈયાર મસાલા તો એ વખતે પણ મળતા. પણ એક તો પૂરો ભરોસો નહિ, ને બીજું થોડા મોંઘા પડે. એટલે બજારમાં નવી સિઝનનો માલ આવે ત્યારે આખાં મરચાં, ધાણા, જીરું, હળદરના ગાંગડા, વગેરે જરૂર પ્રમાણે લાવવાનાં – આખું વરસ ચાલે તેટલાં. કૂટવાવાળી બાઈઓ મરાઠણ. ખડતલ. ગરમ મિજાજની. કોઈ જરા આડુઅવળું ભૂલમાં ય બોલે તો મણ મણની ચોપડાવે. કપાળની વચ્ચોવચ મોટો રૂપિયા જેવડો લાલ ચાંદલો. કછોટો વાળીને નવ વારી પહેરે – લાલ, ભૂરા, લીલા જેવા ભડક રંગોની. ઠરાવેલા દિવસે લાકડાનું મોટું ખાંડણિયું ને મૂસળ લઈને આવે. એક પછી એક મસાલો ખંડાતો જાય. બે બાઈઓ સામસામે ઊભી રહીને તાલબધ્ધ રીતે મૂસળના ઘાની જે ઝડી વરસાવે! મસાલા ભાંગીને ભુક્કો. પછી ખાંડેલા મસાલાને તેલથી મોળવીને કોડી કાચની સફેદ બરણીઓમાં ભરીને, ઢાંકણું સજ્જડ બંધ કરીને ઉપર ચોખ્ખા સફેદ કપડાનો કટકો બાંધી દેવાનો. અને બરણીઓ ગોઠવાઈ જાય રસોડાની લાકડાની અભરાઈઓ પર, હારબંધ.

હા, જી. આ બધું હવે તો હતું ન-હતું થઈ ગયું. પણ તેનો શોક શો કરવો? માલવપતિ મુંજ નાટકમાં માસ્ટર અશરફખાન પ્રભુલાલ દ્વિવેદીનું ગીત ગાતા તે ગણગણતા રહેવું :

એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2022

Loading

એક ભણેલા ભિખારીનો સરકારને કાગળ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 February 2022

પરમ આદરણીય સરકાર માઈબાપ,

એક ભિખારીના પાયલાગણ.

તમે તો સરકાર છો એટલે સુખી જ હો, એમ જ હું ભિખારી છું એટલે દુ:ખી જ હોઉં, તે છું. આ અરજી કરવાનું કારણ એ કે પહેલી ફેબ્રુઆરીએ માતાજીએ બજેટ રજૂ કર્યું તે મંદિરના ટી.વી. પર જોયું ને એ જાણીને અહીં થોડી મન કી બાત કરવાનું થયું છે. આમ તો હું સી.એ. નથી કે અર્થશાસ્ત્રી પણ નથી એટલે બહુ સમજ ના પડે, પણ અર્થશાસ્ત્રી જ બજેટ રજૂ કરે એવું જરૂરી નથી ને આમ પણ અર્થશાસ્ત્રી તો અભિપ્રાય આપવા જ હોય છે એટલે બે વખાણે ને બે વખોડે એમ બનવાનું. બજેટ રજૂ જ એટલે થાય છે કે ચેનલો પર ડિબેટ થઈ શકે. બીજું, સરકારે તો બજેટ વખાણવું જ પડે, કારણ એને કોઈ ટેક્સ લાગતો નથી. એને તો બધું જ મફત છે એટલે ટેક્સ કોને કહેવાય એવું ય ઘણા નહીં જાણતા હોય એમ બને. વખાણનારો બીજો વર્ગ તે ભક્તોનો. આમ તો સ્ત્રી કે પુરુષ એવી જુદી જાતિને બદલે બે જ જાતિ બચી છે. એક ભક્તોની ને બીજી વિરોધીઓની. ભક્તોને ખરાબ ને વિરોધીઓને સારું દેખાતું નથી. એ સિવાય જે રહ્યા તે મધ્યમમાર્ગી ! એ તાબોટા ફોડે તો પણ તેને કોઈ કાને ધરે એમ નથી.

કોઈને બજેટ બોલ્ડ લાગે છે તો કોઈને કોલ્ડ, પણ અપુન કો તો, બાપુ, એકદમ ગોલ્ડ કે માફિક લગા હૈ. તે એટલે કે હીરામાણેક, મોબાઈલ એવું બધું સસ્તું થયું છે. શું છે કે સોનું તિજોરીમાં રાખવા લોકો લે, એ કોઈ રોજ રોજ તો લે નહીં, એટલે એ સસ્તું કરો તો કૈં કરની આવક નિયમિત ના થાય. મોબાઈલ સસ્તા કર્યા એ સારું થયું. કોરોનાનું શું છે કે એ હવે ક્યારે જાય એ નક્કી નથી. એવામાં સરકારે ડિજિટલ યુનિવર્સિટી ને ચેનલો ચાલુ કરવાનું વિચાર્યું એ ઠીક થયું. ઓફલાઇન એજ્યુકેશનમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. એમાં શું છે કે ભણાવવું પડે છે ને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિનું જ ભારણ એટલું રહે છે કે સરકાર એનો પગાર તો આપે જ છે, પાછો ભણાવવાનો પણ આપે? યે તો બહુત નાઈન્સાફી હૈ. વિદ્યાર્થીઓ પણ ત્રણ વર્ષે હવે ક્લાસમાં ભણે એ શક્ય રહ્યું નથી. એ તો મોબાઇલમાં જ ભણશે. મોબાઈલનું સુખ એ છે કે એ ભણતર ઉપરાંત ગેમ્સ અને અંગત વીડિયો વાયરલ કરવાનું નોલેજ પણ આપે છે જે ઘણી વાર મલ્ટિ મીડિયા સુધી પહોંચે છે. આવી વસ્તુઓ સસ્તી થાય તે સારું જ છે. એ ક્યાં રોજ રોજ ખરીદવાની છે કે સરકાર રોજ કમાય? જ્યારે તેલ તો લોકો રોજ ખાવાના, એ મોંઘું કરો તો રોજ કૈંને કૈં મળતર તો સરકારને રહે ! આમે ય સીઝન રોજ બદલાય ને છાશવારે છત્રી ઉઘાડબંધ કરવી પડે એટલે એ પણ ચોરાવાની તકો વધારે. એનો ઉપાડ વધી ગયો હોય ત્યાં એ મોંઘી કરો તો એ પણ વધારાની આવક ખરી જ ને ! સરકારજી, આ તમે સારું કર્યું. રોજના વપરાશની વસ્તુઓ મોંઘી કરો તો રોજની આવક થાય ને! હીરા લેવા રોજ કોણ જાય? પણ, એ તમે સસ્તા કરો કે 5G ચાલુ કરો કે એરપોર્ટ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો તો ઉદ્યોગપતિઓનો ને એમના દ્વારા દેશનો વહીવટ ચાલી શકે એવું ખરુંને. ગો અ હેડ !

હું આર્ટસનો ગ્રેજ્યુએટ છું. શિક્ષક થવું હતું, પણ લોકડાઉન ને કોરોના મહામારીએ નોકરીની તકો ઓછી કરી નાખી. શું છે કે માબાપ તો ગરીબ જ હોવાના ને એમને ય જોવાના, એટલે ચાની લારી કાઢી, પણ ન ચાલી. લોકડાઉનમાં લોક એટલું ડાઉન થઈ ગયેલું કે લોક એન્ડ કીમાં જ રહેતું હતું, ત્યાં લારીએ ચા પીવા કોણ આવે? એટલે ચા વેચીને વિકાસ કરવાનું મારા નસીબમાં ન હતું. એવા નસીબદાર તો કોઈક જ હોય ! ભીખ માંગવાનો વિચાર આવ્યો, પણ રસ્તે નીકળવાની જ બંધી હોય ત્યાં ભીખ પણ કોણ આપે? એ તો ભલું થજો ભગવાનનું કે મંદિરો ખૂલ્યાં ને એનું એક પગથિયું મેં પચાવી પાડ્યું તો ભીખ મળવાની ચાલુ થઈ. બાકી હતું તે સરકારે અનાજ મફત આપવા માંડ્યું ને ખાતામાં પૈસા જમા થવા માંડ્યા. કોઈ વાર મારા ખાતામાં પણ થોડા ટુકડા પડ્યા તો રાહત થઈ. એમ કરતાં એક દિવસ હિસાબ માંડ્યો તો સાલી આવક ટેકસેબલ થઈ ગઈ. હું ભિખારી એટલે પ્રામાણિક ને પ્રામાણિક હોવાને લીધે જ ભિખારી એટલે રિટર્ન ફાઇલ કરું છું. સરકાર માઈબાપ ભિખારીઓ પણ ટેક્સ ભરે એટલે બજેટમાં આઠ વર્ષથી ઇન્કમટેક્સનો સ્લેબ બદલતી નથી. શું છે કે આઠ વરસથી મોંઘવારી વધી નથી. પેટ્રોલ મફતને ભાવે વેચાય છે ને ગરીબો તો આમ પણ ટાંટિયા ઘસડતા જાય છે, એમનું તેલ નીકળતું હોય તો પણ કૈં એમણે તેલ પુરાવવું પડતું નથી એટલે ખર્ચ જ કેટલો ! વારુ, એમના ખાતામાં પૈસા ને પેટમાં દાળચોખા તો સરકાર ઓરે છે એટલે એ તો રાજી રહેવાના. રહ્યો મધ્યમવર્ગ, એ તો મૂંગો મરી રહે છે. એને મોંઘવારી લાગતી હોય તો અવાજ કરે ને ! બાકી રહ્યા અમીરો, તો એને તો હજાર રૂપિયે તેલ થાય તો ય હોજરી ભરાવાની જ છે. તો, મોંઘવારી લાગી કોને? ઓન ધ કોન્ટ્રેરી, પગાર વધે છે નોકરિયાતોના, તો ટેક્સ ભરે એમાં ખોટું શું છે? ને ટેક્સ ભરવો જ ન હોય તો સાંસદ કે મંત્રી બને, કોણ રોકે છે? એટલે મધ્યમવર્ગને બજેટમાં કૈં મળ્યું નહીં એવી જે રડારોળ શરૂ થઈ છે એ વિપક્ષ કરાવે છે. આમ પણ મધ્યમવર્ગ ને ભિખારીઓમાં એક જ ફરક રહી ગયો છે તે એ કે ભિખારી માંગે છે ને મધ્યમવર્ગ માંગતો નથી. એ એટલો લાચાર છે કે આવકવેરાનો સ્લેબ વધારવાનું પણ બોલી શકતો નથી. એ પછી આપઘાત જ કરે કે બીજું કૈં? જે આપઘાત કરે તેને મધ્યમવર્ગ કહેવાય.

સરકાર માઈબાપ, 39.45 લાખ કરોડનો ખર્ચ આ વર્ષે કરવાની છે. એની સામે આવક 22.84 લાખ કરોડ જ છે. મતલબ કે આવક ઓછી ને જાવક વધારે છે. એમાં ખર્ચ ઘટાડી શકાય, પણ સરકાર ખર્ચ ઘટાડે તો ગરીબ થઈ જાય ને કોઈ સરકાર ગરીબ કેવી રીતે હોય? એ તો ચાર્વાકના સૂત્રને જ અનુસરે ને ! દેવું કરીને ઘી પીઓ. સરકાર થઈને ‘નલસે જલ’થી લોકોનું ને ગંગા કિનારાના ખેડૂતોનું ભલું ન કરે તો હોવાનો અર્થ  શો? એને માટે દેવું કરવું પડે તો ભલે, પણ જનતાને રાજી રાખવા સરકાર બધું જ કરી છૂટે એમ છે. આ વખતે પણ 25 હજાર કિલોમીટરના હાઇવે બનાવવાની વાત બજેટમાં થઈ છે. આ બધું દર વર્ષે થાય છે, પણ માઈબાપ, ચેક કરતા રહેજો, આવતે વર્ષે તમે હાઇવેની જાહેરાત કરો ને તે ઇન્ડિયાની બહાર નીકળી ન જાય તે જોજો ! નહીં તો પાછા આવવાનું અઘરું પડશે. મને તો 400 જેટલી નવી વંદે (વન ડે?) ભારત શરૂ થવાની વાત જાણીને ખૂબ નવાઈ લાગી. પેલું બુલેટ ટ્રેનવાળું ઠેકાણે પડ્યું કે આ એને બદલે છે? ખરેખર જે રીતે ટ્રેનો બનવા લાગી છે એ જોતાં તો ગલીએ ગલીએ ટ્રેનના કારખાના ખૂલી જાય તો નવાઈ નહીં ! આમ પણ 3 વર્ષે 400 ટ્રેનનો અંદાજ મૂકીએ તો વર્ષની 133 ટ્રેન (ડબ્બા જ નહીં, આખી ટ્રેન) બનાવવાની થાય. એ હિસાબે મહિનાની 11 ટ્રેન બનાવવી પડે. એમાં ગયાં ત્રણ વર્ષોમાં 2 ટ્રેન બનેલી એવું કહેવાય છે, હવે આ જો લોકલ ટ્રેન ન હોય તો ‘બનાવવાની’ ઝડપ વધારવી પડશે. જો કે, ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તે જોતાં આવતે વર્ષે ભારત 400 પ્લેન બનાવવાની જાહેરાત કરે તો પણ આશ્ચર્ય નહીં થાય.

જો કે, હું ઝૂંપડીમાં રહું છું, એની ય પાઘડી બોલાય છે, પણ આ વખતે પણ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત બજેટમાં 48 હજાર કરોડ ફાળવાયા છે. સરકારનો હેતુ 80 લાખ નવાં ને સસ્તાં મકાનો જનતાને પૂરા પાડવાનો છે. સરસ. દર વર્ષે લાખો મકાનો બનતાં જ જાય છે, પણ મારાં માઈબાપ, જરા જોઈ લો કે બધાંને મકાનો મળી ગયાં હોય ને ખાલી પડ્યાં ન રહે ! શું છે કે હજારો હજારો કિ.મી.ના હાઇવે, લાખો લાખો સસ્તાં  ને નવાં મકાનો .. આ બધાંમાં એવું ન થાય કે ખેતી લાયક જમીન જ ન રહે. પછી ખેડૂતોએ ખેતી માટે જમીન મેળવવા આંદોલન કરવું પડે એવું ન થાય તે જોજો ને પ્લીઝ, હવે નવી નોકરીઓ ઊભી કરવાનું માંડી જ વાળો ! એ તમારી ભલમનસાઈ છે કે આ વખતે પણ મેઇક ઇન ઈન્ડિયા હેઠળ નવી સાંઠ લાખ નોકરી ઊભી કરવાના છો. દર વર્ષે તમે લાખો નોકરીઓ ઊભી કરતાં જ જાવ છો ને બેરોજગારી ઘટાડતા જ જાવ છો, એ જોતાં લાગે છે કે દેશમાં કોઈ નોકરી વગરનું રહ્યું જ નથી. તમે આવ્યા ત્યારથી દર વર્ષે નવી બે કરોડ રોજગારી ઊભી કરવાનો દાવો કર્યો છે, એ હિસાબે તો 15 કરોડ રોજગારી ઊભી થઈ જ ચૂકી હોય, તો બેકાર રહે જ કોણ? સો યુ ડોન્ટ વેરી, સોરી, વરી !

આ બજેટમાં ક્રિપ્ટો કરન્સીને સરકારે કાયદેસર ગણવાની વાત નકારી છે, પણ તેમાં થતાં નફાને કાયદેસર ગણ્યો છે. ખોટમાં ભાગ નહિ, પણ નફામાં સરકાર 30 ટકા ટેક્સ કાપી લેશે. સારું છે ને ! જે દેવું ઘટ્યું તે ખરું.  બજેટને આધારે સરકાર માઈબાપે 25 વર્ષનાં વિઝનની વાત કરી છે. એમાં રીઝન હોય કે ના હોય, પણ વિઝન છે. ખરેખર તો સરકારે 135 કરોડ ચશ્માં પોતાનાં વિઝનનાં બનાવીને દેશની જનતાને પહેરાવી દેવાં જોઈએ જેથી આ જે ફાલતુ વિરોધ થયા કરે છે એ ન થાય ને નવું સૂત્ર સાકાર થાય – વન નેશન, વન વિઝન !

તમારો વધારે સમય લીધો હોય તો માફ કરશો. આમ જ પ્રગતિ કરીને સૌનો રકાસ, સોરી, વિકાસ કરતાં રહેશો.

આપના દેશ’વાસી’, શિક્ષિત ભિખારીનાં ‘વંદે ભારત’ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,6441,6451,6461,647...1,6501,6601,670...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved