મારા ચહેરાનું ઘરેણું છે તું મારી લાડકી.
મારી સોનપરીને સાદ પાડ્યા ઓ લાડકી.
મારી હથેળીમાં સુક્કા કમળ તું પ્રેમનો ટાપુ,
તારાં હેતના થાપા લવકે લોહીમાં ઓ લાડકી.
મારા આંગણે રોજ કેસરવરણી નભ પુકારે,
આંબલી પીપળ ડાળ બોલાવે ઓ લાડકી.
મેં લાગણીમાં લખ્યા છે ગઝલના આ શેરો,
મારી દુઆ છે તું હંમેશાં ખુશ રહે ઓ લાડકી.
મારાં લાડનો ખજાનો સગી આંખે નિહાળું,
આભના ઓરડે તારલિયા ટૂંકા પડે ઓ લાડકી.
મુંબઈ ઘાટકોપર
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


એવું કહેવાય છે કે આપણા પૂર્વજો વાનર હતા, પણ મારા ભેજામાં એ વાત ઘૂસતી નથી ને હું ગંભીર રીતે માનું છું કે જે મારા ભેજામાં ઘૂસતું નથી તે કોઈનાં ભેજામાં ઘૂસે એ શક્ય જ નથી. એક જમાનામાં ચાર્લ્સ ડાર્વિન કરીને એક વિદેશી વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે એમ કહ્યું કે માણસના અને વાંદરાના પૂર્વજો એક હતા. માણસ અને વાંદરા વચ્ચે સામ્ય જણાતું હોય તો પણ, બંનેના ફાધર એક જ હોય એમ માનવાનું મુશ્કેલ છે. આપણા બાપે આપણને ઘણી વાર ગધેડા કહ્યા હોય છતાં, જો આપણો બાપ, એના બાપે પણ ગધેડો કહ્યા છતાં ગધેડો ન હોય કે ઘોડાનો બાપ માણસ ન હોય તો માણસનો બાપ વાનર કેવી રીતે હોય? વારુ, કહેવાય છે તો એવું પણ કે માણસ વાંદરામાંથી ઊતરી આવ્યો છે. એ ખરું કે માણસ વાનર જેવું વર્તન કરતો હોય તો પણ, તે વાનરમાંથી ઊતરી આવ્યો છે એમ કહીને વાનરનું અપમાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આજ સુધી કોઈ વાનરે એમ કહ્યું નથી કે અમે માણસમાંથી ઊતરી આવ્યા છીએ તો માણસને કોઈ અધિકાર ખરો, એમ કહેવાનો કે તે વાનરમાંથી ઊતરી આવ્યો છે? એ તો સારું છે કે વાંદરાઓ બિચારા ભલા છે તે બોલતાં નથી, બાકી, હાલત એવી થાય કે આખી માણસ જાત એમની કોર્ટમાં બચાવ કરવામાંથી જ ઊંચી ન આવે !









થોડી વાતો ને થોડા ફોટા લઈને અમે બહાર નીકળ્યાં પણ ફૂલછોડ અમને છોડે એમ નહોતાં. તાજેતરમાં જ 'જીવતર નામે અજવાળું' શ્રેણીના પ્રથમ મણકામાં તરલાબહેન શાહને મેં એમની ફૂલવાડી વિશે વાત કરવા કહેલું ત્યારે એમણે જે જે ફૂલ જ્યાં જ્યાંથી આવ્યું હોય એની એક બે વાતો કરેલી. એ ફૂલકયારીઓ જાણે તરલાબહેનને કહી રહી હતી કે, 'ભાઈ રાપરથી પૂછે ત્યારે અમારી વાત કરો ને એ ભાઈ વાલોડ આવે ત્યારે અમને રૂબરૂ મળાવો નહિ, એ તો કેમ ચાલે ?' ફૂલની સુગંધ તો સૌ લઈ શકે પણ સુવાસની પાછળની એની સંવેદનાઓને પણ પામી શકે એવાં તરલાબહેને તરત એ ફૂલોનું કહ્યું માનીને અમારી સાથે એમનો પરિચય કરાવ્યો. 'આનું મૂળ પોંડીચેરીમાં, તો આ સુરેશભાઈ જોશીને ગમતું છોડ' એવી એવી ફૂલકથાઓ ઉતાવળે તો ઉતાવળે પણ તરલાબહેને અમને કહી ને આ જુદેરી પ્રેમકથાઓને વાગોળતાં વાગોળતાં અમે ઉપડ્યા વેડછીના વડલાના દર્શને.