હજારો વર્ષથી હું રખડ્યો અહીં, રઝળ્યો અહીં,
લંકાને કાંઠે, કાળી ડિબાંગ રાતે, મલબાર કિનારે;
ખૂબ ભટક્યો હું. હતો હું અશોક અને બિંબિસારના ભૂખરા સંસારમાં,
દબાયો હતો હું વિદર્ભના અંધકારમાં.
થાક્યો છું હવે હું, છે મારી ચારે બાજુ ઊછળતા દરિયાનાં ફીણ
મને ક્ષણભર શાંતિ આપે કોણ? તે છે નાટોરની વનલતા સેન.
એના કેશ જાણે વિદિશાની પ્રાચીન નિશા,
એના ચહેરે શ્રાવસ્તીની હસ્તકલા. સુકાન તૂટે
અને મધ-દરિયે જ્યારે નાવ ઘસડાય,
ત્યારે સુકાની જ્યારે જુએ તજનો દ્વીપ,
બસ એમ જ ભરઅંધકારમાં મેં જોઈ એને.
એણે પૂછ્યું, ક્યાં હતો તું અત્યાર સુધી?
અને પંખીના માળા જેવી એની આંખો એણે ખોલી,
જુએ છે મારી તરફ – નાટોરની વનલતા સેન.
દિવસને અંતે ઝાકળની ઝલક સાથે આવે છે સંધ્યા.
બાજ પોતાની પાંખમાંથી સૂર્યપ્રકાશની સુવાસ ખંખેરી નાખે છે –
જ્યારે વસુંધરાના રંગ ચીમળાય છે અને ઝાંખી રેખા ચીતરાય છે
ત્યારે ઝગમગતા આગિયા રંગે છે આ કથા –
ઘરે આવે છે બધાં જ પંખી, બધી સરિતા, પૂર્ણ થાય છે જીવનનાં સૌ કર્મ,
રહે છે માત્ર અંધકાર, અમારા ચહેરા એકમેક, સન્મુખ,
જ્યારે હું બેસું છું, મારી સમક્ષ છે નાટોરની વનલતા સેન.
૧૭મી ફેબ્રુઆરીએ કવિનો જન્મ દિવસ હતો, ત્યારે મેં એમની આ રચના મૂળ બંગાળીમાંથી ઉતારી અરુણાભ સિંહાના અંગ્રેજી અનુવાદની મદદથી પરિમાર્જિત કરી અહીં મૂકી છે. : સલિલ ત્રિપાઠી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 12
![]()


દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ છીએ અને એક લાંબા પથ પર આપણને એમનું એક અજવાળું મળતું રહ્યું છે અને સદ્ભાગ્યે અજવાળું એવું છે કે sound, light put together કારણ કે બુલંદ અવાજ છે અને વિચારની બુલંદી છે. આમ, આ રીતે શરૂઆત કરાય કે નહીં તે હું જાણતો નથી. પણ એકવાર અસગરઅલી એન્જિનિયરે સૈયદ શાહબુદ્દીન વિશે પ્રશ્ન કર્યો હતો, કે તમે ‘મુસ્લિમ ઇન્ડિયન’ છો કે ‘ઇન્ડિયન મુસ્લિમ’ છો? અને પછી કહ્યું, “હું ઇચ્છું કે તમે ઇન્ડિયન મુસ્લિમ હો.” દાઉદભાઈ આ બધા સવાલની બહાર છે, કારણ કે એક નાગરિક તરીકેનું એમનું વ્યક્તિત્વ જે રીતે વિકસ્યું છે એ રીતે એ આ છેડે કે પેલે છેડે કોઈ પણ કુંડાળું કે કોઈ પણ પ્રકારનું exclusion, એમાં તે જઈ શકે નહીં. એમની એ એક મોટી વિશેષતા છે. ખરું પૂછો તો આ સહજ છે, અને એમને માટે આપણે આવો જુદો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરવો પણ પસંદ ન કરીએ. પણ જે દોરમાંથી, જે દિવસોમાંથી, આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં this needs to be stressed એમ મને લાગે છે.

નારાયણભાઈને બહુ સ્પર્શી ગયો હતો. અને દાઉદભાઈનું જે આખું વિશ્વદર્શન, મેં બે કે ત્રણ વાર એમને સાંભળ્યા એ જે વિશ્વદર્શન છે તે આ સંકલિત લેખોમાં પણ દેખાય છે. સંકલિત-સંપાદિત લેખોમાં પણ એ એક ન્યાયી દુનિયાનું છે, નવી દુનિયાનું છે અને જ્યાં ઊભા છીએ ત્યાં સાંકડામાં સમાવાનું નથી એટલે કે દિલ સાંકડા કરવાનું નથી, ચિત્ત સાંકડું કરવાનું નથી. જગ્યા સાંકડી હોઈ શકે પણ એક વ્યાપકતા એટલે કે ઉપનિષદ પરંપરામાં કહીએ કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ તમને આમાંથી પસાર થતાં પણ દેખાશે.
છે તેનો આધાર બાળપણમાં તેની નાનીમોટી ઇચ્છાઓ પૂરી થઈ હતી કે અધૂરી રહી ગઈ હતી તેના પર છે. ક્લેઈનની થિયરી હતાશા અને આત્મઘાતી વૃત્તિ સાથે સંકળાયેલી માનસિક બીમારીઓનું નિદાન કરવામાં મદદરૂપ નીવડી. ઘૃણા અને ધિક્કારની જે લાગણીઓ હિંસા તરફ લઈ જાય છે તેને સમજીએ તો એ માનસિક પરિબળો જોવા મળશે જેને ક્લેઈને ડિપ્રેશનનું નામ આપ્યું અને તેની પહેલાં બર્ટને જેને મેલન્કોલિયા ગણાવ્યું. આવી બીમારીઓથી પીડાતી વ્યક્તિઓમાં આવાં પરિબળો ભારે લલચામણી વાક્છટા અને આમૂલ પરિવર્તનની ઉમેદમાં વ્યક્ત થાય છે. ૧૮મી-૧૯મી સદીના અંગ્રેજ રાજદ્વારી નેતા ચાર્લ્સ જેમ્સ ફોક્સે પણ એ જ બાલિશ ઘેલછા તરફ આંગળી ચીંધી હતી, જ્યારે તેમણે તેમનું જાણીતું વિધાન કર્યું, કે સૌથી વરવી ક્રાન્તિ એ હોય છે જેમાં જૂની સ્થિતિને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. “The worst of revolutions is a restoration.” દેશમાં હિન્દુત્વનો માહોલ વરતે છે તે પણ આ જ માનસિક પરિબળોનો ભયાવહ દાખલો બતાવે છે.