Opinion Magazine
Number of visits: 9744860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વચ્ચે 

ઉમેશ સોલંકી|Poetry|20 January 2023

ઇતિહાસ ખેંચે કારણમાં

વર્તમાન તાણે તારણમાં

કારણ-તારણ વચ્ચે ક્યાંક હું

સમજું કશું …

ત્યાં તો કોઈ ધરાર

ખેંચીતાણે બહાર :

સામે

કાળની ધારે

ડુંગળી, મરચું, રોટલો મકાઈનો

પેટ પર પથ્થર અવકાશિયો.

e.mail : umlomjs@gmail.com

Loading

9 વર્ષની દીકરીને સંયમ એટલે શું એની ખબર હોય? 

રમેશ સવાણી|Opinion - Opinion|20 January 2023

ધર્મની કટ્ટરતા માણસની વિવેકશકિત હણી લે છે. ધર્મના નામે ન કરવા જેવાં કામો આપણે કરીએ છીએ. ધર્મના નામે સતીપ્રથાને બળ મળ્યું હતું. ધર્મનાં કારણે આપણે ચાર વર્ણમાં માનીએ છીએ. ધર્મનાં કારણે આપણે ગાયને પવિત્ર અને માણસને અપવિત્ર માનીએ છીએ ! ધર્મનાં કારણે 9 વર્ષની દીકરીને દીક્ષા અપાય છે !

હીરાના વેપારી ધનેશભાઈ સંઘવીની 9 વર્ષની પુત્રી દેવાંશીએ 18 જાન્યુઆરી 2023ના રોજ, સુરતમાં 35 હજાર લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા બાદ દેવાંશી પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા. તરીકે ઓળખાશે. મીડિયા કહે છે : “દેવાંશીની વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. દેવાંશી સંગીત, સ્કેટિંગ, ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. દેવાંશીના પિતાની કંપનીનું વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર છે. દેવાંશીએ બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા છે. તેણે મોબાઇલનો / ટી.વી.નો ઉપયોગ ક્યારે ય કર્યો નથી. તેણે 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેને કંઠસ્થ છે. 8 વર્ષની ઉંમર સુધીમાં દેવાંશીએ 500 કિલોમીટર ચાલી તીર્થસ્થાનોની મુસાફરી કરી હતી. સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા દેવાંશી રાજી થઈ ગઈ હતી.”

થોડાં પ્રશ્નો : 

[1] અખબારો / ટી.વી.માં દેવાંશીની દીક્ષાને મહત્ત્વ આપવામાં આવ્યું; કોઈએ આ દિક્ષાપ્રથાનો વિરોધ ન કર્યો ! બધાએ કહ્યું કે 9 વર્ષની દીકરી સંયમના માર્ગે  ! ‘આટલી નાની દીકરીને સંયમ એટલે શું એની ખબર હોય? શું આ ધાર્મિક કટ્ટરતા નથી? 

[2] દેવાંશીનો વાંક નથી, તેના માતા-પિતા / સમાજનો વાંક છે. જો દીકરીને સંયમના માર્ગે મોકલવી હોય તો વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ શા માટે? ભૌતિક ભભકો શા માટે? 

[3] ‘દેવાંશી 8 મહિનાની હતી ત્યારે તેણે દરરોજ ત્રિકાલ પૂજન શરૂ કર્યું. તે 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કરતી. 2 વર્ષ અને 1 મહિનાની ઉંમરથી તેણે ગુરુઓ પાસેથી ધાર્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું.’ આવી વાતો મીડિયા લખે છે; પરંતુ આમાં સચ્ચાઈ કેટલી? માની લઈએ કે દેવાંશીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી; તો તેનો લાભ શું? 

[4] ‘સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા દેવાંશી રાજી થઈ ગઈ હતી.’ શું દેવાંશી 9 વર્ષની ઉંમરે દીક્ષાનો નિર્ણય લઈ શકે? શું આ માતા-પિતાની ભૂલ નથી? જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજની નાસમજદારી નથી? વરસીદાન યાત્રામાં હાજર રહેલ 35 હજાર લોકોની મૂર્ખાઈ નથી? જો બાળલગ્ન ગુનો ગણાતો હોય તો બાળદીક્ષા ગંભીર ગુનો ન ગણાય? 

[5] સર્વ સુખનો ત્યાગ કરી, સંસાર છોડવાનો નિર્ણય બહુ જ સમજણપૂર્વકનો કહી શકાય? શું દેવાંશી સંસારને ખરાબ માનતી હશે? જો દેવાંશીનો સંસાર છોડવાનો નિર્ણય ઉત્તમ હોય / સાચો હોય તો તેમનાં માતા-પિતા તથા વરસીદાન યાત્રામાં હાજર રહેલ 35 હજાર લોકો શા માટે સંસાર છોડતા નથી? 

[6] બાળકો તો જેમ વાળો તેમ વળે. દેવાંશીને ધર્મસ્થાનોમાં મોકલવાને બદલે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પુસ્તકો વાંચવા માટે આપ્યા હોત તો એ સાધ્વીને બદલે વૈજ્ઞાનિક બનત; સારી નાગરિક બનત. દેશને સાધ્વીઓ કરતાં વિચારશીલ નાગરિકોની વધુ જરુર છે. આ ક્યારે સમજાશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઘડપણ

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|20 January 2023
(છંદ :  મિશ્ર ઘનાક્ષરી)
 ———

આવ-જાવ કોઈની ય હવે નથી મારી કને !

બાંકડો ને હું કરીએ મનભરી વાતચીત,

વાતચીતમાં ય નથી; લા’વ જેવું કૈં જ અને,

એની એ જ વારતાઓ; કહી-સુણી રોજ – રોજ;

રોજ-રોજ આયખું આ આમ પૂરું કરવાનું,

ખોટું શું છે ? આવે મોત તો તરત મરવાનું ?

સાથ ને સંગાથ ગયો; એકલતા ઘેરી વળી,

નીરવતા ઘોર રહી; મારી આસપાસમાં.

શ્વાસ હવે થાકી ગયા; વાળ હવે પાકી ગયા,

કરચલી ચામડીમાં અઢળક પડી ગઈ;

ઘડી નહીં જીવવાની; મોજ ને મજાહ ભરી,

રહી હવે વાટ જોવી; થંભે ક્યારે શ્વાસ !

મરેલા સમયને જીવાડવાનો રોજ રોજ,

રાત-દિન હાંફી રહ્યા; પળ પાયમાલ છે; 

ખ્યાલ હવે ઝાંખા પાંખા; ભૂંસાવાની સ્થિતિમાં છે,

ગીત હવે હોઠ મારા; ક્યાં ગાવાની સ્થિતિમાં છે ?

મૌન આઠે પો’ર હવે માણવાનું મનભરી,

જીવવાનું યાદ વિષે; દિન-રાત વનભરી.

આસપાસથી પસાર; થાય લોક લાખ લાખ,

સામું કોઈ જૂએ નહીં; “કેમ છો ?“ યે પૂછે નહીં !

સમજાવું મનને હું, સંસારની રીતભાત,

કામ વિના નકામાને ; કોણ પૂછે હાલચાલ ?

વાંક બધો બુઢાપાનો; લાચારીના કાળ તણો,

શાપ વેઠવાના બધા, આયખાના એક સાથ !

દીકરા ને દીકરી ; પોતરા ને પોતરીઓ,

દોહિત્ર ને દોહિત્રીઓ; વંશ-વિસ્તાર બધો;

જોઈ જોઈ રાજી થવું; રાખવી ન આશ જરી,

આઘાતથી બચવાનું; તો જ બને થોડુંઘણું;

પોતપોતામાં જ બધા ખોવાયેલ હોય અહીં;

કોણ જૂએ સામે કદી; કોણ પૂછે હાલચાલ ?

તા. ૧૦-૦૫-૨૦૨૨   

(ઘનાક્ષરી છંદ [સંખ્યામેળ છંદ] બંધારણ : અક્ષરો – ૩૨, ચરણ – ૨  ૧૬ અક્ષર + ૧૬ અક્ષર)

Loading

...102030...1,2931,2941,2951,296...1,3001,3101,320...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved