Opinion Magazine
Number of visits: 9663716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

10 और 5 का शर्मनाक खेल 

कुमार प्रशांत|Opinion - Opinion|5 September 2025

कुमार प्रशांत

कलम में जितनी संभव है शर्म की उतनी स्याही भर कर, अपने देश ने नाम जितने संभव हैं उतने खून के आंसू पी कर, और भारतीय न्यायपालिका की तरफ पछतावे से भरी आंखों से जितना देखना संभव है, उतना देखते  हुए मैं यह लेख लिख रहा हूं. रात के 3 बज रहे हैं लेकिन मैं चाह कर भी आंखें बंद नहीं कर पा रहा हूं, क्योंकि यह सारा माहौल खुली आंखों से जितना सर्द व घुटता हुआ लगता है, बंद आंखों में वह उससे भी भयावह व दमघोटूं बन जाता है. आपने कभी महसूस किया है कि जब अंधकार सामने आ कर आपको घूरने लगता है तब वह कितना अंधेरा होता है ! वह अंधकार से भी अंधेरा हो जाता है, क्योंकि तब वह बोलने भी लगता है.

आज ही दिल्ली हाईकोर्ट ने अपने देश के उन 10 नागरिकों को जमानत देने से मना कर दिया जो पिछले 5 सालों से जेलों में बंद हैं. न्यायमूर्ति नवीन चावला व शालिंदर कौर की बेंच ने जमानत रद्द करते हुए जो कहा उससे मुझे ख्याल आया कि सच, मूर्तियां भी कहीं न्याय करती हैं क्या ! कर सकती हैं क्या ? करें तो वे मूर्तियां न रहें ! कौन हैं ये 10 लोग ? नाम ही काफी है : सरजिल इमाम, उमर ख़ालिद, गुफिशा फातिमा, अख़्तर खान, अब्दुल ख़ालिद सैफी, मुहम्मद सलीम खान, शिफा-उर रहमान, मीरान हैदर और शादाब अहमद. 10वें अपराधी तसलीम अहमद की जमानत रद्द करने का श्रेय न्यायमूर्ति सुब्रमोनियम प्रसाद तथा हरीश वैद्यनाथन शंकर की बेंच को जाता है. इन दसों का अपराध एक ही है कि इन सबने “सोच-समझ कर, बखूबी बनाई योजना के तहत 2020 में राजधानी दिल्ली में दंगों को अंजाम दिया !”

क्या मैं इन दसों को याकि इनमें से किसी एक को भी जानता हूं ? नहीं, हर्गिज नहीं ! लेकिन मैं इनमें से एक-एक को जानता हूं, क्योंकि जीवन के जो 75 से अधिक वसंत मैंने अभी तक बिताए हैं, उनमें ये ही लोग मेरे अग़ल-बगल रहे, बोले, चले, खेले हैं. मैं अगर इन 10 लोगों के नाम आपको फिर से बताऊं तो मेरी बात समझना शायद आसान हो जाए आपके लिए – शिवशंकर प्रसाद, राज कुमार जैन, शरद यादव, मीरा कुमारी, सुब्रमण्यम स्वामी, सदानंद सिंह, कार्तिक उरांव, बिशन सिंह बेदी, कुंती मुर्मू और प्रकाश झा. ये 10 लोग हैं जिन्होंने 75 से ज्यादा सालों से बड़े हो चुके हमारे गणतंत्र की जड़ें खोदने की योजनाबद्ध साजिश की. ये 10 यदि सप्रमाण पकड़े न गए होते तो हमारे सामने हमारा गणतंत्र नहीं, उसका मलबा पड़ा होता आज !

इस सूची को देखते ही मेरी तरह आपके मन में भी तक्षण यह सवाल पैदा होगा कि क्या कभी ऐसा संभव है कि कोई 10 लोग मिल कर, करोड़ों की आबादी वाले इस महान देश की जड़ें खोद दें ? अगर ऐसा कभी हुआ तो मैं कहूंगा कि इसकी जड़ थी ही नहीं ! फिर मेरी तरह आपके जहन में भी ख्याल आएगा कि यदि इतना बड़ा षड्यंत्र रचा गया तो इस बहुधर्मी देश में यह कैसे संभव हुआ कि सिर्फ हिंदू ही इसमें लिप्त थे ? यह बात तो अब तक बड़ी मजबूत लगती आ रही थी, बड़े-बुजुर्गों द्वारा हमें समझाई जा रही थी कि अपराध व अपराधी की जाति-धर्म का ठिकाना नहीं होता है. तो फिर यह कैसे हुआ कि इस मामले में यह ठिकाना पक्का व पुख्ता हो गया ?  लगता है कि कहीं कुछ गड़बड़ है ! कोई उन्मत्त हो कर कहेगा कि ( एक भद्दी-सी गाली देते हुए जैसी ‘गोली मारो …’ का नारा खुलेआम लगाते हुए हमारे एक-दो-तीन-चार ….सत्ताधारी कुंवरों व बादशाह ने दी थी, देते ही रहते हैं ! ) कि सबको फांसी चढ़ा दो ! मैं कहूंगा : क्या बात कही है, एकदम मेरे मन की बात है ! लेकिन आप कहेंगे कि नहीं, नहीं, जरा जांच-परख लो ! फांसी का क्या है, वह तो अपने कानून के हाथ में आज भी है, कल भी रहेगा ! लेकिन संविधान है न हमारा, और उसकी बनाई न्यायपालिका है न, तो उसे अपना काम करने दो; इन सारे अपराधियों पर आज-के-आज मुकदमा चले, इनका अपराध प्रमाण सहित देश जान ले और फिर इनको फांसी दे दी जाए ! मैं कहता हूं कि भाई, क्या बात कही है आपने ! एक सभ्य समाज में, जिसमें इंसान बसते हैं, वहां ऐसा ही होना चाहिए !

आप ऐसा कहेंगे तो इन 10 में से कोई एक ( याकि सभी-के-सभी ! ) कह उठेंगे कि हम तो पिछले 5 सालों से जेल में बंद हैं. न कभी मुकदमा चला है इन सालों में, न हमारी पेशी हुई है, न उधर से कभी वकील खड़ा हुआ है, न इधर से ! हम पर जो भी आरोप हैं, जो पुलिस के कागजात हैं, वे सब हमें दिए जाएं ताकि हम भी और हमारे वकील भी उसे देख कर यह तो समझ सकें कि आरोप क्या हैं, और हमारा जवाब क्या है ? मुकदमा चले और माननीय न्यायमूर्ति उसे सुनें, देश भी जाने, संविधान भी उसे परखे और फिर साबित हो कि फांसी पड़नी चाहिए तो पड़े !! हम जो मांग रहे हैं वह रिहाई नहीं है, जमानत है. आपने ही हमें बताया-सिखाया है कि हमारे लोकतंत्र में जमानत नागरिक का स्वाभाविक अधिकार है, जेल अंतिम अपवाद है ! तो हमारे मामले में यह क्यों नहीं हो रहा है ? संविधान कहता है कि बिना मुकदमा चलाए किसी को जेल में बंद रखना उसके लोकतांत्रिक अधिकारों का हनन है. इस हनन को रोकने के लिए ही तो हमने न्यायपालिका नाम का इतना बड़ा सफेद हाथी पाल रखा है. यह खाता बहुत है, करता क्या है, यह समझना अब भारी हुआ जाता है.

आपको भी लग रहा है न कि इस दूसरी सूची के अपराधियों का यह कहना एकदम खरा है ! आज ही मुकदमा चलाओ और कल फांसी दे दो, कोई एतराज नहीं करेगा ! लेकिन जब हम यही बात दूसरी नहीं, पहली सूची के लिए कहते हैं, सब पलट जाते हैं. तो बात ऐसी बनती है कि अपराध व अपराधी का फैसला हम नाम देख कर करते हैं. यह शर्मनाक है, यह अंधेरा है, यह दमघोंटू है. यह लोकतंत्र की हत्या है.

क्या हमारे न्यायमूर्तियों को कभी इसका अहसास होता है कि जितनी बार वे पहली सूची के लोगों की जमानत रद्द करते हैं, उतनी-उतनी बार न्यायपालक की उनकी छवि धूमिल होती जाती है ? क्या हमारी न्यायपालिका को इसका अहसास है कि भारतीय नागरिक के मन में आज अपने चुनाव आयोग की विश्वसनीयता जिस गतालखाने में चली गई है, न्यायपालिका की विश्वसनीयता उसके आसपास ही है ?

बहुमत के नशे में चूर कोई सरकार ऐसा कानून बना देती है जिसमें व्यवस्था यह बनाई गई है कि यूएपीए के मामले में की गई गिरफ्तारी न्यायपालिका की समीक्षा के भीतर नहीं आएगी; ऐसा चुनाव आयोग बनाया जाता है कि जो हमेशा सरकार की तरफ ही झुका रहेगा; ऐसा कानून बनाया जाता है कि चुनाव आयुक्तों पर कभी, किसी अदालत में मुकदमा नहीं चलाया जा सकता है आदि और हमारी न्यायपालिका देखती रह जाती है, तो वह अपने अस्तित्व का मतलब ही खो देती है.

हम भारत के नागरिकों ने अपने संविधान की संरचना ऐसी बनाई जिसमें हमने अपनी न्यायपालिका में यह आदेश दिया है कि आपको निरंतर चौकन्ना रह कर यह देखना है कि कोई भी विधायिका या कोई भी कार्यपालिका या न्यायतंत्र का कोई भी पुर्जा कहीं से, कभी संविधान पर हाथ न डाल सके ! ऐसा होने से पहले, ऐसा होने के बाद या ऐसी संभावना भांप कर न्यायपालिका को संविधान की तलवार ले कर खड़ा हो जाना है. इसलिए संविधान में हमने एक ही ऐसी संरचना बनाई है, न्यायपालिका जिसे सतत विपक्ष में रहना है यानिकी संविधान के पक्ष में रहना है. हमारा संविधान अलिखित नहीं, लिखित है और उसे सिर्फ वकील साहबान नहीं, हम भी पढ़ पाते हैं. जब आपकी व्याख्याएं बहुत जटिल होती हैं, तब हम आसानी से समझ जाते हैं कि आप संविधान के शब्दों के पीछे छिपी भावना को समझने में चूक रहे हैं या फिर संविधान की अपनी लक्ष्मण-रेखा पर पांव धर रहे हैं. यह वह लोकतांत्रिक अपराध है जिसकी सजा आपकी नहीं, हमारी अदालत में दी जाती है. सरकारों को भले पांच साल में एक बार ( या जब भी चुनाव हो !) हमारी अदालत में आना पड़ता है, आप तो हर रोज हमारी अदालत में होते हैं, यह न हम भूलें, न आप !

2020 का दिल्ली दंगा पूर्वनियोजित था. भारतीय नागरिकों ने उस दौर में अपूर्व एकता व साहस के साथ दिल्ली में ही नहीं, देश भर में अपने संविधान के आईने में अपनी छवि खोजी थी. तब की सरकार को वह बहुत बड़ी व गहरी चुनौती थी कि “ किधर से बर्क चमकती है देखें ऐ वाइज / मैं अपना जाम उठता हूं, तू किताब उठा !” 30 जनवरी 1948 नहीं आई होती और महात्मा गांधी जीवित होते तो वे भी 2020 में अपने युवकों के साथ उसी तरह खड़े होते जिस तरह सन् 42 में हुए थे. लेकिन इतिहास बताता है कि उस दौर में भी लोग भटके थे, गलत रास्तों की ओर गए थे और तब गांधी ने ही अपनी अदालत में उनकी पेशी ली थी. वैसी ही सावधानी आज भी करनी है. इसलिए बगैर पल गंवाए इस लेख की पहली सूची के लोगों पर मुकदमा चलाया जाए व रोज-रोज की सुनवाई के साथ अदालत अपना फैसला सुनाए. फिर संविधान के जाल में फंसता कौन है, किसे फांसी होती है, यह तमाशा हम सब देखेंगे. इसलिए हमारे लोकतंत्र को आज व अभी जमानत चाहिए.

(05.09.2025 ) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

સોનલ પરીખ|Gandhiana, Profile|5 September 2025

બાલવાડીઓ, શાળાઓ, છાત્રાલયો, કૂવા, ખેતી, આડબંધો, ગ્રામસેવા – બે બે પછાત વિસ્તારોને બેઠા કરવાનું ભગીરથ કામ કરનાર ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસનું જીવન એટલે સતત પ્રજ્વલિત કર્મયજ્ઞ. 

‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે. 

એમનો જન્મ 1939માં સુરતના વાલોડ ગામે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીનાં વર્ષો ગાંધીપ્રવૃત્તિઓમાં મગ્ન લોકો વચ્ચે વીત્યાં. શિક્ષિકા બનવું, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવું અને સેવા કરવી આ ત્રણ સ્વપ્નો સાથે તેમને સુરત કોલેજમાં જવું હતું. પિતા રજા ન આપે. ભાઈના પ્રયત્નો અને કોકિલાબહેનના સત્યાગ્રહને પરિણામે રજા મળી. ખાદીની સાડી પહેરી કોલેજ કરી. એમ.એ., બી.એડ. થઈ વાલોડની શાળામાં શિક્ષક તરીકે જોડાનાર તેઓ પ્રથમ સ્ત્રી હતાં. 

લગ્ન થયાં; પણ ન ફાવ્યું, ન ગોઠ્યું. સમાજ માટે થઈને બધું સહન કરીને જીવ્યા કરવું એવું કોકિલાબહેનની પ્રકૃતિમાં નહીં. પતિપત્ની સમજપૂર્વક છૂટાં પડ્યાં પણ આખી ઘટનાનો કોકીબહેનને ખૂબ આઘાત લાગ્યો. એવામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વાંચી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પત્ર લખ્યો, ‘મારે સ્વસ્થ થવું છે, શું કરું?’ જવાબ મળ્યો, ‘બેટા, લોકભારતી આવી જાઓ.’ એક પુસ્તકના પ્રભાવે જિંદગી બદલાઈ જાય એવાં કેટલાંક દૃષ્ટાંતોમાંનું એક કોકિલાબહેનનું છે. કોકિલાબહેનના જીવન પર ત્રણ વ્યક્તિઓનો ખૂબ પ્રભાવ છે. એક તો એમના પિતા, બીજા મનુદાદા અને ત્રીજા કોકિલાબહેન જેમને ‘બીજા ગાંધી’ કહે છે તે જુગતરામકાકા. 

લોકભારતીનો એ સુવર્ણકાળ. પ્રેમ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, ઉત્સવોથી ધબકતા વાતાવરણમાં કોકિલાબહેને બે વર્ષ (1963-64) ભણાવ્યું. ત્યાર પછી બોરખડીના અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે જોડાયાં અને 30 વર્ષ સુધી એ પદ શોભાવ્યું. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘ઉત્તમ મા બનો, ઉત્તમ શિક્ષક બનો. વાર્તા, ગીતો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવો.’ છોકરીઓ એવી તૈયાર થાય કે જ્યાં કામ કરે ત્યાં નામ કાઢે. પછીના વર્ષે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થયું, ધીરે ધીરે એ જ કેમ્પસમાં માધ્યમિક શાળા અને આશ્રમશાળા બન્યાં. આ બધાંની જવાબદારી સંભાળી. 

દરમિયાન આખા જિલ્લામાં સેવાકાર્યો કરતા ભીખુભાઈ વ્યાસ સાથે પરિચય થયો અને બંને જોડાયાં. ગરીબ, પછાત આદિવાસી વિસ્તારને બેઠો કરવા પતિપત્ની કામે લાગ્યાં. સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના મિત્રોએ ધન પૂરું પાડ્યું. કોકિલાબહેનનાં સૂઝ-સમજ અને શ્રમ, ભીખુભાઈનું વ્યક્તિત્વ અને સંપર્કો અને સ્વીડનની નાણાંકીય મદદ – આમ ત્રેવડી શક્તિથી મોટાં કામો ઉપડ્યાં અને પાર પડ્યાં.

ત્યારે સુરતની શુગર ફેક્ટરીઓમાં કામ કરવા ધરમપુરના ડુંગરાઓમાંથી હજારો મજૂરો આવે અને અસ્થાયી અવ્યવસ્થિત અગવડભર્યા ગંદા પડાવોમાં રહે. માબાપ મજૂરીએ જાય, રોગિષ્ટ-કુપોષિત બાળકો રખડ્યા કરે. સ્વીડનના મિત્રોની પ્રેરણાથી કોકીબહેન થોડી વિદ્યાર્થિનીઓને લઈને ઉપડ્યાં કેમ્પોમાં. કેમ્પો સાફ કર્યાં, બહેનોને બાળઉછેર શીખવ્યો, આરોગ્ય સેવા પહોંચતી કરી. ધીરે ધીરે 65 બાલવાડીઓ ઊભી થઈ. પૌષ્ટિક નાસ્તા, રમતો-ગીતો, વાર્તાઓ. આમ પાંચેક હજાર બાળકો સચવાવા લાગ્યા. મજૂરીનો દર વધારાવ્યો હતો એટલે માબાપો પણ ખુશ હતાં. માલિકો આવીને ધમકાવે, ‘બધું બંધ કરો ને જતા રહો.’ બહેનો ગભરાય નહીં. છેવટે કમિશનર વચ્ચે પડ્યા, ‘સરકારી ભૂમિ પર ચાલતા શિક્ષણને તમે બંધ ન કરાવી શકો.’ 

પણ ખરું કામ તો આ લોકોના વિસ્થાપનને અટકાવવાનું હતું. અને કોકીબહેન ધરમપુર ગયાં. ધરમપુર ડુંગરાળ જંગલવિસ્તાર. ન પાણી, ન વીજળી, ન ખેતી, ન ડૉક્ટર, ન દુકાન. બેત્રણ ધોરણ સુધી ભણાવતી શાળાઓ બંધ પડી હોય. જંગલપેદાશો, હલકાં ધાન્ય, નાનાં પ્રાણીઓના શિકાર અને વાપીવલસાડ જઈ જે મજૂરી મળે એ પર નભતાં 180 ગામડાંના 3 લાખ લોકો. 

આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.

શિક્ષણનું કામ પણ ચાલતું જ હતું. ખૂબ દોડધામ કરી કોકીબહેને શાળા માટે માન્યતા મેળવી. પૈસા ઊભા કર્યા. જમીન અને મજૂરી ગામનાં. આમ મકાનો બંધાયાં અને છ પ્રાથમિક અને બે માધ્યમિક શાળા ઊભી થઈ. ધરમપુરના રાજચંદ્ર આશ્રમે છાત્રાલય કર્યું, સ્કૂલ દત્તક લીધી. એમને માટે અગિયાર-બાર સાયન્સ અને પછી સાયન્સ કોલેજ કરી. છોકરાઓ બીજે પણ ભણવા ગયા. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ફી આપવાની હોય, એડમિશન મળે ત્યાં મૂકવાના હોય કે પછી ગામમાં પાણીની મોટરો મુકાવવાની હોય કે સાધનો જોઈતાં હોય – કોકીબહેનની ટીમ હાજર. પણ એમની એક પદ્ધતિ હતી – અડધું પોતે કરે, અડધાની જવાબદારી ગામ પર મૂકે. ગામલોકો પણ પાછા ન પડે. પ્રામાણિક્તાથી પોતાના હિસ્સાની રકમ કે શ્રમ આપે જ. આરોગ્ય સેવા કરી. અનેક હોદ્દાઓ સંભાળ્યા. કડક હાથે અને સાચી રીતે કામ કર્યું અને કરાવ્યું. આ બધું કરતાં પિયર અને સાસરાના કુટુંબની જવાબદારી પણ નિભાવી. 

છેલ્લું કામ થયું 11-12ની બહેનો માટે છાત્રાલયનું. નાજુક ઉંમરની છોકરીઓને સાચવવી મુશ્કેલ, પણ એ વિસ્તારમાં છોકરીઓનું છાત્રાલય નહીં એટલે દસમા પછી દીકરીઓને માબાપ પરણાવી જ દેતા. 2006માં કરેલું આ છાત્રાલય વાડ કે દીવાલો વગર અને કોઈ પ્રશ્નો વગર આજે પણ ચાલે છે. 

87માં વર્ષે પણ કોકીબહેન સેવાક્ષેત્રે સક્રિય, પ્રસન્ન, રસોઈ-વાંચન-સંગીત-ફૂલોનાં શોખીન, મિત્રો બનાવવામાં નિપુણ, વહાલ વરસાવવામાં ઉદાર, જીવનના અઠંગ પ્રેમી અને પ્રેરણાના અખૂટ સ્રોત સમાં છે. ‘ભગવાને સારા કામમાં અમને નિમિત્ત બનાવ્યાં, તેનો સંતોષ છે.’ કહેતાં કોકીબહેન સેવા કરવા ઇચ્છનારને સલાહ આપે છે, ‘મિશનરી સ્પિરિટ, જે કરવા માગો તેનું જ્ઞાન, દિશા પકડવાની આવડત અને ખૂંપી જવાની તૈયારી – આ બધું હોય તો જ આ ક્ષેત્રમાં પડજો.’ 

સ્વતંત્ર થયેલા દેશને આવા ઘણાં ભીખુભાઈ-કોકીબહેનની જરૂર છે. જરા પગ ઉપાડીશું? 

e.mail : sonalparikh1000@gmail.com

Loading

સુપ્રીમને છે એટલી ચિંતા પણ સરકારને નથી …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 September 2025

રવીન્દ્ર પારેખ

શિક્ષણને મામલે ગુજરાત સરકારે સર્વનાશ વહોરી લીધો હોય એવી સ્થિતિ છે.

એવામાં યોગાનુયોગ આજે શિક્ષક દિન આવ્યો છે, તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ … ગાવાનું મન થાય, પણ એ ગમે એટલા ભાવથી ગાઈએ તો પણ મજાક કરતાં હોઈએ એવું લાગે. દિન વધુ ‘દીન’ લાગે એ દશા આપણે શિક્ષકોની કરી છે.

નવી શિક્ષણ નીતિને નામે રોજ શિક્ષણ વિભાગને તઘલખી વિચારો આવે છે ને તેના અમલના તે તરત જ આદેશો આપે છે. તઘલખને સારો કહેવડાવે એવો એક નિર્ણય એ આવ્યો કે ધોરણ ૩થી 8માં એકમ કસોટી રદ્દ કરીને, 18 ઓગસ્ટથી ત્રિમાસિક કસોટી ફરજિયાત કરવામાં આવી અને ગમ્મત જુઓ કે ૩થી 8માંથી કાઢી નંખાયેલી એકમ કસોટી, ધોરણ 9થી 12માં ફરજિયાત કરવામાં આવી. આમાં લાંબો વિચાર કરવાનો નથી, એટલે તેનો અમલ પણ 11 સપ્ટેમ્બરથી જ કરવાની જાહેરાત 4 સપ્ટેમ્બરના સમાચારમાં કરવામાં આવી છે. આ એકમ કસોટીમાં એકવાક્યતા પણ નથી. એકમ કસોટીના માર્ક્સ માત્ર 9 અને 11 ધોરણની વાર્ષિક પરીક્ષામાં જ ધ્યાને લેવાશે. ટૂંકમાં, બોર્ડની પરીક્ષાઓને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એકમ કસોટીના માર્ક્સ બોર્ડની પરીક્ષાઓમાં ધ્યાને લેવાના જ ન હોય, તો એ ધોરણોમાં એકમ કસોટી લેવાથી કયો હેતુ સરશે? બને કે જેમ 3થી 8માંથી ગઈ તેમ એકમ કસોટી 9થી 12માંથી પણ જાય. જરૂર તો એક પરિપત્રની જ છે ને ! એ તો કોઈ પણ તઘલખ ગમે ત્યારે બહાર પાડી શકે એમ છે. એક તરફ ભણાવવા માટે સ્કૂલોનાં, વર્ગોનાં, શિક્ષકોનાં ઠેકાણાં નથી ને છાશવારે પરીક્ષાઓ લેવાતી રહે છે. પરીક્ષા એ જ શિક્ષણ – એવું સૂત્ર હવે પ્રચલિત થયું છે.

40,000થી વધુ શિક્ષકોની કાયમી ભરતી 2017થી અટવાયા જ કરે છે ને કામચલાઉ શિક્ષકોથી ફિક્સ પગારે કામ લેવાય છે. આ હાલત સુધરતી નથી. શિક્ષકોનો દુકાળ સ્કૂલોમાં જ છે એવું નથી. યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ભરતી થતી નથી, એટલે થોડી જગ્યાઓ માટે જાહેરાત આવે છે, તો હજારોની સંખ્યામાં અરજીઓ ખડકાય છે. કાલના જ સમાચાર છે કે વીર નર્મદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 જગ્યાઓ માટે 2,000થી વધુ અરજીઓ આવી છે. 2016થી જ નર્મદ યુનિવર્સિટીમાં ભરતી થઇ નથી, ત્યાં 75 જગ્યાઓ ભરવાનું યુનિવર્સિટીને યાદ આવ્યું એ પણ કંઇ નાનીસૂની વાત નથી. અધ્યાપકોની દરિદ્રતા તો જગજાહેર છે, પણ અધ્યાપકોની ભરતીમાં પણ દરિદ્રતા દાખવવાનું સરકાર ચૂકતી નથી. આ મામલે સરકાર એટલી રીઢી થઈ ચૂકી છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ખરાબ રીતે ઝાટકણી કાઢી છે. એથી સરકારને કેટલો ફેર પડશે, એ તો સરકાર જાણે, પણ સુપ્રીમ કોર્ટે અધ્યાપકોની ભરતી અને પગાર બાબતે ચિંતા કરવી પડે એવી સ્થિતિ તો ગુજરાત સરકારે ઊભી કરી જ છે.

હાઈકોર્ટે, સમાન કામ, સમાન વેતનને અનુલક્ષીને સમાન પગારનો નિર્દેશ આપતા, ગુજરાત સરકાર અપીલમાં ગઈ હતી, પણ સુપ્રીમે એ અપીલ ફગાવી દઈને સરકારની રીતિ-નીતિની ઝાટકણી કાઢી હતી. શિક્ષણને મામલે ગુજરાતમાં જે લાલિયાવાડી ચાલે છે, એથી સુપ્રીમે આંચકો અનુભવ્યો હતો. આમ તો આખા દેશમાં શિક્ષકોની સ્થિતિ ઠીક નથી, પણ ગુજરાતમાં તો બદથી બદતર છે. સુપ્રીમે ભારે નારાજગી સાથે જણાવ્યું કે શિક્ષકને સન્માનનીય વેતન ન મળતું હોય તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર … ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં શિક્ષણ વિષેની કેટલીક વાતો સુપ્રીમને કદાચ પહેલી વખત જાણવા મળી હોય તો નવાઈ નહીં !

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે શિક્ષકો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે. એવા શિક્ષકો સાથે આવો વ્યવહાર અક્ષમ્ય છે. કોઈ પણ દેશ માટે તેના શિક્ષકો શરીરની કરોડરજ્જુ સમાન છે. શિક્ષકો જ વિચારો અને નૈતિક મૂલ્યો દ્વારા ભવિષ્યનો દિશા નિર્દેશ કરે છે. એ ગંભીર ચિંતાનો વિષય છે કે શિક્ષકોનાં યોગદાનને પરખવામાં આવતું નથી કે તેની કદર કરવામાં આવતી નથી. શિક્ષકોને નોંધપાત્ર વેતન ન મળે તો જ્ઞાન કે બૌદ્ધિક સફળતાને પણ સાચું સ્થાન નહીં મળે. વધારે ઉલ્લેખનીય ને ચિંત્ય બાબત તો એ છે કે હાઇકોર્ટે તેના ચુકાદામાં સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનું પાલન કરવાનો સ્પષ્ટ નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો જ હતો, પણ તેની સામે અપીલમાં જવાનું સરકારને યોગ્ય લાગ્યું. એ કેવી રીતે શક્ય છે કે સમાન કાર્ય, સમાન વેતનના સિદ્ધાંતની વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપે?

સુપ્રીમે રાજ્ય સરકારને સમાન કામ, સમાન વેતનને અનુરૂપ નિર્ણય આપીને, તેની મનસ્વી રીતિ-નીતિ સંદર્ભે પુનર્વિચારણાની ફરજ પાડી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથેના આ પ્રકારના ખરાબ વર્તન અને અન્યાયને કારણે દેશની વિદ્વત્તા પર ભારે અસર પડે છે. સુપ્રીમે રીતસરનો બળાપો ઠાલવતાં કહ્યું છે કે સમાનતાના દાવાઓ અને ખુલાસાઓ વચ્ચે એ વાત ભારે દુ:ખ પહોંચાડે છે કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરને માંડ ૩૦,૦૦૦નું જ વેતન મળે છે ને રેગ્યુલર હોય તે પ્રોફેસરોને સવાથી દોઢ લાખ જેટલો પગાર ચૂકવાય છે. એ કેવળ શોષણ છે કે કરાર આધારિત શિક્ષક કે અધ્યાપક કામ તો કાયમી જેટલું જ કરે છે, પણ તેમને કાયમી કરતાં હજારો રૂપિયા ઓછો પગાર અપાય છે, જે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતની ઠેકડી ઉડાવવા બરાબર છે. કરાર આધારિત પ્રોફેસરોને ચૂકવાતા પગાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં એ ચિંતા પણ સુપ્રીમે કરી કે આટલા ઓછા પગારમાં એ પ્રોફેસર પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવતો હશે? સુપ્રીમે એ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કરાર આધારિત પ્રોફેસરોને બે દાયકાથી આટલો ઓછો પગાર ચૂકવાય છે.

આ જ સ્થિતિ કરાર આધારિત શિક્ષકોની પણ છે. કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોને તો કરાર આધારિત પ્રોફેસરો કરતાં પણ ઓછો પગાર ચૂકવાય છે. એ શિક્ષકો કેવી રીતે ઘર ચલાવતા હશે એ પણ પ્રશ્ન જ છે. લાગે છે એવું કે કરાર આધારિત શિક્ષકો કે અધ્યાપકો રાખીને સરકાર એટલે કારભાર ચલાવે છે કે ઓછા પગારમાં કામ થાય અને કાયમીનો પગાર બચાવાય. શિક્ષકોની કાયમી ધોરણે ભરતી ખાસ થતી નથી, એમ જ અધ્યાપકોની પણ નિમણૂકો ટાળીને કરાર આધારિત અધ્યાપકોથી કામ કઢાય છે. એવું નથી કે શિક્ષકો, અધ્યાપકો મળતા નથી, પણ તેમની ભરતીમાં થતી કરકસર દ્વારા જગ્યાઓ ભરાય જ નહીં તેની કાળજી રખાય છે. કરાર આધારિત શિક્ષકો, અધ્યાપકો મળી રહેતા હોય તો કાયમી જગ્યા માટે ન મળે એવું બને, ખરું? સુપ્રીમે એ મુદ્દે પણ ટકોર કરી કે 2,72૦ ખાલી જગ્યામાંથી ફક્ત 923 પોસ્ટ પર જ કાયમી ભરતી થઈ છે. 158 એડહોક અને 902 કરાર આધારિત ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની થઈ છે, જ્યારે 737 જગ્યાઓ હજી પણ ભરવાની બાકી જ છે.

શિક્ષકો, અધ્યાપકોની ભરતી ન કરવાથી જ અસરકારક શિક્ષણ આપી શકાય, એવું સરકારને કઈ રીતે લાગે છે, તે સમજાતું નથી. એકાદ ખાલી પડેલી વિધાયક કે સાંસદની જગ્યા માટે પેટા ચૂંટણી યોજવાનું ચુકાતું નથી, તો હજારો ખાલી જગ્યાઓ રાખીને શિક્ષણની અવદશા નોતરવાનો અર્થ જ એ છે કે સરકારને શિક્ષિતોની જરૂર નથી. શિક્ષિત હશે તો વિચારશે, વાંધા પાડશે ને એકહથ્થુ શાસનમાં તડ પડશે, એટલે નાછૂટકે કામચલાઉથી સરકાર કામ કાઢે છે. સુપ્રીમની વાતો પરથી એવું લાગે છે કે આ કામચલાઉ શિક્ષકો, અધ્યાપકોની યોજના ગુજરાતમાં જ છે. સુપ્રીમની ઘણી પ્રતિક્રિયાઓ એમાંથી આવી છે કે કરાર આધારિત અધ્યાપકોને આટલો ઓછો પગાર મળે છે.

સીધો સવાલ તો એ છે કે એકસરખું કામ કરતી બે સમકક્ષ વ્યક્તિને પગાર સરખો કેમ નહીં? કોઈ વિધાયક, કોઈ સાંસદ, કોઈ મંત્રી ઓછો પગાર નથી લેતો, તો શિક્ષક કે અધ્યાપકને કરાર આધારિત રાખીને, ઓછો પગાર ચૂકવવામાં સરકાર કઈ દેશસેવા કરી રહી છે? ગુરુને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશની સાથે રાખીને પ્રાર્થના કરતાં હોઈએ, તો ઓછા પગાર દ્વારા શિક્ષકો, અધ્યાપકોનું શોષણ કરીને, આપણે કયું સન્માન કરીએ છીએ તે કોઈ કહેશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2025

Loading

...102030...152153154155...160170180...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved